• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - legal action
Tag:

legal action

Palash shocking statement after marriage with Smriti breaks down, threatens to take legal action
મનોરંજન

Smriti-Palash: સ્મૃતિ સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશનું ચોંકાવનારું નિવેદન, કાયદાકીય પગલાં લેવાની આપી ધમકી

by Zalak Parikh December 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Smriti-Palash: સંગીતકાર અને ડિરેક્ટર પલાશ મુછાલ અને ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નને લઈને છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ સમાચાર સામે આવી રહ્યા હતા. ૨૩ નવેમ્બરે બંનેના લગ્ન થવાના હતા, પરંતુ સ્મૃતિના પિતાની તબિયત ખરાબ હોવાનું કહીને લગ્ન હાલ પૂરતા ટાળવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલે જાત-જાતની ચર્ચાઓ સામે આવી હતી. હવે આ મામલે પલાશ મુછાલે પોતે નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તેમણે પોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે અને તેઓ પોતાના સંબંધમાંથી પાછા હટી રહ્યા છે. પલાશે નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તેમના અને સ્મૃતિ મંધાનાના લગ્ન હવે તૂટી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ikkis : ‘ઇક્કિસ’ની ઇવેન્ટમાં સૈનિકોનો મેળાવડો, અરુણ ખેત્રપાલને યાદ કરી કાસ્ટ દ્વારા ભાવુક શ્રદ્ધાંજલિ

વ્યક્તિગત સંબંધથી દૂર રહેવાનો નિર્ણય

પલાશે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં પલાશે લખ્યું છે કે, “મેં મારી જિંદગીમાં આગળ વધવાનો અને મારા અંગત સંબંધોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.” સ્મૃતિને છેતરવાના આરોપો પર પલાશે કહ્યું, “મારા માટે એ જોવું ખૂબ મુશ્કેલ છે કે લોકો મારા માટે સૌથી પવિત્ર વસ્તુ વિશેના પાયા વગરના અફવાઓ પર આટલી સરળતાથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમયગાળો છે અને હું મારા વિશ્વાસ પર અડગ રહીને તેનો સામનો કરીશ. હું ખરેખર આશા રાખું છું કે આપણે એક સમાજ તરીકે, કોઈના વિશે પુષ્ટિ વગરની અફવાઓના આધારે અભિપ્રાય બાંધતા પહેલા થોભવાનું શીખીશું, જેના સ્રોત ક્યારેય ઓળખાતા નથી. આપણા શબ્દો આપણને એવા ઘા આપી શકે છે જેને આપણે ક્યારેય સમજી શકીશું નહીં.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


પલાશે આગળ તેમને લઈને અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની પણ વાત કરી છે. પોતાના નિવેદનમાં તેમણે લખ્યું છે કે, “જ્યારે આપણે આ બાબતો પર વિચાર કરી રહ્યા છીએ, ત્યારે દુનિયામાં ઘણા લોકો તેના ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યા છે. મારી ટીમ ખોટી અને અપમાનજનક અફવાઓ ફેલાવનારાઓ સામે સખત કાનૂની કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેલા તમામ લોકોનો આભાર.”એક તરફ જ્યાં પલાશે નિવેદન જારી કર્યું, ત્યાં બીજી તરફ સ્મૃતિ મંધાનાએ પણ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું કે લગ્ન રદ થઈ ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
'Saat Samundar Paar' Beats Stolen Without Permission, Director Upset, Will TMMTMTTM Makers Face Legal Action
મનોરંજન

Tu Mera Main Teri Main Tera Tu Meri: ‘સાત સમુંદર પાર’ ગીતના બીટ્સ ચોર્યાનો આરોપ! ડિરેક્ટર નારાજ, શું TMMTMTTMના મેકર્સ પર થશે ‘કોપીરાઇટ’નો કેસ?

by Zalak Parikh December 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tu Mera Main Teri Main Tera Tu Meri: નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ તું મેરા મેં તેરી મેં તેરા તું મેરી (TMMTMTTM) હાલમાં ચર્ચામાં છે. ફિલ્મની મુશ્કેલીઓ વધી રહી છે, જેનું કારણ તું મેરા મેં તેરી મેં તેરા તું મેરી માં ઉપયોગમાં લેવાયેલા સાત સમુંદર પાર ગીતના બીટ્સ છે. ૯૦ના દાયકાની પ્રખ્યાત ફિલ્મ વિશ્વાત્માના આ કલ્ટ ગીતના બીટ્સ નો પરવાનગી વિના ઉપયોગ કરવા બદલ ડિરેક્ટર રાજીવ રાયે નારાજગી વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Jaya Bachchan: પૅપ્સે જયા બચ્ચન સામે ગુસ્સો ઠાલવ્યો, પૌત્ર અગસ્ત્યની ‘ઇક્કીસ’ ફિલ્મના પ્રમોશનમાં સાથ આપવાનો ઇનકાર!

સાત સમુંદર પાર ના બીટ્સ નો ઉપયોગ 

રાજીવ રાયના નિર્દેશનમાં ફિલ્મ વિશ્વાત્મા રજૂ થઈ હતી. આ મૂવીનું સાત સમુંદર પાર ગીત આજે પણ લોકપ્રિય છે. હવે આ ગીતના બીટ્સ નો ઉપયોગ કાર્તિક આર્યનની આગામી મૂવી તું મેરા મેં તેરી મેં તેરા તું મેરી માં કરવામાં આવ્યો છે, જેને લઈને રાજીવ રાયે વાંધો ઉઠાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)


રાજીવ રાયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જો ફિલ્મમાં આ ગીતના બીટ્સ નો ઉપયોગ થયો હોય તો મેકર્સે તેમની પરવાનગી લેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, “આજકાલ જૂના ગીતોને લઈને ફરીથી બનાવવાનો ટ્રેન્ડ બની ગયો છે, જે લોકપ્રિય ગીતોને બરબાદ કરી રહ્યો છે.” તેમણે સ્પષ્ટતા કરી કે, સારેગામા કંપનીને લાગે છે કે વિશ્વાત્માનું મ્યુઝિક તેમનું છે, તેઓ તેનો ઉપયોગ ટીવી શૉઝ અને પર્ફોર્મન્સ માટે કરી શકે છે, પરંતુ જો તેનો ઉપયોગ કોઈ ફિલ્મમાં કરવો હોય તો તેમની (રાજીવ રાયની) મંજૂરી લેવી અનિવાર્ય છે. તેમણે ચેતવણી આપી કે જો ચોક્કસ પ્રોટોકોલ્સનું પાલન નહીં થાય તો લીગલ એક્શન પણ થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mahhi Vij Slams Divorce Rumors with Jay Bhanushali, Warns of Legal Action
મનોરંજન

Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત

by Zalak Parikh October 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Mahhi Vij: ટીવી જગતના લોકપ્રિય કપલ માહી વિજ અને જય ભાનુશાલી તાજેતરમાં છૂટાછેડા ની અફવાઓને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક પોર્ટલે દાવો કર્યો હતો કે બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે અને બાળકોની કસ્ટડી પણ ફાળવાઈ ગઈ છે. આ અફવાઓ સામે માહી વિજે તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને ખોટી માહિતી ફેલાવનારા સામે કાયદેસર પગલાં લેવાની ચેતવણી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી

ઇન્સ્ટાગ્રામ પેજે ફેલાવી ખોટી માહિતી

એક ઇન્સ્ટાગ્રામ પેજે પોસ્ટ કરીને લખ્યું હતું કે 14 વર્ષના લગ્ન પછી માહી અને જય છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે. પોર્ટલના દાવા મુજબ, છૂટાછેડાના કાગળો જુલાઈ-ઑગસ્ટ 2025 વચ્ચે સાઇન થઈ ગયા હતા. આ સાથે ત્રણ બાળકોની કસ્ટડી અંગે પણ નિર્ણય લેવાયો હોવાનું લખાયું હતું.માહી વિજે આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું: “અહીં ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. કૃપા કરીને આવા ફોલ્સ નેરેટિવ પોસ્ટ ન કરો. હું કાયદેસર પગલાં  લઉં છું.” માહીનો આ પ્રતિસાદ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by TellyMasala (@tellymasala)


થોડા સમય પહેલા માહી વિજે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સમાજ સિંગલ માતાઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓને અલગ નજરે જુએ છે. લોકો હંમેશા ડ્રામા અને આરોપોની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું કે “લોકોને જીવવા દો અને પોતે પણ જીવો” એ જ સાચો રસ્તો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Abhishek and Aishwarya Sue YouTube and Google Over Deepfake Videos, Demand 4 Crore Compensation
મનોરંજન

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા એ યુટ્યુબ અને ગુગલ પર દાખલ કર્યો કેસ, માંગ્યું અધધ આટલા કરોડ નું વળતર

by Zalak Parikh October 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: બોલીવૂડ સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એ યુટ્યુબ અને તેની પેરેન્ટ કંપની ગુગલ સામે દિલ્હી હાઇકોર્ટ માં 4 કરોડ ના વળતર ની માંગ સાથે યાચિકા દાખલ કરી છે. આ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે યુટ્યુબ પરડીપફેક  અને એઆઈ જનરેટેડ વિડિઓઝ દ્વારા તેમની પર્સનલ ઈમેજ, અવાજ અને પર્સનાલિટી રાઈટ્સનો ભંગ થયો છે.

આ સમાચાર પણ વાંચો :  Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ

યાચિકાની મુખ્ય માંગ અને દલીલ

એવો દાવો કરવામાં આવે છે કે આવા 1,500 પેજ કાર્યરત છે. આ અરજી ફક્ત ડીપફેક વીડિયો સામે જ નહીં, પરંતુ અનધિકૃત માલ, પોસ્ટર, મગ, સ્ટીકરો અને નકલી ઓટોગ્રાફ ફોટા વેચતા ઓછા જાણીતા વિક્રેતાઓ સામે પણ છે. અરજીમાં યુટ્યુબ વીડિયોની ઘણી લિંક્સ અને સ્ક્રીનશોટ શામેલ છે જેમાં કથિત રીતે લૈંગિક રીતે સ્પષ્ટ અથવા કાલ્પનિક એઆઈ-જનરેટેડ સામગ્રી છે.

 

View this post on Instagram

 

A post shared by pressnews tv (@pressnewstv)


એઆઈના દુરુપયોગનો ઉપયોગ કરીને બનાવેલા એક વીડિયોમાં અભિષેક બચ્ચન અચાનક એક અભિનેત્રીને ચુંબન કરતો જોવા મળે છે. બીજા વીડિયોમાં ઐશ્વર્યા રાય તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે રાત્રિભોજન કરતી જોવા મળે છે, જેમાં અભિષેક પાછળ ઉભો છે અને ગુસ્સે દેખાય છે. અરજીમાં એઆઈ બોલિવૂડ ઇશ્ક નામની યુટ્યુબ ચેનલનો ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ચેનલ પાસે આવા 259 થી વધુ વીડિયો છે, જેને 16.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે. દિલ્હી હાઈકોર્ટે ગયા મહિને કેસની સુનાવણી કરતી વખતે ગૂગલના કાનૂની સલાહકારને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરી, 2026 ના રોજ થશે. કોર્ટે કલાકારો દ્વારા ઓળખાયેલી 518 લિંક્સ અને પોસ્ટ્સને દૂર કરવાનો આદેશ આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે આનાથી દંપતીને નાણાકીય નુકસાન અને પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aishwarya Rai Bachchan moves Delhi High Court against misuse of AI-generated images, seeks protection of personality rights
મનોરંજન

Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી

by Zalak Parikh September 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Bachchan: બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન એ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે એવી દલીલ કરી છે કે અનેક વેબસાઇટ્સ અને બ્રાન્ડ્સ તેના નામ, છબી અને એઆઈ થી બનાવેલી અસલી જેવી તસવીરોનો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી તેના વ્યક્તિગત હકો નું ઉલ્લંઘન થઈ રહ્યું છે

આ સમાચાર પણ વાંચો : Abhinav Kashyap: ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને ખાન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, તેમનું નિવેદન થયું વાયરલ

કોર્ટમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ

ઐશ્વર્યા રાય બચ્ચન ના વકીલ એ જણાવ્યું કે કેટલીક વેબસાઇટ્સ તેના નામથી મગ, ટી-શર્ટ્સ અને વોલપેપર વેચી રહી છે. યુટ્યુબ પર પણ એઆઈથી મોર્ફ કરેલી તસવીરો અપલોડ થઈ રહી છે. આ તસવીરો ઐશ્વર્યા રાયની નથી અને તેણે ક્યારેય આવી છબીઓ માટે મંજૂરી આપી નથી.ન્યાયમૂર્તિ એ મૌખિક રીતે સંકેત આપ્યો કે તેઓ પ્રતિવાદીઓ સામે તાત્કાલિક આદેશ આપશે. ગુગલ ના વકીલને 151 URL લિંક્સ તાકીદે ડિલીટ કરવા માટે પણ કહ્યું છે. કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરી 2026ના રોજ થશે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


આ પહેલા 2023માં અનિલ કપૂર અને 2022માં અમિતાભ બચ્ચન એ પણ તેમના પર્સનાલિટી રાઇટ્સ માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેમના નામ, અવાજ અને છબી ના દુરુપયોગ સામે રક્ષણ આપ્યું હતું. ઐશ્વર્યા રાયનો કેસ પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Legal Trouble for The Bengal Files FIR Filed by TMC Leaders Against Filmmakers
મનોરંજન

The Bengal Files: રિલીઝ પહેલા જ વિવાદ માં આવી ‘ધ બંગાળ ફાઇલ્સ’, TMC નેતાઓએ વિવેક અગ્નિહોત્રી પર આવા આરોપ લગાવતા દાખલ કરી FIR

by Zalak Parikh August 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

The Bengal Files:  ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રી ની આગામી ફિલ્મ ‘ધ બંગાળ ફાઇલ્સ’ (The Bengal Files) પર વિવાદ ઊભો થયો છે. TMC (Trinamool Congress)ના નેતાઓએ ફિલ્મના ટીઝર અને તેના દ્રશ્યોને લઈને FIR દાખલ કરી છે. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ ‘સાંપ્રદાયિક નફરત’ ફેલાવે છે અને ‘માતા દુર્ગાની પ્રતિમા’ને આગ લગાવવાના દ્રશ્ય પરંપરા અને ધાર્મિક સૌહાર્દ સામે છે.

આ સમાચાર પણ વાંચો : Son of Sardaar 2: સુનિલ શેટ્ટી એ આપ્યો સન ઓફ સરદાર 2 નો પહેલો રીવ્યુ, અજય દેવગણ ની ફિલ્મ વિશે કહી આવી વાત

 FIRમાં શું છે આરોપ?

FIRમાં TMC નેતાઓએ જણાવ્યું છે કે “ટીઝરમાં દર્શાવાયેલ દ્રશ્યો રાજ્યમાં તણાવ ઊભો કરી શકે છે.” તેમણે કહ્યું કે “આ ફિલ્મ ભારતીય સિનેમાની ધર્મનિરપેક્ષ પરંપરાને નુકસાન પહોંચાડે છે.” FIRમાં વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશી બંનેના નામ છે.ફિલ્મના નિર્માતા હાલમાં અમેરિકાના 10 શહેરોમાં ફિલ્મના પ્રમોશન માટે ટૂર પર છે. 19 જુલાઈથી શરૂ થયેલી ટૂર 10 ઓગસ્ટે હ્યુસ્ટનમાં પુરી થશે. અત્યાર સુધીમાં વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશી તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Vivek Ranjan Agnihotri (@vivekagnihotri)


‘ધ બંગાળ ફાઇલ્સ’ (The Bengal Files) વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલી અને અભિષેક અગ્રવાલ તથા પલ્લવી જોશી દ્વારા પ્રોડ્યુસ કરાયેલી છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમારઅને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ‘ફાઇલ્સ ટ્રિલોજી’નો ભાગ છે અને 5 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranveer allahbadia and samay raina controversy al indian cine workers association urges for ban and legal action on youtuber and standup comedian
મનોરંજન

Ranveer allahbadia and Samay raina: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના ને લાગ્યો વધુ એક ઝટકો, AICWA એ બંને પર પ્રતિબંધ લગાવતા કહી આવી વાત

by Zalak Parikh February 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia and Samay raina: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના ની મુશ્કેલી માં વધારો થયો છે.ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પોસ્ટ અને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણીઓની સખત નિંદા કરી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. એસોસિએશને રણવીર અલ્હાબાદિયા સામે કાનૂની કાર્યવાહીની પણ માંગ કરી હતી.આ ઉપરાંત એસોસિએશને ભારતીય ફિલ્મ ઉદ્યોગને શોમાં સામેલ વ્યક્તિઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો: Saif ali khan: જાણો સૈફ અલી ખાન સાથે તે રાત્રે શું થયું હતું, અભિનેતા એ સંભળાવી આપવીતી

AICWA એ રણવીર અને સમય પર પ્રતિબંધ મુકવાની કરી માંગણી

ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને કહ્યું, “ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન સમય રૈના દ્વારા હોસ્ટ કરાયેલા યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં કરવામાં આવેલી નિંદનીય અને વાંધાજનક ટિપ્પણીઓની સખત નિંદા કરે છે. તાજેતરના એક એપિસોડમાં, શોમાં ભાગ લેનાર રણવીર અલ્હાબાદિયાએ ઘૃણાસ્પદ નિવેદનો આપ્યા હતા જે આપણા સામાજિક અને પારિવારિક મૂલ્યો માટે અત્યંત અપમાનજનક છે. આવી સામગ્રી બિલકુલ સ્વીકાર્ય નથી અને આપણા સમાજના નૈતિકતા માટે મોટો ખતરો છે.”

Press Release by All Indian Cine Workers Association (AICWA)

Date: 10th February 2025

Subject: Strong Condemnation and Immediate Ban on “India’s Got Latent”

The All Indian Cine Workers Association (AICWA) vehemently condemns the reprehensible and offensive remarks made on the… pic.twitter.com/ji3V9MzNwa

— All Indian Cine Workers Association (@AICWAofficial) February 10, 2025


એસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે, “સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા, ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન સત્તાવાર રીતે ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટનો બહિષ્કાર કરે છે. અમે બધા કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટેકનિશિયનોને આ શોમાં સામેલ વ્યક્તિઓ, જેમાં હોસ્ટ સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સમાવેશ થાય છે, સાથે કોઈપણ જોડાણ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરીએ છીએ. આ વ્યક્તિઓને હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગ તરફથી કોઈ સમર્થન મળશે નહીં.” એટલું જ નહીં એસોસિએશને બંને પર પ્રતિબંધ ઉપરાંત, રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના સામે કડક કાનૂની કાર્યવાહી, તમામ જવાબદાર વ્યક્તિઓ સામે FIR અને સમાન ઘટનાઓને રોકવા માટે ડિજિટલ સામગ્રી માટે કડક નિયમોની પણ માંગ કરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC Palak Sidhwani aka Sonu reacts on claims of Taarak Mehta Ka Ooltah Chashmah makers taking legal action against her
મનોરંજન

TMKOC: ‘શું તારક મહેતા..’ની સોનુએ કોન્ટ્રેક્ટ તોડ્યો?, કાનૂની કાર્યવાહીના સમાચાર પર અભિનેત્રીએ તોડ્યું મૌન; જાણો શું કહ્યું..

by kalpana Verat September 14, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

TMKOC: લાંબા સમયથી ચાલી રહેલ સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  અવાર નવાર ચર્ચામાં છે. એક તરફ જયારે એક પછી એક ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. તે જ સમયે, અસિત મોદી અને તેના શોના કેટલાક કલાકારો વચ્ચેના વિવાદો પણ ચર્ચામાં રહ્યા હતા. હવે અહેવાલ છે કે ‘તારક મહેતા…’માં સોનુ ભીડે નું પાત્ર ભજવતી પલક સિધવાનીએ પ્રોડક્શન હાઉસ સાથેનો કોન્ટ્રેક્ટ તોડી નાખ્યો છે. એવા પણ અહેવાલ છે કે અસિત મોદીની ટીમ પલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. શોના પ્રોડક્શન હાઉસ, નીલા ફિલ્મ પ્રોડક્શન્સ ટૂંક સમયમાં આ મુદ્દા પર તેમને કાનૂની નોટિસ મોકલવાની યોજના બનાવી રહી છે. 

TMKOC: પલક સિધવાનીએ પોતે મૌન તોડ્યું

દરમિયાન હવે પલક સિધવાનીએ પોતે આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. આ સમગ્ર મામલે પલક સિધવાણીએ કહ્યું કે, “મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે કારણ કે મને હજુ સુધી કોઈ લીગલ નોટિસ મળી નથી.”

TMKOC: કોન્ટેક્ટ તોડવા અને કાનૂની કાર્યવાહી પર પલકની પ્રતિક્રિયા

‘તારક મહેતા…’ની સોનુ એટલે કે પલક સિધવાનીએ તાજેતરમાં જ એક મીડિયા હાઉસને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં પલકે કોન્ટ્રાક્ટ તોડવા અને કાયદાકીય કાર્યવાહી કરવાના સમાચારો પર નારાજગી વ્યક્ત કરી હતી. પલકે કહ્યું, ‘સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આવા તમામ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને બકવાસ છે. મને ખબર નથી કે લોકો મારી સાઇટને જાણ્યા વિના કોઈ વ્યક્તિ માટે આવી વસ્તુઓ કેવી રીતે લખી શકે છે? અન્ય કલાકારો પણ એન્ડોર્સમેન્ટ કરે છે. મારી અને પ્રોડક્શન હાઉસ વચ્ચે આવું કંઈ થયું નથી. પલકે પણ કાયદાકીય કાર્યવાહીની બાબતને સંપૂર્ણ અફવા ગણાવી હતી.

આ સમાચાર પણ વાંચો : તેજસ્વી પ્રકાશ એ શેર કરી તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો, અભિનેત્રી ના ફોટા જોઈ ઘાયલ થઇ જશે કરણ કુન્દ્રા

 TMKOC: પલક પહેલા નિધિએ સોનુનું પાત્ર ભજવ્યું હતું.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. તેણે તાજેતરમાં ટેલિકાસ્ટના 16 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શોમાં પલક સિધવાની સોનુની ભૂમિકા ભજવી રહી છે. તે 4 વર્ષ પહેલા તેનો ભાગ બની હતી. જણાવી દઈએ કે પલક સિધવાની પહેલા નિધિ ભાનુશાલીએ સોનુ ભીડેનું પાત્ર ભજવ્યું હતું.  બંને અભિનેત્રીઓએ આ પાત્ર દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. હાલમાં આ શોમાં દિલીપ જોશી, મંદાર ચંદવાદકર, મુનમુન દત્તા, સુનૈના ફોજદાર અને સોનાલિકા જોશી જેવા જાણીતા કલાકારો જોવા મળે છે.  

September 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sumbul touqeer khan father takes legal action against online trolls
મનોરંજન

Sumbul touqeer khan: ટીવી અભિનેત્રી સુમ્બુલ તૌકીર ના પિતા એ ટ્રોલર્સ ને ભણાવ્યો પાઠ, આ કારણે કરી તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી

by Zalak Parikh April 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sumbul touqeer khan: સુમ્બુલ તૌકીર નાના પડદાની લોકપ્રિય અભિનેત્રીછે. હાલ સુમ્બુલ સીરિયલ ‘કાવ્યાઃ એક જઝબા, એક જુનૂન’માં જોવા મળી રહી છે, જેમાં તે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ઘણીવાર સુમ્બુલ ટ્રોલર્સ ના નિશાના પર આવતી રહે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સુમ્બુલ ના પિતા તૌકીર હસન ખાને તેમના પરિવારને બદનામ કરનારા ટ્રોલર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.અને આ વિશે તેમને તેમના સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે.  

આ સમાચાર પણ વાંચો : Heeramandi: સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, રાજવી વિસ્તારની ગણિકાઓની વાર્તા છે ‘હીરામંડી’

સુમ્બુલ ના પિતા એ ટ્રોલર્સ વિરુદ્ધ કરી કાનૂની કાર્યવાહી 

સુમ્બુલ તૌકીરના પિતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમને એફઆઈઆર ની કોપી શેર કરતા લખ્યું છે કે, ‘મારી અને મારા પરિવાર વિરુદ્ધ કોઈપણ અપમાનજનક પોસ્ટ પર હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે, નોટિસ પણ આવા લોકો સુધી જલ્દી પહોંચશે. ધીરજ અને વિશ્વાસ સાથે સત્યની હંમેશા જીત થાય છે.’

Any/ all the defamatory posts published or circulated against myself and our family will be dealt with strictly and in accordance with the law. Cases are registered, and notice is on its way. Truth always prevails with patience & belief. 🙏 https://t.co/A49ZEizVVe

— touqeer (@papatouqeer) April 9, 2024


તમને જણાવી દઈએ કે સુમ્બુલના પિતા પણ બિગ બોસ 16માં જોવા મળ્યા હતા જ્યારે અભિનેત્રી શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ શો પછી, ફહમને એક ઈન્ટરવ્યુમાં સુમ્બુલના પિતા પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમના કારણે જ બંને અલગ થઈ ગયા હતા અથવા તો તેમની મિત્રતામાં તિરાડ આવી હતી. ફહમાનના ઈન્ટરવ્યુ બાદ સુમ્બુલના પિતાને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ફહમને ટ્વીટ કરીને તેમને બદનામ ના કરવાની વિનંતી કરી હતી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir alia are going to take legal action against paparazzi
મનોરંજન

શું પાપારાઝી સામે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે રણબીર-આલિયા?, કહી આ મોટી વાત

by Zalak Parikh March 11, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે હાલમાં જ પાપારાઝી પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આલિયા ભટ્ટના ઘરમાં તેનો પ્રાઇવેટ ફોટો ક્લિક કરવા બદલ પાપારાઝીને ઠપકો આપવામાં આવ્યો હતો. જ્યારે આલિયા તેના લિવિંગ રૂમમાં હતી, ત્યારે પડોશીના ટેરેસ પરથી બે લોકો તેની તસવીર લઇ રહ્યા હતા. આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ઘટના અંગે એક મોટી નોંધ પણ લખી હતી. હવે રણબીર કપૂર તેની પત્ની આલિયાની પ્રાઈવસી મામલે કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યો છે. રણબીર કપૂરે કહ્યું કે આ ઘટના ખૂબ જ શરમજનક છે અને તે હાલમાં આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યો છે.

 

રણબીર કરશે કાનૂની કાર્યવાહી 

રણબીર કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આ ઘટના ખૂબ જ ખરાબ હતી. આ કોઈની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. તમે મારા ઘરમાં ‘શૂટ’ નહીં કરી શકો. મારા ઘરની અંદર કંઈપણ થઈ શકે છે. એ મારું ઘર છે. આ બિલકુલ ખોટું હતું. અમે આ સમગ્ર મામલે યોગ્ય કાયદાકીય માધ્યમથી કાર્યવાહી કરી રહ્યા છીએ. જોકે, રણબીરે આ વિશે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ‘જે થયું તે ખૂબ જ શરમજનક હતું. અમે પાપારાઝી નો આદર કરીએ છીએ. હું માનું છું કે પાપારાઝી અમારી દુનિયા નો એક ભાગ છે. તેઓ અમારા માટે કામ કરે છે અને અમે તેમના માટે કામ કરીએ છીએ. પરંતુ આવી વસ્તુઓ કરવી ખૂબ જ શરમજનક છે.’

 

આલિયાએ શેર કરી હતી સ્ટોરી 

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર એક મીડિયા હાઉસ દ્વારા લેવામાં આવેલ ફોટો શેર કર્યો અને લખ્યું, ‘શું આ મજાક છે. હું મારા ઘરમાં સામાન્ય દિવસોની જેમ બપોરે મારા લિવિંગ રૂમમાં બેઠી હતી. અચાનક મને લાગ્યું કે કોઈ મારી સામે જોઈ રહ્યું છે. મેં ઉપર જોયું અને મારી પડોશી બિલ્ડિંગની છત પર બે માણસો કેમેરા વડે મને શૂટ કરી રહ્યા હતા. આલિયાએ લખ્યું હતું કે આ કઈ દુનિયામાં થાય છે અને તમને તેની પરવાનગી કોણે આપી છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે આલિયાની પ્રાઈવસીનું સમર્થન કર્યું હતું. કરણ જોહર, અર્જુન કપૂર, અનુષ્કા શર્માથી લઈને સ્વરા ભાસ્કર સુધી, બોલિવૂડ સ્ટાર્સે પાપારાઝી ને પ્રાઈવસીની મર્યાદા હોવાની વાત કરી છે.

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક