• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - gujarat cm
Tag:

gujarat cm

Air Marshal Nagesh Kapoor Chief of South Western Air Command of IAF calls on Gujarat CM
રાજ્ય

Air Marshal Nagesh Kapoor : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન – ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂર

by kalpana Verat May 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Air Marshal Nagesh Kapoor :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી.

એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.

ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત થયા છે.

શ્રી નગેશ કપૂર ૧૯૮૬માં ભારતીય વાયુસેનામાં જોડાયા છે અને ૩૮ વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન તેઓ મિગ-૨૧ અને મિગ-૨૪ સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાન નો કુલ ૩૪૦૦ કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Railway News : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય

તેમની સેવાઓની પ્રશંસા રૂપે ૨૦૦૮માં વાયુસેના મેડલ, ૨૦૨૨માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૨૫ માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એર માર્શલ શ્રી નગેશ કપૂરે શુભેચ્છા-સૌજન્ય મુલાકાત કરીને ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
UPSC CSE 2024 Gujarat CM Bhupendra Patel felicitates SPIPA trainees for their success in UPSC Civil Services Examination 2024
રાજ્ય

UPSC CSE 2024 :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા સ્પીપાના તાલીમાર્થીઓને કર્યા સન્માનિત

by kalpana Verat May 3, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

UPSC CSE 2024 :

  • સ્પીપા ખાતે તાલીમ મેળવીને સફળ થયેલા ૨૬ તાલીમાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂક્યો :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીપા અમદાવાદ ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા તાલીમાર્થીઓને સન્માનિત કર્યા હતા.

યુપીએસસીમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતા સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂકે છે.

મુખ્યમંત્રીશ્રીએ સફળ થયેલા તાલીમાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રે તેમની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોથી લઈને નાગરિકોની પાયાની જરૂરિયાતો સુધીનાં તમામ ક્ષેત્રે અવિરત વિકાસ જોવા મળી રહ્યો છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણી સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે. ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ હોય કે આવા અન્ય અભિયાનો હોય, પ્રજાજનો આજે સ્વયંભૂ જાગૃત થઇને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે.

 

UPSC CSE 2024 ની પરીક્ષામાં સફળ થયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ સિવિલ સર્વિસ પરીક્ષાની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે આજે અમદાવાદ સ્થિત સ્પીપા સંસ્થા ખાતે સંવાદનો અવસર પ્રાપ્ત થયો. ઉત્તીણ થયેલ સૌ વિદ્યાર્થીઓને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ… pic.twitter.com/5dPi457yfn

— Bhupendra Patel (@Bhupendrapbjp) May 3, 2025

સ્પીપાના ડાયરેકટર જનરલ શ્રી હારિત શુક્લા દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા તથા સંસ્થાના ભાવિષ્યલક્ષી આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં સફળ થતા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયમાં કરવામાં આવેલા વધારાની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train Updates : આવતીકાલે ‘નો મેગા બ્લોક…’ પણ સોમવારે નાગરિકો માટે ઓફિસ પહોંચવું મુશ્કેલ બનશે, ખોરવાઈ શકે છે મુંબઈની લોકલ ટ્રેનો! જાણો કારણ…

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (સ્પીપા) ખાતે તાલીમ મેળવીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં કુલ ૨૬ તાલીમાર્થીઓ સફળ થયા છે.

સન્માન સમારોહમાં સન્માનિત થયેલા તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સફળ ઉમેદવારોની સિદ્ધિઓ, તૈયારીઓ અને સ્પીપાની વ્યવસ્થા તથા સુવિધાઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, પૂર્વ મુખ્ય સચિવ શ્રી શ્રી પી.કે. લહેરી, તાલીમાર્થીઓના પરિવારજનો, સ્પીપાના અધિકારી – કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

May 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat cattle welfare Gujarat CM launches ‘Mukhyamantri Gau Mata Poshan Sahay Yojana’ for cattle welfare
રાજ્ય

Gujarat cattle welfare : ગુજરાતમાં ગો-સંવર્ધનનો આવ્યો નવયુગ! હવે પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટે ઉભી થશે કાયદાકીય વ્યવસ્થા..

by kalpana Verat March 28, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Gujarat cattle welfare : 

  •  “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર
  • * કાયદાના અમલીકરણ માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે
  • * આ કાયદા હેઠળ સીમેન સ્ટેશન, સીમેન બેંક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનાર સંસ્થાઓ, સેવાઓ આપનાર સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત થશે
  • * સહાયિત પ્રજનન ટેક્નોલોજી સેવા આપનાર સંસ્થાઓ અને નિષ્ણાતોની પણ નોંધણી ફરજિયાત
  • * કાયદા હેઠળ કૃત્રિમ તથા કુદરતી સંવર્ધન માટેના સાંઢ-પાડાની નોંધણી અને સઘન મોનીટરીંગ થશે

પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે.

દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી પશુપાલકોની આવક વધારવા રાજ્ય સરકારે પશુ સંવર્ધન, ઓલાદ સુધારણા અને કૃત્રિમ બીજદાન જેવા આયામો ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આ કાયદો અમલમાં આવતા પશુપાલકોને પોતાના પશુના સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કૃત્રિમ બીજદાનના ડોઝ મળવાથી પશુની આવનાર પેઢીની ગુણવત્તા જળવાઈ રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વિધેયક અંગે વિગતવાર માહિતી આપતા પશુપાલન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશુ સંવર્ધન થકી પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હવામાન પરિવર્તન અનુકૂલન ક્ષમતા વધારવા માટે અનેક વર્ષોથી રાજ્યના પશુપાલકો તેમના પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવી રહ્યા છે. પરંતુ કૃત્રિમ બીજદાન માટે ઉપયોગમાં લેવાતા પશુઓના વીર્યની ગુણવત્તાને નિયંત્રિત કરવા માટે હાલમાં કોઈ પર્યાપ્ત નિયમન અમલમાં ન હતું.

પરિણામે અજાણ્યા રોગ ધરાવતા તેમજ ઓછી ગુણવત્તાવાળા નર પશુઓના આડેધડ અને અંધાધૂંધ ઉપયોગ ઉપરાંત કૃત્રિમ બીજદાન ટેક્નિશિયન દ્વારા સીમેન સ્ટ્રોનો દુરુપયોગ એ પશુ સંવર્ધનની ગુણવત્તા માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો હતો. જેથી પશુસંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની વ્યવસ્થા ઉભી કરવાની અનિવાર્યતાના ધ્યાને લઈને આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫”ના અમલીકરણ માટે ગુજરાત ગો-વંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે. આ નિયમન થકી રાજ્યમાં પશુ સંવર્ધન સાથે સંકળાયેલ સીમેન સ્ટેશન, સીમેન બેંક, કૃત્રિમ ગર્ભાધાન સેવાની તાલીમ આપનાર સંસ્થાઓ, સેવાઓ આપનાર સંસ્થાઓ અને કૃત્રિમ ગર્ભાધાન ટેક્નિશિયનની નોંધણી ફરજિયાત કરવામાં આવશે. સાથે જ, સહાયિત પ્રજનન ટેક્નોલોજી સેવા આપનાર સંસ્થાઓ અને નિષ્ણાતોની પણ નોંધણી ફરજિયાત કરવામાં આવશે.

મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, આ કાયદામાં ગો-વંશ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિ અને પ્રક્રિયાનું નિયમન કરવા વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વીર્યના ઉત્પાદન, પ્રક્રિયા, સંગ્રહ, વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિઓ, પશુ સંવર્ધનમાં સાંઢ-પાડાનો ઉપયોગ, કૃત્રિમ ગર્ભાધાન અને તેની સાથે સંકળાયેલી આનુષંગિક તમામ બાબતોનું નિયમન કરીને ગો-વંશ અને અન્ય પશુઓની ઓલાદ સુધારણા માટેની બાબતોને આવરી લેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Animal husbandry Business : સુરતના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદિપભાઇ પટેલ, પશુપાલન થકી મહિને મેળવી રહ્યો છે રૂ.૩૦ હજારની આવક

કાયદાની જરૂરિયાત અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળ કૃત્રિમ ગર્ભાધાન તથા કુદરતી સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતા સાંઢ કે પાડાની પણ નોંધણી કરવામાં આવશે. જેથી પશુ સંવર્ધન માટે ઉપયોગ થતા આવા સાંઢ-પાડાનું સઘન મોનીટરીંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત આનુવંશિક અને જાતીય રોગો ધરાવવા સાંઢ-પાડા દ્વારા સંવર્ધન પર પ્રતિબંધ લગાવીને પશુઓમાં આવા રોગોનો ફેલાવો અટકાવી શકાશે.

આ કાયદાના અમલથી ગો-વંશના સંવર્ધન માટે ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતા સાંઢ-પાડા ઉપલબ્ધ થશે. રાજ્યમાં ફ્રોજન સીમેન સ્ટેશન અને સીમેન બેંકના નિયંત્રણથી પશુપાલકોને ઉત્તમ ગુણવત્તાની ખાતરીવાળા સીમેન ડોઝ ઉપલબ્ધ થશે. સાથે જ, ગુણવત્તાયુક્ત કૃત્રિમ બીજદાન સેવાઓ પશુપાલકના ઘરઆંગણે ઉપલબ્ધ કરાવી શકાશે. જેના પરિણામે પશુઓમાં વ્યંધત્વનું પ્રમાણ ઘટશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ કાયદાના અમલીકરણથી IVF, એમ્બ્રીયો ટ્રાન્સફર અને સેક્સ્ડ સીમેન ટેક્નોલોજી જેવી પશુસંવર્ધન માટેની અદ્યતન ટેક્નોલોજીના વધુ કાર્યક્ષમ ઉપયોગથી રાજ્યના દૂધાળા પશુઓમાં ઓલાદ સુધારણા ઝડપી શક્ય બનશે. પશુ સંવર્ધનને લગતી તમામ બાબતોને કાયદા હેઠળ આવરી લેવાથી રાજ્યના પશુઓ અને પશુપાલકોને પશુ સંવર્ધનની વૈશ્વિક કક્ષાની સેવાઓ ઉપલબ્ધ થશે. સાથે જ પશુઓની ઉત્પાદકતામાં વધારો થતા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ પણ ચોક્કસ રીતે વધશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ વિધેયકની ચર્ચામાં સહભાગી થઈ ધારાસભ્ય સર્વ શ્રી ડી. કે. સ્વામી, શ્રી અમિત ચાવડા, શ્રી કિરીટભાઈ પટેલ તેમજ શ્રી ઉમેશ મકવાણાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચના અંતે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-૨૦૨૫” વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયું હતું. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

March 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશરાજ્ય

Bhupendra Patel PM Modi: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત, PMOએ શેર કરી આ પોસ્ટ..

by Hiral Meria December 11, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Bhupendra Patel PM Modi: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 

Bhupendra Patel PM Modi: X પર પ્રધાનમંત્રીના કાર્યાલયના ( PMO ) હેન્ડલ પર લખ્યું:

“ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp, PM @narendramodi ને મળ્યા.

CM of Gujarat, Shri @Bhupendrapbjp, met PM @narendramodi.@CMOGuj pic.twitter.com/5QaacrBOVb

— PMO India (@PMOIndia) December 11, 2024

@CMOGuj”

આ સમાચાર પણ વાંચો :  Leprosy Case Detection Campaign: રક્તપિત્તમુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું આરોગ્ય તંત્ર સજ્જ, આવતીકાલથી ચલાવાશે ‘આ’ કેમ્પેઇન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

December 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi expressed his heartfelt thanks for completing 23 years as the head of the government.
દેશ

PM Modi Government Head: PM મોદીએ સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ થવા બદલ વ્યક્ત કર્યો હૃદયપૂર્વક આભાર, કહ્યું – ‘આ લક્ષ્ય સાકાર નહીં થાય ત્યાં સુધી હું આરામ નહીં કરું.’

by Hiral Meria October 8, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Modi Government Head:  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ એક સરકારના વડા તરીકે 23 વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. PM મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં પોતાનાં સમયને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાત ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નાં ઉજ્જવળ ઉદાહરણ સ્વરૂપે બહાર આવ્યું છે, જે સમાજનાં તમામ વર્ગો માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. વીતેલા દાયકાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની વિકાસલક્ષી હરણફાળથી એ સુનિશ્ચિત થયું છે કે, આપણાં દેશને વૈશ્વિક સ્તરે અતિ આશાવાદ સાથે જોવામાં આવે છે. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે તેઓ વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યને સાકાર ન થાય ત્યાં સુધી અવિરત પણે કામ કરતા રહેશે અને આરામ કરશે નહીં. 

PM Modi Government Head:  પ્રધાનમંત્રીએ X પર એક થ્રેડ પોસ્ટ કર્યો હતો:

“#23YearsOfSeva…

હું ( Narendra Modi ) સરકારના વડા તરીકે ૨૩ વર્ષ પૂર્ણ કરું છું ત્યારે જેમણે તેમના આશીર્વાદ અને શુભેચ્છાઓ મોકલી છે તે દરેકનો હૃદયપૂર્વક આભાર. 7 ઓક્ટોબર, 2001ના રોજ મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી ઉપાડી લીધી હતી. @BJP4India, મારા પક્ષની એ મહાનતા હતી કે તેમણે મારા જેવા નમ્ર કાર્યકર્તાને રાજ્યના વહીવટના વડા તરીકેની જવાબદારી સોંપી છે.”

“જ્યારે મેં મુખ્યમંત્રી ( Gujarat CM ) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે ગુજરાત અસંખ્ય પડકારોનો સામનો કરી રહ્યું હતું – 2001નો કચ્છ ધરતીકંપ, તે પહેલાં એક સુપર સાયક્લોન, એક મોટો દુષ્કાળ, અને લૂંટ, કોમવાદ અને જાતિવાદ જેવા કોંગ્રેસના ઘણા દાયકાઓના કુશાસનનો વારસો. જનશક્તિથી સંચાલિત થઈને અમે ગુજરાતનું પુનઃનિર્માણ કર્યું છે અને કૃષિ જેવા ક્ષેત્રમાં પણ પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી છે, જેના માટે રાજ્ય પરંપરાગત રીતે જાણીતું નથી.”

#23YearsOfSeva…

A heartfelt gratitude to everyone who has sent their blessings and good wishes as I complete 23 years as the head of a government. It was on October 7, 2001, that I took on the responsibility of serving as the Chief Minister of Gujarat. It was the greatness of…

— Narendra Modi (@narendramodi) October 7, 2024

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મુખ્યમંત્રી તરીકેનાં મારાં 13 વર્ષ દરમિયાન ગુજરાત ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નાં ઉજ્જવળ ઉદાહરણ સ્વરૂપે બહાર આવ્યું છે, જે સમાજનાં તમામ વર્ગો માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. વર્ષ 2014માં ભારતની જનતાએ મારા પક્ષને વિક્રમી જનાદેશ આપ્યો હતો, જેથી હું પ્રધાનમંત્રી તરીકે સેવા આપી શક્યો હતો. આ એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે 30 વર્ષમાં આ પહેલી વાર બન્યું હતું કે કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળી હોય.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છેલ્લાં એક દાયકામાં આપણે આપણો દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેને પહોંચી વળવા સક્ષમ બન્યા છીએ. 25 કરોડથી વધુ લોકોને ગરીબીની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને તેનાથી આપણા એમએસએમઇ, સ્ટાર્ટ અપ્સ સેક્ટર અને અન્ય બાબતોમાં ખાસ મદદ મળી છે. આપણાં મહેનતુ ખેડૂતો, નારી શક્તિ, યુવા શક્તિ અને ગરીબો અને સમાજનાં વંચિત વર્ગો માટે સમૃદ્ધિનાં નવા દ્વાર ખુલ્યાં છે.”

આ સમાચાર પણ વાંચો:   Sant Samagam Vishwamaitri Mahotsav : વિશ્વમૈત્રી દિવસ નિમિત્તે જૈનચાર્યો દ્વારા ધર્મ સંમેલન, સમાજસેવી પ્રશાંત ઝવેરીને આ એવોર્ડ આપી કરાયું સન્માન.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતની વિકાસલક્ષી હરણફાળથી એ સુનિશ્ચિત થયું છે કે, આપણા દેશને વૈશ્વિક સ્તરે અત્યંત આશાવાદ સાથે જોવામાં આવે છે. વિશ્વ આપણી સાથે જોડાવા, આપણા લોકોમાં રોકાણ કરવા અને આપણી સફળતાનો હિસ્સો બનવા આતુર છે. તે જ સમયે, ભારત વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વિસ્તૃતપણે કામ કરી રહ્યું છે, પછી ભલે તે આબોહવામાં પરિવર્તન, હેલ્થકેરમાં સુધારો, એસડીજીને સાકાર કરવા અને વધુ હોય.”

“વર્ષોથી ઘણું બધું પ્રાપ્ત થયું છે, પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. આ ૨૩ વર્ષોમાં થયેલા શિક્ષણથી અમને અગ્રણી પહેલ સાથે આગળ આવવામાં સક્ષમ બનાવ્યું જેણે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે અસર કરી છે. હું મારા સાથી ભારતીયોને ખાતરી આપું છું કે, હું લોકોની સેવામાં વધુ જોમ સાથે, વધુ જોશ સાથે, અવિરત પણે કામ કરતો રહીશ. જ્યાં સુધી વિકસિત ભારતનું ( Viksit Bharat ) આપણું સામૂહિક લક્ષ્ય સાકાર નહીં થાય ત્યાં સુધી હું આરામ નહીં કરું.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Celebration of Vikas Saptah started in Gujarat, CM Bhupendra Patel and State Cabinet Ministers took this pledge.
રાજ્ય

Gujarat Vikas Saptah: ગુજરાતમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો થયો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ લીધી આ પ્રતિજ્ઞા.

by Hiral Meria October 7, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Gujarat Vikas Saptah: શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને ગુજરાતની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.  

તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ( Gujarat  ) 2001થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. 07 થી 15 ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ – મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ  સચિવશ્રીઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.

દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી. 

માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી એ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવાના ભાવ સાથે આજે વિધાનસભા ખાતે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ અધિકારીશ્રીઓની સાથે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી.… pic.twitter.com/3SE1O6QmxF

— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Gujarat CM ) સહિત મંત્રીએ અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓએ જે ભારત વિકાસ ( Vikas Saptah ) પ્રતિજ્ઞા લીધી છે તેમાં જણાવાયું છે કે – 

આ સમાચાર પણ વાંચો:  JP Nadda: કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ WHOની દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રની પ્રાદેશિક સમિતિના 77માં સત્રને કર્યું સંબોધન, વિશ્વના આ દેશોના આરોગ્ય મંત્રી રહ્યાં ઉપસ્થિત.

Gujarat Vikas Saptah:  હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

  • * મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. 

  • * હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. 

  • * હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. 

  • * હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. 

  • * જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. 

  • * પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ. 

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
On completion of 23 successful years of Gujarat's unstoppable development journey, this development week will be celebrated in a special way every year.
રાજ્ય

Gujarat: ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ ૨૩ વર્ષ પૂર્ણ, દર વર્ષે આ ખાસ રીતે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી.

by Hiral Meria October 7, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Gujarat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને આજે તા. ૭ ઓક્ટોબર ૨૦૨૪ના ૨૩ વર્ષ પૂર્ણ થયા  છે.  

નરેન્દ્રભાઈ મોદીએ ( Narendra Modi ) મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીની ગ્લોબલ ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા દર વર્ષે તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આ વૈશ્વિક અને બહુમુખી વિકાસ માટે આપેલા યોગદાનનો ઋણસ્વીકાર કર્યો હતો. 

ગુજરાતની ( Gujarat CM ) આ સર્વાંગી વિકાસ યાત્રાને વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મળી રહેલા સતત માર્ગદર્શન માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો અને ૨૦૦૧થી ૨૩ વર્ષ સુધી તેમની પ્રેરણાથી ગુજરાતે વિકાસ ( Gujarat Growth ) અને સુશાસનના જે નવા સીમચિહ્નો અંકિત કર્યા છે તેની ઉજવણી દર વર્ષે વિકાસ સપ્તાહથી કરવાનો નિર્ણય કર્યો હતો. 

આ વિકાસ સપ્તાહ ( Development week ) દરમિયાન વિવિધ થીમ સાથે યોજાનારા કાર્યક્રમોની વિસ્તૃત ભૂમિકા રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આપી હતી. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ વિકાસ સપ્તાહની ઉજવણીમાં સૌ ગુજરાતીઓને જોડીને રાજ્યના લાંબાગાળાના અને સસ્ટેનેબલ ડેવલ્પમેન્ટ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

પ્રવક્તા મંત્રી એ કહ્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે તેમાં જે-તે સ્થળના સ્થાનિક કલાકારોની પ્રસ્તુતિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે. 

ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ૨૩ વર્ષના સુશાસનમાં વિકાસ કામોથી પ્રસિદ્ધ એવા વિવિધ જિલ્લાઓ-શહેરોના ૨૩ જેટલા આઈકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને સુપરિચિત કરાશે. 

આરોગ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, સુરત ડાયમન્ડ બુર્સ, નડાબેટ, પાવાગઢ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, સ્મૃતિવન, અંબાજી, દ્વારકા સુદર્શન બ્રિજ અને પાલ દઢવાવના આદિવાસી શહીદ સ્મારક સહિતના સ્થળોઓએ આવી વિકાસ પદયાત્રા યોજાશે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વિકાસ સપ્તાહમાં વિદ્યાર્થીઓ અને યુવા શક્તિને પણ જોડવાના બહુઆયામી આયોજનો અંતર્ગત શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ પણ યોજાશે. એટલું જ નહિ, વિકાસમાં લોકોની સહભાગિતા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Fire News: મુંબઈના આ વિસ્તારની રહેણાંક ઈમારતમાં લાગી ભીષણ આગ,ઘણી કિંમતી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ; જુઓ વિડીયો.

રાજ્યના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવલો પર વૉલ પેઈન્ટિંગથી ૨૩ વર્ષની વિવિધ ક્ષેત્રોની વિકાસયાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાશે. આ ઉપરાંત રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ પણ કરવામાં આવશે. 

આ ઉપરાંત સમગ્ર રાજયમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે.

 ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવી ગતિનો હોય અને જનભાગીદારીને વિકાસમાં જોડીને વિકાસની રાજનીતિથી કેવા ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકાય તેનું ઉત્તમ દ્રષ્ટાંત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ દરમિયાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પૂરું પાડ્યું છે.

આ ૨૩ વર્ષની સુદીર્ઘ વિકાસ યાત્રાને આવનારા વર્ષોમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં હજુ વધુ તેજ ગતિએ આગળ ધપાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકારે દર વર્ષે આવા વિકાસ સપ્તાહ ઉજવવાની નેમ રાખી છે. 

તેમણે વિકાસ સપ્તાહ વિશે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત દિવસોની ઉજવણી સહિતના આયોજનો પણ કરવામાં આવશે. તેમાં યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ,  ઉદ્યોગ સાહસિકતા દિવસ તથા પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. 

શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે પરંપરાગત ઢબે સરકાર ચલાવવાને બદલે જનહિતકારી સુશાસન સાથે પ્રજાજીવનની સમસ્યાઓના નિવારણ અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉદ્યોગ, કૃષિ અને સેવા એમ ત્રણેય સેક્ટરના સર્વાંગી વિકાસના અભિગમથી ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે તેની ભૂમિકા પણ પ્રવક્તા મંત્રીશ્રીએ આપી હતી. 

તેમણે જણાવ્યું કે, ૧૯૬૦માં બૃહદ મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતના છ દાયકાના વિકાસ સામે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીના ૨૩ વર્ષમાં ‘ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત’ એવી સુદ્રઢ વ્યાખ્યા વિશ્વમાં પ્રસરી છે.

એક સમયે અપૂરતી વીજળી, પાણીની તીવ્ર અછત, પૂરતી આરોગ્ય સેવાઓનો અભાવ, કન્યા શિક્ષણનું ઓછું પ્રમાણ – આવા જે અનેક પડકારો હતા તેને તકમાં પલટવાના સામર્થ્યનું ગુજરાત અને ગુજરાતીઓમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સિંચન થયું છે. 

વિસર્જનમાંથી નવસર્જનની અને કચ્છના અપ્રતિમ વિકાસની સફળગાથા શ્રી નરેન્દ્રભાઈએ સ્મૃતિવન અને મ્યુઝિયમ દ્વારા વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે.  

નરેન્દ્રભાઈએ પંચ શક્તિ – ઊર્જાશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, જનશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત પર ગુજરાતના વિકાસની આધારશીલા મૂકીને પ્રગતિના પંથે આગળ ધપાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  World Post Day: આજથી થશે રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન, ગુજરાતમાં વિશ્વ ડાક દિવસે આ થીમ સાથે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન 150મી મનાવશે વર્ષગાંઠ.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ – ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ – એ ધ્યેય મંત્ર સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસમાં અનેક નવા પરિમાણો અને ઇનિશિએટિવ્ઝ ઉમેર્યા છે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં ૨૦૦૧થી ૨૦૨૪નો ૨૩ વર્ષનો સમગ્ર સમયગાળો ગુજરાતના સુશાસન અને વિકાસનો સંક્રાંતિકાળ બન્યો છે. 

હવે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરવું છે. 

આ લક્ષ્યાંક સિદ્ધિથી રાજ્યની વિકાસગાથાને વધુ ઉન્નત બનાવવા આગામી સમયમાં દર વર્ષે સુનિયોજિત રીતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A brainstorming camp was organized for the top officials of Gujarat CMO, with sessions held on multiple topics
અમદાવાદરાજ્ય

Gujarat CMO: ગુજરાત CMOના ઉચ્ચ અધિકારીઓ માટે થયું ચિંતન શિબિરનું આયોજન, આ બહુવિધ વિષયો પર યોજાયા સેશન્સ

by Hiral Meria September 30, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarat CMO: મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે IIM અમદાવાદ ( IIM Ahmedabad ) માં યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિર નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આપણે સૌએ ચિંતન કરવાની આદત પાડવા જેવી છે. જે કંઈ કામ કરીએ તે અંગે સમયાંતરે ચિંતન થવું જરૂરી છે.   

મુખ્યમંત્રીએ ( Bhupendra Patel ) વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘કર્મયોગી’ તથા ‘ચિંતન શિબિર’ની સંકલ્પના આપી, એનું હાર્દ જ એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ, તેના વિશે ચિંતન કરીએ. 

ચિંતન કરવાથી કોઈ પણ કામ વધુ સારી રીતે કરતા થવાની આદત પડે છે. ચિંતન નથી થતું ત્યારે જ સમસ્યાઓ ઊભી થતી હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણાં કાર્ય અને આપણી કામ કરવાની પદ્ધતિ અંગે ચિંતન કરવાનું છે. કોઈ અન્ય વ્યક્તિની ( CMO Officers )  સાથે સરખામણી કર્યા વિના પોતાની ભૂમિકાને સારી રીતે ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

 મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે શીખવાની, ભણવાની કે જ્ઞાન પ્રાપ્ત કરવાની  કોઈ ઉંમર હોતી નથી. 

આવી ચિંતન શિબિર નો હાર્દ પણ  એજ છે એમ તેમણે કહ્યું હતું.

આજે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે અમદાવાદમાં ચિંતન શિબિરનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાફ સાથે આ રીતે સમયાંતરે વાર્તાલાપ થતો રહે એનાથી ટીમ ભાવના વિકસવાની સાથે નવી ઊર્જા મળતી હોય છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘કર્મયોગી’ તથા ‘ચિંતન… pic.twitter.com/3z1vdPRnzw

— Bhupendra Patel (@Bhupendrapbjp) September 28, 2024

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સેવા અને ભાવનો હકારાત્મક સમન્વય જરૂરી છે. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં કામ કરનારા લોકોની વર્તણૂકની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાતી હોય છે, એટલે આપણી વિશેષ જવાબદારી બને છે. તમારી વર્તણૂક સીએમ ઓફિસનું પ્રતિબિંબ છે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે બદલાતા સમયમાં લોકોની અપેક્ષાઓ વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને આપણે સૌએ વધુ સજ્જતા કેળવવી પડશે.

આપણને સૌને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે એક સારા ટ્રસ્ટી તરીકે સેવા ભાવથી આપણી ભૂમિકા ભજવવાની છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : CM Bhupendra Patel : CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય, ગુજરાતમાં સાંકડા પુલ – સ્ટ્રક્ચર્સને પહોળા કરવા આટલા કરોડ રૂપિયા કર્યા મંજૂર

ચિંતન શિબિરમાં સ્વાગત પ્રવચન કરતાં મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં લર્નિંગ અને શેરિંગ ઉપરાંત ટીમબોન્ડિંગ વધે છે. મુખ્યમંત્રીના કાર્યાલયની નિર્ણાયક ભૂમિકા હોય છે ત્યારે સૌ અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રો-એક્ટિવ અને પ્રો-પીપલ એપ્રોચ કેળવવાનું કામ પણ આવી શિબિર થકી થઈ શકે છે.

 સચિવએ ગત ચિંતન શિબિરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ચિંતન શિબિર પછી સૌની ઊર્જામાં ઉમેરો થયો હતો અને સજ્જતાની સાથે સાથે અભિગમમાં પણ સકારાત્મક પરિણામો જોવાં મળ્યાં હતાં. બદલાતા સમયમાં અનેક અનિશ્ચિતતાઓ, વારંવાર ઊભી થતી સમસ્યાઓ અને વિવિધ પડકારો વચ્ચે સજ્જતા, ટીમ વર્ક અને પ્રો-એક્ટિવ એપ્રોચ થકી જ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય. આ દિશામાં આગળ વધવામાં આ ચિંતન શિબિર ફળદાયી નીવડશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીના  મુખ્ય સલાહકાર  અને SOUL  ના વાઇસ ચેરમેન શ્રી હસમુખ અઢીયા દ્વારા ટાઇમ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર સેશન લેવામાં આવ્યું હતું. 

શ્રી અઢીયાએ સ્ટ્રેસ મેનેજમેન્ટની કેટલીક ટિપ્સ આપતા પારિવારિક સંબંધો, પૂરતી ઊંઘ, ધ્યાન તથા કર્મના સિદ્ધાંતો સમજવા પર ભાર મૂક્યો હતો. તેમણે PORT (પઝેશન્સ, ઓબ્લિગેશન્સ, રિલેશન્સ અને ટ્રાન્ઝેક્શન) થિયરી સમજાવી હતી. 

ચિંતન શિબિરની આખરમાં અધિક મુખ્ય સચિવ  પંકજ જોશી તથા શ્રી એમ કે દાસે  પોતાનાં અનુભવો અને મંતવ્યો રજૂ કર્યાં હતાં.

તેમણે આ એક દિવસીય ચિંતન શિબિર  મુખ્યમંત્રી કાર્યાલયના  અધિકારીઓ કર્મયોગીઓને  તેમના કામકાજ અને કાર્યદક્ષતા માં ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ચિંતન શિબિરમાં સીએમઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.

ચિંતન શિબિરનું સમગ્ર આયોજન  આઈ આઇ એમ અમદાવાદ અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Mithun Chakraborty Narendra Modi: મિથુન ચક્રવર્તી થશે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત, PM મોદીએ અભિનેતાને પાઠવ્યા અભિનંદન.

આઈઆઈએમ, અમદાવાદના ડિરેક્ટર શ્રી ડૉ. ભરત ભાસ્કર પણ ઉપસ્થિત રહ્યા હતા .ચિંતન શિબિર નું સંચાલન SOULના સુશ્રી પ્રેરણા દ્વારા કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ચિંતન શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઈમોશનલ ઇન્ટેલિજન્સ, ડિજિટલાઇઝેશન, ટીમ બિલ્ડિંગ, કમ્યૂનિકેશન વગેરે વિષયો પર વિવિધ સેશન્સ યોજાયા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhupendra Patel government entered the fourth year, these welfare decisions were taken for the farmers of Gujarat
રાજ્યAgriculture

Gujarat Farmers: ભુપેન્દ્ર પટેલ સરકારનો ચોથા વર્ષમાં થયો પ્રવેશ, ગુજરાતના ખેડૂતો માટે લીધા આ કલ્યાણકારી નિર્ણયો

by Hiral Meria September 16, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Gujarat Farmers:  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ  દિવસે જ રાજ્યના ( Gujarat  ) ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.

રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો ( Farmers ) અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે.

1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે, ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે.

આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનઉપલબ્ધતાના કારણે વેચાણ-નોંધો અને બિનખેતી મંજૂરીઓના ( non-agricultural clearances ) કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીશ્રીએ ( Gujarat CM ) મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Gujarat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ PM નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં કર્યું ઉષ્માભર્યું સ્વાગત, આ રેલ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન.

તદઅનુસાર, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે.

એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.

ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.

જોકે આવી ખેતીની જમીનની હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય, પરંતુ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે.

આવી પરવાનગી વખતે કબ્જેદારો પાસેથી “ફક્ત બિનખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલીકીપણા- ટાઈટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે.” એ પ્રકારનું સોગંદનામું કલેક્ટરશ્રીઓએ મેળવી લેવાનું રહેશે.

બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તથા તેનો ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સત્તાધિકારીઓએ કરાવવાનો રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Police: ગુજરાત સરકારે આપ્યો પોલીસ અધિકારીઓને આદેશ, સપ્તાહના આ બે દિવસ ફરજિયાત સાંભળવી પડશે સામાન્ય નાગરિકોની રજૂઆત.

મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગેના ઠરાવો રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Today is the 74th birthday of PM Modi, who has been the CM of Gujarat for four times
ઇતિહાસ

Narendra Modi : આજે છે પીએમ મોદીનો 74મો જન્મદિવસ, ચાર વખત રહી ચુક્યા છે ગુજરાતના સીએમ

by Hiral Meria September 11, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Narendra Modi : 1950 માં આ દિવસે જન્મેલા, નરેન્દ્ર દામોદરદાસ મોદી 2014 થી ભારતના 14મા અને વર્તમાન વડા પ્રધાન ( Indian Prime Minister ) તરીકે સેવા આપતા ભારતીય રાજકારણી છે. પીએમ મોદી આઝાદી બાદ જન્મેલા દેશના પહેલા વડાપ્રધાન છે. દિવાલો પર પોસ્ટર લગાવવાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી ( Gujarat CM ) અને પછી વડાપ્રધાન બનવા સુધીની પીએમ મોદીએ લાંબી અને સફળ સફર કરી છે. તેમનામાં મજબૂત અને સફળ નેતા બનવાના તમામ ગુણો છે. વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2014 સુધી તેઓ ચાર વખત આ પદ પર રહ્યા. પીએમ મોદીની ઈમેજ એક સફળ અને કાર્યક્ષમ વ્યક્તિ તરીકેની રહી છે. બોલવાની કળામાં પણ શાનદાર છે. તે ખૂબ જ અનોખા અંદાજમાં વિપક્ષ પર નિશાન સાધે છે. 

આ પણ વાંચો :  Krishnalal Shridharani: 16 સપ્ટેમ્બર 1911 ના જન્મેલા, કૃષ્ણલાલ શ્રીધરાણી એક ભારતીય કવિ, નાટ્યકાર અને પત્રકાર હતા.

September 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક