Tag: nomination

  • Priyanka Gandhi Assets: પ્રિયંકા ગાંધી પાસે કેટલી મિલકત છે? જાણો વાયનાડ સીટ પર દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં શું માહિતી આપવામાં આવી

    Priyanka Gandhi Assets: પ્રિયંકા ગાંધી પાસે કેટલી મિલકત છે? જાણો વાયનાડ સીટ પર દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં શું માહિતી આપવામાં આવી

    News Continuous Bureau | Mumbai

    Priyanka Gandhi Assets: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે ​​વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે તેમની માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા. અગાઉ તેમણે સ્થાનિક આગેવાનોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે તેમના ભાઈ રાહુલ ગાંધી સાથે રોડ-શો કર્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી વાયનાડ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસનો સામનો કરવા જઈ રહી છે.

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વાયનાડ લોકસભા બેઠક પરથી પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવીને પોતાની ચૂંટણીની ઇનિંગની શરૂઆત કરી હતી અને આ અવસર પર પોતાને સ્થાનિક લોકોના પરિવારનો એક ભાગ ગણાવતા કહ્યું હતું કે તેઓ તેમના સ્નેહને જાળવીને આગળ વધશે આ વિસ્તારની પ્રગતિ માટે કોઈ કસર છોડશે નહીં. નોમિનેશન દરમિયાન તેમણે પોતાની સંપત્તિ પણ જાહેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે તેમની પાસે 8 લાખ રૂપિયાની કાર અને 1.15 કરોડ રૂપિયાનું સોનું છે.

    આ સમાચાર પણ વાંચો  : Maharashtra elections 2024: ઉદ્ધવ જૂથની શિવસેનાએ જાહેર કરી 65 ઉમેદવારોની પ્રથમ યાદી, આદિત્ય ઠાકરે આ સીટ પરથી લડશે ચૂંટણી; જાણો કોને ક્યાંથી મળી ટિકિટ..

     Priyanka Gandhi Assets: પ્રિયંકા ગાંધી પાસે કેટલી મિલકત છે?

    પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં 4 કરોડ 24 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. તેમની પાસે 52 હજાર રૂપિયા રોકડા, 2 કરોડ 24 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ, બેંક ખાતામાં લગભગ 3 લાખ 60 હજાર રૂપિયા, પીપીએફ ખાતામાં 17 લાખ 38 હજાર રૂપિયા, 8 લાખ રૂપિયાની હોન્ડા સીઆરવી કાર છે. પતિએ ભેટ આપી છે. આ સિવાય તેમની પાસે 1 કરોડ 15 લાખ રૂપિયાનું સોનું અને 29 લાખ રૂપિયાની ચાંદી પણ છે.

  • Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીએ રાય બરેલી થી નોમિનેશન ભર્યું. . ભાજપ કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાડ્યા.

    Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીએ રાય બરેલી થી નોમિનેશન ભર્યું. . ભાજપ કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાડ્યા.

    News Continuous Bureau | Mumbai

    Rahul Gandhi : Nomination રાહુલ ગાંધીએ રાય બરેલી ( rae bareli ) થી પોતાનું નોમિનેશન ભરી દીધું છે.  આ સમયે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી,  સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત હતા. જોકે નોમિનેશન ભરતા સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.  

    Rahul Gandhi : Nomination  રાહુલ ગાંધી જ્યારે નોમિનેશન ફરવા ગયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામા દેખાયા. 

    વાત એમ છે કે રાહુલ ગાંધી રાયબરેલીમાં નોમિનેશન ફરવા ગયા બિલકુલ તે સમયે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ પણ ફોર્મ ભરીને બહાર આવી રહ્યા હતા. આથી ભારતીય જનતા પાર્ટી ( BJP ) અને કોંગ્રેસ ( Congress ) પાર્ટીના કાર્યકરો સામે આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જય શ્રી રામના ( Jai Shree ram ) નારા લગાવ્યા.  આ ઉપરાંત રાહુલ ગાંધી હાય હાયના પણ નારા લગાવ્યા.  જવાબમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ નારાબાજી કરી હતી. 

