Tag: kurla

  • જે ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કાર્યકર્તાઓ સાથે કર્યું તેનો જવાબ એકનાથ શિંદે આપી રહ્યાં છે-22 શિવસૈનિકો પર ગુનો નોંધ્યો-જાણો વિગત

    જે ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કાર્યકર્તાઓ સાથે કર્યું તેનો જવાબ એકનાથ શિંદે આપી રહ્યાં છે-22 શિવસૈનિકો પર ગુનો નોંધ્યો-જાણો વિગત

    News Continuous Bureau | Mumbai

    હાલ મહારાષ્ટ્રમાં(Maharashtra) બદલાનું રાજકરણ થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. શિવસેના(Shiv Sena) સામે બળવો કરીને ભાજપ(BJP) સાથે મળીને સરકાર રચનારા એકનાથ શિંદેએ(Eknath Shinde) હવે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વફાદાર રહેલા સામે બદલો લઈ રહ્યા હોવાનું રાજકીય ચર્ચાઈ રહ્યું છે. શિંદેએ શિવસેનાના કુર્લાના(Kurla) શિવસૈનિકો(Shiv Sainiks) સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યા બાદ કુર્લા પોલીસે કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

    શિવસેનાના વફાદાર ગણાતા ધારાસભ્ય(MLA) મંગેશ કુડાળકરે(Mangesh Kudalkare) પક્ષનો સાથ છોડીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા હતા, તેનાથી શિવસેનાના સમર્થકો ઉશ્કેરાઈ ગયા હતા. શિવસૈનિકોએ મંગેશ કુડાળકરની ઓફિસમાં તોડફોડ કરી હતી, તેના બેનરો ફાટી નાખ્યા હતા. તેના નામના બોર્ડ પર તોડી નાખવામાં આવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  શું શિંદે સરકાર ફરી એક વખત ઠાકરે સરકારના નિર્ણયને બદલી નાખશે- આજે મળશે 'શિંદે-ફડણવીસ' સરકારની ત્રીજી કેબિનેટ- આ મોટા મુદ્દા પર થશે ચર્ચા 

    પક્ષ સામે બળવો કરીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયેલા કુડાળકરને સ્થાનિક શિવસૈનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું અને તેને કારણે તેને ઘણુ નુકસાન થયું હતું, તેથી તેણે તેની ફરિયાદ કરી હતી. તેની ફરિયાદને આધારે કુર્લાની નેહરુ નગર પોલીસે હવે શિવસૈનિકો સામે ગુનો નોંધ્યો છે અને પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.
     

  • મુંબઈની જોખમી ઈમારતો બની માથાનો દુખાવો-જોખમી ઈમારતોને લઈને BMCએ લીધો આ નિર્ણય-જાણો વિગત

    મુંબઈની જોખમી ઈમારતો બની માથાનો દુખાવો-જોખમી ઈમારતોને લઈને BMCએ લીધો આ નિર્ણય-જાણો વિગત

    News Continuous Bureau | Mumbai 

    મુંબઈની(Mumbai) જોખમી અને જર્જરિત ઇમારતો(Dilapidated buildings) મુંબઈ મહાનગરપાલિકા (BMC) માટે માથાનો દુખાવો બની ગયો છે. સતત નોટિસ અને ચેતવણી બાદ પણ રહેવાસીઓ ઈમારત ખાલી કરતા નથી. ભારે વરસાદ(heavy rain) દરમિયાન આવી ઇમારતો તૂટી જવાની દુર્ઘટના બનતી હોય છે. તેથી પાલિકાએ હવે આવી ઇમારતો ખાલી કરાવવા માટે મુંબઈ પોલીસની(Mumbai Police) મદદ લેવાનો નિર્ણય લીધો છે.

    ચોમાસામાં(Monsoon) જૂની અને જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની શક્યતા વધુ હોય છે.  થોડા દિવસ અગાઉ કુર્લામાં(Kurla) જોખમી ઈમારત(Dangerous building) તૂટી પડતા ૧૯ના મોત અને 30થી વધુ લોકો જખમી થયા હતા. જોખમી ઇમારતો ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ પણ તેઓ ખાલી નથી કરતા. જાનના જોખમે તેમાં રહેતા હોય છે. તેથી પાલિકા જોખમી ઈમારતોને મુંબઈ પોલીસની મદદથી ખાલી કરાવશે.

    આ સમાચાર પણ વાંચો : વરસાદ મહેરબાન તો મુંબઈને પાણી આપનાર તળાવ પહેલવાન.. ખાલી ચાર દિવસનો વરસાદ અને ૪ મહિના ચાલે તેટલું પાણી.. જાણો આંકડા અહીં

    મુંબઈમાં ચોમાસામાં બિલ્ડિંગ ધરાશાયી થવાના તથા ભેખડ ધસી પડવાના બનાવ વધી જતા હોય છે. જાનમાલનું નુકસાનીનો પણ ડર હોય છે. તેથી પાલિકાએ શુક્રવારે મ્હાડા(MHADA), એમએમઆરડીએ(MMRDA), મુંબઈ પોલીસ, કલેકટર(Collector) સહિત જુદી જુદી સરકારી ઓથોરીટી(Government Authority) સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં અતિ જોખમી અને જર્જરીત ઈમારતોને મુંબઈ પોલીસની મદદથી ખાલી કરાવવા પર સર્વસંમતિ સધાઈ હતી..

    પાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner BMC) અશ્વિની ભીડેને(Ashwini Bhide) જણાવ્યા મુજબ જોખમી ઈમારતોની પ્રાધાન્ય ક્રમ યાદી બનાવવામાં આવશે. એ પછી મુંબઈ પોલીસની મદદથી આવી ઈમારતોને ખાલી કરાવવામાં આવશે. મુંબઈમાં સતત પડી રહેલા વરસાદથી રસ્તાઓ પર પડેલા ખાડાને ફરિયાદ મળવાની સાથે જ ૨૪ કલાકમાં પૂરી નાખવાનો નિર્દેશ પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો હતો.
     

  • તમારી બિલ્ડિંગ તો સી-વન કેટેગરીમાં નથીને- મુંબઈની આટલી બિલ્ડિંગમાં અતિશય જોખમી હાલતમાં-જાણો વિગત

    News Continuous Bureau | Mumbai 

    મુંબઈના કુર્લા(Kurla) પરિસરમાં સોમવારે મોડી રાતે ધરાશાયી થયેલી બિલ્ડિંગમાં(building fall) 19ના મોત થયા છે. મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) નવ વર્ષ પહેલા તેને જોખમી સી-વન શ્રેણીમાં જાહેર કરી હોવા છતાં આ બિલ્ડિંગના રહેવાસીઓ(Building residents) જાનના જોખમે  તેમાં રહેતા હતા. મુંબઈમાં આવી લગભગ 337 જોખમી અને જર્જરિત ઈમારતો છે, જે ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં છે. તેમાં પણ જો ભારે વરસાદ(Heavy rain) પડ્યો તો આવી ઈમારતની ધરાશાયી થવાની શક્યતા વધી જાય છે. 

    મુંબઈમાં હાલ 337 જોખમી અને જર્જરિત બિલ્ડીંગ છે. તેમાંથી સૌથી વધુ જોખમી 163 ઈમારત પશ્ચિમ ઉપનગરમાં(Western suburbs) છે.દક્ષિણ મુંબઈમાં(South Mumbai) 70 અને પૂર્વ ઉપનગરમાં 104 જોખમી ઇમારત છે. કુલ જોખમી ઈમારતમાંથી 122 જોખમી ઈમારતોમાં લોકો પોતાના જાનના જોખમે રહે છે. 

    આ સમાચાર પણ વાંચો : લો બોલો -હવે મુંબઈના ભૂતપૂર્વ મેયરને મળી જાનથી મારી નાખવાની ધમકી- જાણો વિગત

     મહાનગરપાલિકા(BMC), મ્હાડા (MHADA) દ્વારા દર વર્ષે ચોમાસાનાં(Monsoon) આગમન પહેલા મુંબઈની જોખમી  ઈમારતનો સર્વે કરવામાં આવે છે. જોખમી ઇમારત કે જેનું સમારકામ શક્ય નથી તે સી-વન શ્રેણીમાં આવે છે આવી  ઈમારતોને ખાલી કરીને તોડી પાડવી પડે છે. મુંબઈમાં પાલિકાની માલિકીની ખાનગી માલિકીની, મ્હાડાની સેસ તથા સરકારી મળીને લગભગ 337 બિલ્ડિંગ જોખમી છે. તેમાંથી અત્યાર સુધી 122 જોખમી ઈમારતો હજી પણ લોકો જાનના જોખમે રહે છે. જ્યારે 102 બિલ્ડિંગના વીજળીના અને પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. મુંબઈની 113 જોખમી ઈમારતના રહેવાસીઓએ હજી સુધી ઈમારત ખાલી કરી નથી. તો  ઈમારત ખાલી કરવાની નોટિસ સામે રહેવાસીઓ કોર્ટમાંથી સ્ટે લઈને આવ્યા હતા તેથી હાલ 122 મેટર કોર્ટમાં છે.

    મુંબઈમાં હાલ આવી સૌથી વધુ જોખમી ઇમારત મુલુંડ, અંધેરી અને બાંદ્રા(વેસ્ટ)માં છે. સૌથી ઓછી જોખમી ઇમારત ગિરગામ, ચર્ચગેટમાં છે. સૌથી ટી વોર્ડ મુલુંડમાં 49 છે. બીજા નંબરે કે-પશ્ચિમ વોર્ડના અંધેરી(પશ્ચિમ)માં 42 બિલ્ડિંગ છે. 
     

  • લો બોલો- કુર્લામાં પોલીસના જ ઘરના તાળા તૂટ્યાં. પિસ્તોલ સહિત લાખોની મત્તાની લૂંટ- જાણો વિગતે

    લો બોલો- કુર્લામાં પોલીસના જ ઘરના તાળા તૂટ્યાં. પિસ્તોલ સહિત લાખોની મત્તાની લૂંટ- જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai 

    મુંબઈના કુર્લામાં નિવૃત્ત એસીપીના(Retired ACP) ઘરના તાળા તોડીને ચોરી કરવા ચોંકાવનારી ઘરફોડ ચોરીની(Burglary) ઘટના બની છે. ચોર રોકડ સહિત એસીપી ભરેલી રિવોલ્વર(ACP filled revolver) અને દાગીનાની(Ornaments) ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. કુર્લાની(Kurla) નહેરુ નગર પોલીસે(Nehru Nagar Police) આ કેસમાં ઘરફોડીનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજની(CCTV footage) મદદથી ચોરને શોધી રહી છે.

    રિટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) દિગંબર કાળે(Digambar Kale) કુર્લા(પૂર્વ)માં કામગાર નગરમાં બંગલા નંબર 20માં તેમના પરિવાર સાથે રહે છે. તેઓ 23 એપ્રિલના રોજ પોતાના  પરિવાર સાથે ગામ ગયા હતા. જ્યારે ગામથી તેઓ પાછા ફર્યા ત્યારે તેમને બંગલાની રસોડાની બાજુની ગ્રીલ તૂટેલી અને બારી ખુલ્લી જણાઈ હતી.

    આ સમાચાર પણ વાંચો : ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કિમિયો – હવે અઠવાડિયામાં આટલા દિવસ નો હોંક ડે

    ચોરીના બનાવ અંગે કાળેએ તાત્કાલિક નહેરુનગર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો હતો. તેમના ઘરમાંથી અંદાજે રૂ.8 લાખની ચોરી થઈ હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કારતુસ ભરેલી રિવોલ્વરની પણ ચોરી થઈ હતી. ચોરને શોધવા નહેરુનગર પોલીસની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ દ્વારા ચોરોને શોધી રહી છે.
     

  • મુંબઈના પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો ખંડિત થશે. જાણો વિગતે..

    મુંબઈના પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો ખંડિત થશે. જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai

    આવતા અઠવાડિયામાં 24 કલાક માટે મુંબઈ(Mumbai)ના પૂર્વ ઉપનગર સહિત દક્ષિણ મુંબઈ(South Mumbai)ના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો(water supply) બંધ રહેવાનો છે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે. તેથી નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવાની અપીલ કરવામાં આવી છે.

    મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ ઉપનગરમાં વિદ્યાવિહારમાં મહાનગરપાલિકા કોલોની પાસેના સોમૈયા નાળા નીચેથી માઈક્રો ટનલિંગ પદ્ધતિએ પાણીની પાઈપલાઈન(wter pipeline)ને વળાવવાનું કામ કરવામાં આવવાનું છે. પહેલા તબક્કાનું કામ બુધવાર, ૧૮ મે, ૨૦૨૨ના સવારના ૧૦ વાગ્યે ચાલુ થશે. જે ગુરુવાર, ૧૯ મે, ૨૦૨૨ના સવારના ૧૦ વાગ્યા સુધી ચાલશે. તેથી આ સમય દરમિયાન પૂર્વ ઉપનગરના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે તો શહેરના અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.

    આ સમાચાર પણ વાંચો:  સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

    પૂર્વ ઉપનગરના આ વિસ્તારોમાં 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે, જેમાં ‘એલ’ વોર્ડ કુર્લાના રાહુલ નગર, એડવર્ડ નગર, પાનબજાર, વી. એન. પૂરવ માર્ગ, નેહરુ નગર, જાગૃતિ નગર, શિવસૃષ્ટિ નગર, એસ. જી. બર્વે માર્ગ, કસાઈવાડા પંપિંગ, હિલ માર્ગ, ચાફે ગલી, ચુના ભઠ્ઠી પંપિંગ સ્વદેશી મિલ માર્ગ વિસ્તારમાં સર્પૂણપણે પાણી પુરવઠો બંધ રહેશે.

    ‘એન’ વોર્ડમાં ઘાટકોપર-રાજાવાડી, એમ. જી. રોડ, ચિત્તરંજન નગર કોલોની, આંબેડકર નગર, નીલકંઠ વેલી, રાજાવાડી હોસ્પિટલ એરિયા, વિદ્યાવિહાર સ્ટેશન, ઓ.એન.જી.સી. કોલોની, મોહન નગર, કુર્લા ટર્મિનસ રોડ, ઓઘડ ભાઈ રોડ, આનંદી રોડ, રામજી આશર રોડ વિસ્તારમાં પણ સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે.

    ‘એમ-પશ્ચિમ’ વોર્ડ ચેંબુરના ટિળક નગર, ઠક્કર બાપ્પા કોલોની, વત્સલાનાઈક નગર, સહકાર નગર, આદર્શ નગર, રાજા મિલિંદ નગર, રાજીવ ગાંધી નગર, કુટીરમંડળ, સમ્રાટ અશોક નગર વગેરે વિસ્તારમાં પાણીપુરવઠો સંર્પૂણપણે બંધ રહેશે.

    ‘એફ-ઉત્તર’ વોર્ડ વડાલામાં વડાલા ટ્રક ટર્મિનલ, ન્યુ કફ પરેડ, પ્રતીક્ષા નગર, પંચશિલ નગર, સાયન (પૂર્વ) અને (પશ્ચિમ), સાયન કોળીવાડા, સંજય ગાંધી નગર, કે. ડી. ગાયકવાડ નગર, સરદાર નગર, ઇન્દિરા નગર, વડાલા મોનોરેલ ડેપો વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

     ‘એફ-દક્ષિણ’ વોર્ડમાં દાદરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, જગન્નાથ ભાતનકર માર્ગ, બી.જે. દેવરૂખકર માર્ગ, ગોવિંદજી કેણે માર્ગ, હિંદમાતામાં પાણી પુરવઠો બંધ રહેશે.

    તો દક્ષિણ મુંબઈના પરેલ, લાલબાગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ડૉ. એસ. એસ. રાવ માર્ગ, દત્તારામ લાડ માર્ગ, જીજીભોય ગલી, મહાદેવ પાલવ માર્ગ, સાને ગુરુજી માર્ગ, ગૅસ કંપની ગલી વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા દબાણ સાથે થશે.

    આ સમાચાર પણ વાંચો : કાળઝાળ ગરમીથી બચવા કિશોર પવઈ તળાવમાં પડ્યો, મળ્યું મોત.. પરિવારમાં શોકનો માહોલ

  • પાણી સાચવીને વાપરજો! મુંબઈના આ વિસ્તારમાં રહેશે 24 કલાકનો પાણીકાપ.. જાણો વિગતે

    પાણી સાચવીને વાપરજો! મુંબઈના આ વિસ્તારમાં રહેશે 24 કલાકનો પાણીકાપ.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    પૂર્વ ઉપનગરના કુર્લા વિસ્તારમાં 24 કલાક માટે પાણી પુરવઠો ખંડિત થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા કુર્લા(વેસ્ટ)માં પાણીની પાઈપલાઈન(Water pipeline)નું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૧૦ મે, મંગળવારથી ૧૧ મે, બુધવાર સુધીના ૨૪ કલાકના સમયગાળામાં એલ વોર્ડમાં પાણીપુરવઠો બંધ રહેશે.

    ‘એલ’ વોર્ડ કુર્લા (વેસ્ટ)માંં ૧૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન પર એક્સપ્રેસ ઈન હોટલની સામે સાકીનાકા પાસે પાઈપલાઈનના વાલ્વ બદલવામાં આવવાના છે. આ કામ મંગળવારના સવારના ૧૦ વાગ્યાથી બુધવાર સવારના ૧૦ વાગ્યા સુધીમાં કરવામાં આવવાનું છે.આ દરમિયાન કુર્લામાં અમુક વિસ્તારમાં સંર્પૂણ પણે પાણી પુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી આવશે..

    આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં NIAએની મોટી કાર્યવાહી, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથીના આ સ્થળોએ દરોડા પાડ્યા

    જેની વિગતો નીચે મુજબ છેઃ-

    1) ‘L’ વિભાગ – જરીમારી, શાંતિ નગર, તાનાજી નગર, શ્રી કૃષ્ણ નગર, સત્ય નગર પાઇપલાઇન રોડ, વૃંદાવન ખાડી નંબર -3, આશા ક્રિષ્ના બિલ્ડીંગ, અન્નાસાગર બિલ્ડીંગ, તિલક નગર, સાંઈબાબા કમ્પાઉન્ડ, ડી સિલ્વા બાગ, એલ. બી. એસ. નગર, શેઠિયા નગર, સોનાની નગર, મહાત્મા ફૂલે નગર, બરેલી મસ્જિદ પરિસર, શિવાજી નગર, અંધેરી કુર્લા માર્ગ, અનિસ કમ્પાઉન્ડ, અંબિકા નગર, સફેદ પૂલ, ઉદય નગર – (સવારે 6.00 થી 1.00 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાના સમય છે, પરંતુ કામને પગલે  10મી મે, 2022ના રોજ સવારે 6.00 થી 10.00 સુધી પાણી પુરવઠો થશે તો સવારે 10.00 થી બપોરના 2.00 વાગ્યા સુધી પાણી પુરવઠો સદંતર બંધ રહેશે.

    2) ‘કુર્લા દક્ષિણ’ – કાજુપાડા, બૈલ બજાર, નવપાડા, એલ. બી. એસ. માર્ગ, સુંદરબાગ, ખ્રિસ્તી ગામ, નવી મિલ માર્ગ, હલવ પૂલ, મસરાની ગલ, બ્રાહ્મણ વાડી વગેરે વિસ્તારમાં સાંજે 6.30 થી 8.45 સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ઓછા દબાણ  સાથે પાણી પુરવઠો થશે. .

    ઉપરોક્ત વિગતો મુજબ, ઉપરોક્ત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક રાખવા અપીલ કરવામાં આવે છે. 

  • મોટા સમાચારઃ મુંબઈના આ ધારાસભ્યની પત્નીએ આત્મહત્યા કરી.. જાણો વિગતે

    મોટા સમાચારઃ મુંબઈના આ ધારાસભ્યની પત્નીએ આત્મહત્યા કરી.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ(Mumbai)ના કુર્લા(Kurla) વિસ્તારના શિવસેના(Shivsena)ના ધારાસભ્ય (MLA)મંગેશ કુડાળકર(Mangesh Kudalkar)ની પત્નીએ રવિવારે રાતના  રહેતા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 

    કુર્લા(Kurla)ના નહેરુનગરમાં મંગેશ કુડાળકર (Mangesh Kudalkar)રહે છે. તેમના 42 વર્ષના પત્ની રજનીએ રાતના 9.30 વાગ્યાની આસપાસ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચતા ઘરમાં ગળે ફાંસો લગાવેલે હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.

    નહેરુ નગર પોલીસે(Police) મૃતદેહ તાબામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પોલીસના કહેવા મુજબ તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ થોડા દિવસ પહેલા જ તેમના પુત્રનું બાઈક એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ત્યારથી તેઓ ડિપ્રેશનમાં હોવાનું કહેવાય છે.

    મીડિયા હાઉસના કહેવા મુજબ મંગેશ કુડાળકર(Mangesh Kudalkar)ના પત્નીનું થોડા વર્ષ પહેલા અવસાન થયા બાદ તેમણે રજની સાથે બીજા લગ્ન કર્યા હતા. રજનીના પણ આ બીજા લગ્ન હતા. થોડા દિવસ પહેલા એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો દીકરો પહેલા પતિથી હતો. 

  • સાવધાન!! આવતા અઠવાડિયામાં પૂર્વ ઉપનગરના આ વિસ્તારમાં થશે પાણી પુરવઠાને અસર.. જાણો વિગતે

    સાવધાન!! આવતા અઠવાડિયામાં પૂર્વ ઉપનગરના આ વિસ્તારમાં થશે પાણી પુરવઠાને અસર.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    આવતા અઠવાડિયામાં મંગળવારે પૂર્વ ઉપનગરના કુર્લા વિસ્તારમાં એક દિવસ પૂરતું પાણી પુરવઠાને અસર થવાની છે. તેથી નાગરિકોને પાણી ભરી રાખીને એને સંભાળીને વાપરવાની પાલિકાએ અપીલ કરી છે.

    મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ વિહાર જળશુદ્ધીકરણ કેન્દ્રમાં રહેલી ૧૨૦૦ મિલીમીટર ફિલ્ટર બાયપાસ પાણીની પાઈપલાઈનને ૧૨૦૦ મિલીમીટર જળશુદ્ધીકરણ પાણીની પાઈપલાઈન સાથે જોડવામાં આવવાની છે. આ કામ મંગળવાર પાંચ એપ્રિલના બપોરના ૧૨ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી મંગળવારના ‘એલ’ વોર્ડ કુર્લામાં અમુક વિસ્તારમાં બપોરના ૧૨ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી ઓછા દબાણે પાણી પુરવઠો થશે.

     આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસના મહત્વ ના સ્વતંત્ર સાક્ષી નું થયું અવસાન, સમીર વાનખેડે પર લગાવ્યા હતા આ આરોપ; જાણો વિગત

    મુખ્યત્વે કુર્લાના ગુરુનાનક નગર, ગૈબનશાહ દરગાહ રોડ, સલમા કમ્પાઉન્ડ, એન.એસ.એસ. માર્ગ, શિવાજી નગર, કાજૂપાડા, સુંદરબાગ ગલી, ઈંદિરા નગર, ગણેશ મેદાન, પ્રીમિયર રોડ કાળે માર્ગથી બ્રાહ્મણવાડી, કોહિનૂર સિટી, નૌપાડા, રાજૂ બેડેકર માર્ગ, એલ.બી.એસ. માર્ગ, કમાણી, જય અંબિકા નગર, ભારતીય નગર, હલાવ પૂલ, કોહિનૂર હોસ્પિટલ, મસરાની ગલી, ક્રાંતિ નગર, સંદેશ નગર, વાડિયા કૉલોની, કિસ્મત નગર, શાંતી નગર, વિનોબા ભાવે નગર, એસ.જી.બર્વે માર્ગ, ન્યૂ મિલ માર્ગ, પારીખ ખાદી, સર્વેશ્વર મંદિર રોડ, ટાકિયા વોર્ડ, મેચ ફેક્ટરી ગલી, કપાડિયા નગર, બેલગ્રામી માર્ગ, ટૅક્સીમેન કૉલોની,  હરિયાણવાલા ગલી, સી.એસ. ટી. માર્ગ, કલ્પના નગર, મહારાષ્ટ્ર નગર, ભાભા હોસ્પિટલ, ચુના ભટ્ટી પમ્પીંગ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે. ​​​​​​​

  • મલાડ બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે કરશે આ મોટા વોર્ડનું વિભાજન, જાણો વિગત

    મલાડ બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે કરશે આ મોટા વોર્ડનું વિભાજન, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,6 જાન્યુઆરી 2022  

     ગુરુવાર. 

    મુંબઈમાં મલાડ બાદ હવે કુર્લા- એલ વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે. કુર્લા-એલ વોર્ડમાં કુલ 16 નગરસેવકનો સમાવેશ થાય છે. એલ વોર્ડના બે વોર્ડમાં ટુકડા કરીને એલ-સાઉથ અને એલ-નોર્થ એમ બે વોર્ડ બનાવવામાં આવશે.

    એલ-સાઉથની ઓફિસ હાલ જયાં એલ વોર્ડની ઓફિસ છે ત્યાં જ રહેશે. જયારે એલ-નોર્થની ઓફિસ ચાંદીવલીમાં બિલ્ડિંગ પ્રપોઝલની ઓફિસમાં બનાવાશે.

    એલ વોર્ડની કુલ જનસંખ્યા 8,99,042 છે. તેની સામે પાલિકાના એલ-વોર્ડની યંત્રણા અપૂરતી સાબિત થઈ રહી છે. તેથી પ્રશાસકીય સહિત અન્ય કામ ઝડપથી થઈ શકે તે માટે એલ-વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે.

    હાલ એલ-વોર્ડમાં 156થી 171 એમ કુલ 16 વોર્ડ છે. 16 વોર્ડને એલ-નોર્થ અને એલ-સાઉથમાં વહેંચી નાખવામાં આવશે.

    મુંબઈગરાઓ સાવચેત રહેજો, માત્ર 15 દિવસમાં કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા 300 થી વધીને 15 હજાર થઈ; જાણો છેલ્લા 2 સપ્તાહના ડરામણા આંકડા 

    એલ-વોર્ડના વિભાજન બાદ કે-પૂર્વ વોર્ડનું પણ વિભાજન કરવાની પાલિકાની યોજના છે. કે-પૂર્વનું ઉત્તર અને દક્ષિણ વોર્ડમાં વિભાજન કરવામાં 
    આવશે. આ વોર્ડમાં વિલેપાર્લે(પૂર્વ), અંધેરી(પૂર્વ) અને જોગેશ્ર્વરી(પૂર્વ)નો વિસ્તાર આવે છે. આ વોર્ડની સંખ્યા 8,23,885 છે.

  • કંગાળ થઈ ગયેલી MMRDA બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા પ્લોટની કરશે ઈ-લીલામી; જાણો વિગત

    કંગાળ થઈ ગયેલી MMRDA બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા પ્લોટની કરશે ઈ-લીલામી; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
    મુંબઈ. 3 ડિસેમ્બર 2021
    શુક્રવાર.

    મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપેમન્ટ ઓથોરિટી(MMRDA) બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા 9 પ્લોટની ઈ- લીલામી કરવાની છે. બહુ જલદી તેને લગતા ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે.

    પ્લાનિંગ ઓથોરિટી ગણાતી MMRDAએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરે છે. મેટ્રો રેલ, વરલી સી લિંક, ફલાયઓવર, એલિવેટેડ રોડ, અન્ડરગ્રાન્ડ, સબવે, રસ્તા તથા ફૂટઓવર જેવા પ્રોજેક્ટ MMRDAના હેઠળ પાર પાડવામાં આવ્યા છે. તે માટે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. અન્ય પ્રોજેક્ટ પણ MMRDAએ હાથ ધરવાના છે. પરંતુ તેની પાસે એટલુ ભંડોળ નથી, તેને આવકનો કોઈ સ્રોત નથી. તેથી ભંડોળ ઊભું કરવા માટે MMRDA પોતાની માલિકીના જમીનના પ્લોટ વેચીને રકમ ઊભી કરવા માગે છે. તેથી MMRDA બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા 9 પ્લોટની ઈ-લીલામી કરવાની છે.

     

    ઓટોરિક્ષા-ટેક્સીમાં પ્રવાસ કરવો છે તો આ કરવું ફરજિયાત રહેશે, આરટીઓ કમિશનરનું ફરમાન; જાણો વિગત