Tag: Madhavpur Ghed Mela

  • Madhavpur Ghed Mela: ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન, ગુજરાત સહિત દેશભરના ૬.૭૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત‌

    Madhavpur Ghed Mela: ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન, ગુજરાત સહિત દેશભરના ૬.૭૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત‌

    News Continuous Bureau | Mumbai

    Madhavpur Ghed Mela:

    • માધવપુર ખાતે ગુજરાત સહિત નોર્થ ઈસ્ટના ૧૬૦૦થી વધુ કલાકારો એ વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી
    • મેળામાં ગુજરાત સહિત નોર્થ ઇસ્ટના આઠ રાજ્યોના કારીગરો દ્વારા હસ્તકલાના ૨૦૦ સ્ટોલ દ્વારા રૂ.૧.૨૩ કરોડથી વધુ રકમની વસ્તુઓનું વેચાણ
    • આ વર્ષે માધવપુર સહીત સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ ખાતે પણ કરવામાં આવી ભવ્ય ઉજવણી

    ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર ઘેડ મેળાનું પોરબંદર ખાતે ગત તા. ૬ થી ૧૦ એપ્રિલ સુધી ૫ દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ રાણી રૂક્ષમણી સાથે પોરબંદરના માધવપુરમાં લગ્ન કર્યા હતા તેની યાદમાં દર વર્ષે સાંસ્કૃતિક મેળાના સ્વરૂપમાં માધવપુર ખાતે ઉજવણી કરવામાં આવે છે.

    આ વર્ષે ગુજરાત સહિત દેશભરના ૬,૭૬,૩૦૮ જેટલા શ્રદ્ધાળુઓ માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. માધવપુર ખાતે દર રોજ સાંજે ગુજરાત તથા નોર્થ ઇસ્ટના કૂલ ૧,૬૮૫ કલાકારો દ્વારા દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. ગુજરાત સહિત ઉત્તરપૂર્વના ૮ રાજ્યો – ‘અષ્ટલક્ષ્મી’ માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. ગુજરાત અને નોર્થ ઈસ્ટની વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.

    માધવપુર ધેડ ખાતે ગુજરાતના ૪૮ તથા નોર્થ ઇસ્ટના આઠ રાજ્યોના ૧૫૨ સ્ટોલ્સ એમ કુલ ૨૦૦ સ્ટોલમાં રૂ.૧,૨૩,૭૫,૯૦૪ની રકમની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે. ઉપરાંત પારંપરિક લગ્ન બાદ ભગવાન શ્રી કૃષ્ણ ane દેવી રુકમણી નું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ‘એક ભારત શ્રેષ્ટ ભારત’ થીમ આધારિત તેમજ શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના જીવન આધારિત થીમ પર ભવ્ય મલ્ટી મીડિયા શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

     

    માધવપુર મેળા દરમિયાન ૫૦ ફૂડ સ્ટોલ પૈકી ૮ ફૂડ સ્ટોલ નોર્થ ઈસ્ટ રાજ્યોને ફાળવવામાં આવ્યા હતા. નાગરીકોએ નોર્થ ઈસ્ટના ભોજનનો સ્વાદ માણ્યો હતો.

    માધવપુર ખાતે આયોજિત ભવ્ય મેળાની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી. પાંચ દિવસીય મેળામાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ત્રિપુરાના રાજ્યપાલ શ્રી નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા,જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીશ્રીઓ સહભાગી થયા હતા.

    આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં તા. ૧ એપ્રિલ, સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે ૪,૭૧૫ મુલાકાતીઓએ ૪૦૦થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તૃત કરવામાં આવેલ કાર્યક્રમ નીહાળ્યો હતો. તા. ૨ એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે ૪૩૮૭ મુલાકાતીઓ, તા. ૩ એપ્રિલ અમદાવાદમાં ટ્રાન્સ્ટેડિયા ખાતે ખાતે ૧૦,૦૭૮ મુલાકાતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.

    આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે તા. ૩૦ માર્ચથી ૪ એપ્રિલ દરમિયાન NEHHDC ના સંકલનથી હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરાના ૪૦ કરીગરો તથા ગુજરાતના ૧૪૦ કારીગરોએ ભાગ લીધો હતો. આ હસ્તકલા હાટમાં કારીગરોએ રૂ. ૨૧,૭૦,૦૭૫ની રકમની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.

    માધવપુર મેળા દરમ્યાન માધવપુર, પોરબંદર, શિવરાજપુર તથા સોમનાથના દરિયાકાંઠે રેતી શિલ્પ કૃતિઓ બનાવવામાં આવી હતી. મેળા દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં જૂડો, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, બીચ કબ્બડી, ૧૦૦ મી. રન, 7A સાઈડ બીચ ફૂટબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. પ્રવાસન નિગમ દ્વારા દરેક સ્થળો ખાતે શ્રી કૃષ્ણ અને રૂકમનીના વિવાહ આધારિત થીમ પર ટેમ્પરરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ અને ઈવેન્ટ મેનેજમેન્ટનું આયોજન કરાયું હતું.

    આ મેળા દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોના ધારાસભ્યશ્રી, સાંસદ, સ્થાનિક હોદેદારો, કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Madhavpur Ghed Mela: દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે

    Madhavpur Ghed Mela: દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે

    News Continuous Bureau | Mumbai

    • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને સાકાર કરે છે ગુજરાતનો માધવપુર ઘેડ મેળો
    • ગુજરાત આવતા પ્રવાસીઓ માટે આ મેળો રાજ્યની જીવંત સંસ્કૃતિ, પરંપરાગત રિવાજો અને ધાર્મિક વિધિઓનો અનુભવ કરવાની ઉત્તમ તક

    Madhavpur Ghed Mela: માધવુપર એ ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરમાં આવેલું એક નાનકડું ગામ છે, જ્યાં માધવપુર મેળો આયોજિત કરવામાં આવે છે. આ પરંપરાગત મેળો દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે. આ માધવપુર ઘેડ મેળો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને સાકાર કરે છે, કારણ કે આ મેળો એક એવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓનું ઐક્ય સાધે છે.

    ઉલ્લેખનીય છે કે, માધવપુર ઘેડ મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની ઉજવણી છે, અને એમ કહેવાય છે કે તેમના આ લગ્ન માધવપુર ગામમાં થયા હતા. આ મેળો ગુજરાત આવતા મુલાકાતીઓ માટે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા તેમજ રાજ્યની ધાર્મિક પરંપરાઓનો અનુભવ કરવાની ઉત્તમ તક છે.

    ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનો રસપ્રદ સાંસ્કૃતિક સંબંધ

    માધવપુર મેળાનો અરૂણાચલ પ્રદેશના મિશ્મી જનજાતિ સાથે રસપ્રદ સંબંધ છે. દંતકથા અનુસાર, મિશ્મી જનજાતિનો વંશ મહાન રાજા ભીષ્મક સાથે જોડાયેલો છે, જેઓ રૂક્ષ્મણીજીના પિતા અને ભગવાન શ્રીકૃષ્ણના સસરા હતા. આ ઉત્સવ રૂક્ષ્મણીજીના ભગવાન શ્રીકૃષ્ણ સાથેના વૈવાહિક સંબંધની યાદ અપાવે છે.

    આ સમાચાર પણ વાંચો :  Western Railway: પશ્ચિમ રેલવે પ્રગતિ કરતાં સિમાચિહ્નોનું સર્જન અને ધોરણોનું સ્થાપન

    અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજી અને પશ્ચિમ ભારતના કાંઠે બિરાજમાન દ્વારકાના દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરતો માધવપુર મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિનો સંગમ કરે છે. આ મેળાની ઉજવણી દરમિયાન બંને પ્રદેશોના કલાકારો દ્વારા વિવિધ પ્રકારના સંગીત, નૃત્ય અને નાટ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પૂર્વોત્તરના રાજ્યોના કલાકારો ઢોલ, પેપા અને વાંસળી જેવા વાદ્યો સાથે તેમનું પરંપરાગત સંગીત રજૂ કરે છે, જ્યારે પશ્ચિમી પ્રદેશ એવા ગુજરાતના કલાકારો ગરબા, દાંડિયા અને રાસ જેવા લોકનૃત્યોની રજૂઆત કરે છે. આ પાંચ દિવસીય મેળા દરમિયાન બંને પ્રદેશોની હસ્તકલા અને વાનગીઓનું પણ પ્રદર્શન યોજવામાં આવે છે, જે આ મેળાને બંને સંસ્કૃતિઓનું સાચું સંગમ સ્થાન બનાવે છે. આ મેળો ફક્ત ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની ઉજવણી જ નથી કરતો, પરંતુ ભારતના વિવિધ પ્રદેશોના લોકોમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે.

    ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન

    માધવપુર સ્થિત માધવરાયજીનું મંદિર 15મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, અને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નને લઇને તેનું ઐતિહાસિક મહત્વ છે. લોકકથા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીને લઇને માધવપુર ગામમાં આવ્યા હતા અને અહીંયા તેમની સાથે લગ્ન કર્યા હતા. આ ઘટનાની યાદમાં માધવરાયજીનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ લગ્નની યાદમાં દર વર્ષે સાંસ્કૃતિક મેળા સ્વરૂપે માધવપુર ખાતે પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉપરાંત બીજી અનેક ઘટનાઓને સામેલ કરીને માધવપુર અને તેની આસપાસના ગામના લોકો પરંપરાગત રીતે ઉજવણી કરે છે. વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ‘ફુલેકા યાત્રા’નો પણ સમાવેશ થાય છે, જે માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી કાઢવામાં આવે છે. લગ્નની ઉજવણી બીજા દિવસથી શરૂ કરવામાં આવે છે, જે માધવરાયજી મંદિરથી થઈને લગ્નની ચૉરી સુધી થાય છે અને મોડી રાત સુધી તેની ઉજવણી ચાલે છે.

    આ સમાચાર પણ વાંચો :Khel Mahakumbh 2025: જહાંગીરપુરા ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તા.૨૩ થી ૨૭ એપ્રિલ દરમિયાન અન્ડર ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એજ વયજૂથના ભાઈઓ-બહેનોની રાજ્યકક્ષાની સ્કેટીંગ સ્પર્ધા યોજાશે 

    માધવપુર ઘેડ મેળો દર વર્ષે ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન યોજાય છે. આ મેળા દરમિયાન, કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ભજવવામાં આવે છે.

    આ મેળામાં, ગુજરાતના રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, ભારત સરકારના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના મંત્રીશ્રીઓ, ગુજરાત પ્રવાસન વિભાગના મંત્રીશ્રીઓ તેમજ રાજ્ય સરકારના અન્ય ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહે છે. પૂર્વોત્તરના રાજ્યોના રાજ્યપાલશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીઓ પણ આ મેળાની ઉજવણીમાં સહભાગી થાય છે.

    માધવપુરના મેળા સાથે પ્રવાસીઓ માણી શકે છે પોરબંદર અને ગીર સોમનાથના પ્રવાસન સ્થળોનો આનંદ

    માધવપુરના મેળામાં યોજાતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત, મુલાકાતીઓ આ પ્રદેશના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. માધવપુર ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું છે, જે તેના મનોહર દરિયાકિનારા અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. મુલાકાતીઓ માધવપુર મેળાની મુલાકાત દરમિયાન પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલા નજીકના સ્થળોનો પ્રવાસ કરી શકે છે.

    માધવપુર મેળો બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સહુ પ્રવાસીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. ગુજરાતની જીવંત સંસ્કૃતિનો અનુભવ કરવાની તેમજ રાજ્યના પરંપરાગત રિવાજો, ધાર્મિક વિધિઓ વગેરેને માણવા માટે આ મેળો એક ઉત્તમ તક છે, જે તેને ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક આકર્ષક પ્રવાસન સ્થળ બનાવે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Madhavpur Ghed Mela: માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં યોજાશે આ કાર્યક્રમ

    Madhavpur Ghed Mela: માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં યોજાશે આ કાર્યક્રમ

    News Continuous Bureau | Mumbai

    Madhavpur Ghed Mela: માધવપુર ઘેડ મેળા પહેલાં રાજ્યના વિવિધ શહેરોમાં નૃત્યના કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે આવતીકાલ તા. 3 જી એપ્રિલના રોજ નૃત્ય કાર્યક્રમ યોજાશે.         માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા ઉત્તર-પૂર્વનાં 600 અને ગુજરાતના 800 કલાકારોએ આજે સાંજે અમદાવાદ ટ્રાન્સ્ટેડિયા ખાતે કાર્યક્રમનું રિહર્સલ કર્યું હતું. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના તથા ગુજરાત રાજ્યના કલાકારોએ 28 થી વધુ નૃત્ય પર ઉત્સાહભેર રિહર્સલ કરી પોતાની કલાના કામણ પાથર્યા હતા. 

    7 સિસ્ટર્સ રાજ્યો અને ગુજરાતના કલાકારોએ 28 જેટલાં વિવિધ નૃત્યોનું ઉત્સાહભેર રિહર્સલ કર્યું

    માધવપુર ઘેડ મહોત્સવમાં પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે કલાકારોમાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને થનગનાટ છે. વિવિધ રાજ્યોમાંથી પધારેલા આ કલાકારોનું ગુજરાતની ધરતી પર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે, હાલમાં આ કલાકારો ગુજરાતની કલા અને સંસ્કૃતિને જાણીને માણવાનો લ્હાવો લઈ રહ્યા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં આગામી તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ક્વિદંતી અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અરુણાચલ પ્રદેશના રાણી રુકમણી સાથે વિવાહ થયા હતા. આ વિવાહની ઉજવણી કરવા માટે માધવપુર ઘેડમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે.

  • Madhavpur Mela 2025 :  માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થશે; આ શહેરોમાં  મેળાની ઉજવણીના ભાગરૂપે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

    Madhavpur Mela 2025 : માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થશે; આ શહેરોમાં મેળાની ઉજવણીના ભાગરૂપે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

    News Continuous Bureau | Mumbai

    Madhavpur Mela 2025 : 

    • પોરબંદરના માધવપુર ખાતે 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો: ૧૦ એપ્રિલના રોજ દ્વારકા ખાતે  રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે
    • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે: પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરપૂર્વ રાજ્યોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
    • ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો માધવપુર ઘેડ મેળામાં હિસ્સો લેશે
    • ઉત્તરપૂર્વના રાજ્યો તેમજ ગુજરાતના મળીને લગભગ 1600 કલાકારો દ્વારા  સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે
    • માધવપુર બીચ ખાતે બીચ વોલિબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન અને રેતશિલ્પોનું પ્રદર્શન
    • ભવ્ય હસ્તકલા અને વાનગી મેળાનું આયોજન : જેમાં પૂર્વોત્તરના રાજ્યો માટે 160 સ્ટોલ્સ દ્વારા 320 કારીગરો દ્વારા હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ: હસ્તકલા અને ફૂડ સ્ટોલ્સ
    • 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ ભવ્ય વિવાહ ઉત્સવ
    • 10 એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત

    રાજ્યના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે. ઉત્તરપૂર્વના આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. 

    Madhavpur Mela 2025 From April 6th to 10th, Madhavpur Fair in Porbandar, Gujarat offers a captivating fusion of cultures

     

    6 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવ મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

    Madhavpur Mela 2025 : માધવપુર ઘેડ મેળો 2025ની ભવ્ય ઉજવણી

    પાંચ દિવસીય મેળા દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ ઉત્તરપૂર્વના રાજ્યો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. ગુજરાતમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોના સૌથી મોટા જૂથ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે ભવ્ય “અરેના” એટલે કે સ્ટેડિયમ પદ્ધત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને પૂર્વોત્તરના મળીને 1600 કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. જે આજ દિન સુધી બે અલગ અલગ સંસ્કૃતિના ના કલાકારો દ્વારા સયુક્ત રીતે પરફોર્મ થનાર સૌથી મોટી સાંસ્કૃતિક પ્રસ્તુતિ થવા જઈ રહી છે. 

    Madhavpur Mela 2025 : એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના

    માધવપુર ઘેડ મેળો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિઝનને સાકાર કરે છે. જેનો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની જે કલ્પના છે તેનો અંતિમ ઉદ્દેશ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. 

    Madhavpur Mela 2025 : માધવપુર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથ ખાતે પણ આયોજિત થશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો

    આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલ, 2025થી જ શરૂ થઈ જશે. 1 એપ્રિલે સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : Madhavpur Mela- 2025: માધવપુર ઘેડ મેળો માં પધારેલા કલાકારો નું કરાયું આ રીતે સ્વાગત

    Madhavpur Mela 2025 : પૂર્વોત્તર રાજ્યોની હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ

    આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ની સાથે સાથે અહી મેળામાં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

    Madhavpur Mela 2025 : શ્રીકૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન

    આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે. 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકમિણી મંદિરથી નીકળશે અને સાંજે 4.00 વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.