• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - masjid
Tag:

masjid

Angered by a pro-BBC coverage of Ayodhya's Ram mandir, this British MP demanded a debate in Parliament.
આંતરરાષ્ટ્રીય

BBC Ram Mandir Coverage: અયોધ્યાના રામ મંદિર પર એક તરફી બીબીસી કવરેજ પર ગુસ્સે થયા આ બ્રિટીશ સાંસદ, સંસદમાં ચર્ચાની કરી માંગ…

by Bipin Mewada February 5, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

BBC Ram Mandir Coverage: બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને ( Bob Blackman ) આ અઠવાડિયે યુકેની સંસદમાં કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહનું બીબીસીનું કવરેજ ( BBC coverage ) પક્ષપાતથી ભરેલું હતું. તેમણે સંસદમાં ( UK Parliament) આ સમગ્ર મુદ્દા પર ચર્ચાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે BBC બ્રિટનની જાહેર મીડિયા સંસ્થા છે. સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે ગત અઠવાડિયે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ ઉજવામાં આવ્યો હતો. બ્લેકમેને સંસદ સત્ર દરમિયાન કહ્યું કે ભગવાન રામનું જન્મસ્થળ હોવું વિશ્વભરના હિંદુઓ માટે ખૂબ જ આનંદની વાત છે. 

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે, પરંતુ અફસોસની વાત એ છે કે BBCએ તેના કવરેજમાં ઉલ્લેખ કર્યો છે કે આ તે જ જગ્યા છે જ્યાં એક મસ્જિદ ( Masjid ) તોડી પાડવામાં આવી હતી. જ્યારે હકીકત એ ભૂલી જવામાં આવી હતી કે આ બન્યું તે પહેલાં તે 2,000 વર્ષથી વધુ સમય માટે મંદિર હતું. હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બ્લેકમેને જણાવ્યું હતું કે ‘શહેરની નજીક મસ્જિદ બનાવવા માટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવામાં આવી છે.’ આ પછી, બ્રિટિશ સાંસદે BBCની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે અને સંસદમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે.

British MP Mr @BobBlackman calls out @BBC for their biased reporting against India (especially #RamMandir) from the British Parliament… pic.twitter.com/oHydDuiJAL

— Mr Sinha (@MrSinha_) February 3, 2024

  BBCએ તમામ ઘટનાઓનું યોગ્ય કવરેજ કરવું જોઈએઃ બોબ બ્લેકમેન..

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને પણ બીબીસીના કવરેજ પર પોતાની ફરિયાદો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા સાઇટ Xની મદદ લીધી. બોબ બ્લેકમેને સોશિયલ મીડિયા પર પણ BBC કવરેજ મામલે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું- મતદારોએ રામ મંદિર વિશે BBCના રિપોર્ટિંગ પર ચિંતા વ્યક્ત કરી છે. હું હિન્દુઓના અધિકારોનો સમર્થક છું અને આટલા મોટા મીડિયા હાઉસ દ્વારા આ પ્રકારનું કવરેજ ચિંતિત કરે છે. બીબીસીએ દુનિયામાં શું થઈ રહ્યું છે તેની સાચી માહિતી આપવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Adani Group: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રચશે ઇતિહાસ! ગુજરાતમાં સ્થાપશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ; આ મહિનાના અંતથી શરુ થશે કામગીરીઃ અહેવાલ

તેમણે કહ્યું, “બીબીસી વિશ્વભરમાં શું થઈ રહ્યું છે તેનો યોગ્ય રેકોર્ડ પ્રદાન કરવામાં સક્ષમ હોવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિશાળ રામ મંદિરનો ભવ્ય અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. જેમાં વિદેશી પ્રતિનિધિઓ સહિત હજારો લોકો હાજર રહ્યા હતા.તેમ જ ઘણા રાજ્યોએ રામ મંદિરના અભિષેકના દિવસે શાળામાં રજા જાહેર કરી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ તેમજ અન્ય સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રની બેંકો અડધા દિવસ માટે બંધ રહી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ram Temple Inauguration Jamiat's Maulana Mahmood protested PM Modi's visit to Ram Temple inauguration, created controversy….
દેશ

Ram Temple Inauguration: રામ મંદિર ઉદ્ધાટનમાં PM મોદીના જવા પર જમીયતના મૌલાના મહમૂદે કર્યો વિરોઘ, સર્જાયો વિવાદ….જાણો શું છે મામલો..વાંચો વિગતે અહીં..

by Hiral Meria October 28, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ram Temple Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi )  નાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં સ્વર સંભળાવા લાગ્યાં છે. મુસ્લિમ સમાજ ( Muslim Community ) ની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદ ( Jamiat Ulema-e-Hind ) નાં ચીફ મૌલાના મહમૂદ અસર મદની ( Maulana Mahmood Asr Madani ) એ આ નિર્ણયને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,’ મુલ્કનાં વજીર-એ-આઝમ (દેશનાં PM) એ ન તો કોઈ મંદિર કે ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટનમાં જવું જોઈએ…’

તેમણે કહ્યું કે,” સાંભળવામાં આવ્યું છે કે અયોધ્યામાં જે મસ્જિદ ( Masjid )  પણ બનાવવામાં આવી રહી છે ત્યાં પણ PM મોદી જઈને ઉદ્ઘાટન કરશે. ત્યારે હું બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું- પહેલી કે અયોધ્યા પર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ નિર્ણયને અમે સાચો માનતા નથી. અમારું માનવું છે કે એ ચુકાદો ખોટા માહોલમાં લેવામાં આવ્યો છે.”

The #BabriMasjid Judgement was completely wrong. The Prime Minister should not participate in the inauguration ceremony in #Ayodhya: Maulana Mahmood Asad Madani pic.twitter.com/BROfdPXFpv

— Jamiat Ulama-i-Hind (@JamiatUlama_in) October 27, 2023

જમીયતનાં લોકો જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો જમીયત કાર્યવાહી કરશે…

મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, ” બીજી વાત એ કે મુલ્કનાં વજીર-એ-આઝમને ન તો કોઈ મંદિર અને ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટન માટે જવું જોઈએ. આ બધી બાબતોથી તેમણે પોતાને દૂર રાખવું જોઈએ. આ જનતાનો મામલો છે. હું જમીયતનાં લોકોને કહેવા ઈચ્છું છું કે તે જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો તેમની સામે જમીયત કાર્યવાહી કરશે.”

આ સમાચાર પણ વાંચો :  Bihar: સંસ્કૃત પેપરમાં ઇસ્લામને લગતા પ્રશ્નો પુછાતા મચ્યો હોબાળો.. ગિરીરાજે સિંહે સરકાર પર સાધ્યું નિશાન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

આ સમાચાર આવ્યા બાદથી આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોના નેતાઓ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીએ રામ મંદિરના ભૂમિપૂજન માટેના ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તે સમયે પણ આ કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીને લઈને વિવાદ થયો હતો.

October 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Masjid Loud speaker issue again in High court
રાજ્ય

મસ્જિદના ભૂંગળા નો મુદ્દો ફરી હાઈકોર્ટમાં, વડાલાના રહેવાસી વૃદ્ધની અરજી; 12 જૂને સુનાવણી

by Akash Rajbhar April 18, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
મસ્જિદ પરના ભૂંગળાનો મામલો ફરી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. એન્ટોપ હિલની મસ્જિદો તેમજ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ અવાજ પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વડાલાના 70 વર્ષીય મહેન્દ્ર સપ્રેએ રિટ પિટિશન દાખલ કરીને વિનંતી કરી છે કે વહીવટીતંત્રને સંબંધિતો સામે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે. કોર્ટે તેમની અરજી પર 12 જૂને સુનાવણી નિયત કરી છે.

વડાલાના બંગાળીપુરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નિર્ધારિત સમય કરતા વધુ અઝાન મોટા અવાજે વગાડવામાં આવી રહી છે. આ અંગે વહીવટી તંત્રને અનેક ફરિયાદો કરવામાં આવી છે. જો કે, સપ્રેએ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તે ફરિયાદ મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે એડ્વ. ઈન્ચાર્જ ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ખંડપીઠે પ્રેરક ચૌધરી દ્વારા દાખલ કરાયેલી રિટની ગંભીર નોંધ લીધી છે. માટુંગા પૂર્વમાં શાંતિપૂર્ણ વિસ્તાર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજી (ICT) કેમ્પસ પણ અવાજ પ્રદૂષણના નિયમોનું સખતપણે પાલન કરતું નથી. ચોક્કસ મર્યાદા બહારના મોટા અવાજને કારણે વૃદ્ધ રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ હૃદયરોગ અને અન્ય ગંભીર બિમારીઓથી પીડિત લોકોના જીવ જોખમમાં મુકાય તેવી શક્યતા છે, એમ એડવ. ચૌધરીએ કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કાસ્ટિંગ ડિરેક્ટર-એક્ટર આરતી મિત્તલની થઇ ધરપકડ, ઈન્ડસ્ટ્રીમાં આ ધંધો કરવાનો લાગ્યો આરોપ, જાણો સમગ્ર મામલો

 

April 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આસામમાં પ્રશાસને ત્રણ મદરેસા તોડી પાડી અને 37 શિક્ષકોની ધરપકડ- આ છે કારણ

by Dr. Mayur Parikh September 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આસામમાં(Assam) ગત એક મહિનાથી આતંકવાદી(Terrorist) વિરોધી કાર્યવાહી એ જોર પકડ્યું છે જે અંતર્ગત બોંગાઈ ગામ  વિસ્તારમાં (Bongai village area) આવેલી મસ્જિદ(Masjid) ને તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત આ મસ્જિદમાં કામ કરી રહેલા ૩૭ જેટલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિના દરમિયાન આવી ત્રણ મદરેસાઓ તોડી પાડવામાં આવી છે.  સુરક્ષા એજન્સીઓને(security agencies) ઇનપુટ મળ્યા હતા કે આ મદરેસાઓનો  સંબંધ અલકાયદા આતંકવાદી(Al Qaeda terrorist) સંગઠન સાથે છે.  ત્યાર બાદ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા હતા. આ તથ્યો સામે આવ્યા પછી સરકારે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી.  પ્રાપ્ત જાણકારી મુજબ આવનાર દિવસોમાં બીજા અનેક સંગઠનો નો પર્દાફાશ થઇ શકે છે.

આ સમાચાર પણ વાંચો : તો પછી એક-બે દિવસ માંસાહાર ન કરો- ગુજરાત હાઈકોર્ટે યાચિકાકર્તાઓને ફટકાર્યા

September 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આદિત્ય ઠાકરેનો વિડિયો વાયરલ- નિષ્ઠા યાત્રા દરમિયાન નમાજના ભૂંગળા વાગ્યા એટલે રેલી રોકી દીધી

by Dr. Mayur Parikh July 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ(Former Minister) પર્યાવરણ મંત્રી(Environment Minister) આદિત્ય ઠાકરેનો(Aditya Thackeray) અઝાન(Azan ) દરમિયાન થોડી મિનિટો માટે ભાષણ બંધ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પછી મસ્જિદોમાં(Masjid) લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker Row) ફરી ચર્ચામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના શુક્રવારે મુંબઈના ચાંદીવલીમાં(Chandivali) બની હતી. 

આદિત્ય ઠાકરેની ચાંદિવલીની મુલાકાત તેમની 'નિષ્ઠાયાત્રા'(Nishtha Yatra) નો એક ભાગ હતી, જે તેમણે એક અઠવાડિયા પહેલા શરૂ કરી હતી. આદિત્ય ઠાકરે શિવસેનાના કાર્યકર્તાઓ(Shivsena Workers) સાથે વાતચીત કરવા માટે મહારાષ્ટ્રના(Maharashtra) વિવિધ ભાગોમાં 'નિષ્ઠા યાત્રા' કાઢી રહ્યા છે.

@AUThackeray ji stops during azaan Love and respect @Iamrahulkanal ji #myleadermypride pic.twitter.com/jLA45yUj33

— Hussain Mansuri (@HussainMansuri_) July 28, 2022

શિવસેના પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) પુત્ર આદિત્ય ઠાકરેના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે અઝાન શરૂ થાય છે ત્યારે આદિત્ય ઠાકરે સ્ટેજ પર બે મિનિટ માટે પોતાનું ભાષણ અટકાવી દે છે. અઝાન પૂર્ણ થયા પછી, તે ફરીથી પોતાનું ભાષણ શરૂ કરે છે.

અઝાન દરમિયાન આદિત્ય ઠાકરેનું ભાષણ બંધ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો તેના પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આદિત્યના દરેક ધર્મ પ્રત્યેના સન્માનને યોગ્ય ઠેરવી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ બાબતને લાઉડસ્પીકર વિવાદ સાથે જોડી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ભગતસિંહ કોશિયારી એ ગુજરાતીઓની ખુશામત કરી એમાં કોંગ્રેસના પેટમાં ચૂંક્યું- આપ્યું આવું નિવેદન  

અહીં ઉલ્લેખનીય છે કે  મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિવાદ સમયે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી. તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) વડા રાજ ઠાકરેએ(Raj thackeray) જાહેર કર્યું હતું કે તેઓ મસ્જિદોમાં લાઉડસ્પીકરની વિરુદ્ધ છે. જો મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવામાં આવે છે, તો તેઓ તેની બહાર હનુમાન ચાલીસાનો(Hanuman chalisa) પાઠ કરશે. આદિત્ય ઠાકરેએ તે સમયે વિવાદને બિનજરૂરી ગણાવ્યો હતો. 
 

July 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આગ્રાના તાજમહેલ ખાતે મસ્જિદમાં ‘નમાઝ’ અદા કરાઈ.. પોલીસે 4 પર્યટકોની કરી ધરપકડ, જાણો શું છે કારણ..

by Dr. Mayur Parikh May 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

હિન્દુ ધર્મસ્થાન(hindu religious place) હોવાના દાવા સાથે સર્જાયેલા વિવાદ વચ્ચે તાજમહાલના(Taj Mahal) કંપાઉન્ડમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢનારા 4 પર્યટકોની(Tourists) ધરપકડ કરી છે.

આ મસ્જિદમાં માત્ર શુક્રવારના રોજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓને નમાજ અદા કરવાની મંજૂરી છે. 

આ કારણોસર બહારથી આવેલા પર્યટકોએ બુધવારે નમાજ(Namaz) અદા કરી હોવાથી CISFના જવાનોએ તેમને પકડીને પોલીસને સોંપી દીધા.

હવે આ ચારેયની વિરુદ્ધ ‘રમખાણો(Riots) કરાવવાના હેતુથી ઉશ્કેરણી’ને સંબંધિત આઇપીસીની કલમ 153(Section 153) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

પોલીસના મતે મુસાફરોએ નિયમનો ભંગ કર્યો છે. જેના કારણે પરિસ્થિતિ બગડી શકે છે. 

આ કારણોથી મુસાફરોની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો :  નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

May 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ.. 

by Dr. Mayur Parikh May 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દિલ્હીના(Delhi) કુતુબ મિનાર(Qutub Minar) સંકુલમાં હાજર મસ્જિદમાં(Masjid) પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી ટળી ગઈ છે. 

મળતી માહિતી મુજબ, સાકેત કોર્ટમાં(Saket Court) આજે સુનાવણી થવાની હતી, જે હવે 24 મેના રોજ થશે.

કેસ સાથે જોડાયેલા વકીલ વિષ્ણુ શંકર(Lawyer Vishnu Shankar) દિલ્હીમાં હાજર ન હોવાથી આ સુનાવણી 24 મે સુધી ટાળી દેવામાં આવી છે.

હાલ દેશમાં તાજમહેલ(taj Mahal) સહિત અનેક મસ્જિદો અને ઈમારતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સંબંધમાં તાજેતરમાં જ દિલ્હીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર સંબંધિત એક અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનારની અંદર બનેલી મસ્જિદ હિંદુ(Hindu religion) અને જૈન ધર્મના(jain religion) 27 મંદિરોને નષ્ટ કર્યા બાદ બનાવવામાં આવી છે, આવી સ્થિતિમાં ફરીથી ત્યાં મૂર્તિઓ સ્થાપિત કરીને પૂજા(worship) કરવાની મંજૂરી આપવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : શિવસેના-MNS વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ: રાજ ઠાકરે મુન્નાભાઈ તો ઉદ્ધવ ઠાકરે કલા નગરના સર્કિટ, MNSની આ મહિલા નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ

May 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા  અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો..  પોલીસે પકડાવી નોટિસ.

by Dr. Mayur Parikh May 2, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

 પહેલી મેના રોજ પોતાની સાર્વજનિક રેલી(Public rally) દરમિયાન રાજ ઠાકરેએ(raj thackeray)  રાજ્ય સરકારને(State govt) ખુલ્લો પડકાર ફેંક્યો છે. પોતાની રેલી દરમિયાન તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે આગામી દિવસો દરમિયાન તેઓ મસ્જિદ પર ના લાઉડ સ્પીકર નહીં સાંખી લે. પોતાની જૂની વાતને દોહરાવતા તેમણે કહ્યું હતું કે  3જી મે પછી જો મસ્જિદ પર ગેરકાયદેસર લાઉડ સ્પીકર વાગશે તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) ડબલ મોટા અવાજે હનુમાન ચાલીસા(Hanuman chalisa) વગાડશે.

આ સમાચાર પણ વાંચો : બાળા સાહેબ ભોળા હતા પણ હું નથી. ઉદ્ધવ ઠાકરેનો ભાજપને પ્રત્યુતર….

 રાજ ઠાકરેના આ ખુલ્લા પડકાર પછી પોલીસ વિભાગે તેમને નોટિસ ફટકારી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની રેલી પહેલાં જ પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ પ્રકારની ધાર્મિક બાબતો(Religious matters) વિશે આક્રમક નિવેદન આપવામાં આવશે તો કાયદો પોતાનું કામ કરશે. આમ 3 તારીખ પછી એટલે કે ચાર તારીખ થી મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) રસ્તા પર ઘમાસાણ જોવા મળશે.

May 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લાઉડ સ્પીકર વિવાદ : MNS ચીફ રાજ ઠાકરેએ કર્યુ એલાન, આ તારીખે આખા મહારાષ્ટ્રમાં કરશે મહાઆરતી.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડ સ્પીકર વિવાદ(Loudspeaker Row) વધુ વકરતો જોવા મળી રહ્યું છે.

મનસે(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) સરકારને આજે વધુ એક ચેતવણી આપી છે અને કહ્યુ છે કે, 3 મેના રોજ અમે આખા રાજ્યમાં મહાઆરતી(Maha aarti) કરીશું. 

આ માટે પોલીસ(police) પાસે અત્યારથી પરવાનગી માંગવામાં આવશે.

રાજ ઠાકરેએ પોતાના હોદ્દેદારોની બેઠકને સંબોધન કર્યું હતું અને બેઠકની શરૂઆત જય શ્રી રામના(jay shree ram) નારા સાથે થઈ હતી. સાથે સાથે ઔરંગાબાદમાં(Aurangabad) થનારી જાહેર સભાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મસ્જિદો(masjid) પર વાગતા લાઉડ સ્પીકરનો મુદ્દો રાજ ઠાકરેએ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે, જો 3 મે સુધીમાં લાઉડ સ્પીકરો નહી હટે તો અમે પણ હનુમાનચાલીસા(hanuman chalisa) શરૂ કરીશું.

આ સમાચાર પણ વાંચો :   આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લાઉડ સ્પીકર વિવાદ : NCPના વડા શરદ પવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેને માર્યો ટોણો, કહી આ વાત..

by Dr. Mayur Parikh April 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મસ્જિદમાં સવાર-સાંજ વાગતા ભુંગળાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે.

મનસે (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) ઠાકરે સરકારને 3મે સુધી મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરવાની ચેતવણી આપી છે.

આ ઘટનાને લઇને હવે NCPના વડા શરદ પવારે (sharad Pawar) રાજ ઠાકરેને ટોણો મારતા કહ્યું છે કે, આ સમય મોંઘવારી અને બેરોજગારી વિશે બોલવાનો છે, પણ એના વિશે કોઈ બોલતું નથી.
 
મુંબઈમાં પત્રકારોના પ્રશ્નોના જવાબમાં NCPના વડા શરદ પવારે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની રચના અંગે કહ્યું કે, કોંગ્રેસ વિના આ શક્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ ગઈ કાલે થાણે શહેરમાં ચેતવણી આપી હતી કે 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો સ્પીકરો પર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં

આ સમાચાર પણ વાંચો :  આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..

April 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક