• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - implementation
Tag:

implementation

Gujarat GST Tax after the implementation of GST in Gujarat, the number of taxpayers increased by 145 percent
રાજ્ય

Gujarat GST Tax : સિંગલ ટેક્સ, ડબલ ગ્રોથ: GST બન્યો ગુજરાતના વિકાસનો ઓથ, ગુજરાતમાં GST લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો

by kalpana Verat July 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat GST Tax :

  • રાજ્યમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧,૩૬,૭૪૮ કરોડની GST આવક; ગત વર્ષ કરતા રૂ. ૧૧,૫૭૯ કરોડ વધુ
  • SGST-IGSTના માધ્યમથી રાજ્યને વર્ષ ૨૦૨૪-૨૫માં થઇ રૂ. ૭૩,૨૦૦ કરોડની આવક
  • નિર્ધારિત સમયમર્યાદામાં GSTR-3B અને GSTR-1 રિટર્ન ભરવામાં ગુજરાત દેશમાં પ્રથમ
  • કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI)માં ગુજરાત ૭૧.૬૯ પોઈન્ટ્સ સાથે દેશમાં દ્વિતીય; KPIના ૨૨ કામગીરી માપદંડોમાંથી ૦૯ પરિમાણોમાં ગુજરાત દેશમાં પ્રથમ

એક સમય હતો જ્યારે ગુજરાતમાં વેટ (VAT), CST, ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય આબકારી જકાત જેવા ઘણા બધા કર (ટેક્સ) અમલમાં હતા. આ સિસ્ટમ ખૂબ જ જટીલ હતી, જેનાથી વેપારીઓને ટેક્સ ભરવામાં અનેક મુશ્કેલીઓ ઉદ્ભવતી હતી. ખાસ કરીને, વિવિધ રાજ્યોના અલગ-અલગ ટેક્સ રેટ અને નિયમો ઉપરાંત ‘ટેક્સ પર ટેક્સ’ (કેસ્કેડિંગ ઇફેક્ટ)ને કારણે વસ્તુઓ મોંઘી બનતી હતી અને વેપારમાં અવરોધો આવતા હતા. ગુજરાત જેવા નિકાસલક્ષી અને વેપાર-આધારિત રાજ્ય માટે આ પડકાર વધુ વિકટ હતો.

આ પડકારનો સામનો કરવા અને દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નિર્ણયથી તા. ૧ જુલાઈ, ૨૦૧૭ ના રોજ ભારતમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ભારતમાં વસ્તુની ખરીદી કે સેવા મેળવવા પર માત્ર એક જ – GST કર લાગુ કરવામાં આવ્યો, જ્યારે અન્ય કરને નાબૂદ કરવામાં આવ્યા હતા. “એક રાષ્ટ્ર, એક કર”ના સિદ્ધાંત સાથે GSTએ કર પ્રણાલીને સરળ બનાવી, કરચોરી ઘટાડી અને વ્યાપાર કરવામાં સરળતા લાવવાનો માર્ગ મોકળો કર્યો છે.

GST લાગુ થતા વેપારીઓ અને ગ્રાહકો માટે કરની ગણતરી અને તેને ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની છે. આ ઐતિહાસિક કર સુધારણાના કારણે છેલ્લા ૮ વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. GSTએ ગુજરાતને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Gujarat GST Tax : કરદાતાઓમાં ઉત્તરોત્તર વધારો

GST લાગુ થયા બાદ ગુજરાતમાં પ્રતિવર્ષ નવા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૮ વર્ષ પહેલા GST લાગુ થયો ત્યારે રાજ્યમાં ૫.૧૫ લાખથી વધુ કરદાતાઓ હતા, જેની સામે આજે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪૫ ટકાના વધારા સાથે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા ૧૨.૪૬ લાખને પણ પાર કરી ચૂકી છે, જે બમણાથી પણ વધુ છે. નોંધાયેલા કરદાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત આજે દેશમાં ત્રીજા સ્થાને છે, જે તેની વધતી જતી આર્થિક પ્રવૃત્તિ અને કર શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતનો કરદાતા વૃદ્ધિ દર ૬.૩૮ ટકા નોંધાયો છે, જે રાષ્ટ્રીય વૃદ્ધિ દર ૩.૮૬ ટકા અને અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો વધારે છે.

Gujarat GST Tax : GSTથી મબલખ આવક

કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિની સાથે સાથે, ગુજરાતના રાજકોષમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૧,૩૬,૭૪૮ કરોડની GST આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ રૂ. ૧૧,૫૭૯ કરોડ વધુ છે. રાજ્યોમાંથી થયેલી GST આવકની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે અને ડોમેસ્ટિક GSTમાં પણ ગુજરાતનો ફાળો ૮.૨ ટકા નોંધાયો છે.

Gujarat GST Tax : ગુજરાતના રાજકોષમાં વધારો

આટલું જ નહિ, રાજ્યને મળતી SGST અને IGSTની આવકમાં પણ ગુજરાતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં SGST અને IGSTના માધ્યમથી રાજ્યને કુલ રૂ. ૭૩,૨૦૦ કરોડની મહેસૂલી આવક થઈ છે, જે ગત વર્ષ કરતા રૂ. ૮,૭૫૨ કરોડ વધુ છે. વર્ષ ૨૦૨૪-૨૫માં SGST અને IGSTની આવકમાં રાષ્ટ્રીય વૃદ્ધિ દર ૧૦.૩૧ ટકાની સરખામણીએ ગુજરાતે ૧૩.૬ ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે. આ વધારાની આવક ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે.

Gujarat GST Tax : ઈ-વે બિલમાં પણ ગુજરાત મોખરે

આ ઉપરાંત માલ-સામાનની અવર-જવરના ડિજિટલ ટ્રેકિંગ માટે બનાવવામાં આવતા ઈ-વે બિલમાં પણ ગુજરાત દેશમાં મોખરે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતના સપ્લાયરો દ્વારા કુલ ૧૩.૯૮ કરોડ ઈ-વે બિલ બનાવવામાં આવ્યા હતા. આ રીતે, ઈ-વે બિલ બનાવનાર સપ્લાયરોની સંખ્યાના આધારે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તદુપરાંત, ગુજરાત ઈ-વે બિલના મૂલ્યની દ્રષ્ટિએ દેશમાં દ્વિતીય સ્થાને તેમજ કુલ ઈ-વે બિલની સંખ્યામાં દેશમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે.

Gujarat GST Tax : રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનના ઊંચા શિખરો

ગુજરાત માત્ર કરદાતાઓની સંખ્યામાં જ નહીં, પરંતુ GSTના અન્ય પ્રદર્શન પરિમાણોમાં પણ અવ્વલ રહ્યું છે. મુખ્ય કામગીરી સૂચકાંકો એટલે કે, કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI)માં ગુજરાતે ૭૧.૬૯ પોઈન્ટ્સ સાથે દેશમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે, જ્યારે ૭૩.૯૩ પોઈન્ટ્સ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. KPIના કુલ ૨૨ કામગીરી માપદંડોમાંથી ૦૯ પરિમાણોમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત સમયસર GSTR-3B અને GSTR-1 રિટર્ન ભરવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. નિર્ધારિત સમયમર્યાદામાં GSTR-3B રિટર્ન ફાઈલિંગમાં ૮૮.૯ ટકા અને GSTR-1 રિટર્ન ફાઈલિંગમાં ૮૫.૫ ટકાની સિદ્ધિ સાથે ગુજરાતે કરવેરા પ્રણાલીમાં તેની શિસ્તબદ્ધતાનો પુરાવો આપ્યો છે.

GSTએ ગુજરાતને એક વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની આ પ્રગતિ માત્ર આંકડાઓ જ નહિ, પરંતુ લાખો વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય જનજીવનમાં આવેલી સરળતા અને સમૃદ્ધિનું પ્રતિક છે. GSTના માધ્યમથી ગુજરાતે ખરા અર્થમાં વિકાસનો નવો અધ્યાય રચ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

July 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat CM Big Decision :Gujarat CM grants in-principle approval for works worth Rs 1202.75 crore for holistic development of cities
રાજ્ય

Gujarat Stamp Duty Act : ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Gujarat Stamp Duty Act :

  • પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ
  • વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂા.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
  • રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/- ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં તા. ૧૦મી એપ્રિલ, ૨૦૨૫થી અમલ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.

સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં ૧૦મી એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી થશે.

રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે –

* વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
* રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* રૂ.૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
* વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad : રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

* તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

* એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.
* ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.
* ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે.
આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.

વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
CAA Rules Union Home Ministry Announces Implementation Of Citizenship Amendment Act
દેશMain PostTop Post

CAA Rules: દેશભરમાં CAA લાગુ, મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, આ ત્રણ દેશોના બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

by kalpana Verat March 11, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 CAA Rules: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટું પગલું છે. આ અંતર્ગત ત્રણ પડોશી દેશોના લઘુમતીઓ હવે ભારતીય નાગરિકતા મેળવી શકશે. આ માટે તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

નોંધનીય છે કે આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી હતી. CAA ભાજપના 2019ના મેનિફેસ્ટોનો ભાગ હતો. CAA લાગુ થયા બાદ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ 

મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ઢંઢેરામાં CAAનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Tamil Nadu : તમિલનાડુમાં મંદિર ઉત્સવ દરમિયાન 60 ફૂટ ઊંચો રથ તૂટી પડ્યો, એક વ્યક્તિ નીચે દટાઈ ગયો; જુઓ વિડીયો..

પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે  

CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.

CAA Rules Union Home Ministry Announces Implementation Of Citizenship Amendment Act

 

વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

CAA નોટિફિકેશન ક્યારે આવશે?

તમને જણાવી દઈએ કે આગામી થોડા દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદા માટે નોટિફિકેશન બહાર પાડવું એ એક માસ્ટર સ્ટ્રોક છે. નોટિફિકેશન જાહેર થયા બાદ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ થઈ ગયો છે.

March 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Conference of Vice Chancellors of Western Zone on Implementation of 'National Education Policy (NEP) 2020' at Ektanagar, Narmada under the Chairmanship of CM Shri Bhupendra Patel
રાજ્ય

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦’ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ

by Hiral Meria October 26, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ( Narmada ) એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ ( implementation ) અંગે વાઈસ ચાન્સેલર્સ ( Vice Chancellors ) અને NEP કોઓર્ડિનેટર્સની ( NEP Coordinators ) એક દિવસીય કોન્ફરન્સનો ( conference ) શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ( Union Education Minister ) શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ( Dharmendra Pradhan ) , આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. 

૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. 

આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ઘડવામાં આવી છે. વડાપ્રધાનશ્રી રાષ્ટ્રવિકાસમાં આદર્શ અને ઉન્નત શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.

 આદર્શ શિક્ષણ એ કોઈ પણ દેશ, રાજ્યના વિકાસની પૂર્વશરત છે એમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્યકેન્દ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે જ વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર સતત ભાર આપ્યો છે. 

દેશના વિકાસના પાયામાં જેની મહત્વની ભૂમિકા છે એવી યુવાશક્તિને આત્મનિર્ભર બનાવવામાં તેમજ આદર્શ રાષ્ટ્ર નિર્માણ આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે, આજે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટ સહિત રોજગારના બદલાયેલા સ્વરૂપ અને વ્યાપાર ક્ષેત્રમાં આવેલ પરિવર્તનમાં નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ ટ્રાન્સફોર્મેશન, આત્મનિર્ભરતા સહિત ડિજિટલ ભારતમાં નવી શિક્ષણનીતિ મહત્વની ભૂમિકા ભજવશે એની ભૂમિકા તેમણે આપી હતી.  

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દિવસ દરમિયાન વાઈસ ચાન્સેલર્સ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તજજ્ઞોની ચર્ચા, વિચારમંથનથી જ્ઞાનનું જે અમૃત પ્રાપ્ત થશે, તે ભારત નિર્માણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉપયોગી પૂરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત વાઈસ ચાન્સેલર્સ, તજજ્ઞો અને અધિકારીઓ પરસ્પર સાથે મુક્તમને ચર્ચા કરી અને દેશના શિક્ષણને વધુ સમૃદ્ધ- વૈશ્વિક બનાવવા માટે યોગદાન અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. 

આ વેળાએ મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી, અન્ય મંત્રીઓના હસ્તે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગદર્શિકાના રૂપમાં તૈયાર કરાયેલી ‘NEP SoP’ બૂકલેટનું તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્વોલિટી એજ્યુકેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય અંતર્ગત શિક્ષણની બેસ્ટ પ્રેક્ટિસમાં ઉપયોગી બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Closing Bell: શેરબજાર ઉંધુ પટકાયું, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, સ શેર્સએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા.. 

-: કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી :-

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે. 

કેન્દ્રીય મંત્રીશ્રી પ્રધાને નવા ભારતના ભવિષ્ય નિર્માણ માટે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલા નવા વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનને સાર્થક કરવા માટે ગંગાજીથી નર્મદા સુધીનો આ પ્રવાસ સંપૂર્ણ સફળ રહેશે એમ સહર્ષ જણાવ્યું હતું.

     ભારતીય ભાષાઓ ભારતની વિકાસયાત્રામાં મહત્વનું અંગ રહી છે. ભારતની તમામ ભાષા રાષ્ટ્ર ભાષા છે. અને તેથી જ NEP-2020માં પણ પ્રાદેશિક ભાષાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેથી સોશિયલ બિહેવિયરને એકેડેમિક પ્રેકટીસ તરફ લઈ જઈ શકાય. કારણ કે ભારતીય જ્ઞાન પરંપરા વિશ્વ ભરમાં ખૂબ જાણીતી છે તેમ જણાવ્યું હતું. 

વધુમાં શ્રી પ્રધાને જણાવ્યું કે, NEPમાં કૌશલ્ય વર્ધન અને રોજગારપરસ્ત શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. ભારતને એક કરવું એ પણ શિક્ષણનો જ એક ભાગ છે, અને ભારતના રજવાડાઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમાના સાંનિધ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે વિવિધ ચાર ટેકનિકલ સત્રોમાં નિષ્ણાંતો વચ્ચે થનારી ચર્ચા તેના અમલીકરણ માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સરકારે તેના બજેટમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે રૂ.૧૮૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે સરાહનીય કદમ છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. 

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આ કોન્ફરન્સને જ્ઞાન અને વિચારોનું સમુદ્ર મંથન ગણાવતા કહ્યું કે, પ્રાચીનકાળમાં તક્ષશિલા, વિક્રમશીલા અને નાલંદા જેવી ભારતની મહા વિશ્વવિદ્યાલયમાં જ્ઞાન મેળવીને દેશવિદેશના લોકોએ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન ભંડારને વિશ્વ સુધી પહોંચાડ્યું છે. ફરી એક વાર યુવા સામર્થ્યને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર આપતા યુવાનો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ લાગુ કરી છે. 

આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો. એમ. જગદીશકુમારે જણાવ્યું કે, દેશની શિક્ષણ પ્રણાલીને વધુ અદ્યતન અને બહેતર બનાવવા માટે ઘડાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ના સુયોગ્ય અમલીકરણ માટે ૧૫૦ કરતા વધુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક જ સ્ટેજ પર ભેગા થવું એ ખૂબ મોટો સંયોગ છે. 

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: ક્રિકેટ ફેન્સને જલસો પડી ગયો, આ સ્ટેડિયમમાં દર્શકોને મફત મળશે પોપકોર્ન અને કોલ્ડ્રિંક્સ

મા નર્મદા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દિવ્ય સાંનિધ્યમાં પશ્ચિમ ઝોનના નોંધનીય છે કે, વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં સામૂહિક વિચાર વિમર્શ કરી નવી શિક્ષણ નીતિને સંપૂર્ણપણે  લાગુ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.

 કાર્યક્રમના અંતે શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મુકેશ કુમારે આભાર વિધિ આટોપી હતી. 

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી હસમુખ અઢિયા, AICTના અધ્યક્ષશ્રી પ્રો. ટી.જી.સીતારમન, ગુજરાતના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી બંછાનિધિ પાની, ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામકશ્રી પી.બી.પંડ્યા, કે.સી.જી.ના એડવાઈઝરશ્રી પ્રો.એ.યુ.પટેલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત વેસ્ટર્ન ઝોનની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રીઓ, શિક્ષણ નિષ્ણાંતો અને અધ્યાપકો, આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

October 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દિલ્હીની પાર્કિંગની સિસ્ટમ હવે મુંબઈમાં? આ વિસ્તારમાં 13 જગ્યાએ ઓડ ઈવન પદ્ધતી પાર્કિંગ પોલિસી અમલમાં મૂકાશે… જાણો વિગતે

by Dr. Mayur Parikh March 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈના હાઈફાઈ વિસ્તાર ગણાતા બાંદરા-ખારમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. તેમા પણ અમુક વિસ્તારમાં સાંકડા રસ્તા હોવાની સાથે જ રસ્તા પર બંને દિશામાં વાહનો પાર્ક કરેલા હોય છે. તેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે, તેથી તેનો નિકાલ લાવવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે અહીં ઓડ અને ઈવન (સમાન અને વિષમ) પાર્કિગ પોલીસી અમલમાં મૂકી છે.

ટ્રાફિક વિભાગે બહાર પાડેલા નવી સૂચના મુજબ બાંદરા-ખારના 13 રસ્તાઓ પર આ પોલિસી લાગુ કરવામાં આવી છે.
સિસ્ટમ મુજબ, જ્યારે કેલેન્ડર તારીખ ઈવન હશે ત્યારે  રસ્તાની પૂર્વ બાજુએ પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે, જ્યારે તારીખ ઓડ હશે ત્યારે પશ્ચિમ બાજુએ પાર્કિંગ મંજૂરી આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુંબઈના મહિલા પોલીસકર્મીઓને મોટી ભેટ, ફરજ ડ્યૂટીના સમયમાં કરાયો ઘટાડો.. હવે આટલા કલાક કરવી પડશે ડ્યુટી…

દરમિયાન, વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ચાર રસ્તાઓને વન-વે કરવામાં આવ્યા છે.
ટ્રાફિક વિભાગની સૂચના મુજબ માઉન્ટ મેરી રોડ પર માઉન્ટ મેરી ચર્ચથી કેન રોડ સાથેના તેના જંકશન સુધી નો પાર્કિંગ ઝોનની પણ જાહેરાત કરવામાં આવી છે.

March 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક