Tag: national investigation agency

  • Anmol Bishnoi: અનમોલ બિશ્નોઈનું આતંકી સિન્ડિકેટ: સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં અમેરિકાથી જોડાયેલા તાર અને લોરેન્સનો પ્લાન સામે આવ્યો

    Anmol Bishnoi: અનમોલ બિશ્નોઈનું આતંકી સિન્ડિકેટ: સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં અમેરિકાથી જોડાયેલા તાર અને લોરેન્સનો પ્લાન સામે આવ્યો

    News Continuous Bureau | Mumbai

    Anmol Bishnoi  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના કાવતરામાં વોન્ટેડ અનમોલ બિશ્નોઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ભારત પહોંચતાની સાથે જ ઝડપી લેવામાં આવ્યો છે. અનમોલને અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ બુધવારે દિલ્હી લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, અનમોલ અમેરિકામાં બેસીને ભારતમાં આતંકી ગતિવિધિઓનું એક મોટું સિન્ડિકેટ ચલાવી રહ્યો હતો. પંજાબ પોલીસે અનમોલને શોધવામાં અને તેને પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે વર્ષ 2022માં જ ખુલાસો કર્યો હતો કે અનમોલ નકલી પાસપોર્ટથી દેશમાંથી ભાગી ગયો હતો અને કેન્યા સહિત અન્ય દેશોમાંથી થતો અમેરિકા પહોંચ્યો હતો.

    મૂસેવાલા હત્યા પહેલા દેશ છોડવાની હતી યોજના

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં સામે આવ્યું હતું કે અનમોલે ભાનુ પ્રતાપના નામે નકલી પાસપોર્ટ મેળવ્યો હતો. તેના ભાઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની યોજના બનાવતા પહેલા જ અનમોલને દેશની બહાર કાઢવાની યોજના બનાવી હતી. આ પાછળનો હેતુ એ હતો કે હત્યા બાદ કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહીથી અનમોલ બચી શકે. આ હત્યા કેસની ચાર્જશીટમાં પણ હત્યાના કાવતરામાં અનમોલનું નામ સામેલ કરવામાં આવ્યું હતું.

    અનમોલ પર 22 ગંભીર કેસ, રિમાન્ડ પર લેવાયો

    બુધવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ એનઆઈએએ અનમોલની ધરપકડ કરી હતી. પંજાબ પોલીસના રેકોર્ડ મુજબ, અનમોલ પર પહેલો કેસ વર્ષ 2012માં નોંધાયો હતો, જેમાં હુમલો, મારામારી અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ સમયે અનમોલ વિરુદ્ધ સમગ્ર દેશમાં હત્યા, ટાર્ગેટ કિલિંગ, ખંડણી અને આર્મ્સ એક્ટ સહિત કુલ 22 ગંભીર કેસ નોંધાયેલા છે. એનઆઈએએ અનમોલને વિશેષ અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને 11 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે પંજાબ પોલીસે પણ પૂછપરછ માટે અનમોલને પ્રોડક્શન વોરન્ટ પર લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

    આ સમાચાર પણ વાંચો : Nitish Kumar sworn in: નીતિશ કુમારે રચ્યો ઇતિહાસ, 10મી વખત લીધા મુખ્યમંત્રી પદના શપથ; જાણો નવી સરકારમાં કોણ બન્યા મંત્રી

    સિન્ડિકેટના સંચાલન અને ફંડિંગની થશે તપાસ

    એનઆઈએએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ આતંકી-ગેંગસ્ટર સિન્ડિકેટની કાર્યપ્રણાલી, ગેરકાયદેસર ધનનો સ્રોત, તેમાં સામેલ અન્ય લોકોની સંડોવણી અને સિન્ડિકેટનું સંચાલન ક્યાંથી થતું હતું તે અંગે અનમોલની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માંગે છે. વિશેષ સરકારી વકીલ (SPP)એ જણાવ્યું કે અનમોલ આ આતંકી-ગેંગસ્ટર ગૅન્ગનો એક મહત્વપૂર્ણ ગુર્ગો છે અને તેની પાસે ઘણી અગત્યની માહિતી છે. હવે 29 નવેમ્બરના રોજ તેને કોર્ટમાં ફરીથી રજૂ કરવામાં આવશે. એનઆઈએ એ પણ તપાસ કરશે કે અનમોલ નકલી દસ્તાવેજોના આધારે ભારતમાંથી કેવી રીતે ભાગી ગયો હતો.

  • આતંકને કારમો ફટકો… ટેરર ફંડિગ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસિન મલિકને મળી આજીવન કેદની સજા, ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ…

    આતંકને કારમો ફટકો… ટેરર ફંડિગ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસિન મલિકને મળી આજીવન કેદની સજા, ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ…

    News Continuous Bureau | Mumbai

    ટેરર ફંડિગ કેસમાં(terror funding case) દોષી ઠેરવવામાં આવેલા કાશ્મીરના(Kashmir) અલગાવવાદી નેતા(Separatist leader) યાસિન મલિકને(Yasin Malik) એનઆઈએ(NIA) કોર્ટે સજા ફટકારી છે. 

    અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની NIA કોર્ટે આજીવન કેદની(Life imprisonment) સજા ફટકારી છે. 

    આ સાથે જ યાસીન મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

    અગાઉ, આ કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ(National Investigation Agency) યાસીન મલિકને ફાંસીની(Execution) સજાની વિનંતી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે 19 મેના દિવસે એનઆઈએ કોર્ટ(NIA Court) મલિકને ગુનાહિત ષડયંત્ર રચવાના, દેશ સામે યુદ્ધ છેડવાના તથા ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: ક્વાડ શિખર બેઠકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, પીએમ મોદી કરતા દેખાયા વિશ્વનું નેતૃત્વ; જુઓ ફોટોગ્રાફ…