• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - injury
Tag:

injury

Shreyas Iyer શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ
ખેલ વિશ્વ

Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ

by aryan sawant November 1, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Shreyas Iyer ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ કરી છે કે સ્ટાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. BCCI એ માહિતી આપી છે કે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા અય્યરનું સ્વાસ્થ્ય હવે સારું છે. કેચ પકડતી વખતે ઈજા થતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા શ્રેયસ

શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે પાંસળીમાં જોરદાર ઈજા થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ દરમિયાન કેરીએ હર્ષિત રાણાના બોલ પર ઉંચો શોટ માર્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા અય્યરે ઝડપથી દોડીને સફળતાપૂર્વક કેચ પકડી લીધો, પરંતુ જમીન પર પડતી વખતે તેમની ડાબી પાંસળીઓ પર જોરદાર આંચકો લાગ્યો. ઈજાના કારણે તેમને આંતરિક રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો, જેના કારણે તેમને તાત્કાલિક મેદાનમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર

BCCIએ આપ્યું હેલ્થ અપડેટ

BCCI એ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા જણાવ્યું કે શ્રેયસ અય્યરને ઈજાગ્રસ્ત થવાને કારણે આઈસીયુમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ હતી. હવે તેઓ સંપૂર્ણ રીતે ફિટ છે અને તેમને સિડનીની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમનો ઈલાજ સફળ રહ્યો છે.

November 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ankita Lokhande Gets Emotional as Husband Vicky Jain Undergoes Surgery with 45 Stitches
મનોરંજન

Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ

by Zalak Parikh September 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ankita Lokhande: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે ના પતિ અને બિઝનેસમેન વિકી જૈન ની તબિયત ખરાબ હોવાની ખબર થી તેના ચાહકોમાં ચિંતા ફેલાઈ છે. વિકીના હાથમાં કાચના ટુકડા ઘૂસી ગયા હતા, જેના કારણે તેને 45 ટાંકા આવ્યા છે. હાલમાં તે મુંબઈ ની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે જેમાં તેણે પતિ માટે પ્રેમ અને દુખ વ્યક્ત કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Anupama Spoiler: અનુપમા માં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ, ખ્યાતિ ની ચાલથી પરાગ મુકાશે મુશ્કેલીમાં, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

અંકિતાની પોસ્ટથી ચાહકો થયા ભાવુક

અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં વિકી સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે, પણ અંકિતાની પોસ્ટમાં છુપાયેલું દુખ સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું, “મારા હમસફર, તું હંમેશા મારો હાથ પકડીને મને સુરક્ષિત અનુભવ કરાવતો રહ્યો છે. તું મને યાદ અપાવતો રહ્યો છે કે પ્રેમ દરેક મુશ્કેલ પળને હલકો બનાવી શકે છે.” અંકિતાએ વધુમાં લખ્યું, “હું તારી સાથે દરેક તોફાન, દરેક લડાઈ લડીશ… જેમ કે આપણે વચન આપ્યું હતું. તું મારી શક્તિ છે, મારી શાંતિ છે, અને હું પણ તારી માટે એ જ છું. તું જલ્દી સાજો થઈ જા, મારા સૌથી મજબૂત વિકી.”

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)


અંકિતાની આ પોસ્ટ પર ચાહકો દ્વારા પ્રેમભરી ટિપ્પણીઓ આવી રહી છે. ઘણા લોકોએ વિકી માટે જલ્દી સાજા થવાની પ્રાર્થના પણ કરી છે. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે એક સેલિબ્રિટી કપલ પણ જીવનની મુશ્કેલીઓનો સામનો કરે છે અને પ્રેમથી એકબીજાને સંભાળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
IPL 2025 Stop Retaining Them. Mohammad Kaif Slams LSG Over Injury-Prone Players After IPL 2025 Exit
ક્રિકેટ

IPL 2025: મોહમ્મદ કૈફએ કહ્યું – ઈજાગ્રસ્ત ખેલાડીઓને રાખવાનું બંધ કરો, રિષભ પંતના બહાનાને કહ્યું “અસ્વીકાર્ય”

by kalpana Verat May 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 IPL 2025: IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ  (LSG) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમના વિકેટકીપર બેટ્સમેન  રિષભ પંતએ કહ્યું કે મયંક યાદવ  અને મોહસીન ખાન જેવી મુખ્ય બોલિંગ જોડીઓ ઈજાને કારણે ઉપલબ્ધ ન હતી, જેના કારણે ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું. જોકે, પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફએ પંતના આ નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે.

IPL 2025: ઈન્જરી  પ્રોન ખેલાડીઓ માટે ₹21 કરોડ સુધી ખર્ચવું યોગ્ય નથી   

મોહમ્મદ કૈફ એ કહ્યું કે, “મને એવા ખેલાડીઓ માટે પૈસા આપવા ગમશે જે આખો સીઝન રમે. LSGએ જે બોલરોને રિટેઈન કર્યા છે તેઓ સતત ઈજાગ્રસ્ત રહે છે. આવા ખેલાડીઓને ઓક્શનમાં લો, પણ રિટેઈન ન કરો.” Mayank Yadav અને Mohsin Khan બંને મોટાભાગના મેચમાં રમ્યા જ નહીં.

 IPL 2025: એક્સક્યુઝ નહીં ચાલે: પંતે કહ્યું – ઈજાઓને લીધે ગેપ્સ ભરવા મુશ્કેલ બન્યું

રિષભ પંતે SRH સામેના છેલ્લાં મેચ પછી કહ્યું કે, “આ સીઝન અમારી માટે શ્રેષ્ઠ બની શકે તેમ હતી, પણ ઈજાઓ અને ગેપ્સને કારણે અમે અમારી પોઝિશન મજબૂત કરી શક્યા નહીં.” તેમણે ઉમેર્યું કે ટીમે આ મુદ્દાઓની ચર્ચા ન કરવાનો નિર્ણય લીધો હતો, પણ અંતે એ ખાલી જગ્યા ભરવી મુશ્કેલ બની ગઈ.

આ સમાચાર પણ વાંચો : Chhagan Bhujbal : છગન ભુજબળ (Chhagan Bhujbal) ફરી મહારાષ્ટ્ર કેબિનેટમાં, ઓબીસી (OBC) રાજકારણ પાછળનું મોટું કારણ

 IPL 2025:  ઓક્શન પ્લાનિંગ પર પણ ઉઠ્યા પ્રશ્નો, આકાશદીપ પણ ઉપલબ્ધ ન રહ્યો

LSGએ ઓક્શનમાં ખરીદેલા બોલર આકાશદીપ પણ આખો સીઝન ઉપલબ્ધ ન રહ્યો. કૈફના મતે, ટીમ મેનેજમેન્ટે પ્લેયર્સની ફિટનેસ અને ઉપલબ્ધતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. Nicholos Pooran, Ravi Bishnoi જેવા ખેલાડીઓ પર મોટો ખર્ચ થયો, પણ બોલિંગ યુનિટ નબળી રહી.

 

 

May 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
vishal dadlani cancels pune show due to injury
મનોરંજન

Vishal dadlani: અકસ્માત ને કારણે વિશાલ દદલાણી નો કોન્સર્ટ થયો રદ, મ્યુઝિક કમ્પોઝર એ તેના ચાહકો ને કહી આવી વાત

by Zalak Parikh February 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Vishal dadlani: વિશાલ દદલાણી બોલિવૂડ નો પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર છે. વિશાલ ને લઈને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને અકસ્માત થયો છે. ઈજાને કારણે તેણે પોતાનો પુના નો કોન્સર્ટ મુલતવી રાખવો પડ્યો. આ શો 2 માર્ચે થવાનો હતો પરંતુ હવે તેને રદ કરવામાં આવ્યો છે. આ કોન્સર્ટમાં શેખર રાવજિયાણી પણ તેની સાથે પરફોર્મ કરવાનો હતો. 

આ સમાચાર પણ વાંચો: Chhaava advance booking: વિકી કૌશલ ની ફિલ્મે એડવાન્સ બુકીંગ માં મારી બાજી, આ ફિલ્મો ને પાછળ છોડી આગળ નીકળી છાવા

વિશાલે ચાહકો ને કહી આવી વાત 

વિશાલ દદલાણી એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકોને આ ફેરફાર વિશે માહિતી આપતા લખ્યું, “મારો એક નાનો અકસ્માત થયો. હું ટૂંક સમયમાં પાછો આવીશ. હું તમને બધાને અપડેટ રાખીશ.” આ અકસ્માત બાદ, ચાહકો સોશિયલ મીડિયા પર વિશાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Just Urbane | Magazine (@justurbane)


કોન્સર્ટનું આયોજન કરી રહેલી જસ્ટ અર્બન કંપનીએ પણ પરિસ્થિતિનો જવાબ આપ્યો છે. તેમણે માહિતી આપી કે વિશાલ દદલાણીની સારવાર ચાલી રહી છે અને તે અકસ્માતમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ઉપરાંત, આયોજકોએ ખાતરી આપી હતી કે કોન્સર્ટ ટૂંક સમયમાં ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
rakul preet singh suffers serious injury after 80 kg deadlift
મનોરંજન

Rakul preet singh: જિમ માં આ હરકત કરવી રકૂલ પ્રીત સિંહ ને પડી ભારે, ડોક્ટર એ આપી અભિનેત્રી ને બેડરેસ્ટ ની સલાહ, જાણો હાલ કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

by Zalak Parikh October 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rakul preet singh: રકૂલ પ્રીત સિંહ તેના અભિનય ઉપરાંત તે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. રકૂલ ઘણીવાર જિમ ની બહાર પાપારાઝી ના કેમેરા માં કેદ થતી હોય છે. હાલ અભિનેત્રી ને લઈને એક માઠા સંચાર આવી રહ્યા છે. અભિનેત્રી બેડરેસ્ટ પર છે. વાસ્તવ માં રકૂલ થી જિમ માં એક ભૂલ થઇ ગઈ હતી જેના કારણે ડોકટરો એ અભિનેત્રી ને બેડરેસ્ટ ની સલાહ આપી છે. 

આ સમાચાર પણ વાંચો : Ali fazal birthday: પ્રથમ ફિલ્મ પછી હતાશામાં ગરકાવ થઇ ગયેલો અલી ફઝલ આજે છે ઓટીટી નો બાદશાહ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

બેડરેસ્ટ પર છે રકૂલ પ્રીત સિંહ 

મીડિયા રિપોર્ટ મુજબ રકૂલ એ વર્કઆઉટ સેશન દરમિયાન તેને પોતાની કમર પર બેલ્ટ બાંધ્યા વગર 80 કિલો વજન [ઉપાડી રહી હતી આવી સ્થિતિમાં, ડેડલિફ્ટ કરતી વખતે, તેની પીઠ ની નસ ખેંચાઈ ગઈ અને તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.પરંતુ રકુલે તેની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’નું શૂટિંગ પૂરું કરવાનું હતું. આવી સ્થિતિમાં તેણે પેઇનકિલર્સ લીધા પછી શૂટિંગ શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


રકૂલ એ તેના શૂટિંગ ને કારણે તેની પીઠ ની અવગણના કરી હવે રકૂલ ને પીઠ માં અસહ્ય દુખાવો થતા ડોકટરે તેને બેડરેસ્ટ ની સલાહ આપી.ડોક્ટર ના કહેવા મુજબ ઈજાને કારણે રકુલની L4, L5 અને S1 નસ બ્લોક થઈ ગઈ છે. હવે રકુલની હાલત પહેલા કરતા સારી છે. તેણી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Prime Minister wished Ms. Mamata Banerjee a speedy recovery
દેશરાજ્ય

Mamata Banerjee: પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી ગંભીર રીતે ઘાયલ, PM મોદીએ મમતા દીદી ને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

by Hiral Meria March 15, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mamata Banerjee:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ (  Narendra Modi ) આજે ​​પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રીમતી મમતા બેનર્જીને ઈજામાંથી ( injury ) ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. 

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

I pray for a quick recovery and the best health for Mamata Didi. @MamataOfficial

— Narendra Modi (@narendramodi) March 14, 2024

“હું મમતા દીદીના ( West Bengal CM ) ઝડપી સ્વસ્થ અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: PM મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી, આ મુદ્દે થઇ ચર્ચા

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

         

 

March 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hrithik roshan suffers injury takes support of crutches
મનોરંજન

Hrithik Roshan: ઈજાગ્રસ્ત જોવા મળ્યો રિતિક રોશન, ફાઈટર અભિનેતા ની આવી હાલત જોઈ ફેન્સ ને થઇ ચિંતા

by Zalak Parikh February 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 Hrithik Roshan: રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. આ દરમિયાન રિતિક રોશન ને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રિતિક રોશન ની હાલત ઠીક નથી. તે ઘાયલ થઇ ગયો છે. આ વિશે માહિતી આપતા રિતિક રોશને તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે જેમાં તે હાથમાં ઘોડી અને કમર પર પટ્ટો બાંધેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર સામે આવ્યા બાદ રિતિક ના ચાહકો ચિંતા માં આવી ગયા છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શું શાહરૂખ ખાને ભારતીય નૌકાદળના અધિકારીઓને કતાર માંથી મુક્ત કરાવવામાં કરી સરકારની મદદ? કિંગ ખાન ની ટીમે આ અંગે જારી કર્યું નિવેદન

 

રિતિક રોશન થયો ઘાયલ

રિતિક રોશને જણાવ્યું કે, તેની પીઠના નીચેના સ્નાયુમાં તાણ છે અને ડોક્ટરોએ તેને ક્રેચની મદદથી ચાલવાની સલાહ આપી છે.આ સાથે રિતિકે તેની પોસ્ટ માં લાંબી નોટ લખી છે. 

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)


રિતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી છે જેની સાથે તેને લખ્યું,  ‘શુભ બપોર. તમારામાંથી કેટલાએ ક્યારેય ક્રેચ અથવા વ્હીલચેર પર રહેવાની જરૂર પડી છે અને તે તમને કેવું લાગ્યું? મને યાદ છે કે મારા દાદાએ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે તેમની પોતાની “મજબૂત” માનસિક છબી સાથે બંધબેસતું ન હતું. મને યાદ છે કે મેં કહ્યું હતું, ‘પણ દેદા, તે માત્ર એક ઈજા છે અને તેને તમારી ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી!’ આ ઈજાને મટાડવામાં મદદ કરશે અને તેને વધુ નુકસાન થતું અટકાવશે!’ ડર અને શરમને અંદરથી છુપાવવા માટે તેમને કેટલું મજબૂત બનવાની જરૂર છે તે જોઈને મને દુઃખ થયું. હું તેનો અર્થ સમજી શક્યો નહીં. મને લાચારીનો અહેસાસ કરાવ્યો. મેં દલીલ કરી હતી કે વૃદ્ધાવસ્થાના કારણે નહીં પણ ઈજાને કારણે તેને વ્હીલચેરની જરૂર પડી હતી તે કારણ વય પરિબળ નથી. તેણે ઇનકાર કર્યો અને અજાણ્યાઓ માટે મજબૂત છબી પ્રદર્શિત કરી. તેનાથી તેની પીડા વધી અને સારવારમાં વિલંબ થયો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

February 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Let's save the birds with the kite string, do this much for the care of the injured birds during the Makar Sankranti days.
પાલતુ અને પ્રાણીઓસુરત

Makar Sankranti: પતંગના દોરાથી પક્ષીઓને બચાવીએ, મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ

by Hiral Meria January 13, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Makar Sankranti : ઉત્તરાયણના તહેવારમાં ઈજાગ્રસ્ત પક્ષી ( injured bird ) નજરે પડે ત્યારે સૌ પ્રથમ દુરથી પક્ષીનું થોડા સમય માટે નીરિક્ષણ કરો. પાંખ લબડવી, લોહી નીકળવું, ડોક નમી જવી, પગ ઉપર વજન ન મુકવું વગેરે ચિહ્નો પરથી પક્ષીની સ્થિતિનો કયાસ કાઢી શકાય છે. કુદરતમાં, ખુલ્લા આકાશમાં મુક્તપણે વિહરતા પક્ષીઓ મનુષ્યથી દુર રહેતા હોય, માનવના સંપર્કમાં આવે ત્યારે ખુબ જ પરેશાન થાય છે અને આઘાત અનુભવે છે. 

           તા.૧૪મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે આપણે હોંશે હોંશે પતંગ તો ફરકાવતા હોઈએ છીએ પરંતુ પતંગના દોરાથી ( kite string )  પક્ષીઓ ( Birds ) ઘાયલ થવાના બનાવો બને છે. પક્ષીઓ, મનુષ્યોને ઈજા ( Injury ) સહિત અનેક હાનિઓ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવી એ પણ આપણા સૌ કોઈની જવાબદારી બને છે. 

            મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ એ જરૂરી છે. બચાવ કાર્યમાં ( rescue work ) પણ પક્ષીને ગમે તેવી ઈજા થયેલ હોય તો પણ તેની પ્રકૃતિ મુજબ પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે. પક્ષીને પોતાનો બચાવ કરવા સામાન્ય રીતે ચાંચ મારવી, પગના પંજાના નખ ભરવા અને પાંખો ફફડાવતા હોય છે. જેથી ઈજા ન થાય તે માટે સજાગ રહો. જળચર પક્ષી અણીદાર ચાંચ દ્વારા આંખ ફોડી શકે છે. માટે તેની ડોક બરાબર પકડો. શિકારી પક્ષીને પકડવા હાથમાં મજબૂત મોજા પહેરવાથી નહોરની ઈજામાંથી બચી શકાય છે.

              મોટાભાગના પક્ષીને સમાન રીતે પકડી શકાય છે. માથા અને શરીર પર જાડું કપડું નાખી ઢાકી દઈને રેસ્ક્યુ કરો. પક્ષીના કદ મુજબ કપડું પાતળું કે જાડું વાપરી શકાય. પક્ષીને ગમે તેવી ચપળતાથી અને આરામથી રેસ્કયુ કરવામાં આવે તો પણ આઘાત અનુભવે છે. પક્ષીને એક બે પ્રયત્નોમાં ન પકડી શકાય ત્યારે અનુભવી અને જાણકારની મદદ લો. પક્ષી બચાવમાં જેમ સમય વધુ લાગે તેમ પક્ષીની પરિસ્થિતિ વધુ બગડે છે. પક્ષીને પકડવા પાછળ ન દોડો. 

             ઈજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી તળીયે કપડું પાથરેલ અને કાણા પાડેલ પૂંઠાના ખોખા કે પ્લાસ્ટીકના બોકસમાં રાખો. ખોખું કે બાસ્કેટ ખુલ્લું ન રાખતા કપડાથી ત્રણેય બાજુએથી આવરી લો અને ઉપરના ભાગે ટુવાલથી ઢાંકી દો. 

              ઈજાગ્રસ્ત પક્ષી સામાન્યથી ગંભીર આઘાતમાં હોય છે.જેથી પક્ષીને શાંત અને અંધારી જગ્યામાં રાખો. પક્ષીના શરીર પર હાથ ફેરવીને કે પંપાળીને ધરપત આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીને બિનજરૂરી સ્પર્શ કરવાનો કે જોવાનો પ્રયત્ન ન કરો. આ હરકત આઘાતમાં વધારો કરે છે. બહારનો અવાજ, ધુમ્રપાનનો ધુમાડો અને અત્તરની સુગંધ પક્ષી માટે યોગ્ય નથી. 

             ઈજાગ્રસ્ત પક્ષીની આજુબાજુનું વાતાવરણ ૮૦-૯૦ ફે.ગરમ રાખવું જરૂરી છે. પક્ષીને ગરમી લાગે ત્યારે પાંખો ખોલી શરીરથી દૂર રાખે છે અને હાંફે છે. જયારે ઠંડી અનુભવે ત્યારે શરીર સંકોચીને બેસે છે. પાંજરાની બાજુ પર ૬૦-૧૦૦ વોટનો ઈલેકટ્રીક બલ્બ રાખવાથી પક્ષીને તકલીફ વગર હુફાળું વાતાવરણ પૂરું પાડી શકાય છે. બીમાર પક્ષીને રહેઠાણમાં પૂરતો ગરમાવો મળે તો શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેમજ શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.

આ સમાચાર પણ વાંચો : Surat: પક્ષીઓ પ્રત્યે સંવેદના એટલે કરૂણા અભિયાન, આ તારીખ સુધી સુરત શહેર-જિલ્લામાં ચાલશે અભિયાન

                પતંગના દોરાથી પક્ષીને સામાન્ય રીતે પગ કે પાંખ ભાંગી જવી, પાંખ કે ચાંચ કપાવી, પાંખ, જીભ કે ડોક પર કાપો પડવો એ મુખ્ય ઈજા હોય છે. ઈજાગ્રસ્ત પક્ષીને અઘાતમાંથી બહાર લાવવું એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે. તેને આઘાતમાંથી બહાર આવવા ૨-૩ કલાકનો સમય આપો. પક્ષીનું ઢળી પડવું, ડોક આડી નાખી દેવી, આંખ અર્ધ બિડેલ રાખવી, શ્વાસોશ્વાસ વધી જવા એ પક્ષી આઘાતમાં હોવાના ચિહ્નો છે. ઈજા અને આઘાતમાં સરી પડેલ પક્ષીના પરિવહન માટે સામાન્ય કાળજી લેવામાં આવે તો પણ પક્ષીને ઘણી રાહત રહે છે.

               પક્ષીને કયારેય ખુલ્લુ કે હાથમાં પકડીને ન લઈ જાઓ. પક્ષીને પાંજરા કે બોકસમાં લઈ જવું જોઈએ. પૂઠાનું કાણા પાડેલ ખોખું કે પ્લાસ્ટીકનું બાસ્કેટ પક્ષીને રાખવા ઉપયોગ કરી શકાય. પાંજરાને કપડાથી ઢાંકો.જેનાથી પક્ષીને વાતાવરણ સામે રક્ષણ મળે છે.એકાંત આપે છે. દ્રષ્ટી સિમિત રાખે છે. જેથી તણાવ ઓછો ઉદભવે છે. વાહન કાળજીથી ચલાવો. એકદમ વળાંક લેવાનું ટાળો. પરિવહન દરમિયાન બિનજરૂરી ઘોંઘાટ ન કરો. ઋતુ મુજબ એસી કે હિટર ચાલુ રાખો. પક્ષીને આરામદાયક સ્થિતિમાં રાખવાથી સાજુ થવાની તક વધે છે.

              પૂરતી જાણકારી વગર સારવાર આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીની સારવાર ખાસ કાળજી માંગી લે છે. ડોકટરી સારવારની સગવડ હોય ત્યાં લઈ જાવ/સોંપો. પક્ષીને ઘરે રાખવાનો પ્રયત્ન ન કરો. જુદા જુદા પક્ષીની ખાસિયત, ખોરાક અને જરૂરિયાત અલગ અલગ હોય છે. 

