• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - green
Tag:

green

Green ડાંડી પરિવહન કેન્દ્ર તરીકે મુંબઈને વિકસાવવાની યોજના પરિવહન મંત્રી સરનાઈક
મુંબઈ

Mumbai Green Transport: રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું.– પરિવહન મંત્રી સરનાઈક

by Dr. Mayur Parikh September 9, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ: વધતા પ્રદૂષણ, ઈંધણના ભાવમાં થતા વધઘટ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા મુંબઈના નાગરિકોને આજે એક મોટા સમાચાર મળ્યા છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે મુંબઈને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે અને આ માટે તેમણે આગામી દિવસોમાં સરકારે અનેક પરિણામલક્ષી પગલાંઓ લેવાનું નક્કી કર્યું છે. મુંબઈ ખાતે વ્હીલ્સ ઓફ ચેન્જ – અન્ડરસ્ટેન્ડીંગ ઈવી એડોપ્શન ફોર મુંબઈઝ ઓટો એન્ડ ટેક્સી ડ્રાઈવર્સ આ કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઈ-વાહનોના પ્રસાર, ડ્રાઈવરોનું આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણને અનુકૂળ મુંબઈની કલ્પના પર ચર્ચા કરવામાં આવી. પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે “ઈ-વાહન ક્રાંતિ એ માત્ર પરિવહનમાં સુધારો નથી, પરંતુ સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે સક્ષમ મુંબઈ બનાવવા માટે એક નવી દિશા છે.”

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. આ પ્રસંગે પરિવહન કમિશનર વિવેક ભીમનવાર, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ ડૉ. અવિનાશ ઢાકણે, અને વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટીટ્યુટ ના ભારત ખાતેના મુખ્ય કાર્યકારી અધિકારી માધવ પાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી સરનાઈકે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની સક્રિય ભાગીદારી આ પહેલની સફળતાનો પાયો બનશે. તેમણે એ પણ જણાવ્યું કે ઈ-વાહનો માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ તે ડ્રાઈવરોને ઈંધણના ખર્ચમાંથી મુક્તિ અને વધુ આવકની તકો પણ આપે છે. જોકે બીજી તરફ એવી ફરીયાદ ઉઠી છે કે રિક્ષા અને ટેક્સીને ઈ-વિહીકલ ચાર્જીંગ સ્ટેશનની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે જો સરકાર ઇન્ફ્રાસ્ટક્ચરમાં સુધાર કરવામાં સમય લગાડે તો આ સ્થિતીમાં અપુરતી સુવિધાના અભાવે લોકો ઈ-વિહીકલને પ્રાથમિકતા નહીં આપી શકે.

September 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Closing bell Nifty above 22,300, Sensex up 655 pts; all sectors in the green
શેર બજાર

Closing bell : ચાલુ નાણાકીય વર્ષના શેર માર્કેટ છેલ્લાં સત્રમાં તેજી, સેન્સેક્સ-નિફટી ઉછાળા સાથે થયા બંધ; રોકાણકારોને ચાંદી જ ચાંદી..

by kalpana Verat March 28, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Closing bell : નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય શેરબજારનું છેલ્લું ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે લાભકારી સાબિત થયું છે. બેન્કિંગ એફએમસીજી શેરોમાં મજબૂત ખરીદીને કારણે, એક સમયે સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં લગભગ 390 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. પરંતુ પ્રોફિટ બુકિંગના કારણે બજાર દિવસના ઊંચા સ્તરેથી નીચે આવ્યું હતું. આમ છતાં BSE સેન્સેક્સ 639.16 પોઇન્ટના ઉછાળા સાથે  73,635.48 પોઇન્ટ અને નેશનલ સ્ટોક 203 પોઇન્ટના ઉછાળા સાથે 22,326 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. રૂપિયો 3 પૈસા નબળો પડ્યો અને 83.40/$ પર બંધ થયો.  

 સેકટરની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મીડિયા એકમાત્ર સેક્ટર છે જેના શેરોમાં ઘટાડો થયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 4 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેરો ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા છે.

 રોકાણકારોની સંપત્તિમાં 3  વધારો

શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 386.91 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 383.85 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.06 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, કોર્ટે EDના રિમાન્ડ આ તારીખ સુધી લંબાવ્યા..

 ટોપ ગેઈનર્સ અને ટોપ લુઝર્સ શેર

આજના ટ્રેડિંગમાં બજાજ ફાઇનાન્સ 3.91 ટકા, બજાજ ફિનસર્વ 3.09 ટકા, SBI 2.53 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.26 ટકા, પાવર ગ્રીડ 2.21 ટકા, ટાટા સ્ટીલ 2 ટકા અને લાર્સન 1.83 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે એક્સિસ બેન્ક 0.50 ટકા, રિલાયન્સ 0.37 ટકા, ટેક મહિન્દ્રા 0.26 ટકા અને એચસીએલ ટેક 0.26 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

March 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Green and clean house.. This businessman from Surat planted more than 40 varieties of flowers and plants in his house
રાજ્ય

ગ્રીન એન્ડ ક્લીન ઘર.. સુરતના આ ઉદ્યોગપતિએ તેમના ઘરમાં ૪૦થી વધુ જાતના ફૂલ-છોડ રોપ્યા.. આખા ઘરને હરિયાળું બનાવ્યું..

by kalpana Verat June 5, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

પર્યાવરણ જાગૃતિ માટે દર વર્ષે વિશ્વભરમાં તા.૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવાય છે. માનવજીવનનો આધાર એવા પર્યાવરણની જાળવણી અને તેનુ સંવર્ધન માત્ર જરૂરિયાત નહિં, પણ દરેક નાગરિકની ઔપચારિક ફરજ છે. આ વાતની પ્રતીતિ કરાવે છે સુરતના ૩૬ વર્ષીય ઉદ્યોગપતિ અને પ્રકૃતિ પ્રેમી નિશિત કાપડિયાનું ‘લીલુંછમ ઘર’. હા..!! લીલુંછમ એટલા માટે કેમ કે શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના ઘરની ન્યૂનતમ જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી નિશિતભાઈએ આખા ઘરને હરિયાળું બનાવ્યું છે.

૧૫૦થી વધુ કુંડા અને ક્યારી મળી ૪૦થી વધુ જાતના ફૂલ-છોડથી તેમણે ઘરની આશરે ૨૫ ફૂટની દીવાલને વેલાઓ વડે તૈયાર થયેલા ‘ગ્રીન કવર’થી ઢાંકી દીધી છે. જેને કારણે પુષ્કળ ગરમીમાં પણ તેમના ઘરે ઠંડક અનુભવાય છે. તેમણે ઘરના આંગણાં,બાલ્કની અને અગાસી સહિતની તમામ ખુલ્લી જગ્યામાં શ્રીપર્ણી (સેવન), કૃષ્ણકમલ, એલેમેન્ડા, મધુ માલતિ, સૂર્યમુખી, રજનીગંધા, ગલગોટા વેલ, પારિજાત, મનીપ્લાન્ટ, ગણેશચંપા, પડદાવેલ, દેરાણી જેઠાણી, બાંબુ છોડ અને બૉન્સાઈ સહિતના ઠંડક આપતા ફૂલ છોડ ઉગાડી ગૃહ શોભા વધારી છે.

નિશિતભાઈના ‘ગ્રીન હાઉસ’ સમાન ઘરમાં લીંબુ, કઢી લીમડો, સીતાફળ, લીલી ચા જેવા રોજ દરરોજની રસોઈમાં ઉપયોગમાં લઈ શકાય તેવા છોડ પણ સામેલ છે. પુષ્કળ પ્રમાણમાં હરિયાળીથી આચ્છાદિત હોવાથી નિશિતભાઈનું ઘર અનેક પતંગિયાઓ, પક્ષીઓ માટે પણ પ્રિય બન્યું છે. સનબર્ડ, રેડ વેન્ટેડ બુલબુલ, પારેવા, કોયલ, હમીંગ બર્ડ જેવા વિવિધ પક્ષીઓ સવાર સાંજ આવી મધુર કલરવ કરે છે. તો અગાસીમાં લગાવેલી ગલગોટા વેલ અને લીલી ચા ને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ નહિવત રહે છે.

એક નજરે જોતાં જ તેમના પ્રકૃતિ પ્રેમને ભાખી શકાય અને ઘર છે કે જંગલ એવો પ્રશ્ન સહજ થઈ આવે. તેમના ગ્રીન એન્ડ ક્લીન ઘર અંગે વિસ્તારથી વાત કરતાં નિશિતભાઈએ જણાવ્યું કે, મને ૧૧-૧૨ વર્ષની ઉંમરથી જ પર્યાવરણ અને તેના જતનમાં ઊંડો રસ હોવાથી હું સુરતના જાણીતી સંસ્થા નેચર ક્લબમાં સ્વયંસેવક તરીકે જોડાયો અને વર્ષો સુધી વિવિધ કામગીરી દ્વારા ફૂલ-છોડ અને તેના ઉપયોગ વિષે અનેક જાણકારી મેળવી. મારા ગાર્ડનિંગના શોખને આગળ વધારી ઘરમાં ઓછામાં ઓછી જગ્યામાં ઉપર ચઢતા વેલાઓ, વધુમાં વધુ ફૂલ છોડ રોપવાનું શરૂ કર્યું. વધારે સમજણ માટે યુ-ટ્યુબ પર વિડીયો જોઈ અવનવા એક્સપેરિમેન્ટ કર્યા અને સફળ રહ્યો.

આ સમાચાર પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિન: સુરતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આટલા લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન કરીને શહેરને હરિયાળુ કરાયું

વધુમાં તેમણે કહ્યું કે, મને જોઈને મારા દીકરા નંદિશને પણ એમાં રસ જાગ્યો અને એ પણ મારી સાથે ગાર્ડનિંગમાં સમય આપવા લાગ્યો. પત્ની અને દીકરાના સહયોગથી સમગ્ર ઘરની બંને ખુલ્લી દિવાલોને વેલાઓ વડે સુશોભિત કરી. જેથી ઘરની સુંદરતા વધવાની સાથે બહારના વાતાવરણની સરખામણીમાં ઘરના તાપમાનમા પણ ૬ થી ૭ ડિગ્રીનો ઘટાડો થયો. જે મારા સમગ્ર પરિવારને અસહ્ય ગરમી હોય તો પણ ટાઢક અને રાહત આપે છે.

અગાસીમાં નિયમિત આવતા પક્ષીઓના ચણથી કુદરતી રીતે ઊગી આવેલા ફ્લાવર અને સફેદ ચોળા વિષે તેમણે જણાવ્યું કે, આ બન્ને છોડ ‘બર્ડ ડ્રોપીંગ’થી ઉછર્યા છે. તેમણે રસોડાના ભીના કચરામાંથી તૈયાર થતા ઓર્ગેનિક ખાતર વિષે માહિતી આપી જણાવ્યું હતું કે, બે વર્ષથી ઘરના વેટ કચરામાંથી કોમ્પોસ્ટ બનાવી ફૂલ છોડના ખાતર રૂપે ઉપયોગ કરીને ‘ઝીરો વેટ વેસ્ટ’નો પ્રયોગ કરી રહ્યો છું. રૂફટોપ સોલારમાંથી સ્પ્રિંકલના વેસ્ટ પાણીનો પણ બેસ્ટ ઉપયોગ કરી રહ્યો છું. જેમાં સોલાર પેનલ ધોવા માટે વપરાતા પાણીને સીધું છોડવાઓના કુંડામાં પહોંચાડી પાણી સંરક્ષણ થઈ શકે એવો પણ પ્રયાસ કર્યો છે.

પ્રકૃતિ રાક્ષણના ભેખધારી નિશિતભાઈએ તમામ યુવાઓ અને બાળકોને વર્તમાન પરિસ્થિતિમાં તણાવમુક્ત કરી માનસિક શાંતિનો અનુભવ કરાવતા વૃક્ષોનું પોતાના ઘર, ઓફિસ અને સોસાયટીમાં વધુમાં વધુ વાવેતર કરી તેની જાળવણી કરવાથી પર્યાવરણ સંરક્ષણમાં નાનકડું યોગદાન આપી શકાશે એવો મત વ્યક્ત કર્યો હતો.

June 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
apply this green face pack on your skin
સૌંદર્ય

જો તમે તબ્બુની જેમ ઉંમરને હરાવવા માંગો છો, તો તમારી ત્વચા પર આ લીલા રંગનો ફેસ પેક લગાવો…

by Akash Rajbhar February 6, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ તબસ્સુમ ફાતિમા હાશ્મી ઉર્ફે તબ્બુ 51 વર્ષની છે, પરંતુ તેની સ્કિન જોઈને ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તે સ્પષ્ટ છે કે તેણીએ તેની ત્વચાની સંભાળ માટે સખત મહેનત કરી હશે. સામાન્ય રીતે, ઉંમરની અડધી સદી પૂરી કર્યા પછી, કોઈ પણ વ્યક્તિ વૃદ્ધત્વની પ્રક્રિયાને છુપાવી શકતો નથી, કારણ કે પછી ચહેરા પરની ચુસ્તતા ઓછી થવા લાગે છે અને કરચલીઓ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે તબ્બુ જેવા યુવાન દેખાવા માટે આ રેસિપી અપનાવી શકો છો.

કોથમીર ત્વચા માટે ફાયદાકારક છે

રસોડામાં રાખવામાં આવેલ લીલા ધાણા તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, તે વિટામિન સી અને એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલના હુમલાથી બચાવે છે. વાસ્તવમાં કોથમીર એક પ્રકારનો એન્ટિમાઈક્રોબાયલ, એન્ટી ફંગલ અને એન્ટિસેપ્ટિક પ્લાન્ટ છે. જો ધાણાની ચટણી ખાવામાં આવે તો તે ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ કરે છે, જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ આવતા નથી. ચાલો જાણીએ કે કોથમીરના પાંદડાની મદદથી આપણે કેવી રીતે ત્વચાની સંભાળ રાખી શકીએ છીએ.

આ સમાચાર પણ વાંચો : ગોરા લોકોમાં ત્વચાના કેન્સરનું જોખમ વધારે છે, સૂર્યના સીધા સંપર્કમાં આવવાથી આ રીતે બચો…

કરચલીઓ ઓછી થશે

આ માટે સૌથી પહેલા તાજા લીલા ધાણા લો અને તેમાં દહીં, એલોવેરા જેલ અને ગુલાબજળ મિક્સ કરો. હવે આ પેસ્ટને લગભગ 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. જો તમે આ લીલી પેસ્ટને નિયમિતપણે ચહેરા પર લગાવો છો, તો તે માત્ર કરચલીઓ જ નહીં, પરંતુ ફોલ્લીઓ અને ફ્રીકલ પણ ગાયબ થઈ જશે.

સૂકા હોઠથી છુટકારો મળશે

ઘણીવાર વધતી ઉંમરની અસર આપણા હોઠ પર પડે છે, 50 ની આસપાસ તેઓ શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. આ માટે સૌથી પહેલા ધાણાને મિક્સર ગ્રાઇન્ડર અથવા ચાળણીમાં સારી રીતે પીસીને હોઠ પર લગાવો. સુકાઈ ગયા પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો. આવું નિયમિત કરવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બનશે.

February 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

બજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, શેર માર્કેટ લીલા નિશાન પર ખુલ્યુ, પ્રારંભિક કારોબારમાં Sensex આટલા અંક ઉછળ્યો

by Dr. Mayur Parikh February 23, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,          

બુધવાર,

ભારતીય શેરબજારના ઘટાડા ના દોર ઉપર આખરે બ્રેક લાગી છે. 

આજે મિશ્ર વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં દેખાયું છે.

આજે સેન્સેક્સ ઉપર 402.20 અંક ઉછળીને 57,702.88 પર ખુલ્યો જયારે નિફટીએ 125.60 અંક વધીને  17,194.50 પર પર ખુલ્યો છે.

મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ383 પોઈન્ટ ઘટીને 57,300 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114 પોઈન્ટ ઘટીને 17,092 પર બંધ થયો હતો.

હવે ફૂડ ડિલિવરી કરતી આ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની તૈયારીમાં, આટલા હજાર કરોડ રૂપિયાનો IPO લાવશે. જાણો વિગત

 

February 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળામાં લીલી મેથી ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે

by Dr. Mayur Parikh December 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ડિસેમ્બર 2021

બુધવાર

શિયાળાની ઋતુ એ લીલોતરીઓની ઋતુ છે. આ સિઝનમાં ઘણા પ્રકારના લીલા શાકભાજી આવે છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.લીલી મેથી પણ મોસમી છે. આપણે  આખા વર્ષ દરમિયાન રસોડામાં મસાલા તરીકે મેથી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શિયાળો આવતા જ આપણે લીલી મેથીનો ઉપયોગ શાક , પરાઠા અને થેપલાં બનાવવા માટે કરીએ છીએ. શિયાળાની ખાસ, આ લીલોતરી માત્ર સ્વાદથી જ નહીં પણ સ્વાસ્થ્યના ગુણોથી પણ ભરપૂર છે.મેથીના પાનમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન અને વિટામીન જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. મેથીના સેવનથી વજન નિયંત્રણ અને પાચનક્રિયા સારી રીતે રાખી શકાય છે. તો આવો જાણીએ લીલી મેથી ખાવાના ફાયદા.

પાચનક્રિયાઃ શિયાળાની ઋતુમાં લીલી મેથી ખાવાથી પાચનક્રિયા સારી રાખી શકાય છે. આહારમાં મેથીનું શાક, મેથીના પરાઠાનો સમાવેશ કરવાથી પેટમાં ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

ડાયાબિટીસ: જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે તમારા આહારમાં મેથીની ભાજી અથવા મેથીના પરાઠા, થેપલાં વગેરેનો સમાવેશ કરી શકો છો. ઠંડીમાં લીલી મેથી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે.

સાંધાનો દુખાવો: મેથીમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણો હોય છે, જે સંધિવાના સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. મેથીનું સેવન કરવાથી હાડકાને મજબૂત બનાવી શકાય છે.

સ્વાસ્થ્ય જાણકારી: વજન ઘટાડવા માટે, સવારના નાસ્તામાં આ વસ્તુઓ ને કરો ચોક્કસપણે સામેલ

December 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક