Tag: lost

  • Share Market Down :  શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 511 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25,000 ની નીચે; આ શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા

    Share Market Down : શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 511 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25,000 ની નીચે; આ શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા

    News Continuous Bureau | Mumbai

    Share Market Down : અમેરિકા દ્વારા ઈરાનમાં ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સોમવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 511.38 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 81896.79 પર બંધ થયો. તેવી જ રીતે, NSE નિફ્ટી પણ 25000 ના સ્તરથી નીચે સરકીને 140.5 પોઈન્ટ ઘટીને 24971.90 પર બંધ થયો. 

    Share Market Down :  સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.6 ટકાનો વધારો થયો 

    આજના કારોબારમાં, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં મુખ્ય વધ્યા હતા, જ્યારે ઇન્ફોસિસ, એલ એન્ડ ટી, હીરો મોટોકોર્પ, એમ એન્ડ એમ, એચસીએલ ટેક્નોલોજીસમાં ઘટાડો થયો હતો. ક્ષેત્રીય કામગીરી પર નજર કરીએ તો, આઇટી, એફએમસીજી, ઓટો, બેંકમાં 0.5-1.5 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે મીડિયા, મેટલ, કેપિટલ ગુડ્સમાં 0.5-4 ટકાનો વધારો થયો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં 0.2 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.6 ટકાનો વધારો થયો હતો.

    આજના કારોબારમાં, બીએસઈ પર ટ્રેડિંગ દરમિયાન લગભગ 100 શેર તેમના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા, જેમાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, પૂનાવાલા ફિનકોર્પ, નારાયણ હૃદયાલય, ભારત ઇલેક્ટ્રોનિક્સ, એમસીએક્સ ઇન્ડિયા, આદિત્ય બિરલા કેપિટલ, ઓથમ ઇન્વેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.  

    Share Market Down : ડોલર સામે રૂપિયો 17 પૈસા ઘટ્યો

    મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે સોમવારે શરૂઆતના વેપારમાં રૂપિયો 17 પૈસા ઘટીને 86.72 પ્રતિ ડોલર થયો.  આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો યુએસ ડોલર સામે 86.75 પર ખુલ્યો અને પછી 86.72 પર પહોંચ્યો, જે પાછલા બંધ કરતા 17 પૈસાનો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે યુએસ ડોલર સામે રૂપિયો 86.55 પર બંધ થયો.

    આ સમાચાર પણ વાંચો : Pakistan Nobel Prize Trump:અમેરિકાએ ઈરાન પર કર્યો બોમ્બમારો; ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની પેરવી કરનાર પાકિસ્તાન ઘેરાયું, ઉઠી માફીની માંગ..

    Share Market Down : બજાર કેમ ઘટ્યું?

    નિષ્ણાતો કહે છે કે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક રાજકીય અનિશ્ચિતતાઓને કારણે બજારમાં તીવ્ર ઘટાડો થયો છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Share Market Crash : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતીય બજાર ક્રેશ થયું, ગણતરીની મિનિટોમાં રોકાણકારોએ ગુમાવ્યા અધધ આટલા લાખ કરોડ..

    Share Market Crash : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતીય બજાર ક્રેશ થયું, ગણતરીની મિનિટોમાં રોકાણકારોએ ગુમાવ્યા અધધ આટલા લાખ કરોડ..

    News Continuous Bureau | Mumbai

    Share Market Crash :ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે, કારોબારી સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઊંધા માથે પટકાયું.  વૈશ્વિક તણાવના વાતાવરણમાં દલાલ સ્ટ્રીટ લાલ રંગમાં ખુલ્યું છે.  બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 572.03 (0.69%)ના ઘટાડા સાથે 81,836.14 પર ટ્રેડ કરી રહ્યો છે.  સેન્સેક્સની 30 માંથી 25 કંપનીઓ લાલ રંગમાં ટ્રેડ કરી રહી છે. 

    Share Market Crash : યુદ્ધની અસર શેર બજાર પર

    નિફ્ટી 50 તેના અગાઉના બંધ સ્તર 25,112.40 ની સામે 24,939.75 પર ખુલ્યો અને લગભગ 1 ટકા ઘટીને 24,891 ના નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર બજાર પર જોવા મળી રહી છે. અમેરિકાના યુદ્ધમાં પ્રવેશને કારણે તણાવ વધુ વધ્યો, જેના કારણે આજે ભારતીય બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. BSE બજારમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

    Share Market Crash :ટોપ લુઝર્સ-ટોપ ગેઇનર્સ

    BSE મુજબ, સમાચાર લખાય ત્યાં સુધી, ટોચના ગેઇનર્સમાં ZEEL, IDEAFORGE, VMART, AVANTEL અને ZENTEC છે. તે જ સમયે, ASTRAL, LTFOODS, SIEMENS, STLTECH અને MTARTECH કંપનીઓમાં મહત્તમ વેચવાલી જોવા મળી રહી છે.

    Share Market Crash :રોકાણકારોએ  3 લાખ કરોડ ગુમાવ્યા

    BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂલ્યાંકન પાછલા સત્રમાં લગભગ રૂ. 448 લાખથી ઘટીને લગભગ રૂ. 445 લાખ થયું છે. આ દર્શાવે છે કે રોકાણકારોએ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસની પ્રથમ 15 મિનિટમાં લગભગ રૂ. 3 લાખ કરોડ ગુમાવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Iran Israel conflict: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર, ડ્રાય ફ્રૂટ થયા મોંઘા.. જાણો

    Share Market Crash :ગયા અઠવાડિયે બજાર કેવું રહ્યું

    શુક્રવાર, 20 જૂને, શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી. સેન્સેક્સ 1046 પોઈન્ટ ઉછળીને 82,408 પર પહોંચ્યો અને નિફ્ટી 319 પોઈન્ટ વધીને 25,112 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો વધ્યા જ્યારે 3 ઘટ્યા. એરટેલ, નેસ્લે અને M&Mના શેર 3.2% સુધી વધ્યા. બીજી તરફ, મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેંકના શેર ઘટ્યા હતા. ગયા શુક્રવારે, વૈશ્વિક સ્તરે તણાવમાં ઘટાડો થયા બાદ શેરબજારને ટેકો મળ્યો હતો.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Mahim Constituency News : ‘રાજ’ પુત્ર અમિત ઠાકરેનો પરાજય; તો સદા સરવણકરને પણ મળી હાર; ઉદ્ધવ જૂથના ઉમેદવાર જીત્યા.. 

    Mahim Constituency News : ‘રાજ’ પુત્ર અમિત ઠાકરેનો પરાજય; તો સદા સરવણકરને પણ મળી હાર; ઉદ્ધવ જૂથના ઉમેદવાર જીત્યા.. 

    News Continuous Bureau | Mumbai

    Mahim Constituency News :  દાદર-માહિમ વિધાનસભા મતવિસ્તારમાં થનારી ત્રિ-માર્ગી હરીફાઈ પર બધાની નજર છે. MNS પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે આ બેઠક પરથી પહેલીવાર ચૂંટણીનો સામનો કરી રહ્યા છે. તેમને શિવસેનાના મહેશ સાવંત (ઉદ્ધવ ઠાકરે) અને શિવસેનાના વર્તમાન ધારાસભ્ય (એકનાથ શિંદે) સદા સરવણકર દ્વારા પડકારવામાં આવ્યો હતો. તેઓ આ પડકારનો સામનો કરી શક્યા નથી. કારણ કે તેઓ જ્યાં રહે છે તે આ મતવિસ્તારમાં તેમની ખરાબ રીતે હાર થઈ છે. 

    ઠાકરે જૂથના ઉમેદવાર મહેશ સાવંત આખરે માહિમ વિધાનસભા ક્ષેત્રમાં ત્રિ-પાંખિયા જંગમાં જીતી ગયા છે. MNS પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે આ બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા. શિવસેના (એકનાથ શિંદે)ના વર્તમાન ધારાસભ્ય સદા સરવણકરને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ ત્રણેય ઉમેદવારો વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. અને અંતે મહેશ સાવંતનો વિજય થયો છે. આ મતવિસ્તારમાં જૂની ચાલીઓ અને ઈમારતોના પુનઃવિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ હતી.

    આ સમાચાર પણ વાંચો :  Maharashtra Assembly Election Results 2024: મહાયુતિ પ્રચંડ બહુમતિ તરફ, શિંદે જૂથના આ બે ઉમેદવારો ચૂંટણી જીત્યા

    Mahim Constituency News : બંને નેતાઓ વચ્ચે જોરદાર મુકાબલો 

    રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને જનતાની અલગ જ સહાનુભૂતિ હતી. સદા સરવણકર પણ મેદાનમાં હોવાથી બંને નેતાઓ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. અમિત ઠાકરે ત્રીજા સ્થાને છે. સદા સરવણકર બીજા ક્રમે રહ્યા હતા. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ઉમેદવાર મહેશ સાવંત પ્રથમ સ્થાને હતા. તેઓએ તેમની શરૂઆતની લીડ જાળવી રાખી હતી.

    Mahim Constituency News :  અમિત ઠાકરેને મળી હાર

    ફિશર કોલોની ઈમારતોનો પુનઃવિકાસ હોય કે પછી પોલીસકર્મીઓને સુરક્ષિત ઘર આપવાનો મુદ્દો હોય. અમિત ઠાકરેએ આ સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્થાનિક મુદ્દાઓને સ્પર્શ્યા. પરંતુ તેમ છતાં તેમની હાર થઈ છે.

     

  • Paris Olympics 2024 :યુવા કુસ્તીબાજ રિતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલમાં હારી, પરંતુ બ્રોન્ઝ મેડલની આશા હજી અકબંધ; જાણો કેવી રીતે..

    Paris Olympics 2024 :યુવા કુસ્તીબાજ રિતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલમાં હારી, પરંતુ બ્રોન્ઝ મેડલની આશા હજી અકબંધ; જાણો કેવી રીતે..

    News Continuous Bureau | Mumbai

    Paris Olympics 2024 : ભારતીય કુસ્તીબાજ રિતિકા હુડ્ડાને મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં રિતિકાને ટોચની ક્રમાંકિત અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિર્ગિસ્તાનની અપરી કાઈઝીએ હાર આપી હતી.  21 વર્ષીય રિતિકા, તેની પ્રથમ ઓલિમ્પિક્સ રમી રહી હતી, તેણે ટોચના ક્રમાંકિત કુસ્તીબાજને સખત લડત આપી અને પ્રારંભિક સમયગાળામાં એક પોઈન્ટની લીડ લેવામાં સફળ રહી. બીજા સમયગાળામાં, સખત લડત આપવા છતાં, રિતિકાએ ‘નિષ્ક્રિયતા (ઓવર-ડિફેન્સિવ વલણ)’ ને કારણે એક પોઈન્ટ ગુમાવ્યો જે મેચનો છેલ્લો પોઈન્ટ સાબિત થયો.

    Paris Olympics 2024 રિતિકા પાસે રેપેચેજથી બ્રોન્ઝ મેડલ મેળવવાની તક 

    નિયમો અનુસાર, જો મેચ ટાઈ થાય છે, તો જે ખેલાડી છેલ્લો પોઇન્ટ મેળવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જો કિર્ગિસ્તાની કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચશે તો રિતિકા પાસે રેપેચેજથી બ્રોન્ઝ મેડલ મેળવવાની તક રહેશે. આ વજન વર્ગમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી દેશની પ્રથમ કુસ્તીબાજ રીતિકાએ અગાઉ ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં કુસ્તીના નિયમોને કારણે ભારતની ગોલ્ડ મેડલની આશાને ફટકો પડ્યો છે. રિતિકા પહેલા વિનેશ ફોગાટ પણ મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું અને તે ફાઈનલ રમી શકી નહોતી. તેને નિયમોના આધારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

    Paris Olympics 2024 રિતિકા  રેસલરના હુમલાને શાનદાર રીતે રોકવામાં સફળ રહી

    રિતિકા પહેલા રાઉન્ડમાં 4-0થી આગળ હતી પરંતુ બીજા રાઉન્ડમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને આઠમી ક્રમાંકિત કુસ્તીબાજને ઘણી તક આપી ન હતી. રિતિકાએ રક્ષણાત્મક રમતની શરૂઆત કરી હતી અને હંગેરિયન રેસલરના હુમલાને શાનદાર રીતે રોકવામાં સફળ રહી હતી. ત્યારપછી રિતિકાને નિષ્ક્રિયતા માટે રેફરી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને કુસ્તીબાજ પાસે આગામી 30 સેકન્ડમાં પોઈન્ટ મેળવવાનો પડકાર હતો.

    Paris Olympics 2024 કુસ્તીબાજએ  શાનદાર ‘ફ્લિપ’ ડિફેન્સ બાદ વળતો પ્રહાર કર્યો 

    બર્નાડેટે રિતિકાના પગ પર હુમલો કર્યો પરંતુ ભારતીય કુસ્તીબાજએ  શાનદાર ‘ફ્લિપ’ ડિફેન્સ બાદ વળતો પ્રહાર કરીને બે પોઈન્ટ મેળવવામાં સફળ રહી. શરૂઆતના ગાળામાં 0-4થી પાછળ રહેલી હંગેરિયન કુસ્તીબાજએ બે પોઈન્ટ બનાવીને વાપસી કરી હતી પરંતુ રિતિકાએ તે પછી તેને કોઈ તક આપી ન હતી. રીતિકાએ તેના પ્રતિસ્પર્ધીને ટેક ડાઉન કરીને બે પોઈન્ટ મેળવ્યા બાદ સતત ત્રણ વખત બે પોઈન્ટ મેળવ્યા હતા જેના કારણે રેફરીએ 29 સેકન્ડ પહેલા મેચ રોકવી પડી હતી.

      આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024 : ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ..

     Paris Olympics 2024 ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા

    જણાવી દઈએ કે ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાંથી પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ કુસ્તીબાજ અમને પણ બ્રોન્ઝ જીતીને પેરિસમાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો.

  • ફરી બગડી સામંથા રૂથ પ્રભુની તબિયત! ફિલ્મના પ્રમોશન દરમિયાન જતો રહ્યો અભિનેત્રી નો અવાજ, સ્વાસ્થ્ય ને લઇ ને આપ્યું મોટું અપડેટ

    ફરી બગડી સામંથા રૂથ પ્રભુની તબિયત! ફિલ્મના પ્રમોશન દરમિયાન જતો રહ્યો અભિનેત્રી નો અવાજ, સ્વાસ્થ્ય ને લઇ ને આપ્યું મોટું અપડેટ

    News Continuous Bureau | Mumbai

    દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી, સામંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘શાકુન્તલમ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેના મતે આ ફિલ્મના સતત પ્રમોશનથી તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. આના કારણે તેણીએ માત્ર પોતાનો અવાજ જ ગુમાવ્યો નથી, પરંતુ તે ખૂબ જ તાવનો પણ સામનો કરી રહી છે. 35 વર્ષીય અભિનેત્રીએ ટ્વિટર પર તેની હેલ્થ અપડેટ શેર કરી હતી.

     

    સામંથા એ શેર કરી હેલ્થ અપડેટ 

    સામંથા એ તેના ટ્વિટમાં લખ્યું, “હું આ અઠવાડિયે મારી ફિલ્મનું પ્રમોશન કરવા અને તમારા બધાના પ્રેમમાં પડવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ કમનસીબે વ્યસ્ત શેડ્યૂલ અને પ્રમોશનને કારણે મારા પર અસર પડી છે. મને તાવ આવી ગયો છે અને મેં મારો અવાજ ગુમાવી દીધો છે. ” સામંથા એ થ્રેડમાં આગળ લખ્યું, “કૃપા કરીને MLRITની વાર્ષિક ઇવેન્ટ માટે શાકુન્તલમ ટીમમાં જોડાઓ. તમને મિસ કરીશ.” સામંથા એ તેની સાથે રેડ હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું હતું.સામંથા ની પોસ્ટ સામે આવતાં જ તેના ચાહકોએ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું.

    https://twitter.com/Samanthaprabhu2/status/1646075728449146882?s=20

    14 એપ્રિલે સમગ્ર ભારતમાં રિલીઝ થશે ‘શાકુન્તલમ’

    ‘શાકુન્તલમ’ વિશે વાત કરીએ તો, તે તેલુગુ ભાષાની ફિલ્મ છે, જે પાન ઈન્ડિયા તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ગુણશેખરે કર્યું છે. સમંથા ઉપરાંત દેવ મોહન, મોહન બાબુ, અદિતિ બાલન, કબીર બેદી, પ્રકાશ રાજ, મધુ, સચિન ખેડેકર અને ગૌતમી જેવા સ્ટાર્સ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થશે.

  • શું ખરેખર અનુજ કાપડિયાની જતી રહી યાદશક્તિ કે ભૂલવાનું કરી રહ્યો છે નાટક-અકસ્માતથી લઈને કિંજલ ની ડિલિવરી સુધી બધું જ તે ભૂલી ગયો-જાણો અનુપમા ના આવનાર એપિસોડ વિશે

    શું ખરેખર અનુજ કાપડિયાની જતી રહી યાદશક્તિ કે ભૂલવાનું કરી રહ્યો છે નાટક-અકસ્માતથી લઈને કિંજલ ની ડિલિવરી સુધી બધું જ તે ભૂલી ગયો-જાણો અનુપમા ના આવનાર એપિસોડ વિશે

     News Continuous Bureau | Mumbai

    રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા’ ટીઆરપી લિસ્ટમાં(Anupama TRP list) ટોચ પર છે. શોમાં જ્યારે અનુજ કાપડિયાનો અકસ્માત (Anuj accident)બતાવવામાં આવ્યો ત્યારે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. આખરે અનુપમાની મહેનત રંગ લાવી અને અનુજ કોમામાંથી (coma)બહાર આવી ગયો. પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે અનુજ કાપડિયા પર કોમાની આફ્ટર ઈફેક્ટ જોવા મળતી રહેશે.

    તમને આવનારા એપિસોડમાં કંઈક આવું જ જોવા મળશે. અનુજ કાપડિયાને રાત્રે સ્ટ્રોક(strock) આવશે અને તે પથારી પરથી નીચે પડી જશે. આ પછી અનુપમા નર્વસ થઈ જશે અને ઘરના બધા લોકોને બૂમ પાડી ને બોલાવશે. થોડી વારમાં બધું સારું થઈ જશે અને દરેક વ્યક્તિ સૂઈ જશે. પરંતુ જ્યારે અનુપમા સવારે ઉઠશે ત્યારે તેના હોશ ઉડી જશે.વાસ્તવમાં અનુજ કાપડિયા સવારે ઉઠશે અને તેના શરીર પરની ઈજાઓ વિશે પૂછશે અને કહેશે કે તેને યાદ નથી કે તેને આ ઈજા કેવી રીતે થઈ? આટલું જ નહીં, અનુજ કાપડિયા, વિડીયો કોલ (video call)દ્વારા કિંજલના દરેક સમાચાર લેતા એ પણ ભૂલી જશે કે તેની ડિલિવરી(delivery) થઇ ગઈ છે અને તેને દીકરી ને જન્મ આપ્યો છે. અનુજ કાપડિયા અનુપમાને કિંજલની તબિયત(Kinjal health) વિશે પૂછવાનું શરૂ કરશે.

    આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દબંગ ગર્લ થી ઓળખાતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા છે કરોડોની માલકીન-જાણો તેની નેટવર્થ વિશે

    અનુપમા આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તો શું અનુજ કાપડિયાએ યાદશક્તિ(memory) ગુમાવી દીધી છે? અથવા તે આ જાણી જોઈને કરી રહ્યો છે જેથી અંકુશ અને બરખાનું સત્ય ખબર પડે કે તેઓ અનુપમા સાથે કેવું વર્તન(behave) કરી રહ્યા છે. બંને ખરેખર બદલાઈ ગયા છે કે ઘરમાં રહેવા અનુજ ને મસ્કા મારી રહ્યા છે. એ તો આવનાર એપિસોડમાં જ ખબર પડશે.

  • કુરિયરવાળાની હાથચાલાકી- આટલા કરોડનું કિંમતી સોનુ પાર્સલમાંથી કર્યું ગુમ- પોલીસે કુરિયર કંપનીના માલિક સહિત ત્રણની કરી ધરપકડ

    કુરિયરવાળાની હાથચાલાકી- આટલા કરોડનું કિંમતી સોનુ પાર્સલમાંથી કર્યું ગુમ- પોલીસે કુરિયર કંપનીના માલિક સહિત ત્રણની કરી ધરપકડ

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ બુલિયનના વેપારીને 1.06 કરોડ રૂપિયાની કિંમતની બે કિલોગ્રામ સોના પહોંચાડવાને બદલે બારોબાર તડફાવી જનારા કુરિયર કંપનીના રતલામમાં રહેલા માલિક સહિત તેની મુંબઈ બ્રાન્ચના ત્રણ લોકોની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.

    મુંબઈની એલ.ટી.માર્ગ પોલીસે કુરિયન કંપનીના માલિક કૃપાશંકર શર્મા, મનીષકુમાર પારસમલ, વિષ્ણુ ઉર્ફે સોમવારી પરમાર ધરપકડ કરી છે. ત્રણેય આરોપી સામે છેતરપીંડી અને ફોજદારીનો ગુનો નોંધવામા આવ્યો છે. હાલ તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ લોકોએ પાર્સલમાંથી એક કિલો સોનુ તડફાવી લીધો હોવાનો આરોપ છે.

    આ સમાચાર પણ વાંચો :  કહેવાય અલ્પસંખ્યાંક પણ નોકરીને મામલે અવ્વલ-સરકારી બેંકોમાં જાત-પાત પ્રમાણે કઈ જમાત પાસે કેટલી નોકરીઓ છે તેના આંકડા સામે આવ્યા

    પોલીસના જણાવ્યા અનુસાર 28 એપ્રિલે બુલિયન વેપારી અનિલકુમાર પુરોહિતની કંપની એ.પી.બુલિયન એન્ડ જવેલરે 53.50 લાખ રૂપિયા પુષ્પક ઓફ ક્રીએટીવ ગોલ્ડને આરટીજીએથી 24 કેરેટના એક કિલોગ્રામ ગોલ્ડ બાર માટે ચૂકવ્યા હતા, આ સોનું કુરિયર કંપની અશોક લોજીસ્ટિક એન્ડ પાર્સલ સર્વિસથી મળવાનું હતું. જોકે કંપનીને આ સોનુ મળ્યું જ નહોતું.

    પોલીસ તપાસમાં જણાયું હતું કે આ અગાઉ પણ કુરિયર કંપનીએ એપ્રિલમાં મહેરાજ જ્વેલર્સ નામની કંપનીનું એક કિલોગ્રામ સોનાના પાર્સલની ડિલીવરી કરી નહોતી. તેથી મહેરાજ જ્વેલર્સ અ એ.પી.બુલિયનના  પુરોહિતે એલ.ટી.માર્ગ પોલીસમાં બે કુરિયર કંપની સામે ફરિયાદ નોંધાવી હતી.

     

  • પશ્ચિમ રેલવેમાં ભૂલકણા પ્રવાસીઓ વધ્યા, ગત 10 મહિનામાં આટલા કરોડનો સામાન મળ્યો; માલિકોને પરત કરાયો સામાન 

    પશ્ચિમ રેલવેમાં ભૂલકણા પ્રવાસીઓ વધ્યા, ગત 10 મહિનામાં આટલા કરોડનો સામાન મળ્યો; માલિકોને પરત કરાયો સામાન 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 23 નવેમ્બર, 2021

    મંગળવાર

    મુંબઈ પરાના રેલવે માર્ગ પર દિવસે 76 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. જોકે કોરોના ફેલાયા પછી લોકલમાં પ્રવાસીઓની સંખ્યામાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકલની ભીડમાં પ્રવાસ દરમિયાન ક્યારેક કોઈ પ્રવાસી પોતાનો સામાન ભૂલી જાય છે, પરંતુ કોરોનાના સમયમાં જ્યારે લોકલની ભીડ નહિવત હતી અને પ્રવાસીઓ પોતાનો સામાન ભૂલી જાય તો, ત્યારે સ્વાભાવિક છે કે આવા પ્રવાસીઓને ભૂલકણા જ કહેવાશે. પશ્ચિમ રેલવે તરફથી મળેલા ડેટા પર નજર કરીએ તો છેલ્લા 10 મહિનામાં લોકલમાં પ્રવાસીઓ કુલ 2 કરોડ રૂપિયાનો સમાન ભૂલી ગયા હતા.

    વેસ્ટર્ન રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સે જાન્યુઆરીથી ઑક્ટોબર 2021 સુધીમાં લગભગ 2 કરોડ રૂપિયાનો પ્રવાસીઓનો સામાન પરત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ વર્ષમાં ઓક્ટોબર 2021 સુધી લગભગ 1,037 કેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓએ 2 કરોડ રૂપિયાની કિંમતની ખોવાયેલી અથવા ગુમ થયેલી વસ્તુઓ તેમના માલિકોને સોંપી છે.

    આ અભિનેતા-રાજકારણી આવ્યા કોવિડની ચપેટમાં, હોસ્પિટલમાં થયા દાખલ ; જાણો હાલ તેમનું સ્વાસ્થ્ય કેવું છે

    ટ્રેનો અને સ્ટેશનો પર પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સુરક્ષાના સંદર્ભમાં નવી પહેલ કરવામાં આવી રહી છે. જેમ કે રેલવે પ્રોટેક્શન ફોર્સ તે બહારના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સ્ટેશનો અને પરિસરમાં HD કેમેરા સ્થાપિત કરી રહ્યું છે. પ. રેલવે આરપીએફની ટીમ ટેક્નોલોજીની મદદથી પ્રવાસીઓની સંપત્તિને પ્રવાસીઓને હવાલે કરી રહી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે માત્ર પ્રવાસીઓની જ નહીં પરંતુ તેમના સામાનની પણ સુરક્ષા માટે RPF જવાનોની સખત મહેનત, પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી છે.