              પક્ષીની સારવાર માટે ક્યારેય ઉતાવળ ન કરો. માત્ર લોહીનો સ્ત્રાવ બંધ કરવા પક્ષીને તત્કાલ સારવારની જરૂર હોય છે. લોહીનો સ્ત્રાવ ચાલું હોય તો આંગળીના ટેરવાથી કે રુ કે કપડાનું પૂમડું મુકી દબાવવાથી બંધ થઈ જાય છે. પક્ષીની લોહી ગંઠાવાની શક્તિ ખુબ જ વિશેષ હોય છે. ચામડી પરના કાપમાંથી આવતું લોહી સામાન્ય રીતે પોતાની મેળે બંધ થઈ જતું હોય છે. તૂટી ગયેલ પીછામાંથી નીકળતું લોહી બંધ કરવા પીછાને મુળમાંથી ખેંચવું જરૂરી બને છે. પક્ષીનું હલન ચલન લોહીનો સ્રાવ વધારે છે. ચાંચ અને નહોર કપાવાથી લોહીનો વિશેષ સ્ત્રાવ થતો હોય છે. રુનું પૂમડુ ૧ મિનિટ પૂરતું દબાવી રાખવાથી બંધ થઈ જાય છે. 

              બાહ્ય ઈજા ન હોય પરંતુ બેભાન હોય તેવા પક્ષીને મોટેભાગે નીચે પટકાવા સમયે માથામા ઈજા થયેલ હોય છે. આવા પક્ષીને એકાંતમાં, શાંત અને હુફાળા વાતવરણમાં રાખો.પક્ષીના શરીર પર વિંટળાયેલ દોરાની ગુંચ ઉકેલવા કરતાં નાની કાતરથી કાપીને દૂર કરો. 

             પતંગના દોરાથી ઈજાનો ભોગ બનનાર પક્ષીમાં સામાન્ય રીતે કબૂતર, હોલો, પોપટ, કાગડા, કાંકણ, બગલા, ઘુવડ, સમડી, કોયલ મુખ્ય હોય છે. ઈજાગ્રસ્ત પક્ષી ખોરાક કે પાણી લેતું હોતું નથી. પક્ષીને ખોરાક કે પાણી આપવા અધીરા ન બનો. પક્ષી ઉડવા સક્ષમ બને ત્યારે ફરી કુદરતમાં મુક્ત કરો.

આ સમાચાર પણ વાંચો : Uttarayan: ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ

              આવો, આપણે સૌ કોઈ સાથે મળીને ઘાયલ પક્ષીઓને બચાવવાના કરૂણા અભિયાનમાં સહભાગી બનીએ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
After the 'time out' controversy, Bangladeshi all-rounder Shakib Al Hasan is out of the World Cup-2023, know the real reason
ICC વર્લ્ડ કપ 2023

Shakib Al Hasan: ‘ટાઇમ આઉટ’ વિવાદ બાદ બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વર્લ્ડ કપ-2023માંથી થયો બહાર, જાણો સાચું કારણ!

by Bipin Mewada November 8, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Shakib Al Hasan: વર્લ્ડ કપ 2023ની ( World Cup 2023 ) 38મી મેચમાં બાંગ્લાદેશે ( Bangladesh ) શ્રીલંકાને ( Sri Lanka ) 3 વિકેટે હરાવ્યું હતું. આ મેચ જીત્યા બાદ બાંગ્લાદેશની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના ( injury ) કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર, શાકિબ અલ હસન શ્રીલંકા સામેની મેચમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઇંડેક્સ ફિંગરમાં ઈજા થઈ હતી. મેચ બાદ તેનો એક્સ-રે પણ કરવામાં આવ્યો હતો, જે બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તે ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની છેલ્લી લીગ મેચ રમી શકશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ ટીમના ફિઝિયો બાયઝેદુલ ઈસ્લામ ખાને તેની ઈજા વિશે માહિતી આપતા કહ્યું, “શાકિબને તેની ઇનિંગ્સની શરૂઆતમાં તેની ડાબી તર્જની આંગળીમાં ઈજા થઈ હતી, અને પેઈન કિલર લેતી વખતે તેણે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. મેચ પછી તેણે દિલ્હીમાં એક્સ-રે કરાવ્યો હતો, જેમાં ડાબા પીઆઈપી જોઈન્ટમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી. તેણે હવે રિકવર થવામાં ત્રણથી ચાર અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. શાકિબ હવે બાંગ્લાદેશ જવા રવાના થશે.” શ્રીલંકા સામેની મેચમાં શાકિબ અસ હસને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 65 બોલનો સામનો કરીને 82 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીત તરફ દોરી હતી. આ સાથે જ શાકિબે 2 વિકેટ પણ લીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Rajkot: રાજકોટ તાલુકાના અનેક ગામોમાં કઠપુતળીનો કાર્યક્રમ: મનોરંજન થકી લોક સ્વચ્છતાને લઈ જાગૃત કરાયા.

શાકિબ અલ હસન શ્રીલંકા સામે વિવાદમાં ફસાયો

કેપ્ટન શાકિબ અલ હસને બાંગ્લાદેશ સામે શ્રીલંકન ટીમના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસને ટાઇમ આઉટ આપવાની અપીલ કરી હતી. એન્જેલો મેથ્યુઝને ક્રિઝ પર પહોંચવામાં વધુ સમય લાગ્યો હોવાની શાકિબે અપીલ કરી હતી, આથી અમ્પાયરોએ ચર્ચા કર્યા બાદ તેને ટાઈમ આઉટ આપ્યો હતો, જેથી ખેલાડીને પેવેલિયન જવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે, મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hardik Pandya : ICC World Cup, India vs England: Will Hardik Pandya be available to play against England?
ICC વર્લ્ડ કપ 2023

Hardik Pandya : ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, હજુ આટલી મેચ નહીં રમે ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા!

by NewsContinuous Bureau October 25, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Hardik Pandya : આગામી રવિવારે ટીમ ઇન્ડિયા ( Team India ) ઈંગ્લેન્ડની  ( England ) ટીમ સામે ટકરાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં બાંગ્લાદેશ ( Bangladesh ) સામેની મેચમાં હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેથી તે પોતાની ઓવર પૂરી કરી શક્યો ન હતો. તેની ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી. પગની (Ankle ) ઘૂંટીની (Injury ) ઈજા તેને રવિવારે ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર રાખશે. તેમજ 2 નવેમ્બરે શ્રીલંકા ( Sri Lanka ) સામેની આગામી મેચમાં તેના રમવાની શક્યતાઓ પણ ઓછી છે.

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023: પાકિસ્તાન કોઇ મેચ ના જીતે…પોતાની જ ટીમ માટે આ ક્રિકેટરે ઓક્યું ઝેર…જાણો શું છે કારણ..વાંચો વિગતે અહીં..

આ મેચમાં રમે તેવી શક્યતા

હાર્દિક ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. આથી તે વર્લ્ડ કપની આગામી બે મેચ રમી શકશે નહીં. જોકે, હાર્દિક 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામેની મેચમાં રમે તેવી શક્યતા છે. જે બાદ તે નેધરલેન્ડ સામેની મેચમાં રમે તેવી શક્યતા છે. પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

હાર્દિક પંડયા બે મેચ રમશે નહીં

એકેડમીએ કહ્યું કે, હાર્દિકને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. તે સંપૂર્ણ ફિટ ન હોવાથી આગામી બે મેચ રમશે નહીં. જો કે એકેડમીએ એમ પણ કહ્યું છે કે તે મુંબઈ અથવા કોલકાતામાં યોજાનારી મેચમાં ટીમમાં રમી શકે છે. ત્યાં સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની તમામ મેચો જીતી હોવાના કારણે ટીમનું મનોબળ વધ્યું છે. સાથે જ ટીમને જીતનો દોર મળ્યો છે. તેથી જો હાર્દિક સેમીફાઈનલના સમય સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે તો ટીમને તેનો ફાયદો થશે. તેથી, તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેને તાત્કાલિક ટીમમાં રમવા માટે કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં.

October 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક