Tag: Jagannath Mandir Ratna Bhandar

  • Jagannath Mandir Ratna Bhandar: જગન્નાથ મંદિરના રત્ન ભંડારના અંદરના ભાગનું રહસ્ય શું છે? ASIએ સાત કલાક અંદર વિતાવ્યા બાદ હવે આ રહસ્ય ખોલ્યું.. જાણો વિગતે..

    Jagannath Mandir Ratna Bhandar: જગન્નાથ મંદિરના રત્ન ભંડારના અંદરના ભાગનું રહસ્ય શું છે? ASIએ સાત કલાક અંદર વિતાવ્યા બાદ હવે આ રહસ્ય ખોલ્યું.. જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai

    Jagannath Mandir Ratna Bhandar: ઓડિશાના પુરીમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરના ( Jagannath Mandir ) રત્ન ભંડારની અંદરની ચેમ્બરમાં સુરંગ અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. આવી સ્થિતિમાં, ગજપતિ મહારાજ દિવ્ય સિંહ દેબે સૂચન કર્યું હતું કે, પુરાતત્વ વિભાગ ( ASI ) તેની તપાસ માટે આધુનિક તકનીકનો ઉપયોગ કરી શકે છે. દેબે આ વાતો રત્ના ભંડારની અંદરની ચેમ્બરમાં સુરંગ અથવા ગુપ્ત ચેમ્બરની સંભાવના પર આ વાત કહી હતી.

    એજન્સીના જણાવ્યા અનુસાર, ઘણા સ્થાનિક લોકોનું માનવું છે કે મંદિરના રત્ન ભંડારના ( Ratna Bhandar ) અંદરના ચેમ્બરમાં એક ગુપ્ત ગુફા આવેલ છે. આ અંગે દિવ્ય સિંહ દેબે કહ્યું કે ASI અનામતની સ્થિતિ જાણવા માટે લેજર સ્કેનિંગ જેવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી શકે છે. આવી ટેક્નોલોજી વડે ટનલ જેવા હાલના કોઈપણ માળખા વિશે માહિતી મેળવી શકાય છે.

    Jagannath Mandir Ratna Bhandar: રત્ન ભંડારની અંદર ગુફાનો કોઈ પુરાવો મળ્યો ન હતો…

    જો કે, સુપરવાઇઝરી કમિટીના અધ્યક્ષ અને ઓરિસ્સા હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વિશ્વનાથ રથે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જ્યારે અમે રત્ન ભંડારની અંદરની ચેમ્બરમાં ( Ratna Bhandar Chamber ) ગયા અને તેનું નિરીક્ષણ કર્યું. ત્યારે અમને ગુફાનો કોઈ પુરાવો મળ્યો ન હતો. વિશ્વનાથ રથે લોકોને આ વિષય પર ખોટી માહિતી શેર કરવાનું ટાળવા વિનંતી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, વિશ્વનાથ રથ અન્ય દસ સભ્યો સાથે સાત કલાકથી વધુ સમય સુધી રત્ન ભંડારના અંદરના રૂમમાં રોકાયા હતા. સમિતિના અન્ય સભ્ય અને સેવાદારે આ  અંગે નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે રત્ન ભંડારમાં ( Jagannath Mandir Ratna Bhandar ASI ) કોઈ ગુપ્ત ચેમ્બર કે ગુફા જોઈ નથી. રત્ના ભંડાર અંદાજે 20 ફૂટ ઊંચો અને 14 ફૂટ લાંબો છે. તેમણે નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી કેટલીક નાની સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  :  Indian Railways: ભારતીય રેલવે ટ્રેનોમાં સ્વચ્છતા અને પરિચાલન અનુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ

    Jagannath Mandir Ratna Bhandar: પુરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત ભંડાર રત્ન ભંડાર બીજી વખત ફરીથી ખોલવામાં આવ્યો હતો…

    ગુરુવાર, 18 જુલાઈના રોજ, પુરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત ભંડાર રત્ન ભંડાર બીજી વખત ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ દરમિયાન સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ અને ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વિશ્વનાથ રથ અને અન્ય અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા. કિંમતી સામાનને અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવા માટે એક સપ્તાહમાં બીજી વખત રત્ન ભંડારને ખોલવામાં આવ્યો હતો.

    પુરીના 12મી સદીના જગન્નાથ મંદિરના પ્રતિષ્ઠિત તિજોરી રત્ના ભંડારના આંતરિક ચેમ્બરમાંથી કિંમતી વસ્તુઓ અને ઝવેરાત ગુરુવારે સાત કલાકમાં ખસેડવામાં આવ્યા હતા. આ કિંમતી સામાનને હાલ અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જેમાં લાકડાના અને સ્ટીલના કબાટ અને સદુંક સહિત સાત કન્ટેનરનો સમાવેશ થાય છે.  અંદરના રૂમ અને અસ્થાયી સ્ટ્રોંગ રૂમ બંનેને બંધ કરીને સીલ કરવામાં આવ્યા છે.

     Jagannath Mandir Ratna Bhandar: રત્ન ભંડારાની અંદરની રુમમાં અંદર સાત કન્ટેનરમાં ઘરેણાં અને કીમતી વસ્તુઓ રાખવામાં આવી હતી…

    રત્ન ભંડારાની અંદરની રુમમાં અંદર સાત કન્ટેનરમાં ઘરેણાં અને કીમતી વસ્તુઓ રાખવામાં આવી હતી, જેમાં લાકડાના ત્રણ અલમારીઓ, બે લાકડાના બોક્સ અને સ્ટીલની અલમારી તથા લોખંડની પેટી હતી. તમામ કિંમતી સામાન નવા કન્ટેનરમાં રાખવામાં આવ્યો હતો અને સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યો હતો. આ બાદ પુરી કલેકટરને ચાવીઓ સોંપવામાં આવી છે. તિજોરીમાં ચાવીઓ રાખવામાં આવશે.

    રત્ન ભંડારનું હાલ સમારકામ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરવામાં આવશે. સમારકામ પૂર્ણ થયા બાદ જ જ્વેલરી અને અન્ય કીમતી ચીજોની યાદી તૈયાર કરવામાં આવશે. રત્ન ભંડારની બહારની ચેમ્બરમાંથી કિંમતી સામાન ખસેડ્યા બાદ તેને સાફ કરવામાં આવ્યો છે. અંદરની ચેમ્બર 46 વર્ષ પછી ખોલવામાં આવી હોવાથી તેનું સમારકામ કરવામાં આવનાર છે. 

    આ સમાચાર પણ વાંચો  :  Umashankar Joshi: કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ

  • Jagannath Mandir: 46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્નભંડાર, હવે આ જગ્યા પર રાખવામાં આવશે ઘરેણાં.. જાણો વિગતે..

    Jagannath Mandir: 46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્નભંડાર, હવે આ જગ્યા પર રાખવામાં આવશે ઘરેણાં.. જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai

    Jagannath Mandir: પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ( Ratna Bhandar ) હવે 46 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યો છે. ઓડિશાના પુરીમાં સ્થિત 12મી સદીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારના દરવાજા રવિવારે બપોરે ફરી ખોલવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે સાપ જગન્નાથ મંદિરના ઝવેરાત અને ખજાનાની રક્ષા કરે છે. રત્ન ભંડારના દરવાજા પાછળથી વિચિત્ર અવાજો સંભળાય છે. પરંતુ 46 વર્ષ પછી જ્યારે રત્ન ભંડારના દરવાજા ખુલ્યા ત્યારે આ દંતકથાઓ અને વાર્તાઓ માત્ર અફવા જ બની ગઈ. હા, રવિવારે જ્યારે રત્ન ભંડારનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદર એક પણ સાપ જોવા મળ્યો ન હતો.  

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકર સ્વૈને આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, અમને જગન્નાથ મંદિરના રત્ન ભંડારની ( Jagannath Mandir Ratna Bhandar ) અંદર કોઈ સાપ, કીડો કે કોઈ સરિસૃપ મળ્યા નથી. જો કે, અધિકારીઓને એવો પણ ડર હતો કે રત્ના ભંડારની અંદર સાપ હોઈ શકે છે. આ જ કારણ છે કે રત્ન ભંડારમાં સાપની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે સર્પ મિત્રોના 11 સભ્યોને તૈનાત કર્યા હતા. કોઈપણ કટોકટીનો સામનો કરવા અને અંદર જતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રત્ન ભંડારની ( Jagannath Temple Jewels ) બહાર હાલ ત્રણ સભ્યો તૈનાત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પુરી જિલ્લા હોસ્પિટલને એન્ટીવેનોમ સ્ટોકમાં રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

     

    Jagannath Mandir: 12મી સદીમાં બનેલા જગન્નાથ મંદિરનો ભંડાર 1905માં બ્રિટિશ પ્રશાસન દ્વારા પહેલીવાર ખોલવામાં આવ્યો હતો…

    ઓડિશાના ( Jagannath Mandir Odisha  ) પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો પ્રતિષ્ઠિત રત્ન ભંડાર 46 વર્ષ બાદ રવિવારે ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ પહેલા રત્ન ભંડારના દરવાજા 1978માં ખોલવામાં આવ્યા હતા. આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી. ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બિશ્વનાથ રથના નેતૃત્વ હેઠળની ટીમમાં શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના મુખ્ય પ્રશાસક અરબિંદ પાધી, ASI સુપરિન્ટેન્ડેન્ટ ડીબી ગડનાયક અને પુરીના રાજા ‘ગજપતિ મહારાજા’ પણ સામેલ હતા. ટીમ 14 જુલાઈએ બપોરે 1:28 વાગ્યે મંદિરમાં પ્રવેશી હતી. હાલ અહીં રત્ન ભંડારમાં રાખેલ ઘરેણાની યાદી તૈયાર કરવા અને અહીં સમારકામ કરવા માટે આ રત્ન ભંડાર ખોલવામાં આવ્યો હતો. રત્ન ભંડારમાંથી ઘરેણા હટાવ્યા બાદ તેને ઠાકુરના ઘરે રાખવામાં આવશે. પ્રશાસને તેને સ્ટ્રોંગ રૂમ બનાવ્યો છે. જ્યાં સુધી તેની ગણતરી અને સમારકામ ન થાય ત્યાં સુધી ઘરેણાં અહીં રાખવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો:  West Bengal Rail Accident: પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી! રેલવે ક્રોસિંગ પર કાર સાથે એક્સપ્રેસ ટ્રેન અથડાઈ; જુઓ વિડીયો..

    તે ભગવાન જગન્નાથનો ખજાનો હોવાથી પુરી મંદિરના રત્ન ભંડાર પ્રત્યે ભક્તોમાં ઊંડી આસ્થા છે. આથી 11 સભ્યોની ટીમની હાજરીમાં રત્ન ભંડારના દરવાજા ખોલવામાં આવે તે પહેલા વિધિ મુજબ ભગવાન જગન્નાથની પૂજા કરવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયાની સફળતા માટે તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ રત્ન ભંડાર ભગવાન જગન્નાથને અર્પણ કરાયેલ કિંમતી સોના અને હીરાના ઝવેરાતનું ઘર છે. ઓડિશા મેગેઝિન અનુસાર, રાજા અનંગભીમ દેવે ભગવાન જગન્નાથના ઘરેણાં બનાવવા માટે મોટી રકમનું સોનું દાન કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, 12મી સદીમાં બનેલા જગન્નાથ મંદિરનો ભંડાર 1905માં બ્રિટિશ પ્રશાસન દ્વારા પહેલીવાર ખોલવામાં આવ્યો હતો. મંદિરનો રત્ન ભંડાર છેલ્લે વર્ષ 1978માં ખોલવામાં આવ્યો હતો. ભંડારના ખજાનાની યાદી છેલ્લી વખત 1978માં જ બનાવવામાં આવી હતી. વર્ષ 1985માં મંદિરને સમારકામ માટે પણ ખોલવામાં આવ્યું હતું પરંતુ ત્યારે રત્ન ભંડારની યાદી તૈયાર કરવામાં આવી ન હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)