• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Passenger Convenience
Tag:

Passenger Convenience

metro-train-frequency-new-facilities-started-for-passengers-frequency-of-ahmedabad-gandhinagar-metro-train-increased
અમદાવાદગાંધીનગર

Metro train frequency: મુસાફરો માટે શરુ કરી નવી સુવિધાઓ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી

by khushali ladva February 14, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Metro train frequency: મુસાફરોને જાણ કરવામાં આવે છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે.

હવે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર નથી.

GNLU સ્ટેશન અને ગિફ્ટ સિટી ઑફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે કે જે PDEU થઈને જશે.

૧૫મી ફેબ્રુઆરીથી APMC થી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી નીચેના સમયપત્રક મુજબ ટ્રેન સેવાઓ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ રહેશે.

Metro train frequency:  Train Schedule between APMC-Motera corridor and Gift City

Metro train frequency New facilities started for passengers, frequency of Ahmedabad-Gandhinagar metro train increased

Metro train frequency New facilities started for passengers, frequency of Ahmedabad-Gandhinagar metro train increased

Metro train frequency:  Train Schedule between APMC-Motera corridor and Sector 1

Metro train frequency New facilities started for passengers, frequency of Ahmedabad-Gandhinagar metro train increased

Metro train frequency New facilities started for passengers, frequency of Ahmedabad-Gandhinagar metro train increased

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

February 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway to Run Superfast Special Train Between Ahmedabad and Bandra Terminus
અમદાવાદ

Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

by Akash Rajbhar January 24, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

* ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

January 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway to run 6 one-way special trains on the occasion of Mahakumbh Mela
રાજ્ય

Mahakumbh Special Trains : મહાકુંભ મેળાના અવસર પર પશ્ચિમ રેલવે ચાલાવશે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો

by Akash Rajbhar December 30, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Mahakumbh Special Trains : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મહાકુંભ મેળા-2025 ના દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે સાબરમતી–પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ–પ્રયાગરાજ, ઉધના-પ્રયાગરાજ અને વલસાડ – પ્રયાગરાજ, સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન ગુરુવાર 2 જાન્યુઆરી, 2025ના રોજ સાબરમતીથી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

2. ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ બુધવાર 1 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાફોર્ટ, ટુંડલા ઈટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો  :Road Safety:સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાઈ

3. ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ બુધવાર 1 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસ થી 20.20 કલાકે ઉપડશે અને શુક્રવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાફોર્ટ ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

4. ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો  :Hazira Oil Companies: હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

5. ટ્રેન નંબર 09005 ઉધના – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09005 ઉધના – પ્રયાગરાજ સ્પેશિયલ ઉધનાથી મંગળવાર 31 ડિસેમ્બર, 2024 ના રોજ 06.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

6. ટ્રેન નંબર 09009 વલસાડ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09009 વલસાડ – પ્રયાગરાજ સ્પેશિયલ વલસાડથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 08.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.25 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન નવસારી, ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, મૈહર, સતના અને માણિકપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09005 નું બુકિંગ 30.12.2024 થી જ્યારે ટ્રેન નંબર 09009, 09227, 09225, 09229 અને 09489 માટે બુકિંગ 31.12.2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. સ્ટોપેજ અને સંરચના ના સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક