Tag: godrej

  • Godrej Enterprises : ગોદરેજ એન્ટરપ્રાઇઝનો 3 વર્ષમાં એનર્જી સોલ્યુશન્સ બિઝનેસમાંથી 2,000 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક

    Godrej Enterprises : ગોદરેજ એન્ટરપ્રાઇઝનો 3 વર્ષમાં એનર્જી સોલ્યુશન્સ બિઝનેસમાંથી 2,000 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક

    News Continuous Bureau | Mumbai

    Godrej Enterprises : ભારત તેના ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી પરિવર્તન જોઈ રહ્યું છે. વિવિધ શહેરોમાં ડેટા સેન્ટર ક્ષમતા વર્ષે 30 ટકાના દરે વધવાની સંભાવના છે અને દેશ ટકાઉ ઊર્જા સોલ્યુશન્સ પર મજબૂત ધ્યાન આપી રહ્યો છે. આ સંક્રમણમાં યોગદાન આપતા ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના એનર્જી સોલ્યુશન્સ બિઝનેસે નાણાંકીય વર્ષ 2025 માટે રૂ. 2,400 કરોડથી વધુની મજબૂત ઓર્ડર બુક નોંધાવી છે. જે 400 kV અને 765 kV સેગમેન્ટ્સમાં સ્વચ્છ ઊર્જા વીજ ટ્રાન્સમિશનમાં તેના નેતૃત્વને પુનઃસ્થાપિત કરે છે. કંપનીએ 80થી વધુ સબસ્ટેશન્સને સફળતાપૂર્વક ચાલુ કર્યા છે અને 765 kV સુધીની 300 કિલોમીટર્સથી વધુની ટ્રાન્સમિશન લાઇન્સ નાંખી છે. આ પ્રયાસોને પૂરક બનાવતો બિઝનેસ ટકાઉપણા લક્ષ્યાંકો સાથે સંલગ્ન ઊર્જા કાર્યક્ષમ સોલ્યુશન્સ પૂરા પાડીને ભારતના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આગામી ત્રણ વર્ષમાં તેનો ઉદ્દેશ તેની આવક વૃદ્ધિમાં રૂ. 2,000 કરોડ હાંસલ કરવાનો છે જે ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણને આગળ વધારે છે અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને ટેકો આપે છે.

    ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના એનર્જી સોલ્યુશન્સ બિઝનેસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાઘવેન્દ્ર મિરજીએ જણાવ્યું હતું કે “ભારતનું ઊર્જા ક્ષેત્ર ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જે ટકાઉપણા અને આત્મનિર્ભરતાની તાત્કાલિક જરૂરિયાત દ્વારા સંચાલિત છે. રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ સ્વદેશી સમૂહ તરીકે, અમે અત્યાધુનિક, ઉચ્ચ-ક્ષમતા ટ્રાન્સમિશન સોલ્યુશન્સ સાથે દેશના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અગ્રણી 765kV ઇન્સ્ટોલેશન્સનો અમારો સફળ અમલ માત્ર અમારી ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં પરંતુ ભારતના સ્થિતિસ્થાપક, હરિયાળી ઊર્જાના ભવિષ્ય તરફના સંક્રમણને સક્ષમ કરવામાં અમારી ભૂમિકા પણ દર્શાવે છે. વિશ્વકક્ષાના પાવર સોલ્યુશન્સ પૂરા પાડીને અમે સ્વચ્છ ઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં વૈશ્વિક અગ્રણી તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.”

    આ બિઝનેસ મહારાષ્ટ્રમાં સીમાચિહ્નરૂપ ગ્રીનફિલ્ડ 765/400kV ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન (જીઆઈએસ) પ્રોજેક્ટની સાથે રાજસ્થાન અને હરિયાણામાં ફેલાયેલો તેનો પ્રથમ ગ્રીનફિલ્ડ 765kV એર ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન (AIS) પ્રોજેક્ટ આગળ ધપાવી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં ગ્રીન પાવર ઇવેક્યુએશન માટે મહત્વપૂર્ણ છે, જે ભારતના પુનઃવપરાશી ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

    આ સમાચાર પણ વાંચો: Godrej Enterprises : ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે જીત્યા ઈન્ડિયા ડિઝાઇન માર્ક એવોર્ડ્સ 2024 ખાતે એવોર્ડ્સ

    વધુમાં, તેણે મુંબઈના એક અંડરગ્રાઉન્ડ મેટ્રો પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રિકલ વર્ક્સ પૂરા કર્યા છે, જેનાથી શહેરની ભીડમાં 15 ટકા ઘટાડો થવાની અપેક્ષા છે. પુનઃવપરાશી ઊર્જા ક્ષેત્રે બિઝનેસે મધ્યપ્રદેશમાં ટેક્સટાઇલ ફેસિલિટી માટે 12.5MWp રૂફટોપ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે 1 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લે છે. આ સમગ્ર ભારતમાં સૌથી મોટા રૂફટોપ ઇન્સ્ટોલેશનમાંનું એક છે અને મધ્ય પ્રદેશમાં સૌથી મોટું છે. આ પ્રોજેક્ટ્સ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉપણા લક્ષ્યોને આગળ વધારવામાં ખાનગી સાહસોની ભૂમિકા દર્શાવે છે.

    બિઝનેસના એમઈપી ડિવિઝને અત્યાધુનિક, ટકાઉ સોલ્યુશન્સ સાથે ભારતના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરના ભૂતકાળમાં, બિઝનેસે સફળતાપૂર્વક દક્ષિણ ભારતમાં રૂ. 78 કરોડના મૂલ્યની 12 મેગાવોટ કેપિસિટી ફેસિલિટીનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું છે જે તેનો સૌથી મોટો ડેટા સેન્ટર પ્રોજેક્ટ છે. તેને 4,000 રેક્સ રાખી શકાય અને ઊર્જા કાર્યક્ષમતા માટે આઈજીબીસી ગોલ્ડ માપદંડોને પૂર્ણ કરે તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મુંબઈ, ચેન્નઈ, નોઈડા વગેરે જેવા મુખ્ય ડીસી હબમાં ગ્રીનફિલ્ડ અને કોલોકેશન પ્રોજેક્ટ્સમાં 35 મેગાવોટથી વધુ ડેટા સેન્ટર ક્ષમતા સાથે ગોદરેજ આ સેક્ટરના ઝડપી વિસ્તરણને ટેકો આપવા માટે સારી સ્થિતિમાં છે.

    જેમ જેમ ભારત તેના સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણને વેગ આપે છે, તેમ ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રૂપ નવીન અને ટકાઉ પાવર સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે જે લાંબા ગાળાની અસરને આગળ ધપાવવા માટે રાષ્ટ્રના આર્થિક વિકાસને વેગ આપે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Godrej: ભારતીય ટ્રાવેલર્સ ગોદરેજ પર આધાર રાખે છે,  ટ્રાવેલ સિઝન દરમિયાન હોમ લોકરના વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો

    Godrej: ભારતીય ટ્રાવેલર્સ ગોદરેજ પર આધાર રાખે છે, ટ્રાવેલ સિઝન દરમિયાન હોમ લોકરના વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો

    News Continuous Bureau | Mumbai

    Godrej:  ગોદરેજ એન્ડ બોય્સના એક વિભાગ ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સે ( Godrej Security Solutions ) જાહેર કર્યું કે ચાલુ પ્રવાસની સિઝન દરમિયાન તેની વધતી માંગને કારણે તેની હોમ લોકર્સ ( lockers ) કેટેગરી દ્વારા તેના વ્યવસાયમાં 15 ટકા વૃદ્ધિ જોવા મળી છે. આધુનિક ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે સમર્પિત કંપનીએ એડવાન્સ્ડ સ્ટ્રેન્થ હોમ લોકર્સની ‘NX એડવાન્સ્ડ લોકર’ સિરીઝ રજૂ કરી છે જેથી ઘરના માલિકો વિશ્વના જુદા જુદા ભાગોમાં રજાઓ ગાળી રહ્યા હોય ત્યારે તેમની કિંમતી વસ્તુઓને સુરક્ષિત રાખી શકાય. વેચાણમાં વધારો ગ્રાહકોમાં જ્યારે તેઓ ઘરથી દૂર હોય ત્યારે તેમની કિંમતી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવાના મહત્વ વિશે વધતી જતી જાગૃતિને દર્શાવે છે.  

    આ અંગે ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે, “પ્રવાસના પગલે ઊભી થયેલી માંગને પહોંચી વળવા માટે અમે ક્ષમતા વધારી છે અને અમારી શ્રેણીનો વિસ્તાર કર્યો છે. આના અનુસંધાનમાં અમારા NX એડવાન્સ્ડ ( NX Advanced Locker ) હોમ લોકર્સને સલામતી અને સૌંદર્યલક્ષી અપીલનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે માનસિક શાંતિમાં વધારો કરે છે. અમારું મિશન મૂળભૂત સુરક્ષા પૂરી પાડવાથી આગળ વધે છે. તેમાં મુસાફરીના અનુભવને વધારવા માટે ઉન્નત સુવિધાઓને એકીકૃત રીતે ઇન્ટિગ્રેટ કરવાનો સમાવેશ થાય છે જેથી ગ્રાહકો ચિંતામુક્ત મુસાફરી કરી શકે. અમે નાણાંકીય વર્ષના અંત સુધીમાં આ કેટેગરીમાં 25 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. આ લક્ષ્યાંક મુસાફરી દરમિયાન શ્રેષ્ઠ સુરક્ષા સોલ્યુશન્સ માટે પસંદગીની પસંદગી બનવાની અમારી દ્રષ્ટિ સાથે સંરેખિત છે. નવીનતા અને સ્માર્ટ ટેક્નોલોજીના એકીકરણ પર અમારું સતત ધ્યાન ઘરની સુરક્ષાને પુનઃવ્યાખ્યાયિત કરવા અને લાખો પરિવારોને તેમની મુસાફરીમાં ખુશીઓ મેળવવાના અમારા ઉદ્દેશ્યને હાંસલ કરવાના અમારા પ્રયાસોના મૂળમાં છે.”

    ટ્રાવેલ સિઝન દરમિયાન ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ તેની NX એડવાન્સ્ડ હોમ લોકર્સ ( Home lockers ) સિરીઝ સાથે સુરક્ષાની વધુ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર છે. ડિજિટલ, બાયોમેટ્રિક અને મિકેનિકલ મિકેનિઝમ્સને ઇન્ટિગ્રેટ કરતી મજબૂત ટ્રિપલ લોકિંગ સિસ્ટમ દર્શાવતા આ લોકર્સ કિંમતી ચીજવસ્તુઓ માટે અપ્રતિમ સુરક્ષા પ્રદાન કરે છે. વપરાશકર્તાની સગવડને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલ હોવાથી તેમાં વધારાના રક્ષણ માટે ઇનબિલ્ટ આઇબઝ એલાર્મ, સાહજિક ઇન્ટરેક્શન માટે વોઇસ એક્નોલેજમેન્ટ, અણધાર્યો પાવર લોસ અટકાવવા માટે લૉ  બેટરી ઇન્ડિકેટર, ઉચ્ચ એક્સેસ કંટ્રોલ માટે માસ્ટર પાસવર્ડ અને ફેઇલસેફ એન્ટ્રી માટે મિકેનિકલ ઓવરરાઇડ કી જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. આ નવીનતાઓ તમામ ઉંમરના વપરાશકર્તાઓ માટે છે. તે સુનિશ્ચિત કરે છે કે પરિવારો તેમના પ્રવાસના અનુભવોનો આનંદ માણતા હોય ત્યારે ઘરો સંભવિત જોખમો સામે સુરક્ષિત રહે છે.

    આ સમાચાર પણ વાંચો:  Nephro Care IPO: આ IPOએ સબસ્ક્રિપ્શનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, ગ્રે માર્કેટમાં બમ્પર નફો.. જાણો વિગતે.

    ટ્રાવેલ સિઝન દરમિયાન વધતી માંગને સ્વીકારીને બ્રાન્ડ પ્રવાસીઓ અને પરિવારોની બદલાતી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે તેની પ્રોડક્ટ ઓફરિંગને સક્રિયપણે અપનાવી રહી છે. 500થી વધુ નવા કાઉન્ટર્સના ઉમેરા સાથે તેની હોમ લોકર્સ કેટેગરીના તાજેતરના રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ સાથે તે ભારતીય ઘરોની ગતિશીલ સુરક્ષા જરૂરિયાતોને સંતોષવા માટે બ્રાન્ડના સમર્પણને દર્શાવે છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ સુરક્ષા વિકલ્પો માટે પસંદગીના પ્રદાતા તરીકે ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.

    બજારની વિસ્તૃત હાજરી અને મુસાફરી માટે તૈયાર કરાયેલા હોમ સેફના વિવિધ પોર્ટફોલિયો સાથે ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સનો ઉદ્દેશ્ય પ્રવાસીઓની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરવાનો છે, જેથી તેઓનો સામાન સુરક્ષિત હોય અને તેમની મુસાફરી તણાવમુક્ત હોય

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Godrej: તાળું તો ગોદરેજ નું જ, વિશ્વાસથી શરૂ થયો ધંધો હવે બે લાખ કરોડ ની સંપત્તિ. જાણો ગોદરેજ વિશે બધું જ.

    Godrej: તાળું તો ગોદરેજ નું જ, વિશ્વાસથી શરૂ થયો ધંધો હવે બે લાખ કરોડ ની સંપત્તિ. જાણો ગોદરેજ વિશે બધું જ.

    News Continuous Bureau | Mumbai 

    Godrej: ગોદરેજ એટલે એક વિશ્વાસ. એક જમાનામાં ગોદરેજ ના તાળાને ( Godrej locks ) સૌથી મજબૂત તાળા માનવામાં આવતા હતા. આ કંપનીએ તાળા ચાવીથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને ત્યારબાદ અંગ્રેજો માટે તિજોરી પણ બનાવી. આજની તારીખમાં ગોદરેજ કંપનીનો કારોબાર 90 દેશોમાં ફેલાયેલો છે અને તેની સંપત્તિ આશરે અઢી લાખ કરોડ રૂપિયા છે.

    Godrej: તાળાથી શરૂ કરીને ચંદ્રયાન અને ચૂંટણીમાં મત પેટીઓ બનાવી.

    અનેક લોકોને વિશ્વાસ નહીં થાય પરંતુ ગોદરેજ ( Godrej Group ) પરિવારે 127 વર્ષ પહેલાં તાળા ચાવી બનાવવાની શરૂઆત કરી અને હાલ મિશન ચંદ્રયાન ( Mission Chandrayaan ) માં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વર્ષ 1897 માં અરદેશર ગોદરેજ ( Ardeshir Godrej ) અને તેમના ભાઈ પિરોજ શાહ ગોદરેજ દ્વારા ગોદરેજ ની સ્થાપના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 1951 ના વર્ષમાં જ્યારે ભારત દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારે ગોદરેજ કંપનીએ મત પેટીઓ બનાવી હતી.

    આ સમાચાર પણ વાંચો :  IMD: ભારતીય હવામાન વિભાગે મે 2024 ના પહેલા અઠવાડિયા માટે હવામાનની આગાહી જાહેર કરી

    Godrej: ગોદરેજ કંપનીનો કારોબાર આ રીતે વધ્યો. 

    જ્યારે ગોદરેજ બજારમાં આવ્યું ત્યારે ટાટા કંપની પણ પોતાનો વ્યવસાય આગળ વધારી રહી હતી. વર્ષ 1958માં ગોદરેજ કંપનીએ રેફ્રિજરેટર બનાવ્યું હતું. આમ તાળાથી શરૂ કરીને તેઓ રેફ્રિજરેટર સુધી પહોંચી ગયા, લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમને  typewriterનું મેન્યુફેક્ચરિંગ પણ શરૂ કર્યું. વર્ષ 1963 માં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ની એન્ટ્રી થઈ અને ત્યારબાદ ગોદરેજે ઝપાટાવેર કામ શરૂ કર્યું. એફએમસીજી સેક્ટરમાં તેમજ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં તેઓ ઝડપથી આગળ વધ્યા. આજની તારીખમાં ગોદરેજ કંપનીની પાંચ કંપનીઓ શેર બજારમાં છે. જેમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રો વેટ, અને એસ્ટેક લાઈફ સાયન્સ જેવી કંપનીઓ સામેલ છે. આમ ગોદરેજ કંપનીએ સતત પોતાનો કારોબાર વધાર્યો અને આજે તેની સંપત્તિ આશરે અઢી લાખ કરોડ રૂપિયા જેટલી છે.

