• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - iqbalsinghchahal
Tag:

iqbalsinghchahal

મુંબઈ

મુંબઈ મપાની ચૂંટણી બાદ મુંબઈગરા તૈયાર રહેજો વધારાનો આ ટેક્સ ચૂકવવાઃ 15 ટકા સુધી ટેક્સ વધશે; જાણો વિગત

by Dr. Mayur Parikh February 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

શુક્રવાર.

મુંબઈ મહાનગરપાલિકાનું 2022-23ના આર્થિક વર્ષનું બજેટ કોઈ પણ પ્રકારના કરવેરા નહીં વધારતા ગુરુવારે રજુ થયું હતું. બજેટમાં હાલ  કોઈ કરવેરા વધારવામાં આવ્યો નથી. પરંતુ ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવિત છે, તેથી મુંબઈગરાએ હાલ ભલે રાહત મળી હોય પણ આગમી દિવસમાં વધુ મિલકત વેરો ચૂકવવાની તૈયારી રાખવી પડવાની છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી બાદ મુંબઈગરાઓ પર આર્થિક બોજ પડવાની શક્યતા છે. કારણકે મુંબઈ મહાનગરપાલિકા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવા જઈ રહી છે, જે સાધારણ રીતે 15 ટકા સુધી જાય એવી શકયતા હોવાનું  પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે બજેટની સ્પીચ દરમિયાન કહ્યું હતું. 

અરે વાહ ! કેન્દ્રના બજેટમાં વેસ્ટર્ન રેલવે પર પુલ ઊભા કરવા આટલા કરોડ ફાળવ્યા,પ્રવાસીઓ માટે ઊભી કરાશે આ સગવડ જાણો વિગત

 મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે આ વર્ષે કરવામાં આવેલો વધારો આગામી ત્રણ વર્ષ માટે રહેશે. મિલકત વેરો દર ત્રણ વર્ષે વધે છે. જોકે, કોરોનાએ છેલ્લા બે વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ વધાર્યો નથી. જોકે, કોરોનાનો વ્યાપ ઘટી રહ્યો હોવાથી પ્રોપર્ટી ટેક્સમાં ફરીથી વધારો કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે 2021-22ની સાલમાં પ્રોપર્ટી ટેક્સમાંથી 7,000 કરોડ રૂપિયાની આવકનો અંદાજ હતો. પરંતુ તે ઘટીને  4,800 કરોડ રૂપિયા થઈ ગયો છે. ત્યારે  2022-23ની સાલમાં બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે પ્રોપર્ટી ટેક્સમાંથી  7,000 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવશે. 

February 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આવક ઉભી કરવા મુંબઈના જકાત નાકાને લઈને BMCએ લીધો આ નિર્ણય, જાણો વિગત

by Dr. Mayur Parikh February 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

શુક્રવાર

કોરોના મહામારીમાં સામાન્ય નાગરિક જ નહીં પણ એશિયાની સૌથી શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકાને પણ મોટો ફટકો પડયો હતો. તેથી આવકના નવા નવા સ્ત્રોત પાલિકા શોધી રહી છે, જેમાં હવે મુંબઈના નાકા પર આવેલા જકાત નાકાઓ પર બિઝનેસ હબ અને બસ ટર્મિનલ ઊભા કરીને પૈસા ઊભા કરવાની જાહેરાત પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે 2022-23ના બજેટમાં કરી છે.

2017માં જકાત રદ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)  અમલમાં આવ્યો હતો. ત્યારથી  જકાત નાકાની જમીન પડી રહી છે. હવે ખાલી પડી રહેલી સોનાની લગડી સમાન જમીનનો ઉપયોગ કરીને પૈસા ઊભા કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. આ જગ્યા  પર બસ ટર્મિનસ, બિઝનેસ હબ ઊભા કરવામાં આવશે. તે મુજબ માટે મુંબઈની હદ કહેવાતા માનર્ખુદ અને દહિસરના જકાત નાકાનો ઉપયોગ થશે.

મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં કરવામાં આવી આ મહત્વની જાહેરાતો; જાણો વિગત

મુંબઈમાં બહારગામથી આવનારી લકઝરી બસને પાર્ક કરવા જકાત નાકાની જગ્યા વપરાશે. મુંબઈમાં પૂર્વ ઉપનગરમાં ચાર અને પશ્ર્ચિમ ઉપનગરમાં બે એમ કુલ  છ જકાત નાકા છે. જકાત નાકા પર બિઝનેસ હબ ઊભો કરવા પાલિકાના ડેવલપમેન્ટ પ્લાનમાં જોગવાઈ કરવામાં આવી છે.  

February 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

તો મુંબઈની સ્કૂલો 27 જાન્યુઆરીથી ખુલી જશે એવો BMC કમિશનરનો ઈશારો; જાણો વિગત

by Dr. Mayur Parikh January 20, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022

 ગુરુવાર.

મુંબઈની સ્કૂલો ફરી કયારે ખુલશે એનો વિદ્યાર્થીઓની સાથે જ વાલીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે મુંબઈમાં 27 જાન્યુઆરી સુધીમાં સ્કૂલ ફરી ચાલુ કરવાનું પ્લાનિંગ હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યો છે. એટલું જ નહીં પણ  મુંબઈમાં આગામી દિવસોમાં કોરોનાના દર્દીની સંખ્યામાં  પ્રતિદિન 1000 સુધી આવી જશે એવો દાવો પણ તેમણે કર્યો છે. 

મુંબઈમાં 21 ડિસેમ્બરથી ત્રીજી લહેરનું આગમન થયું હોવાનું પાલિકાના આંકડા પરથી જણાય છે. પહેલી અને બીજી  લહેર કરતા ત્રીજી લહેરમાં કોરોના દર્દીની સંખ્યા ઝડપભેર વધી ગઈ છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ખાસ્સી એવી વધી રહી હતી તેમાં પણ ઓમીક્રોનના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ત્રીજી લહેર જે ઝડપે લોકોને પોતાની ચપેટમાં લઈ રહી હતી, તેને જોતા તકેદારીના પગલારૂપે રાજ્ય સરકારે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ૧૫ ફેબ્રુઆરી સુધી સ્કૂલ બંધ કરી નાખી હતી.

પોલીસકર્મીઓ પર કોરોનાની પકડ યથાવત, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં આટલા પોલીસકર્મીઓ આવ્યા કોરોનાની ચપેટમાં 

હવે મુંબઈમાં દર્દીની સંખ્યા નીચે જઈ રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી  દર્દીની સંખ્યા 6,000ની આસપાસ સ્થિર થઈ છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના કહેવા મુજબ મુંબઈમાં કોરાનાની ત્રીજી લહેર તેની પીક પોઈન્ટને પાર કરી ચૂકી છે. તેથી આગામી દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા રોજના 1000થી 2,000 જેટલી નીચે આવી જશે. તેથી મુંબઈની સ્કૂલો 27 જાન્યુઆરી સુધી ચાલુ કરવામાં કોઈ વાંધો નથી.

કમિશનરે એક ઈંગ્લિશ મિડિયાના આપેલી માહીતી મુજબ મુંબઈમાં 10 જાન્યુઆરીની આસપાસ કોરોના તેના પીક પોઈન્ટ પર હતો. 26 જાન્યુઆરી સુધી દર્દીન સંખ્યા 1000ની આસપાસ પહોંચે એવો અંદાજો છે. મુંબઈમાં સાત જાન્યુઆરી 20,971 કોરોના કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 28.9 ટકા હતો. જે અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ છે. ગયા વર્ષે 3 એપ્રિલના 11,573 કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 23 ટકા હતા.

January 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસ સુધી પહોંચી ગયો કોરોના, આ અધિકારી થયા કોરોના પોઝિટિવ; જાણો વિગત

by Dr. Mayur Parikh January 14, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022  

શુક્રવાર. 

કોરોનાનો ચેપ હવે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલની ઓફિસ સુધી પહોંચી ગયો છે. કમિશનરની ઓફિસનું તમામ કામકાજ સંભાળનારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચંદ્રશેખર ચૌરેને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેથી કમિશનરને પણ ચેપ લાગવાનું જોખમ જણાતા પાલિકાના મુખ્યાલયના અધિકારીઓનું ટેન્શન વધી ગયું છે. 

મુંબઈમાં કોરોનાની પહેલી લહેર શરૂ થઈ હતી ત્યારે મે 2020માં ઈકબાલસિંહ ચહલના હાથમાં મુંબઈ મહાનગરપાલિકાની કમાન સોંપવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં કોરોનાની પહેલી અને બીજી લહેરને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. જોકે કોરાનાની ત્રીજી લહેરના આગમનની સાથે જ કમિશનરની ઓફિસ સુધી કોરોના પહોંચી ગયો છે. ડેપ્યુટી કમિશનર ચંદ્રશેખર ચૌરેનો મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ રજા પર છે. 

મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં અંધેરી અને બોરીવલી ફરી એક વખત કોરોનાના ભરડામાં, સૌથી વધુ મૃત્યુ આ વિસ્તારમાં નોંધાયા; જાણો વિગત

કોરોનાની પહેલી અને બીજી લહેરથી કમિશનર ફિલ્ડ પર ભાગ્યે જ જતા હતા. મોટાભાગની મિટીંગ તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કરતા હતા. ગુરુવારે તેઓ ઓફિસમાં આવ્યા હતા, જોકે અગત્યની બેઠક અટેન્ટ કરી તરત નીકળી ગયા હતા. શુક્રવારે  થનારી ટ્રી ઓથોરિટીની બેઠક પણ તેમણે મોકૂફ કરાવી છે. ટ્રી ઓથોરિટીના તેઓ અધ્યક્ષ છે. તેઓએ તબિયત સારી ન હોવાનું કારણ આપ્યું છે. જોકે છેલ્લા બે દિવસથી તેમને પણ શરદી થઈ હોવાની અફવા ફેલાઈ છે. હજી સુધી જોકે પાલિકા પ્રશાસન તરફથી કોઈ ચોખવટ કરવામાં આવી નથી.

January 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શું મુંબઈમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

by Dr. Mayur Parikh January 12, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022 

 બુધવાર.

મુંબઈમાં ગયા અઠવાડિયામાં કોરોનાના દર્દીનો રોજનો આંકડો 20,000 પર પહોંચી ગયો હતો. જોકે બે દિવસમાં પોઝિટિવી રેટનો દર 30 ટકા પરથી ઘટીને 20 ટકા થઈ ગયો છે. તેથી ડરવાનું કારણ નથી પણ સાવધાની રાખવાની આવશ્યકતા હોવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈએગરાને કરી છે.

મુંબઈમાં 21 ડિસેમ્બરથી કોવિડની ત્રીજી લહેર ચાલુ થઈ છે. આ દરમિયાન કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા મુંબઈગરાની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા બે અઠવાડિયાથી દરરોજ કોરોનાના દર્દીની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો થયો છે. તેથી ફરી એક વખત સક્રિય દર્દીનો આંકડો એક લાખ પાસે પહોંચી ગયો છે.

તેથી રવિવારથી રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. જોકે છેલ્લા બે દિવસમાં નવા દર્દીના આંકડામાં ધટાડો જોવા મળ્યો છે. દરરોજની દર્દીની સંખ્યા 20,700 પરથી 11,647 પર પહોંચી ગઈ છે. તેથી હોસ્પિટલમાં 80 ટકા બેડ ખાલી છે. મંગળવારે એક દિવસમાં 861 દર્દી દાખલ થયા હતા. તેથી 966 બેડસ ખાલી હોવાનું કમિશનરે કહ્યું હતું.

બેદરકારી દાખવવી ભારે પડશે, મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવશે આ કાર્યવાહી. જાણો વિગત

ત્રીજી લહેરમાં અસરગ્રસ્ત દર્દીની સંખ્યા મોટી છે, છતાં મૃતકોનો આંકડો ઘટી ગયો છે. દરરોજ સરેરાશ બે દર્દીના મોત થઈ રહ્યા હોવાનું કમિશનરે કહ્યું હતું. 

છેલ્લા ત્રણ દિવસમાં દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈગરાએ માસ્ક પહેરો અને કોવિડના નિયમોનું પાલન ગંભીરતાથી કરશે તો આંકડો હજી નીચે આવશે એવો દાવો પણ કમિશનરે કર્યો હતો.  

January 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત

by Dr. Mayur Parikh January 8, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022  

 શનિવાર. 

મુંબઈમાં કોરોના ભયજનક રીતે વધી રહેલા કેસને પગલે શું ફરી એક વખત લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકના પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે એવા સવાલ થઈ રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે વેક્સિનેટેડ લોકોના રેલવે પ્રવાસથી કોઈ જોખમ ન હોવાનું કહ્યું છે. તેથી મુંબઈગરાને હાલ પૂરતી રાહત થઈ છે.

કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા અને ઓક્સિજન પર રહેલા અમુક દર્દીઓેએ કોવિડની વેક્સિન એક પણ ડોઝ લીધો ન હોવાનું જણાયું છે. વૅક્સિનના બંને ડોઝ લેનારાને પણ કોરોનાનો ચેપ લાગે છે પરંતુ તે દર્દી પાંચ દિવસે સાજો થઈ રહ્યો છે.  

ગત રાતથી મુંબઈમાં વરસાદ શરૂ. ઉત્તર મુંબઈમાં વહેલી સવારથી હળવા ઝાપટા પડયાં. જાણો શું છે મોસમનો વરતારો.

મુંબઈમાં હાલ 108 ટકા લોકોનો પહેલો ડોઝ તો 90 ટકા લોકોનો વૅક્સિન નો બીજો ડોઝ થઈ ગયો છે. તેથી તેમના  લોકલ ટ્રેનના પ્રવાસ કરવામાં કોઈ જોખમ નથી. તેથી હાલ પૂરતું લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના ન હોવાનું કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.

January 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કોરોના, ઓમીક્રોનના આતંક વચ્ચે મુંબઈગરા માટે આગામી આટલા દિવસ બહુ મહત્વ, BMC કમિશનરે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

by Dr. Mayur Parikh January 8, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022  

 શનિવાર. 

મુંબઈમાં દિવસેને દિવસે કોરોના અને ઓમીક્રોનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી સતત 20,000ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે અને આગામી દિવસમાં કોરોનાના દર્દીનો આ આંકડો વધુ ઉપર જવાનો ભય છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરા માટે આગામી 10 દિવસ બહુ મહત્વના હોવાનો દાવો કર્યો છે.

મુંબઈ મહાનગપાલિકાએ રોજના 40,000 સુધીના કોરોના દર્દીનો આંકડો જાય એવો અંદાજ રાખ્યો છે. ડિસેમ્બરમાં 22 તારીખની આસપાસ 200થી 300ની આસપાસ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. તે છેલ્લા થોડા દિવસ સતત વધી રહ્યા છે. બે દિવસથી આંકડો 20,000ની ઉપર ગયો છે. તેથી મુંબઈગરાનું ટેન્શન વધી ગયું છે. ત્યારે કમિશનર ઈકબાલ સિંહએ મુંબઈ માટે આગામી 10 દિવસ બહુ મહત્વના હોવાનું કહ્યું છે. આગામી 10 દિવસ મુંબઈગરાએ સંભાળીને કોરોનાને લગતા તમામ નિયમનું પાલન કરવાનું કહ્યું છે.

2021ની સાલમાં આ કારણથી રેલવે એક્સિડન્ટમા થયા સૌથી વધુ મૃત્યુ; જાણો વિગત

કમિશનરના કહેવા મુજબ ઓમીક્રોનના દર્દી જ્યાં સૌથી પહેલા મળી આવ્યા હતા, તે દક્ષિણ આફ્રિકામાં પાંચમા અઠવાડિયા બાદ કોરોનાની લહેર ઓસરવા માંડી હતી. મુંબઈમાં હાલની પરિસ્થિતિમાં જોખમી ડેલ્ટા વેરિયન્ટ 15 ટકા તો ઓમીક્રોન 80થી 85 ટકા ફેલાઈ ગયો છે. આગામી એક અઠવાડિયામાં ઓમાઈક્રોન સ્પ્રેડ થવાનું પ્રમાણ 100 ટકા થશે એવો અંદાજ છે. તેથી મુંબઈમાં હવે ત્રીજુ અઠવાડિયું મહત્વનું છે. એટલે સંભવત વધુ દસ દિવસ નીકળી ગયા બાદ લહેર ઓસરી જશે એવું અભ્યાસ પરથી જણાયું હોવાનો અંદાજો કમિશનરે વ્યક્ત કર્યો છે. 

January 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં કોરોના વિસ્ફોટ પણ BMC કમિશનર કહે છે ગભરાવો નહીં. પણ શા માટે? જાણો કારણ અહીં

by Dr. Mayur Parikh January 3, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022  

 સોમવાર. 

મુંબઈમાં દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રવિવારે મુંબઈમાં 8063 જેટલા કેસ નોંધાયા હતા. દરરોજ સરેરાશ દોઢ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરાને મુંબઈની હોસ્પિટલમાં હજી પણ 90 ટકા પલંગ ખાલી છે. ડરો નહીં પણ કોરોનાને લગતા તમામ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરો એવી અપીલ કરી છે.

મુંબઈમાં ડિસેમ્બર 25 સુધી કોરોનાના 250થી નીચે રોજના કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા અઠવાડિયાથી કેસ સતત વધી રહ્યા છે. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 29,819 પર પહોંચી ગઈ છે. કેસ ડબલ થવાનો સમયગાળો પણ ઘટીને 183 દિવસનો થઈ ગયો છે. ટાસ્ક ફોર્સે આગામી દિવસમાં રોજના નોંધાતા કેસનો આંકડો 10,000ની ઉપર જવાની શક્યતા વ્યક્ત કરી છે. ફરી લોકડાઉન અમલમાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેસની સંખ્યા જે રીતે રોજ વધી રહી છે, તેને જોતા હોસ્પિટલ અને જંબો સેન્ટર પર ફૂલ થઈ જાય એવી શક્યતા જણાઈ રહી છે. 

મુંબઈગરા પેનિક થઈ ગયા છે ત્યારે મનપા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરાને રવિવારે અપીલ કરતા કહ્યું હતું કે ડરો નહીં પણ કોવિડને લગતા નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરો. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં નોંધાયેલા કેસમાંથી 89 ટકા કેસ અસિમ્પટોમેટિક (લક્ષણો વગરના)  છે. રવિવારે નોંધાયેલા 8063 કેસમાંથી ફકત 503 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ગરજ પડી હતી. તેમાંથી ફક્ત 56 દર્દીને ઓક્સિજનવાળા બેડની આવશ્યકતા નિર્માણ થઈ હતી. 

BMCનું ટેન્શન વધ્યું, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા આટલા કેસ; જાણો વિગત

કમિશનરે કહ્યું હતું કે કેસ વધી રહ્યા છે. ત્યારે નાગરિકોએ કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. હોમ ક્વોરન્ટાઈન રહેલા દર્દીઓએ સખતાઈ પૂર્વક તેના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેથી લોકોમાં તેનો ચેપ ફેલાય નહીં.

January 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવી છે? 200થી વધુ મહેમાનોને બોલાવા છો ?તો પછી તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશેઃ BMC કમિશનરનું આવ્યું નવું ફરમાન જાણો વિગત

by Dr. Mayur Parikh December 21, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021  

 મંગળવાર.

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે, પરંતુ કોરોના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનને કારણે દિવસેને દિવસે જોખમ વધી રહ્યું છે. મુંબઈ સહિત દેશભરમાં તેના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેથી તકેદારીના પગલારૂપે BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે લગ્ન સમારંભથી લઈને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી સહિતના કાર્યક્રમને લઈને નવો નિયમ જાહેર કર્યો છે. તે મુજબ 200થી વધુ મહેમાનોને કાર્યક્રમમાં બોલાવવા હોય તો તે માટે પાલિકાના વોર્ડ ઓફિસરની આગોતર મંજૂરી લેવી પડશે.

 ઓડિટોરિયમમાં અથવા ખુલ્લી જગ્યામાં 200 થી વધુ વ્યક્તિઓ હાજર રહેવાના હોય તો મુંબઈ મહાનગરપાલિકાની ખાસ પરવાનગી લેવાની રહેશે. થર્ટી ફર્સ્ટની પાર્શ્વભૂમિકા પર મ્યુનિસિપલ કમિશનર ડૉ.ઇકબાલસિંહ ચહલે આજે આ નવો આદેશ બહાર પાડયો  હતો.

રાજ્ય સરકારના નવેમ્બરના નિર્ણય મુજબ જો 1000 થી વધુ વ્યક્તિઓ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તો સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પરવાનગી લેવી આવશ્યક હતી. જોકે હવે નવા આદેશ મુજબ કાર્યક્રમમાં 200થી વધુ લોકો હાજર રહેવાનો હોય તો સ્થાનિક વોર્ડ ઓફિસમાંથી મંજૂરી લેવાની રહેશે.

 વાત આટલાથી પૂરી થતી નથી. પાલિકા પાસેથી મંજૂરી મળ્યા બાદ પણ પાલિકાની ટીમ જાતે જઈને તપાસ કરશે એવું પણ આ નવા આદેશમાં કમિશનરે કહ્યું છે. 

શાબ્બાશ! આખા વર્ષ દરમિયાન મુંબઈમાં ઓર્ગન ડોનેશનના આટલા કેસ થયાઃ અનેક લોકોને મળ્યું નવજીવન જાણો વિગત

બંધ રહેલી જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50 ટકા અને ખુલ્લી જગ્યાઓમાં ક્ષમતાના 25% લોકોને હજાર રહેવાની મંજૂરી રહેશે.

December 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક