Tag: Marathas

  • Sayajirao Gaekwad III  : 11 માર્ચ 1863ના રોજ જન્મેલા, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા 1875 થી 1939 સુધી બરોડા રાજ્યના મહારાજા હતા..

    Sayajirao Gaekwad III : 11 માર્ચ 1863ના રોજ જન્મેલા, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા 1875 થી 1939 સુધી બરોડા રાજ્યના મહારાજા હતા..

      News Continuous Bureau | Mumbai 

    Sayajirao Gaekwad III  : 1863 માં આ દિવસે જન્મેલા, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા 1875 થી 1939 સુધી બરોડા ( baroda ) રાજ્યના મહારાજા હતા, અને તેમના શાસન દરમિયાન તેમના રાજ્યના મોટા ભાગના સુધારા માટે યાદ કરવામાં આવે છે. તેઓ મરાઠાઓના ( Marathas )  રાજવી ગાયકવાડ વંશના હતા જેમણે હાલના ગુજરાતના ( Gujarat ) ભાગો પર શાસન કર્યું હતું. 

    આ પણ વાંચો :  Vijay Hazare : 1 માર્ચ 1915ના રોજ જન્મેલા, વિજય સેમ્યુઅલ હજારે ભારતીય ક્રિકેટર હતા.

  • Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે 10 ટકા અનામત નીતિ લાગુ, સરકારી આદેશ જારી

    Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે 10 ટકા અનામત નીતિ લાગુ, સરકારી આદેશ જારી

    News Continuous Bureau | Mumbai 

    Maharashtra: મહારાષ્ટ્રમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મરાઠા સમુદાય ( Maratha community ) માટે શિક્ષણ અને સરકારી સેવાઓમાં 10 ટકા આરક્ષણ લાગુ કરવામાં આવ્યું છે. કાયદા અને ન્યાય વિભાગના સચિવ સતીશ બાગોલેએ આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે રાજ્યમાં મરાઠા સમુદાયના લોકો હવે શિક્ષણ ( education ) અને નોકરીઓમાં ( jobs ) અનામતનો લાભ મેળવી શકશે. 

    નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે આરક્ષણની ( reservation ) માંગ ઘણા સમયથી ચાલી રહી છે. દેવેન્દ્ર ફડણવીસની ( Devendra Fadnavis )  આગેવાની હેઠળની અગાઉની સરકારે પણ મરાઠાઓને ( Marathas ) 10 ટકા અનામત આપવાની પહેલ કરી હતી, પરંતુ તે સુપ્રીમ કોર્ટમાં ટકી શકી ન હતી. આ નિર્ણય સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન પણ દાખલ કરી હતી.

     સરકારે રાજ્યના પછાત વર્ગ આયોગની નવી ભલામણોના આધારે મરાઠા આરક્ષણ બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું..

    મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરાયેલા બિલ અનુસાર, સરકારે રાજ્યના પછાત વર્ગ આયોગની નવી ભલામણોના આધારે મરાઠા આરક્ષણ બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. નિવૃત્ત ન્યાયાધીશ સુનીલ શુક્રેની અધ્યક્ષતામાં બનેલા આ પંચે રાજ્યના 2.5 કરોડ પરિવારોનું સર્વેક્ષણ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 28 ટકા વસ્તી ધરાવતા મરાઠા સમુદાયમાંથી 21.22 ટકા લોકો પાસે પીળા રેશન કાર્ડ છે. રાજ્યમાં સૌથી નીચો છે. આ સરેરાશ 17.4 ટકા કરતાં વધુ છે. તે બાદ આ બિલ સુપ્રીમ કોર્ટમાં પસાર થઈ ગયું હતું.

    આ સમાચાર પણ વાંચો :  Sion Bridge: રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા હોવાથી સાયન રેલ ઓવર બ્રિજના ડિમોલિશનની તારીખ હવે આગળ વધી.

     

  • Maratha Reservation: મનોજ જરાંગેએ હવે મુંબઈ જવાની તેની યોજના રદ્દ કરી, મરાઠા આરક્ષણ મુદ્દે 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, અંબડમાં કર્ફ્યું લાદયું.

    Maratha Reservation: મનોજ જરાંગેએ હવે મુંબઈ જવાની તેની યોજના રદ્દ કરી, મરાઠા આરક્ષણ મુદ્દે 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, અંબડમાં કર્ફ્યું લાદયું.

    News Continuous Bureau | Mumbai 

    Maratha Reservation: મરાઠા આરક્ષણની માંગણી કરી રહેલા મનોજ જરાંગે પાટીલે ( Manoj Jarange Patil ) મુંબઈમાં વિરોધ કરવાની યોજના રદ્દ કરી દીધી છે. તે અધવચ્ચે જ પોતાના ગામ પરત ફર્યા છે. તેમણે સોમવારે (26 ફેબ્રુઆરી) કહ્યું હતું કે હાલ અમે કાયદાનું સન્માન કરીશું. મરાઠાઓએ ( Marathas ) પણ રાજ્યમાં શાંતિ જાળવી રાખવી જોઈએ અને કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. 

    1. મનોજ જરાંગે તમામ કામદારોને ઘરે જવા કહ્યું. મનોજ જરાંગે અંતરવાળી સરતી ગામમાં ભૂખ હડતાળ ( hunger strike ) પર છે. તેમણે કહ્યું કે તેઓ ગામમાં જઈને સારવાર કરાવશે અને ત્યાં તેઓ આંદોલનની આગળની દિશા નક્કી કરશે.

    2. દરમિયાન આજે વહેલી સવારે મરાઠા વિરોધીઓએ અંબડ તાલુકાના છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

    3. આના પગલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ( MSRTC ) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જાલનામાં બસ સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

    4. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, જાલના જિલ્લાના અંબડ તાલુકામાં ( Ambad Taluka ) આગામી આદેશો સુધી કર્ફ્યુ ( Curfew ) લાદવામાં આવ્યો છે. જાલના પ્રશાસને કહ્યું કે ભારે ભીડને કારણે ધુલે-મુંબઈ હાઈવે અને આસપાસના અન્ય વિસ્તારો પર ટ્રાફિકને અસર થવાની સંભાવના છે.

    આ સમાચાર પણ વાંચો :  Himanta Biswa Sarma : હિમંતા બિસ્વાએ વિધાનસભા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું, ‘જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી બાળ લગ્ન નહીં થવા દઈશ’..

    5. તેમજ સંભાજીનગર, જાલના અને બીડ જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાયા બાદ ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે. ઈન્ટરનેટ સેવાઓ 10 કલાક માટે બંધ રહેશે.

    6. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જ્યાં મરાઠા આરક્ષણને લઈને વિરોધ પક્ષોએ પ્રદર્શન કર્યું હતું.

    7. મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેએ મિડીયા સાથે વાત કરતા કહ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની વાત ન સાંભળવી જોઈએ. તેમણે કહ્યું કે એ સમજાવવું જોઈએ કે કુણબી સંબંધીઓ પર નોટિફિકેશન કેમ લાગુ કરવામાં આવી રહ્યું નથી.

    8. જરાંગે રવિવારે મોડી રાત્રે આ ટિપ્પણી ત્યારે કરી. જ્યારે મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે કાર્યકર્તાઓએ તેમની સરકારની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ. જરાંગે રવિવારે જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં આરોપ લગાવ્યો હતો કે ફડણવીસ તેમને “મારવાનો” પ્રયાસ કરી રહ્યા છે. તેણે દાવો કર્યો હતો કે તેને સલાયનથી ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    9. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાએ મંગળવારે (20 ફેબ્રુઆરી) સર્વસંમતિથી મરાઠાઓને અલગ કેટેગરી હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપતું બિલ પસાર કર્યું છે. જ્યારે જરાંગે અન્ય પછાત વર્ગ (ઓબીસી) હેઠળ મરાઠાઓને અનામત આપવાની તેમની માંગ પર અડગ છે.

     

     

  • Maratha Reservation: મહારાષ્ટ્રમાં  મનોજ જરાંગેએ ફરી શિંદે સરકારને આપી ધમકી.. હવે આ તારીખથી  ચાલુ કરશે ભૂખ હડતાળ.. જાણો વિગતે..

    Maratha Reservation: મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેએ ફરી શિંદે સરકારને આપી ધમકી.. હવે આ તારીખથી ચાલુ કરશે ભૂખ હડતાળ.. જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai

    Maratha Reservation: મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની અનામતની માંગ પર અડગ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે ( Manoj Jarange Patil ) શિંદે સરકારને નવી ધમકી આપી છે. પાટીલે મિડીયા સાથે વાત કરતા કહ્યું છે કે જો સરકાર ગયા મહિને જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ઉલ્લેખિત ‘બ્લડ રિલેશન’ ના અવકાશને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ જશે તો તેઓ 10 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ ( hunger strike ) શરૂ કરશે. સરકારે કહ્યું હતું કે જો કોઈ મરાઠા વ્યક્તિ સાથે લોહીના સંબંધ ધરાવનાર વ્યક્તિ પાસે એવો રેકોર્ડ હશે કે તે કુણબી સમુદાયનો છે. તો તેને પણ કુણબી તરીકે ઓળખવામાં આવશે. રાજ્યમાં ( Maharashtra Government ) અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરીમાં મરાઠા સમુદાયને ( Maratha community ) સમાવવાની માગણી માટે મનોજ જરાંગે પાટીલ બે વખત ભૂખ હડતાળ પર ગયા છે અને એક વખત મુંબઈ સુધી કૂચ કરી ચૂક્યા છે. જરંગે પાટીલની આ ધમકી એવા સમયે આવી છે. જ્યારે રાજ્યમાં સરકારના નિર્ણયના કારણે ઓબીસી વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે.

    જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મરાઠા નેતાએ વધુમાં કહ્યું હતું કે, “સરકાર અને વિપક્ષી જૂથોના મુઠ્ઠીભર 10-20 અસંતુષ્ટ લોકોએ મારી વિરુદ્ધ બોલવાનું અને સોશિયલ મીડિયા પર મારા પર ટીકાઓ કરવાનું કામ હાથમાં લીધું છે. તેઓ મારી ઈર્ષ્યા કરે છે અને મારાથી નારાજ છે, આ લડાઈ મરાઠાઓ માટે છે, પરંતુ જો તેઓ તેમના કાર્યોથી દૂર નહીં રહે તો હું તેમના પક્ષો અને નેતાઓ સાથે તેમના નામનો પર્દાફાશ કરીશ.

    આ સમાચાર પણ વાંચો :  King Charles III : બ્રિટનના મહારાજા ચાર્લ્સ III ને થયું કેન્સર, બકિંગહામ પેલેસે બહાર પાડ્યું નિવેદન; આપી આ જાણકારી

     એ હકીકતને પચાવી શકતા નથી કે ગરીબ પરિવારનો એક વ્યક્તિ આટલા મોટા સમુદાયના આરક્ષણ માટે લડી રહ્યો છેઃ પાટીલ..

    જરાંગે પાટીલે કહ્યું હતું કે, “તેઓ મને મરાઠા આરક્ષણમાંથી હટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી મારા મરાઠા ભાઈઓ મને કહે નહીં કે તેઓ શ્રેય લેવા માંગે છે અને નવી વિચારધારાઓને અપનવવા માંગે છે. ત્યાં સુધી હું મારી આ લડતથી પીછે હટ નહીં કરીશ.” તેમણે મરાઠાઓના હિતને નષ્ટ કરવા પર કેટલાક અસંતુષ્ટ લોકોની ટીકા પણ કરી. તેમણે કહ્યું કે મુઠ્ઠીભર લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ગરીબ પરિવારનો એક વ્યક્તિ આટલા મોટા સમુદાયના આરક્ષણ માટે લડી રહ્યો છે. તેઓ ચિંતિત છે કે જો હું ભાંગી નહીં પડું અને આંદોલન પર અંકુશ નહીં આવે તો તેઓ મરાઠાઓમાં ( Marathas ) તેમની પ્રતિષ્ઠા ગુમાવી બેસસે.

    શિવબા સંગઠનના ( Shivba organization ) નેતાએ વધુમાં કહ્યું, “હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો હંમેશા મરાઠા આરક્ષણની વાત કરે છે. તેથી સમુદાયના હિતમાં, હું 10 ફેબ્રુઆરીથી ફરી ભૂખ હડતાળ પર આગળ વધીશ.” આ સાથે, હરીફ ઓબીસી જૂથોએ પણ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે.

  • Maratha Reservation : સર્વપક્ષીય બેઠક ખતમ,  મહારાષ્ટ્રના તમામ પક્ષો મરાઠા આરક્ષણના પક્ષમાં, CM શિંદેએ મનોજ જરાંગે પાટીલને કરી આ અપીલ,

    Maratha Reservation : સર્વપક્ષીય બેઠક ખતમ, મહારાષ્ટ્રના તમામ પક્ષો મરાઠા આરક્ષણના પક્ષમાં, CM શિંદેએ મનોજ જરાંગે પાટીલને કરી આ અપીલ,

    News Continuous Bureau | Mumbai 

    Maratha Reservation : મરાઠા આરક્ષણ પર હિંસા અને વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( CM Eknath Shinde ) આજે સર્વપક્ષીય બેઠક ( All-party meeting ) યોજી હતી. આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકમાં મરાઠાઓને ( Marathas )  કુણબી ( Kunbi ) તરીકે અનામત ( Reservation  ) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, મરાઠા આરક્ષણ માટે વિશેષ સત્ર ( Special Session ) યોજવા અંગે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી સ્પષ્ટ છે કે મરાઠા આરક્ષણ મુદ્દે કોઈ વિશેષ સત્ર નહીં યોજાય. જો કે, મનોજ જરાંગે પાટીલને ( Manoj Jarange Patil ) તેમના ઉપવાસ પાછા ખેંચવાની અપીલ કરવામાં આવી છે.

    સવારે 10 વાગ્યે શરૂ થયેલી બેઠકમાં શરદ પવાર સહિત 32 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. ખાસ વાત એ છે કે આ બેઠક માટે ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું . મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે સીએમ શિંદે વિપક્ષી નેતાઓને પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરશે અને તેમનું સમર્થન માંગશે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે.

    સીએમ શિંદેએ કહ્યું કે હિંસા યોગ્ય નથી

    સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોના નેતાઓ એ વાત પર સહમત થયા કે મરાઠા સમુદાયને અનામત મળવી જોઈએ. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આરક્ષણ કાયદાના દાયરામાં હોવું જોઈએ અને અન્ય સમુદાયોને અન્યાય ન થાય. CMએ કહ્યું કે, મનોજ જરાંગે જે ભૂખ હડતાળ પર છે તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ છે. હિંસા બરાબર નથી. રાજ્યમાં હિંસા સામે આવ્યા બાદ સીએમ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. અગાઉ, કેબિનેટની બેઠક યોજાઈ હતી અને મરાઠા આંદોલનકારીઓને ખાતરી આપવામાં આવી હતી કે સરકાર તેમને અનામત આપવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Crude Oil Import : રશિયાને લાગશે ઝટકો, સસ્તા પેટ્રોલ માટે ભારત હવે આ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરશે..

    વસ્તી 4 કરોડ છે

    મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની વસ્તી લગભગ ચાર કરોડ છે. આ લોકોમાં મોટી સંખ્યામાં જમીન વિહોણા પણ છે. રાજ્યમાં કુણબી સમાજને ઓબીસીનો દરજ્જો છે. આવી સ્થિતિમાં મરાઠા સમુદાયની માંગ છે કે તેમને પણ તેમાં સામેલ કરવામાં આવે. મરાઠા ક્રાંતિ મોરચાના નેતા મનોજ જરાંગે પાટીલ મરાઠા સમુદાય માટે સંપૂર્ણ અનામતની માંગ કરી રહ્યા છે. સરકારે રચેલી સમિતિના આધારે 11 હજારથી વધુ લોકોને કુણબી પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ જરાંગેનું કહેવું છે કે મરાઠા સમુદાય અધૂરી અનામત સ્વીકારશે નહીં. હાલમાં રાજ્યમાં ઓબીસીને 19 ટકા અનામત છે. સરકાર સમક્ષ પડકાર એ છે કે અનામતમાં પહેલાથી જ સમાવિષ્ટ જાતિઓને અન્યાય કર્યા વિના મરાઠા સમુદાયને કેવી રીતે અનામત આપવી.