     

  • Godrej Group: 127 વર્ષ જૂનાં ગોદરેજ ગ્રુપના ભાગલા પડ્યા, આ છે મોટું કારણ.. જાણો કોના હિસ્સામાં શું આવ્યું..

    Godrej Group: 127 વર્ષ જૂનાં ગોદરેજ ગ્રુપના ભાગલા પડ્યા, આ છે મોટું કારણ.. જાણો કોના હિસ્સામાં શું આવ્યું..

    News Continuous Bureau | Mumbai 

    Godrej Group: ભારતમાં જ્યારે પણ આઝાદી પહેલાના બિઝનેસ હાઉસનો ઉલ્લેખ થાય છે ત્યારે ગોદરેજ ( Godrej ) પરિવારનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. આ પરિવારનો બિઝનેસ રિયલ એસ્ટેટથી લઈને હોમ એપ્લાયન્સિસ સુધી ફેલાયેલો છે. પરંતુ હવે આ 127 વર્ષ જૂના ઉદ્યોગના ભાગલા પડી ગયા છે. ગોદરેજ પરિવારનો બિઝનેસ બે ભાગમાં વેચાય ગયો છે. 

    કરાર મુજબ, આદિ ( Adi Godrej  ) અને તેનો ભાઈ નાદિર ગોદરેજ ( Nadir Godrej ) ઇન્ડસ્ટ્રીઝ પર નિયંત્રણ જાળવી રાખશે, જેમાં પાંચ લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે. દરમિયાન, પિતરાઈ ભાઈઓ જમશેદ અને સ્મિતા અનલિસ્ટેડ ગોદરેજ એન્ડ બોયસ સાથે તેના આનુષંગિકો અને મુંબઈમાં મુખ્ય મિલકત સહિત નોંધપાત્ર લેન્ડ બેંકનો વારસો મેળવશે.

     Godrej Group: ગોદરેજ ગ્રુપને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વહેંચવામાં આવ્યું છે…

    ગોદરેજ ગ્રૂપ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ગ્રુપને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વહેંચવામાં આવ્યું છે. એક તરફ આદિ ગોદરેજ (82) અને તેનો ભાઈ નાદિર (73) છે અને બીજી તરફ તેમના પિતરાઈ ભાઈ જમશેદ ગોદરેજ (75) અને સ્મિતા ગોદરેજ કૃષ્ણા (74) નો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે, આદિ હાલમાં ગોદરેજ ગ્રુપના ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે તેમના ભાઈ નાદિર ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ( Godrej Industries) અને ગોદરેજ એગ્રોવેટના ચેરમેન છે. તેમના પિતરાઈ ભાઈ જમશેદ અનલિસ્ટેડ ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપનીના ચેરમેન છે. વધુમાં, તેની બહેનો સ્મિતા કૃષ્ણા અને રિશાદની પણ ગોદરેજ એન્ડ બોયસમાં હિસ્સો ધરાવે છે, જે વિક્રોલીની મોટાભાગની સંપત્તિની માલિકી ધરાવે છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai News: મુંબઈમાં કાળઝાળ ગરમીના કારણે સુકાઈ રહ્યા છે જળાશયો, મુંબઈગરાઓ પર પાણી કાપ લટકતી તલવાર..

    નિવેદન અનુસાર, પરિવારે વિભાજનને ગોદરેજ કંપનીઓમાં ( Godrej companies ) તેના હિસ્સાની “માલિકીનું પુનર્ગઠન” ગણાવ્યું છે. ગોદરેજ પરિવારના સભ્યોના વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્યને સ્વીકારીને સંવાદિતા જાળવવા અને માલિકીનું વધુ સારી રીતે સંરેખણ કરવા માટે આદરપૂર્વક અને સાવચેતીપૂર્વક પુનર્ગઠન હાથ ધરવામાં આવ્યું છે. આનાથી શેરધારકો અને અન્ય તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરવાની પ્રક્રિયાને વ્યૂહાત્મક દિશા વધારવા, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વેગ આપવામાં મદદ મળશે.

      Godrej Group: કોને શું મળ્યું..

    ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપ ( Godrej Enterprise Group )માં ગોદરેજ એન્ડ બોયસ (G&B) અને તેની સંલગ્ન કંપનીઓનો સમાવેશ થાય છે, જે ઉડ્ડયન, સંરક્ષણ, એન્જિન અને મોટર્સ, ઉર્જા, સુરક્ષા, આરોગ્ય સંભાળ સાધનો, ટકાઉ ફર્નિચર, ઇન્ટિરિયર ડિઝાઇન, IT, સોફ્ટવેર અને ઇન્ફ્રા સોલ્યુશન્સ ઉદ્યોગોમાં કાર્યરત છે. આ જૂથના માલિકો હવે ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર જમશેદ ગોદરેજ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરિકા હોલકર અને તેમના અંગત પરિવારો હશે.

    બીજું જૂથ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ (GIG), જેમાં લિસ્ટેડ કંપનીઓ છે – ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફ સાયન્સ. આદિ ગોદરેજ, નાદિર ગોદરેજ અને તેમના નજીકના પરિવારના સભ્યો તેના માલિક હશે. નાદિર ગોદરેજ તેના અધ્યક્ષ રહેશે. પિરોજશા ગોદરેજ તેના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન હશે અને ઓગસ્ટ 2026માં નાદિર ગોદરેજનું સ્થાન લેશે.

    આ સમાચાર પણ વાંચો : Election Commission of India: ભારતના ચૂંટણી પંચે પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે મતદારોના મતદાનના આંકડા પ્રકાશિત કર્યા

  • Godrej : ન્યુ ઈનોવેશન.. ગોદરેજ અપ્લાયન્સિસે લોન્ચ કર્યાં વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રિજરેટર્સ..

    Godrej : ન્યુ ઈનોવેશન.. ગોદરેજ અપ્લાયન્સિસે લોન્ચ કર્યાં વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રિજરેટર્સ..

    News Continuous Bureau | Mumbai 

    Godrej : ગોદરેજ ગ્રુપની અગ્રણી કંપની ગોદરેજ એન્ડ બૉયસનો હિસ્સો ગોદરેજ અપ્લાયન્સિસે ( Godrej Appliances ) પ્રકૃતિથી પ્રેરીત વૂડ ફિનિશ હોમ અપ્લાયન્સિસની એક નવી સિરીઝ ઈઓન વોગ ( Eon Vogue ) લોંચ કરી છે. અત્યાધુનિક રેફ્રીજરેટર અને એર કન્ડિશનરથી સજ્જ આ રેન્જ એઈસ્થેટીક્સ તથા ટેકનોલોજીનું એક ઉત્તમ સમન્વય છે,જે સમકાલીન ભારતીય હોમ ડેકોરને પૂરક બનાવે છે તથા તેને નોંધપાત્ર પ્રમાણમાં વેગ આપે છે.

    બ્રાન્ડ ( wood finish home appliances ) દ્વારા હાથ ધરવામાં આવેલ ભારતીય ઘરોને લગતા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આશરે 70 ટકાથી વધારે ઉત્તરદાતાઓનું કહેવું છે કે તેઓ એવા ઉપકરણોના વધારે વિકલ્પ જોવા ઈચ્છે છે કે જે તેમના ઘરની સજાવટ માટે વધારે યોગ્ય હોય. અડધાથી પણ વધારે લોકોનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે તેમના ઘરોમાં બધુ જ યોગ્ય રીતે મેચ થાય તેવું ઈચ્છે છે.

    ન્યુ લોંચ અંગે બોલતા ગોદરેજ એપ્લાયન્સિસ ખાતેના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ-પ્રેસિડેન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “લોકોની ખર્ચપાત્ર આવકમાં થઈ રહેલા વધારા અને લોનની સરળ ઉપલબ્ધતાને લીધે હોમ ઓનરશીપ્સની સરેરાશ ઉંમરમાં ઘટાડો થયો છે અને એવું કહેવામાં આવે છે કે તે હવે થર્ટીઝમાં છે. આ યુવા ભારતીય કન્ઝ્યુમર પોતાના ઘરોની સજાવટમાં ખૂબ જ પ્રયત્ન કરે છે, તેઓ સુનિશ્ચિત કરે છે કે તમામ ડિઝાઈન એકંદરે યોગ્ય સમન્વય ધરાવે, હવે તેમના આ ઉપકરણો એટલે કે અપ્લાયન્સિસને એઈસ્થેટીક્સ બનાવવા માટે ઘરની સજાવટની વાત વિશેષ આવે છે તો તેઓ કેટલીક અડચણનો સામનો કરે છે. એઈસ્થેટીક્સ એ આજે એક ચાવીરૂપ ખરીદી છે, જે પ્રીમિયમાઈઝેશનના વેવ્ઝ વચ્ચે સંચાલિત છે. ગોદરેજ અપ્લાયન્સિસની ફિલસૂફીની બાબતમાં તે ખરી સાબિત થઈ છે, આ શ્રેષ્ઠ બ્રાન્ડ ફરી એક વખત સમજી-વિચારીને તૈયાર કરવામાં આવેલ ઉત્તમ પ્રોડક્ટ્સને ગોદરેજ અપ્લાયન્સિસ દ્વારા રજૂ કરવા સાથે તે બ્રાન્ડને નેચર ઈન્સ્પાયર્ડ, વુડ-ફિનિશ રેન્જમાં ( Air conditioner ) એરકન્ડિશનર અને ( Refrigerator ) રેફ્રીજરેટર્સ– ગોદરેજ ઈઓન વોગ સિરીઝની ખાસ રજૂઆત સાથે જરૂરિયાતને લગતી જે ખાઈ હતી તેને પૂરી કરવાની શ્રેષ્ઠ પહેલ કરી છે. અન્ય પ્રીમિયમ લોંચ સાથે બ્રાન્ડનો લક્ષ્યાંક પોતાના પ્રીમિયમ સેગમેન્ટના યોગદાનને 45 ટકાથી વધારીને 55 ટકા કરવાનો છે અને એક મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે સમર ગ્રોથને 20 ટકા સુધી વધારે છે.’’

    આ સમાચાર પણ વાંચો :  Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે સાથે લગ્ન કરવા નહોતો માંગતો વિકી જૈન! જાણો અભિનેત્રીએ તેના પતિ વિશે આવું કેમ કહ્યું

    ડિઝાઈનની પાછળના વિચાર પર પ્રકાશ પાડતા ગોદરેજ અપ્લાયન્સિસના ડિઝાઈન બાબતના વડા કમલ પંડિતે જણાવ્યું હતું કે,”અમે ઝડપભેર બદલાઈ રહેલા શહેરોને સ્વતંત્ર ઘરોના સ્થાને બહુમાળી ઈમારતો સાથે જોઈ રહ્યા છીએ અને ગ્રાહકોને પ્રકૃતિથી દૂર થતા જોઈ રહ્યા છીએ.

    New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..
    New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

    અમે જોયુ છે કે કેવી રીતે ભારતીય ઘરોમાં ગરમાવો આવે છે, જ્યારે ઉપકરણ અપેક્ષાકૃત ઠંડા સ્થળ પર કાળા તથા સિલ્વર રંગના કાચ તથા સ્ટીલ સાથે કામ કરે છે. અમે પ્રકૃતિને અનુરૂપ યોગ્ય નિર્ણય કર્યો છે અને વ્યવહારિકતાને યથાવત રાખતા આપણા ઘરોને મિશ્રિત તથા યોગ્ય પૂરક સ્થિતિ માટે અનેક રંગોમાં કુદરતી લાકડાંના ફિનિશિંગવાળા ઉપકરણ રજૂ કર્યાં છે. ઈઓન વોગ શ્રેણી પાણી, કોઈપણ પ્રકારના ડાઘ અથવા ઘસારા વિરોધી, સાફ કરવામાં સરળ તથા ટકાઉપણાની અજોડ રજૂઆત ધરાવે છે.”

    કન્ઝ્યુમરને તેમના ઘરોમાં ડિઝાઈનમાં ફેરફારને લગતા અનુભવ કરાવવા અને અપનાવવામાં સહાયકતા કરવા બ્રાન્ડે એક અનુકૂલિત હોમ ડિઝાઈન ગાઈડ માટે ઈન્ડિયા સર્કસના સ્થાપક અને ડિઝાઈન નિર્દેશક કૃષ્ણા મહેતા સાથે સહયોગ કર્યો છે, તેમાં વિવિધ પ્રકારની ઘરેલુ સજાવટને લગતી શૈલિઓ તથા ખાસ પ્રકારના ક્યુરેટેડ નવા ઈયોન વેન સિરીઝને રજૂ કરવામાં આવેલ છે, તેમાં વિવિધ પ્રકારના ઘરેલુ સજાવટની શૈલિઓ તથા ખાસ સ્વરૂપથી ક્યુરેટેડ ન્યુ ઈયોન વોગ સિરીઝને પ્રદર્શિત કરવામાં આવેલ છે. પ્રકૃતિથી પ્રેરીત ભારત સર્કસના સહાયક ઉપકરણ કે જેની કિંમત રૂપિયા 1999/- સુધી છે તે એક હજાર ગ્રાહકો માટે છે.

    આ લોંચ કરવા પ્રસંગે ઈન્ડિયા સર્કસના સંસ્થાપક અને ડિઝાઈનના નિર્દેશક કૃષ્ણા મેહતાએ કહ્યું કે “ગોદરેજ એપ્લાયન્સિસની નવી વુડ-ફિનિશ સિરીઝ ભારતમાં ડેકોરની દુનિયામાં સ્વાગત કરવા યોગ્ય ન્યુ એન્ટ્રન્ટ છે. હું ડિઝાઈનમાં પ્રકૃતિથી પ્રેરીત બાબતોને એકીકરણની મદદ કરું છું, અને તમે તેને ઈન્ડિયા સર્કસમાં પણ શ્રેષ્ઠ પર્ફોમન્સ સાથે જોઈ શકો છો. વુડ એક પ્રાકૃતિક ફિનિશ હોવાને લીધે બહુપ્રતિભા સંપન છે, જે વિવિધ સજાવટોની શૈલીઓ સારી ઉત્તમ તાલમેલ ધરાવે છે. મે તેને પોતાની ડિઝાઈન ગાઈડમાં રજૂ કરી છે અને ગ્રાહકોને ડિઝાઈન સાથે એક રિયલ અભિગમનો અનુભવ કરવામાં મદદરૂપ બને છે, અમે વોગ સિરીઝના પૂરક સ્વરૂપમાં ગ્રાહકો માટે આદર્શ સોગાત સ્વરૂપમાં ઈન્ડિયા સર્કસના કેટલાક ખાસ કુદરત પ્રેરીત સામાન-ફ્રિઝ વેર અને કુશન રેફ્રીઝરેટર અને એર કન્ડિશનર સાથે પણ તૈયાર કરવામાં આવેલ છે. અમને આશા છે કે આ શ્રેષ્ઠ રજૂઆત ગ્રાહકોને તેમના ઘરોમાં પ્રકૃતિથી પ્રેરીત ડિઝાઈનને વધારે સારી કરવાનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.”

    New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..
    New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

    આ સમાચાર પણ વાંચો :  Jaya prada: અભિનેત્રી જયાપ્રદા ની મુશ્કેલી વધી, આ કેસમાં અદાલતે અભિનેત્રી ને કરી ‘ભાગેડુ’ જાહેર, કોર્ટ એ પોલીસ ને આપ્યો આ આદેશ

    ગોદરેજ ઈઓન વોગ સિરીઝના રેફ્રિજરેટર બે રંગ ઓક અને વોલનટ વૂડમાં 272 લીટર તથા 244 લીટરની ક્ષમતામાં ઉપલબ્ધ બનેલ છે તથા ગ્રાહકો માટે રૂપિયા 27,000-32,000 રેન્જમાં ઉપલબ્ધ છે. રેફ્રીજરેટર નેનો શીલ્ડ ડિસઈન્ફેક્શન ટેકનોલોજી (પેટન્ટ લાગૂ), વિશાળ વેજીટેબલ સ્ટોરેજ અને અન્ય સુવિધાઓ સાથે પેટેન્ટેડ કૂલ શોવર ટેકનોલોજીના માધ્યમથી 96/+ સરફેસ ડિસઈન્ફેક્શન સાથે રજૂ કરવામાં આવેલ છે.

    એર કન્ડિશનર 1.5 ટીઆરમાં ત્રણ રંગ-સાઈપ્રસ, ટીક અને મહોગનીમાં ઉપલબ્ધ છે,જે રૂપિયા 35,000-38,000ની કિંમત રેન્જમાં ઉપલબ્ધ છે અને વીજળી બચત માટે 5-ઈન-1 કન્વર્ટિબલ ટેકનોલોજી, વધારે આરામદાયકતા માટે 4-વે સ્વિંગ અને 52 ડિગ્રી સેલ્સિયસ પર પણ હેવી-ડ્યૂટી કૂલિંગથી સજ્જ છે. આ એસી ઈર32નો ઉપયોગ કરે છે,જે ઓછા ગ્લોબલ વોર્મિંગવાળા રેફ્રિજરેટર છે. આ સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં ઈન્ડિયા સર્કસ વેબસાઈટ ઉપરાંત અધિકૃત સ્ટોર્સ અને લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનશે.

    વધુ માહિતી માટે https://www.godrej.com/appliances/eonvogue ની મુલાકાત લો

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Godrej: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (કેમિકલ્સ) સીડીપી ક્લાઇમેટ ચેન્જ લીડરશિપ ઇન્ડેક્સમાં સ્થાન મેળવ્યું

    Godrej: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (કેમિકલ્સ) સીડીપી ક્લાઇમેટ ચેન્જ લીડરશિપ ઇન્ડેક્સમાં સ્થાન મેળવ્યું

    News Continuous Bureau | Mumbai    

    Godrej: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( Chemicals ) સીડીપીના ક્લાઇમેટ ડિસ્ક્લોઝર ઇન્ડેક્સ 2023માં ( Climate Disclosure Index in 2023) લીડરશિપ ઇન્ડેક્સમાં સ્થાન મેળવ્યું છે. અમારા ટાર્ગેટ્સ, મજબૂત ગવર્નન્સ સ્ટ્રક્ચર, રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ અને ક્લાઇમેટ ચેન્જની અસરોને ઘટાડવા માટે અમલમાં મૂકેલા પગલા ઉપરાંત અમે અમારા સ્કોપ 3 ઉત્સર્જન અને ક્લાઇમેટ ચેન્જ ઓપોર્ચ્યુનિટીઝ ડિસ્ક્લોઝરમાં ઊંચો સ્કોર મેળવ્યો હતો જેના પગલે ક્લાઇમેટ ચેન્જ ડિસ્ક્લોઝરમાં “A-” સ્કોર મેળવવામાં મદદ મળી હતી.

    સીડીપી  ( CDP ) એ ગ્લોબલ નોન-પ્રોફિટ એન્વાયર્મેન્ટલ ડિસ્ક્લોઝર પ્લેટફોર્મ છે. 67 ટ્રિલિયન ડોલરથી વધુનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી 23,000થી વધુ કંપનીઓએ 2023માં સીડીપીને તેમના એન્વાયર્મેન્ટલ પર્ફોર્મન્સ ડેટા જાહેર કર્યા હતા. કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી સીડીપીની શ્રેષ્ઠતમ સ્કોરિંગ મેથોડોલોજીનો ઉપયોગ કરીને સ્વતંત્રપણે મૂલવવામાં આવી છે.

    ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( Godrej Industries Limited ) (કેમિકલ્સ) એ એવી જૂજ કંપનીઓમાંની એક છે જેણે લીડરશિપ ઇન્ડેક્સમાં ( Leadership Index ) સ્થાન મેળવ્યું હોય. અમે અમારા પર્યાવરણીય ટકાઉપણાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે અગાઉના કેટલાક વર્ષોમાં અનેક પહેલ આદરી છે. આ પૈકીની કેટલીક પહેલ અમે ક્લાઇમેટ ચેન્જ ( Climate Change ) ફ્રન્ટ અંગે ગત નાણાંકીય વર્ષ દરમિયાન હાથ ધરી છે જેનાથી લીડરશિપ ઇન્ડેક્સ પર અમારો રેન્ક મેળવવામાં અમને મદદ મળી છેઃ  

    1. સ્કોપ 3 ઉત્સર્જનનું સંપૂર્ણ મેપિંગ અને મોનિટરિંગ
    1.     68 ટકાથી વધુ ઊર્જા રિન્યૂએબલ્સથી
    1.     નાણાંકીય વર્ષ 2012થી 66 ટકા સુધી પ્રોડક્ટના ટનદીઠ ઘટેલું ચોક્કસ ઉત્સર્જન

    ક્લાઈમેટ ચેન્જ ઉપરાંત અમે વોટર સિક્યુરિટી અને ફોરેસ્ટ ડિસ્ક્લોઝર પણ સબમિટ કર્યા છે. અમે જળ સુરક્ષામાં “B” અને જંગલોમાં “B-”નો સ્કોર કર્યો છે જે એશિયાની સરેરાશ અને બંને ડિસ્ક્લોઝરમાં કેમિકલ સેક્ટરના સરેરાશ સ્કોર “C” કરતા વધુ છે.

    આ સમાચાર પણ વાંચો :  Disqualification Matter: મહારાષ્ટ્ર NCP ધારાસભ્યોને ગેરલાયક મામલામાં આવ્યો હવે નવો વળાંક, સ્પીકરના નિર્ણય સામે અજિત પવાર પહોંચ્યા હાઈકોર્ટ કરી આ માંગ..

     ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નાદિર ગોદરેજે જણાવ્યું હતું કે “અમે આનંદિત છે કે ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (કેમિકલ્સ) સીડીપી તરફથી ઉત્કૃષ્ટ રેટિંગ્સ મેળવ્યા છે. અમે વૈશ્વિક સ્તરે વિકસી રહ્યા છીએ ત્યારે અમારી પ્રોડક્ટ્સની નાનકડી ફૂટપ્રિન્ટ પણ ક્લાઇમેટ ચેન્જ માટેની લડાઇમાં મોટો તફાવત ઊભો કરી શકે છે. અમારા પ્રયાસોની માન્યતા અમારી ટકાઉપણાની સફરમાં સતત પ્રગતિ કરવામાં અમને વધુ પ્રોત્સાહિત કરે છે.”

     ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાલ શર્માએ જણાવ્યું હતું કે “અમારા સિદ્ધાંતો સુધારામાં રહેલા છે જે સુનિશ્ચિત કરે છે કે અમારી વૃદ્ધિ ટકાઉ પ્રેક્ટિસીસ સાથે જોડાયેલી છે. અમે જે પ્રકારે અમારો બિઝનેસ ચલાવીએ છીએ તે એટલો જ જરૂરી છે જેટલું અમે શા માટે બિઝનેસ કરીએ છીએ. આ માન્યતા અમારી એ માન્યતાને અનુમોદન આપે છે કે લોકો, પૃથ્વી ગ્રહ અને નફા અંગે સમજી-વિચારીને અમલમાં મૂકેલી ટકાઉ વ્યૂહરચનાઓ દ્વારા વારાફરતી ધ્યાન આપી શકાય છે. અમારી ટીમના લીધે અમે અમારા પર્યાવરણીય પ્રદર્શનને સતત મજબૂત કરી રહ્યા છીએ અને અમે ઉદ્યોગ માપદંડોને સ્થાપવા તથા સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.”

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Godrej: જૂની અને જાણીતી બ્રાન્ડ ગોદરેજે રેફ્રિજરેટરના રંગરૂપ બદલ્યા, ચાર દરવાજા વાળું ફ્રીજ આવ્યું..

    Godrej: જૂની અને જાણીતી બ્રાન્ડ ગોદરેજે રેફ્રિજરેટરના રંગરૂપ બદલ્યા, ચાર દરવાજા વાળું ફ્રીજ આવ્યું..

    News Continuous Bureau | Mumbai

    Godrej: ગોદરેજ ઇઓન (Godrej Eon ) વેલ્વેટ  4-ડોર રેફ્રિજરેટર ( Refrigerator ) સાથે તમારા રસોડાને અપગ્રેડ કરો. જે વિવિધ જરૂરિયાતોને અનુરૂપ વર્સેટાઈલ  ( versatile ) કુલિંગ વિકલ્પો પ્રદાન કરતી સ્ટાઈલ અને કાર્યક્ષમતાનુ પર્ફેક્શન છે. પ્રભાવશાળી વિશાળ 670 લીટરની  ( 670 Liter )કુલ ક્ષમતા ( capacity) , મોટી છાજલીઓ (શેલ્વસ) ( large shelves ), ઊંડા અને સરળ-થી-સ્લાઇડ ડ્રોઅર્સ (slide drawers ) સાથે આ ફ્રિજ ( fridge ) તમારી તમામ ખાદ્ય ચીજો માટે પૂરતી સ્પેસ સાથે આવે છે. તે ભારતીય પરિવારો ( Indian families ) માટે એક આદર્શ પસંદગી બને છે.

    તેનું કન્વર્ટિબલ મોડ ( convertible mode ) એક વધારાના ઝોનને મંજૂરી આપે છે જે ફ્રીઝર ( freezer ) અથવા ફ્રિજ તરીકે સેવા આપી શકે છે. -18°C થી 5°Cની વચ્ચે તાપમાન કસ્ટમાઇઝેશનની ( customization ) શક્યતા સાથે 81% ફ્રિજ સ્પેસને અનલોક કરી શકાય છે, ખાસ કરીને જ્યારે શાકભાજીનું પ્રમાણ વધારે હોય ત્યારે અત્યંત ઉપયોગી બને છે. સુપર ફ્રીઝર, સુપર કૂલ અને હોલીડે મોડ વિકલ્પો અનુક્રમે હેવી-ડ્યુટી કૂલિંગ અને વીજ બચત કરે છે. ડ્યુઅલ-ટેક કૂલિંગ અને એડવાન્સ્ડ ઇન્વર્ટર ટેક્નોલોજી દ્વારા સંચાલિત, આ રેફ્રિજરેટર કાર્યક્ષમતા  (efficiency ), ટકાઉપણું ( durability )અને શાંત કામગીરી ( quiet operation)સેવા પ્રદાન કરે છે. દરવાજો ખુલ્લો રહી જાય ત્યારે તે તમને ચેતવણી આપતું ડોર એલાર્મ ફંક્શન પણ ધરાવે છે.

    નવા લોન્ચ થયેલા 4-ડોર રેફ્રિજરેટર અંગે ગોદરેજ અપ્લાયન્સિસના પ્રોડક્ટ ગ્રૂપ હેડ અનુપ ભાર્ગવે  ( Anup Bhargava ) જણાવ્યું હતું કે, “અમે ગોદરેજ ઇઓન વેલ્વેટ 4-ડોર રેફ્રિજરેટર રજૂ કરવા બદલ ઉત્સાહી છીએ. જે અમારા પ્રીમિયમ રેફ્રિજરેટર્સના પોર્ટફોલિયોમાં લેટેસ્ટ એડિશન છે. એડવાન્સ કુલિંગ સુવિધાઓ અને બહુવિધ કાર્યક્ષમતાઓના મિશ્રણ સાથે, આ પ્રોડક્ટ ગ્રાહકોના જીવનને સમૃદ્ધ બનાવવા પ્રત્યેના અમારા સમર્પણનો પુરાવો છે. અમે એક માસ્ટરપીસ બનાવ્યું છે, જે ફક્ત તમારા રસોડાની સુંદરતામાં વધારો ઉપરાંત ગ્રાહકોની ઘણી બધી જરૂરિયાતોને પણ પૂરી કરે છે, જેમાં વિસ્તૃત સ્ટોરેજ અને સગવડતા સહિત સુવિધાઓ સમાવિષ્ટ છે.”

    ઇઓન વેલ્વેટ રેફ્રિજરેટર સ્ટાઈલ અને ઉત્કૃષ્ટ કામગીરીનો આનંદ આપતા રસોડાને લક્ઝ્યુરિયસ લુક આપતા ગ્રેફાઇટ બ્લેક અને આઇનોક્સ સ્ટીલ જેવા બે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. આ રેફ્રિજરેટર હાલ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં તમામ ઓફલાઈન સ્ટોર્સ પર રૂ. 1,20,000ની એમઆરપી પર ઉપલબ્ધ છે.

     

  • Ayushmann Khurrana: ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના સાથે ‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન લોન્ચ કર્યું

    Ayushmann Khurrana: ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના સાથે ‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન લોન્ચ કર્યું

    News Continuous Bureau | Mumbai 

    Ayushman Khurrana: ભારતમાં ‘તિજોરી’ની સમાનાર્થી ગણાતી ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે ( Godrej Security Solutions ) આજે બોલિવૂડ સ્ટાર ( Bollywood star ) અને બ્રાન્ડ એમ્બેસેડર ( Brand Ambassador ) આયુષ્માન ખુરાના ( Ayushmann Khurrana ) સાથે તેમના નવીનતમ કેમ્પેઈન ( campaign ) ‘દેશ કી તિજોરી’ ( Desh Ki Tijori ) લોન્ચ કર્યું હતું. બ્રાન્ડ કે જે ગોદરેજ ગ્રુપની ( Godrej Group ) ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનું ( Godrej & Boyce ) બિઝનેસ યુનિટ છે, તેના પ્લેટફોર્મ સિક્યોર 4.0 દ્વારા નવીનતાઓ અને ટેક સક્ષમ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

    ‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન જણાવે છે કે કેવી રીતે 1902માં ગોદરેજ દ્વારા ભારતમાં બનાવેલ પ્રથમ લોકર નવીનતમ ડિજિટલ લોકર્સ સુધી, આ પ્રોડક્ટ ભારતના ઘરોમાં અનેરું સ્થાન મેળવી ચૂકી છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુસન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું કે કેવી રીતે આજના વિકસતા સમયમાં, જ્યાં એસ્થેટિક્સ અને ઘરની સજાવટ ઘરના માલિકો દ્વારા ઘણી વખત કેન્દ્રસ્થાને હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના બને તેની પહેલા જ ગ્રાહકોને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા જરૂરી છે. તે ઉપરાંત, જેમ જેમ સ્માર્ટ હોમ ડિવાઈસનો ટ્રેન્ડ ચાલુ રહે છે, તે જરૂરી છે કે હોમ સિક્યોરિટી બ્રાન્ડ્સ પણ સ્માર્ટ હોમ ટેક્નોલોજી સાથે સક્ષમ હોય, કારણ કે આજે ગ્રાહકો વધુ ટેક-ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ પસંદ કરી રહ્યા છે.

    Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana
    Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

     

    વાનની અંદર ડિઝાઇન કરાયેલું સ્માર્ટ હોમ હોમ સિક્યોરિટી લોકર, વીડિયો ડોર ફોન, હોમ સિક્યોરિટી કેમેરા અને સીસીટીવી કેમેરા સુધીની સ્માર્ટ હોમ સિક્યોરિટી પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જનું પ્રદર્શન કરે છે. વેનની અંદરનું સ્માર્ટ હોમ એક શક્તિશાળી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જેનો ઉદ્દેશ્ય ઘરના માલિકોને સ્માર્ટ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ અપનાવવા અને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવાનો છે. 

    Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana
    Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

    ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે: “એક બ્રાન્ડ તરીકે તેણે માત્ર ભારતીય ઘરોને જ નહીં, પરંતુ બેન્કિંગ, જ્વેલરી, હોસ્પિટાલિટી અને ઘણા મુખ્ય ક્ષેત્રોની સુરક્ષામાં પણ ફાળો આપ્યો છે. અમે સિક્યોર 4.0 અમ્બ્રેલા હેઠળ લોન્ચ કરી રહ્યા છીએ તે અમારા ઇનોવેશન્સના પ્રતિભાવમાં હકારાત્મક પ્રતિસાદ જોઈને મને આનંદ થાય છે. 

    ભારતની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે, ‘દેશ કી તિજોરી’ પાછળનો વિચાર એક એવી પ્રોડક્ટને પ્રદર્શિત કરવાનો હતો કે જેના પર લોકોએ ઘણા દાયકાઓથી વિશ્વાસ કર્યો છે, અને એવી કેટેગરી કે જે જોખમી લેન્ડસ્કેપને કારણે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસિત થઈ રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Maharashtra News: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ, નાંદેડ બાદ છત્રપતિ સંભાજીનગર હોસ્પિટલમાં 24 કલાકમાં 18ના મોતથી આરોગ્ય વિભાગમાં મચ્યો ખળભળાટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..

    આ પહેલના ભાગ રૂપે, અમે અમારી લેટેસ્ટ હોમ સિક્યોરિટી ઈનોવેશન્સ દર્શાવવા માટે ખાસ કરીને “ચાર (4) વાન” ડિઝાઇન કરી છે અને આ વાન મુંબઈથી શરૂ કરીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં પ્રવાસ શરૂ કરશે. અમારું લક્ષ્ય ભારતના 100 શહેરોને 100 દિવસથી ઓછા સમયમાં આવરી લેવાનું છે અને હોમ સિક્યોરિટી સ્પેસની અંગે જાગૃતિ ફેલાવવાનું અને અમારા ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવાનું છે”. 

    Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana
    Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

    મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન આજે અમારી સાથે છે, કારણ કે તેઓ સુરક્ષામાં રોકાણ કરવાના મહત્વ વિશે અને વ્યક્તિની માનસિક શાંતિ અંગે ભારતીય ઘરો સુધી અમારા વિચારોનો પહોંચાડે છે”.

    ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના બ્રાન્ડ એમ્બેસડર અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે “હું ઘણી મુસાફરી કરું છું અને ઘરની બહાર ઘણો સમય વિતાવું છું એટલે હું મારા ઘર અને તેની આસપાસની સુરક્ષાનું મૂલ્ય સંપૂર્ણપણે સમજું છું. ઘણા બધા ભારતીયોની જેમ હું પણ મારા ઘરમાં ગોદરેજ સાથે ઉછર્યો છું. કોઈને કોઈ સ્વરૂપે અને ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સ સાથે સંકળાયેલું હોવું એ ખરેખર સન્માનની વાત છે. મને એક જૂની ‘તિજોરી’ યાદ છે જે મારા પરિવાર પાસે હતી અને તે ઘરની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવાના પ્રતીક તરીકે જોવામાં આવતી હતી. આજે, મને વધુ તકનીકી સક્ષમ અને ડિજિટલી સમજદાર પ્રોડક્ટ્સ જોઈએ છે. મને ખૂબ આનંદ છે કે હું હજી પણ મારા ‘મનની શાંતિ’ માટે ગોદરેજ ‘તિજોરી’ પર વિશ્વાસ કરી શકું છું.  મારી પાસે બાયોમેટ્રિક સ્કેનર્સ સાથેનું ખૂબ જ સરસ ડિજિટલ લોકર છે. આજનું કેમ્પેઈન બરાબર આ જ છે કે તિજોરી અથવા ગોદરેજ હોમ લોકર સતત વિકસિત થઈ રહ્યા છે અને ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ માત્ર અમારા ઘરો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે સતત નવીનતાઓ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તે જોઈને હું ખૂબ જ રોમાંચિત છું કારણ કે ગ્રાહક તરીકે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઘરના લોકર અને બેંક લોકરને સર્વશ્રેષ્ઠ રીતે સુરક્ષિત કરવામાં આવે!” 

    Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana
    Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

    નવીનતા અને સુરક્ષા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે, ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ વ્યવસાયો અને વ્યક્તિઓની વિકસતી જરૂરિયાતોને સંબોધતી એડવાન્સ્ડ પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે. સિક્યોર 4.0 એ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ દ્વારા બદલાયેલા જોખમો અંગે જાગૃતિ ફેલાવવા અને શ્રેષ્ઠ સુરક્ષા પગલાં પર અપગ્રેડ કરવા વિશે વપરાશકર્તાઓને જાગૃત બનાવવાની પહેલ છે.

    Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana
    Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana
  • દેશમાં ઘન કચરાનું સમાધાન સામૂહિક પડકાર, ભારત આ સમસ્યાને ઊર્જા, અર્થતંત્ર અને સશક્તિકરણમાં પરિવર્તિત કરી શકે છે.. જાણો કેવી રીતે?

    દેશમાં ઘન કચરાનું સમાધાન સામૂહિક પડકાર, ભારત આ સમસ્યાને ઊર્જા, અર્થતંત્ર અને સશક્તિકરણમાં પરિવર્તિત કરી શકે છે.. જાણો કેવી રીતે?

     News Continuous Bureau | Mumbai

    કલ્પના કરો – દરરોજ 7,500 ટ્રકો આપણા રોજિંદા વપરાશથી પેદા થયેલા વાર્ષિક 50 મિલિયન ટન સોલિડ વેસ્ટ (ઘન કચરા)નો નિકાલ કરે છે. આપણે ભેગા મળીને જે કચરો પેદા કરીએ છીએ તેનાથી સમગ્ર દેશમાં 3,150 ડમ્પસાઇટ્સના વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે અને આપણા લેન્ડસ્કેપને વધુ નુકશાન કરી રહ્યાં છીએ. જોકે, આટલું પૂરતું ન હોય તેમ વર્ષ 2030 સુધીમાં આ આંકડો ત્રણ ગણો થવાનો અંદાજ છે અને વાર્ષિક 165 મિલિયન ટન કચરો પેદા થવાની સંભાવના છે. આ કચરાને રાખવા માટે આપણને એક લેન્ડફિલની જરૂર પડશે, જેનું કદ મુંબઇ જેટલું વિશાળ હશે. આપણા સપનાના શહેર ડમ્પિંગ સાઇટમાં પરિવર્તિત થઇ જશે.

    કચરા પ્રત્યે આપણા અભિગમ ઉપર પુનર્વિચાર

    ભારતમાં શહેરી અને ઔદ્યોગિક કાર્બનિક કચરો લગભગ 5,690 મેગાવોટ ઊર્જાની જબરદસ્ત સંભાવનાઓ ધરાવે છે. એક ક્ષણ માટે કલ્પના કરીએ. તે 2,500થી વધુ પરિવારોની સમગ્ર વર્ષ માટેની ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે અને તે પણ કચરામાંથી.

    જોકે, તેના માત્ર ઇકોલોજીકલ લાભ જ નથી. કચરો આપણા માટે સોનાની ખાણ સાબિત થઇ શકે છે. કચરાના નિકાલ અને વ્યવસ્થાપન પ્રત્યે ગંભીર અને નવીન અભિગમ રિસાઇકલિંગ ઉદ્યોગ દ્વારા દર વર્ષે રૂ. 30,000 કરોડની સંભાવનાઓ અનલોક કરી શકે છે. કચરાને એક સમસ્યા તરીકે જોવાના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે, જે અપાર તકોનું સર્જન કરવાની સંભાવનાઓ ધરાવે છે.

    કચરાના માલિક બનવું

    કચરાના વિશાળ ઢગલા ઉપર નજર નાખતા સ્પષ્ટ થઇ જાય છે કે આપણે બધાએ નક્કર પગલાં લેવાની જરૂર છે. દરેક નાગરિક, કોર્પોરેશન અને સરકારી સંસ્થાનોએ સહિયારા પ્રયાસો કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી કામ કરવું જોઇએ.

    આ સમાચાર પણ વાંચો: કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો.. રેહાના ફાતિમાને નિર્દોષ જાહેર કરી, કહ્યું- મહિલાના અર્ધનગ્ન શરીરને અશ્લિલતા માની ના શકાય…

    ગોદરેજ ખાતે અમે સ્થાનિક મ્યુનિસિપાલિટી અને રહેવાસીઓ સાથે મળીને ઘણાં કમ્યુનિટી વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ લોંચ કર્યાં છે. અમારા ત્રિપાંખીય રણનીતિ – લેન્ડફિલમાંથી વેસ્ટ અન્યત્ર વાળવો, ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસ મોડલની સ્થાપના કરવી અને કચરાનો નિકાલ કરતા લોકોનો આદર કરવો.

    ટેક્નોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરતાં અમે મ્યુનિસિપાલિટીના વેસ્ટ મેનેજમેન્ટમાં પારદર્શિતા અને જવાબદારી લાવ્યાં છીએ. હવે, કોન્ટ્રાક્ટર્સ, શહેરી સ્થાનિક સંસ્થાઓના અધિકારીઓ અને સુપરવાઇઝર્સ કચરાના મૂળથી અંતિમ પોઇન્ટ સુધી કચરાની સફરને ટ્રેક કરી શકે છે તથા પ્રત્યેક કચરાના કામદાર દ્વારા પ્રદાન કરાયેલી સેવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરી શકે છે. આ સ્પષ્ટ અભિગમથી સમસ્યામાં ઝડપી ઉકેલ લાવી શકાશે, નાગરિકોને તેમના કચરાને અલગ કરવા પ્રોત્સાહિત કરી શકાશે તથા રિસાઇકલિંગની સંભાવનાઓના દ્વાર ખોલી શકાશે.

     અમારા પબ્લિક-પ્રાઇવેટ-પીપલની સહભાગીતા ધરાવતા મોડલના સકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. વર્ષ 2016માં અમારા પાઇલોટ પ્રોજેક્ટથી અત્યાર સુધીમાં અમે લેન્ડફિલમાંથી 13,000 ટનથી વધુ ઘન કચરાને સફળતાપૂર્વક દૂર કર્યો છે. આ પહેલથી સાયન્ટિફિક વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ મળ્યું છે, નાગરિકોને કચરાને અલગ કરવા જાગૃત કરી શકાયા છે તથા સફાઇ કામદારોને સલામતી અને ગૌરવ પ્રદાન કરી શકાયું છે.

    Solving solid waste in the India is a collective challenge

     

    વેસ્ટ મેનેજમેન્ટને સંપૂર્ણપણે અપનાવવા અને સહજ તકોનો લાભ લેવા માટે આપણે આ ત્રિપાંખીય મોડલને સફળ બનાવવું પડશે. જનતાને કચરાને અલગ કરવા શિક્ષિત કરવા ખાનગીક્ષેત્ર સરકાર સાથે સહયોગ કરી શકે છે તથા વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરવામાં મદદરૂપ બની શકે છે. તેના પરિણામરૂપે સ્થાનિક સત્તામંડળ કચરો અલગ કરવા જરૂરી નિયમો લાગુ કરી શકે છે. 

    ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ માટે સ્રોતોને અલગ કરવા ખૂબજ જરૂરી છે. ડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ વેસ્ટને અલગ કરવા માટે વેસ્ટ રિસાઇકલિંગ સ્રોતોની મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે અને આ સમસ્યા કચરાને અલગ કરવાથી સરળતાથી દૂર કરી શકાય છે. એક સુઆયોજિત જાગૃકતા અભિયાન કે જેમાં સમુદાયો અને કામદારોને સામેલ કરવાથી લક્ષ્યને હાંસલ કરી શકાશે. લોકો અને સંસ્થાનો આ સિસ્ટમને અપનાવે તે જરૂરી છે, જે વૈજ્ઞાનિક રીતે કચરાને અળગ કરવો, એકત્ર કરવો અને નિકાલનો આધાર બની રહેશે.

    ભારતમાં આશરે 1.5 મિલિયન કચરો વીણતા લોકો છે અને તેઓ રિસાઇકલ માટે યોગ્ય એવાં 80 ટકા કચરો એકત્ર કરે છે. તેમાંથી મોટાભાગના કામદારો અસંઠિત રીતે કામ કરે છે, જેમની પાસે ખૂબજ ઓછી સલામતી અને સુરક્ષા છે. તેમના કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવું સર્વગ્રાહી વેસ્ટ મેનેજમેન્ટનું મહત્વપૂર્ણ પાસું છે. તેમને બેઝિક પ્રોટેક્ટિવ ગિયર આપવા, તેમના સામાજિક-આર્થિક હકો વિશે જાગૃતિ ફેલાવવી, તેમને ઓળખપત્રો આપવા અને સરકારની નીતિઓનો લાભ આપવાથી આપણી રિસાઇકલિંગ ઇકોસિસ્ટમને ખૂબજ મજબૂત બનાવી શકાશે.

    આખરે, જંગી કચરા અને તેના નિકાલની જવાબદારી બધાની છે.

  • ગોદરેજ એન્ડ બોય્સે રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં

    ગોદરેજ એન્ડ બોય્સે રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં

    News Continuous Bureau | Mumbai

    મુંબઇ, 11 મે, 2023: ગોદરેજ એન્ડ બોય્સ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિન્યૂએબલ એનર્જી (પીઆઇઆરઇ) બિઝનેસે પાવર ટ્રાન્સમીશન, રેલવે અને સોલર પ્રોજેક્ટ્સ પાસેથી રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. આ પ્રોજેક્ટ્સમાં સમગ્ર ભારતમાં 400 કેવી અને 765 કેવીના ઇએચવી સબસ્ટેશન માટે ઇપીસી, મુંબઇમાં 220 કેવી અન્ડરગ્રાઉન્ડ કેબલ સાથે જીઆઇએસ સબસ્ટેશન તથા નેપાળમાં 132 કેવી સબસ્ટેશન પ્રોજેક્ટ સામેલ છે.

    સોલર સેગમેન્ટમાં કંપનીને પશ્ચિમ બંગાળમાં 20 મેગાવોટના ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પ્લાન્ટનો એવોર્ડ મળ્યો છે. આ ઓર્ડર આગામી ત્રણ વર્ષમાં પોતાના સૌર ઇપીસી પોર્ટફોલિયોને વાર્ષિક 30 ટકા સુધી વધારવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાના બિઝનેસના ઉદ્દેશ્યને સપોર્ટ કરે છે.

    આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.

    ટ્રેક્શન સબસ્ટેશન અને સંલગ્ન કામગીરીના નિર્માણ માટે ભારતીય રેલવે પાસેથી રૂ. 900 કરોડથી વધુના પ્રોજેક્ટ સાથે રેલવે ઇલેક્ટ્રિફિકેશનમાં બિઝનેસે પ્રવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ ભારતના રેલવેના આધુનિકિકરણ અને ટકાઉ પરિવહનના વિઝન સાથે સુસંગત છે. આ પ્રોજેક્ટ વર્તમાન નવી દિલ્હી-હાવડા રૂટ તથા નવી દિલ્હી-મુંબઇ રૂટ ઉપર મથુરા-પાલવાલ વચ્ચે સ્પીડ પ્રતિ કલાક 160થી વધારીને પ્રતિ કલાક 200 કરવાના ‘મિશન રફ્તાર’નો હિસ્સો છે.

    ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ કહ્યું હતું કે, “આ ઓર્ડર્સ પાવર ટ્રાન્સમીશન સેક્ટરને મજબૂત કરવા તથા રેલવે અને આંતરરાષ્ટ્રીય સેગમેન્ટ્સમાં પ્રવેશવા વૈવિધ્યકરણની રણનીતિ સાથે સુસંગત છે. પાવર ટ્રાન્સમીશનમાં સબસ્ટેશન ઓર્ડર્સ સાથે અમે વર્તમાન પાવર યુટિલિટી સાથે નોન-યુટિલિટી ક્લાયન્ટ્સને સામેલ કરવા અમારા ગ્રાહકોના આધારને હવે વૈવિધ્યસભર બનાવ્યો છે. આ ઓર્ડર્સ સાથે જીએન્ડબીએ તેના પોર્ટફોલિયોને સમગ્ર ભારતમાં અને નેપાળમાં ઇએચવી કેબલ, ઇએચવી સબસ્ટેશન, ટ્રેક્શન સબસ્ટેશન અને સોલર પ્રોજેક્ટ્સમાં વિસ્તાર્યો છે. અમે આ નોંધપાત્ર પરિવર્તન માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. આગામી સમયમાં અમે આ પ્રકારની વધુ તકો મેળવવાની આશા રાખીએ છીએ તેમજ નવા સેગમેન્ટ્સને સેવા આપીને ભારતમાં માળખા અને પાવર ટ્રાન્સમીશનમાં સુધારામાં યોગદાન આપીશું.”