• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - GujaratGovernment
Tag:

GujaratGovernment

Government's decision in the interest of electricity consumers on the occasion of 'Good Governance Day'
રાજ્ય

Kanubhai Desai: ‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય

by Akash Rajbhar December 24, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો; જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
  • ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે

Kanubhai Desai: ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી શ્રી દેસાઈએ કહ્યું હતું કે,ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે.

ઊર્જા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.

આ સમાચાર પણ વાંચો  : Cyber Fraud: એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા

વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર -૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. ૦૧.૧૦.૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે.

તેમણે ઉમેર્યું કે,ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. ૨.૮૫થી ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે.આ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબર થી ડીસેમ્બર ૨૦૨૪ દરમ્યાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ ૧૧૨૦ કરોડનો લાભ થશે.

વધુમાં,જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ ૫૦ થી ૬૦/-ની માસિક બચત થશે તેમ, મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.
જનક દેસાઈ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
how are the lives of the workers changing with the various schemes of the gujarat government for the upliftment of the workers
રાજ્ય

Labour Welfare Initiative: શ્રમિકોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર લાવી વિવિધ યોજનાઓ; માત્ર 5 રૂપિયામાં મળે છે 5 પૌષ્ટિક ભોજન, સાથે અનેક સુવિધા

by Akash Rajbhar December 21, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

ગુજરાતની ઓળખનો આધાર છે ગગનચુંબી ઈમારતો અને વિશાળ ધોરીમાર્ગો. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પોતાનો પરસેવો રેડી રહ્યા છે – શ્રમિકો. આ શ્રમિકોને સન્માન આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અને શેલ્ટર હોમ તેનું ઉદાહરણ છે.

શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરુ પાડે છે

રાજ્યના આ પગલાઓ સરકારની ગરીબો અને વંચિતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. ગુજરાત સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરુ પાડે છે. આ યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લામાં 290થી વધુ ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમાં દૈનિક ધોરણે 32 હજાર લોકોને ભોજન પુરુ પાડવામા આવે છે. આ ઉપરાંત શ્રમિકોના આરોગ્ય માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો  : PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત

આ રીતે ટોકન ઈસ્યૂ થાય છે

શ્રમિકો આ સુવિધા માટે ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધણી કરાવે છે. નોંધણી કરવામાં આવી હોય તેવા શ્રમિકોને આપવામાં આવેલા કાર્ડ પરનો ક્યૂ-આર કોડ સ્કેન કરવાથી ટોકન ઈસ્યૂ થાય છે. આ ટોકનથી તે સ્થળ પર જમી શકે છે અથવા ટિફિન લઈ જઈ શકે છે. કોઈ શ્રમિક ભૂખ્યાં ન રહે તેની પણ કાળજી લેવાય છે. હંગામી ધોરણે ઉભા કરાયેલા રજિસ્ટ્રેશન બુથમાં ન નોંધાયેલા કામદારોની નોંધણી કરી પંદર દિવસ સુધી શ્રમિકને ભોજન પુરુ પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પારદર્શકતા માટે આ સમગ્ર પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કામગીરીને સીએમ ડેશબોર્ડ સાથે જોડવામાં આવી છે.

સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને મળે છે આ સુવિધા

ગુજરાત સરકાર શ્રમિકોના અન્ન ઉપરાંત આવાસની કાળજી પણ લઈ રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકો માટે મોટા શહેરોમાં સુવિધાયુક્ત આશ્રય-સ્થાન બનાવવામાં આવ્યા છે. અહીં શ્રમિકોને ગાદલા, બ્લેન્કેટ ઉપરાંત ગરમ પાણી તેમ જ બાથરુમની સુવિધા પુરી પાડવામાં આવે છે. અહીં શ્રમિક પોતાની રીતે ભોજન પણ બનાવી શકે છે. સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને શિક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ આશ્રય સ્થાનોના નિર્માણ સમયે વૃદ્ધો અને દિવ્યાંગજનોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  : Chinese Threads: જુહાપુરામાંથી પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ ચાઇનીઝ દોરીના ૭૪ ટેલર સાથે બે ઇસમો ઝડપાયા
આ પહેલ રાજ્ય સરકારની શ્રમિકો પ્રત્યેની નિસબત દર્શાવે છે. શ્રમિકો રાષ્ટ્ર-નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર તેમના કલ્યાણ માટેના પ્રયાસો કરી રહી છે. ભોજન, આશ્રય અને હુંફ જેવા આ નાના પગલાઓથી શ્રમિકોના જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક