Tag: National Youth Festival

  • Viksit Bharat Young Leaders Dialogue PM Modi: PM મોદીએ  ‘મન કી બાત’ સંબોધનમાં વિકસિત ભારત માટે યુવાનોની ભાગીદારીનું કર્યું આહ્વાન, કરી આ પહેલની જાહેરાત..

    Viksit Bharat Young Leaders Dialogue PM Modi: PM મોદીએ ‘મન કી બાત’ સંબોધનમાં વિકસિત ભારત માટે યુવાનોની ભાગીદારીનું કર્યું આહ્વાન, કરી આ પહેલની જાહેરાત..

    News Continuous Bureau | Mumbai

    Viksit Bharat Young Leaders Dialogue PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસિક મન કી બાત સંબોધનમાં વિકસિત ભારતને આકાર આપવામાં યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. યુવા દિમાગની શક્તિને ઉજાગર કરતા, તેમણે  11-12 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારી ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ નામની સીમાચિહ્નરૂપ પહેલની જાહેરાત કરી.    

    સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતી નિમિત્તે આ ભવ્ય આયોજન દેશભરના કરોડો યુવાનો માટે ભારતના ભવિષ્ય માટે વિચારોને એક કરવા, વિચાર-વિમર્શ કરવા અને પ્રસ્તુત કરવા માટેના મંચનું કામ કરશે. ગામો, બ્લોક્સ, જિલ્લાઓ અને રાજ્યોમાંથી સાવચેતીપૂર્વક પસંદ કરાયેલા હજારો યુવાન વ્યક્તિઓ સંવાદ માટે એકઠા થશે.

    આ કાર્યક્રમ વિશે બોલતા પ્રધાનમંત્રીએ( Narendra Modi )  નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને પાયાના સ્તરે રાજકીય જોડાણને પોષવા માટે પોતાનું વિઝન વ્યક્ત કર્યું હતું. “લાલ કિલ્લાની પ્રાચીર પરથી, મેં કોઈ રાજકીય વંશ ન ધરાવતા યુવાનોને રાજકારણમાં પગ મૂકવા વિનંતી કરી છે. ‘ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ ( National Youth Festival ) એ દિશામાં વધુ એક પગલું છે, એમ તેમણે જણાવ્યું હતું.

    આ સંવાદમાં ( Viksit Bharat Young Leaders Dialogue PM Modi ) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વિચારશીલ નેતાઓ અને મહાનુભાવો સામેલ થશે. પ્રધાનમંત્રી પોતે યુવાનો સાથે સહભાગી થશે અને તેમની સાથે વાતચીત કરશે તથા તેમને દેશની પ્રગતિ માટે નવીન વિચારો પ્રસ્તુત કરવા પ્રોત્સાહિત કરશે. આ આંતરદૃષ્ટિ ભારતના ભવિષ્ય માટે એક વ્યાપક રોડમેપ બનાવવામાં પ્રદાન કરશે.

    પ્રધાનમંત્રીએ યુવાનોને (  Viksit Bharat Young Leaders Dialogue ) રાષ્ટ્રનિર્માણમાં સક્રિયપણે સહભાગી થવાની આ તકનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જે લોકો ભારતનાં ભવિષ્યનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે, તેમના માટે આ શ્રેષ્ઠ તક છે. આવો, આપણે સાથે મળીને દેશનું નિર્માણ કરીએ અને દેશને વિકસિત કરીએ.”

    આ સમાચાર પણ વાંચો : NSO Annual Industry Survey: નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ ( NSO ) દ્વારા રાજકોટમાં આ તારીખે યોજાશે એએસઆઈ અંગે કાર્યશિબિર..

    આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની ભાવનાની ઉજવણી કરવા, યુવા ( Indian Youth ) માનસને પ્રેરિત કરવા અને ઉજ્જવળ અને વિકસિત ભારતનો પાયો નાંખવામાં એક યાદગાર ક્ષણ બનવાનું વચન આપે છે.

    રાષ્ટ્રીય યુવા મહોત્સવની પુનઃકલ્પના વિકસિત ભારત ( Viksit Bharat ) યુવા નેતાઓ સાથેની સંવાદમાં ભારતના ભવિષ્યને આકાર આપવામાં યુવાનોના જોડાણને પ્રેરિત કરવા માટે ચાર તબક્કાની સ્પર્ધા વિકસિત ભારત ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. મેરા યુવા ભારત (MY Bharat) પ્લેટફોર્મ પર આવતીકાલે એટલે કે 25 નવેમ્બર 2024ના રોજ સ્ટેજ 1 – વિકસિત ભારત ક્વિઝ શરૂ થશે. વધુ વિગતો માટે  

    વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ – રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 સાથે સંબંધિત તમામ વિગતો MY Bharat પ્લેટફોર્મ (https://mybharat.gov.in/) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

  • Viksit Bharat Young Leaders Dialogue: “વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદ”નું આયોજન, 25 નવેમ્બરથી શરૂ થશે MYBharat પ્લેટફોર્મ પર આ સ્પર્ધા; મળશે પ્રધાનમંત્રીને મળવાની તક..

    Viksit Bharat Young Leaders Dialogue: “વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદ”નું આયોજન, 25 નવેમ્બરથી શરૂ થશે MYBharat પ્લેટફોર્મ પર આ સ્પર્ધા; મળશે પ્રધાનમંત્રીને મળવાની તક..

      News Continuous Bureau | Mumbai

    Viksit Bharat Young Leaders Dialogue: કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવીયાએ સપ્તાહની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે, આગામી વર્ષે 11 અને 12 જાન્યુઆરીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ દરમિયાન વિકસિત ભારતને આકાર આપવામાં દેશનાં યુવાઓને સામેલ કરવા, સશક્ત બનાવવા માટેનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં દ્રષ્ટિકોણ મુજબ રાષ્ટ્રીય યુવા મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. જે માટે  “વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદ”નું આયોજન કરવામાં આવશે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી ખાતે ભારત મંડપમમાં 3000 યંગ લીડર્સ સાથે વાતચીત કરશે.  

    Organized “Viksit Bharat Young Leaders Dialogue”, this competition will start from November 25 on “MYBharat” platform.
    Organized “Viksit Bharat Young Leaders Dialogue”, this competition will start from November 25 on “MYBharat” platform.

     

    પ્રધાનમંત્રી મોદીનાં ( Narendra Modi ) દ્રષ્ટિકોણ ઓછામાં ઓછા એક લાખ યુવા નેતાઓનો વિકાસ કરવાનો છે.એ “વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદ” નેતૃત્વ પ્રતિભા, યુવાઓની જરૂરિયાતોની એક ઝલક પૂરી પાડશે અને વિકસિત ભારતનાં ( Viksit Bharat Young Leaders Dialogue ) ઉદ્દેશ્યમાં યોગદાન આપવામાં તેમની ભૂમિકા અને જવાબદારીઓની સમજણ આપશે.

    Organized “Viksit Bharat Young Leaders Dialogue”, this competition will start from November 25 on “MYBharat” platform.
    Organized “Viksit Bharat Young Leaders Dialogue”, this competition will start from November 25 on “MYBharat” platform.

    ( National Youth Festival ) બાબતે નેહરુ યુવા કેન્દ્રનાં રાજ્ય નિયામક દુષ્યંત ભટ્ટે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સ્પર્ધાનાં પ્રથમ રાઉંડમાં અખિલ ભારતીય ડિજિટલ ક્વિઝ હશે. જેનું તા.25 નવેમ્બર, 2024થી તા.05 ડિસેમ્બર,2024 વચ્ચે આયોજન  કરવામાં આવશે. જે લોકો 15 થી 29 વર્ષની આયુ ધરાવે છે તેઓ “MYBharat” પ્લેટફોર્મ પર જઈ તેમાં પોતાની નોંધણી કરાવી શકે છે. ક્વિઝ સ્પર્ધાનાં વિજેતાઓ આગળ નિબંધ/બ્લોગ લેખન સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં વિજેતા થનારા યુવા રાજ્ય સ્તરે “વિકસિત ભારત વિઝન” પ્રસ્તુતિ અને અંતે ભારત મંડપમમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ( National Championship ) સામેલ થશે.

    આ સમાચાર પણ વાંચો:  Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન નો વધુ એક ડીપફેક વિડીયો થયો વાયરલ, આર્યન ખાન સાથેની તસવીરો જોઈ રોષે ભરાયા ચાહકો

    આ પ્રસંગે ભારતીય ખેલ પ્રાધિકરણ, ગાંધીનગરના પ્રાદેશિક નિયામક શ્રી મનીકાંત શર્મા અને તેમની સાથે પેરિસ પેરાલિમ્પિકનાં સ્વર્ણ પદક વિજેતા નવદીપ, પેરાલિમ્પિયન ભાવનાબેન અને એશિયાઈ પેર સ્વર્ણ પદક વિજેતા નિમિષ સી એસ ઉપસ્થિત રહ્યા હતા. રામતવીરોએ વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં વધુમાં વધુ યુવાઓ ભાગ લેવા અપીલ કરી હતી.

    Organized “Viksit Bharat Young Leaders Dialogue”, this competition will start from November 25 on “MYBharat” platform.
    Organized “Viksit Bharat Young Leaders Dialogue”, this competition will start from November 25 on “MYBharat” platform.

    આ કાર્યક્રમનું સંચાલન પત્ર સૂચના કાર્યાલયનાં ઉપ નિયામક આરોહી પટેલે કર્યું હતું. તેમજ ભારતીય ખેલ પ્રાધિકરણ, ગાંધીનગરનાં નિયામક, અદિતી સિંઘ, રાષ્ટ્રીય સેવા યોજનાનાં યુવા અધિકારી મનીન્દર પાલ સિંઘ, પ્રિતેશ ઝવેરી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.