Tag: opposition leaders

  • Chandrababu Naidu: રશીયન મીડિયામાં અહેવાલ,. શું મોદી સરકાર ને ઉથલાવી પાડવાના પ્રયત્ન કરી રહ્યું છે અમેરિકા?

    Chandrababu Naidu: રશીયન મીડિયામાં અહેવાલ,. શું મોદી સરકાર ને ઉથલાવી પાડવાના પ્રયત્ન કરી રહ્યું છે અમેરિકા?

    News Continuous Bureau | Mumbai

    Chandrababu Naidu: ભારત માં લોકસભાની ચૂંટણી સમયે રશિયાએ દાવો કર્યો હતો કે અમેરિકા ( US ) ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. હવે રશિયાના સુપ્રસિદ્ધ અખબાર સ્પુતનિકે ( Sputnik ) દાવો કર્યો છે કે મોદી સરકારને ઉથલાવી પાડવા અમેરિકા પ્રયત્ન કરી રહ્યું છે.  

    Chandrababu Naidu: અહેવાલમાં શું દાવો કરાયો છે? 

    અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ ( CIA ) દક્ષિણ ભારતના એક ચર્ચના પાદરીની મદદથી તેમજ વિપક્ષી નેતાઓના ( opposition leaders ) સથવારે ચંદ્રબાબુ નાયડુ પર દબાણ બનાવી રહ્યા છે કે તેઓ મોદી સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લે. આ અહેવાલ રશિયાના સ્થાનિક અખબારમાં છપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાના કોન્સ્યુલેટ વિપક્ષી નેતાઓને સતત મળી રહ્યા છે. તેમજ ભારતીય લોકતંત્રમાં વિવિધતાનો પૂરેપૂરો ફાયદો ઉપાડી રહ્યા છે. મોદી સરકારની વિરોધમાં કાર્યરત એવા તમામ લોકોને એક સાથે કામ કરે તેવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત. હિંદુ દેવી દેવતાઓ તેમજ ભારતીય સંસ્કૃતિનો મજાક ઉડાવી રહેલા અભિનેતા, અભિનેત્રી અને અન્ય લોકોને અમેરિકાના મિશન થકી પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમજ, તેઓને એવોર્ડ આપવામાં આવે છે અને પોતાનું કામ આગળ વધારવા માટે સમર્થન પણ આપવામાં આવે છે. 

      આ સમાચાર પણ વાંચો : PM Modi Visit: 40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડ મુલાકાત, PM મોદીની યુક્રેન અને પોલેન્ડ મુલાકાત પર દુનિયાની નજર.. જાણો કેમ ખાસ છે આ વિદેશ યાત્રા..

    Chandrababu Naidu: આ અહેવાલ કેટલા સાચા કેટલા ખોટા?

    રશિયાના અખબારમાં જે અહેવાલ છપાયો છે તે સંદર્ભે અત્યાર સુધી સરકાર ( Central Government ) તરફથી કે વિપક્ષ તરફથી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા પર અહેવાલ વહેતા થયા છે. તેમજ અહેવાલ સંદર્ભે હજી સુધી અમેરિકાએ કોઈ રદિયો આપ્યો નથી

     

  • Maharashtra Assembly: મહારાષ્ટ્રમાં વિધાનસભાની બહાર વિપક્ષી નેતાઓએ નકલી બંદુકો સાથે કર્યો વિરોધ પ્રદર્શન.. જાણો શું છે કારણ..

    Maharashtra Assembly: મહારાષ્ટ્રમાં વિધાનસભાની બહાર વિપક્ષી નેતાઓએ નકલી બંદુકો સાથે કર્યો વિરોધ પ્રદર્શન.. જાણો શું છે કારણ..

    News Continuous Bureau | Mumbai 

    Maharashtra Assembly: મહા વિકાસ અઘાડીના ધારાસભ્યોએ રાજ્યમાં ‘કથળી રહેલ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ’ માટે સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ( State Govt ) સામે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન ( Protest ) કર્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના બીજા દિવસે વિપક્ષી નેતાઓ  નકલી રિવોલ્વર ( fake guns ) સાથે વિધાન ભવનના ગેટ પર જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, આ ગુંડાઓની સરકાર છે. અહીં અવાનવાર ગોળીબાર થાય છે. 

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા શિવસેના ( એકનાથ શિંદે જૂથ )ના નેતા મહેશ ગાયકવાડને ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનની અંદર બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે ગોળી મારી દીધી હતી . આ પછી વિપક્ષે શિંદે સરકારને ( Shinde Govt ) ઘેરી હતી.

     પાકના નુકસાનની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવે…

    દરમિયાન, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ( Opposition leaders ) વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્રના નાસિક, જલગાંવ, ચંદ્રપુર અને વર્ધા વગેરે સહિત વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને કરાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના કારણે સોયાબીન, કપાસ, સંતરા જેવા અનેક પાકોને નુકસાન થઈ રહ્યું છે. સરકાર પાસે તેમની માંગ છે કે પાકના નુકસાનની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવે.

    આ સમાચાર પણ વાંચો :  Ram Lalla: ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ શ્રી રામ નાઈકે શ્રી રામ લલ્લાના દર્શન કર્યા

    નોંધનીય છે કે, આ અગાઉ થોડા દિવસો પહેલા પણ વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટીવાર, કોંગ્રેસ વિધાયક દળના નેતા બાલાસાહેબ થોરાટ અને અન્ય ધારાસભ્યો વિધાન ભવનના બહાર એકઠા થયા હતા અને બેનરો પ્રદર્શિત કરતા વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમજ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

    તો વિપક્ષના ધારાસભ્યોએ હવે રાજ્ય સરકાર પર અનામત ક્વોટા મુદ્દે મરાઠા અને ઓબીસી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Apple Hacking: વિપક્ષી નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાનોના આઈફોન પર પણ આવ્યો હેકિંગના મેસેજ.. રાજીવ ચંદ્રશેખરના દાવાથી વધી ચિંતા.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..

    Apple Hacking: વિપક્ષી નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાનોના આઈફોન પર પણ આવ્યો હેકિંગના મેસેજ.. રાજીવ ચંદ્રશેખરના દાવાથી વધી ચિંતા.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai

    Apple Hacking: વિપક્ષી નેતાઓના આઇફોન ( Iphone ) પર ચેતવણીના મેસેજ ( Alert Message ) આવ્યા બાદ કેન્દ્ર સરકાર ( Central Government ) પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, આ મામલે સરકાર બચાવ કરી રહી છે સાથે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં ખુદ કેન્દ્રીય પ્રધાનના ( Union Ministers ) આઇફોન પર પણ હેકિંગના એલર્ટનો મેસેજ આવ્યો છે. વિપક્ષી ( opposition )  નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ ( Piyush Goyal ) ના આઈફોન પર પણ હેકિંગનો એલર્ટ મેસેજ આવ્યો હોવાનો ખુલાસો કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ( Rajeev Chandrasekhar ) કર્યો છે. એ ઉપરાંત શ્યામ સરનને પણ ચેતવણીનો સંદેશ મળ્યો છે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી (IT) રાજ્ય મંત્રી ચંદ્રશેખરે આ મામલામાં તપાસને સમર્થન આપતાં એમ પણ કહ્યું હતું કે એપલને તેના આઇફોન અને અન્ય ઉપકરણો વિશે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે જે તે કહે છે કે સુરક્ષિત છે.

    વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ના નેતાઓના ફોન પર હેકિંગ એલર્ટનો મામલો ચગ્યો છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે તેમને મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા ફોન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિપક્ષી નેતાઓના ( opposition leaders )  દાવા બાદ મોટો વિવાદ પેદા થયો હતો. પરંતુ આ કિસ્સામાં મોટો સવાલ એ છે કે વિપક્ષી નેતાઓના ફોન પર હેકિંગ અને ટેપિંગનું એલર્ટ ગયું કેવી રીતે? સહું કોઈ આ સવાલનો જવાબ શોધવાની કોશિશમાં છે ત્યારે હવે તેનો જવાબ મળી ગયો છે.

    કેન્દ્ર સરકારના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એપલનું એલર્ટ “અલ્ગોરિધમની ભૂલ” ને કારણે હોઈ શકે છે. આ કારણે વિપક્ષી નેતાઓના એપલ ફોન પર એલર્ટ મળ્યું હતું. નેતાઓએ આ સંદર્ભે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મેઇલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Delhi High Court: પત્ની દ્વારા પતિને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય? પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈ દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ મહત્ત્વપૂર્ણ ચુકાદો.. જાણો શું છે સંપુર્ણ મામલો..

    હું 15-20 વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી..

    વિપક્ષના જે નેતાઓને હેકિંગનું એલર્ટ આવ્યું છે તેમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (Uddhav Thackeray) ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, આપ નેતા રાઘવ ચઢ્ઢા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના નેતા પવન ખેરા અને તિરુવનંતપુરમ કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામેલ છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એવું કહ્યું કે ગઈકાલે રાત્રે મને મારા ફોન પર ચેતવણી મળી હતી, હું 15-20 વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી. આ એક ગંભીર ચેતવણી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યું હતું, તે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આજે સવારે, મને ખબર પડી કે ઘણા વિપક્ષી નેતાઓને આ સંદેશ મળ્યો છે.

    કેટલાક વિપક્ષી નેતાઓના મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય સમર્થિત હુમલાખોરો સંભવતઃ તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે. એલર્ટ અનુસાર એપલને લાગે છે કે, હુમલાખોરો એપલ આઇડી દ્વારા આઇફોનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.