Tag: GPCB

  • World Environment Day  :વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય આધારિત લોકજાગૃતિ અભિયાનનું આયોજન

    World Environment Day :વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય આધારિત લોકજાગૃતિ અભિયાનનું આયોજન

    News Continuous Bureau | Mumbai

    World Environment Day  :

    વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આગામી તા. ૫ જૂન સુધી યોજાનાર આ અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો

    પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી: મંત્રી શ્રી મુળુભાઈ બેરા

    • ઇન્દ્રોડા પ્રકૃતિ અભિયાન-ગાંધીનગર ખાતે “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ

    • બિનઉપયોગી પ્લાસ્ટિકને આ કેન્દ્ર ખાતે જમા કરાવનારને વળતરરૂપે રિસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ચીજ-વસ્તુઓ અપાશે
     
    વિશ્વભરમાં દર વર્ષે તા. ૫ જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા આગામી તા. ૫ જૂન સુધી “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે.

    આ અભિયાનના ભાગરૂપે આજે તા. ૨૨ જૂનના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાંધીનગર ખાતેથી “પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ”નો પ્રારંભ કરાવ્યો હતો. ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ ઝુંબેશ દરમિયાન મંત્રીશ્રીએ ઇદ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક કચરો જમા કરાવનાર બાળકોને પ્રોત્સાહનરૂપે મંત્રીશ્રીના હસ્તે રીસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ઉપયોગી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી.

    આ ઉપરાંત મંત્રીશ્રીએ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતેથી જનજાગૃતિ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વન વિભાગ, ગીર ફાઉન્ડેશન, GPCB તેમજ અન્ય સહયોગી સંસ્થાઓના અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના બાળકોએ મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો સામાન્ય જનતા સુધી પહોંચાડ્યો હતો. આટલું જ નહિ, આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રી સહિતના સૌ મહાનુભાવો અને નાગરિકોએ ‘મિશન લાઇફ’માં જોડાઈને રોજિંદા જીવનમાં પર્યાવરણ-સાનુકૂળ ફેરફારો લાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

    આ સમાચાર પણ વાંચો :  Salman Khan security : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી, પોલીસ આવી હરકતમાં…

    આ વેળાએ મંત્રીશ્રીએ સમાંબોધાના કરતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાન મારફત નાગરિકોને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ આગામી તા. ૫ જૂન સુધી કોઈપણ વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસમાંથી બિનઉપયોગી પ્લાસ્ટિકની વસ્તુઓ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર ખાતે આપી શકશે. જેના વળતર સ્વરૂપે નાગરિકોને રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનેલી વિવિધ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.

    પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. રાજ્યના સૌ નાગરીકો પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાઈને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડશે તેમજ પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે જાગૃત અને કટિબદ્ધ બનશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ અન્ય સહયોગી સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરીકો પણ આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • International E-Waste Day: ગુજરાતમાં વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિનની ઉજવણી.. GPCBએ કર્યું સેમિનારનું આયોજન, આટલા લાખથી વધુ મેટ્રિકટન કરાયું ઇ-વેસ્ટ એકત્ર.

    International E-Waste Day: ગુજરાતમાં વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિનની ઉજવણી.. GPCBએ કર્યું સેમિનારનું આયોજન, આટલા લાખથી વધુ મેટ્રિકટન કરાયું ઇ-વેસ્ટ એકત્ર.

    News Continuous Bureau | Mumbai

    International E-Waste Day: ૨૧મી સદી ટેકનોલોજીની સદી છે. આજના સમયમાં ઈ-વેસ્ટ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઈ-વેસ્ટ એટલે કે, ઇલેક્ટ્રોનિક કચરો. આજે ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઇલ, જીપીએસ, મોડેમ જેવા ૧૦૬ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વપરાશમાં સતત વધારો થવાના કારણે ઇ-વેસ્ટનું પ્રમાણ વધતું જાય છે. હાલમાં સમગ્ર દેશમાં તા. ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છ ભારત અભિયાન’ની ઉજવણી થઇ રહી છે ત્યારે, ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અનેકવિધ પ્રકલ્પો હાથ ધરી રહી છે. જેના ફળરૂપે રાજ્યમાં છેલ્લા ૦૩ વર્ષમાં એક લાખથી વધુ મેટ્રિક ટનનો ઇલેક્ટ્રિક કચરો એકત્ર કરી તેનું વિવિધ સ્વરૂપે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. 

    વર્ષ ૨૦૧૮થી વૈશ્વિક સંસ્થા “વેસ્ટ ફ્રોમ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એક્વિપમેન્ટ ફોરમ” (WEEE) દ્વારા દર વર્ષે તા. ૧૪મી ઓક્ટોબરે ‘વર્લ્ડ ઈ-વેસ્ટ મેનેજમેન્ટ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ‘Retrieve, Recycle and Revive’ ની થીમ ઉપર આ દિવસ ઉજવવામાં આવશે. આ ઉપરાંત, ઈ-વેસ્ટ પ્રત્યે રાજ્યભરના નાગરિકોમાં વધુ જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી જન જાગ્રુતિ અર્થે વર્કશોપ, સેમિનાર, ઈ-વેસ્ટ કલેક્શન ઝુંબેશ જેવી પ્રવૃત્તિઓ જીપીસીબી ( GPCB  ) દ્વારા સતત હાથ ધરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા આ દિવસે વિવિધ નિસ્બતધારકોને એકત્રિત કરી આ વિષય પર ટેકનિકલ સેમિનારનું આયોજન થયેલ છે. જેમાં તજજ્ઞો આ વિષય પર વિશદ ચર્ચા કરી ઈ-વેસ્ટ વ્યવસ્થાપન ને સુદ્રઢ કરવા પ્રયત્નો કરશે.

    ઇ-વેસ્ટમાં ( International E-Waste Day ) મુખ્યત્વે લેડ, મર્ક્યુરી અને કેડમિયમ જેવી અનેક પ્રકારની ઝેરી અને હાનિકારક ધાતુઓ હોય છે, જે મોટા પ્રમાણમાં વાયુ, જળ અને જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે,  એટલા માટે જ, ઇ-વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ અને રિસાયક્લ કરવું ખૂબ જ જરૂરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor: લગ્ન બાદ વધુ એક વખત વરરાજા ના ગણવેશ માં જોવા મળ્યો રણબીર કપૂર, અભિનેતા ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

    વધુમાં રિસાયકલ ( E-Waste ) કર્યા પછી તેમાંથી મળતા આર્યન, કોપર, પ્લાસ્ટિક અને અન્ય કિંમતી ધાતુઓને ફરીથી નવી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવવા, વાહનોમાં તેમજ અન્ય ઔદ્યોગિક સાધનોના ઉત્પાદનમાં  ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત માટે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ એ માત્ર પર્યાવરણ સુરક્ષાની સાથે  નવા રોજગાર અને ઔદ્યોગિક તક ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. જેનાથી કુદરતી સંસાધનોનું સંવર્ધન અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ થશે.

    International E-Waste Day:  ઈ-વેસ્ટ વ્યવસ્થાપનના નિયમો

    ભારતમાં ઈ-વેસ્ટના વ્યવસ્થાપન માટે ઈ-વેસ્ટ રૂલ્સ અમલમાં છે. આ કાયદા હેઠળ, માત્ર અધિકૃત ડિસમેંટલર્સ અને રજિસ્ટર્ડ ઈ-વેસ્ટ રિસાયકલર્સ ઈ-વેસ્ટ એકત્ર કરી શકે છે. ઈ-વેસ્ટ (વ્યવસ્થાપન) નિયમો ૨૦૨૨ મુજબ ઉત્પાદક, નિર્માતા, રિફર્બિશર અને રિસાયકલરે સીપીસીબીના પોર્ટલ https://eprewastecpcb.in/ ઉપર નોંધણી કરવી ફરજીયાત છે.

    આ નિયમને વધુ મજબૂત બનાવવા માટે, Extended Producer Responsibility (EPR) નો સિધ્ધાંત લાગુ પાડવામાં આવેલ છે. જેમાં ઇલેક્ટ્રીકલ/ઇલેક્ટ્રોનિક્સ સાધનોના ઉત્પાદકોએ તેમના ઉત્પાદનો થકી ઉત્પન્ન  થતા ઇ-વેસ્ટને, તે અધિકૃત રિસાયકલર્સ સુધી પહોંચે તે માટેના વ્યવસ્થાના ભાગ રૂપે જવાબદારી આપવામાં આવેલ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.