Tag: Knowledge

  • PMKVY Scheme : સુરતના સ્વપ્નિલ પાટિલે પોતાના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું

    PMKVY Scheme : સુરતના સ્વપ્નિલ પાટિલે પોતાના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું

    News Continuous Bureau | Mumbai

    PMKVY Scheme : 

    સ્વપ્નિલ આત્મનિર્ભર તો બન્યો જ, સાથે પરિવારને પણ આર્થિક પીઠબળ આપી રહ્યો છે
     
    માહિતી બ્યુરો-સુરત:શુક્રવાર: જીવનમાં આવનારા પડકારોનો સામનો કરવાની હિંમત હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ. સુરતના રહેવાસી ૨૩ વર્ષીય યુવા સ્વપ્નિલ પાટિલના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી પડકારોનો સામનો કરી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
    સ્વપ્નિલે સુરત જિલ્લાના તરસાડીની માલિબા ફાર્મસી કોલેજથી બી.ફાર્મ. કર્યું છે. સ્વપ્નિલના પરિવારમાં ચાર સભ્યો છે. તેના પિતાજી શાકભાજી વેચે છે, અને માતા ગૃહિણી છે. બી.ફાર્મના અભ્યાસ દરમિયાન જ સ્વપ્નિલને એક દિવસ ભારત સરકારની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે જાણકારી મળી. આ યોજના ફક્ત તાલીમ જ નથી આપતી, પરંતુ સફળ ઉમેદવારોને એક સારી નોકરી મેળવવા માટે સક્ષમ પણ બનાવે છે એવું જાણ્યા પછી સ્વપ્નિલના જીવનની એક નવી શરૂઆત થઈ.

    જ્યારે સપનાંઓ મોટાં હોય ત્યારે દરેક માર્ગ સરળ બની જતો હોય છે. સ્વપ્નિલે PMKVY હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી મક્કમ મનોબળ અને ટ્રેનર્સના માર્ગદર્શનથી ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યો. તેણે કોલેજની સાથે જ આ કોર્સ પૂરો કર્યો. તાલીમ દરમિયાન તેને મેડિકલ ઇક્વિપમેન્ટ એટલે કે તબીબી ઉપકરણો અને દસ્તાવેજીકરણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તાલીમથી સ્વપ્નિલને કૌશલ્યની બારીકાઈઓ શીખવામાં તો મદદ મળી જ પણ સાથે-સાથે તેના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો.

    આ સમાચાર પણ વાંચો : Gujarat APMC : ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણી, રાજ્યની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત-કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન

    સ્વપ્નિલ જણાવે છે કે, “જ્યારે હું કોલેજમાં બી.ફાર્મનો કોર્સ કરી રહ્યો હતો એ દરમિયાન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે મારા માટે વરદાન સાબિત થઈ, કારણકે તેનાથી મારા ટેક્નિકલ કૌશલ્યમાં વધારો થયો, મને નવી બાબતો, પાસાઓ વિશે શીખવા મળ્યું. આ યોજનાની સૌમોટી ખાસિયત એ છે કે તે નિઃશુલ્ક છે, જેમાં તાલીમ ઉપરાંત એક પ્રમાણિત સર્ટિફિકેટ પણ મળે છે, જે ભાવિ કારકિર્દી માટે ખૂબ જરૂરી છે. હવે મારા ભવિષ્ય વિશેનો નિર્ણય લેવામાં સરળતા થઈ ગઈ છે. જે યુવાનોને કોઈક કારણોસર નોકરી નથી મળતી, તેવા યુવાનોને હું કહેવા માંગું છું કે તેઓ PMKVY હેઠળ તાલીમ મેળવીને સપનાને સાકાર કરી શકે છે. તેનાથી નોકરીની સાથે સમાજમાં સન્માન પણ મળશે.

    જીવનમાં કંઈક કરી બતાવવાના સપના સાથે સ્વપ્નિલે પોતાના માતા-પિતા સાથે સમાજનું નામ પણ રોશન કર્યું છે. આ જ કારણ છે કે, આજે સ્વપ્નિલ પોતાની મહેનત અને સમર્પણના બળે સહજાનંદ મૅડિકલ ટેક્નોલૉજીઝમાં કાર્યરત છે અને પ્રતિ માસ ₹૨૧ હજાર કમાય છે. આનાથી સ્વપ્નિલ આત્મનિર્ભર તો બન્યો જ છે, સાથે પરિવારને પણ આર્થિક રીતે સમૃદ્ધ કરી રહ્યો છે. સ્વપ્નિલ ઉપરાંત, તેના આખા પરિવારના ચહેરા પર સ્મિત ચમકી રહ્યું છે. સ્વપ્નિલ ભારત સરકારનો આભાર માને છે, જેમણે તેને સફળતાની સીડી ચડવામાં મદદ કરી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • New Year Resolution: નવા વર્ષમાં નવી શરૂઆત કરો, જ્ઞાન ને બનાવો તમારું માર્ગદર્શક – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર…

    New Year Resolution: નવા વર્ષમાં નવી શરૂઆત કરો, જ્ઞાન ને બનાવો તમારું માર્ગદર્શક – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર…

    News Continuous Bureau | Mumbai

    New Year Resolution: સામાન્ય રીતે આપણે નવા વર્ષમાં પ્રવેશતાની સાથે ઈચ્છાઓ ની સૂચિ અને યોજના બનાવીએ છીએ. આ વર્ષે, એ સુનિશ્ચિત કરો કે તમારી ઇચ્છાઓ અને યોજનાઓ જ્ઞાનથી પ્રેરિત હોઈ. જ્યારે આપણી ઈચ્છાઓ અને કાર્યોને જ્ઞાનની શક્તિ મળે છે ત્યારે જીવનમાં સુખ અને આનંદ જ મળે છે. પરંતુ જ્ઞાન વિના, આપણી ઇચ્છાઓ નબળી પડી જાય છે, આપણી યોજનાઓ ગૌણ અને અનિશ્ચિત બની જાય છે.

    અહીંયા જે જ્ઞાન વિશે વાત કરું છે એનો અર્થ છે આત્મજ્ઞાન, એટલે કે સમય અને અવકાશના સંદર્ભમાં પોતાને અને આ જીવનને સમજવું. આપણે આ પૃથ્વી પર ક્યારે અને કેવી રીતે આવ્યા અને આ સમયમાં આપણે અહીં શું યોગદાન આપવા માંગીએ છીએ તેના પર ચિંતન કરવું એ જ વાસ્તવિક જ્ઞાન છે. જ્યારે તમે આ ગ્રહને વધુ સારું અને સુખી સ્થાન બનાવવા માટે યોગદાન આપશો એવી દ્રષ્ટિ અને હેતુ સાથે ચાલો છો ત્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. જ્યારે તમારા જીવનનો ઉદ્દેશ્ય બીજા લોકોના જીવનમાં જ્ઞાન અને આધ્યાત્મિકતાનો ફેલાવો અને સમાજને સુધારવાનો હોય, તો જીવનમાં હતાશા માટે કોઈ સ્થાન નથી રહેતું. યાદ રાખો, આ સમયે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને અસંખ્ય સંઘર્ષોથી ઘેરાયેલું છે, ત્યારે તમે દુનિયા ને બીજા લોકો માટે આશાનું કિરણ છો.

    New Year Resolution: જ્ઞાનને આત્મસાત કરવા માટે મૌન જરૂરી છે. મૌનને સર્જનાત્મકતાની જનની કહેવામાં આવે છે. વર્ષમાં બે કે ત્રણ વખત મૌન માટે સમય ફાળવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ‘હું મારા સ્વભાવમાં પાછો ફરું છું, અને વારંવાર સર્જન કરું છું.’ જ્યારે આપણે આપણા સ્વભાવમાં પાછા ફરીએ છીએ ત્યારે આપણને નવી ઉર્જા મળે છે અને આપણી સર્જનાત્મકતા વધે છે. તે આપણને આપણા સ્ત્રોત સાથે જોડે છે, સકારાત્મક ઉર્જાથી ભરે છે અને આપણને જે જોઈએ છે તે બનાવવાની શક્તિ આપે છે.

    આ સમાચાર પણ વાંચો  :  Sri Sri Ravi Shankar Mental Health: વિશ્વની સૌથી મોટી સમસ્યા માનસિક સ્વાસ્થ્ય, કેવી રીતે સુધારવું જાણો ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર પાસેથી..

     

    ગહન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ધ્યાનને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવો જોઈએ. ઘણા લોકો ધ્યાન શીખ્યા છે, પરંતુ હજુ પણ તેને તેમની પ્રાથમિકતા નથી બનાવતા. આ એટલા માટે છે કારણ કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે આપણે આપણા કાર્યોથી મળતા સુખનો આનંદ માણવા માંગીએ છીએ. તે મૂળને પાણી આપ્યા વિના વૃક્ષના ફળનો આનંદ માણવા જેવું છે. આપણે આપણી જાતને રોજ યાદ અપાવવું જોઈએ કે આપણે મૂળને પાણી આપવું પડશે તો જ વૃક્ષ નિયમિત અને સારી ગુણવત્તા વાળા ફળ આપશે. તેથી ધ્યાનને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો અને સુનિશ્ચિત કરો કે આપણી આસપાસના દરેક વ્યક્તિ પણ ધ્યાન કરે છે.

    New Year Resolution:  આ નવા વર્ષમાં, ચાલો આપણે બંધુત્વની ભાવનાને પ્રોત્સાહન આપવા અને આપણી આસપાસના સંઘર્ષોને ઉકેલવાનો સંકલ્પ લઈએ. પ્રથમ તમે શરૂઆત કરો અને એવા મિત્રોનો સંપર્ક કરો જેઓ આપણાથી અથવા આપણા મિત્રવર્તુળથી દૂર ગયા છે. આજે લોકો, પરિવારો અને દેશો વચ્ચે સર્વત્ર સંઘર્ષ છે અને જો આપણે દરેક સંકલ્પ કરીએ કે આપણે સમુદાયો વચ્ચેના અંતરને દૂર કરીશું અને લોકોને એક કરીશું, તો તે આપણા માટે અત્યંત તૃપ્તિ આપનાર રહેશે.

    દરેક વર્ષ, સારું કે ખરાબ, આપણને અનુભવ અને જ્ઞાન પ્રદાન કરે છે. ગયા વર્ષથી શીખેલા બોધને લઈને નવા વર્ષમાં નવી ઉર્જા અને સમર્પણ સાથે આગળ વધો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Prem Rawat: 10 ડિસેમ્બર 1957ના રોજ જન્મેલા પ્રેમ પાલ સિંહ રાવત આંતરરાષ્ટ્રીય વક્તા અને પુસ્તક-લેખક છે જે અગાઉ મહારાજી તરીકે પણ ઓળખાતા હતા.

    Prem Rawat: 10 ડિસેમ્બર 1957ના રોજ જન્મેલા પ્રેમ પાલ સિંહ રાવત આંતરરાષ્ટ્રીય વક્તા અને પુસ્તક-લેખક છે જે અગાઉ મહારાજી તરીકે પણ ઓળખાતા હતા.

    News Continuous Bureau | Mumbai

    Prem Rawat: 10 ડિસેમ્બર 1957ના રોજ જન્મેલા પ્રેમ પાલ સિંહ રાવત આંતરરાષ્ટ્રીય વક્તા અને પુસ્તક-લેખક છે જે અગાઉ મહારાજી તરીકે પણ ઓળખાતા હતા. તેમના ઉપદેશોમાં ધ્યાનની પ્રેક્ટિસનો સમાવેશ થાય છે જેને તેઓ “જ્ઞાન” કહે છે, અને આંતરિક શક્તિ, પસંદગી, પ્રશંસા અને આશા જેવા વ્યક્તિગત સંસાધનોની શોધ પર આધારિત શાંતિ શિક્ષણ.