• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kerala - Page 13
Tag:

kerala

રાજ્ય

હાશ!!! હવે વોટ્સએપ ગ્રુપ પરના વિવાદાસ્પદ મેસેજ માટે એડમિન જવાબદાર રહેશે નહીં, કેરળ હાઈકોર્ટે આપ્યો આ મોટો નિર્ણય. જાણો વિગત

by Dr. Mayur Parikh February 25, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,

શુક્રવાર,

વોટ્સએપ ગ્રુપ શેર કરવામાં આવતા વિવાદાસ્પદ વિડિયો અને મેસેજ માટે હવેથી ગ્રુપ એડમિન જવાબદાર નહીં રહેશે. તાજેતરમાં હાઈકોર્ટે આ મહત્વનો આદેશ આપ્યો છે.

વોટ્સએપ ગ્રુપમાં કયો સભ્ય કયો મેસેજ શેર કરે છે, તેના પર નિયંત્રણ રાખવું એડમિનની જવાબદારી નથી. એડમિન એ મેસેજ નિયંત્રણ કરી શકે તેમ નથી એવું મહત્વની નોંધ પણ હાઈ કોર્ટે કરી છે.

કેરળ હાઈકોર્ટે એક મહત્વના પ્રકરણ પર આ ચુકાદો આપતા કહ્યું હતું કે વોટ્સએપ ગ્રુપના એડમિન એ તે ગ્રુપમાં નવા સભ્યોને એડ કરી શકે છે. અથવા કોઈ પણ સભ્યને ગ્રુપમાંથી ગમે ત્યારે કાઢી શકે છે. એડમિનને અન્ય સભ્ય કરતા ફક્ત આ એક જ વિશેષાધિકાર હોય છે. એ સિવાય ગ્રુપના સભ્ય ગ્રુપમાં કયો મેસેજ નાખે છે અને વિડિયો પોસ્ટ કરે છે, તેના પર એડમિનનું કોઈ નિયંત્રણ હોઈ શકે નહીં. એડમિન એ ગ્રુપના સંદેશ પર નિયંત્રણ રાખી શકે નહીં અથવા તેને સેન્સર પણ કરી શકે નહીં. ઈર્ન્ફોમેશન એન્ડ ટેક્નોલોજી (આઈટી) કાયદા મુજબ વોટ્સએપ એડમિન એ મધ્યસ્થ થઈ શકે નહીં એવી ચોખવટ પણ જજે કરી છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે મહારાષ્ટ્ર સરકાર, અહીં શરૂ કર્યો કંટ્રોલ રૂમ 

માર્ચ 2020માં કેરળમાં ફ્રેંડ્સ નામના વોટ્સએપ ગ્રુપમાં એક વિડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં લૈગિંગ કૃત્યમાં નાના બાળકોનો સહભાગ દેખાડવામાં આવ્યો હતો. આ આક્ષેપ જનક વિડિયો બાબતે ગ્રુપના ત્રણમાંથી બે એડમિન વિરુદ્ધ પોક્સો તેમ જ આઈટી કાયદા જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાંથી એક એડમિન તેની વિરુદ્ધ કોર્ટમાં ગયો હતો. તેની સામે જજે આ ચુકાદો આપ્યો હતો

February 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સૌથી નાની ઉમરના મેયર અને સૌથી નાની ઉમરના વિધાયક કરશે લગ્ન 

by Dr. Mayur Parikh February 23, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022, 

બુધવાર,

ભારતના કેરળ રાજ્યની સૌથી યુવા મેયર બનીને ચર્ચામાં આવેલી આર્ય રાજેન્દ્રન હવે પ્રભુતામાં પગલાં માંડવા માટે તૈયાર છે. 22 વર્ષીય આર્ય હવે જલ્દી જ બાલુસેરીના વિધાયક કેએમ સચિન દેવ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જવાની છે. 

દેશના સૌથી યુવા મેયર આર્ય રાજેન્દ્રન અને કેરળના સૌથી યુવા ધારાસભ્ય કેએમ સચિન દેવ આવતા મહિને લગ્ન કરશે. આ બંને યુવા નેતાઓ કેરળની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) સાથે જોડાયેલા છે.  જોકે હાલમાં લગ્નની તારીખની જાહેરાત કરવામાં આવી નથી.જો કે લગ્નની તારીખ હજી ફાઇનલ થઈ નથી.

રશિયા યુક્રેનના તણાવ વચ્ચે આ દેશએ ભારત પાસે આશા વ્યક્ત કરી, કહ્યું- રુસ યુક્રેન પર હુમલો કરશે તો અમને સાથ આપશે

આર્યએ તાજેતરમાં જ પોતાના લગ્ન અંગે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'અમે બંને એક જ રાજકીય વિચારધારાથી જોડાયેલા છીએ અને અમે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)માં સાથે કામ કર્યું છે. અમે સારા મિત્રો રહ્યા છીએ. અમે આ નિર્ણય લીધો અને બાદમાં અમારા પરિવારજનોને અને પાર્ટીને તેની જાણ કરી છે.

અગાઉ બંને યુવા નેતાઓ SFIમાં સાથે કામ કરી ચૂક્યા છે, ત્યારથી તેઓ સારા મિત્રો છે. મેયર ઉપરાંત, આર્ય રાજેન્દ્ર શાસક સીપીઆઈ(એમ)ની બાળકોની પાંખ બાલા સંઘમના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે બીજી તરફ સચિન દેવ, ધારાસભ્ય તેમજ એસએફઆઈના રાજ્ય સચિવ છે. તેમના લગ્નની જાહેરાતથી તેમની પાર્ટીના નેતાઓ પણ ખુશ દેખાઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આર્ય રાજેન્દ્રન ડિસેમ્બર 2020 માં તિરુવનંતપુરમથી મેયર તરીકે ચૂંટાયા હતા, તે સમયે 21 વર્ષીય આર્ય દેશના સૌથી યુવા મેયર બન્યા હતા. બીજી તરફ, કેએમ સચિન દેવ 2021ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં બાલુસેરી મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. 

મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ. મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી,  એનસીપી નેતા નવાબ મલિકની કરી ધરપકડ  
 

February 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે આગામી બે રવિવાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું… જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ 

by Dr. Mayur Parikh January 22, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જાન્યુઆરી 2022          

શનિવાર

કેરળમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ ૪૧,૬૬૮ નવા કોરોના કેસ નોંધાયા હતા. બેકાબૂ કોરોના કેસ વચ્ચે કેરળ સરકારે નિયંત્રણો વધુ કડક કરી દીધા છે. હવે આગામી બે રવિવારે (૨૩ અને ૩૦ જાન્યુઆરી) રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

 આ દરમિયાન  મોલ, થિયેટર, શાળા-કોલેજ, બજારો, ધાર્મિક સંસ્થાઓ વગેરે બંધ રહેશે. ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે ૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની માતાઓ માટે ઘરેથી કામ કરવાની જાહેરાત કરી છે. 

ઠાકરે સરકારની ચિતા વધી, રાજ્યમાં લોકોએ વળતર મેળવવા ખોટી અરજીઓ કરી, કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે આટલા ટકા વધુ અરજીઓ આવી 

નોંધપાત્ર રીતે કેરળમાં ૨૦૨૦ પછી કોવિડ -૧૯ના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય દરેક જિલ્લાનું વહીવટીતંત્ર કેસની સંખ્યાના આધારે નવા નિયંત્રણો નક્કી કરી શકે છે. ધાર્મિક વિધિઓ ઓનલાઈન થઈ શકે છે. થિયેટર અને બાર પરના નિયંત્રણો સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા નક્કી કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના દર અને મૃત્યુ દરમાં વધારો થવાની સ્થિતિમાં જ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જાેઈએ. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારતમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના ર્નિણયને ફગાવી દીધો છે.

January 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અજબ કિસ્સો, છુટા લેવા માટે લોટરીની ટિકિટ લેતા બન્યો કરોડપતિ

by Dr. Mayur Parikh January 20, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

ગુરુવાર 

કિસ્મત ક્યારે કોને સાથ આપે તેનો નમૂનો હાલ કેરળમાં જોવા મળ્યો છે. કોરોનાના કપરા સમયમાં એક સામાન્ય પેન્ટર ખરીદી કરવા નીકળ્યો અને ૫૦૦ના છુટા ન હોવાથી લોટરી ખરીદી અને એ જ દિવસે તેને તે કરોડ પતિ બની ગયો.

કેરળના કોટ્ટયમના વતની ૭૭ વર્ષીય સદાનંદન ઓલીપારમ્બિલ સરકારની ક્રિસમસ-ન્યૂ યર લોટરી જીતીને ૧૨ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતીને ચર્ચામાં છવાયા છે. રવિવારની સવાર હતી અને સદાનંદન શાકભાજી લેવા ઘરેથી નીકળ્યા હતા. ૫૦૦ રૂપિયાના છુટા ન હોવાથી. તેણે દુકાનદાર પાસેથી લોટરી લીધી. આ એક પલે સદાનંદની જિંદગી બદલી નાખી.

સુવિધા કે પછી અસુવિધા : પજી ટેકનોલોજીને કારણે વિમાનોના લેન્ડિંગમાં સમસ્યા, અમેરિકાના એરપોર્ટ પર પજી ટેકનોલોજી શરૂ કરતાં ઈન્ડિયાની ફ્લાઈટ્‌સ કેન્સલ કરી. જાણો વિગતે

સદાનંદન છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત લોટરીની ટિકિટો ખરીદતા હતા પરંતુ તેને ક્યારેય લોટરી લાગી ન હતી. જો કે આ વખતે તેમણે બમ્પર ઇનામ જીત્યું છે. સદાનંદનને ૫૦૦ રૂપિયાની છુટા જાેતા હતા આથી સેલ્વાન નામના સ્થાનિક લોટરી વિક્રેતા પાસેથી લોટરી ટિકિટ ખરીદી. બપોરે તેને ખબર પડી કે જે છુટા માટે તેણે ટિકિટ ખરીદી હતી તેણે કલાકોમાં તેને કરોડપતિ બનાવી દીધા. 

સદાનંદન તેમની પત્ની અને બાળકો સાથે કુદયમપાડી પાસે એક નાનકડા મકાનમાં રહે છે. તે વ્યવસાયે ચિત્રકાર છે, કોરોનાકાળમાં તેમનું જીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યુ હતુ. તે કહે છે- હવે હું મારું પોતાનું સરસ ઘર બનાવવા માંગુ છું અને મારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગુ છું. રકમ કેવી રીતે ખર્ચવી તે તેના બે પુત્રો સનીશ અને સંજય સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરશે. અત્યારે તો આ પરિવાર મારે ખુશીના પલ છે. 

January 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

નીતિ આયોગે જારી કર્યો હેલ્થ ઈન્ડેક્સ: સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના મામલે આ સૌથી શ્રેષ્ઠ રાજ્ય, ઉત્તર પ્રદેશમાં સૌથી દયનીય સ્થિતિ

by Dr. Mayur Parikh December 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 27 ડિસેમ્બર 2021

સોમવાર 

કોરોનાએ સમગ્ર દેશની બિસમાર હાલતની સ્વાસ્થ્ય સેવાઓને જનતા સામે ઉજાગર કરી છે. 

આ વચ્ચે નીતિ આયોગે તે રાજ્યોની યાદી જાહેર કરી છે જ્યાં સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓ શ્રેષ્ઠ છે અને જે રાજ્યોની સ્થિતિ ઘણી જ દયનીય છે. 

નીતિ આયોગના ચોથા સ્વાસ્થ્ય સૂચકાંક અનુસાર સમગ્ર સ્વાસ્થ્ય સેવાઓના પ્રદર્શનના મામલે મોટા રાજ્યોમાં કેરળ એકવાર ફરીથી મોખરે છે. 

રિપોર્ટસ અનુસાર તમિલનાડુ અને તેલંગાણા સ્વાસ્થ્ય ધોરણોના મામલે ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે. 

ઉત્તર પ્રદેશમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે, તો બિહાર અને મધ્ય પ્રદેશની પણ સ્થિતિ દયનીય છે. 

શું હળદર મોંધી થશે? હળદર પરના પાંચ ટકા GST ને લઈ વેપારી વર્ગ નારાજઃ GST કાઉન્સિલના નિર્ણયને પડકારાશે વેપારીઓ
 

December 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોરોના રસીકરણ સર્ટિફિકેટ પરથી PM મોદીનો ફોટો નહીં હટે, કેરળ હાઈકોર્ટ અરજી ફગાવી; ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ 

by Dr. Mayur Parikh December 21, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

મંગળવાર.

 કેરળ હાઈકોર્ટે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પરથી PM મોદીનો ફોટો હટાવવાની માગની અરજીને ફગાવી દીધી છે.

સાથે જ કોર્ટનો સમય વેડફવા બદલ અરજદારને કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

આ ઉપરાંત કોર્ટે અરજદારને દંડની રકમ આગામી છ મહિનાની અંદર જમા કરાવવા હુકમ કર્યો છે. 

જો તે નિર્ધારિત દંડ જમા નહીં કરાવે તો કેરળ સ્ટેટ લીગલ સર્વિસિસ અરજદારની સંપત્તિમાંથી આ રકમ પ્રાપ્ત કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે કોર્ટે અગાઉ પણ આ મામલે સુનાવણી દરમિયાન અરજદારને સવાલ કર્યો હતો કે વેક્સિનના સર્ટિફિકેટમાં વડાપ્રધાનના ફોટોમાં ખોટું શું છે.

હેં! મુંબઈમાં આટલા નર્સિંગ હોમ ગેરકાયદેસર, મુંબઈ મહાનગરપાલિકાનો ચોંકાવનારો ખુલાસો.જાણો વિગત

December 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો! હવે આ રાજ્યમાં નોંધાયો કેસ, જાણો અત્યાર સુધીમાં દેશમાં કેટલા કેસ આવ્યા સામે

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

સોમવાર

ઓમિક્રોન દિવસેને દિવસે ભારતમાં ચિંતા વધારી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે કેરળમાં પણ ઓમીક્રોનનો એક કેસ મળી આવ્યો છે.

દર્દી કેરળનો વતની હતો જે તાજેતરમાં યુનાઇટેડ કિંગડમથી કોચિન પરત આવ્યો હતો.

જો કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.

હાલ તંત્ર દ્વારા અગમચેતીના પગલા રૂપે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. 

ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 38 કેસ સામે આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે કેરળ પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ,ચંદીગઢમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે.

ઓમિક્રોન સામે લડવા માટે આ દેશનો મોટો નિર્ણય, આજથી શરૂ થશે વેક્સિન બુસ્ટર ડોઝનું બુકિંગ; જાણો વિગતે 

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કેરળમાં કેથલિક ફાધર સામે પોલીસમાં નોંધાઈ ફરિયાદ, લાગ્યો આ આરોપ; જાણો વિગત

by Dr. Mayur Parikh November 4, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 નવેમ્બર,  2021

ગુરુવાર

કેરળમાં એક વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કોર્ટે પાલા બિશપ માર જોસેફ કલ્લારંગટના વિરુદ્ધમાં નારકોટિક જિહાદના આરોપમાં પોલીસને કેસ નોધવાનો આદેશ આપ્યો છે. પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટના કોર્ટે પોલીસને કેથલિક બિશપના વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આમા જુદા જુદા સમુદાયના વચ્ચે ધર્મ, જાતિ અને ભાષાના આધાર પર નફરત ફેલાવવાની કલમ 155-એ સિવાય અન્ય કલમો લગાવામાં આવી છે. કોર્ટનો આ આદેશ ઈમામ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો.  ત્યારબાદ કુરાવિલાંગડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે.

બિશપના પ્રવકતાની તરફથી આ કાર્યવાહી બાબતે કોઈ જાણ હોવાનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે નોટિસ મળ્યા બાદ તેના પર કાયદાકીય રીતે જવાબ આપવામાં આવશે. બિશપના વિરુદ્ધ કેસ નોંધાયા બાદ કેરળ છાત્ર સંઘ સહિત અનેક મુસ્લિમ સંગઠનોએ સ્વાગત કર્યુ છે.

મહાવિકાસ આઘાડીના હવે આ પ્રધાન પર ભાજપે સાધ્યું નિશાન, માગ્યુ રાજીનામું ; જાણો વિગત

કેરળના સાયરો માલાબાર ચર્ચ સંબંધિત પાલા બિશપ માર જોસેફ કલ્લારંગટે કહ્યું હતું કે લવ જિહાદ અને નારકોટિક જિહાદ અંતગર્ત ગેર મુસ્લિમ અને ખાસ કરીન ખ્રિસ્તી ધર્મની યુવતીઓને પ્રેમમાં ફસાવવામાં આવે છે. તથા તેમનું ધર્માતરણ કરીને તેમનું શોષણ કરવામા આવે છે. ત્યારબાદ તેમને આંતકવાદની દલદલમાં ફસાવવામાં આવે છે.

November 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ઇતિહાસપર્યટનપ્રકૃતિ

પર્યટન જાણકારી : આ દિવાળીમાં જો તમે કેરળ જવાનો પ્લાન કરી રહ્યા છો તો જાણી લો કેરળની આ 5 શ્રેષ્ઠ જગ્યાઓ વિશે

by Dr. Mayur Parikh October 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 01 નવેમ્બર, 2021

સોમવાર

ભારતમાં કેરળ સૌથી સુંદર, મંત્રમુગ્ધ અને મોહક સ્થળો પૈકીનું એક છે. એનું સુખદ હવામાન, રોમૅન્ટિક બૅકવૉટર ક્રૂઝ, શાંત સ્થાન, આકર્ષક દૃશ્યો અને સંસ્કૃતિ લોકોને આકર્ષે છે. કોઈ પણ પ્રકારની રજાઓ માટે કેરળ ભારતનાં શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. આ જ કારણ છે કે કેરળને ‘ભગવાનનો પોતાનો દેશ’ કહેવામાં આવે છે. કુટુંબ અથવા મિત્રો સાથે કેરળમાં તમારા માટે ઘણી વસ્તુઓ છે. તો ચાલો આજે અમે તમને કેરળની એવી શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જણાવીએ જ્યાંથી  તમને પાછા આવવાનું મન જ નહિ થાય.

અલેપ્પી

અલેપ્પી કેરળ હાઉસબોટ પ્રવાસ માટે જાણીતું છે અને કેરળમાં મુલાકાત લેવા માટેનાં શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. એલેપ્પી લૉર્ડ કર્ઝન દ્વારા 'પૂર્વના વેનિસ' તરીકે જાણીતાં સ્થળોમાંનું એક છે. સપ્ટેમ્બરથી મે સુધી આ સ્થળની મુલાકાત લેવાની મજા જ અલગ છે. બીચ ઉપરાંત અલેપ્પીમાં અન્ય કેટલાંક પર્યટન સ્થળો છે, જેમ કે અંબાલાપુઝા, શ્રીકૃષ્ણ મંદિર, મરારી બીચ, અર્થુંકલ ચર્ચ વગેરે.

આયુર્વેદ રિસોર્ટ અને સ્પા

કેરળમાં ઘણા આયુર્વેદ રિસોર્ટ અને સ્પા છે, જ્યાં તમે આયુર્વેદ સારવારનો અનુભવ કરી શકો છો. અહીં કુદરતી હર્બ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્પા આપવામાં આવે છે. અનિદ્રા, નર્વસ ડિસઑર્ડર અથવા કોઈ પણ શારીરિક સમસ્યાનો આયુર્વેદ ઉપચારથી સરળતાથી ઇલાજ કરી શકાય છે.

મુન્નાર

મુન્નાર સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન પૈકીનું એક છે. લગભગ 80,000 માઈલના અંતર સુધી લીલી ચાના ખેતરોથી ઢંકાયેલ પર્વત ઢોળાવ પરથી એનું ખૂબ જ સુંદર દૃશ્ય દેખાય છે. મુન્નારમાં સામાન્ય રીતે ઠંડી હોય છે અને એ અકલ્પનીય લાગણી આપે છે.

કોચી

કોચી મધ્ય કેરળમાં આવેલું છે અને એ કોચીથી કેરળનાં પર્યટનસ્થળો સુધી જવાનો એક સરળ રસ્તો છે, જેના કારણે એ એક આકર્ષક સ્થળ બની ગયું છે. એર્નાકુલમ શહેર એક ખૂબ જ ઝડપી અને આધુનિક શહેર છે, જે બ્રિટિશ, પોર્ટુગીઝ અને ડચ સંસ્કૃતિઓનું મિશ્રણ છે. એર્નાકુલમને 'અરબી સમુદ્રની રાણી' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વિશ્વનાં શ્રેષ્ઠ કુદરતી બંદરોમાંનું એક છે.

વર્કલા

વર્કલા કેરળનો શ્રેષ્ઠ બીચ છે. એ તિરુવનંતપુરમથી 51 માઈલના અંતરે આવેલું છે. વર્કલા એના કુદરતી આકર્ષણ અને ઊંચા ખડકો સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટેની ક્ષમતા ધરાવે છે. અહીંનો બીચ અન્ય દેશોના લોકોમાં પ્રખ્યાત છે. અહીં તમે સૂર્યસ્નાન, બોટ રાઇડ, સર્ફિંગ અને આયુર્વેદિક મસાજ જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો.

શું તમે એક એવા સમૂહ વિશે જાણો છો, જેમનો દેશની પ્રગતિમાં સિંહફાળો છે; જાણો એ સમૂહ વિશે

October 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કેરળ સેશન્સ કોર્ટનો કિસ્સો : દહેજના ભૂખ્યા પતિએ પત્નીને કોબ્રા સાપથી કરડાવીને મારી નાખી

by Dr. Mayur Parikh October 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર

દહેજની લાલચમાં પત્નીને સાપ કરડાવીને મારનાર પતિને કોર્ટે હત્યારો ઠરાવ્યો છે. આવતી કાલે કેરળની સેશન્સ કોર્ટમાં તેને સજા ફટકારવામાં આવશે. સૂરજ નામની વ્યક્તિ 25 વર્ષની પત્ની ઉથરાને દહેજ માટે હેરાન કરતો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સૂરજને આરોપી ઠરાવ્યો છે. બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે ઉથરાની મોત પ્રાથમિક રૂપે સાપ કરડવાથી થઈ છે. જ્યારે ફરિયાદી પક્ષ મુજબ તેના પતિએ બે વખત સાપ દ્વારા ઉથરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો.

કેસ મુજબ ઉથરા કેરળથી 40 કિ.મી. દૂર પોતાની માતાના ઘરે હતી ત્યારે 7મી મે, 2020ના રોજ સર્પદંશથી તેનું મૃત્યુ થયું હતું. ઉથરાના પિયરના લોકોએ પતિ સૂરજ ઉપર આરોપ લગાવ્યો હતો કે તેણે જ રૂમમાં કોબ્રાને છોડ્યો હતો. આ કાવતરું રચતાં પહેલાં સૂરજે ઉથરાને ઊંઘની ગોળી પણ ખવડાવી હતી.

દિલ્હી બાદ હવે ભારે વરસાદને કારણે આ શહેરનું ઍરપૉર્ટ જળબંબાકાર, મુસાફરોને ટ્રૅક્ટરમાં ગેટ સુધી લઈ જવાયા! જુઓ વીડિયો
ઉથરાની માતાએ કોર્ટમાં કહ્યું હતું કે તેની દીકરી અને જમાઈ બન્ને તેના ઘરે રોકાયા હતા. રાતના જમ્યા બાદ બન્ને સૂવા જતાં રહ્યાં. સૂરજને મોડા ઊઠવાની ટેવ છે, પણ એ દિવસે વહેલો ઊઠીને ક્યાંક બહાર જતો રહ્યો. 
ઉથરા પથારીમાં પડી રહી હતી. જે જોઈને તેની માતા રૂમમાં તેને ઉઠાડવા ગઈ અને દીકરીને બેહોશ હાલતમાં જોઈ તપાસ કરતાં સમજાયું કે સાપના ડંખથી ઉથરા મૃત્યુ પામી હતી. 

સૂરજે આ પહેલાં પણ આવું કર્યું હતું. 2 માર્ચ, 2020ના રોજ ઉથરા રસેલ વાઇપર સાપ કરડવાથી તે બીમાર થઈ ગઈ હતી અને 52 દિવસ સુધી પથારીવશ રહી હતી. ત્યાર બાદ તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવી પડી હતી. ઉથરાની માતાએ જણાવ્યું હતું કે સૂરજને લગ્ન વખતે દહેજ આપ્યું હતું. જેમાં દસ લાખ રૂપિયા રોકડા, પ્રૉપર્ટી, નવી કાર અને સોનું  હતું. લગ્નનાં બે વર્ષ પછી સૂરજ વધુ દહેજની માગણી કરવા લાગ્યો હતો. ઉથરાના મૃત્યુ બાદ તેના પરિવારે સૂરજ પર કરેલા આક્ષેપ મુજબ ૨૪મી મેના રોજ તેની ધરપકડ થઈ હતી. 12મી જુલાઈએ સૂરજે સાર્વજનિક રીતે સ્વીકાર્યું હતું કે તેણે બે વખત દસ હજાર રૂપિયામાં બે સાપ લીધા હતા.

જોકે જેની પાસેથી સૂરજે સાપ લીધા હતા એ પણ આરોપી જ ગણાય, પરંતુ ડિસેમ્બરમાં થયેલા મુકદમામાં તે સરકારી સાક્ષી બની ગયો. સુનાવણી દરમિયાન તેણે કોર્ટને જણાવ્યું હતું કે સાપ ખરીદવા પાછળનો સૂરજનો ઇરાદો તેને ખબર ન હતો.

 

October 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક