Tag: newscontinuous

  • Today’s Horoscope : આજે ૨૯ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે ૨૯ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    Today’s Horoscope : આજનો દિવસ

    ૨૯ માર્ચ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

     

    “તિથિ” – અમાસ

     

    “દિન મહીમા”

    દર્શ અમાસ, મન્વાદી, અન્વાધાન, શનિ મીનરાશીમાં ૨૧:૪૦, વ્રજમૂશળયોગ ૧૯.૨૮થી, પંચક, નૌકા દિન, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ-પાળવું નહિં

     

    “સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

     

    “સુર્યાસ્ત” – ૬.૫૦ (મુંબઈ)

     

    “રાહુ કાળ” – ૯.૪૦ થી ૧૧.૧૧

     

    “ચંદ્ર” – મીન 

    આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

     

    “નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૯.૨૫)

     

    “ચંદ્ર વાસ” – ઉત્તર

    પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

     

    દિવસનાં ચોઘડિયા

    શુભઃ ૮.૦૮ – ૯.૪૦

    ચલઃ ૧૨.૪૩ – ૧૪.૧૫

    લાભઃ ૧૪.૧૫ – ૧૫.૪૭

    અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૯

     

    રાત્રીનાં ચોઘડિયા

    લાભઃ ૧૮.૫૦ – ૨૦.૧૯

    શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૫

    અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૪૩

    ચલઃ ૨૪.૪૩ – ૨૬.૧૧

    લાભઃ ૨૯.૦૭ – ૩૦.૩૫

     

    રાશી ભવિષ્ય

     

    “મેષઃ” (અ,લ,ઇ)-

    ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

     

    “વૃષભઃ” (બ,વ,ઉ)-

    આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

     

    “મિથુનઃ”(ક, છ, ઘ)-

    નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

     

    “કર્કઃ”(ડ,હ)-

    ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

     

    “સિંહઃ”(મ,ટ)-

    લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

     

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-

    વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

     

    “તુલાઃ”(ર,ત)-

    લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

     

    “વૃશ્ચિકઃ”(ન,ય)-

    વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

     

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

    મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

     

    “મકરઃ”(ખ,જ)-

    જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

     

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-

    નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

     

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-

    તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

  • Maharashtra Bus: ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત, ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

    Maharashtra Bus: ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત, ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

    News Continuous Bureau | Mumbai

    Maharashtra Bus: મહારાષ્ટ્રની ચોંકાવનારી ઘટના…ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત; આ રીતે મોટી દુર્ઘટના ટળી
    કલ્યાણઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓને વિરાર લઈ જતી બસનો ડ્રાઈવર નશામાં હતો પરંતુ ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે મોટો અકસ્માત થતા રહી ગયો હતો અને 26 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા હતા.
    કુર્લામાં ભયાનક બસ અકસ્માતની તાજેતરની ઘટના બાદ, ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે ઉલ્હાસનગરથી વિરાર જઈ રહેલી ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 26 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા. પોલીસે સમયસર દરમિયાનગીરી કરતા મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળેલ છે.

    આ સમાચાર પણ વાંચો  : Agriculture News: ખેડુતોએ ચણાના પાકમાં લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં

    ઉલ્હાસનગરની જગ્ગુ ફૂટબોલ એકેડમીના 26 વિદ્યાર્થીઓ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે વિરારની ગ્લોબલ સ્કૂલ જઈ રહ્યા હતા. બસ વાલધુની બ્રિજ વટાવીને સુભાષ ચોક પર પહોંચી હતી. ફરજ પર હાજર સુરેશ પાટીલે સતર્કતા દાખવી તુરંત બસ રોકાવી અને ડ્રાઈવરની તપાસ કરી. બ્રેથલાઈઝર ટેસ્ટમાં બહાર આવ્યું કે ડ્રાઈવર નશામાં હતો. જેથી પોલીસે બસને જપ્ત કરી લીધી હતી. ડ્રાઈવર પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં ચાલકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને દંડ ભર્યા બાદ જ બસ છોડવામાં આવશે. આમ ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે 26 વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો શહેરને આ ઈમાનદાર પોલીસ પર ગર્વ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત

    PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત

    News Continuous Bureau | Mumbai

    PM Kisan Yojana: ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.

    આ સમાચાર પણ વાંચો  :Chinese Threads: જુહાપુરામાંથી પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ ચાઇનીઝ દોરીના ૭૪ ટેલર સાથે બે ઇસમો ઝડપાયા
    પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રીશ્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવા, ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • World Meditation Day: અમદાવાદમાં ઉત્સાહભેર ઊજવાશે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ

    World Meditation Day: અમદાવાદમાં ઉત્સાહભેર ઊજવાશે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ

    News Continuous Bureau | Mumbai

    • અમદાવાદના વસ્ત્રાલ, નિકોલ અને સરદારનગર અને વેજલપુર ખાતે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી થશે

    World Meditation Day: ભારત સરકારના સૂચનને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વની સાથે સાથે અમદાવાદમાં પણ વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય યોગ- ધ્યાન સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બરે રાજ્યભરનાં વિવિધ શહેરોમાં ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણીનું આયોજન કરાયું છે.

    આ સમાચાર પણ વાંચો  : Gujarat Global Expo: નર્મદ યુનિ.માં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ની મુલાકાત લેતા સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી

    આ ઉજવણી અંતર્ગત અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હૉલ ખાતે સવારે ૮.૩૦ વાગ્યાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ ધ્યાન દિવસ’ શિબિરનું અયોજન કરવામાં આવ્યું છે.

    આ ઉપરાંત અમદાવાદમાં વસ્ત્રાલ, નિકોલ અને સરદારનગર તેમજ વેજલપુર ખાતે પણ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

    અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા સામ્રાજ્ય પાર્ક, મેટ્રો પિલર નંબર ૧૩૬ની સામે યોગગુરુ શ્રી મૌલિક બારોટ તેમજ સમર્પણ ધ્યાન સંસ્થાના સહયોગથી ‘વિશ્વ ધ્યાન દિવસ’ ઊજવવામાં આવશે. જ્યારે નિકોલમાં મેજર ઋષિકેશ રામાણી ગાર્ડન, રાજહંસ સિનેમાની સામે, તેમજ સરદાનગરમાં સાધુ વાસવાની ઉદ્યાન, તાજ હોટલની પાછળ એરપોર્ટ રોડ – હાસોલ ખાતે તેમજ વેજલપુરમાં ચાણક્ય કોમ્યૂનિટી હોલ ખાતે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gandhi nagar:  ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ

    Gandhi nagar: ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ

    News Continuous Bureau | Mumbai

    • જનતા-પબ્લીકને સારી સેવા-સુવિધા અને યોજનાકીય લાભો પહોંચાડવાના માધ્યમ સરકાર-અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા વહિવટી વડાઓએ બનવાનું છે.:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

    -:મુખ્યમંત્રીશ્રી:-
    * જાહેર સેવક તરીકે જનતાની સેવા કરીને તેની સમસ્યાનું નિવારણ લાવવું એ આપણી ફરજ અને દાયિત્વ છે
    * લોકોની રજુઆતો જાણવા માટે ફિલ્ડ વિઝીટ-લોકસંપર્ક સુદ્રઢ બનાવવા હિમાયત
    * ‘સ્વાગત’માં રજુઆત જ ન આવે તેવી સ્થિતી ઉભી કરીએ
    * ‘ઝિરો ટોલરેન્સ અગેઈન્સ્ટ કરપ્શન’ ૧૦૦ ટકા સાકાર કરવું છે
    * પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ-અલગ અર્થઘટન ન થાય તેની તાકિદ
    * વ્યવસ્થાઓ સ્થાયી છે વ્યક્તિ નહિ એ ભાવ સાથે પારદર્શિતા અને પ્રમાણિક્તાથી લોકહિત કામો દ્વારા પદનું સ્ટેટસ વધારો

    Gandhi nagar: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સરકાર અને અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાના વહીવટી વડાઓએ જનતા-પબ્લિકને સારી સેવા-સુવિધાઓ અને કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવાના માધ્યમ બનવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ જવાબદારી અને કર્તવ્યના ભાવ સાથે કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પોતાની ભૂમિકા નિભાવે તે અપેક્ષિત છે.

    મુખ્યમંત્રીશ્રી રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ, પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જાહેર સેવક તરીકે જનતાની સેવા કરવી, તેની સમસ્યા-મુશ્કેલીઓ દૂર કરવી તે આપણું દાયિત્વ અને ફરજ બેય છે. આ માટે લોકસંપર્ક વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અધિકારીઓને ફિલ્ડ વિઝીટ માટે તાકીદ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો  :Mira Road: મીરા રોડની બે હવેલી પર પાલિકાએ કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં આક્રોશ

    તેમણે જણાવ્યું કે, ફિલ્ડ વિઝીટમાં લોકોની રજૂઆતો- ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવા સાથોસાથ જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓના વ્યવહાર વર્તનનો ફીડબેક મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ.

    મુખ્યમંત્રીશ્રીએ લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણની તથા ઉચ્ચ કક્ષાથી લઈને સામાન્ય માનવીની રજૂઆતોના યોગ્ય જવાબ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી થાય અને ‘સ્વાગત’માં આવવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ કરવા પણ કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શન”નો નિર્ધાર દોહરાવતા કહ્યું કે, વિકાસના રોલ મોડલ એવા આપણા ગુજરાતના વધુ ઉન્નત અને વૈશ્વિક વિકાસમાં આડે આવતું આ કરપ્શન ૧૦૦ ટકા દૂર કરવું જ પડે, નિંદામણ કરી નાખવું પડે એમ તેમણે માર્મિક ટકોર કરતા ઉમેર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, સરકારના પરિપત્રો નિયમોનું અલગ અલગ અર્થઘટન જિલ્લાઓમાં થવું ન જોઈએ જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ.

    આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યવસ્થા સ્થાયી છે કોઈ વ્યક્તિ કે તેનું પદ સ્થાયી નથી, એટલે સેવાકાળ દરમિયાન જનહિતના કામો પારદર્શિતા અને ૧૦૦ ટકા પ્રમાણિકતાથી કરીને પદની ગરિમા-સ્ટેટસ ઊંચું લાવવાનો વિચાર જ પ્રાથમિકતા હોવો જોઈએ.

    આ સમાચાર પણ વાંચો  :Germany Christmas Attack: જર્મનીના મેગ્ડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં તેજ રફતાર વાહને લોકોને કચડ્યા; આટલા લોકોના થયા મોત; જુઓ વીડિયો

    ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં જિલ્લાના વડા તરીકે કલેકટર-ડી.ડી.ઓ. અને તેમની ટીમનો મહત્વપૂર્ણ ફાળો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ સૌને એ માટે બિરદાવતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ તૈયાર થયેલો છે તેનાં સુચારુ અમલથી ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાત બને તેવી સંકલ્પના અને કાર્યદક્ષતા જિલ્લાની ટીમના વડાઓએ દાખવવાની છે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવી કલેકટર-ડી.ડી.ઓ. કોન્ફરન્સ જિલ્લાઓમાં કરવાનું પ્રેરક સૂચન કરતા કહ્યું કે, આના પરિણામે જિલ્લાના સમગ્રતયા વિકાસથી રાજ્ય સરકાર અને અન્ય જિલ્લા અધિકારીઓ ભલિ ભાંતિ પરિચિત પણ થશે.

    આ એક દિવસીય પરિષદમાં મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની લોકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં જિલ્લાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

    આ ઉપરાંત નિર્મળ ગુજરાત ૨.૦, નલ સે જલ, પી.એમ.વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સૂર્યઘર મૂફ્ત બીજલી યોજના, પી.એમ.જે.એ.વાય. અને પી.એમ. પોષણ યોજનાની જિલ્લા સ્તરે થયેલી કામગીરી પર પ્રેઝન્ટેશન સહિત સમૂહ ચિંતન થયા હતા.

    આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમારે પરિષદનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, નાગરિકોના હિતમાં સરકારે અમલમાં મૂકેલી કોઇપણ યોજનાની આંકડાકીય સિદ્ધિ કરતા એ યોજનાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તે વધુ મહત્વપૂર્ણ છે. જિલ્લાના વહીવટી વડા તરીકે કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુખાકારી જ હોવો જોઈએ. નાગરિક હિતલક્ષી કોઇપણ કામ ગુણવત્તાયુક્ત થશે, તો જ નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને સરકાર પ્રત્યે તેમનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે.

    આ સમાચાર પણ વાંચો  :આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા શિયાળુ સત્રનો છેલ્લો દિવસ,કરવામાં આવશે ખાતાઓની વહેંચણી; જાણો કોને કયું ખાતું મળશે?

    મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, સરકારની કોઇપણ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ‘ફીડબેક મેકેનીઝમ’ ઉભું કરવું ખૂબ જ જરૂરી છે. જિલ્લા કક્ષાએ કામ કરતા અધિકારીઓ નાગરીકો સાથે સૌથી નજીકથી કામ કરતા હોવાથી ફીડબેક મેકેનીઝમ વધુ મજબૂત બની શકે છે. એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    આ સંયુક્ત પરિષદમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજ જોષી અને એમ. કે. દાસ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્રસચિવો અને મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત સચિવો પણ જોડાયા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Mira Road: મીરા રોડની બે હવેલી પર પાલિકાએ કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં આક્રોશ

    Mira Road: મીરા રોડની બે હવેલી પર પાલિકાએ કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં આક્રોશ

    News Continuous Bureau | Mumbai

    Mira Road: મીરા રોડ પૂર્વમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગોપાળલાલ મંદિર હવેલીમાં આજે પાલિકાએ આજે ડિમોલિશનની કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બંને હવેલીના સંચાલકોએ દાવો કર્યો હતો કે પાલિકાએ તોડકામ કરવા પહેલાં અમને કોઈ પણ પ્રકારની નોટિસ મોકલાવી નહોતી. પાલિકાએ અગાઉ જે બાંધકામ અનધિકૃત હોવાનું જણાવ્યું હતું એ અમે જાતે જ તોડી રહ્યા હતા. અને પાલિકાના અધિકારીઓ આવીને એનું ચેકિંગ પણ કરતા હતા. પરંતુ આજે સવારે કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી આપ્યા વગર પાલિકાના અધિકારીઓ પોલીસના કાફલા સાથે આવી પહોંચ્યા અને તોડકામ શરૂ કર્યું.

    Vaishnavas outraged as municipality takes action on two havelis on Mira Road (2)

    આ અંગે ગોવર્ધનનાથજીની હવેલી સાથે સંકળાયેલા રાજીવભાઈ મોદી અને નિતિન પટેલે જણાવ્યું કે, અમને ઘણા વરસ પહેલાં નોટિસ આવી હતી અને એની સામે અમે સ્ટે પણ લીધો હતો. જોકે સ્ટે હટ્યો કે તુરંત પાલિકાએ કોઈ પણ જાતની આગોતરી જાણકારી આપ્યા વગર આજે કાર્યવાહી શરૂ કરી હતી. ગોવર્ધનનાથજીની હવેલીમાં ગ્રાઉન્ડ ફ્લોરની સાથે પહેલામાળ પરનું પણ બાંધકામ તોડવામાં આવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  : Mira Road: મીરા રોડની બે હવેલી પર પાલિકાએ કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં આક્રોશ

    જ્યારે ગોપાળનાથજીની હવેલીમાં મંદિરના મુખ્ય દ્વાર પર આવેલી સીડી ઉપરાંત હવેલીની પાછળની બાજુમાં આવેલી એક રૂમ અને ટોઇલેટ તોડી પાડ્યું હતું. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ મોરડિયાએ જણાવ્યું કે, આવતી કાલે (21 ડિસેમ્બર) મંદિરના સત્તરમા પાટોત્સવની ઉજવણની તૈયારી ચાલી રહી હતી. બહેનો ઉજવણી માટેની સામગ્રીની તૈયારી કરી રહી હતી ત્યારે પાલિકાના અધિકારીઓ જેસીબી અને પોલીસની ફોજ સાથે આવ્યા. મંદિર પરિસર ખાલી કરવાને આદેશ આપવાની સાથે તોડકામની શરૂઆત કરી. એ સાથે નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, હવેલી બાંધવા માટે જાણીતા બિલ્ડર હર્ષદભાઈએ પ્લૉટ આપ્યો હતો. મંદિર બાંધવા પૂર્વે આજુબાજુની 17 સોસાયટીની એનઓસી પણ લીધી છે.

    Vaishnavas outraged as municipality takes action on two havelis on Mira Road (3)

    ઉપસ્થિત મહિલાઓએ પાલિકાના અધિકારીઓ સામે શાબ્દિક વિરોધ નોંધાવ્યો. પણ તેમને અવગણી પાલિકાએ મંદિરના અમુક હિસ્સાનો તોડવાની શરૂઆત કરી. પાલિકાની કાર્યવાહીનો વિરોધ કરનાર મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસે જણાવવાની સાથે તેમના નામો નોંધવાની સાથે વિડિયો પણ લીધો હતો. કાર્યવાહીનો વિરોધ થઈ રહીયો હતો ત્યારે એક હવાલદારને માથામાં લાકડી લાગી હતી જ્યારે એક મહિલા પડી જતાં સારવાર માટે ટેમ્બા હોસ્પિટલ લઈ જવાઈ હતી. તો વીએચપીના એક કાર્યકરને પોલીસે તાબામાં લીધો હતો.

    બંને મંદિરના કાર્યકર્તાઓનું કહેવું હતું કે, મંદિરને નોટિસ આપવામાં આવી એ સમયે બીજા 72 બાંધકામોને પણ નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં માત્ર બે મંદિર પર જ કાર્યવાહી શું કામ એવો પ્રશ્ન ભક્તો પૂછી રહ્યા હતા. પાલિકાની કાર્યવાહી બાદ રોષે ભરાયેલા વૈષ્ણવોએ જણાવ્યું હતું કે હવેલીની આજુબાજુ ઘણા ગેરકાયદે બાધકામ છે પણ તેઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી થતી નથી. મીરા રોડમાં તો મેન્ગ્રોવ્ઝ કાપીને ત્યાં હોટેલ, ગેરેજ જેવા અનેક ગેરકાયદે બાંધકામો છે. જ્યાં રહેઠાણ હોય ત્યા તબેલા બાંધી ન શકાય જેવા કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી સોસાયટીની વચ્ચે તબેલો બનાવાયો છે. આવા ગંભીર અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી થતી નથી.

    (પી. સી. કાપડિયા તરફથી.)

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat Natural Farming : સુરતના ઉમરપાડામાં યોજાયો પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ, ખેડુતોને ‘આ’ ખેતી અંગે આપવામાં આવ્યું ઉપયોગી માર્ગદર્શન..

    News Continuous Bureau | Mumbai

    Surat Natural Farming :  પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સુરત જિલ્લામાં  આત્મા પ્રોજેકટ દ્વારા પ્રાકતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના  ગામે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રવિ પાકોમાં ધઉ, શાકભાજી, તુવેર, ચણા જવા પાકોમાં જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપણીઅર્ક  જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેતીવાડી વિભાગના અધિકારી, આત્મા પ્રોજેકટના, તથા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને ( Surat Natural Farming ) ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો:   Urea Fertilizer: ખેડૂતો માટે સારા સમાચાર, રશિયા – યુક્રેન યુદ્ધ હોવા છતાં કેન્દ્ર સરકારે આ વસ્તુના વાજબી ભાવે ઉપલબ્ધતા કરી સુનિશ્ચિત.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Teachers Day: શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં પ્રતિભાશાળી શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અપાશે આ પુરસ્કાર

    Teachers Day: શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં પ્રતિભાશાળી શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અપાશે આ પુરસ્કાર

    News Continuous Bureau | Mumbai

    Teachers Day: પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ-5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

    ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત આજે 28 જેટલા શિક્ષકોને ( Gujarat Teachers ) શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ( Acharya Devvrat ) હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) ઉપસ્થિત રહેશે.

    શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવી, સમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના ( Gujarat Government ) શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો:  Agastya and Suhana: કોલ મી બે ના પ્રીમિયર પર કંઈક આ રીતે કથિત ગર્લફ્રેન્ડ સુહાના ખાન ને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અગત્સ્ય નંદા, વિડીયો થયો વાયરલ

    સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલશ્રીના હસ્તે રૂ. 51 હજારનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • PM Modi:પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે

    PM Modi:પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે

     News Continuous Bureau | Mumbai 
    PM Modi:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં નેશનલ કોન્ફરન્સ ઑફ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરીનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ થવાની યાદમાં સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ કરશે.

    ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સંમેલનમાં પાંચ કાર્યકારી સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા ન્યાયતંત્ર સાથે સંબંધિત મુદ્દાઓ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન, તમામ માટે સમાવેશી કોર્ટરૂમ, ન્યાયિક સુરક્ષા અને ન્યાયિક સુખાકારી, કેસ મેનેજમેન્ટ અને ન્યાયિક તાલીમ જેવા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ અને ચર્ચા કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો:Prime Minister:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું

    ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, કાયદા અને ન્યાય માટેના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Ayurvedic:રૂમેટોઈડ આર્થરાઈટિસના સંચાલનમાં આયુર્વેદિક સંપૂર્ણ પ્રણાલી અસરકારકઃ અભ્યાસ

    Ayurvedic:રૂમેટોઈડ આર્થરાઈટિસના સંચાલનમાં આયુર્વેદિક સંપૂર્ણ પ્રણાલી અસરકારકઃ અભ્યાસ

     News Continuous Bureau | Mumbai 

    Ayurvedic:એક નવા વૈજ્ઞાનિક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરતી ક્રોનિક ઓટોઇમ્યુન ડિસઓર્ડર રૂમેટોઇડ આર્થરાઇટિસ (આરએ) ના સંચાલનમાં આયુર્વેદિક સંપૂર્ણ સિસ્ટમ (એડબલ્યુએસ) ની નોંધપાત્ર અસરકારકતા જોવા મળી છે. આ અગ્રણી સંશોધન દર્શાવે છે કે એડબલ્યુએસ (AWS) માત્ર આરએના લક્ષણોને જ દૂર કરતું નથી, પરંતુ દર્દીઓમાં સામાન્યીકરણ તરફ ચયાપચયના બદલાવને પણ પ્રેરિત કરે છે, જે પરંપરાગત સારવાર માટે આશાસ્પદ પૂરક અભિગમ પૂરો પાડે છે.

    આ અભ્યાસ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓના વરિષ્ઠ સંશોધકોના જૂથ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સંધિવાની સારવાર અને એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટર (એ-એટીએઆરસી), કાયા ચિકિત્સા વિભાગ, સ્ટેટ આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ, લખનૌ યુનિવર્સિટી, સેન્ટર ઓફ બાયોમેડિકલ રિસર્ચ (સી.બી.એમ.આર.), એસ.જી.પી.જી.આઈ.એમ.એસ. કેમ્પસ, લખનૌ; એકેડમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રિસર્ચ (એસીએસઆઇઆર), ગાઝિયાબાદનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો:Raid:રમકડાના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોના દરોડા

    “સમગ્ર સિસ્ટમ આયુર્વેદ અભિગમ સાથે આરએની સારવાર કરવામાં આવે તેવા કિસ્સામાં સંભવિત પેથોલોજી રિવર્સલના પરિપ્રેક્ષ્યમાં આ અભ્યાસ નોંધપાત્ર છે. આ ‘સાંપ્રપ્તી વિઘાટન’ ની આયુર્વેદિક વિભાવનાઓને સમર્થન આપે છે, જ્યાં પેથોજેનેસિસ – રોગ સંકુલને નાબૂદ કરવામાં આવે છે અને ‘દોષો’ ને ફરીથી સામાન્યતામાં લાવવામાં આવે છે. “, પ્રથમ લેખક ડો. સંજીવ રસ્તોગીએ જણાવ્યું હતું.

    જર્નલ ઓફ આયુર્વેદ એન્ડ ઇન્ટિગ્રેટેડ મેડિસિન (જેઆઇએમ)ના પબમેડ-ઇન્ડેક્સ્ડ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં એડબલ્યુએસ (AWS) હસ્તક્ષેપ માંથી પસાર થયેલા આરએના દર્દીઓમાં ચાવીરૂપ ક્લિનિકલ માપદંડોમાં નોંધપાત્ર સુધારો દર્શાવવામાં આવ્યો છે. ડિસીઝ એક્ટિવિટી સ્કોર-28 એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ (ડીએએસ-28 ઇએસઆર)માં નોંધપાત્ર ઘટાડો થયો હતો, તેમજ સોજો અને કોમળ સાંધાની કુલ સંખ્યામાં ઘટાડો થયો હતો. વધુમાં, અમા એક્ટિવિટી મેઝર (એએએમ) સ્કોર, જે શરીરમાં ઝેરની હાજરીનું મૂલ્યાંકન કરે છે, તેમાં પણ હસ્તક્ષેપ પછી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

    આ સંશોધનમાં આરએના દર્દીઓની મેટાબોલિક પ્રોફાઇલની વધુ તપાસ કરવામાં આવી હતી અને તેમની તુલના તંદુરસ્ત નિયંત્રણો સાથે કરવામાં આવી હતી. અભ્યાસની શરૂઆતમાં, આરએ (RA) ના દર્દીઓએ ચોક્કસ ચયાપચયના ઊંચા સ્તરનું પ્રદર્શન કર્યું હતું, જેમાં સક્સિનેટ, લાઇસિન, મેનોઝ, ક્રિએટિન અને 3-હાઇડ્રોક્સિબ્યુટિરેટ (3-એચબી)નો સમાવેશ થાય છે, સાથે સાથે એલનાઇનના સ્તરમાં ઘટાડો થયો હતો. જો કે, એડબલ્યુએસ (AWS) સારવાર બાદ, આ મેટાબોલિક માર્કર્સ તંદુરસ્ત વ્યક્તિઓમાં જોવા મળતા સ્તર તરફ વળવાનું શરૂ થયું હતું, જે વધુ સંતુલિત ચયાપચયની સ્થિતિ તરફ પાછા ફરવાનો સંકેત આપે છે.

    આ સમાચાર પણ વાંચો:Natural Farming:પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવાના પગલાંઓ

    સંશોધકોના જણાવ્યા અનુસાર, આ અભ્યાસ આરએના સંચાલનમાં એડબલ્યુએસની ક્લિનિકલ અસરકારકતા સ્પષ્ટપણે દર્શાવવા માટેનો આ પ્રકારનો પ્રથમ અભ્યાસ છે. આ હસ્તક્ષેપથી માત્ર ચિહ્નોમાં જ ઘટાડો થયો ન હતો, પરંતુ હોમિયોસ્ટેસિસ માટે અનુકૂળ મેટાબોલિક વાતાવરણને પણ પ્રોત્સાહન મળ્યું હતું, જે આરએના દર્દીઓ માટે લાંબા ગાળાના લાભો તરફ દોરી જવાની સંભાવના ધરાવે છે.

    આ તારણો આશાસ્પદ હોવા છતાં, અભ્યાસના લેખકો આ પ્રાથમિક પરિણામોની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂરિયાત અને એડબલ્યુએસ (AWS) તેની રોગનિવારક અસરો કરે છે તે પદ્ધતિઓને વધુ સારી રીતે સમજવા પર ભાર મૂકે છે.

    આ પ્રગતિ રૂમેટોઇડ આર્થરાઇટિસ જેવી લાંબી પરિસ્થિતિઓમાં દર્દીના પરિણામોને સુધારવા માટે આધુનિક તબીબી અભિગમો સાથે પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિઓને એકીકૃત કરવાની સંભાવનાને રેખાંકિત કરે છે.

    અભ્યાસ લિન્ક : https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC11264181/

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.