Tag: MoS Home

  • Pahalgam Terror Attack : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    Pahalgam Terror Attack : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    News Continuous Bureau | Mumbai

    Pahalgam Terror Attack :   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે.

    Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

     તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

    Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

    આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.

    Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

    આ સમાચાર પણ વાંચો : Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોના આત્માઓની શાંતિ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરતના વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી, શ્રદ્ધાંજલિ પાઠવી

    Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

    મુખ્યમંત્રીશ્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

    Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

  • Vande Bharat Train : વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, આ વખતે આ રાજ્યમાં બનાવાઈ નિશાન,   ગૃહ રાજ્ય મંત્રી ટ્રેનમાં હતા હાજર.. 

    Vande Bharat Train : વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, આ વખતે આ રાજ્યમાં બનાવાઈ નિશાન,   ગૃહ રાજ્ય મંત્રી ટ્રેનમાં હતા હાજર.. 

    News Continuous Bureau | Mumbai

    Vande Bharat Train : વંદે ભારત ટ્રેનને લઈને દેશમાં અનેક ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાતના રાજકોટમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગઈકાલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનના બે કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન અમદાવાદથી રાજકોટ આવી રહી હતી. તે દરમિયાન રાત્રે 9 વાગ્યે આ ઘટના બની હતી.

    ઝૂંપડપટ્ટીના બાળકો ટ્રેન પર કરે છે પથ્થરમારો 

    તમને જણાવી દઈએ કે જ્યારે આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે રાજકોટ રેલવે બોર્ડના સુરક્ષા કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પથ્થરમારાની આ ઘટના રાજકોટથી 4 કિલોમીટર દૂર બિલેશ્વર નજીક બની હતી. રેલવે પોલીસે તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી છે. આ વિસ્તારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ છે, જ્યાં રહેતા બાળકો વારંવાર ટ્રેનો પર પથ્થર ફેંકે છે.

    આ સમાચાર પણ વાંચો :  Cash for Query Case: TMC નેતા મહુઆ મોઇત્રાને મોટો ઝટકો, કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભા સભ્યપદ પર લેવાયો આ નિર્ણય..

    રાજ્યના ગૃહમંત્રી સંઘવી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા

    મહત્વનું છે કે જે ટ્રેનમાં અકસ્માત થયો હતો તે જ ટ્રેનમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ મુસાફરી કરી રહ્યા હતા. તેઓ અમદાવાદથી રાજકોટ આવી રહ્યા હતા. મુસાફરો પાસેથી મળેલી માહિતી મુજબ રાજકોટના બિલેશ્વર પાસે ટ્રેન પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના કારણે ટ્રેનની સી-4 અને સી-5 કોચની બે બારીના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાના કારણે બંને કોચમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.