• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - permission - Page 2
Tag:

permission

મુંબઈ

ગણેશોત્સવ માટે મંજૂરી લેવાનો આજે છેલ્લો દિવસ- મુંબઈમાં આટલા મંડળોને મળી મંજૂરી

by Dr. Mayur Parikh August 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીના(Corona epidemic) બે વર્ષ બાદ આ વખતે પ્રતિબંધ મુક્ત(restriction free) વાતાવરણમાં ગણેશોત્સવની ઉજવણીની(Ganeshotsav celebration) જોરશોરથી તૈયારી ચાલી રહી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં ૨૬૦૦ સાર્વજનિક મંડળોએ ઉત્સવની ઉજવણી માટે મહાપાલિકાની(Municipality) પરવાનગી માગી છે, જેમાંથી ૧૫૦૦ મંડળને મંજૂરી અપાઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC) પાસેથી  મંજૂરી મેળવવા માટેનો આજે છેલ્લો દિવસ છે.

બે વર્ષ કોરોના મહામારી દરમિયાન અનેક ગણેશકમંડળોએ(Ganesh Mandals) ગણેશોત્સવની(Ganeshotsav) ઉજવણી કરી નહોતી. તો અમુક મંડળોએ સાદાઈપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી હતી. મુંબઈમાં નાના-મોટા મળીને લગભગ 12,000 ગણેશમંડળો છે. તેમાંથી આ વર્ષે પાલિકાએ ચારથી પાંચ હજાર મંડળોને પરવાનગી આપવાની તૈયારી રાખી હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  મ્હાડાનો ધમાકો- દીવાળીમાં મુંબઈમાં કાઢશે આટલા ઘરોની લોટરી

સોમવાર સુધી જોકે પાલિકા પાસે માત્ર ૨૬૦૦ અરજીઓ મંજૂરી મેળવવા માટે આવી હતી, તેમાંથી ૧૫૦૦ મડળોને મંજૂરી અપાઈ છે, ૩૧૬ મંડળોની અરજી નામંજૂર કરવામાં આવી છે અને બાકીના મંડળોને અરજી પર વિચાર થઈ રહ્યો છે એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. મંડળોની અરજીનો ઝડપથી નિકાલ કરવા માટે પાલિકાએ સિંગલ વિન્ડો સિસ્ટમ(Single window system) શરૂ કરી છે. જેથી કરીને મંડળોએ ફાયરબ્રિગેડ(fire brigade), મુંબઈ ટ્રાફિક પોલીસ(Mumbai Traffic Police), પાલિકા વગેરેની મંજૂરીઓ એક જ જગ્યાએથી મળી શકે.
 

August 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સારા સમાચારઃ ભારતને કોરોના સામે મળ્યું નવું શસ્ત્ર, ફકત એક ડોઝ કરશે કોરોનાનો ખાતમો

by Dr. Mayur Parikh February 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

સોમવાર.

કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારતને મોટી કામગીરી પાર પાડી છે. દેશમાં ત્રીજી લહેર પણ ઓસરી રહી છે. એક તરફ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક લાખથી પણ ઓછો કેસ નોંધાયા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા કોરોનાની નવમી વૅક્સિનને મંજૂરી આપી છે.

કોરોનાના વાયરસ સામે વૅક્સિન  સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી લેવા વિનંતી કરી રહી છે. હવે કોરોના સામેની લડાઈમાં ભારતને હવે વધુ એક રસી મળી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ કોરોનાની સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટ્સ વૅક્સિનને ઈમરજન્સી ઉપયોગ કરવા માટે  મંજૂરી આપી છે.

તેથી  નાગરિકો હવે દેશમાં સ્પુટનિક લાઇટ રસીનો એક જ ડોઝ મેળવી શકશે.  DCGI ની મંજૂરી બાદ દેશમાં આ 9મી રસી છે.

કોરોના સામે રસીકરણ જ એકમાત્ર રક્ષણ, સંપૂર્ણ વેક્સિનેશનથી કોરોના દર્દીઓના મૃત્યુની શક્યતા ઓછી; આ સંસ્થાનો દાવો

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં  ભારતના DCGI એ રશિયાની સ્પુટનિક લાઇટ રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે પરવાનગી આપી હતી. સ્પુટનિક લાઇટના પરીક્ષણને મંજૂરી આપવા માટે, કોરોના વિષય પર નિષ્ણાત સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. સ્પુટનિક લાઇટ રસી મેળવ્યા પછી કોઈપણ વ્યક્તિમાં કોઈ ખતરનાક આડઅસર નોંધાઈ નથી.

સ્પુટનિક-વી અને સ્પુટનિક લાઇટ વચ્ચેનો સૌથી મોટો તફાવત ડોઝ છે. સ્પુટનિક-વી રસીના  બે ડોઝની જરૂર છે, જ્યારે સ્પુટનિક લાઇટનો એક ડોઝ પૂરતો છે. સ્પુટનિક લાઇટ સ્પુટનિક-વી કરતાં કોરોનાવાયરસ સામે વધુ અસરકારક હોવાનું લેન્સેટ અભ્યાસમાં જણાયું છે.

February 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈની શોભા બગડશે? આવક ઊભી કરવા પાલિકા ઠેર ઠેર ઊભા કરશે ડિજિટલ બોર્ડ; જાણો વિગત

by Dr. Mayur Parikh February 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

 શુક્રવાર.

મુંબઈ જયાં નજર કરો ત્યાં હાઈરાઈઝ ઈમારતો જ જોવા મળે છે. હવે મુંબઈગરા જયાં નજર નાખશે ત્યાં તેમને જાહેરાત જ જોવા મળવાની છે. પાલિકાએ ડિજિટલ જાહેરાતો દ્વારા આવકમાં વધારો કરવાનો છે.

કોરોના દરમિયાન છેલ્લા બે વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીને મોટો ફટકો પડયો છે. પોતાની મૂડી તેણે 
કોરોનાને નિયંત્રણમાં લાવવા પાછળ ખર્ચી દીધી છે. તેની સામે લોકડાઉન અને કોરોના પ્રતિબંધક નિયમોને કારણે આવકને પણ   મોટો ફટકો પડયો હતો. 

આવક ઉભી કરવા મુંબઈના જકાત નાકાને લઈને BMCએ લીધો આ નિર્ણય, જાણો વિગત

તેથી પાલિકાએ અલગ અલગ સ્તરેથી નાણા ઊભા કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ 2022-23ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલે  કહ્યું હતું કે  ડિજિટલ એડવર્ટાઈઝિંગ મીડિયાને મંજૂરી આપીને કોર્પોરેશનની આવકમાં વધારાના સ્ત્રોતો શોધવામાં આવશે. તેથી હવે મુંબઈમાં ઠેર ઠેર ડિજિટ જાહેરખબરો જોવા મળવાની છે.

February 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વિકાસના નામે મુંબઈમાં આટલા ઝાડોનો બોલાશે ખુરદો, BMCની ટ્રી ઓથોરિટીએ આપી ઝાડ કાપવાની મંજૂરી; જાણો વિગત

by Dr. Mayur Parikh January 21, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022  

શુક્રવાર.

મુંબઈમાં જુદા જુદા પ્રોજેક્ટ ને આડે આવતા 429 વૃક્ષો કાપવાના પ્રસ્તાવને પાલિકાની ટ્રી ઓથોરિટીની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે 429 વૃક્ષો કાપી નાખવા સામે અન્ય ઠેકાણે 858 વૃક્ષોની પુનઃરોપણ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં રસ્તાને પહોળા કરવા, મેટ્રો પ્રોજેક્ટ, બિલ્ડિંગના બાંધકામ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા પ્રોજેક્ટમાં આ ઝાડ અવરોધરૂપ હતા.

ઓક્ટોબર 2021 બાદ ટ્રી ઓથોરિટીની બેઠક થઈ નહોતી. છેવટે ગુરુવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના નેતૃત્વમાં આ બેઠક થઈ હતી. ગુરુવારની બેઠક ઓનલાઈન રહી હતી, જેમાં 27 પ્રસ્તાવ મંજૂરી માટે રાખવામાં આવ્યા હતા, તેમાંથી 24 પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા હતા.

ઘોર બેદરકારી, મુંબઈની આ હોસ્પિટલમાં સફાઈ કરનારી કિશોરીએ ખોટું ઇન્જેક્શન આપતા બે વર્ષની બાળકીનું મોત; જાણો વિગત

આ બેઠકમાં કુલ 4,702 વૃક્ષોને લગતો પ્રસ્તાવ હતો, જેમાં 429 ઝાડ કાપવાના તો 427 વૃક્ષોના રોપણના પ્રસ્તાવ હતા જેને મંજૂરી આપવામાં આવી હતી.

January 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC અને EWS ને આટલા ટકા અનામતની મંજૂરી

by Dr. Mayur Parikh January 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,7 જાન્યુઆરી 2022

શુક્રવાર.  

સુપ્રીમ કોર્ટે આજે NEET PG કાઉન્સિંલિંગ પર મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તરત કાઉન્સિંલિંગ શરૂ કરવાની સાથે જ 27 ટકા OBC (અન્ય પછાત વર્ગ) અને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગને(EWS) આરક્ષણ આપવાની મંજૂરી આપી દીધી છે.
     
કેન્દ્ર સરકારે 27 ટકા OBC અને 10 ટકા આર્થિક રીતે નબળા લોકોને આરક્ષણ આપવાને યોગ્ય નિર્ણય ગણાવીને કાઉન્સિલિંગ શરૂ કરવાની મંજૂરી માંગી હતી, તેની સામે જોકે અરજદારોએ નવી રિઝર્વેશન પોલિસી પર સ્ટે આપવાની માગણી કરી હતી. 
લાંબા સમયથી NEET PG કાઉન્સિંલિંગ 2021નો મુદ્દો ગૂંચવાયેલો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદામાં NEETમાં OBC અને EWS ક્વોટાને લઈને આરક્ષણ આપવાની મંજૂરી આપી દીધી છે.

 સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કોરોના, આટલા જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હવે કોર્ટ વર્ક ફ્રોમ હોમ ચાલશે

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રના હિતમાં NEET PG કાઉન્સિલિંગ શરૂ થવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ વર્ષે આ બેચને જ રિઝર્વેશન લાગુ પડશે. કોર્ટના આ નિર્ણય બાદ હવે કાઉન્સિલિંગ બહુ જલદી શરૂ થઈ જશે.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે હાલના માપદંડો તરીકે તમામ મેડિકલ બેઠકો માટે NEETમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોમાં OBC માટે 27 ટકા અને EWS માટે 10 ટકા અનામતની મંજૂરી આપી છે.

 

January 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બાળકોને રસી આપવી છે? તો માતા-પિતાએ કરવું પડશે આ કામ. જાણો વિગત  

by Dr. Mayur Parikh December 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

સોમવાર. 

કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે ત્યારે 15થી 18 વર્ષના બાળકો-તરૂણો માટે ત્રીજી જાન્યુઆરીથી કોરોના રસી આપવાની જાહેરાત કરાઈ છે. 

બાળકોના રસીકરણ અંગે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરનું કહેવું છે કે, બાળકોને રસી અપાવવા માટે વાલીઓએ આગળ આવવું પડશે. 

બાળકો પોતાને રસી આપવા માટે પરવાનગી આપી શકે નહિ, તેના માટે માતા-પિતાએ મંજૂરી આપવી જરૂરી છે. 

મહત્ત્વનું છે કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ છે, જેનાથી તબીબોને પણ રક્ષણ મળશે.

ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી અને GSTને મુદ્દે સરકારના મૌનથી વેપારીઓ નારાજ, આપી દીધી આ ચીમકી, નવા વર્ષમાં સરકાર વિરોધમાં કરશે આ કામ

December 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પ્રતિમાના અનાવણ આડે વિધ્ન, રાજ્ય સરકારે આ કારણથી ન આપી મંજૂરી. ભાજપ આક્રોશમાં

by Dr. Mayur Parikh December 25, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ડિસેમ્બર 2021 

 શનિવાર. 

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આજે જન્મદિવસ દિવસ નિમિત્તે કાંદિવલી સ્પોર્ટસ કોમ્પલેક્સમાં માં તેમની 25 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવવાનું  હતું. સ્ટેજ બાંધવાથી લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી નાખવામાં આવી હતી.  તે માટે ખાસ  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ આજે મુંબઈમાં આવવાના હતા. જોકે છેલ્લી ઘડીએ મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજુરી નહીં મળતા કાર્યક્રમનું સૂરસુરિયુ થઈ ગયું હતું . 

કાંદિવલી(ઈસ્ટ)માં આર્કુલી રો પર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના મૂર્તિના અનાવરણ પ્રસંગે ભાજપના તમામ નેતા એક જ મંચ હેઠળ હાજર રહેવાના હતા. ભાજપને લોકલ ઓથોરીટીથી લઈને પોલીસ પાસેથી પણ મંજૂરી મળી ગઈ હતી. તેથી કાર્યક્રમના સ્થળે હોડિંગ્સ લગાવવાથી લઈને સ્ટેજ બાંધવા સુધીની તમામ તૈયારીઓ ભાજપે કરી લીધી હતી. રાજકીય સૂત્રોના કહેવા મુજબ આ કાર્યક્રમમાં ભાજપના મુંબઈના સાંસદ, ધારાસભ્ય સહિત તમામ નગરસેવકો હાજર રહેવાના છે. આજનો આ કાર્યક્રમને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવતું હતું. ખાસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવવાના હતા. જોકે છેલ્લી ઘડીએ રાજય સરકારના સ્પોર્ટસ મિનિસ્ટ્રી પાસેથી મંજૂરી નહીં મળતા મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ ભાજપને રદ કરવો પડયો હતો. 

મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ, મુંબઈમાં રોજ સરેરાશ આટલા બળાત્કાર થાય છે; જાણો વિગત

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે મુંબઈમાં ભાજપે અનેક કાર્યક્રમનું આયોજન કર્યુ છે, જેમાં ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ પ્રતિમાના અનાવરણ માટે છેલ્લી ઘડીએ મંજૂરી નહીં મળતાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એવો આરોપ કર્યો હતો કે દેશના મહાન નેતાના જન્મદિવસની ઉજવણીમાં અને તેમની પ્રતિમા ના અનાવરણમાં પણ શિવસેના, કોંગ્રેસની સરકાર રાજકારણ લઈને આવી. રાજકીય હેતુસર સ્પોર્ટ મિનિસ્ટરીના પ્રધાન સુનીલ કેદારે મંજૂરી આપવાનું નકારી કાઢયું હતું. સ્પોર્ટસ કોમ્પકલેક્સનની જમીન સરકારની માલિકીની છે અને લીઝ પર સ્પોર્ટસ કોમ્લેક્સ માટે આપવામાં આવી છે. એવું કહીને જમીનની માલિકીનો વિવાદ આગળ કરીને પ્રતિમાના અનાવરણની મંજૂરી આપવામાં આવી  નથી. રાજકારણ પોતાની જગ્યાએ હોય અને નૈતિકતા પોતાની જગ્યાએ હોય પણ આ સરકારમાં નૈતિકતા જેવું કંઈ નથી. વાજપેયીજીના પુતળાના અનાવરણ માટે કોર્ટમાં જવું પડે તો પણ જવાની તૈયારી રાખી હોવાનું ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું.

December 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi
મુંબઈ

ઓમીક્રોનના સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુંબઈમાં સભાઃ મહાવિકાસ આઘાડી સરકાર મંજૂરી આપવાને લઈને દ્વિધામાં? જાણો વિગત

by Dr. Mayur Parikh December 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

શનિવાર.

કોંગ્રેસનો 28 ડિસેમ્બરના 136માં સ્થાપના દિવસ છે. મુંબઈ મહાનગરપાલિકાની 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દાદરના શિવાજી પાર્કમાં એક સભાનું આયોજન કર્યુ છે. આ સભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાજર રહે એવી શક્યતા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે મહાવિકાસ આઘાડી સરકાર આ સભાને મંજૂરી આપશે નહીં એવું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં કોંગ્રેસ પણ જોડાયેલી છે. તેથી આ સભાને મંજૂરી આપવાને લઈને મહાવિકાસ આઘાડી સરકાર વિસામણમાં હોવાનું કહેવાય છે ત્યારે રાજયના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે પણ મંજૂરી આપવાને લઈને પ્રશાસનને વિચાર કરવો પડશે એવું સ્ટેટમેન્ટ આપતા કોંગ્રેસની દ્વીધા વઘી ગઈ છે.

જો ત્યાં સુધી ઓમીક્રોનનો ચેપ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો અને રેલીમાં ઉમટનારી ભીડને કારણે વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, એ અમારા ધ્યાનમાં છે, તેથી રેલીને મંજૂરી આપવી કે નહીં તે બાબતે અમે વિચાર કરશુ એવું સ્ટેટમેન્ટ તાજેતરમાં અજિત પવારે આપ્યું છે. તેથી શિવાજી પાર્કમાં રાહુલ ગાંધીની સભા સામે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે.

વાનખેડે પ્રકરણમાં એનસીપી નેતા નવાબ મલિકે હાઈ કોર્ટમાં વ્યક્ત કર્યો ખેદઃ કહ્યું ફરી આમ નહીં કરીએ; જાણો વિગત

હાઈ કોર્ટના આદેશ બાદ શિવાજી પાર્કના મેદાનના ઉપયોગ કરવા પર  પ્રતિબંધ આવી ગયો છે. તેથી શિવાજી પાર્કમાં રેલી કરવા માટે કોંગ્રેસે બહુ પહેલા જ પાલિકાના જી-નોર્થ વોર્ડમાં અરજી કરી હતી. જોકે હાલ આ અરજી  નગરવિકાસ ખાતા પાસે છે. બહુ જલદી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેના પર નિર્ણય લેશે એવું માનવામાં આવે છે.

રાજયમાં ઓમીક્રોનના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. મુંબઈમા હજી સુધી જોકે માત્ર પાંચ કેસ છે. તેથી મુંબઈમાં સભા માટે મંજૂરી મળી જશે એવો દાવો મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ચરણસિંહ સપ્રાએ કયો છે. કોવિડને લગતા તમામ પ્રોટોકોલનું પાલન કરીને આ સભા કરવામાં આવશે એવો દાવો પણ કોગ્રેસે કર્યો છે.

December 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અટવાઈ પડેલા આટલા પ્રોજેક્ટને ફરી કામ ચાલુ કરવાની મહારેરાએ આપી મંજૂરી જાણો વિગત

by Dr. Mayur Parikh November 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 નવેમ્બર  2021 
મંગળવાર.

“ મહારેરા“ હેઠળ રજિસ્ટર્ડ થયેલા પણ સમયસર કામ ચાલૂ નહીં કરવાને કારણે બંધ કરી દેવામાં આવેલા હાઉસિંગ પ્રોજેક્ટનું કામ ફરી ચાલુ કરવાની મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા “ લેપ્સ પ્રોજેક્ટ“ની યાદી મહારેરાએ તૈયાર કરી છે, જેમાં એક પણ ઘર નહીં વેચાયેલા પ્રોજેક્ટને ફરી મુદત વધારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા લગભગ 149 પ્રોજેક્ટ છે, જેના કામ બંધ પડી ગયા છે અને તેને કારણે તેના એક પણ ઘર વેચાયા નથી.

મુંબઈ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી, ‘મિશન યુવા સ્વાસ્થ્ય' અભિયાન અંતર્ગત મનપાએ આટલા હજાર વિધાર્થીઓને લગાવી રસી; જાણો વિગતે 

રેરા કાયદા મુજબ મહારેરામાં રજિસ્ટર્ડ થયેલા પ્રોજેક્ટના કામ  નક્કી કરેલા સમયમાં પૂરા કરવા ફરજિયાત છે. કામ પૂરા નહીં થયા તો મહારેરા પાસે અરજી કરીને મુદત વધારી શકાય છે. મુદત વધારી નહી લેનારા પ્રોજેક્ટ લેપ્સ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવે છે. આવા પ્રોજેક્ટના ઘર વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પ્રતિબંધ બાદ પણ ઘર વેચ્યા તો રેરા કાયદા મુજબ તેની સામે પગલા લેવામાં આવે છે.
 મહારેરાએ 2017થી 2021 સુધીના લેપ્સ પ્રોજેક્ટની યાદી તૈયાર કરી છે. જેમાં રાજયભરના 3,371 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ યાદીમાં રહેલા પ્રોજેક્ટને મુદત વધારી આપવાની જોગવાઈ રેરા કાયદામાં છે. પરંતુ તે માટે ડેવલપરે 51 ટકા ગ્રાહકોની મંજૂરી લેવાની આવશ્યક હોય છે. તે હોય તો જ મુદત વધારીને મળે છે. જે ડેવલપર આ મંજૂરી મેળવી શકતો નથી, તેના પ્રોજેક્ટ રખડી જાય છે અને ગ્રાહકોને પણ નુકસાન થાય છે. તેથી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને મહારેરા 51 ટકા સંમત્તિ નહીં ધરાવતા પ્રોજેક્ટમાં સુનાવણી લઈને એવા પ્રોજેક્ટ  ફરી ચાલુ કરવા માટે અમુક શરત, નિયમો રાખીને મુદત વધારી આપવામાં આવવાની છે.

November 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈની લોકલમાં આજથી આ વર્ગને પણ મળી પ્રવાસની છૂટ; જાણો વિગત

by Dr. Mayur Parikh October 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

શુક્રવાર

મુંબઈની લોકલ ટ્રેનમાં અત્યાવશ્યક કર્મચારીઓ અને કોરોના રસીના બન્ને ડોઝ લીધેલા નાગરિકોને પ્રવાસની પરવાનગી છે. ૧૮ વર્ષથી ઓછી વયના લોકોનાં રસીકરણ થયાં ન હોવાથી લોકલમાં પ્રવાસની છૂટ નથી. એથી શાળા-કૉલેજ જનારા વિદ્યાર્થીઓને પ્રવાસમાં અડચણ થઈ રહી છે. તેમની આ સમસ્યા હવે દૂર થશે. આજથી ૧૮ વર્ષથી ઓછી વયના લોકો રેલવે પ્રવાસમાં કરી શકશે. રાજ્ય સરકારના આદેશ બાદ મધ્ય અને પશ્ચિમ રેલવે આ નિર્ણય લીધો છે. 

લોકલમાં પ્રવાસ કરવા માટે 18 વર્ષથી નીચેનાઓને માસિક પાસ જ મળશે, ટિકિટની સુવિધા નહીં મળે. તે પણ સ્પષ્ટ કરાયું છે. પાસ લેવા માટે વિદ્યાર્થીઓએ પુરાવા તરીકે આઇડી દેખાડવું પડશે. પ્રવાસ સમયે આઇડી અને પાસ બંને સાથે રાખવાં પડશે એવું રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.

NCBના આ બાહોશ અધિકારીને મુંબઈ પોલીસનું તેડું, જાસૂસી પ્રકરણમાં થશે પૂછતાછ; જાણો વિગત

18 વર્ષથી નીચેનાં બાળકોને રસી આપવાનો રાજ્ય સરકારે હાલમાં જ નિર્ણય લીધો હતો. લોકલ પ્રવાસ માટે કોને કોને પરવાનગી છે આ બાબતે રાજ્ય સરકારે રેલવે સાથે ચર્ચા કરી હતી. અંતે વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને આજથી તેમને લોકલમાં પ્રવાસની પરવાનગી મળશે.

October 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક