Tag: Government Support

  • World Cancer Day: આજે છે વિશ્વ કેન્સર દિવસ, ગુજરાત સરકાર PMJAY-MA યોજના દ્વારા આટલા લાખથી વધુ કેન્સર દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપશે

    World Cancer Day: આજે છે વિશ્વ કેન્સર દિવસ, ગુજરાત સરકાર PMJAY-MA યોજના દ્વારા આટલા લાખથી વધુ કેન્સર દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપશે

    News Continuous Bureau | Mumbai

    • છેલ્લા 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી
    • રાજ્યમાં સંચાલિત 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી છેલ્લા 2 વર્ષોમાં 68,190થી વધુ કેન્સરના દર્દીઓએ 1,90,030 કીમોથેરાપી સેશન્સ મેળવ્યા
    • વર્ષ 2024માં GCRIના માધ્યમથી 25,956 દર્દીઓએ સારવાર મેળવી, તેમાંથી 17,107 ગુજરાતના, 8,843 અન્ય રાજ્યોના અને 6 આંતરરાષ્ટ્રીય દર્દી

    World Cancer Day: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિક સ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

    વિશ્વ કેન્સર દિવસના પ્રસંગે ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી સારવાર અને નિદાન વિશે વાત કરીએ તો PMJAY-MA અંતર્ગત છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવારની સુવિધા મળી છે. આ દર્દીઓના ઇલાજ માટે રાજ્ય સરકારે છેલ્લા 6 વર્ષમાં ₹2,855 કરોડથી વધુની રકમની પૂર્વ મંજૂરી આપી છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓની ઉચ્ચસ્તરીય સારવારમાં GCRIની મહત્વપૂર્ણ ભૂમિકા

    આ સમાચાર પણ વાંચો: Illegal Indian Immigrants: એક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પ, હવે અમેરિકામાં ગેરકાયદે રહેતા આટલા ભારતીયોને હાંકી કાઢ્યા; આજે રાત્રે ભારત પહોંચશે..

    World Cancer Day: ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યમાં કેન્સરની સારવાર અને સંભાળમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી છે. આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા કેન્સરના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે. કેન્સરના દર્દીઓને સારવાર આપવા સંદર્ભે GCRIના મહત્વને આંકડાથી સમજીએ તો વર્ષ 2024માં, GCRIએ કેન્સરના 25,956 કેસોમાં સારવાર પૂરી પાડી છે. જેમાં ગુજરાતમાંથી 17,107 કેસ, અન્ય રાજ્યોના 8,843 (ખાસ કરીને મધ્યપ્રદેશથી 4331, રાજસ્થાનથી 2726 અને ઉત્તરપ્રદેશથી 1043, બાકીના અન્ય રાજ્યોના) અને 6 કેન્સરના કેસ આંતરરાષ્ટ્રીય કેસ છે. આ આંકડા કેન્સરની વિશેષ સંભાળમાં GCRI ની વિશ્વસનીયતા દર્શાવે છે.

    આટલું જ નહિ, કેન્સરના દર્દીઓની સારવાર સિવાય GCRI કેન્સર જાગરૂકતા અભિયાન પણ ચલાવે છે. વર્ષ 2024માં GCRIએ 78 કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કર્યા હતા, જેનો લાભ 7700 લોકોએ મેળવ્યો હતો. આવી જ રીતે, 22 જાગરૂકતા લેક્ચર્સ પણ આયોજિત કર્યા, જેનો લાભ 4550 લોકોએ મેળવ્યો હતો. GCRIએ 41 રક્તદાન શિબિરોનું પણ આયોજન કર્યું હતું. ડિસ્ટ્રીક્ટ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી તમામ જિલ્લાઓમાં પહોંચી કેન્સર સારવારની સુવિધા

    આ સમાચાર પણ વાંચો:  Drone Didi: ખેડૂતોને મળ્યો નવો સહારો, ગુજરાતની 58 ‘ડ્રોન દીદી’એ આટલા એકરમાં કરાવ્યો દવાનો છંટકાવ

    World Cancer Day: ગુજરાત સરકારે રાજ્યમાં કેન્સરના દર્દીઓની સારવાર અને નિદાન પ્રત્યે સંવેદનશીલ પ્રતિભાવ આપવાના ભાગરૂપે કેન્સરની સારવારના વિકેન્દ્રીકરણ માટે અગ્રણી અભિગમ અપનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 11 ઓક્ટોબર, 2022ના રોજ શરૂ કરવામાં આવેલી એક પરિવર્તનકારી પહેલ હેઠળ, રાજ્યના તમામ જિલ્લાઓમાં 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો જિલ્લા હોસ્પિટલોમાં જરૂરી કીમોથેરાપી સારવાર પૂરી પાડે છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદ તેમજ સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેના તેમના અન્ય 3 સેટેલાઇટ કેન્દ્રોના સહયોગથી જિલ્લા હોસ્પિટલોમાં સ્થિત ડે કેર કીમોથેરાપી કેન્દ્રો જરૂરી સારવાર સેવાઓ, ટેલિ-કન્સલ્ટન્સી સેવાઓ અને જરૂરી દવાઓ પૂરી પાડે છે. આંકડાઓની વાત કરીએ તો, વર્ષ 2024 સુધીમાં, આ તમામ ડે કેર કીમોથેરાપી કેન્દ્રો પર 71,000થી વધુ દર્દીઓએ 2 લાખ 3 હજારથી વધુ કીમોથેરાપી સેશન્સ (cycles) લીધા છે. રાજ્ય સરકારની આ પહેલથી કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોનો સમય અને ખર્ચ બંનેની બચત થઈ છે.

    કેન્સર સામેની લડાઇમાં ગુજરાત સરકારની મજબૂત પ્રતિબદ્ધતા કેન્સરની સંભાળ, સારવાર અને નિદાન માટેના ગુજરાત સરકારના સશક્ત પ્રયાસો પ્રશંસનીય છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું પ્રભાવી અમલીકરણ તેમજ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપનાથી તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સેશન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને GCRI દ્વારા કેન્સરના દર્દીઓને વધુ સારી સારવાર અને નિદાનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરી છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર સુવિધા મળવાની સાથે વિશ્વ કેન્સર દિવસના ઉદ્દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દેખાય છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • AI Touch: 5G ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે સરકાર ઉત્સુક, AI ટચને આ યોજના હેઠળ 5G રન પ્લેટફોર્મ માટે આપી ગ્રાન્ટ

    AI Touch: 5G ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે સરકાર ઉત્સુક, AI ટચને આ યોજના હેઠળ 5G રન પ્લેટફોર્મ માટે આપી ગ્રાન્ટ

    News Continuous Bureau | Mumbai

    AI Touch: એઆઈ ટચ એલએલપીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા USOF (હવે “ડિજિટલ ભારત નિધિ”) ની TTDF યોજના હેઠળ ભંડોળ આપવામાં આવ્યું છે. AI ટચ 5G RAN (રેડિયો એક્સેસ નેટવર્ક) માટે ઘટકો વિકસાવશે, જેમાં RAN ઇન્ટેલિજન્ટ કન્ટ્રોલર (RIC), સર્વિસ મેનેજમેન્ટ એન્ડ ઓર્કેસ્ટ્રેશન (SMO) અને નેટવર્ક ડેટા એનાલિટિક્સ ફંક્શન (NWDAF) મોડ્યુલ સામેલ છે.

    આ પ્રોજેક્ટનો ઉદ્દેશ 5G RAN માટે SMO, RIC અને NWDAF મોડ્યુલને AI/ML-સંચાલિત ઈન્સ્ટન્ટ એન્જિન સાથે સંકલિત કરતું પ્લેટફોર્મ વિકસાવવાનો છે. તે AI/ML આધારિત એપ્લિકેશન્સ અને ક્લોઝ-લૂપ ઓટોમેશન મારફતે RAN અને કોર નોડ્સના ઇન્ટેલિજન્ટ અને ઓટોમેટેડ કન્ટ્રોલની સુવિધા આપે છે. આ પ્લેટફોર્મ ભીડના દૃશ્યો દરમિયાન વપરાશકર્તાના અનુભવના સંચાલન માટે નમૂનારૂપ એપ્લિકેશનનું નિદર્શન કરશે અને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સને ઓનબોર્ડિંગ માટે ઇન્ટરફેસ પ્રદાન કરશે. આ પ્લેટફોર્મ નેટવર્ક ઓટોમેશન અને કામગીરીને વધારવા માટે નોન-રિયલ-ટાઇમ RIC, નિયર-રિયલ-ટાઇમ RIC, SMO અને NWDAFનું સંકલન કરશે.

    આ સમાચાર પણ વાંચો : Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી C.R. પાટીલની કર્ણાટક અને હરિયાણા સાથે સમીક્ષા બેઠક, બંને રાજ્યોએ કરેલી પ્રગતિની લીધી નોંધ

     RIC મોડ્યુલો AI/ML-સંચાલિત નેટવર્ક ઓપ્ટિમાઇઝેશનને સમર્થન કરશે, SMO ક્રોસ-ડોમેઇન ઓર્કેસ્ટ્રેશનને સક્ષમ બનાવશે અને NWDAF શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે એનાલિટિક્સ અને આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. આ ઉકેલો 5G નેટવર્કમાં ઓપરેશનલ કાર્યક્ષમતા લાવશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) હેઠળના પ્રીમિયર ટેલિકોમ આર એન્ડ ડી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ) આ પ્રોજેક્ટના અમલીકરણની દેખરેખ રાખશે.

    AI Touch: કરાર પર હસ્તાક્ષર સમારંભમાં સી-ડોટના સીઈઓ ડો.રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “સી-ડોટ, અમલીકરણ ભાગીદાર તરીકે, એ સુનિશ્ચિત કરશે કે પ્રોજેક્ટ તકનીકી વિકાસના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરે છે. AI ટચ જેવા ઉદ્યોગજગતના અગ્રણીઓ વચ્ચે સહયોગની સુવિધા આપીને અમે સ્વદેશી ઉકેલો તૈયાર કરવા સક્ષમ બનાવી રહ્યા છીએ, જે ભારતની ટેલિકોમ ઇકોસિસ્ટમને મજબૂત કરશે.”

    ટીટીડીએફના ડીડીજી ડૉ. પરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, “ટીટીડીએફ યોજના મારફતે અમે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. AI ટચનો આ પ્રોજેક્ટ માત્ર AI-સંચાલિત પ્રગતિને જ આગળ વધારશે એટલું જ નહીં, પરંતુ આત્મનિર્ભર 5G ઇકોસિસ્ટમનો પાયો પણ નાખશે.”

    AI Touch: AI ટચના પાર્ટનર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “AI ટચમાં અમારું ધ્યાન AI અને MLનો ઉપયોગ કરીને એડવાન્સ એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્ટ મોડલ્સ બનાવવા પર છે. આ પ્રોજેક્ટમાં, અમે RIC અને NWDAFની અંદર આગાહી ક્ષમતા અને ઓટોમેશન માળખાના વિકાસનું નેતૃત્વ કરી રહ્યા છીએ, જે સુનિશ્ચિત કરે છે કે પ્લેટફોર્મ ચોક્કસાઇ સાથે જટિલ નેટવર્ક પડકારોને પહોંચી વળવા માટે સજ્જ છે.”

    આ સમાચાર પણ વાંચો : Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં NH-48 પર 210 મીટર પુલ તૈયાર

    આ પ્રોજેક્ટ એવા સોલ્યુશન્સ પ્રદાન કરશે એવી અપેક્ષા છે, જે ઓપરેશનલ જટિલતાઓને ઘટાડે છે, મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ (MNO) માટે ખર્ચની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને ટેલિકોમ ક્ષેત્રમાં નવી એપ્લિકેશન્સને સમર્થન આપે છે. તેનો હેતુ સ્વદેશી 5G ઇકોસિસ્ટમના વિકાસમાં ફાળો આપવાનો અને ભવિષ્યની પ્રગતિ માટે પાયો નાખવાનો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.