    આ સમાચાર પણ વાંચો :  Ujjwal Nikam : ઉજ્જવલ નિકમ મેં પબ્લિક પ્રોસિક્યુટર પદેથી રાજીનામું આપ્યું.. હવે હાઈ પ્રોફાઈલ એવા 29 કેસનું શું થશે.

    Rahul Gandhi : Nomination  રાહુલ ગાંધીની જીતવાની શક્યતા કેટલી છે. 

     ઉલ્લેખનીય છે કે રાય બરેલી તે ઉત્તર પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું એકમાત્ર સલામત ઠેકાણું છે.  ગત ચૂંટણીમાં સોનિયા ગાંધીએ ( Sonia Gandhi )  અહીંથી વિજય મેળવ્યો હતો પરંતુ આ ચૂંટણીમાં રાહુલ ગાંધી લડી રહ્યા છે.  બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ જોરદાર તૈયારી કરી લીધી છે.  આ જંગ  રસપ્રદ થશે. 

  • Padma Awards 2025: પદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ

    Padma Awards 2025: પદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ

    News Continuous Bureau | Mumbai 

    Padma Awards 2025: પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે આજથી ઓનલાઇન નામાંકન / ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટેના નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે.. 

    પદ્મ વિભૂષણ ( Padma Vibhushan ) , પદ્મભૂષણ ( Padma Bhushan ) અને પદ્મશ્રી ( Padma shri ) નામના પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954માં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવે છે. આ પુરસ્કાર ‘વર્ક ઓફ ડિસ્ટિંક્શન’ને માન્યતા આપવાનો આશય ધરાવે છે અને કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા તમામ ક્ષેત્રો/શાખાઓમાં વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવા માટે આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા જાતિના તફાવત વિનાની તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય પીએસયુમાં કામ કરતા લોકો સહિત સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કારો માટે લાયક નથી.

    સરકાર પદ્મ પુરસ્કારોને “પીપલ્સ પદ્મ”માં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત ( nomination ) નામાંકન/ભલામણો કરવા વિનંતી છે. મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓ અને જેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે, તેમનામાંથી જેમની ઉત્કૃષ્ટતા અને સિદ્ધિઓ ખરેખર લાયક છે, તેમને ઓળખવા માટે નક્કર પ્રયાસો કરી શકાય તેમ છે.

    આ સમાચાર પણ વાંચો :  AC Gas Leakage: શું તમારા ACનું બીલ અચાનક વધી ગયું છે? જુઓ ક્યાંક ગેસ લીકેજનો તો સંકેત નથી ને.. મોટું નુકસાન થતાં પહેલા ઓળખી લો..

    નોમિનેશન્સ/ભલામણોમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઉલ્લેખિત તમામ પ્રસ્તુત વિગતો સામેલ હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપે પ્રશસ્તિપત્ર (મહત્તમ 800 શબ્દો) સામેલ હોવા જોઈએ, જે સ્પષ્ટપણે તેના સંબંધિત ક્ષેત્ર/શિસ્તમાં ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવાને ઉજાગર કરે છે.

    આ અંગેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (https://mha.gov.in) પર ‘એવોર્ડ્સ એન્ડ મેડલ્સ’ શીર્ષક હેઠળ અને પદ્મ પુરસ્કાર પોર્ટલ પર (https://padmaawards.gov.in ) પણ ઉપલબ્ધ છે. આ પુરસ્કારોને લગતા કાયદા અને નિયમો લિંક સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ છે https://padmaawards.gov.in/AboutAwards.aspx .

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Lok sabha Elections 2024 : ઉત્તર મુંબઈ મતવિસ્તારમાંથી પીયૂષ ગોયલએ નોંધાવી ઉમેદવારી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત દિગ્ગજ નેતા રહ્યા ઉપસ્થિત..

    Lok sabha Elections 2024 : ઉત્તર મુંબઈ મતવિસ્તારમાંથી પીયૂષ ગોયલએ નોંધાવી ઉમેદવારી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત દિગ્ગજ નેતા રહ્યા ઉપસ્થિત..

    News Continuous Bureau | Mumbai 

    Lok sabha Elections 2024 : ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તાર ( Mumbai North LS seat ) ના ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પીયૂષ ગોયલે આજે બોરીવલી (પૂર્વ)માં પ્રસિદ્ધ શ્રી પુષ્ટિપતિ ગણેશના દર્શન કર્યા બાદ બાંદ્રા કલેક્ટર ઑફિસમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. આ પ્રસંગે તેમની સાથે દિગ્ગજ નેતાઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, સાં.ગોપાલ શેટ્ટી અને મુંબઈ ભાજપ અધ્યક્ષ એડ. આશિષ શેલાર પણ હાજર હતા.

    Lok sabha Elections 2024વિવિધ પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર

      છેલ્લા એક મહિનાથી પોતાના મતવિસ્તારમાં ધમધમતો પ્રચાર કરી રહેલા પીયૂષ ગોયલ તેમની પત્ની સીમા સાથે નેન્સી કોલોનીમાં આવેલા શ્રી પુષ્ટિપતિ ગણેશ મંદિરની મુલાકાત લીધી હતી, અને શ્રી ગણેશ મૂર્તિનું પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે ગોયલ દંપતીએ પદયાત્રામાં હજારો કાર્યકર્તા સાથે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સુધી ચાલીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.  તેમની સાથે ભાજપ અને મહાયુતિ, શિવસેના (બાળાસાહેબ ઠાકરે જૂથ), અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ, MNS અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા જેવા વિવિધ પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર હતા.

    આ સમાચાર પણ વાંચો : Piyush Goyal Fake News : ફેક ન્યૂઝનો શિકાર બન્યા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મીડિયામાં વહેતા થયા આવા સમાચાર; બદનામ કરવાનો પ્રયાસ!

    Lok sabha Elections 2024બાંદ્રા કલેક્ટર કચેરી સ્થિત ચૂંટણી કાર્યાલય નોંધાવી ઉમેદવારી

      ત્યાંથી પીયૂષ ગોયલ હજારો કાર્યકરો સાથે “અબકી બાર ચારસો પાર” અને “ફીર એક બાર મોદી સરકાર” ની ગગન ભેદી ઘોષણા કરી હતી. ત્યારબાદ બાદ બાંદ્રા કલેક્ટર કચેરી સ્થિત ચૂંટણી કાર્યાલય માટે રવાના થયા હતા. ઉમેદવારી પત્રો ભરતી ( Piyush Goyal files  nomination )  વખતે, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા ( Lok Sabha Speaker Shri Om Birla ) , મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, સાં.ગોપાલ શેટ્ટી, ઉત્તર મુંબઈના ભાજપના ચૂંટણી અધિકારી ધારાસભ્ય યોગેશ સાગર, ભાજપના જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર અને ઘણા પ્રતિષ્ઠિત ધારાસભ્યો હાજર હતા.

    મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મહાયુતિ દ્વારા કરવામાં આવેલા કામ અને કેન્દ્રમાં ભાજપ સરકારે છેલ્લા દસ વર્ષમાં કરેલા કામને મતદારો સ્વીકારશે.

    જનતાનો પ્રેમ અને આશીર્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. દેશમાં ચાલી રહેલી વિકાસ યાત્રા ચાલુ રહેશે તેમ કહેતા પીયૂષ ગોયલે કહ્યું કે અમે ઉત્તર મુંબઈને શ્રેષ્ઠ મુંબઈ બનાવીશું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, શિક્ષણ, આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં વિકાસના કામો કરીશું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Loksabha election 2024 : અમેઠી-રાયબરેલીનું સસ્પેન્સ ખતમ? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નોંધાવી શકે છે ઉમેદવારી; ચર્ચાનું બજાર ગરમ..

    Loksabha election 2024 : અમેઠી-રાયબરેલીનું સસ્પેન્સ ખતમ? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નોંધાવી શકે છે ઉમેદવારી; ચર્ચાનું બજાર ગરમ..

    News Continuous Bureau | Mumbai

    Loksabha election 2024 : દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે એટલે કે શુક્રવારે મતદાન થવાનું છે. આ તબક્કા હેઠળ કેરળના વાયનાડમાં પણ મતદાન થવાનું છે. આ બેઠક પરથી રાહુલ ગાંધી ( Congress Rahul Gandhi ) ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. અહીં તેમનો મુકાબલો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)ના નેતા એની રાજા સાથે થશે.

    Loksabha election 2024 રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નોંધાવી શકે છે ઉમેદવારી 

    જોકે હાલ તમામની નજર ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર છે. વાસ્તવમાં આ બંને સીટો માટે નોમિનેશન 26 એપ્રિલથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આ બંને બેઠકો પરથી ચૂંટણી લડી શકે તેવી પૂરી સંભાવના છે. જોકે, આ બંને બેઠકો અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. તેમ જ કોંગ્રેસના નેતાઓએ પણ આ બે બેઠકો પર રાહુલ અને પ્રિયંકાની સંભવિત ઉમેદવારી અંગે કંઈ કહ્યું નથી.

    દરમિયાન એવા પણ અહેવાલ છે કે અમેઠી અને રાયબરેલી ( Congress MP Loksabha seat )  જતા પહેલા રાહુલ અને પ્રિયંકા અયોધ્યા જઈ શકે છે, જ્યાં તેઓ રામ લલ્લાના દર્શન કરશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો છે કે જો રાહુલ અને પ્રિયંકા આ બેઠકો પરથી ચૂંટણી લડવાનું નક્કી કરે છે, તો આ બેઠકો પર 1 અને 3 મેના રોજ નામાંકન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અહીં નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે.

    Loksabha election 2024 રાહુલની ટીમનો કેમ્પ અમેઠીમાં શરૂ

    અમેઠીથી ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીની ટીમે અમેઠી ( Amethi Rahul Gannhi ) માં કેમ્પ કરવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધીના નામાંકન માટે યુપી કોંગ્રેસની ટીમને 1લી મેની સંભવિત તારીખ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 1 મેના રોજ અમેઠીમાં શક્તિ પ્રદર્શન કરશે. મળતી માહિતી મુજબ 26મી એપ્રિલની ચૂંટણી બાદ રાહુલ ગાંધી 27મી એપ્રિલે અમેઠી પહોંચે તેવી શક્યતા છે. તેઓ 1લી મેના રોજ ઉમેદવારી નોંધાવી શકે છે.

    રાજકારણમાં વારસો સાચવવો એ મોટો પડકાર છે. જો કિલ્લો અન્ય પક્ષ દ્વારા કબજે કરવામાં આવે તો તેને પાછો મેળવવો વધુ મુશ્કેલ છે. યુપીની અમેઠી અને રાયબરેલી સીટોને લઈને કોંગ્રેસ માટે આવો જ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને બેઠકો નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો છે. રાહુલ ગાંધી બે વખત અમેઠીથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે રાયબરેલીમાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સતત જીતનો પરચમ લહેરાવી રહ્યાં છે.

    Loksabha election 2024 આજે પરિવારના રિપોર્ટ પર અંતિમ ચર્ચા

    જોકે આ બેઠકો પર કોંગ્રેસે હજુ સુધી પોતાના પત્તાં કેમ ખોલ્યા નથી તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે પોતાનું ગુમાવેલું સામ્રાજ્ય પાછું મેળવવા માટે ખાસ પ્લાન બનાવી રહી છે. સેના તૈયાર છે… કમાન્ડર (ગાંધી પરિવાર) રાહ જોઈ રહ્યો છે. ગાંધી પરિવાર આજે અમેઠી-રાયબરેલી પરિવારના રિપોર્ટ પર અંતિમ ચર્ચા કરશે. અમેઠી રાયબરેલી પર તેના વિશેષ પ્રતિનિધિઓ સાથે વાત કરશે. આ પછી ગાંધી પરિવાર નિર્ણય તરફ આગળ વધશે. 26 એપ્રિલે બંને સીટો માટે નામોની જાહેરાત થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો : મ્યુચ્યુઅલ ફંડ માટે આવ્યો નવો KYC નિયમ, હવે તમે ઘરે બેઠા જ જાણી શકો છો સ્ટેટસ.. જાણો શું છે આ સંપૂર્ણ પ્રક્રિયા…

    Loksabha election 2024 ગત ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હતા.

    મહત્વનું છે કે ગત 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. મોદી સરકારમાં મંત્રી રહેલા સ્મૃતિ ઈરાનીએ તેમને પરાજય આપ્યો હતો. જોકે, તેઓ વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠી લોકસભા ક્ષેત્રમાં 5 વિધાનસભા બેઠકો છે. 2022ની ચૂંટણીમાં, સમાજવાદી પાર્ટી અમેઠી અને ગૌરીગંજમાંથી બે ધારાસભ્યો મેળવવામાં સફળ રહી હતી, જ્યારે તે ખૂબ જ ઓછા મતોથી સેલોન બેઠક હારી ગઈ હતી. અમેઠીમાં ભાજપને ત્રણ ધારાસભ્યો મેળવવામાં સફળતા મળી હતી.

    Loksabha election 2024 સોનિયા ગાંધીના રાજ્યસભામાં જવાને કારણે રાયબરેલી બેઠક પર શંકા

    સોનિયા ગાંધીએ 1999માં અમેઠીથી તેમની પ્રથમ ચૂંટણી લડી હતી અને મોટી જીત નોંધાવી હતી. આ પછી, 2004 માં તેણીએ પ્રથમ વખત રાયબરેલીથી ચૂંટણી લડી. મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધી કુલ 5 વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે સોનિયા ગાંધીએ 2019માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. આવી સ્થિતિમાં હવે પુત્રી પ્રિયંકા ગાંધી તેમની સીટ માટે ચૂંટણી લડી શકે છે.

  • Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલા ઉમેદવારો લડશે ચૂંટણી

    Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલા ઉમેદવારો લડશે ચૂંટણી

     News Continuous Bureau | Mumbai 

    Lok Sabha Election:  લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,206 ઉમેદવારો ( Candidates ) અને બાહ્ય મણિપુર પીસીના 4 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બીજા તબક્કાના મતદાન માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 88 પીસી માટે કુલ 2633 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ, 2024 હતી. 2,633 ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 1,428 ઉમેદવારીપત્રો માન્ય જણાયા હતા. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 08 એપ્રિલ, 2024 હતી. 

    બીજા તબક્કામાં કેરળના 20 સંસદીય ક્ષેત્રોમાંથી ( parliamentary constituencies ) મહત્તમ 500 નામાંકનો છે, ત્યારબાદ કર્ણાટકમાં 14 પીસીમાંથી 491 નામાંકન ( nomination ) થયા છે. ત્રિપુરામાં એક પીસીમાંથી ઓછામાં ઓછા 14 નામાંકન પ્રાપ્ત થયા હતા. મહારાષ્ટ્રના 16-નાંદેડ સંસદીય મતવિસ્તારમાં સૌથી વધુ 92 નામાંકનો મળ્યા હતા.

    લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતો:

    રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

     

    સંસદીય ક્ષેત્રની સંખ્યા

     

    ઉમેદવારી પત્રો પ્રાપ્ત થયા

     

    ચકાસણી બાદ માન્ય ઉમેદવાર

     

    ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા બાદ,

    ઉમેદવારોની અંતિમ સંખ્યા

     

    આસામ 5 118 62 61
    બિહાર 5 146 55 50
    છત્તીસગઢ 3 95 46 41
    જમ્મુ એન્ડ કાશ્મીર 1 37 23 22
    કર્ણાટક 14 491 300 247
    કેરળ 20 500 204 194
    મધ્યપ્રદેશ 7 157 93 88
    મહારાષ્ટ્ર 8 477 299 204
    રાજસ્થાન 13 304 191 152
    ત્રિપુરા 1 14 14 9
    ઉત્તર પ્રદેશ 8 226 94 91
    પશ્ચિમ બંગાળ 3 68 47 47
    કુલ 88 2633 1428 1206

    આ સમાચાર પણ વાંચો : Sharda Peeth Corridor: દેશમાં એક વર્ષ બાદ શારદા કોરિડોર પર પ્રોજેક્ટ પર કોઈ તૈયારી નહીં.. જાણો શું છે પૌરાણિક કથા અને હિન્દુઓ માટે કેમ છે આટલું મહત્વ..

    નોંધનીય છે કે બાહ્ય મણિપુર પીસીમાં 15 એસીમાં 19.04.2024 (પ્રથમ તબક્કો) અને આ પીસીમાં 13 એસીમાં 26.04.2024 (બીજો તબક્કો)ના રોજ મતદાન થશે. આઉટર મણિપુર પીસીમાંથી 4 ચૂંટણી ( election commission ) લડી રહેલા ઉમેદવારો છે, જેને 5 એપ્રિલ, 2024ના રોજ બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં સૂચિત કરવામાં આવ્યા છે. એકંદરે, પ્રથમ તબક્કા માટે, 21 રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 1,491 પુરુષ ઉમેદવારો અને 134 મહિલા ઉમેદવારો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Oscar 2024: ઓસ્કાર નોમિનેશન માંથી બહાર થઇ 12મી ફેલ,ભારતના ગામડા પર આધારિત આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ની થઇ ધમાકેદાર એન્ટ્રી

    Oscar 2024: ઓસ્કાર નોમિનેશન માંથી બહાર થઇ 12મી ફેલ,ભારતના ગામડા પર આધારિત આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ની થઇ ધમાકેદાર એન્ટ્રી

    News Continuous Bureau | Mumbai

    Oscar 2024: એક નાનકડા ભારતીય ગામ પર આધારિત ‘ટુ કિલ અ ટાઈગર’ને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર માટે નામાંકિત કરવામાં આવી હતી. પહુજા ટોરોન્ટો સ્થિત એમી-નોમિનેટેડ ફિલ્મ નિર્માતા પણ છે.ટુ કિલ અ ટાઈગરનું દિગ્દર્શન દિલ્હીની નિશા પાહુજાએ કર્યું છે. હાલમાં તે ટોરોન્ટોમાં રહે છે. આ ફિલ્મે અગાઉ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં બેસ્ટ કેનેડિયન ફીચર ફિલ્મ માટે એમ્પ્લીફાઈ વોઈસ એવોર્ડ જીત્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ટોપ ફાઈવ કન્ટેસ્ટન્ટ ના નામ આવ્યા સામે, ફિનાલે પહેલા બહાર થયો આ સ્ટ્રોંગ સ્પર્ધક

     ટુ કિલ અ  ટાઇગર ની વાર્તા 

    આ ફીચર રણજીત ની ન્યાય માટેની લડત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ‘ટુ કીલ અ ટાઈગર’ ઝારખંડના એક ગામમાં 13 વર્ષની છોકરીના જાતીય શોષણની વાર્તા છે. એક પિતા જે પોતાની પુત્રી પર જાતીય શોષણ કરનારા ત્રણ લોકોને સજા અપાવવા માટે સમગ્ર સમાજ સામે લડે છે. પોતાની પુત્રીને ન્યાય અપાવવા પિતા રણજીત પોલીસ સ્ટેશને જાય છે અને એફઆઈઆર દાખલ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. આટલે થી  રણજીતની તકલીફો અટકતી નથી. ગ્રામજનો અને આગેવાનો કેસ પરત કરવા માટે તેમના પર ઘણું દબાણ લાવવાનો પ્રયાસ કરે છે. તે પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે, આ ડોક્યુમેન્ટરી એ જ વાર્તા કહે છે.

     

    View this post on Instagram

     

    A post shared by Hot Docs (@hotdocs_)


     

    આ ફિલ્મનું નિર્માણ કોર્નેલિયા પ્રિન્સિપે અને ડેવિડ ઓપેનહેમ દ્વારા કરવામાં આવ્યું છે. ટુ કિલ અ ટાઈગર એ ઓસ્કાર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર માટે નોમિનેશન જીત્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • PM Narendra modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ ક્ષેત્રમાં પણ લહેરાવ્યો ઝંડો,આ કામ માટે ગ્રેમી એવોર્ડ્સમાં મળ્યું નોમિનેશન, જાણો વિગત

    PM Narendra modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ ક્ષેત્રમાં પણ લહેરાવ્યો ઝંડો,આ કામ માટે ગ્રેમી એવોર્ડ્સમાં મળ્યું નોમિનેશન, જાણો વિગત

    News Continuous Bureau | Mumbai 

    PM Narendra modi: ગ્રેમી એવોર્ડ્સ 2024 ની શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન શ્રેણીમાં એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતને નોમિનેટ કરવામાં આવ્યું છે, આ તે જ ગીત છે જેને પીએમ મોદીએ ફાલુ (ફાલ્ગુની શાહ) અને તેના પતિ ગૌરવ શાહ સાથે લેખિતમાં સહયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ગાયક ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહ સાથે મળીને આ ગીત લખ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ રાજકારણીને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. 16 જૂને રિલીઝ થયેલું આ ગીત આરોગ્ય લાભો અને પૌષ્ટિક અનાજને પ્રોત્સાહન આપવા માટેના સરકારી પ્રયત્નોને દર્શાવે છે.

     

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ગીત 

    પીએમ મોદી બાજરો, જુવાર જેવા જાડા અનાજને દેશના આહારનો મુખ્ય ભાગ બનાવવા પર સતત ભાર આપી રહ્યા છે.  આ માટે પીએમ મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે મળીને એક ગીત લખ્યું હતું, જેથી વિશ્વને બાજરીના ફાયદાઓથીપરિચિત કરી શકાય. એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતને ગ્રેમી એવોર્ડ્સની બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીની ‘કડક સિંહ’નું ફર્સ્ટ લુક આવ્યો સામે, સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં અનોખા રૂમમાં જોવા મળશે અભિનેતા

    આ ગીતના રિલીઝ પહેલા ફાલ્ગુની શાહે પોતે કહ્યું હતું કે ‘આ ગીત પીએમ મોદીએ મારા અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને લખ્યું છે. આ ગીત આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઉજવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, આ ગીત વિશ્વમાં ભૂખ ઓછી કરવા અને અત્યંત પૌષ્ટિક અનાજના મહત્વ વિશે જણાવવા અને જાગૃતિ લાવવા માટે રચવામાં આવ્યું હતું.’ તમને જણાવી દઈએ કે, ભારત દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ અને યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સભ્યો તેમજ યુએન જનરલ એસેમ્બલીના 75મા સત્ર દ્વારા 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. મોદી સરકાર બાજરીને પૌષ્ટિક અનાજ તરીકે પ્રોત્સાહન આપી રહી છે.

  • Mutual Fund Nomination Deadline: મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો આ તારીખ પહેલા કરો નોમિની એડ, નહી તો એકાઉન્ટ થશે ફ્રીઝ.. જાણો શું છે નિયમ.. વાંચો વિગતે અહીં…

    Mutual Fund Nomination Deadline: મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો આ તારીખ પહેલા કરો નોમિની એડ, નહી તો એકાઉન્ટ થશે ફ્રીઝ.. જાણો શું છે નિયમ.. વાંચો વિગતે અહીં…

    News Continuous Bureau | Mumbai 

    Mutual Fund Nomination Deadline: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ( Mutual Fund ) રોકાણ ( investment ) કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિનેશન ( nomination ) પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. જો તમે તેમાં રોકાણ કર્યું છે, પરંતુ નોમિની એડ નથી કર્યા તો આ કામ 30 સપ્ટેમ્બર, 2023 પહેલા પૂર્ણ કરી લો. નોંધનીય છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અગાઉ નોમિનેશનની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી નક્કી કરી હતી પરંતુ બાદમાં તેમાં 6 મહિનાનો વધારો કરવામા આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ કામ પૂર્ણ કરવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય છે.

    દેશમાં ઘણા એમએફ રોકાણકારો ( MF Investors ) છે જેમણે નોમિનેશનનું કામ પૂર્ણ કર્યું નથી. રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ)ના ડેટા અનુસાર, 25 લાખથી વધુ એવા પાન કાર્ડ ધારકો છે જેમણે તેમના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી. મની કંટ્રોલના અહેવાલ અનુસાર, KFintechનો ડેટા તેમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં નોમિનેશન પૂર્ણ ન કરનારા લોકોની સંખ્યા વધી જશે.

    આ સમાચાર પણ વાંચો : PM Modi in Kashi: PM મોદી આજે વારાણસીમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો કર્યો શિલાન્યાસ, જાણો અધધ 451 કરોડના આ પ્રોજેક્ટની ખાસિયતો.

    મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન વર્ક ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે..

    સેબીના ( SEBI ) નોટિફિકેશન મુજબ, જો કોઈ રોકાણકાર 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો આવા એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવશે. આ પછી તમે તમારા ખાતામાંથી કોઈ ઉપાડ કે રોકાણ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં આ સમસ્યાથી બચવા માટે આ કાર્યને જલદીથી પૂર્ણ કરો.

    તમે મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન વર્ક ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો. જેમણે ઑફલાઇન મોડ દ્વારા રોકાણ કર્યું છે તેઓએ ફોર્મ ભરવું જોઈએ અને તેને સીધા જ RTA (રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ)ને સબમિટ કરવું જોઈએ. જ્યારે ઓનલાઈન માધ્યમમાં તમારે લોગિન કરીને ફક્ત ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન મારફતે નોમિનેશનલ પૂર્ણ કરી શકો છો.

  • પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી: નામાંકન દરમિયાન ગોળીબાર, કોંગ્રેસ કાર્યકરનું મોત, બેની હાલત ગંભીર

    પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી: નામાંકન દરમિયાન ગોળીબાર, કોંગ્રેસ કાર્યકરનું મોત, બેની હાલત ગંભીર

    News Continuous Bureau | Mumbai

    પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરુવારે પંચાયત ચૂંટણી માટે નામાંકન દાખલ કરવા જઈ રહેલા ત્રણ લોકો પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે દાવો કર્યો કે ત્રણેય વ્યક્તિઓ ડાબેરી મોરચા અને કોંગ્રેસના સમર્થક હતા. તેમણે કહ્યું કે ત્રણેયને જ્યારે તેઓ ચોપરા બ્લોક ઓફિસમાં ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી. 

    ગોળીબારમાં કોંગ્રેસ કાર્યકરનું મોત

    કોંગ્રેસનો (CONGRESS) આરોપ છે કે ઉત્તર દિનાજપુરના ચોપરામાં નામાંકન  ( NOMINATION)  ભરતી વખતે કોંગ્રેસના કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આથી કોંગ્રેસના કાર્યકરોએ સાથે મળીને કોલકાતા રાજ્ય ચૂંટણી પંચનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન, પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય દળો દ્વારા શાંતિપૂર્ણ મતદાનની માંગ કરી છે. તે જ સમયે, એક અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગ  (FIRING) પછી ત્રણેય ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

    CPI(M) એ લોહિયાળ રમતમાં TMCનો હાથ હોવાનું જણાવ્યું

    બીજી બાજુ, રાજ્ય ચૂંટણી કમિશનર (SEC) રાજીવ સિંહાએ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે તેમને આ સંબંધમાં હજુ સુધી કોઈ માહિતી મળી નથી. CPI(M)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે આરોપ લગાવ્યો કે હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ છે. તેમણે ટ્વીટ કર્યું, “હમણાં જ ઉત્તર દિનાજપુરના ચોપરા બ્લોકમાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ કાર્યકરો અને ઉમેદવારો પર ગોળીબાર કર્યો. લેફ્ટ-આઈએનસી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) સમર્થકો પંચાયત ચૂંટણી માટે નામાંકન ભરવા માટે બ્લોક ઓફિસ જઈ રહ્યા હતા.” બીજી તરફ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે આરોપોને ફગાવી દીધા છે.

    નોંધપાત્ર વાત એ છે કે ત્રિ-સ્તરીય પંચાયત રાજ વ્યવસ્થામાં લગભગ 75,000 બેઠકો માટે 8 જુલાઈએ ચૂંટણી યોજાશે. શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 

     

    આ સમાચાર પણ વાંચો  કોર્ટમાં દાખલ 1000 પાનાની ચાર્જશીટમાં બ્રિજ ભૂષણને રાહત અને કુસ્તીબાજોને આંચકો, POCSO કેસ નહીં ચાલે