Tag: munaf patel

  • 2011 વર્લ્ડકપ જીતના હીરો મુનાફ પટેલને લોકોના પૈસા પરત ના આપવા પડ્યા ભારે, બેન્ક એકાઉન્ટ સીઝ

    2011 વર્લ્ડકપ જીતના હીરો મુનાફ પટેલને લોકોના પૈસા પરત ના આપવા પડ્યા ભારે, બેન્ક એકાઉન્ટ સીઝ

    News Continuous Bureau | Mumbai

    ઉત્તર પ્રદેશ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (UP RERA) દ્વારા જાહેર કરાયેલ રિકવરી સર્ટિફિકેટ (RC)ના આધારે ગૌતમ બુદ્ધ નગર જિલ્લા વહીવટીતંત્રે ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતાઓ જપ્ત કરીને રૂ. 52 લાખની વસૂલાત કરી છે. એક અધિકારીએ આ માહિતી આપી. મુનાફ પટેલ બિલ્ડર કંપની ‘નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ’માં ડિરેક્ટર છે. યુપી રેરાએ મુનાફ પટેલની કંપની રોકાણકારોને પૈસા પરત ન કરવાના આરોપ પર આ કાર્યવાહી કરી છે.

    જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌતમ બુદ્ધ નગર સુહાસ એલવાયએ જણાવ્યું કે ‘UP RERA’ની RC પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મુનાફ પટેલ પણ તે કંપનીમાં ડાયરેક્ટર છે. કાયદાકીય સલાહ બાદ રેવન્યુ ટીમે બેંક એકાઉન્ટ જપ્ત કરી આરસીના પૈસા વસૂલ કર્યા હતા. તેમણે કહ્યું કે બાકી રકમની વસૂલાત માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો:   કામની વાત / બેંકમાંથી નથી મળી રહી લોન? ઓછું થઈ ગયું છે સિબિલ સ્કોર,નોટ કરી લો વધારવાની સરળ રીત

    જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે ગ્રેટર નોઇડા વેસ્ટ સેક્ટર-10માં ‘નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ’ હેઠળ ‘વનલીફ ટ્રોય’ નામના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેના ખરીદદારોએ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન કરવા બદલ યુપી રેરાને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે સુનાવણી બાદ યુપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ જાહેર કર્યો હતો.

    તેમણે કહ્યું કે યુપી રેરાએ આદેશનું પાલન ન કરવા બદલ બિલ્ડરને આરસી જાહેર કરી હતી. બિલ્ડર સામે જિલ્લા વહીવટીતંત્ર પાસે રૂ. 10 કરોડની 40થી વધુ આરસી પેન્ડિંગ છે. LYએ કહ્યું, “આ મામલામાં દાદરી તહસીલની ટીમે વસૂલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બિલ્ડરે પૈસા આપ્યા નહીં. આ પછી, તહેસીલની ટીમે કાયદાકીય સલાહ લઈને કંપનીના ડિરેક્ટરો પાસેથી વસૂલાત શરૂ કરી.

    અધિકારીએ કહ્યું, “ક્રિકેટર મુનાફ પટેલ કંપનીના ડિરેક્ટર છે. નોઈડા અને ગુજરાતમાં એક્સિસ બેંકની બે શાખાઓમાં સ્થિત બે ખાતા જપ્ત કરીને આ રકમ વસૂલવામાં આવી છે. બંને બેંકોમાંથી લગભગ 52 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે બિલ્ડર વિરુદ્ધ આગળની કાર્યવાહી ચાલુ રહેશે.

    આ સમાચાર પણ વાંચો: Raghuram Rajan Prediction : “જો આપણે આવતા વર્ષે 5% વૃદ્ધિ મેળવીશું તો ભાગ્યશાળી હોઈશું,” રઘુરામ રાજન ની ભવિષ્યવાણી.