Tag: Live Safe Live Freely

  • Godrej Locks: આટલા ભારતીયો વેકેશન પર પણ કરતા હોય છે ઘરની સલામતીની ચિંતા..

    Godrej Locks: આટલા ભારતીયો વેકેશન પર પણ કરતા હોય છે ઘરની સલામતીની ચિંતા..

    News Continuous Bureau | Mumbai    

    Godrej Locks: વેકેશન એટલે આરામ, વ્યસ્ત જીવનમાંથી વિરામ લેવાની અને આનંદ માણવાનો સમય. વેકેશનની ( vacation ) રજાઓમાં મોટાભાગના ભારતીયો ( Indians ) ફરવાનો શોખ ધરાવતા હોય છે. પરંતુ વેકેશન સ્પોટ પર પણ તેઓ ઘરની સલામતીની ( Home security ) ચિંતાથી હેરાન થતા હોય છે. ગોદરેજ ગ્રૂપની ( Godrej Group ) ફ્લેગશિપ કંપની, ગોદરેજ એન્ડ બોયસના બિઝનેસ, ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ દ્વારા ‘લીવ સેફ, લીવ ફ્રીલી’ના ( Live Safe Live Freely ) નવા રિસર્ચ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી ચિંતાઓ ઘણીવાર રજાના આયોજનમાં વિક્ષેપ પાડે છે.

    ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફીટીંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ આ વિચાર પર ટીપ્પણી કરી હતી કે, “’લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસના તારણો દર્શાવે છે કે મોર્ડન વેકેશનર (આધુનિક પ્રવાસી) માટે તેમના ઘરની સલામતી ચિંતાઓ બોજારૂપ છે. વેકેશન દરમિયાન દરવાજા યોગ્ય રીતે બંધ થયા હતા કે કેમ તે અંગેના પ્રશ્નો સતત તેમના મગજમાં ચાલતા હોય છે. તે સ્પષ્ટ છે કે ચિંતામુક્ત મુસાફરી માટે ઘરની સલામતીની ખાતરી કરવી અનિવાર્ય છે. આ અભ્યાસ ઘરની સલામતીમાં ટેક્નોલોજીની ભૂમિકા પર ભાર મૂકાયો છે, જે વ્યક્તિઓને તેમના વેકેશનના સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે સશક્ત બનાવે છે.

    ડિજિટલ લોક જેવા અદ્યતન સોલ્યુશન્સ સાથે લોકો હવે ચિંતામુક્ત મુસાફરી કરી શકે છે, કારણ કે તેઓ Wi-Fi સાથે વિશ્વમાં ગમે ત્યાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઘરના લોકને યોગ્ય રીતે ઓપરેટ કરી શકે છે. ગોદરેજ લૉક્સ અને આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને સિસ્ટમ્સમાં, અમારી પ્રતિબદ્ધતા અત્યાધુનિક ઉકેલો પ્રદાન કરવાની છે જે વ્યક્તિઓને સલામતી સાથે સમાધાન કર્યા વિના મુક્તપણે જીવન માણવા સશક્ત બનાવે છે.”

    So many Indians worry about home safety even on vacation.
    So many Indians worry about home safety even on vacation.

     

    ‘લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસનો હેતુ ભારતીયોના જીવનમાં મૂલ્યવાન પાસાંઓ ઉમેરવાની સાથે ઘરની સુરક્ષા માટે ટેક્નોલોજીના વિકલ્પો પ્રદાન કરી ચિંતામુક્ત શાંતિથી વેકેશન માણવાની ખાતરી આપવાનો છે.

    આ સમાચાર પણ વાંચો :  Israel-Hamas war: ઈઝરાયલ- હમાસ યુદ્ધમાં જઈ રહ્યા છે મહિલા અને બાળકોના જીવ! હવે યુરોપિયન યુનિયનના આટલા દેશોએ કરી તાત્કાલિક યુદ્ધવિરામની માંગ.

    અભ્યાસમાં પ્રવાસનો વિષય એ મહત્વના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવ્યો છે. જે દર્શાવે છે કે, 79% ઉત્તરદાતાઓ વેકેશન પર હોય ત્યારે તેમના ઘરના તમામ દરવાજા અને બારીઓને યોગ્ય રીતે લોક કર્યા હતાં કે નહિં તેની અસમંજસમાં રહી ચિંતિત થતા હોય છે. તેમજ 40%થી વધુ લોકોએ વરિષ્ઠ નાગરિકો દ્વારા ઘરની ચાવીઓ ભૂલી જવા કે ગુમાવી દેવાની અને લોક આઉટ થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

    So many Indians worry about home safety even on vacation.
    So many Indians worry about home safety even on vacation.

    આ રિસર્ચમાં નોંધ્યું હતું કે, 48% ઉત્તરદાતાઓ કે જેઓ તેમના ઘરની સુરક્ષા માટે ચિંતિંત નથી હોતાં તેઓ તેમની રજાઓના સમયગાળાને લંબાવી વર્કેશનમાં ફેરવતા હોય છે. વધુમાં 49% લોકોએ જણાવ્યું હતું કે, તેઓ ટેક ગેજેટની મદદથી દિવસમાં એકવાર તો ઘરની સુરક્ષા ચકાસતા હોય છે. ઓફિસમાં બેઠા બેઠા પણ આ પ્રક્રિયા તો રોજિંદા કરતાં હોય છે, 29% લોકો ઓફિસમાંથી દર ત્રીજા કલાકે ઘરની સુરક્ષાની ખાતરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

    ‘લીવ સેફ, લિવ ફ્રીલી’ અભ્યાસનો ઉદ્દેશ સલામતી અને સગવડતા સુનિશ્ચિત કરતાં સ્માર્ટ-હોમ ડિવાઈસિસ અપનાવવા પર લોકોની ટેવો અને સ્વભાવ સમજવાનો છે. આ અભ્યાસમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં 2,000 લોકોને આવરી લેવામાં આવ્યા હતાં

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Godrej Locks: આટલા ટકા ભારતીયો હજુ પણ પડોશીઓને જ ઘરની ચાવી આપવાનું સમજે છે સુરક્ષિત..

    Godrej Locks: આટલા ટકા ભારતીયો હજુ પણ પડોશીઓને જ ઘરની ચાવી આપવાનું સમજે છે સુરક્ષિત..

    News Continuous Bureau | Mumbai

    Godrej Locks : પરંપરાગત રીતે ભારતીયો ( Indians ) હંમેશા વિવિધ બાબતો માટે પોતાના પડોશીઓ પર આધાર રાખવા માટે જાણીતા છે અને તેમાંનું એક પાસું છે મુખ્ય દરવાજાની વધારાની ચાવી પાડોશીને સોંપવી. જો કે, ગુનાખોરીના વધેલા પ્રમાણ વચ્ચે બદલાતા સંજોગોમાં – શું હજુ પણ આ સૌથી સલામત વિકલ્પ છે? ઉપભોક્તાઓની આ પ્રકારની વર્તણૂંકને સમજવા માટે ગોદરેજ લૉક્સે તાજેતરમાં ‘લીવ સેફ, લીવ ફ્રીલી’ ( Live Safe  Live Freely’ ) નામે એક સંશોધન અભ્યાસ પૂર્ણ કર્યો છે. 

    ગોદરેજ ગ્રૂપની ( Godrej Group ) અગ્રણી કંપની, ગોદરેજ એન્ડ બોયસેના બિઝનેસ યુનિટ, ગોદરેજ લૉક્સે હોમ સેફ્ટી ડે નિમિત્તે તેમની વાર્ષિક પહેલના ભાગ રૂપે આ અભ્યાસ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકો પોતાના ઘર સુરક્ષા માટેની પસંદગીઓને અપગ્રેડ કરવા માટે શું વિચારે છે તે અંગે અનોખી રીતે નિરીક્ષણ કરવાનો હતો.

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અભ્યાસમાં ભાગ લેનારા લગભગ અડધા (49%) લોકોએ જણાવ્યું હતું કે જો તેઓ કામ કરતા માતા-પિતા હોય તો તેઓ તેમનું બાળક ઘરની અંદર રહી શકે તેની ખાતરી કરીને ઘરની વધારાની ચાવી પડોશી, સંબંધી કે પછી પરિવારના સભ્યને સોંપે છે. તેવી જ રીતે, અડધાથી વધુ (56%) લોકોએ જણાવ્યું હતું કે તેઓ ચીજવસ્તુઓની ડિલિવરીમાં સુવિધા રહે તે માટે પોતાના પાડોશીઓને ચાવી સોંપે છે.

    Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.
    Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.

     

    લગભગ અડધા ઉત્તરદાતાઓ (46%) એ જણાવ્યું હતું કે તેઓ પરિવારના સભ્ય માટે ચાવીને તેમના પાડોશીને સોંપવામાં આરામદાયક અનુભવ કરે છે, પછી ભલે સમય મોડી રાતનો હોય, જ્યારે ચોથા ભાગથી વધુ (26%) એ દાવો કર્યો હતો કે જો ઘરમાં તાળું હોવાને કારણે જો તેઓ ઘરની બહાર રહી જાય છે,તો તેની પાછળનું કારણ એ હોય છે કે વધારાની ચાવી સોંપી હોય તે પાડોશી પોતાના ઘરે ન હતો.

    આ સમાચાર પણ વાંચો : Ram Mandir : 5 સદીઓનું વચન થયું પૂર્ણ… અયોધ્યામાં રામ મંદિર યુગો સુધી સનાતન સંસ્કૃતિનું પ્રતીક : અમિત શાહ

    ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્યામ મોટવાણીના ( Shyam Motwani ) જણાવ્યા અનુસાર, “પહેલાના સમયમાં મોટાભાગના સમુદાયોમાં પોતાના પડોશીઓ સાથે સારી રીતે પરિચય હોવો એક નિયમ સમાન બાબત હતી, આટલું જ નહીં પાડોશીઓ એક વિસ્તૃત પરિવાર જેવા હતા અને તેથી આ પ્રકારની નિર્ભરતા સામાન્ય બાબત હતી. જો કે, દુનિયા ઝડપથી બદલાઈ ગઈ છે, ખાસ કરીને શહેરી અને અર્ધગ્રામીણ ક્ષેત્રોમાં, જ્યાં લોકો મોટાભાગે કામ અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે ઘરની બહાર હોય છે અને તુલનાત્મક રીતે ઝડપી જીવન જીવે છે. આજની દુનિયામાં, જ્યારે આપણા ઘરની સલામતીની વાત આવે ત્યારે આપણા પડોશીઓ સહિત બાહ્ય પક્ષો પર નિર્ભર રહેવું યોગ્ય નથી. ગોદરેજમાં, અમે હંમેશા નવી ટેક્નોલોજી માટે પહેલ કરી છે અને સતત કંઈક નવું કરતા રહ્યા છીએ, જેથી ગ્રાહકો તેમના ઘરના તાળાને અપગ્રેડ કરવા માટે તેમની જીવનશૈલી સાથે મેળ ખાતી વધુ પસંદગીઓ કરી શકે. CIOT ડિજિટલ તાળા જેવા અમારા લેટેસ્ટ ઈનોવેશન આધુનિક ઉપભોક્તાને તેમના દરવાજાના તાળાનું નિયંત્રણ કરવા માટે એવી રીતે સક્ષમ બનાવે છે, જે પહેલા ક્યારેય નહતું. વધારાની ચાવીઓ હવે એટલી મહત્વપૂર્ણ નથી રહી, કેમકે અમારી પાસે ફોન દ્વારા મુખ્ય દરવાજો ખોલવાનો વિકલ્પ છે, જે આ ઈનોવેશનને આભારી છે.અમે જોયું છે કે ભારતીય ઉપભોક્તા પહેલાથી જ પોતાના ઘરોના અન્ય પાસાઓને અપગ્રેડ કરવાનું અને ટેક્નોલોજી આધારિત વધુ વિકલ્પોની પસંદગી કરવાનું શરૂ કરી ચૂક્યા છે અને અમે એ બાબતે સકારાત્મક છીએ કે ટૂંક સમયમાં મુખ્ય દરવાજાના તાળા સુધી પણ આ વિકલ્પોનું વિસ્તરણ થશે.”

    Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.
    Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.

    લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસનો ઉદ્દેશ્ય સલામતી અને સુવિધાને સુનિશ્ચિત કરવા માટે સ્માર્ટ-હોમ ઉપકરણોને અપનાવવા માટેની માનવીય વર્તણૂંકને સમજવાનો છે. આ અભ્યાસ મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં બે હજાર વ્યક્તિઓ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.