• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Operation Sindoor India
Tag:

Operation Sindoor India

Operation Sindoor : Anees Sanstha organized a blood donation camp under "Operation Sindoor"
સુરત

Operation Sindoor : “ઓપરેશન સિંદૂર” અંતર્ગત અનીસ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર , રાષ્ટ્રસેવાની ગુજ સાથે ૫૫ યુનિટ રક્ત એકત્ર કરાયું

by kalpana Verat May 13, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Operation Sindoor :સીમાના વીર જવાનોના સન્માનમાં અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે અનીસ(અપમૃત્યુ નિવારણ સહાય) સંસ્થાની આગેવાની હેઠળ સુરત શહેરમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૫ યુનિટ રક્તનું એકત્ર કરાયું હતું. આ શિબિરમાં સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્કના સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કેમ્પમાં પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોત, ડી.સી.પી. શ્રી રાજેશ પરમાર, એ.સી.પી. દીપ વકીલ અને ઈચ્છાપોર પો.સ્ટેશનના પી.આઈ. એ.સી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

Operation Sindoor : Anees Sanstha organized a blood donation camp under "Operation Sindoor"

વિશેષ ઉલ્લેખનીય છે કે લેજન્ડ પબ્લિક સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિદ્યાર્થી બાળકો ભારતીય સેનાની યુનિફોર્મમાં મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. અનીસ સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન શ્રોફે પ્રેરણાદાયી સંબોધન કરીને રાષ્ટ્રભાવના જગાવી હતી. તેમણે કહ્યું કે, ભારતનો નાગરિક હવે માત્ર દર્શક નહિ, સક્રિય ભાગીદાર બનશે”

આ સમાચાર પણ વાંચો : Operation Sindoor :ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન માટે સામાજિક સંસ્થાઓને અપીલ,તાત્કાલિક વ્યવસ્થાઓ શરૂ

 

Operation Sindoor : Anees Sanstha organized a blood donation camp under "Operation Sindoor"

આ શિબિરમાં મોરા ગ્રામ પંચાયત, લેજન્ડ પબ્લિક સ્કૂલ અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્કના સહયોગ માટે સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. અનીસ તરફથી આવનારા દિવસોમાં વધુ રક્તદાન અભિયાન યોજવાનો નિર્ધાર વ્યકત કરાયો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Operation Sindoor: Health department on alert mode after Operation Sindoor, Civil Hospital appeals to social organizations for blood donation
સુરત

Operation Sindoor :ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન માટે સામાજિક સંસ્થાઓને અપીલ,તાત્કાલિક વ્યવસ્થાઓ શરૂ

by kalpana Verat May 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 Operation Sindoor : ‘ઓપરેશન સિંદૂર’ પછી ગુજરાત આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા આદેશ અનુસાર તમામ સરકારી હોસ્પિટલોમાં વિજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા, બ્લડ ડોનેશન માટે કેમ્પ યોજવા અને જરૂરી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવા માટેનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે સંપર્ક સાધવા અને તમામ તાત્કાલિક જરૂરિયાતો માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

Operation Sindoor: Health department on alert mode after Operation Sindoor, Civil Hospital appeals to social organizations for blood donation

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે,જનરેટરની સુવિધા સહિત દવાઓ,સાધન સામગ્રીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તથા મેડિકલની તમામ ટીમો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોને હેરાનગતિ.. વડોદરા મંડળના વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે લેવાશે બ્લોક, આ ટ્રેનોને થશે અસર… જુઓ યાદી 

સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ આદેશનો તાત્કાલિક અમલ થતાં તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, બ્લડ બેંકના વડા ડો. જીતેન્દ્ર પટેલ અને ડો. ચિરાગ પટેલ દ્વારા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

Operation Sindoor: Health department on alert mode after Operation Sindoor, Civil Hospital appeals to social organizations for blood donation

હાલ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૩ હજાર યુનિટની ક્ષમતા છે, જેમાં માત્ર ૫૦૦ યુનિટનું સ્ટોરેજ છે. આ મામલે આગોતરા આયોજન હેઠળ રક્તદાતા સંસ્થાઓ, સ્વયંસેવકો, યુવાનો અને એનજીઓને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે જેના પ્રતિસાદ રૂપે સ્વયંસેવકોએ તત્કાલ રક્તદાન કર્યું છે.

Operation Sindoor: Health department on alert mode after Operation Sindoor, Civil Hospital appeals to social organizations for blood donation

સ્વેચ્છિક રક્તદાન કરવા માટે બ્લડ બેંકના કાઉન્સેલર કાજલબેન (મો.૯૯૧૩૩-૨૬૫૦૨), આર.એમ.ઓ ડો.કેતન નાયક (મો.૯૮૨૫૩-૨૭૦૦૪),નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા (મો.૯૮૨૫૫-૦૪૭૬૬)નો સંપર્ક કરવો.

Operation Sindoor: Health department on alert mode after Operation Sindoor, Civil Hospital appeals to social organizations for blood donation

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Operation Sindoor Masood Azhar Masood Azhar admits 10 family members killed in Operation Sindoor
દેશ

Operation Sindoor Masood Azhar : મસૂદ અઝહર રડી પડ્યો! ઘરની બહાર મૃતદેહોની લાઈન; ઓપરેશન સિંદૂરમાં એક જ પરિવારના 14 સભ્યો ના મોત..

by kalpana Verat May 8, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Operation Sindoor Masood Azhar : ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહીથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરને મોટો ફટકો પડ્યો છે. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હતા. મસૂદ અઝહર પોતાના પરિવારના સભ્યોના મૃત્યુને કારણે ધ્રુસકે ધ્રુસકે રડ્યો. હવે મસૂદના ઘરના ફોટા સામે આવ્યા છે. જેમાં મસૂદના ઘરમાં મૃતદેહોની હરોળ દેખાય છે. આ મૃતદેહો પર પાકિસ્તાની ધ્વજ લગાવવામાં આવ્યા છે.

 

Masood Azhar, chief of Jaish-e-Mohammed’ s (JeM) older sister and her husband, his nephew and his nephew’s wife, his niece and five children from his family were killed in the Indian strike in terrorist complex in Bahawalpur, Pakistan. pic.twitter.com/YowApeJl7h

— Neasa Murasu media (@MediaNeasa5461) May 8, 2025

Operation Sindoor Masood Azhar : ભારતીય સેનાએ  મસૂદ અઝહરના ઠેકાણાનો કર્યો નાશ

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના ઠેકાણાનો નાશ કર્યો. ભારતીય સૈનિકોએ પાકિસ્તાન સરહદથી 100 કિમી દૂર બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને અન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા. એ જ રીતે, આ હુમલામાં અઝહરના ચાર નજીકના સાથીઓ પણ માર્યા ગયા હતા. આ દરમિયાન, મસૂદ અઝહરના ઘરે લાશોની લાઇનો લાગેલી હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Operation Sindoor Masood Azhar : મસૂદ અઝહર મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ટોચ પર

જૈશ-એ-મોહમ્મદે એક પરિપત્ર જારી કરીને હુમલાની પુષ્ટિ કરી છે. હવાઈ ​​હુમલામાં માર્યા ગયેલા અઝહરના પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મસૂદ અઝહર ભારત અને દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ટોચ પર છે. આ હવાઈ હુમલામાં આતંકવાદીઓએ જે મસ્જિદનો ઉપયોગ કર્યો હતો તેને પણ ઉડાવી દેવામાં આવી હતી. આ હુમલા અંગે જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડા મસૂદ અઝહરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan stock market :ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હચમચી ગયું પાકિસ્તાન! શેરબજારમાં કડાકો, બંધ કરવું પડ્યું ટ્રેડિંગ 

Operation Sindoor Masood Azhar : અઝહરે કહ્યું હતું  કે હું પણ મરી ગયો હોત તો સારું થાત

ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં તેના 10 સંબંધીઓ માર્યા ગયા હતા. અઝહરે કહ્યું હતું  કે હું પણ મરી ગયો હોત તો સારું થાત. અઝહરના પરિવારમાં મૃતકોમાં તેની મોટી બહેન અને તેના પતિ, અઝહરનો ભત્રીજો અને તેની પત્ની, તેમજ એક ભત્રીજો અને પરિવારમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો પાસે બુધવારે પાકિસ્તાની નાગરિકોએ શોક વ્યક્ત કર્યો. એ જ રસ્તા પર એક અંતિમયાત્રા પણ કાઢવામાં આવી હતી.

 મહત્વનું છે કે મંગળવારે રાત્રે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જોરદાર જવાબ આપ્યો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.

 

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Operation Sindoor Global Leaders React to India’s Air Strike on Pakistan
Main PostTop Postઆંતરરાષ્ટ્રીયદેશ

Operation Sindoor: વિશ્વપ્રતિક્રિયા… ઓપરેશન Sindoor પર દુનિયાભરના નેતાઓએ આપી પ્રતિક્રિયા

by kalpana Verat May 7, 2025
written by kalpana Verat

    News Continuous Bureau | Mumbai

Operation Sindoor: 22 એપ્રિલના પહલગામ (Pahalgam) આતંકી હુમલાના 15 દિવસ બાદ ભારતે ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાન અને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકી ઠેકાણાઓ પર ટાર્ગેટેડ એર સ્ટ્રાઈક (Air Strike) કરી. આ પગલાં બાદ સમગ્ર વિશ્વમાંથી વિવિધ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કેટલાકે ભારતના પગલાને આતંક સામેનો યોગ્ય જવાબ ગણાવ્યો છે, તો કેટલાકે બંને દેશોને શાંતિ અને સંયમ રાખવા અપીલ કરી છે.

 

#OperationSindoor

In a bold and strategic strike, Indian Armed Forces executed Operation Sindoor, dismantling 9 terror hubs deep inside Pakistan and PoJK.

A clear message: Terror will not be tolerated. @JPNadda @blsanthosh pic.twitter.com/2w8q6vsvyE

— Ashish Sood (@ashishsood_bjp) May 7, 2025

 Global Reaction: Trump, Guterres અને Thaneદારની ટિપ્પણીઓ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ પહલગામ હુમલાને “શરમજનક” ગણાવ્યું અને કહ્યું કે decadesથી ચાલી રહેલા આ તણાવને હવે શાંતિથી સમાપ્ત થવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, “મને આશા છે કે બંને દેશો હવે શાંતિ તરફ આગળ વધશે.”

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (Antonio Guterres)એ બંને દેશોને “મહત્તમ સૈન્ય સંયમ” રાખવા અપીલ કરી. તેમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યું કે, “વિશ્વ ભારત-પાકિસ્તાન વચ્ચેના સૈન્ય ટકરાવને સહન કરી શકતું નથી.”
અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદાર (Shri Thanedar)એ કહ્યું કે, “યુદ્ધ ક્યારેય ઉકેલ નથી, પણ આતંકીઓ સામે કડક પગલાં જરૂરી છે. ભારત અને અમેરિકા સાથે મળીને આતંક સામે લડી શકે છે.”

 

Operation Sindoor Successful
:- Press Release dt 7th May 2025, by GOI states 9 targets destroyed
:- Operation Sindoor was done by 4-Warriors
:- 62 Handlers of Terrorists killed
:- Sigh of Relief
:- Revenge Accomplished
:- No need to doubt authenticity
:- Photos may resemble Gaza pic.twitter.com/bcCtpiJESL

— Dr. Ratnakar Gedam (@RatnakarGedam) May 7, 2025

આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: ઓપરેશન Sindoorમાં ભારતે પાકિસ્તાનમાં કેવી રીતે તબાહી મચાવી તે જુઓ

 Global Reaction: પાકિસ્તાનના નેતાઓની ગીદડભભકી અને રડારોડો

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ (Shehbaz Sharif)એ ભારતીય હુમલાને “યુદ્ધ જેવી કાર્યવાહી” ગણાવી અને કહ્યું કે પાકિસ્તાન તેનો “મજબૂત જવાબ” આપશે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આ હુમલાથી પાકિસ્તાનના રાષ્ટ્રનું મનોબળ ઊંચું છે અને સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે તૈયાર છે.”
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર (Ishaq Dar)એ ભારત પર આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે, “ભારત શાંતિ માટે ખતરો છે.” તેમણે ભારતના પગલાને “અણુ યુદ્ધના ભય” સાથે જોડીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી.

 Global Reaction: ભારતે વિશ્વ નેતાઓને આપી માહિતી, વ્યૂહાત્મક સમર્થન મેળવ્યું

ઓપરેશન સિંદૂર પછી ભારતે તાત્કાલિક રીતે અમેરિકા, બ્રિટન, રશિયા, યુએઈ અને સાઉદી અરેબિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો. ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) અને વિદેશ મંત્રાલયે આ દેશોના સમકક્ષોને ઓપરેશનની વિગતો આપી.
વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર, ભારતે સ્પષ્ટ કર્યું કે આ પગલું આતંકી હુમલાના જવાબમાં હતું અને સંપૂર્ણપણે સંયમિત, લક્ષ્યિત અને નોન-એસ્કલેટરી (Non-Escalatory) હતું.

વિશ્વના ઘણા દેશોએ ભારતના આતંક વિરોધી અભિગમને સમર્થન આપ્યું છે. યુએઈ અને સાઉદી અરેબિયાએ આંતરિક સ્તરે ભારત સાથે સહાનુભૂતિ દર્શાવી છે. બ્રિટનના વિદેશ મંત્રાલયે કહ્યું કે “અમે આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરીએ છીએ અને ભારતના સુરક્ષા હક્કને માન્યતા આપીએ છીએ.”

રશિયાએ પણ ભારતના પગલાને “સંયમિત અને વ્યૂહાત્મક” ગણાવ્યું છે અને બંને દેશોને શાંતિપૂર્ણ સંવાદ માટે આમંત્રિત કર્યું છે.
આ તમામ પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે ભારત હવે માત્ર એક પ્રતિક્રિયાત્મક દેશ નથી, પણ વૈશ્વિક સ્તરે આતંક સામે લડત માટે નેતૃત્વ આપતું રાષ્ટ્ર બની રહ્યું છે.

 

May 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક