Tag: hawkers

  • ફેરિયાઓને રાહત આપો છો તો રિટેલ વેપારીઓ માટે શું? બૉમ્બે હાઈ કોર્ટનો સળગતો સવાલ

    ફેરિયાઓને રાહત આપો છો તો રિટેલ વેપારીઓ માટે શું? બૉમ્બે હાઈ કોર્ટનો સળગતો સવાલ

    ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

    મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

    બુધવાર

    મહારાષ્ટ્ર સરકારે lockdown લાગુ કર્યા બાદ રિટેલ વેપારીઓ ભારોભાર નુકસાન વેઠી રહ્યા છે. એક તરફ દુકાનોના ખર્ચા અને બીજી તરફ જે માલ ભર્યો છે એની ઉપર થનારું નુકસાન. આ બધું વીત્યા પછી પણ સરકારે વેપારીઓને કોઈ રાહત ન આપી. હવે આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે કડક વલણ લીધું છે. વેપારીઓ દ્વારા આ સંદર્ભે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વેપારીઓએ માગણી મૂકી હતી કે જો દુકાનો બંધ રહે છે તો તેમની પાસેથી લાઇસન્સ ફી, રીન્યુઅલ ફી, માલમતા કર વગેરેમાં રાહત આપવી જરૂરી છે. આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે સરકારી વકીલને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. તેમ જ અદાલતમાં એ પ્રશ્ન પણ ઉપસ્થિત રહ્યો હતો કે વેપારીઓને દુકાન બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે કે ઈ-કૉમર્સ કંપનીઓ લોકોના ઘર સુધી માલસામાન પહોંચાડી રહી છે.

    શિવસેનાના વરિષ્ઠ નેતા અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગુપ્ત બેઠક થઈ; કારણ બહાર આવ્યું નથી

    હવે આવનારા દિવસો દરમિયાન આ સંદર્ભે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

  •  વેપારીઓના ધંધા બંધ અને ફેરિયાઓ લોકોને લુટે છે. રાતોરાત આ વસ્તુઓના ભાવ વધારી દીધા.

     વેપારીઓના ધંધા બંધ અને ફેરિયાઓ લોકોને લુટે છે. રાતોરાત આ વસ્તુઓના ભાવ વધારી દીધા.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, 10 એપ્રિલ 2021

    શનિવાર

    વેપારીઓની દુકાનો બંધ છે ત્યારે ફેરિયાઓ લોકોને બેફામ પણે લુંટી રહ્યા છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ આપનાર લીંબુ, સંતરા અને મોસંબી જેવા ફળો ની કિંમત માં સીધો વધારો ઝીંકી દીધો છે. જોવાની વાત એ છે કે હોલસેલ માર્કેટમાં આમાંથી એક પણ વસ્તુની કિંમત વધી નથી તેમજ તેની ખેંચ સુદ્ધાં નથી. તેમ છતાં એરીયા પ્રમાણે ફેરિયાઓ એ પોતાના ભાવ બદલી નાખ્યા છે.

    લીંબુના દર દસ રૂપિયાના સ્થાને પ્રતિ કિલોના ૮૦ રૂપિયા કરી નાખ્યા છે.

    મોસંબીના દર 120 રૂપિયા કિલો કરી નાખ્યા છે.

    સંતરાના દર ૪૫ રૂપિયા પ્રતિ કિલો કરી નાખ્યા છે.

    જોવાની વાત એ છે કે દાદરમાં લીંબુ નો ભાવ વીસ રૂપિયાના 20 નંગ નો છે. બોરીવલી રેલવે સ્ટેશન પર તેનો ભાવ વીસ રૂપિયાના 8 નંગ છે. મહાવીર નગર અને ચારકોપ જેવા વિસ્તારમાં તેનો ભાવ 20 રૂપિયાના  પાંચ નંગ છે.

    મીની લોકડાઉન માં છૂટ મળશે તે ભૂલી જાવ, અહીં તો પૂરા લોકડાઉન ની તૈયારી ચાલુ છે. ઉદ્ધવ ઠાકરેએ બોલાવી મહત્વપૂર્ણ બેઠક. જાણો વિગત..

    એક તરફ સરકારે આદેશ આપ્યો છે કે કોઈપણ ચીજ વસ્તુનો ભાવ વધારો કરવાથી તે વ્યક્તિની વિરુદ્ધમાં કાર્યવાહી થશે. ત્યારે બીજી તરફ જીવન આવશ્યક ચીજવસ્તુઓ સંદર્ભે લોકોની ઉઘાડી લૂંટ ચાલુ છે.

  • News Continuous analysis : ભાઈ!! આવું કેમ હશે? ટેક્સ ભરનાર દુકાનદારો બંધ. જ્યારે કે રસ્તા પર ફળ વેચનાર નું શું? જાણો સરકારની પરસ્પર વિરોધી દલીલો.. અને લોકોની સાથે થઇ રહેલો અન્યાય.

    News Continuous analysis : ભાઈ!! આવું કેમ હશે? ટેક્સ ભરનાર દુકાનદારો બંધ. જ્યારે કે રસ્તા પર ફળ વેચનાર નું શું? જાણો સરકારની પરસ્પર વિરોધી દલીલો.. અને લોકોની સાથે થઇ રહેલો અન્યાય.

    મયુર પરીખ તરફથી.

    ન્યુઝ કંટીન્યૂઝ,

    7 એપ્રિલ 2021.

    બુધવાર.

    સરકારે લાદેલા મિની લોકડાઉન ને કારણે વેપારીઓ અને દુકાનદારોમાં ભારે આક્રોશ છે. આ આક્રોશ નું કારણ માત્ર વેપાર બંધ થવો એ નથી. પણ વેપારીઓ સાથે થઈ રહેલો અન્યાય છે. અન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉંચકવો એ દરેકની જવાબદારી છે.

    સવાલ એ ઉભો થાય છે કે અન્યાય કઈ વાતનો? કોરોના રોકવો તે બધા ની જવાબદારી છે. તો પછી વિરોધ કઈ વાત ‌નો? 

    આ પ્રશ્નનો ઉત્તર છે કે સરકાર જે પગલાં લઈ રહી છે તેમાં પરસ્પર વિરોધી ધોરણો સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે.

     

    ૧. સરકારને નિયમિત રૂપે પ્રોપર્ટી ટેક્સ, વીજળીનું બિલ, પાલિકા વેરો તેમજ અન્ય તમામ પ્રકારના ટેક્સ ભરનાર વેપારીઓની દુકાનો બંધ. જ્યારે બીજી તરફ રસ્તા પર ટોપલો લઈને ટ્રાફિકને અડચણ કરનાર ફેરિયાઓ નો વેપાર ચાલુ. આ તે ફેરિયાઓ છે જે સરકારી અધિકારીને હપતો ચૂકવે છે પરંતુ ભારત સરકારને ટેક્સ નથી આપતા. આ લોકો સરકાર ને વહાલા છે.

    લો બોલો !! મુંબઈના વેપારીઓને વિરોધ કરવાનો અધિકાર પણ નથી. ખીજાયેલા બીએમસી અધિકારીઓએ આ પગલું લીધું. જુઓ વિડિયો…

    ૨. તમામ કાયદા પાડવાની જવાબદારી વેપારીની પરંતુ તે કાયદાના પાલન માટે વેપારીને કશું આપવામાં આવતું નથી. બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં કોરોના ફેલાય નહીં તે માટે મફતમાં માસ્ક, સેનિટાઇઝર, અને અન્ય તમામ સુવિધાઓ આપવામાં આવે છે. આ એ ઝૂંપડપટ્ટીઓ છે જે સરકારી અથવા પ્રાઈવેટ જમીન ઉપર ગુંડારાજ થી બની બેઠેલી છે. આ સરકારોની વોટબેંક છે એટલે અહીં બધું જ મફત. જ્યારે કે દુકાનદારો દંડાશે.

    ૩. દુકાનદારોએ સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરવાનો. પછી ધંધો ચાલે કે નહીં તે કોઈ જોવા આવતું નથી. બીજી તરફ જે લોકો વીજળીના બીલ નથી ભરતા તેને કોરોના ના નામે સવલત આપવામાં આવી. કોના બાપની દિવાળી?

    ૪. દુકાનમાં કામ કરનાર કોઇ પણ વ્યક્તિ માસ્ક ન પહેરે તો તાત્કાલિક દંડ. જ્યારે કે લઘુમતી કોમના વિસ્તારમાં એટલે કે માલવણી, ભીંડી બજાર જેવા વિસ્તારમાં લોકો છડેચોક માસ્ક વગર ફરે તો કોઇ જ પગલાં નહીં.

    મહારાષ્ટ્ર સરકારે ' break the chain' એટલે કે મીની લોકડાઉન ના આદેશ માં સુધારો કર્યો. જાણો શું બદલાયું અને કોણ કર્ફ્યુના સમયમાં બહાર નીકળી શકશે.
     

    ૫. દુકાનદારો કોઈપણ જાતની ગુંડાગીરીના ચૂપચાપ મોઢે દંડની રકમ ભરી દે ત્યાં સુધી ઠીક. જો વિરોધ કરે તો પોલીસ કાર્યવાહી. પણ જ્યારે ઝૂંપડપટ્ટીમાં આવી કોઈ કાર્યવાહી કરવાની થાય ત્યારે લોકો રીતસરના પાલિકાના કર્મચારીઓ ને ધોઈ નાખે છે. ત્યારે શું? કયા પગલા લીધા?

    આવી અનેક દલીલો થાય તેમ છે. જેમાં સરકારના પરસ્પર વિરોધી વલણ સ્પષ્ટ પણે દેખાય છે. હકીકત એ છે કે દુકાનદારો સુરક્ષાના તમામ પગલાં લે છે. કારણ કે સૌ પ્રથમ તેને પોતાના જાતની પોતાના પરિવારની અને પોતાના સ્ટાફની ચિંતા છે. જ્યારે કે રસ્તા પર બેસીને વેપાર કરનાર લોકો સરકારને ટેક્સ આપતા નથી, તેઓ મુંબઇ શહેરના મૂળનિવાસી પણ નથી, તેમજ કોઈ જીવે કે મરે  તેની તેને કોઈ પરવાહ હોતી નથી. આવું હોવા છતાં પણ સરકાર અને સરકારી અધિકારીઓ તેમના પ્રત્યે કુણું વલણ ધરાવે છે. તેમને ગેરકાયદેસર ઘરથી માંડીને રસ્તા પર ગેરકાયદેસર દુકાન નાખવાની પરવાનગી આપે છે. જે વ્યક્તિઓએ ઘર ખરીદ્યા છે અને દુકાન ચલાવી રહ્યા છે તેમની ઉપર સરકારી વેરો નાખવામાં આવે છે અને પાબંદી મૂકવામાં આવે છે.

    કોણ જાણે ક્યારે સરકાર જાગશે? ક્યારે વેપારીઓ અને સામાન્ય જનતાને ન્યાય મળશે.

  • કાંદિવલીમાં ધીંગાણું, ફેરિયાઓ શાકભાજી રસ્તા પર ફેંક્યા. પોલીસ પણ પહોંચી.

    કાંદિવલીમાં ધીંગાણું, ફેરિયાઓ શાકભાજી રસ્તા પર ફેંક્યા. પોલીસ પણ પહોંચી.

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    18 માર્ચ 2021

    કાંદીવલી નો મથુરાદાસ રોડ એ શોપિંગ માટે જાણીતો છે. અહીં ફેરિયાઓની સંખ્યા ઘણી મોટી છે. જોકે અહીંના ફેરિયાઓ પણ આ ઉદ્ધત, અસંસ્કારી ભાષાનો પ્રયોગ કરનાર, ઘરાક સાથે મારામારી સુધી ઉતરી આવનાર, સ્ત્રીઓનું અપમાન કરનાર, જે દુકાન ચાલુ છે તેનો રસ્તો બ્લોક કરનાર આવા અનેક પ્રકારના ગેરકાયદેસર વર્તન માટે કુખ્યાત છે.

    ગત સપ્તાહે એક ફેરિયાએ એક મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ મામલો વકરતા આ શાકભાજી બજાર ને બંધ કરવામાં આવ્યું હતું. 

    સ્થાનિક ધારાસભ્યએ વચ્ચે આવીને સમાધાન કરાવ્યું અને બજાર પાછું શરૂ થયું. પરંતુ કોરોના નો પ્રકોપ વધતાં તેમજ ફેરિયાઓની કનડગત ઓછી ન થતા આ બજાર અહીંયા બંધ કરાવવામાં આવી હતી.

    પરિણામ સ્વરૂપ ફેરિયાઓ એ મથુરાદાસ રોડ પર શાકભાજી વેરી દીધા. તેમજ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું. ફેરીયાઓના વિચિત્ર વર્તન ને કારણે વાહન ચલાવનારાઓને ઘણો ત્રાસ વેઠવો પડ્યો.

  • બાંગુર નગરમાં ફેરિયાઓની લુખ્ખાગીરી, એક તો રસ્તા પર ખાવાનું પકાવે છે અને ઉપરથી ફરિયાદીઓ ને મારે પણ છે.

    બાંગુર નગરમાં ફેરિયાઓની લુખ્ખાગીરી, એક તો રસ્તા પર ખાવાનું પકાવે છે અને ઉપરથી ફરિયાદીઓ ને મારે પણ છે.

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

    મુંબઈ

    29 ડિસેમ્બર 2020 

    ગોરેગામ પશ્ચિમમાં માંગુ નગર ખાતે ફેરિયાઓ નો ત્રાસ ઘણો વધી ગયો છે. અહીં વ્યવસાય કરનારા ફેરીયાઓ રસ્તા પર સિલિન્ડર મૂકીને ખાવાનું પણ પકાવે છે. મહાનગરપાલિકાના આદેશ મુજબ અસુરક્ષિત રીતે સાર્વજનિક જગ્યાએ સિલિન્ડર નો ઉપયોગ કરવો તે ગેરકાયદેસર છે. વા સંદર્ભે સ્થાનિક રહેવાસી દિપક મોદીએ બાંગો નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે સ્થાનિક વ્યક્તિ દ્વારા ફરિયાદ મળ્યા બાદ ફેરિયાઓ એ ફરિયાદી એવા દિપક મોદી ની માહિતી મેળવી અને ત્યારબાદ તેમની સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા.

    આ સંદર્ભે સ્થાનિક રહેવાસી દિપક મોદીએ જણાવ્યું કે રસ્તા પર બબાલ થઈ ગયા બાદ મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવા માટે વાહન આવી પહોંચ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ વાહનો એ કાર્યવાહી પતાવી એના ત્રણ કલાકની અંદર ફરી એક વખત તમામ ફેરિયાઓ તે જગ્યા ઉપર આવીને ઊભા રહી ગયા. આમ સ્થાનિક લોકોની સમસ્યા જ્યાં ને ત્યાં છે. આ સંદર્ભે મહાનગરપાલિકાએ ફરિયાદીને આશ્વાસન આપ્યું છે કે આવનાર દિવસોમાં તે આ સંદર્ભે વધુ એક વખત કડક કાર્યવાહી કરશે.