• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - nirav modi - Page 2
Tag:

nirav modi

આંતરરાષ્ટ્રીય

પોતાની જાતને બચાવવા નીરવ મોદી અજમાવશે આ છેલ્લો પેંતરો

by Dr. Mayur Parikh April 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

શનિવાર

નીરવ મોદી ના પ્રત્યાર્પણ માટે તમામ કાર્યવાહી પતી ગઈ છે. ભારતીય ઓથોરિટીએ આ સંદર્ભે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. ત્યારે હવે નીરવ મોદી પાસે માત્ર છેલ્લું અસ્ત્ર બચ્યું છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ નીરવ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લન્ડન ની હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. આ અરજી નીરવ મોદી ના બચવા માટે નો છેલ્લો અને અંતિમ માર્ગ રહેશે. ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નીરવ મોદી ની તમામ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. આ પરિસ્થિતિમાં હાઇકોર્ટમાં તેની અરજી બહુ લાંબી ટકે તેમ નથી. તેમ છતાંય મોદી પોતાના બચાવ માટે આ છેલ્લું પગલું ભરશે.

મુંબઈ શહેરમાં ત્રણ દિવસમાં રેમડેસિવિર ની કમી ઓછી થશે. શહેરને ઓછામાં ઓછા દૈનિક આટલા બધાં ઇંજેક્શન મળશે

April 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

નિરવ મોદી ભારત આવશે. બ્રિટન થી આવ્યા આ મોટા સમાચાર. જાણો વિગત

by Dr. Mayur Parikh April 16, 2021
written by Dr. Mayur Parikh
  • ભાગેડું નીરવ મોદીને જલ્દી ભારત લાવવામાં આવશે. ઈંગ્લેન્ડના હોમ ડિપાર્ટમેન્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી દિધી છે. 
  • નીરવ મોદી કૌભાંડનો કેસ સામે આવ્યા બાદ જાન્યુઆરી 2018માં ભારત છોડી ભાગી ગયો હતો. હાલના સમયે નીરવ મોદી લંડનની એક જેલમાં બંધ છે.
  • હવે ત્યાના ગૃહ વિભાગે નીરવ મોદીને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે હસ્તાક્ષર કરી દિધા છે.

April 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

નીરવ મોદી બાદ હવે મેહુલ ચોકસી પણ ખરેખર ફસાયો. એન્ટિગુઆ એ લીધું આ આકરુ પગલું.

by Dr. Mayur Parikh March 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

01 માર્ચ 2021

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ છેલ્લા લાંબા સમયથી ભારતમાં થી ભાગી ગયેલા મેહુલ ચોકસી ને ફરી એકવાર ભારત લાવવા પ્રયત્ન કરી રહી છે. આ માટે ભારતે એન્ટિગુઆ ને અરજી કરી હતી કે તેઓ મેહુલ ચોકસી નું નાગરિકત્વ રદ કરે. હવે આ સંદર્ભે એક મોટા સમાચાર એન્ટિગુઆ તેમજ બાર્બુડા તરફથી પ્રાપ્ત થયા છે. મળતા સમાચાર મુજબ મેહુલ ચોકસી ની નાગરિકતા રદ કરવા સંદર્ભે ત્યાંની સરકારે કામ શરૂ કરી દીધું છે. મેહુલ ચોકસી પર આરોપ છે કે તેણે નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક નું ફુલેકુ કરી દેશ છોડીને નાસી છૂટ્યા.

હવે નીરવ મોદી ની વિરુદ્ધમાં પણ ગાળિયો મજબૂત થયો છે ત્યારે બીજી તરફ મેહુલ ચોકસી પણ ફસાય એટલું નક્કી છે.

March 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

નીરવ મોદી ના પ્રત્યાર્પણ પર એક ગુજરાતી મહિલા કરશે ફેંસલો….

by Dr. Mayur Parikh February 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

27 ફેબ્રુઆરી 2021

ભારતીય બેન્કિંગ વ્યવસ્થા સાથે ચેડા કરીને વિદેશ નાસી છૂટેલા નીરવ મોદી નું ભારત પ્રત્યાર્પણ ક્યારે થશે તે સંબંધી નિર્ણય એક ગુજરાતી મહિલાના હાથમાં છે. 

બ્રિટનના ગૃહ મંત્રી નું નામ પ્રીતિ પટેલ છે. અને તેઓ નીરવ મોદી ના પ્રત્યાર્પણ સંદર્ભે ના દસ્તાવેજો પર સહી કરશે. પ્રીતિ પટેલ ના માતા અને પિતા સુશીલ અને અંજના પટેલ ગુજરાતના મૂળ નિવાસી છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ લંડન માં રહે છે.

આને એક સંયોગ જ ગણવો જોઈએ કે એક ગુજરાતી વ્યક્તિ ના પ્રત્યાર્પણ નો ફેંસલો વિદેશમાં પણ એક ગુજરાતી વ્યક્તિ જ કરી રહી છે.

February 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

મોટા સમાચાર : નીરવ મોદી નું ભારતમાં પ્રત્યાર્પણ થશે.

by Dr. Mayur Parikh February 25, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

25 ફેબ્રુઆરી 2021

બ્રિટનની અદાલતે નીરવ મોદી સંદર્ભે પોતાનો ફેંસલો સુણાવી દીધો છે. પંજાબ નેશનલ બેંકમાં બે અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી ફરાર છે અને હાલ તેની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી છે. પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે નીરવ મોદી ના પ્રત્યાર્પણ કાયદા સંદર્ભેની section 137 ની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં નીરવ મોદી નું પ્રત્યાર્પણ થઈ શકે છે.

પોતાના બચાવમાં નીરવ મોદી એ સરકારી દબાણ, મિડિયા ટ્રાયલ અને અદાલતની કમજોર પરિસ્થિતિ નું બહાનું આગળ ધર્યું હતું. જોકે આ તમામ બહાનાઓને કોર્ટે ગ્રાહ્ય ધર્યા નહતા. 

ઉલ્લેખનીય છે કે આજથી અગાઉ નિરવ મોદી ની બેલ ની અરજીને તમામ કોર્ટોએ રદ કરી છે.એક શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે નીરવ મોદી નીચલી અદાલતના આ ચુકાદાની વિરૂધ્ધમાં ઉચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે.

February 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

 નિરવ મોદીનો ખેલ આ તારીખે ખલ્લાસ થશે. ભારત પ્રત્યાર્પણ અંગે આ તારીખે ફેંસલો. જાણો વિગત

by Dr. Mayur Parikh January 9, 2021
written by Dr. Mayur Parikh
  • પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ હીરાનો વેપારી નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ થશે કે નહીં તે અંગેનો ચુકાદો 25 ફેબુ્રઆરીના રોજ આપવામાં આવશે.
  • લંડનમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગોઝે આજે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
  • નિરવ મોદી કસ્ટડીમાં જ છે અને તેને દર 28 દિવસે કોર્ટમાં હાજર કરવામાં આવે છે.

January 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

નિરવ મોદી ઘરમાં જ ફસાયો.. તેની બહેન બની તાજની સાક્ષી.. નિરવની મુશ્કેલી વધશે.. જાણઓ વિગત…

by Dr. Mayur Parikh January 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

06 જાન્યુઆરી 2021 

ઘરકા ભેદી લંકા ઢાયે.. જેવો જ હાલ હીરા વેપારી નીરવ મોદીનો થવા જઈ રહ્યો છે. તેની નાની બહેન પૂર્વી મહેતા હીરાના વેપારી નીરવ મોદી વિરુદ્ધ જુબાની આપી સરકારી ગવાહ બનવા તૈયાર થઈ છે. 

જે પંજાબ નેશનલ બેંક અને અન્ય બેંકો સાથે રૂ.11,300 કરોડની ઠગાઈ બાદ ઇંગ્લેન્ડ ભાગી ગયો હતો. અગાઉ તેના પતિ મયંક મહેતાએ માફીના સાક્ષી બનવા માટે વિશેષ અદાલતમાં અરજી કરી હતી. કોર્ટે તેમની અરજી માન્ય પણ રાખી છે. તો હવે આ બંને બહેન-બનેવી નીરવ મોદી વિરુદ્ધ જુબાની આપવા જઈ રહ્યા છે. 

મયંક અગાઉ બેલ્જિયન નાગરિક હતો અને હવે બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. ‘નીરવ મોદીએ કરેલા કૌભાંડથી આપણી ખાનગી અને વ્યવસાયિક જિંદગી બરબાદ થઈ ગઈ છે. અમે આ કેસમાં માફી માંગવા માગીએ છીએ. નીરવ મોદી અને અન્ય આરોપીઓ સામે અમારી પાસે કેટલાક નક્કર પુરાવા છે.' અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમે પુરાવા ઇડીને આપીશું. 

 

2018 ની શરૂઆતમાં પૂર્વી મહેતાને ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ આપવામાં આવી હતી. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ માટે જારી કરવામાં આવે છે. ઈડી દ્વારા તેમના પતિ મયંક મહેતાને પણ નોટિસ પાઠવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે આ કૌભાંડમાંથી નાણાં ફેરવવામાં તેનો હાથ હતો. 

ઉલ્લેખનીય છે કે, પીએનબી કૌભાંડમાંથી નાણાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ), બ્રિટીશ વર્જિન આઇલેન્ડ અને સિંગાપોરમાં બોગસ કંપનીઓમાં રોકવામાં આવ્યાં છે. ભૂતકાળમાં મોદી તે બોગસ કંપનીઓના માલિક અને ડિરેક્ટર હતો. મોદીએ પીએનબી કૌભાંડમાં નાણાંનું રોકાણ મોન્ટેક્રેસ્ટો ટ્રસ્ટ, ઇથાકા ટ્રસ્ટ, ન્યુઝીલેન્ડ ટ્રસ્ટ નામના કેટલાક ટ્રસ્ટમાં કર્યું છે. તેના બાર્બાડોસ, મોરેશિયસ, સ્વિટ્ઝર્લેન્ડ, સિંગાપોર, બ્રિટન અને હોંગકોંગની બેંકોમાં ઘણા ખાતા છે.

January 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

નીરવ મોદીને લાગ્યો મોટો ઝટકો.. બ્રિટિશ કોર્ટે ભારતના પુરાવા સ્વીકાર્યા.. પ્રત્યારપણની  સંભાવનાઓ વધી ગઈ.. 

by Dr. Mayur Parikh November 4, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

ભારતથી ફરાર થઈ ઈંગ્લેન્ડમાં શરણ લેનાર હીરાના વેપારી નીરવ મોદીને વધુ એક આંચકો લાગ્યો છે.ભારતે નીરવ વિરુદ્ધ પુરાવા આપ્યાં જેને બ્રિટિશ કોર્ટે સ્વીકારીને ભારતના  પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ સાથે નીરવની ભારત પ્રત્યાર્પણની શક્યતાઓ વધી ગઈ છે. મંગળવારની સુનાવણી વેળા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટએ આ પુરાવા સ્વીકાર્યા હતાં. જે બાદ નીરવ મોદીને 1 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર લેવાયા છે. બંને પક્ષો 7 અને 8 જાન્યુઆરીએ અંતિમ ચર્ચા કરશે અને થોડા અઠવાડિયા પછી 2021 માં આગળનો નિર્ણય લેવાવાની સંભાવના છે.

નીરવ મોદીના વકીલ, ક્લેર મોન્ટગોમરી ક્યુસીએ આ કેસની સુનાવણી દરમિયાન ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી રવિ શંકરન સાથે તુલના કરીને ભારતની દલીલોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિ શંકરન હવે એક હથિયારનો વેપારી છે જે યુકેમાં છે અને તેનું પ્રત્યાર્પણ હજી બાકી છે. અન્ય એક કેસમાં પણ વકીલનો સખત વિરોધ હોવા છતાં, જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ માર્ક ગુજીએ વિજય માલ્યાના કેસમાં પણ ભારતના પુરાવા માન્ય રાખ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે કલમ 161 હેઠળ ભારતની અદાલતમાં આપેલ નિવેદન યુકેની કોર્ટમાં માન્ય છે.

નોંધનીય છે કે નીરવ મોદી ભારતમાં આશરે 13,500 કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ધોખાધડી કરીને વિદેશ ભાગી ગયો હતો. 49 વર્ષીય નીરવે દક્ષિણ-પશ્ચિમ લંડનની વુન્ડસવર્થ જેલમાંથી વિડીયોલિંક મારફત કોર્ટ ની કાર્યવાહી જોઈ હતી, જ્યાં તે માર્ચ 2019 થી બંધ છે.

November 4, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને મોટો ઝટકો, યુકેની અદાલતે સાતમી વખત જામીન અરજી નામંજૂર કરી… જાણો વિગતે

by Dr. Mayur Parikh October 27, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

27 ઓક્ટોબર 2020

યુકેની એક અદાલતે સાતમી વખત ભાગેડુ ભારતીય હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી છે. નીરવ મોદી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડથી વધુની છેતરપિડી અને મની લોન્ડરિંગનો આરોપ છે, સાથે તેને ભાગેડુ જાહેર કરાયો છે. તેણે તેના પ્રત્યાર્પણના ઓર્ડર સામે બ્રિટનની કોર્ટમાં પડકાર અરજી કરી હતી. 

નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં યુકેની કોર્ટે પ્રત્યાર્પણ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી લંબાવી હતી. ગયા મહિને મોદીની કાનૂની સલાહકારે યુકેની એક કોર્ટને કહ્યું હતું કે, નીરવ મોદીના કેસના રાજકીયકરણના કારણે ભારતમાં આ કેસ નિષ્પક્ષ સુનાવણી થવાની સંભાવના નથી અને ભારતીય જેલોમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવના છે અને તેઓ આત્મહત્યાના જોખમનો સામનો કરી શકે છે. 

આપને જણાવી દઈએ કે, લંડન પોલીસે 19 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તે લંડનની જેલમાં બંધ છે. આ કેસ ભારતની બે તપાસ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ છે કે ભારતીય બેંકની બનાવટી સંમતિ બતાવીને મોદીએ બેંકો પાસેથી લોન લીધી હતી અને પૈસાની હેરાફેરી કરી હતી.

October 27, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સંસદમાં મોદી સરકાર બોલી – માલ્યા અને નીરવ સહિત 38 લોકો 5 વર્ષમાં દેશ છોડી ભાગી ગયા છે…

by Dr. Mayur Parikh September 15, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 સપ્ટેમ્બર 2020

કોરોના સમયગાળામાં સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે નાણાં મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત 38 લોકો 1 જાન્યુઆરી 2015 થી લઈ 31 જાન્યુઆરી 2019 સુધીમાં દેશ છોડી ગયા છે. તમામ સામે નાણાકીય ગેરરીતિના કેસ નોંધાયા છે, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 

આ અવસરે નાણાં મંત્રાલયે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. હકીકતમાં, માલ્યાએ 2017 ના નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પરિવારના ખાતામાં બેંક લોન દ્વારા 40 મિલિયન ટ્રાન્સફર કરવાના મામલાને અવમાનજનક ગણાવી હતી.

લોકસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના પહેલા દિવસે સવારે 9:00 થી બપોરે 1:00 સુધી ચાલી હતી, હવે લોકસભા ગૃહ 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી બેસશે. તેવી જ રીતે રાજ્યસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી યોજાવાની છે, પરંતુ 15 સપ્ટેમ્બરથી સવારે 9:00 થી બપોરે 1:00 સુધી રહેશે. લોકસભા અને રાજ્યસભાનો સમય કોરોનાને ધ્યાનમાં રાખીને અલગ રાખવામાં આવ્યો છે..

September 15, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક