• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mamta banerjee
Tag:

mamta banerjee

the kashmir files director vivek agnihotri replies to mamata banerjee will director file defamation case
મનોરંજન

ધ કેરળ સ્ટોરી પર રાજકારણ ગરમાયુ, બંગાળમાં પ્રતિબંધ પછી વિવેક અગ્નિહોત્રીએ મમતા પર સાધ્યું નિશાન, શું કરશે માનહાની નો કેસ?

by Zalak Parikh May 9, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમના પર નરસંહારનો ઇનકાર કરવાનો આરોપ છે. મમતા બેનર્જીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બીજેપીના ફંડિંગ થી બની હતી. હવે વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને આનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ફિલ્મનું નામ, ‘દિલ્હી ફાઇલ્સ’ છે ‘બેંગાલ ફાઇલ્સ’ નથી.

 

વિવેક અગ્નિહોત્રી એ કર્યું ટ્વીટ 

વિવેક અગ્નિહોત્રીએ તેના ટ્વિટમાં લખ્યું, “ખૂબ જ મહત્વપૂર્ણ: મને લાગે છે કે આ વીડિયોમાં મમતા દીદી મારા વિશે વાત કરી રહી છે. હા હું ‘ખિલાફત’ દ્વારા ઉશ્કેરવામાં આવેલા ડાયરેક્ટ એક્શન ડે હત્યાકાંડમાં બચેલા લોકોને મળવા બંગાળ આવ્યો હતો. અને ગોપાલ પાથાની ભૂમિકા માટે. પરંતુ તમે શા માટે ભયભીત છો? #TheKashmirFiles જાતિ નરસંહાર અને આતંકવાદ વિશે હતી. તમને શું લાગે છે કે તે કાશ્મીરી લોકોને બદનામ કરવા માટે બનાવવામાં આવી હતી?”વિવેકે લખ્યું, “તમે કયા આધારે દુર્ભાવના પૂર્ણ રીતે કહી રહ્યા છો કે તે રાજકીય પક્ષો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું? હું તમારી સામે બદનક્ષી અને નરસંહાર ને નકારવા બદલ કેસ કેમ દાખલ કરાઉ? બાય ધ વે આ ફિલ્મનું નામ #TheDelhiFiles છે, ‘નથી કે ‘બંગાળ ફાઇલ્સ’. અને મને કોઈ ચૂપ કરી શકશે નહીં. એક યુઝરે આના પર કમેન્ટ કરી – આ સાચું છે, વાસ્તવિકતાને કોઈ નકારી શકે નહીં.

VERY IMPORTANT:

In this video, I guess, @MamataOfficial didi is talking about me. Yes, I came to Bengal to interview survivors of Direct Action Day genocide instigated by Khilafat. And the role of Gopal Patha. Why are you scared? #TheKashmirFiles was about Genocide and… pic.twitter.com/x7OcaQ4A4k

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 8, 2023

વિવેક અગ્નિહોત્રી ની આવનારી ફિલ્મ 

તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને જબરદસ્ત સફળતા મળી હતી અને હવે તે પોતાની ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ પણ હજુ સુધી રીલિઝ થઈ નથી, જેમાં બતાવવામાં આવશે કે કેવી રીતે કોવિડ દરમિયાન ભારતે માત્ર વેક્સીન બનાવીને દેશવાસીઓની જ મદદ નથી કરી, પરંતુ તેણે વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી છે.

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મમતા દીદીએ પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત-બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ મુદ્દે થઈ ચર્ચા

by Dr. Mayur Parikh August 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ચાર દિવસની મુલાકાતે દિલ્હી(Delhi) પહોંચેલા પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી(CM) મમતા બેનર્જીએ(Mamta Banerjee) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સાથે મુલાકાત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ મમતા દીદીએ પીએમ મોદી સાથેની આ બેઠકમાં તેમના રાજ્ય માટે જીએસટી(GST) લેણાં સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે EDએ બંગાળમાં મમતા સરકારના(Mamta Sarkar) પૂર્વ મંત્રી પર સકંજો કસ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને(President Draupadi Murmu) પણ મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મમતા બેનર્જીની કેબિનેટનો વિસ્તારમાં થયો મોટો ફેરફાર

August 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મમતા બેનર્જીના ભત્રીજાની પત્નીની મુશ્કેલીઓ વધી, દિલ્હીની એક અદાલતે રુજીરા બેનર્જી વિરુદ્ધ જારી કર્યું જામીનપાત્ર વોરંટ; જાણો શું છે સમગ્ર મામલો.. 

by Dr. Mayur Parikh May 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ. બંગાળના(West bengal) CM મમતા બેનર્જીના(Mamta banerjee) ભત્રીજા અભિષેક બેનર્જીના(Abhishek banerjee) પત્ની રુજીરા બેનર્જીની(Rujira banerjee) મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

દિલ્હીની એક અદાલતે  રુજીરા બેનર્જીની સામે જામીનપાત્ર વોરંટ(Bail warrant) બહાર પાડ્યું છે. 

ED દ્વારા વારંવાર સમન્સ(Summon) પાઠવવા છતાં તપાસમાં સામેલ ન થયા બાદ રુજીરાની સામે વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.

કોલસાની દાણચોરીના(coal smuggling) કેસમાં ED તેમની સામે મની લોન્ડરિંગની(money laundering) તપાસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે EDએ સીબીઆઈ(CBI) દ્વારા નવેમ્બર 2020માં નોંધાયેલી એફઆઈઆરના(FIR) આધાર પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની(PMLA) જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ઠાકરે સરકાર બાદ હવે મહારાષ્ટ્ર પોલીસને આપી ધમકી, કહ્યું- ‘જો મસ્જિદોપરથી ભૂંગળા નહીં હટાવવામાં આવે તો અમે…’

 

May 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મમતા બેનર્જીની જીભ લપસી ગઈ. ગર્ભવતી બનેલી નાબાલીક છોકરી વિશે. શરમ જનક બયાન આપ્યું. જાણો વિગતે….

by Dr. Mayur Parikh April 12, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી (CM) મમતા બેનર્જી (Mamta Banerjee) નાદિયા(Nadia) માં સગીર બાળકી સાથે કથિત રીતે રેપ અને બાદમાં તેની હત્યા મામલે શરમ જનક નિવેદન આપ્યુ છે.

મમતા બેનર્જીએ આ ઘટના પર સવાલ ઉઠાવીને કહ્યુ કે, શું ખરેખર સગીરા સાથે રેપ થયો હતો કે પછી તેનો લવ અફેર હતો, ત્યારબાદ તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. 

સાથે તેમણે કહ્યુ કે તમે કેવી રીતે જાણો છો કે તેની સાથે રેપ થયો હતો. પોલીસે હજુ સુધી મોતનુ કારણ જણાવ્યું નથી. મેં તેમને પૂછ્યું હતું કે શું તે પ્રેગ્નેન્ટ હતી કે તેનો લવ અફેર હતો કે તે બીમાર હતી.

જો કપલ રિલેશનશિપમાં છે તો આપણે તેમને કેવી રીતે રોકી શકીએ, આ યુપી નથી કે હું લવ જેહાદના નામે આવું કરી શકું. 

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે બાળ આયોગ આ કેસમાં બળાત્કાર અને હત્યાની તપાસ કરશે.

આ સમાચાર પણ વાંચો :  ભાજપે ફરી એકવાર રચ્યો ઈતિહાસ.. વિધાનસભા બાદ હવે વિધાનપરિષદમાં પ્રચંડ જીત, આ પક્ષના સૂપડા સાફ કરી નાખ્યા

April 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે ત્રીજા મોરચા સાથે જોડાવાના આપ્યા સંકેત… આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી જુનિયર પાર્ટનર બનવા માટે પાર્ટી તૈયાર; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના નેતાઓ 2024નું ઇલેક્શન ત્રીજા મોરચા સાથે લડવાના સંકેત આપી રહ્યા છે.

વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે જરૂર પડ્યે એડજસ્ટમેન્ટ કરવા તૈયાર છે.

જરૂર પડશે ત્યાં અમારો પક્ષ એડજસ્ટ પણ કરશે. દરેક પક્ષે એડજસ્ટ કરવું પડશે. 

મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે પણ એડજસ્ટમેન્ટ કરવું પડશે. 

રાજ્ય દર રાજ્ય લડાઈ લડવામાં આવે તથા જે રાજ્યમાં જે પક્ષ મજબૂત હોય તેને ટિકિટ આપવામાં આવે તો ભાજપને હરાવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનાર અંકિત શર્માના પરિવારને કરી મોટી મદદ, તેમના ભાઈને આ વિભાગમાં આપી નોકરી..

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મમતા દીદીને મળ્યા, આ મુદ્દે કરી ચર્ચા; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

શુક્રવાર. 

બિઝનેસમેન ગૌતમ અદાણીએ ગુરુવારે મુંબઈમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે.

મુલાકાત દરમિયાન મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી. તેમને બંગાળ બિઝનેસ સમિટમાં સામેલ થવાની જાણકારી આપી.

બંગાળ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

એપ્રિલ 2022માં કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ થવા જઈ રહી છે.

એટલે મમતા બેનર્જી અને ગૌતમ અદાણીની મુલાકાત આ રોકાણને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પ્રવાસે આવેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જી બિઝનેસ સમિટને લઈ સતત બીજી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

બિનભાજપી રાજ્યોને વેકિસન આપવામાં કેન્દ્ર સરકાર પક્ષપાત કરતી હોવાનો આ મંત્રીએ કર્યો આરોપ.
 

December 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ત્રણ દિવસ મુંબઈમાં કોને કોને મળશે?; દીદીના મગજમાં ચાલે છે કઈ મોટી રણનીતિ? જાણો વિગત

by Dr. Mayur Parikh November 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 નવેમ્બર, 2021

મંગળવાર

સંસદમાં 29 નવેમ્બરે શિયાળુ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકમાં ટીએમસીએ હાજરી આપી ન હતી તે પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મગજમાં કોઈ મોટી રમત ચાલી રહી છે. મમતા બેનર્જી 30 નવેમ્બરથી ત્રણ દિવસ માટે મુંબઈમાં આવી રહ્યા છે. આ દરમિયાન તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર અને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે. આ સિવાય તે 1 ડિસેમ્બરે અહીંના ઉદ્યોગપતિઓને પણ મળશે. બેનર્જી આવતા વર્ષે એપ્રિલમાં પશ્ચિમ બંગાળમાં યોજાનારી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ આપશે.

મમતા બેનર્જીની 3 દિવસીય મુંબઈ મુલાકાતને રાજનીતિની દૃષ્ટિએ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. અહીં વરિષ્ઠ નેતાઓને મળીને તે વિપક્ષને મજબૂત કરવાની રણનીતિ નક્કી કરી શકે છે. જ્યારે તેઓ અહીંના ઉદ્યોગપતિઓને પણ રોકાણ માટે પોતાના રાજ્યમાં આમંત્રિત કરી શકે છે.

બળાત્કાર કર્યાના એક જ દિવસમાં આરોપીને આજીવન કેદની સજા, ભારતીય કોર્ટોના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો
 

 તાજેતરમાં જ મમતા બેનરજી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. જોકે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીદી પોતે વિપક્ષનું નેતૃત્વ કરવા માગે છે. એટલા માટે તે કોંગ્રેસથી દૂર ચાલી રહ્યા છે. મુંબઈમાં પણ તેઓ કોંગ્રેસના કોઈપણ નેતાને મળશે નહીં, જ્યારે અહીંની મહા વિકાસ અઘાડી સરકારમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમજ કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે.

શિયાળુ સત્રમાં પણ સંસદમાં પણ ટીએમસી કોંગ્રેસથી દૂર ચાલી રહી છે. 29 નવેમ્બરે શિયાળુ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકમાં ટીએમસીની ગેરહાજરીથી સ્પષ્ટ થઈ ગયું છે કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના કવરેજને વિસ્તારવા માટે મમતા બેનરજી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.

દેશમાં અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવતું મહારાષ્ટ્રનું ઓર્ગન ડોનેશન ઓર્ગેનાઇઝેશન
 

November 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મમતા બેનર્જી સામે ચૂંટણીમાં ઝંપલાવી શકે છે આ મહિલા; જાણો તેમનો પોલિટિકલ પ્રોફાઇલ

by Dr. Mayur Parikh September 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો         

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

સોમવાર

 

પશ્ચિમ બંગાળમાં થનારી પેટાચૂંટણીમાં મમતા બેનર્જી સામે ભવાનીપુર સીટથી ભાજપનાં પ્રિયંકા ટીબરેવાલ ઝંપલાવી શકે છે. બંગાળની આ સહુથી હૉટ સીટ છે. ભાજપ ગુરુવારે વકીલ પ્રિયંકા ટીબરેવાલના નામની જાહેરાત કરી શકે છે.

આ સંદર્ભે પ્રિયંકા ટીબરેવાલે જણાવ્યું હતું કે પાર્ટીએ તેમને ભવાનીપુરથી ચૂંટણી લડવાની ઇચ્છા છે કે નહીં તે બાબતે પૂછ્યું છે. આ સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે બીજેપીમાં ઘણાં નામો પર ચર્ચા ચાલી રહી છે.  

મમતા બેનર્જી પાસે છે આટલી સંપત્તિ, સોનું અને પૈસા; હવે લડી રહ્યાં છે પેટાચૂંટણી, એફિડેવિટમાં વિગત બહાર આવી

 પ્રિયંકા ટીબરેવાલ રાજકારણમાં આવ્યાં એ પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોનાં કાનૂની સલાહકાર પણ રહી ચૂક્યાં છે. સુપ્રિયોના કહેવા ઉપર જ તેઓ વર્ષ ૨૦૧૪માં બીજેપીમાં જોડાયાં હતાં. વર્ષ ૨૦૧૫માં ટીબરેવાલે ભાજપના ઉમેદવાર તરીકે એટલીથી કોલકાતા નગર પરિષદની ચૂંટણી લડી હતી પણ તેઓ હારી ગયાં હતાં. ભાજપમાં જોડાયાંનાં છ વર્ષમાં પ્રિયંકા ટીબરેવાલે ઘણા મહત્ત્વપૂર્ણ મોરચે કામ સંભાળ્યું છે. ઑગસ્ટ ૨૦૨૦માં તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યાં હતાં.

September 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
"Respect People Of Tamil Nadu But...": Mamata Banerjee On 'Sanatana' Remark
રાજ્ય

મમતા બેનર્જી પાસે છે આટલી સંપત્તિ, સોનું અને પૈસા; હવે લડી રહ્યાં છે પેટાચૂંટણી, એફિડેવિટમાં વિગત બહાર આવી

by Dr. Mayur Parikh September 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો         

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

સોમવાર

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી આ વખતે ભવાનીપુરથી પેટાચૂંટણી લડી રહ્યાં છે. એ માટે તેમણે નામાંકનપત્ર નોંધાવી દીધું છે.

ભવાનીપુરથી ઉમેદવાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીની સંપત્તિ વિશેની જાણકારી સામે આવી છે. આ જાણકારી તેમણે પોતાનું ઉમેદવારી ફૉર્મ ભરતી વખતે આપી છે. એ મુજબ તેમની પાસે ફક્ત 69,255 રૂપિયા રોકડા છે.

આની પહેલાંની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડવા મેદાનમાં ઊભાં હતાં. જ્યાં તેમનો સામનો શુભેંદુ અધિકારીથી હતો. તે ચૂંટણીમાં મમતા બેનર્જીની હાર થઈ હતી. તે ચૂંટણી સોગંદનામામાં મમતા બેનર્જીએ પોતાની સંપત્તિમાં 12,02,356 રૂપિયાની જમા રાશિ દર્શાવી હતી.

મમતા બેનર્જી પાસે 9 ગ્રામનાં આભૂષણ છે, જેનું મૂલ્ય 43,837 રૂપિયા છે. એ ઉપરાંત તેમની પાસે કુલ બેંક બેલેન્સ 13,53,356 રૂપિયા છે. એમાંથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 18,490 રૂપિયા રાખ્યા છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામા પત્ર માં શું લખ્યું છે. વાંચો અહીં.

ચૂંટણી આયોગ દ્વારા જારી થયું પેટાચૂંટણીનું સમયપત્રક

ભવાનીપુર મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે, ત્યાં 30 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. ચૂંટણી આયોગ દ્વારા બહાર પડેલ અધિસૂચના અનુસાર 30 સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી અને 3 ઓક્ટોબરે મત ગણતરી યોજાશે. આ બેઠક પરની જીત જ મમતા બેનર્જી મુખ્ય મંત્રીપદ પર ટકી રહેશે કે નહીં એ નક્કી કરશે.

September 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

 મમતા દીદીના પરિવાર સુધી પહોંચી તપાસની આંચ, ભત્રીજા અભિષેક અને તેમની પત્નીને EDનું સમન્સ ; આ તારીખે હાજર રહેવાનો આદેશ 

by Dr. Mayur Parikh August 28, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

શનિવાર

કોલસા ગેરકાયદે ખનન કેસમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમની પત્ની રૂજીરા બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ સમન્સ પાઠવ્યા છે. 

આ સિવાય બંગાળ સીઆઈડીના એડીજી જ્ઞાનવંત સિંહ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના વકીલ સંજય બાસુને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. 

ટીએમસી નેતા અભિષેક બેનર્જીને તપાસમાં સામેલ થવા માટે 6 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યા છે જ્યારે ઇડી દ્વારા તેમની પત્ની રૂઝિરાને 3 સપ્ટેમ્બરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈની નવેમ્બર 2020 ની એફઆઈઆરમાંથી પસાર થયા બાદ ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. 

સીબીઆઈએ આસનસોલની આસપાસના કુનુસ્ટોરિયા અને કજોરા વિસ્તારોમાં ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના કરોડો રૂપિયાના કોલસાની ચોરીનો આરોપ લગાવ્યો હતો.

કમાલ છે! રીટેલમાં શાકભાજી મોંઘાં, તો વાશીની APMC બજારમાં વેચાયા વગરની શાકભાજી જાય છે કચરામાં; જાણો વિગત

August 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક