• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - malaria
Tag:

malaria

World Malaria Day No deaths due to malaria or dengue in Ahmedabad in the last 5 years
અમદાવાદ

World Malaria Day : મેલેરિયામુક્ત જિલ્લો બનવા તરફ અમદાવાદના આગેકદમ, છેલ્લાં ૫ વર્ષમાં અમદાવાદમાં મેલેરિયા કે ડેન્ગ્યુ થવાને કારણે કોઈ મૃત્યુ થયું નથી

by kalpana Verat April 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Malaria Day :

  • અમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો
  • ૨૦૨૭ સુધીમાં મેલેરિયાના કેસ શૂન્ય કરવાનો લક્ષ્યાંક : વર્ષ ૨૦૧૯માં ૫૮ કેસ પછી તકેદારી અને નિયંત્રણના પરિણામે વર્ષ ૨૦૨૪માં માત્ર ૬ કેસ નોંધાયા અને ચાલું વર્ષે અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી

અહેવાલ : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

રાજય સરકારે મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૭ સુધી જિલ્લામાં મેલેરિયાના કેસ સ્થાનિક કક્ષાએ શૂન્ય સુધી લઇ જવા તથા વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મૂલન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ લક્ષ્યાંક અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ સામે તમામ અટકાયતી પગલાં ભરરવામાં આવી રહ્યાં છે, જેના પરિણામે અમદાવાદ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષની પરિસ્થિતિ જોતાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ વિવિધ તાલુકા આરોગ્ય કચેરીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૨૦૨૭ સુધીમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના ૦ (શૂન્ય) કેસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની પૂર્તિ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે તે પછીના ત્રણ વર્ષ દરમિયાન જિલ્લાને મેલેરિયામુક્તિ તરફ લઈ જવાનો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૫૮ કેસ, ૨૦૨૦માં ૨૦ કેસ, ૨૦૨૧માં ૫ કેસ, ૨૦૨૨માં ૫ કેસ, ૨૦૨૩માં ૨ કેસ અને ૨૦૨૪માં ૬ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ચાલું વર્ષે મેલેરિયાના એક પણ કેસ અત્યારસુધીમાં નોંધાયો નથી. આમ, વર્ષ ૨૦૨૧થી મેલેરિયાના કેસો સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા છે. સતત ત્રણ વર્ષથી નેગેટિવ ગામો તથા સતત ત્રણ વર્ષથી પોઝિટિવ ગામોમાં નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ૫ વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ થયેલું નથી‌, એ મોટી સિદ્ધિ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડના સુપરવિઝન હેઠળ અમદાવાદ જિલ્લાને મેલેરિયા મુક્તિ તરફ લઈ જવા ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. પાછલા વર્ષોમાં જે તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મેલેરિયાના કેસ નોંધાયા હતા ત્યાં વર્ષ ૨૦૨૭ સુધી મેલેરિયા પોઝિટિવ ૦ કેસ કરવા સઘન સર્વેલન્સ સહિતના આદેશ આપવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૩૦ સુધી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ વિસ્તારોને મેલેરિયામુક્ત રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.

World Malaria Day : બોક્સ મેટર : મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી થકી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો

તમામ ગામોમાં ફિવર સર્વેલન્સ, પોરાનાશક કામગીરી, ફોગિંગ કામગીરી, આઇ.ઇ.સી. પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ જિલ્લામાં ટ્રાન્સમિશન સીઝન પહેલા માર્ચ, એપ્રિલ, મે માસમાં તમામ ગામોમાં એક માસમાં બે રાઉન્ડ એવા કુલ ૬ રાઉન્ડ સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીના હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લાની તમામ જી.આઇ.ડી.સી., એસ.ટી. ડેપો, ટાયર પંકચરની દુકાન, તમામ સરકારી સંસ્થા, શાળામાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબોરેટરીની નિયમિત મુલાકાત કરવામાં આવે છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા જેવા વાહકજન્ય રોગોની માહિતી મેળવી તમામ કેસોમાં રોગ અટકાયતી પગલાં હાથ ધરવામાં આવે છે, જેના પરિણામે અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે

World Malaria Day : બોક્સ મેટર : મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ

AI આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિસ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેકટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર GIDC અને સાણંદ GIDCના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા.વાસણા, બોળ, શિયાવાડા, છારોડી વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪માં નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ઉપયોગ થકી ૫૪૧ જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળ્યા હતા અને તમામને નોટિસ પણ આપવામાં આવી છે. ઉક્ત GIDC વિસ્તારમાં ડ્રોનથી દવા છંટકાવ બાદ અત્યાર સુધી વાહકજન્ય રોગનો એકપણ કેસ બન્યો નથી. અત્યારે ચાલુ વર્ષે મેલેરિયાનો એકપણ કેસ નથી અને આ શૂન્ય કેસને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

AI આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતને લઇને અમદાવાદ જિલ્લા મલેરિયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડને ગ્રીપ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Caution is safety, take these steps to avoid mosquito borne diseases in monsoon season.
સ્વાસ્થ્યરાજ્ય

Mosquito Borne Diseases: સાવચેતી એ જ સલામતી, ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં માટે લો આ પગલા..

by Hiral Meria September 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mosquito Borne Diseases: ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહીં તે માટે અગમચેતી રાખવી જરૂરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે કેટલાક તકેદારીના પગલા લઈએ તે હિતાવહ છે.

                 સોસાયટીમાં અને મકાનમાં છત સહિતની જગ્યાઓ પર પાણીનો નિકાલ કરવો, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, પક્ષીખાના, કુંડા, ટાયર, ભંગારનો સામાન વગેરેમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છરથી બચી શકાય છે.

               ગુજરાત સરકારના ( Gujarat Government ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અગમચેતીના પગલાને અનુસરી મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. તાવ આવે તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની નિઃશુલ્ક તપાસ કરાવવી, મેલેરિયા હોય તો, સંપૂર્ણ સારવાર કરાવવી. સામાન્ય રીતે મેલેરિયાનો ( Malaria ) ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે.

Caution is safety, take these steps to avoid mosquito borne diseases in monsoon season.

Caution is safety, take these steps to avoid mosquito borne diseases in monsoon season.

               મેલેરિયા સામે સાવચેતી રાખવા માટે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થવા ન દેવો, પાણીના નાના ખાડા-ખાબોચિયા પૂરી દેવા, પાણીનો મોટી જગ્યામાં સ્ટોરેજ હોય તેવા જળસંગ્રહ સ્થાનોમાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મૂકાવી, મેલેરિયાથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો. 

આ સમાચાર પણ વાંચો :  Karnataka Dengue Epidemic : મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું, દેશમાં આ રાજ્ય સરકારે ડેન્ગ્યુને મહામારી કરી જાહેર; આરોગ્ય વિભાગ એલર્ટ..

                  મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ ( Dengue ) સામે પણ પણ કેટલીક સાવચેતી રાખી અને સલામત રહી શકાય છે. ડેન્ગ્યુ અટકાયત માટે ચોખ્ખા પાણીનાં સંગ્રહની તમામ જગ્યાઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો. થર્મોકોલની શીટ, બીનઉપયોગી ટાયર, ભંગાર, ખાલી વાસણોમાં ફ્રિજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત ઉપયોગમાં ન હોય અને ફેંકી દેવા યોગ્ય વસ્તુઓનો નિકાલ કરવો. પાણી ભરાયું હોય તેવા સ્થાનો પરથી પાણી ખાલી કરવા, અને તે સ્થળને સુકાવા દેવા.

Caution is safety, take these steps to avoid mosquito borne diseases in monsoon season.

Caution is safety, take these steps to avoid mosquito borne diseases in monsoon season.

                છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર, ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરવો, પાણીનો સંગ્રહ ન થાય તેની તકેદારી રાખવી. આ અંગેની વધુ વિગતો માટે આરોગ્ય કાર્યકર અથવા સરકારી દવાખાનોના સંપર્ક કરવો. અગમચેતી રાખી અને ચોમાસાની ઋતુ ( Monsoon Season )  દરમિયાન મચ્છરજન્ય રોગોથી બચી  શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.
સ્વાસ્થ્યરાજ્ય

Mosquito-borne disease: અઠવાડિયે એક વાર જરૂર મનાવો સઘન સફાઈ દિવસ; અટકાવો મચ્છર ઉત્પતિ અને રહો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ચેપી રોગોથી દૂર..

by Hiral Meria August 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mosquito-borne disease : હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય, વાહકજન્ય બીમારીઓ ફેલાવાનો ભય સૌથી વધુ રહે છે, ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન ( Cleanliness campaign ) જેવા પગલાંઓ થકી જનઆરોગ્ય અર્થે સતત પ્રયાસશીલ છે. નાગરિકોની પણ નૈતિક જવાબદારી છે કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા ચેપી રોગોને નિયંત્રણમાં લેવા માટે મદદરૂપ બને.

ડેન્ગ્યુ ( Dengue ) અને ચિકનગુનિયા રોગ ચેપી માદા એડીસ ઇજીપ્તી મચ્છરના ( Mosquitoes ) કરડવાથી થાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. આ વાયરસ વ્યક્તિમાં ૫થી ૭ દિવસ રહે છે. વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળોએ આવો રોગ ફેલાવાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ચેપી રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વાહકજન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે મચ્છર ઉત્પતિની પ્રક્રિયા અને તેના અટકાયતી પગલાં વિશે જાણવું જરૂરી છે. 

require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.

require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.

Mosquito-borne disease મચ્છરની ઉત્પતિ કેવી રીતે થાય છે?

 મચ્છર બંધિયાર ચોખ્ખા પાણીમાં ઇંડા મુકે છે. ઇંડામાંથી ૨-૩ દિવસમાં પોરા જોવા મળે છે. પોરામાંથી ૨-૩ દિવસમાં કોસેટો બની ત્યારબાદ ૨-૩ દિવસમાં મચ્છર બને છે. ઇંડામાંથી મચ્છર થતા ૭ દિવસ લાગે છે. આથી, દર અઠવાડિયે બંધિયાર પાણી ખાલી કરવામાં આવે તો મચ્છર ઉત્પતિ અટકી શકે. હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, છાત્રાલયો, શાક માર્કેટ, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ, જી.આઇ.ડી.સી., ફેક્ટરી કેમ્પસના બિલ્ડીંગોમાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોવાથી ક્યાંય પાણી ના ભરાય અને વ્યવસ્થિત સફાઈ થાય તે બાબતે માલિકો/સંચાલકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

આ સમાચાર પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલવેએ તહેવારો દરમિયાન યાત્રીઓની સુવિધા માટે અમદાવાદથી ઉપડનારી આ 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કર્યા.

Mosquito-borne disease બેદરકારી છોડો, મચ્છરજન્ય રોગોથી બચવા આટલું જરૂર કરો

  •   ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ( Chikungunya ) ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છરવિરોધી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.
  •  દર અઠવાડિયે ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહનાં તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા જોઈએ.
  •  ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
  •  બારી બારણામાં મચ્છરજાળી લગાવવી જોઈએ.
  •  ઘર, ધાબા પર અને ઘરની આસપાસ પડી રહેલ નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો નાશ કરવો જોઈએ.
  •  પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવાં જોઈએ.
  •  સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુ:ખાવો, સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.
  •  તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવું અને આરામ કરવો જોઈએ.
require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.

require an intensive cleaning day once a week; Prevent mosquito breeding and stay away from infectious diseases like Dengue and Chikungunya.

Mosquito-borne disease સાવચેતીરૂપે લેવાના પગલાંઓ

  • ઘર અને ઘરની આસપાસ ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહ ના તમામ પાત્રોમાં પાણી ભરાઈ ના રહે તે જોવું જોઈએ.
  • વરસાદી ઋતુ દરમિયાન નકામા પાત્રો જેવાં કે બોટલ, ટીન, ટાયર અને નાળિયેરની કાચલી, ભંગાર વગેરેને ખુલ્લામાં નાખવા નહીં.
  • ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની થાય ત્યારે તબીબના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં.
  • એડીસ ઇજિપ્તિ મચ્છરથી ફેલાતા આ રોગથી બચવા ઘરમાં તથા ઘરની આસપાસ પાણીનો સંગ્રહ ટાળવો જોઈએ.
  • ઘરની અંડર ગ્રાઉન્ડ, ઓવરહેડ ટાંકીના ઢાંકણા એરટાઈટ બંધ રાખવા જોઈએ.
  • સમયાંતરે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા રહેવું જોઈએ.

Mosquito-borne disease સઘન સફાઈ ડે ઉજવીએ

  • દર રવિવારે (અઠવાડિયે એક વાર) નાગરિકોએ ઘરના ધાબા, ઘરની અંદર તથા ઘરની આસપાસ પાણી ભરેલા પાત્રો ની સફાઈ કરવી જોઈએ. જેથી, મચ્છરના ઇંડા-પોરાનો નાશ થાય.
  • નાગરિકોએ પોતાના ઘર, આસપાસના બંધ ઘરો, મહોલ્લા, સોસાયટી, ઓફિસના ધાબામાં કાટમાળમાં ભરાયેલા પાણી, ક્રીઝ/કુલરમાં ભરેલા પાણી, કોઠી, ટાંકી, ટાયર, કુંડા, પ્લાન્ટ, નકામા પ્લાસ્ટીક, માટી-સ્ટીલના વાસણોમાં ભરાયેલું પાણી અચૂક સાફ કરવું જોઈએ.

Mosquito-borne disease રોગચાળો રોકવા અપનાવો ૧૦x૧૦x૧૦નું સૂત્ર

રાજ્યના જાગૃત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ તેમજ શાળાઓ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા ( Malaria ) અને ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે ૧૦x૧૦x૧૦નું સૂત્રને અનુસરે છે. આ સૂત્રમાં પ્રથમ ૧૦ એટલે દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦ એટલે ઘરમાં તથા તેની આસપાસના ૧૦ મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા અને બિન-ઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. તેમજ ત્રીજા ૧૦ એટલે આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને અને આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકે છે. 

આ સમાચાર પણ વાંચોઃ Special Train: આગ્રા ડિવિઝનના કુબેરપુર સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે આ ડિવિઝનથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળા થકી ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરાઈ રહ્યા છે. તેની સાથે સાથે આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. ત્યારે આપણે સૌ સુરત શહેર-જિલ્લાને સ્વચ્છ અને મચ્છરમુક્ત બનાવવા મચ્છરજન્ય કેસ ( Mosquito-borne cases ) અટકાયતી કામગીરીમાં યોગદાન જરૂર આપીએ.. સાફસફાઈની કામગીરીને આદત તરીકે કેળવવીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Cases of waterborne diseases including H1N1 flu are increasing in Mumbai BMC.. know details..
મુંબઈ

Mumbai: મુંબઈમાં H1N1 ફ્લૂ સહિત પાણીજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છેઃ બીએમસી.. જાણો વિગતે..

by Bipin Mewada July 17, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: હાલમાં, મુંબઈમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને લેપ્ટોસ્પાયરોસિસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે એચ1એન1 (ફ્લૂ) અને પાણીજન્ય રોગોની સંખ્યામાં કેટલાક અંશે વધારો થયો છે. 1 થી 15 જૂન સુધીમાં H1N1 રોગના ( H1N1 flu ) 10 દર્દીઓ નોંધાયા હતા. તો હવે 1 થી 15 જુલાઇ સુધીમાં 53 દર્દીઓ નોંધાયા છે. મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) જાહેર આરોગ્ય વિભાગ હેઠળના રોગચાળા નિયંત્રણ સેલ દ્વારા મુંબઈમાં 6 લાખ 89 હજાર 433 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. 

પાણીજન્ય રોગો ( Water borne diseases ) માટે ડોર ટુ ડોર સર્વે દરમિયાન 67 હજાર 583 લોકોને ગેસ્ટ્રો માટે ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મેલેરિયા ( Malaria ) નિયંત્રણ હેઠળ 1 લાખ 49 હજાર 832 ઘરોની તપાસ કરવામાં આવી છે. તેમાં કુલ 9,221 એનોફિલિસ મચ્છર મળી આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુ નિવારણ નિયંત્રણ હેઠળ 6 લાખ 80 હજાર 827 ઘરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 લાખ 36 હજાર 542 કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. આમાં એડીસ મચ્છરોની ( Aedes mosquitoes ) ઉત્પત્તિના 12 હજાર 559 સ્થળો મળી આવ્યા હતા.

 Mumbai: ભાગ મચ્છર ભાગ આ વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે….

ડેન્ગ્યુ અને શરદી તાવ (મેલેરિયા) રોગોના નિવારણ તથા નિયંત્રણ માટે હાલ મહાનગરપાલિકા શોર્ટ ફિલ્મો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. ભાગ મચ્છર ભાગ આ વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં મરાઠી, હિન્દી ફિલ્મ ઉદ્યોગના કલાકારો તેમજ સેલિબ્રિટીઓ અને પ્રખ્યાત લોકો આ અભિયાનમાં સામેલ હશે.

પાણીજન્ય રોગો (ગેસ્ટ્રો, હેપેટાઈટીસ, ટાઈફોઈડ) માટેની સાવચેતીઓ:

-ગેસ્ટ્રોથી બચવા માટે શેરી/રસ્તા પર મળતો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળો.

– જમતા પહેલા હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

-પાણીને ઉકાળીને પીવો.

આ સમાચાર પણ વાંચો :  Zomato CEO Billionaire: Zomatoના સ્થાપક-CEO દીપેન્દ્ર ગોયલનો અબજોપતિઓમાં સમાવેશ, નેટવર્થ રૂ. 8,300 કરોડ સુધી પહોંચી.. જાણો વિગતે.

 Mumbai: H1N1/ફ્લૂના નિવારણ માટેની ટીપ્સ:

-ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.

-છીંક કે ખાંસી આવે ત્યારે તમારા નાકને ટીશ્યુ અથવા રૂમાલથી ઢાંકો.

-સાબુ ​​અને પાણીથી વારંવાર હાથ ધોવા.

-આંખો, નાક અથવા મોંઠાને સ્પર્શ કરવાનું ટાળો.

-ઉચ્ચ જોખમ ધરાવતી વ્યક્તિઓ H1N1 (ફ્લૂ) માટે વધુ સંવેદનશીલ હોય છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને આથી H1N1 ચેપને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

 Mumbai: ડેન્ગ્યુ-મેલેરિયાના નિવારણ માટે સલાહ/ઉપાય :

-નાગરિકોએ ખાતરી કરવી જોઈએ કે તેમના ઘરમાં, ઘરની આસપાસ અને ઈમારતોના વિસ્તારમાં ક્યાંય પણ પાણી એકઠું ન થાય. માદા મચ્છર તેમના ઈંડાં સંગ્રહિત પાણીમાં મૂકે છે અને મચ્છરો માટે આ સ્થળ બ્રીડિંગ ગ્રાઉન્ડ બને જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જો ક્યાંય પાણી એકઠું થયું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ.

-ટાયર,  પ્લાસ્ટિકની બોટલો અને બોટલના કવર, ઝાડના કુંડાઓમાં, ફ્રિજની નીચે ડિફ્રોસ્ટ ટ્રેનું દરરોજ નિરીક્ષણ કરવું જોઈએ અને તેની કાળજી લેવી જોઈએ.

-ફેંગશુઈ, મની પ્લાન્ટ જેવા સુશોભન છોડનું પાણી પણ નિયમિત બદલો.

-દિવસ અને રાત્રિ દરમિયાન મચ્છરદાની અથવા મચ્છર ભગાડનાર વસ્તુઓનો ઉપયોગ કરો.

-જૂના ટાયર, પાણીની ટાંકી, ટ્યુબ, પ્લાસ્ટિકના કન્ટેનર જેવી વસ્તુઓ એકઠી કરવાનું ટાળો, કારણ કે આમાં સંગ્રહિત પાણીથી મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે છે.

-તાવના કિસ્સામાં, વ્યક્તિએ તાત્કાલિક નજીકના મુંબઈ મહાનગરપાલિકા  સંચાલિત હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે હોસ્પિટલ, મુંબઈ મહાનગર પાલિકા હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ અને સંપૂર્ણ સારવાર કરવી જોઈએ.

 Mumbai:  લેપ્ટોસ્પાયરોસિસથી બચવા માટેની ટીપ્સ:

-વરસાદી પાણીમાં ઉભા રહીને ચાલવાનું ટાળો. જ્યારે પણ શક્ય હોય ત્યારે ગમ બૂટ પહેરો.

-વધુ માહિતી માટે તમારા નજીકના MP આરોગ્ય કેન્દ્ર/ડિસ્પેન્સરી/હોસ્પિટલની મુલાકાત લો અને તાત્કાલિક સલાહ લો.

આ સમાચાર પણ વાંચો :  Devshayani Ekadashi 2024 : આજે છે દેવશયની એટલે કે દેવપોઢી અગિયારસ; જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

July 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Let's do this as a conscious citizen to prevent the breeding of mosquitoes that spread fevers like malaria, dengue and chikungunya.
સુરતરાજ્યસ્વાસ્થ્ય

Malaria: મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા તાવ ફેલાવતા મચ્છરોને ઉત્પન્ન થતાં અટકાવવા જાગૃત્ત નાગરિક તરીકે આટલું કરીએ

by Hiral Meria July 10, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Malaria: ગુજરાત સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦” અભિયાન અતર્ગત સમગ્ર રાજ્યમાંથી ( Gujarat ) વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં ૧૦૦૦ની વસ્તીએ મેલેરિયાના કેસનું ( Malaria case ) પ્રમાણ વર્ષ ૨૦૨૭ સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે.  

             આ વર્ષે “મેલેરિયા મુક્ત ગુજરાત” ( Malaria free Gujarat ) ના લક્ષ્યોને પૂરા કરવા માટે આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમોથી મેલેરિયા રોગ અટકાયત અને નિયંત્રણ સાથે જનસમુદાયને જાગૃત્ત કરાઈ રહ્યા છે, ત્યારે માનવ સમુદાયમાંથી મેલેરીયાના પરોપજીવી જંતુ કાઢી જડમૂળમાંથી નાશ કરવો અને રોગનો ફેલાવો કરનાર મચ્છાર ઉત્પતિ સ્થાનો નાબૂદ કરવા તથા માનવ મચ્છર વચ્ચેનો સંપર્ક ઘટાડવો જરૂરી છે. મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા તાવ ફેલાવતા મચ્છરોને ઉત્પન્ન થતાં અટકાવવા જાગૃત્ત ( Malaria Awareness )  નાગરિક તરીકે આપણે આટલું કરીએ:.. 

ઠંડી અને ધ્રુજારો સાથે તાવ આવવો, માથામાં દુઃખાવો, શરીરમાં કળતર, ઉબકા, ઉલ્ટીી, બેચેની, નબળાઇ તેમજ પરસેવાની સ્થિતિ એ મેલેરીયાના લક્ષણો છે. મેલેરીયા તાવના દર્દીએ આરોગ્ય કર્મચારી પાસે તુરંત બે ટીપા લોહી મેલેરીયાની તપાસ માટે લેવડાવી અને સારવાર લેવી. લોહીની તપાસમાં મેલેરીયાના જંતુઓ જણાય તો તેની સારવાર પૂરેપૂરી લેવી.

પીવાનું પાણી તેમજ ઘરવપરાશનું પાણી જેમાં ભરેલ હોય તે ટાંકા-ટાંકી, કોઠીને હવાચુસ્તા ઢાંકણ અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી તમામને દર અઠવાડીયે ખાલી કરી કાથીની દોરી વડે ઘસીને સાફ કરી સૂકવીને ફરી ઉપયોગમાં લેવા. 

બંધિયાર પાણીના ખાડા-ખાબોચીયાનો નિકાલ કરવો અને તેમાં બળેલું ઓઇલવાળા કપડાના બોલ બનાવી મુકવા અથવા કેરોસીન નાંખવું. 

આ સમાચાર પણ વાંચો : HIV Cases: દેશના આ પર્વતીય રાજ્યમાં HIVએ વધાર્યું ટેન્શન, એપ્રિલ 2007 થી મે 2024 વચ્ચે 828ના રિપોર્ટ પોઝિટિવ; 47ના મોત…

બંધ પડેલી ગટરો સાફ કરાવવી. આજુબાજુમાં ઉભેલું ઘાસ કઢાવવું અને ડસ્ટીંગ કરાવવું. મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી કાઢી મચ્છર ઉત્પન્ન થતી જગ્યાઓનો નાશ કરવો.

શહેરમાં અને બાજુના વિસ્તારોમાં મકાનો બાંધવાની કામગીરી ચાલુ અથવા બંધ હોય ત્યારે બનાવેલ પાણીની કુંડીઓમાં મચ્છ‍ર ઉત્પનન્ન થાય નહિ તે માટેકોન્ટ્રાક્ટરોને ખાસ સૂચના આપવી, આવી જગ્યાઓમાં ઉત્પન્ન‍ થતા પોરાઓ-લાર્વાઓનો નાશ કરવો. 

ફુલદાની, કુલર, સિમેન્ટોની ટાંકીઓ વગેરેનું પાણી દર અઠવાડીએ ખાલી કરી અંદરની સપાટી કાથી વડે ઘસીને સાફ કરો સૂકવો અને ચુસ્તે ઢાંકણથી બંધ કરો. 

બિનવપરાશી કોઠી, માટલા વગેરે ખાલી કરી ઉંધા રાખો. ગટરસાફ કરી પાણી વહેતું કરો ગટરની આજુબાજુ ઉગેલી વનસ્પિતિ દૂર કરો. 

મોટી પાણીની ટાંકીઓમાં પોરાભક્ષક માછલીઓ મૂકો. રોજ સવાર-સાંજ લોબાન-ગૂગળનો ધુમાડો કરી બારી-બારણા ત્રીસ મિનિટ બંધ રાખવા.

માણસ અને મચ્છર વચ્ચે સંપર્ક ઘટાડવા મચ્છરદાનીનો ઉપયોગ કરો, રિપ્લેન્ટનો ઉપયોગ કરો, વહેલી સવાર અને સંધ્યા સમયેથી જ તમારા મકાનોના બારી-બારણા બંધ રાખો.

શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા. સંધ્યા સમયે બારી-બારણા બંધ કરી કડવા લીમડાનો ધુમાડો કરવો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Mouse in chutney : હૈદરાબાદ યુનિવર્સિટીની મેસમાં ચટણીમાં તરતો જોવા મળ્યો મુષક, ફૂડ સેફટી પર સવાલો ઉઠ્યા સવાલો; જુઓ વિડીયો

July 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out
સુરત

Surat : સુરત જિલ્લામાં તા.૧૫ એપ્રિલ થી તા.૩૦ એપ્રિલ સુધી એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું

by Hiral Meria May 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat :  મેલેરીયા મુક્ત ગુજરાત ઉદ્દેશ્યને સાકાર કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સુરતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ બી.પટેલના માર્ગદર્શન હેઠળ તા.૧૫ થી ૩૦ એપ્રિલ દરમિયાન ડોર ટુ ડોર સર્વે ( Door to door survey ) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

              જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરના સંકલનમાં રહી ૫૯ આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો સહિતની અલગ અલગ ૮૦૫  ટીમ બનાવી, સુરત જિલ્લાના તમામ ગામોમાં ૩ લાખ ૮૧ હજારથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી. ( NVBDCP )  અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ( House to House Surveillance ) કરીને ૯,૨૪,૮૩૯ ઘરની અંદરના પાત્રો જેવા કે, વાડામાં, ફ્રીજની ટ્રે, ટીપણાઓ તથા જયારે બહાર ના વિવિધ ૨,૧૦,૭૮૭ સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણીને દૂર કરવામાં આવ્યા હતા. લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. સર્વેલન્સ દરમ્યાન ૪૭૮૮ સ્થળોએ મચ્છરના પોરા જોવા મળ્યા હતા જેનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. 

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

        સુરત જિલ્લામાં તા.૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની સઘન ઉજવણી કરવામાં આવી હતી. વાહક જન્ય રોગોના અટકાયત માટે વહેલુ નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક જન્ય રોગો જેવા કે, મેલેરીયા ( Malaria ) , ડેન્ગ્યુ, ચિકુનગુનિયા વગેરેના નિયંત્રણની કામગીરીમાં શાળાના બાળકોમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ, વાહક નિયંત્રણ, આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

આ સમાચાર પણ વાંચો :  NCW: યુવા મહિલાઓ NCW સાથે મળીને ટેક્નોલોજી, બિઝનેસ અને જાહેર જીવનનું નેતૃત્વ કરે છે

            આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાઈ ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવેલ. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખનામાં જઈને નિ:શુલ્ક લોહીની તપાસ કરાવવી જોઈએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. પાણીની ટાંકી, પાત્રો, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં એક વખત સાફ કરી, સૂકવીને પાણી પછી પાણી ભરો. ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. નકામા ટાયર, ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો. આખી બાંયના કપડા પહેરો. સૂતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. કોઈ પણ તાવ મેલેરીયા હોઈ શકે છે. મલેરીયાનો ફેલાવો મચ્છરથી ( mosquitoes ) જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે તેમ જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડો.પ્રશાંત સેલરે જણાવ્યું હતું

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

NVBDCP in Surat district from April 15 to April 30. Intensive house to house surveillance was carried out

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Malaria Day World Malaria Day is celebrated on 25 April every year. This is its main purpose.
ઇતિહાસ

World Malaria Day: દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. આ છે તેનો મુખ્ય હેતુ..

by Hiral Meria April 24, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

World Malaria Day:  2008થી દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ ઉજવાય છે. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા ( Malaria  ) જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્ય જાગૃત્તા ફેલાવોનો છે. કારણ કે આ રોગથી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે. આ એક જીવલેણ બીમારી  છે મચ્છરો ( mosquitoes ) દ્વારા ફેલાય છે. માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી આ બીમારી થાય છે. 

આ પણ વાંચો : Jayakanthan : 24 એપ્રિલ 1934 ના જન્મેલા, ડી. જયકંથન, જેઓ જેકે તરીકે જાણીતા હતા, તેઓ ભારતીય લેખક, પત્રકાર, વક્તા, ફિલ્મ નિર્માતા, વિવેચક અને કાર્યકર હતા.

April 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Malaria Vaccine After 30 years of hard work, WHO approved this vaccine made in India in its list..
લાઈફ સ્ટાઇલ

Malaria Vaccine : 30 વર્ષની મહેનત પછી ભારતમાં બનેલી આ રસીને WHOએ પોતાની યાદીમાં આપી મંજૂરી.. જાણો કેમ છે ખાસ આ રસી..

by Bipin Mewada December 23, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Malaria Vaccine : ભારત ( India )  માં અન્ય નેકવોર્મનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. મેલેરિયા ( Malaria ) સામેની ભારતીય રસી ( Indian Vaccine ) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) ની યાદીમાં સામેલ કરવામાં આવી છે. મેલેરિયા રોગે ભારત જેવા ઘણા દેશોમાં વિનાશ વેર્યો છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસીકરણની યાદીમાં મેલેરિયા સામેની ભારતીય રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સીરમ સંસ્થાએ ( Serum institute ) આ રસી તૈયાર કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની R21/Matrix-M મેલેરિયા રસીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના 75 વિવિધ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પછી WHOએ આ રસીને યાદીમાં સામેલ કરી છે. 

મેલેરિયા સામેની આ ભારતીય રસીનું નામ R21/Matrix-M છે.  આ રસી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રસીને પહેલા જ મંજૂરી આપી દીધી છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રસીને રસીકરણની યાદીમાં સામેલ કરી છે. ભારતે 30 વર્ષની અથાક મહેનત અને સંશોધન બાદ આ મેલેરિયાની રસી વિકસાવી છે.

નવી મેલેરિયા રસી R21/Matrix-M સસ્તી અને વધુ અસરકારક…

R21/Matrix-M એ WHO ની મેલેરિયા પ્રીક્વોલિફાઈડ યાદીમાં સામેલ થનારી બીજી અને પ્રથમ ભારતીય રસી છે. ગયા વર્ષની શરૂઆતમાં આ યાદીમાં એક રસીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ, ભારતે ત્યારથી વિશ્વને સસ્તા અને અસરકારક એન્ટિ-મેલેરિયા સોલ્યુશન પ્રદાન કરવા માટે R21/Matrix-M વિકસાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Mandvi : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂ.૩.૧૧ કરોડના ખર્ચે માંડવી તાલુકાના વિવિધ ગામોના છ વિકાસકામોનું ખાતમુહૂર્ત

બીજી મેલેરિયા રસી, R21/Matrix-M, ઓક્ટોબર 2023 માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આ નવી રસી મેલેરિયા સામે લડવામાં મદદ કરશે, WHOએ જણાવ્યું હતું. નવી મેલેરિયા રસી R21/Matrix-M સસ્તી અને વધુ અસરકારક છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે આ સમયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય સંગઠને બે નિષ્ણાત જૂથોની સલાહના આધારે R21/Matrix-M રસીને મંજૂરી આપી છે. મેલેરિયા સંશોધક તરીકે, મેં તે દિવસનું સપનું જોયું જ્યારે આપણી પાસે મેલેરિયા સામે સલામત અને અસરકારક રસી હશે. મેલેરિયા સામે લડવા માટે અમારી પાસે હવે બે રસીઓ છે.

December 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai 62% increase in cases of malaria disease in Mumbai city report..know details
મુંબઈ

Mumbai: મુંબઈ શહેરમાં આ બીમારીએ હદ વટાવી થયો 62%નો વધારો: અહેવાલ..જાણો વિગત

by Bipin Mewada December 5, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: આ વર્ષે શહેરમાં મેલેરિયાના કેસોની ( malaria cases ) સંખ્યામાં 62% વધારો થયો છે, પરંતુ BMCએ હજુ સુધી એક પણ મૃત્યુ નોંધ્યું નથી – ગયા વર્ષે એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં મેલેરિયાના મૃત્યુ ( Malaria deaths ) ગત વર્ષના 26 થી ઘટીને આ વર્ષે 11 થયા છે.

BMCના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે મુંબઈની વધતી સંખ્યા વેક્ટર પ્રવૃત્તિને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુના  કેસોમાં ( dengue cases )  વધારો થવાના વૈશ્વિક વલણને પ્રતિબિંબિત કરે છે.

“તે ચોક્કસપણે હવામાનથી લઈને આબોહવાની પરિસ્થિતિઓ અને મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત અપગ્રેડ કરવા માટેના સ્થાનિક પરિબળોનું સંયોજન છે. જો કે, અમે જાણતા નથી કે તેનો પ્રદૂષણ સાથે કેટલો સંબંધ છે,” જી સાઉથ, ઇ, જી નોર્થ, કે વેસ્ટ વોર્ડમાં તેમનું સૌથી મોટું યોગદાન ચાલુ છે. એમ તેમણે જણાવ્યું હતું.

મેલેરિયા સામેની લડાઈમાં આબોહવા પરિવર્તનને વધતા જતા ખતરા તરીકે માન્યતા: WHO..

ગયા અઠવાડિયે WHO દ્વારા પ્રકાશિત વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2023, પ્રથમ વખત મેલેરિયા સામેની લડાઈમાં આબોહવા પરિવર્તનને વધતા જતા ખતરા તરીકે માન્યતા આપે છે. વધુમાં, અંશતઃ કોવિડ-19ના કારણે થતા વિક્ષેપોને કારણે, 2022માં વૈશ્વિક સ્તરે મેલેરિયાના કેસ 5 મિલિયન વધીને કુલ 249 મિલિયન (2021ની સરખામણીમાં) થવાની ધારણા છે, એમ અહેવાલમાં જણાવાયું છે. તે ભારપૂર્વક જણાવે છે કે દક્ષિણ-પૂર્વ એશિયન પ્રદેશમાં મેલેરિયાના મોટાભાગના કેસો ભારતમાં (66%) કેન્દ્રિત હતા, જેમાં લગભગ 94% મૃત્યુ ભારત અને ઇન્ડોનેશિયામાં થાય છે. “મેલેરિયા આબોહવા પરિવર્તન માટે અત્યંત સંવેદનશીલ છે કારણ કે તાપમાન, વરસાદ અને ભેજ મેલેરિયાના પ્રસારણની ઘણી ગતિશીલતાને પ્રભાવિત કરે છે, જેમાં મેલેરિયા વેક્ટોરિયલ ક્ષમતાનો સમાવેશ થાય છે,” એંમ અહેવાલમાં દર્શાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : Mahaparinirvan Diwas: મુંબઈ ટ્રાફિક પોલિસની જાહેરાત…. 7 ડિસેમ્બર સુધી આ રસ્તા કરવામાં આવ્યા બંધ.. જાણો અહીં શું રહેશે વૈકલ્પિક માર્ગો…

તેમ જ વધુમાં જંતુનાશક અધિકારીએ જણાવ્યું હતું કે એક દિવસનો કમોસમી વરસાદ વેક્ટર નિયંત્રણ પ્રવૃત્તિઓને અઠવાડિયા સુધી પાછળ ધકેલી શકે છે. “મુંબઈમાં મેલેરિયા પણ માનવસર્જિત છે. કુવાઓ, પાણીના સંગ્રહની ટાંકીઓની સારવાર કરવી મુશ્કેલ છે, જ્યારે લોકો તેમના પરિસરને સંવર્ધનથી મુક્ત બનાવવામાં ઓછો ફાળો આપે છે,” એમ અધિકારીએ જણાવ્યું હતું. 2023 માં, બાંધકામ સાઇટ્સ પર જંતુનાશક ટીમો બમણી કરાઈ છે.. જોકે, રાજ્યના કીટશાસ્ત્રી ડૉ. મહેન્દ્ર જગતાપે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં મૃત્યુઆંક અડધો થયો છે. તેમણે ગઢચિરોલીમાં મેલેરિયાના વધુ ગંભીર સ્વરૂપ ફાલ્સીપેરમના કેસોમાં તીવ્ર ઘટાડા પર પણ પ્રકાશ પાડ્યો હતો. “અમે મેલેરિયા અને ડેન્ગ્યુના ગંભીર કેસોને વધુ અસરકારક રીતે હેન્ડલ કરવા માટે વધુ ડોકટરો માટે તાલીમ પણ વધારી રહ્યા છીએ,” તેમણે કહ્યું.

December 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat- Effective operation of health department for malaria control in Surat district
રાજ્ય

Surat: સુરત જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ માટે આરોગ્ય શાખાની સધન કામગીરી.

by Hiral Meria October 2, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat: મેલેરીયા ( Malaria ) મુકત ગુજરાત અભિયાનને ( Gujarat campaign ) વેગવતુ બનાવવા માટે સુરત આરોગ્ય વિભાગ ( Surat Health Department )  હસ્તકની જિલ્લા મેલેરિયા શાખા દ્વારા વાહક જન્ય રોગ ( vector borne disease ) નિયંત્રણ માટે વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.   

Surat- Effective operation of health department for malaria control in Surat district

Surat- Effective operation of health department for malaria control in Surat district

    

આ કામગીરી સુનિશ્ચિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરના સુપરવિઝન હેઠળ જિલ્લા સુરતમાં ૨૪ ઓગષ્ટ થી ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન સ્પેશ્યલ સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં વાહક જનિત રોગ નિયંત્રણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વાહકજન્ય રોગોનું વધુ જોખમ ધરાવતા, સુરત જિલ્લાના સુરત શહેરની સીમા નજીકનાં ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારો ધરાવતા ૨૯ ગામોમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે વધારાની ટીમો દ્વારા મહિનાના દર પહેલા અને ત્રીજા શનિવારે સંપૂર્ણ વિસ્તાર આવરી લેવાય તે રીતે  સ્પેશ્યલ સર્વેલન્સ કામગીરી કરાવવામાં આવે છે. તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૯/૨૦૨૩ સુધી જિલ્લા સુરતમાં મેલેરીયાના કુલ ૭૨ કેસો તેમજ ડેન્ગ્યુના કુલ ૩૬ કેસો  નોંધાયા છે. જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાય રહેતુ હોય, એવા  ૧૬૬૬ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે.  આ ગપ્પી માછલી મચ્છરનો ખોરાક તરીકે ઉપયોગ કરીને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે પરીણામલક્ષી કાર્યપદ્ધતિ છે. લોકોમાં મચ્છર ઉત્પત્તિ અને મેલેરીયા તથા ડેન્ગ્યુ – ચિકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે  પ્રદર્શન, ભીંતસૂત્રો, પત્રિકા વહેંચણી, બેનર, જુથચર્ચા, પ્રેસનોટ, કેબલ ટીવી, એફ.એમ.રેડીયો, રેલીઓ, માઈકીંગ, ભવાઈ શો, નાટક શો તેમજ સોશ્યલ મીડીયા જેવા માધ્યમો દ્વારા જનસમુદાયમાં વાહક જન્ય રોગો અંગે બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Surat- Effective operation of health department for malaria control in Surat district

Surat- Effective operation of health department for malaria control in Surat district

 

આ સમાચાર પણ વાંચો : State Level Trade Council : પૂણેમાં રાજ્ય કક્ષાના વેપારી પરિષદનું આયોજન; વેપાર ક્ષેત્રે આ ફેરફારો, માંગણીઓ અંગે થશે ચર્ચા, 5 હજારથી વધુ ટ્રેડર્સ આપશે હાજરી

મચ્છરથી ફેલાતાં વાહજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેંગ્યુ, ચીકનગુન્યાથી બચવા આટલું અવશ્ય કરીએ-

Surat- Effective operation of health department for malaria control in Surat district

Surat- Effective operation of health department for malaria control in Surat district

પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ, જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉપયોગમાં લઈએ.

અગાસી-ફળીયામાં રહેલ ભંગાર દૂર કરીએ, ફ્રીઝની ટ્રે,પક્ષીકુંજ અને પશુઓને પીવાની કૂંડી નિયમિત સાફ કરીએ.

છોડના કુંડામાં જમા રહેતા વધારાના પાણીનો નિકાલ કરીએ,

ખુલ્લા રહેતા મોટા પાણી ભરેલા સ્થળોએ પોરાંભક્ષક માછલી મૂકીએ.

Surat- Effective operation of health department for malaria control in Surat district

Surat- Effective operation of health department for malaria control in Surat district

મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાની, મોસ્ક્યુટો રીપેલન્ટ, મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવો 

પૂરું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા..

મેલેરીયા-ડેન્ગ્યુનો રોગચાળો પ્રસરતો રોકવા માટે તમામ નાગરિકો આ સમયગાળામાં તેમના ઘર અને કાર્યસ્થળની સુયોગ્ય રીતે સઘન સફાઈ કરે તેમજ અન્ય ૧૦ નાગરિકોને આવુ કરવા માટે પ્રેરે.

તાવ આવે તો ૧૦૪ નંબર ડાયલ કરો અને મફત સારવાર મેળવો.

Surat- Effective operation of health department for malaria control in Surat district

Surat- Effective operation of health department for malaria control in Surat district

 

October 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક