Tag: local

  • મુંબઈમાં લોકલ શરૂ કરવાને મુદ્દે ભાજપાએ આંદોલન છેડ્યું; બોરીવલી સ્ટેશન બહાર કરાયું પ્રદર્શન, જાણો વિગત

    મુંબઈમાં લોકલ શરૂ કરવાને મુદ્દે ભાજપાએ આંદોલન છેડ્યું; બોરીવલી સ્ટેશન બહાર કરાયું પ્રદર્શન, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

    સોમવાર

    સામાન્ય મુંબઈગરા માટે લોકલ શરૂ કરવા અંગે હવે ભાજપે આંદોલન છેડ્યું છે. કોરોના પ્રતિબંધાત્મક રસીના બંને ડોઝ મેળવેલ લોકોને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવા હેતુ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરના નેતૃત્વ હેઠળ આ અંદોલન બોરીવલી રેલવે સ્ટેશનની બહાર કરાયું હતું. લાંબા સમયથી પ્રવાસી સંઘો માગણી કરી રહ્યા છે કે રસીના બંને ડોઝ મેળવેલ લોકોને લોકલમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવે.

    આ ઉપરાંત અગાઉ પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર લખી આ માગણી કરી હતી. જોકેરાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતાં ભાજપના નેતા અને કાર્યકરો આંદોલન પર ઊતર્યા હતા, એમ દરેકરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે “કોરોના કાળમાં લોકોએ રોજગાર ગુમાવ્યો છે અને નોકરિયાત વર્ગે ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે રોજ ૭૦૦-૮૦૦ રૂપિયા ખર્ચવા પડે છે.”

    લો બોલો! હવે સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ પણ સ્ટૅમ્પ પેપર પર લખી આપવી પડશે : મહારાષ્ટ્રના એજ્યુકેશન બોર્ડનો ગજબનો ફતવો; જાણો વિગત

    જો લોકોને બસમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે, તો ટ્રેનમાં પણ પ્રવાસ કરવાની પરવાનગી કેમ ન આપી શકાય?

    ઉલ્લેખનીય છે કે દરેકરે કહ્યું હતું કે “કોરોના મહામારીને કારણે લોકલ બંધ કરવામાં આવી હતી, પરંતુ જનતા કોરોના દ્વારા નહિ, પરંતુ ભૂખમરાને કારણે મરી જશે. મુખ્ય પ્રધાને અહંકારને કારણે લોકલ શરૂ કરવાનો નિર્ણય કરતા નથી.”

  • મુંબઈ લોકલ અંગે રેલવેના રાજ્યપ્રધાન રાવ સાહેબ દનવેએ આપ્યું નિવેદન; કહ્યું રાજ્ય સરકાર કરે ફેંસલો, રેલવે તૈયાર છે

    મુંબઈ લોકલ અંગે રેલવેના રાજ્યપ્રધાન રાવ સાહેબ દનવેએ આપ્યું નિવેદન; કહ્યું રાજ્ય સરકાર કરે ફેંસલો, રેલવે તૈયાર છે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

    શુક્રવાર

    ભારતીય રેલવે સામાન્ય લોકો માટે મુંબઈની જીવાદોરી સમી લોકલ ટ્રેન ખોલવા માટે તૈયાર છે, પરંતુ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર કોરોના વાયરસને કારણે તેમાં અવરોધ કરી રહી છે. નવનિયુક્ત રેલ્વે રાજ્યમંત્રી રાવસાહેબ દનવેએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર સામાન્ય લોકો માટે લોકલ શરૂ કરવા તૈયાર છે, પરંતુ જ્યાં સુધી રાજ્ય સરકાર લીલી ઝંડી નહિ આપે છે ત્યાં સુધી સામાન્ય લોકો મુસાફરી કરી શકશે નહિ.

    એવા સમયે જ્યારે મુંબઈની અડધાથી વધુ વસ્તીને કોરોના વાયરસ પ્રતિબંધાત્મક રસી આપવામાં આવી છે, ત્યારે ઠાકરે સરકાર બંને ડોઝ લીધેલા લોકોને પણ મંજૂરી આપવા માટે ખચકાટ અનુભવે છે. લોકલ ટ્રેનમાં અનધિકૃત રીતે પ્રવાસીઓ મુસાફરી કરતા હોવાથી હવે રાજ્ય સરકારે યુનિવર્સલ પાસ સિસ્ટમ લાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેથી નજીકના સમયમાં લોકલમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી મળે તેવી શક્યતા નહિવત છે.

    ફીના મુદ્દે હાઈકોર્ટે કહ્યું કાનૂની લડતની જરૂર નથી; હાઈકોર્ટેની ફટકાર બાદ મહારાષ્ટ્ર સરકારે કર્યા આ બદલાવ, જાણો વિગત

    ઉલ્લેખનીય છે કે અગાઉ જ રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે સ્પષ્ટ કરી દીધું હતું કે મુંબઈ જ્યાં સુધી લેવલ-૧માં નહિ આવે ત્યાં સુધી લોકલમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી મળશે નહિ, પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને પગેલ મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રથમ અને દ્વિતીય તબક્કાના નિયમો લાગુ ન કરવાનો નિર્ણય લેવાયો હતો.

  • રેલવેએ પ્રવાસીઓને પૂછ્યો આ સવાલ; હાથ ધર્યો છે આ સર્વે, જાણો વિગત

    રેલવેએ પ્રવાસીઓને પૂછ્યો આ સવાલ; હાથ ધર્યો છે આ સર્વે, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

    ગુરુવાર

    મુસાફરોના અભાવે એસી લોકલ ખાલી દોડી રહી છે. રેલવે માટે આ સ્થાનિક આવક કરતાં તેની જાળવણી જાળવવી મુશ્કેલ બની રહી છે, તો સેન્ટ્રલ રેલવેએ આ લોકોમોટિવ વિશે મુસાફરોનાં મંતવ્યો જાણવા ઑનલાઇન સર્વેની શરૂઆત કરી છે. ઑનલાઇન સર્વેમાં મુસાફરોને પૂછવામાં આવ્યું હતું કે એસી લોકલમાં કેટલા કોચ હોવા જોઈએ. આ લોકલનું ભાડું પોસાય તેમ ન હોવા છતાં, ભાડામાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ તેવો આશ્ચર્યજનક સવાલ પૂછવામાં આવ્યો છે.

    હકીકતે હાલ ખાલી જતી આ લોકલને કારણે શું આ એસી લોકલને અડધા કોચ એસી અને અડધા નૉન એસીના મિશ્રિત રૂપે ચલાવી શકાય છે? રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગે રેલવે બોર્ડને પૂછ્યું હતું. રેલવે બોર્ડ આ મામલે તપાસ કરી રહ્યું છે.એસી લોકલ વિશે મુસાફરોના અભિપ્રાય જાણવા માટે આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ KBCની માફક પુછાયેલા સવાલના વિકલ્પ છે (એ) 3 એસી + 9NON એસી (બી) 6AC + 9NON એસી (સી) 6AC + 6NON એસી (ડી) બધા કોચ એસી હોવા જોઈએ.

    પ્રદીપ શર્મા હિરાસતમાં અને શિવસેના ટૅન્શનમાં;  જાણો કનેક્શન એન્ટિલિયા વાયા શિવસેના ભવન ટુ NIA

    ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં, તત્કાલીન રેલવે પ્રધાન સુરેશ પ્રભુના કાર્યકાળ દરમિયાન, દેશની પ્રથમ વાતાનુકૂલિત લોકલ ટ્રેન પશ્ચિમ રેલવેના વિરારથી ચર્ચગેટ રૂટ પર 25 ડિસેમ્બર, 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી.