• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mukesh ambani - Page 9
Tag:

mukesh ambani

Lok Sabha Election 2024 did congress received money from adani and ambani accuse prime minister narendra modi
દેશMain PostTop Postરાજકારણલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Election 2024 : રાહુલ ગાંધીને અદાણી અને અંબાણી તરફથી પૈસા મળી ગયા કે? હવે કેમ પ્રચારમાંથી વેપારીઓના નામ ગાયબ થયા…. વડાપ્રધાન મોદીનો સવાલ.

by Hiral Meria May 8, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તેલંગાણા ખાતે કરીમ નગર વિસ્તારમાં  પ્રચાર સભાને સંબોધિત કરતા સમયે રાહુલ ગાંધી ( Rahul Gandhi ) પર નિશાનો સાધ્યો હતો.. વડાપ્રધાને કહ્યું હતું કે રાહુલ ગાંધી હવે શા માટે અદાણી અને અંબાણી નું નામ નથી લઈ રહ્યા. તેમણે એવું પણ કહ્યું હતું કે ગત પાંચ વર્ષથી રાફેલ તેમજ અદાણી અને અંબાણીનો મુદ્દો કોંગ્રેસ પાર્ટી એ ઊંચક્યો હતો અને હવે ચૂંટણી આવતા સમગ્ર મુદ્દે ચૂપ છે. 

#રાહુલગાંધીને #અદાણી અને #અંબાણી તરફથી પૈસા મળી ગયા કે? હવે કેમ પ્રચારમાંથી #વેપારીઓના નામ ગાયબ થયા…. #વડાપ્રધાન #મોદીનો સવાલ.#NarendraModi #RahulGandhi #Ambani #Adani #Congress #PMModi #BJP #newscontinuous pic.twitter.com/ClbU9vcUdi

— news continuous (@NewsContinuous) May 8, 2024

Lok Sabha Election 2024 :  વડાપ્રધાને અદાણી અંબાણી સંદર્ભે શું કીધું. 

વડાપ્રધાને ( Narendra Modi ) અદાણી અને અંબાણી સંદર્ભે એવું જણાવ્યું કે? વડાપ્રધાને અદાણી ( Gautam Adani ) અને અંબાણી ( Mukesh Ambani )  સંદર્ભે એવું જણાવ્યું કે ગત પાંચ વર્ષોથી કોંગ્રેસ ( congress ) પાર્ટી એ રફેલો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ રફેલ સંદર્ભે તેમણે પછડાટ ખાધી. તેમણે અદાણી અને અંબાણીનો પણ મુદ્દો ઉઠ્યો પરંતુ ચૂંટણી આવતાની સાથે જ તેઓ આ સમગ્ર મામલે ચૂક થઈ ગયા હતા.. આવું તેમણે શા માટે કર્યું તે વિચારવાનો વિષય છે. 

આ સમાચાર પણ વાંચો: Indian Coast Guard: ભારતીય કોસ્ટ ગાર્ડે શિપબિલ્ડીંગમાં સ્વદેશી સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મરીન ગ્રેડ સ્ટીલ માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ કર્યા

 

May 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mukesh Ambani daughter Isha Ambani plans for the cheapest air conditioner.
વેપાર-વાણિજ્ય

Isha Ambani: Mukesh Ambani ની દીકરી ઈશા અંબાણી ભારતમાં સૌથી સસ્તુ એસી લોન્ચ કરશે.

by Hiral Meria May 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Isha Ambani: Mukesh Ambani રિલાયન્સ જૂથ દ્વારા wyzr નામની બ્રાન્ડ તૈયાર કરવામાં આવી છે હાલમાં જ આ બ્રાન્ડ દ્વારા એર કુલર રજૂ કરવામાં આવ્યું હતું. હવે એર કન્ડિશનર  પણ લોન્ચ કરવામાં આવશે.

Isha Ambani: Mukesh Ambani રિલાયન્સ ની યોજના શું છે? 

મુકેશ અંબાણી ની દીકરી રિલાયન્સ રીટેલમાં ( Reliance Retail ) મોટી જવાબદારી પર છે. બજારમાં પગ જમાવવા માટે કંઈક નવું કરવાના નિર્ણય સાથે નવી કંપની લોન્ચ કરવામાં આવી છે જેનું નામ વાઈઝર છે. આ નવી કંપની બહુ જલ્દી એક એર કન્ડિશનર અને સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂઝ પોર્ટલ  DNA india દ્વારા આ સંદર્ભે એક રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ એર કન્ડિશન બનાવવા માટે અંબાણી એ વિદેશી કંપની સાથે હાથ મિલાવ્યા છે જ્યાંથી તેમને ટેકનોલોજી મળશે અને તેઓ ભારતમાં સસ્તા એર કન્ડિશનર ( Air conditioner ) લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતનું એર કન્ડિશનર માર્કેટ ઘણું મોટું છે અને તેમાં અનેક નવી બ્રાન્ડ સામેલ છે પરંતુ ભારતનું બજાર દિવસેને દિવસે વિસ્તારી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai news: crime ચોંકાવનારા સમાચાર, મુંબઈ શહેરમાં નકલી નોટ છાપવાનું કારખાનું પકડાયું.

આ સમાચાર સંદર્ભે અત્યાર સુધી રિલાયન્સ દ્વારા કોઈપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

 

May 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Retail Ready for this new business of Mukesh Ambani, everything from AC-fridge to LED bulbs will now be available in Reliance..
વેપાર-વાણિજ્ય

Reliance Retail: મુકેશ અંબાણી આ નવા બિઝનેસ માટે તૈયાર, હવે રિલાયન્સમાં પણ મળશે AC-ફ્રિજથી લઈને LED બલ્બ સુધી બધું જ..

by Bipin Mewada April 24, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Reliance Retail: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ( Mukesh Ambani ) ઝડપથી વધી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે હવે નવી વ્યૂહરચના તૈયાર કરી છે. આ અંતર્ગત અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે એલઈડી બલ્બથી લઈને એસી અને ફ્રીજ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવા જઈ રહી છે. 

ETના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓના વર્ચસ્વને પડકારવાની યોજના ધરાવી રહ્યું છે. આ માટે Wyzr બ્રાન્ડ હેઠળ હવે મેડ-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. અંબાણીની કંપની આ યોજના હેઠળ આગામી દિવસોમાં એલઇડી બલ્બ, ટીવી, એસી, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની શક્યતા છે.

 Reliance Retail: Wyzr બ્રાન્ડ નામ હેઠળ એર કૂલર્સ લોન્ચ કર્યા હતા…

ETના અહેવાલમાં રિલાયન્સની યોજના સાથે જોડાયેલા બે એક્ઝિક્યુટિવ્સને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનને અંતિમ સ્વરૂપ આપવા માટે હવે વાતચીત પણ શરૂ કરી દીધી છે. હાલમાં, Wyzr બ્રાન્ડ હેઠળ ઘર વપરાશ માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ( Electronic devices ) ઉત્પાદન કરવા માટે સ્થાનિક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિક્સોન ટેક્નોલોજી અને મર્ક ઈલેક્ટ્રોનિક્સ (ઓનિડાની મૂળ કંપની) સાથે કરાર કરવા માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Air Conditioner: જો તમે AC નો ઉપયોગ કરો છો તો આ મહત્વની બાબતોનું રાખો ધ્યાન, નહીં તો AC બગડી શકે છે..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ( Reliance Industries ) છૂટક શાખા રિલાયન્સ રિટેલે તાજેતરમાં Wyzr બ્રાન્ડ નામ હેઠળ એર કૂલર્સ લોન્ચ કર્યા હતા. જો કે કંપની હવે આ બ્રાન્ડને વિસ્તારવાની યોજના ધરાવે છે. હાલમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અન્ય ઉત્પાદકો પાસેથી કરાર પર આ બ્રાન્ડ હેઠળ ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, એલઇડી બલ્બ જેવી પ્રોડક્ટ્સ બનાવશે. જ્યારે આ બ્રાન્ડ માર્કેટમાં યોગ્ય હિસ્સો હાંસલ કરી લેશે, ત્યારે કંપની પોતાનો પ્લાન્ટ પણ સ્થાપી શકે છે અને પોતાના કંપનીમાં જ ઉત્પાદન પણ શરૂ કરી શકે છે.

હાલમાં, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ( Consumer Electronics ) સેગમેન્ટમાં રિલાયન્સની હાજરી મર્યાદિત છે. 2022માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Sanmina ભારતીય યુનિટમાં 50.1 ટકા હિસ્સો રૂ. 1,670 કરોડમાં હસ્તગત કર્યો હતો. Sanmina ચેન્નાઈમાં 100 એકરમાં ફેલાયેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. આ પ્લાન્ટમાં પણ Wyzr બ્રાન્ડ પ્રોડક્ટ્સ બનાવી શકાય છે.

જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હજુ સુધી આ સ્કીમને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બે દિવસ પહેલા જ દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેમાં પણ કંપની દ્વારા આ સ્કીમ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો :  Vicky kaushal: આવા અવતાર માં જંગલ માં ફરતો જોવા મળ્યો વિકી કૌશલ, અભિનેતા ની આ ઐતિહાસિક ફિલ્મના સેટ પર ની તસવીર થઇ લીક

April 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mukesh ambani lost 15 kgs without any workout know business tycoon diet and fitness
મનોરંજન

Mukesh ambani: મુકેશ અંબાણી એ વગર કોઈ વર્કઆઉટ કરે ઘટાડ્યું 15 કિલો વજન, જાણો બિઝનેસ ટાયકૂન ની દિનચર્યા વિશે

by Zalak Parikh April 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mukesh ambani: મુકેશ અંબાણી એ 19 એપ્રિલ 2024 ના રોજ તેમનો 67 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. મુકેશ અંબાણી ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. મુકેશ અંબાણી એ તેમના વ્યવસાય અને પારિવારિક જીવન વચ્ચે સારું સંતુલન જાળવી રાખ્યું છે.આ ઉંમરે પણ મુકેશ અંબાણી તેમની ફિટનેસ નું ખુબ જ  ધ્યાન રાખે છે. મુકેશ અંબાણી આટલા સક્રિય હોવાનો શ્રેય મોટાભાગે તેમના આહાર યોજના અને તંદુરસ્ત જીવનશૈલીને જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી એ કોઈ પણ વર્કઆઉટ વિના તેમનું 15 કિલો વજન ઘટાડ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Akshay-Twinkle: રાજેશ ખન્ના એ અક્ષય કુમાર ને લઈને ટ્વીન્કલ ખન્ના ને આપી હતી આવી સલાહ, કાકા નો જૂનો વિડીયો થયો વાયરલ

 

મુકેશ અંબાણી ની દિનચર્યા 

મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ કોઈપણ વર્કઆઉટ વગર 15 કિલો વજન ઘટાડ્યું છે.મુકેશ અંબાણી પોતાના દિવસની શરૂઆત યોગ અને ધ્યાનથી કરે છે.મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ઉઠે છે અને યોગ અને ધ્યાન માટે એક નિશ્ચિત સમય રાખે છે. ત્યારબાદ મુકેશ અંબાણી હળવો નાસ્તો કરે છે જેમાં તાજા ફળો, જ્યુસ અને ઈડલી-સાંબરનો સમાવેશ કરે છે.ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી ના લંચ અને ડિનરમાં ભારતીય વાનગીઓ હોય છે. તેમને લંચ અને ડિનરમાં ગુજરાતી સ્ટાઇલની દાળ, શાક, ભાત, સૂપ અને સલાડ ખાવાનું પસંદ છે. મુકેશ અંબાણી લંચ અને ડિનર માટે માત્ર ઘરે બનાવેલું ભોજન જ ખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે તેમના આહારમાં તેઓ જંક ફૂડ ને સ્થાન નથી આપતા. આ ઉપરાંત રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી પાર્ટી હોય કે જાહેર મેળાવડો તેઓ ક્યારેય દારૂ પીતા નથી. હેલ્ધી ફૂડ ખાવાથી લઈને જંક ફૂડ અને આલ્કોહોલ થી દૂર રહેવા સુધીની આ આદતો મુકેશ અંબાણી ની ફિટનેસ નું રહસ્ય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Q4 Results Reliance's quarterly profit fell 1.8% to Rs. 18,951 crores, from earnings and profits to dividends, what announcement
વેપાર-વાણિજ્ય

Reliance Q4 Results: રિલાયન્સનો ત્રિમાસિક નફો 1.8% ઘટીને રૂ. 18,951 કરોડ થયો, કમાણી અને નફાથી લઈને ડિવિડન્ડ સુધી, શું જાહેરાત, જાણો બધું વિગતે અહીં..

by Bipin Mewada April 23, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Reliance Q4 Results: નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ( Reliance Industries ) નફામાં ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો લગભગ 2 ટકા ઘટીને રૂ. 18,951 કરોડ થયો છે. અગાઉના, નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં આ કંપનીનો નફો 19,299 કરોડ રૂપિયા હતો. જેમાં આ ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સની કામગીરીમાંથી આવક 11 ટકા વધીને રૂ. 2.4 લાખ કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 2.16 લાખ કરોડ હતી. તેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે તેના શેરધારકોને શેર દીઠ રૂ. 10ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 

સ્ટોક એક્સચેન્જમાં ( stock exchange ) એક નિયમનકારી ફાઇલિંગમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે કંપનીની એકીકૃત આવક રૂ. 10000122 કરોડ રહી હતી, જે 2.6 ટકાની વૃદ્ધિ સાથે હતી. કંપનીએ કહ્યું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે કર પૂર્વેનો નફો રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે અને જે રૂ. 104727 કરોડ થઈ ગયો છે. જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 11.4 ટકા વધુ છે. જ્યારે ટેક્સ ચૂકવ્યા બાદ સમગ્ર નાણાકીય વર્ષમાં નફો 79020 કરોડ રૂપિયા રહ્યો છે.

 Reliance Q4 Results: કંપનીનું EBITDA માર્જિન પણ 50 બેસિસ પોઈન્ટ વધીને 17.8 ટકા થયું છે…

માર્ચ ક્વાર્ટર દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એબિટડા વાર્ષિક ધોરણે 14.3 ટકા વધીને રૂ. 47,150 કરોડ થયા હતા, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 44,678 કરોડ હતા. આ જ સમયગાળા દરમિયાન, કંપનીનું EBITDA માર્જિન પણ 50 બેસિસ પોઈન્ટ વધીને 17.8 ટકા થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 17.3 ટકા હતું. કંપનીનું ચોખ્ખું દેવું માર્ચ ક્વાર્ટરમાં ઘટીને રૂ. 1,16,281 કરોડ થયું હતું, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,19,372 કરોડ અને ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1,25,766 કરોડ હતું.

ત્રિમાસિક પરિણામો પર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ( Mukesh Ambani ) નિવેદન આપતા જણાવ્યું હતું કે, રિલાયન્સના તમામ વ્યવસાયોએ ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મોટો ફાળો આપ્યો છે. ભારતીય અર્થતંત્રને વેગ આપતા તમામ વિભાગોએ ઉત્તમ નાણાકીય અને સંચાલન કામગીરી દર્શાવી છે. આ સાથે કંપનીએ ઘણા સીમાચિહ્નો પણ હાંસલ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મને જણાવતા આનંદ થાય છે કે રિલાયન્સ દેશની પ્રથમ કંપની બની છે જેનો કર પૂર્વેનો નફો 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  Gold smuggling : ગજબની દાણચોરી.. મુંબઈ એરપોર્ટ પરથી નૂડલ્સના પેકેટમાંથી નીકળ્યા કરોડોના હીરા, અધિકારીઓએ દાણચોરોને આ રીતે પકડી પાડ્યાં; જુઓ વિડીયો..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે જિયો પ્લેટફોર્મના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. ચોથા ક્વાર્ટરમાં Jio પ્લેટફોર્મ્સની આવક 13.3 ટકા વધીને રૂ. 33,835 કરોડ થઈ છે. જેમાં ચોખ્ખો નફો રૂ. 5583 કરોડ થયો હતો. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4985 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની આવક 10.6 ટકા વધીને રૂ. 76,627 કરોડ થઈ છે અને કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 2698 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2415 કરોડ હતો.

RIL Q4 પરિણામો: હાઇલાઇટ્સ

રેકોર્ડ વાર્ષિક કોન્સોલિડેટેડ રેવન્યુ: રૂ. 1,000,122 કરોડ ($119.9 બિલિયન), 2.6% વાર્ષિક ધોરણે.
વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA: રૂ. 178,677 કરોડ ($21.4 બિલિયન), વાર્ષિક ધોરણે 16.1% વધુ.
વાર્ષિક કોન્સોલિડેટેડ PBT રૂ. 1,00,000 કરોડને વટાવીને રૂ. 1,04,727 કરોડ (રૂ. 12.6 અબજ) સુધી પહોંચ્યું છે, જે વાર્ષિક ધોરણે 11.4% વધારે છે.
જિયો પ્લેટફોર્મનો વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 20,000 કરોડને પાર.
રિલાયન્સ રિટેલનો વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 10,000 કરોડને પાર.
47,150 કરોડ ($5.7 બિલિયન) પર ત્રિમાસિક એકીકૃત EBITDA, વાર્ષિક ધોરણે 14.3% વધુ.
RIL એ શેર દીઠ ₹10/-નું ડિવિડન્ડ જાહેર કર્યું.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો : Vodafone Idea FPO: છેલ્લા દિવસે Vodafone Idea FPO 6 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો, રિટેલ રોકાણકારોનો મળ્યો નબળો પ્રતિસાદ..

April 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mukesh Ambani Birthday Becoming Asia's Richest Man Wasn't Easy, How He Built His Empire After His Father's Death!.
વેપાર-વાણિજ્ય

Mukesh Ambani Birthday : એશિયાના સૌથી અમીર વ્યક્તિ બનવું સહેલું ન હતું, પિતાના અવસાન પછી તેમણે કેવી રીતે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું!..

by Bipin Mewada April 19, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mukesh Ambani Birthday : આજે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો જન્મદિવસ ( Birthday  ) છે અને તેઓ 67 વર્ષના થઈ ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે તેમના માટે આ પદ સુધી પહોંચવું બિલકુલ સરળ ન હતું. એટલું જ નહીં, આજે તેમણે પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી વારસામાં મળેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સંપૂર્ણપણે બદલી નાખી છે અને હવે તે ભવિષ્યની સૌથી મોટી કંપની બની ગઈ છે. આવો તેની સફર પર એક નજર કરીએ… 

મુકેશ અંબાણીએ 18 વર્ષની ઉંમરે પિતા ધીરુભાઈ અંબાણી ( Dhirubhai Ambani ) સાથે રિલાયન્સ ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મુકેશ અંબાણી 1981થી જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ( Reliance Industries ) મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. 1985 માં કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી બદલીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી વિશે એક વાત કહેવામાં આવે છે કે તેઓ હંમેશા આવનારા દાયકામાં શું થશે તેના આધારે બિઝનેસ પ્લાન બનાવે છે. આ જ બાબત તેમના વર્તમાન નિર્ણયોમાં પણ જોવા મળે છે.

 Mukesh Ambani Birthday : પિતાનું અવસાન થતાં જ અંબાણી પરિવારમાં ફુટ પડી હતી..

વાસ્તવમાં મુકેશ અંબાણી રિલાયન્સમાં જોડાયા તે પહેલા તેમના પિતા મોટાભાગે ટેક્સટાઈલ અને કેમિકલનો બિઝનેસ કરતા હતા. મુકેશ અંબાણી માનતા હતા કે જો તેમને મોટી કંપની બનવી હોય તો માત્ર આ બે સેક્ટરમાં બિઝનેસ કરવાથી કામ નહીં ચાલે. કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડ્રોપઆઉટ થયેલા મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નવા ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કર્યું અને આ રીતે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

ધીરુભાઈ અંબાણી સાથે લાંબા સમય સુધી કામ કરીને મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી બનાવી. પરંતુ તેઓ ભવિષ્યમાં ટેલિકોમ સેક્ટરની જરૂરિયાત જાણતા હતા. તેથી મુકેશ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન શરૂ કર્યું.

આ સમાચાર પણ વાંચો :  UPSC Exam: થાણામાં ઝાડુવાળાનો દીકરો પાસ થયો. રથ પર સવાર થઈ સરઘસ નીકળ્યું. જાણો સફળતાની કહાની જુઓ સરઘસ નો વિડીયો…

મુકેશ અંબાણીને વર્ષ 2002માં મોટો આઘાત લાગ્યો હતો, જ્યારે તેમના પિતા ધીરુભાઈ અંબાણીનું નિધન થયું હતું. આ પછી મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કારભાર સંભાળ્યો. જો કે, પિતાનું અવસાન થતાં જ અંબાણી પરિવારમાં ફુટ પડી હતી. મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચે પ્રોપર્ટી અંગેનો વિવાદ શરૂ થયો અને વિવાદ વિભાજન સુધી પહોંચ્યો.આ પછી, બિઝનેસ નાના ભાઈ અનિલ અંબાણી સાથે વહેંચાઈ ગયો અને આખરે મુકેશ અંબાણીને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ટેલિકોમ બિઝનેસ ગુમાવ્યો.

 Mukesh Ambani Birthday : અનિલને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપની મળી..

વિભાજન હેઠળ, અનિલને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપની મળી અને બંને ભાઈઓ આગામી 10 વર્ષ સુધી એકબીજાના બિઝનેસ સેક્ટરમાં નહીં આવે તેવા કરાર પર સહી કરવી પડી. આથી મુકેશ અંબાણી કરાર મુજબ રાહ જોતા રહ્યા અને આખરે 2016માં તેમણે તેમનું સપનું ફરી જીવ્યું અને તેનું નામ ‘રિલાયન્સ જિયો’ ( Reliance Jio ) રાખ્યું.

આજે જ્યારે મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ ( Richest Person ) બની ગયા છે, ત્યારે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પરિવર્તન લાવવાની તેમની 20 વર્ષની કારકિર્દી પર પણ એક નજર નાખવી જોઈએ. તેમણે માત્ર રિલાયન્સને પેટ્રોકેમિકલ્સ કંપનીમાંથી ભારતની સૌથી મોટી ટેલિકોમ અને રિટેલ કંપનીમાં પરિવર્તિત કરી નથી. તેના બદલે, તેઓ ભવિષ્યની જરૂરિયાતોને સમજીને પણ નવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે.

ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી ગ્રીન હાઇડ્રોજન, બેટરી પાવર અને સોલાર સેલ બિઝનેસમાં મોટું રોકાણ કરી રહ્યા છે. જેમ તેલના જમાનામાં મુકેશ અંબાણીએ રિલાયન્સનું નસીબ લખ્યું હતું. તેવી જ રીતે, તેઓ ગ્રીન એનર્જીના યુગમાં આવતી પેઢી માટે એક નવા યુગનો પાયો નાંખી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Budh Uday 2024 : આજથી મીન રાશીમાં બુધનો ઉદય થતાં, મેષ-મિથુન સહિત આ 6 રાશિઓના જીવનમાં સમસ્યાઓ વધશે, પડશે મોટો આર્થિક ફટકો..

April 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
who is the least educated in the ambani family
મનોરંજન

Ambani family: જાણો રિલાયન્સ ગ્રુપ ના માલિક અંબાણી પરિવાર ના તે સભ્ય વિશે જેને મેળવ્યું છે સૌથી ઓછું શિક્ષણ

by Zalak Parikh April 18, 2024
written by Zalak Parikh

 News Continuous Bureau | Mumbai

Ambani family: રિલાયન્સ ગ્રુપ નો પાયો ધીરુભાઈ અંબાણી એ નાખ્યો હતો. હાલ રિલાયન્સ ગ્રુપ એ દુનિયા ના ટોપ બિઝનેસ ગ્રુપ માં સામે છે. અંબાણી પરિવાર અને રિલાયન્સ ગ્રુપ ને કોઈ ઓળખ ની જરૂર નથી. રિલાયન્સ ગ્રુપ નો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણી ના પરિવાર માં  કોકિલાબેન અંબાણી, તેમનો મોટો દીકરો મુકેશ અંબાણી, નાનો દીકરો અનિલ અંબાણી, અને દીકરીઓ નીતા અને દીપ્તિ નો સમાવેશ થાય છે. તેમાંથી મુકેશ અંબાણી ની ગણતરી સૌથી આમિર વ્યક્તિમાં થાય છે.  

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની સાથે આ અભિનેતા ને પણ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી કરવામાં આવશે સન્માનિત

અંબાણી પરિવાર માં કોણ છે સૌથી ઓછું ભણેલું 

રિલાયન્સ ગ્રુપ ની સ્થાપના કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1933ના રોજ થયો હતો.અને અંબાણી પરિવાર માં સૌથી ઓછું શિક્ષણ પણ ધીરુભાઈ અંબાણીનું છે. તેમને માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. ઘરમાં આર્થિક તંગી ને કારણે ધીરુભાઈ 16 વર્ષની ઉંમરે, પૈસા કમાવવા યમન ગયા.ધીરુભાઈ અંબાણીએ જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો ત્યારે તેમની પાસે કોઈ પૈતૃક મિલકત કે બેંક બેલેન્સ નહોતું. ધીરુભાઈ અંબાણી એ કોકિલાબેન અંબાણી સાથે લગ્ન કર્યા હતા. ધીરુભાઈ અંબાણીની પત્ની કોકિલાબેન તેમના કરતાં ઓછું ભણેલાં હતાં. એ જમાનામાં જ્યાં સ્ત્રી શિક્ષણ પર બહુ ભાર ન હતો, ત્યારે ઘરમાં શૈક્ષણિક વાતાવરણને કારણે કોકિલાબહેને 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani (@mukeshambani304)


ધીરુભાઈ અંબાણીના પહેલા પગારની વાત કરીએ તો તે દર મહિને 300 રૂપિયા હતો. જો કે, બે વર્ષ પછી તે શેલ ના વિતરક બન્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mukesh Ambani dedicates this special Gujarati song to his wife at NMACC, Nita Ambani's reaction...
વેપાર-વાણિજ્ય

Mukesh Ambani: મુકેશ અંબાણીએ NMACC ખાતે તેમની પત્નીને આ ખાસ ગુજરાતી ગીત સમર્પિત કર્યું, નીતા અંબાણીની આવી આ પ્રતિક્રિયા….

by Bipin Mewada April 11, 2024
written by Bipin Mewada

  News Continuous Bureau | Mumbai 

Mukesh Ambani: બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ( Nita Ambani ) ભારતના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંનેએ 1985માં લગ્ન કર્યા હતા અને ત્યારથી તેઓ એકબીજાની સાથે છે. ઉલ્લેખનીય છે કે નીતા અને મુકેશ ત્રણ બાળકો ઈશા, આકાશ અને અનંત અંબાણીના માતા-પિતા છે. નીતા અને મુકેશના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હોવા છતાં, તેઓ હજી પણ કપલ ગોલ આપવામાં શરમાતા નથી. હવે, ફરી એકવાર અમને તેમના પ્રેમથી ભરપૂર ક્ષણની ઝલક મળી. 

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ( NMACC ) ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી માટે સંગીતમય કાર્યક્રમ દરમિયાન તેમની પત્ની નીતા અંબાણીને એક વિશેષ ગીત ( Gujarati Song ) સમર્પિત કર્યું.

 બિઝનેસ ટાયકૂને યાદ કર્યું કે કેવી રીતે 40 વર્ષ પહેલાં નીતા તેમના જીવનમાં આવી હતી..

આ સાંભળીને પ્રેક્ષકોમાં હાજર નીતા શરમાતી અને હાથ વડે આંખો ઢાંકતી જોવા મળ્યા હતા. ત્યાર પછી આદિત્ય ગઢવીએ ( Aditya Gadhvi ) સુંદર ગીત ગાયું કે તરત જ મુકેશ અને નીતા પણ તેની સાથે ગાતા જોવા મળ્યા અને આવી પ્રેમ ભરેલી ક્ષણને બંનેએ માણી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: IPL મેચો માટે આ તારીખો પર મુંબઈમાં ટ્રાફિકની અવરજવર પ્રતિબંધિત રહેશે..

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ‘સાઇનિંગ સેરેમની’ દરમિયાન પણ મુકેશ અંબાણીએ તેમની પત્ની નીતા માટે પ્રેમભરી સ્પીચ પણ આપી હતી. બિઝનેસ ટાયકૂને યાદ કર્યું કે કેવી રીતે 40 વર્ષ પહેલાં નીતા તેમના જીવનમાં આવી હતી અને તેને પ્રેમ અને કરુણાથી ભરી દીધી હતી. મુકેશે એમ પણ કહ્યું હતું કે નીતા તેમના પરિવારની ‘સ્ટાર’ છે, જેની આસપાસ તેમના પરિવારના ગ્રહો અને ચંદ્ર ફરે છે. એ જ વક્તવ્યમાં મુકેશે નીતાને પોતાની ‘એન્કર’ અને ‘પોતાના જીવનની નૈતિક દિશા જણાવનાર’ ગણાવી હતી. ઉદ્યોગપતિએ તેની પત્નીને તેની શ્રેષ્ઠ મિત્ર ગણાવી જેણે તેને અહેસાસ કરાવ્યો કે જીવનમાં મૂલ્યો કરતાં મૂલ્યો વધુ મહત્વપૂર્ણ છે.

ડિઝાઈનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા સાથેના એક ઈન્ટરવ્યુમાં રેપિડ-ફાયર રાઉન્ડ દરમિયાન નીતા અંબાણીએ ખુલાસો કર્યો હતો કે મુકેશને અડધી રાત્રે ઓફિસથી આવવાની અને પછી ફિલ્મો જોવાની આદત છે. આ વિશે વાત કરતાં નીતાએ કહ્યું હતું કે તે અને મુકેશ દરરોજ મધરાત 12 થી સવારે 3 વાગ્યા સુધી મૂવી જુએ છે. આ ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ લગ્ન કર્યાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેને મુકેશની પત્ની બનવાનો આનંદ છે અને તે બધા ભાગીદારી અને પ્રેમ વિશે છે.

April 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Isha Ambani Luxury House Isha Ambani Sold Her Bungalow For 500 Crores, See Who Bought It
વેપાર-વાણિજ્ય

Isha Ambani Luxury House: ઈશા અંબાણીએ આલીશાન બંગલો આ અમેરિકન સિંગરને ₹ 500 કરોડમાં વેચ્યો..

by kalpana Verat April 3, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Isha Ambani Luxury House: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અવારનવાર હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. ક્યારેક તેના જોડિયા બાળકોના કારણે તો ક્યારેક તેના મોંઘા પોશાકના કારણે તે ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચે છે. ફરી એકવાર ઈશા અંબાણી સમાચારમાં છે, હા! પરંતુ આ વખતે તેના લાઇમલાઇટમાં આવવાનું કારણ ઘણું અલગ છે. ઈશા અંબાણી હાલમાં તેના બંગલા ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈશા અંબાણી અને આનંદ પીરામલે લોસ એન્જલસમાં પોતાનો બંગલો વેચી દીધો છે. અમેરિકાનો આ આલીશાન બંગલો હોલિવૂડ સિંગર જેનિફર લોપેઝે ખરીદ્યો છે. ઈશા અને આનંદ પીરામલે આ બંગલો જેનિફર લોપેઝ અને બેન એફ્લેકને 500 કરોડ રૂપિયાથી વધુમાં વેચ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે ઈશાએ આ બંગલો શા માટે વેચ્યો તેની માહિતી સામે આવી નથી.

બંગલામાં આ છે સુવિધામાં 

મહત્વનું છે કે, આ બંગલામાં ઘણી બધી સુવિધાઓ છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 2018માં થયા હતા. જેનિફર લોપેઝે આ આલીશાન બંગલો ખરીદ્યો તે હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે. બંગલામાં જિમ, સ્પા, સલૂન અને ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ અને ઘણું બધું છે. આ બંગલો 38,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. આ બંગલામાં 12 બેડરૂમ અને 24 બાથરૂમ છે.

આ સમાચાર પણ વાંચો :  Traffic Police Fine: ગજબનો જુગાડ… ચલણથી બચવા બાઈક ચાલકે અપનાવી આ યુક્તિ, છતાં થઈ કાર્યવાહી; જુઓ વિડીયો..

જેનિફર લોપેઝે 2022માં બેન એફ્લેક સાથે ચોથી વખત લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેનિફર લોપેઝની નેટવર્થ અબજો રૂપિયા છે. તેની કુલ સંપત્તિ 3332 કરોડ રૂપિયાની આસપાસ છે.. જેનિફરે તેની કારકિર્દી એક ડાન્સર તરીકે શરૂ કરી હતી. ભારતમાં અને વિશ્વભરમાં તેણીનો મોટો ચાહક આધાર છે.

આ બંગલો કોઈ મહેલથી ઓછો નથી

આનંદ પીરામલના માતા-પિતાએ ઈશા અંબાણીને લગ્નની ભેટ તરીકે મુંબઈમાં સી ફેસનો બંગલો ભેટમાં આપ્યો હતો. આ બંગલો કોઈ મહેલથી ઓછો નથી. જેની કિંમત કરોડો રૂપિયા છે. આ બંગલાને 3D ડાયમંડ થીમમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બંગલાનું નામ ગુલિતા છે. ગુલિતા બંગલો જોવામાં એકદમ અદભૂત છે. આ બંગલો 50 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલો છે. તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા છે. બંગલામાં ત્રણ ભોંયરાઓ, એક સ્વિમિંગ પૂલ અને ઊંચી છતવાળો મોટો હોલ પણ છે.

April 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant- Radhika Pre wedding Who is Bharat J Mehra in Anant and Radhika's pre-wedding party... Now there is a big revelation
મનોરંજન

Anant- Radhika Pre wedding: અનંત અને રાધિકાની પ્રિ વેડીંગ પાર્ટીમાં આવેલ ભરત જે મહેરા કોણ છે… હવે થયો મોટો ખુલાસો..

by Bipin Mewada March 8, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai 

Anant- Radhika Pre wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીનું ( Anant Ambani ) પ્રી-વેડિંગ ફંક્શન તાજેતરમાં ગુજરાતના જામનગરમાં યોજાયું હતું. આ ફંક્શનમાં બોલિવૂડના ( Bollywood ) લગભગ તમામ કલાકારો હાજર રહ્યા હતા. 

આ પ્રી-વેડિંગ ફંક્શનના વિવિધ ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે. આમાંથી એક ફોટો હાલ ચર્ચામાં આવ્યો છે.

First look of Groom is here 🤩 Anant Ambani is ready for his pre-wedding bash, popular astrologer Mr. Bharat j. Mehra shares exclusive pictures from Anant Ambani’s pre-wedding Festives. #anantambani #mukeshambani pic.twitter.com/T8nVxNOReL

— Bollywood World (@bwoodworld) March 1, 2024

 ભરત જે મહેરા ( Bharat J Mehra ) અને મુકેશ અંબાણી ( Mukesh Ambani ) ખૂબ સારા મિત્રો કહેવાય છે…

અંબાણી પરિવાર સાથે એક વ્યક્તિ ફોટોમાં જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ કોણ છે તે હાલ પ્રશ્ન સતત પૂછવામાં આવી રહ્યો છે. તો જણાવી દઈએ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત જ્યોતિષ ( Astrology ) ભરત જે મેહરા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: BMC કમિશનર અને અન્ય અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં અવમાન યાચિકા દાખલ.. 19 માર્ચે કોર્ટમાં હાજર થવાનો આદેશ..

ભરત જે મહેરા અને મુકેશ અંબાણી ખૂબ સારા મિત્રો કહેવાય છે. બંને વચ્ચે સારા કૌટુંબિક સંબંધો હોવાનું કહેવાય છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ ભરત જે મેહરા, શાહરૂખ ખાન, સલમાન ખાનની પણ ખૂબ નજીક છે. નોંધનીય છે કે, ભરત જે મેહરા જ્યોતિષ ક્ષેત્રમાં એક મોટું નામ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક