Tag: million

  • દસ વર્ષ સુધી સતત વધારા પછી સ્માર્ટફોનનું વેચાણ 2021માં 16 કરોડ 10 લાખ યુનિટના ટોચે પહોંચ્યું હતું, જે સંખ્યા ઘટીને 14 કરોડ 80 લાખ પર આવી ગઈ છે

    દસ વર્ષ સુધી સતત વધારા પછી સ્માર્ટફોનનું વેચાણ 2021માં 16 કરોડ 10 લાખ યુનિટના ટોચે પહોંચ્યું હતું, જે સંખ્યા ઘટીને 14 કરોડ 80 લાખ પર આવી ગઈ છે

    News Continuous Bureau | Mumbai

    છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઈન્ટરનેટ કનેક્શન વધવાની ગતિ ધીમી પડી છે. સ્માર્ટફોનના વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે. જેનાથી ડિજિટાઈઝેશનના કાર્યક્રમો પર અસર પડશે. મહિલાઓ-પુરુષો અને શહેરી-ગ્રામીણ વિસ્તારોની વચ્ચે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ કનેક્શન બાબતે ઘણી જ અસમાનતા છે. દેશમાં લગભગ એક અબજ મોબાઈલ ફોન યુઝર છે, જેમાંથી એક તૃતિયાંશ લોકો પાસે સામાન્ય ફોન છે. તાજેતરના આંકડા જણાવે છે કે, આ ફોન ઝડપથી અપગ્રેડ થશે નહીં. કેટલાક યુઝરોને બાદ કરતાં તમામ ઈન્ટરનેટ યુઝર પોતાના ફોન દ્વારા ઓનલાઈન રહે છે. તેમ છતાં બ્રોડબેન્ડ કનેક્શનોની સંખ્યા લગભગ સ્થિર છે. આંકડા મુજબ ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશમાં 79 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન હતા. જે ઓગસ્ટ, 2021ના 78 કરોડ 90 લાખથી થોડા જ વધુ છે. સબસ્ક્રાઈબરોની સંખ્યા તેનાથી પણ ઓછી છે, કેમકે અનેક લોકો પાસે એકથી વધુ કનેક્શન છે. માર્કેટ રિસર્ચ કંપની આઈડીસીના અનુસાર દસ વર્ષ સુધી સતત વધારા પછી સ્માર્ટફોનનું વેચાણ 2021માં 16 કરોડ 10 લાખ યુનિટના ટોચે પહોંચ્યું હતું. ગયા વર્ષે આ સંખ્યા ઘટીને 14 કરોડ 80 લાખ પર આવી ગઈછે. આ દરમિયાન સરેરાશ સ્માર્ટફોનનો ભાવ મહામારી પહેલાના રૂ.13 હજારથી વધીને 2022માં રૂ.17,900 થઈ ગયો હતો. આઈડીસીના નવકેન્દ્ર સિંહ કહે છે, નિર્માતાઓને પણ અત્યંત સસ્તા ફોન વેચવામાં ફાયદો નથી. રૂ.8 હજારથી ઓછી કિંમતના સ્માર્ટફોનની બજારમાં ભાગીદારી 2019ના 13%થી ઘટી ગયા વર્ષે 12% રહી ગઈ હતી. કાઉન્ટરપોઈન્ટમાં એનાલિસ્ટ શિલ્પી જૈન કહે છે, મહામારી પહેલા દર મહિને લગભગ 50 લાખ વ્યક્તિ સામાન્ય ફોન છોડીને સ્માર્ટફોન ખરીદતા હતા, જે સંખ્યા ગયા વર્ષે ઘટીને 30 લાખથઈ ગઈ છે. જૂન-2022 સુધી સબસ્ક્રિપ્શનમાં 28%નો વધારો થયો છે. મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સુવિધામાં અસમાનતાને કારણે ડિજિટાઈઝેશનના માધ્યમથી સરકારી તંત્રમાં સુધારાના સારા પ્રયાસ પ્રભાવિત થઈ શકે છે. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના આધાર ગુપ્તા કહે છે, સરેરાશ ભારતીયના હિસાબે ડિજિટાઈઝેશન કાર્યક્રમનું મૂલ્યાંકન થવું જોઈએ.

    આ સમાચાર પણ વાંચો: ભારતીય ટીમને મોટો ફટકો, શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે પહેલા કોચ રાહુલ દ્રવિડ બીમાર

    મહિલાઓ પાસે સ્માર્ટફોનની સંખ્યા પુરુષોથી ઓછી

    ટેલીકોમ ટ્રેડ બોડી જીએસએમએનું અનુમાન છે કે, 2021માં અડધા વયસ્ક ભારતીય પુરુષો પાસે સ્માર્ટફોન હતા, જ્યારે માત્ર એક ચતુર્થાંશ મહિલાઓ પાસે આવા ફોન છે. ગામડાં અને શહેરોની વચ્ચે પણ મોટું અંતર છે. શહેરોમાં ઈન્ટરનેટની પહોંચ 103% છે, જ્યારે ગામમાં 38% છે. ત્રણ ચતુર્થાંશ ગ્રેજ્યુએટ પાસે કોઈ પણ પ્રકારનો સ્માર્ટફોન છે, જ્યારે પ્રાઈમરી શિક્ષણ પ્રાપ્ત ત્રણ ચતુર્થાંશ લોકો પાસે નથી.

  • ભારતમાં વર્ષે 3.4 મિલયન ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે, જેમાંથી ફક્ત 30 ટકા જ રિસાયકલ કરવામાં આવે છે

    ભારતમાં વર્ષે 3.4 મિલયન ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે, જેમાંથી ફક્ત 30 ટકા જ રિસાયકલ કરવામાં આવે છે

    News Continuous Bureau | Mumbai
    દેશમાં વાર્ષિક સ્તરે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી માત્ર 30 ટકા કચરાને જ રિસાયકલ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વાર્ષિક 9.7%ના CAGRથી વધીને નાણાકીય વર્ષ 2016-17ના 14 મિલિયન ટનથી વધીને 2019-20 દરમિયાન 20 મિલિયન ટન છે. મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશને પોતાના ‘પ્લાસ્ટિક્સ, પોટેન્શિયલ એન્ડ પોઝિબિલિટિસ’ રિપોર્ટમાં દાવો કર્યો છે કે દેશમાં આ જ સમયગાળા દરમિયાન પ્લાસ્ટિક કચરાનો વપરાશ બમણો થયો છે.

    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને પ્રેરિક્સ ગ્લોબલ એલાયન્સ સાથે સંયુક્તપણે તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં ઉત્પન્ન થતા કુલ પ્લાસ્ટિક વેસ્ટમાં માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુનો જ 38% હિસ્સો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પ્લાસ્ટિકનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે જેને કારણે કચરો પણ સતત વધી રહ્યો છે. ભારત વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા કરે છે, જેમાંથી માત્ર 30% જ રિસાયકલ પ્રક્રિયા હેઠળ રિસાયકલ થાય છે. જ્યારે બાકીનો પ્લાસ્ટિક કચરો ખુલ્લા મેદાનમાં ઠલવાય છે. કચરાથી લઇને તેના નિકાલ સુધીની સમગ્ર વેલ્યૂ ચેઇનને રહેલા પડકારો અને તેને દૂર કરવા માટે કેટલાક સૂચનોનો આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો:સોલ્વન્ટ એક્સ્ટ્રક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ જણાવ્યું કે, ભારતમાંમાં ખાદ્યતેલની આયાત 28 ટકા વધી 16 લાખ ટન પહોંચી