• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - presidential election - Page 2
Tag:

presidential election

દેશ

દેશના 15મા રાષ્ટ્રપતિ બનશે દ્રૌપદી મુર્મુ-બીજા રાઉન્ડ સુધીમાં દ્રૌપદી મુર્મૂને યશવંત સિંહાથી બમણા કરતા વધુ મત-જાણો કોને કેટલા મત મળ્યા 

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) બાદ હવે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે એનડીએના(NDA) ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની(Draupadi Murmu)  જીત નિશ્ચિત માનવામાં આવે છે. 

બીજા તબક્કાની મત ગણતરીમાં(vote counting) મુર્મૂને 4,83,299 મૂલ્ય ધરાવતા મત મળ્યા છે જ્યારે સિંહાના(yashwant Sinha) મતનું મૂલ્ય 1,89,876 થાય છે. 

દ્રૌપદી મુર્મૂને અત્યાર સુધીમાં કુલ 1349 મત મળ્યા છે જ્યારે યશવંત સિંહાને 537 મત મળ્યા છે. 

સાંસદોના મતની(MP vote) ગણતરીમાં કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા હતા જ્યારે યશવંત સિંહાને 208 મત મળ્યા હતા. 

જોકે સાંસદોના મતમાંથી 15 સાંસદોના મત ઇનવેલિડ થયા હતા.

આ સમાચાર પણ વાંચો :  ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા-સરકારે સંસદમાં આપ્યો જવાબ-જાણો ચોંકાવનારો આંકડો

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દ્રૌપદી મુર્મુ બની શકે છે રાષ્ટ્રપતિ-પ્રથમ રાઉન્ડની મતગણતરીમાં દ્રૌપદી મુર્મુને મળ્યા આટલા વોટ-જાણો વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની પરિસ્થિતિ

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિની ચૂંટણીની(presidential election) મત ગણતરીમાં(vote counting) NDAના ઉમેદવાર(Candidate) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) આગળ ચાલી રહ્યાં છે. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડની(First Round) મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. 

મીડિયા રિપોર્ટ મુજબ દ્રૌપદી મુર્મુને 3,78,000 મતના મૂલ્ય સાથે 540 મત મળ્યા. વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને(Yashwant sinha) 1,43,600ના મૂલ્ય સાથે 208 મત મળ્યા

અત્યાર સુધીમાં કુલ 748 મત પડ્યા છે, જેની કિંમત 523600 છે.
 
ઉલ્લેખનીય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો(Ram nath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ-કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઈડીના દરબારમાં થયા હાજર-પુછપરછને લઈને કહી આ મોટી વાત- જુઓ વિડીયો  

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

બધા રાજ્યોમાં જ્યાં વિપક્ષ પોતાના ધારાસભ્યોને છુપાડે છે ત્યાં આ રાજ્યમાં ભાજપે પોતાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા સુરક્ષિત સ્થળે ખસેડ્યા

by Dr. Mayur Parikh July 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે દેશભરના સાંસદો(MPs) અને ધારાસભ્યો(MLA) મતદાન(Voting) કરશે. 

જોકે મતદાન પહેલા એનડીએને(NDA) ક્રોસ વોટિંગનો(cross voting) ભય સતાવી રહ્યો છે. 

એટલે ભાજપે(BJP)  સાવચેતીના પગલાં રૂપે પશ્ચિમ બંગાળમાં(West Bengal) તેના 69 MLAને ફાઈવ સ્ટાર હોટલમાં(five star hotel) શિફ્ટ કરી દીધા છે.

હવે અહીંથી ભાજપના તમામ ધારાસભ્ય  એક સાથે મતદાન કરવા જશે.
 
માનવામાં આવે છે કે આ ધારાસભ્યો પર વિપક્ષના(opposition Party) રાષ્ટ્રપતિ પદના(Presidency) ઉમેદવાર યશવંત સિન્હાને(Yashwant Sinha) વોટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તેથી ભાજપ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી બનતા જ એકનાથ શિંદેએ લીધો અજબ નિર્ણય-મુંબઈના તળાવોનું આટલું પાણી થાણાને આપી દીધું-જાણો વિગત

July 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સતત બગડતા સમીકરણો વચ્ચે વિપક્ષ માટે સારા સમાચાર-આ પાર્ટીએ યશવંત સિન્હાના સમર્થનનું કર્યું એલાન

by Dr. Mayur Parikh July 16, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને(Presidential election) લઈને સત્તા પક્ષ(Power party) અને વિપક્ષી જૂથ(opposition group) બંને એક્ટિવ મોડમાં આવી ગયા છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ(Union Territory) દિલ્હી(Delhi) અને પંજાબની(Punjab) સત્તા પરની આમ આદમી પાર્ટીનો(Aam Aadmi Party) સાથ વિપક્ષી દળોને(Opposition Party)મળી ગયો છે. 

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર(Opposition candidate) યશવંત સિન્હાનું(Yashwant Sinha) સમર્થન કરવાનું એલાન કર્યું છે. 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા(Rajya Sabha) સાંસદ(MP) સંજય સિંહે(Sanjay Singh) શનિવારે યશવંત સિન્હાના સમર્થનનું એલાન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની દશા ન ઘરના અને ન ઘાટના જેવી થઈ-દ્રૌપદી મુર્મુ મળવા ન આવી અને યશવંત સિંહાએ આ કામ કર્યું-જાણો કઈ રીતે નાક કપાયું

July 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Two arrested for exchanging boarding passes at Mumbai airport
મુંબઈ

આ તારીખે વિધાનભવનથી એરપોર્ટ સુધીનો રસ્તો આરક્ષીત રસ્તો હશે-આ છે કારણ સાચવીને ટ્રાવેલ કરજો- જાણો વિગત

by Dr. Mayur Parikh July 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આગામી 18 જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી(Presidential election) થવાની છે, તેથી મુંબઈ(Mumbai) પણ આ ચૂંટણી માટે મતદાન(Voting) પાર પડ્યા બાદ  મતપેટીઓ(ballot boxes) દિલ્હીમાં મોકલવા વિધાનસભા ભવનથી(Assembly Building) મુંબઈ એરપોર્ટ((Mumbai Airport) સુધીનો માર્ગ  આરક્ષિત કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી(Chief Electoral Officer) શ્રીકાંત દેશપાંડેએ(Srikanth Deshpande) ગૃહ વિભાગને આવી સૂચના આપી છે. તેથી 18 જુલાઈના દિવસે દક્ષિણ મુંબઈમાં(South Mumbai) આવેલી પોતાની ઓફિસથી પશ્ચિમ ઉપનગરમાં(western suburbs) પોતાના વાહન લઈ જનારાઓ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 

રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી માટે બુધવારે મુંબઈમાં વિધાનસભા ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓની બેઠક મળી હતી. આ દરમિયાન મતપેટીઓ જે રસ્તા પરથી લઈ જવામાં આવવાની છે, તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી વિધાન ભવનમાં મતદાન થશે. ગૃહ વિભાગ આ દિવસે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટી અને અન્ય સામગ્રી વાહન દ્વારા વિધાનસભા ભવનથી મુંબઈ એરપોર્ટ (ટર્મિનલ-2) સુધી લઈ જવામાં આવશે. તદનુસાર, સુરક્ષા વ્યવસ્થા તેમજ વિધાન ભવનથી મુંબઈ એરપોર્ટ સુધી વાહન માટે “અલગ રૂટ” આરક્ષિત રાખવામાં આવવાનો છે.  જેથી કરીને કોઈ અગવડ ન પડે. 

આ સમાચાર પણ વાંચો : તમે પણ લોકલ ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો-તો પહોંચી જાવ રેલવે ઓફિસમાં-છ મહિનામાં વેસ્ટર્ન રેલવેએ આટલી વસ્તુઓ મૂળ માલિકને પાછી કરી-જાણો વિગત

મુખ્ય ચૂંટણી અધિકારી દેશપાંડેએ સૂચના આપી હતી કે સુરક્ષા અધિકારીઓ તેમજ ચૂંટણી પ્રક્રિયાની(election process) તસવીરો અને વીડિયો લેનારા પ્રતિનિધિઓને એરપોર્ટના આંતરિક વિસ્તારમાં પ્રવેશવા માટે સંબંધિતોને વિશેષ પ્રવેશ પાસ આપવામાં આવે.

વિધાનસભાના મુખ્ય સચિવ(Chief Secretary of the Legislature) અને મદદનીશ રિટર્નિંગ ઓફિસર(Assistant Returning Officer) રાજેન્દ્ર ભાગવતે(Rajendra Bhagwat) જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji International Airport) ઓથોરિટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અધિકારીઓ અને બેલેટ બોક્સની સુરક્ષા તપાસ કર્યા વિના વિમાનમાં સીધો પ્રવેશ મેળવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
 

July 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઉદ્ધવ ઠાકરેનું વેંત ભરીને નાક કપાયું- દ્રૌપદી મુર્મુને ખુલ્લુ સમર્થન આપ્યું તેમ છતાય તેમને કાર્યક્રમમાં કોઈ આમંત્રણ નહીં-જાણો વિગતે

by Dr. Mayur Parikh July 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ પદના(The presidency) ઉમેદવાર દ્રૌપદી મુર્મુને(Draupadi Murmu) સમર્થન જાહેર કરનાર શિવસેનાને(Shivsena) ફરી મોટો ઝટકો લાગ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રૌપદી મુર્મુ સમર્થન મેળવવા માટે આજે મુંબઈ(Mumbai) આવી રહ્યા છે. આ દરમિયાન તે ભાજપ(BJP) અને શિંદે જૂથના(Shinde group) નેતાઓ સાથે બેઠક કરશે.

જોકે ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાને દ્રૌપદી મુર્મુ સાથેની આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે મંગળવારે તેમણે જાહેરાત કરી હતી કે શિવસેના દ્રૌપદી મુર્મૂને સમર્થન કરશે.

આ સમાચાર પણ વાંચો : સત્તા કબજે કરવા શરદ પવારનો નવો પ્લાન-કહ્યું-આપણી યુતિ શિવસેના સાથે હતી તો શિંદે પણ શિવસેના કહેવાય-જાણો શું ચાલી રહ્યું છે

July 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું

by Dr. Mayur Parikh June 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભાજપ(BJP) જેનું નેતૃત્વ કરે છે એ NDA ઉમેદવારના(NDA candidate) દ્રૌપદી મુર્મૂનું(Draupadi Murmu) રાષ્ટ્રપતિ(President)બનવું લગભગ નિશ્ચિત છે. 

કારણ કે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને હવે NDA બહારના પક્ષોનું પણ સમર્થન મળી રહ્યું છે.

આંધ્રપ્રદેશના(Andhra Pradesh) મુખ્યમંત્રી(CM) જગનમોહન રેડ્ડીએ(Jaganmohan Reddy) એનડીએના(NDA) રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનુ એલાન કરી દીધું છે. 

આંધ્ર પ્રદેશના CM જગનમોહન રેડ્ડીનુ માનવુ છે કે તેઓ હંમેશાથી એસસી(SC), એસટી(ST), ઓબીસીને(OBC) પ્રતિનિધિત્વ આપવાની વાત કરતા રહ્યા છે અને દ્રૌપદી મુર્મૂ આ વિચારધાર હેઠળ આવે છે માટે અમે તેમનુ સમર્થન કરીએ છીએ.

રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) 18 જુલાઈના રોજ યોજાશે. દ્રૌપદી મુર્મુ આજે ઉમેદવારી નોંધાવશે.

આ સમાચાર પણ વાંચો : હોસ્પીટલમાં દાખલ સોનિયા ગાંધીને હવે આ તારીખે ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન- જાણો વિગતે

June 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

રાષ્ટ્રપતિ પદ માટે BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પાક્કી- જાણો આંકડાની રમત

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતીય જનતા પાર્ટી(BJP) અને વિપક્ષે(Opposition) રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ NDA તરફથી ઓડિશાના(Odisha )આદિવાસી મહિલા નેતા(tribal women leader) અને ઝારખંડના(Jharkhand) પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ(Former Governor Draupadi Murmu) પર દાવ રમ્યો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દ્રૌપદી મુર્મુ 25 જૂનના પોતાનું નોમિનેશન ફાઈલ કરી શકે છે. આ માટે ભાજપે તેના તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને(Union Ministers) 24 અને 25 તારીખે દિલ્હીમાં જ રહેવાની સૂચના આપી છે. દ્રૌપદી મુર્મુ છ વર્ષ અને એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને, વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના (Yashwant Sinha) નામની જાહેરાત કરી છે. યશંવત સિંહા બે વખત કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) રહી ચૂક્યા છે. પહેલી વખત તેઓ 1990માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપેયીની(Bihari Vajpayee) સરકારમાં નાણામંત્રી હતા. તેઓ વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી(Foreign Minister) પણ રહી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન(Voting) કરનારા આ રાજકીય જોડાણોની તાકાત વિશે જોઈએ તો કોંગ્રેસના(Congress) નેતૃત્વ હેઠળના યુપીએ(UP) ગઠબંધન પાસે હાલમાં લગભગ 23 ટકા વોટ છે, જ્યારે એનડીએ ગઠબંધન પાસે લગભગ 49 ટકા વોટ છે, જે યુપીએ કરતા બમણાથી વધુ છે. આવી સ્થિતિમાં યુપીએની હરીફાઈમાં ભાજપને મોટી લીડ છે, પરંતુ જો વિપક્ષો સાથે મળીને ઉમેદવાર ઉભા રાખે છે અને દેશના તમામ પ્રાદેશિક પક્ષો(Regional parties) તેમને સમર્થન આપે છે, તો ભાજપના ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે જો તમામ ભાજપ વિરોધી પક્ષો એક થાય છે, તો તેમની પાસે એનડીએ કરતા બે ટકા વધુ મત છે, એટલે કે લગભગ 51 ટકા મત છે. આથી જ ભાજપ હાઈકમાન્ડે(Highcomand) બે ટકા મતોના આ અંતરને પૂરવાના મિશનમાં શરૂઆત કરી હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત

એનડીએની તરફેણમાં 440 સાંસદો છે જ્યારે યુપીએ પાસે લગભગ 180 સાંસદો છે, ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના 36 સાંસદો છે. TMC સામાન્ય રીતે વિપક્ષના ઉમેદવારને સમર્થન આપે છે. અંદાજ મુજબ, NDA પાસે કુલ 10,86,431માંથી લગભગ 5,35,000 વોટ છે. આમાં તેના સાથી પક્ષો સાથે તેના સાંસદોના સમર્થન સાથે 3,08,000 મતોનો સમાવેશ થાય છે.

રાજ્યોમાં ભાજપને ઉત્તર પ્રદેશમાંથી 56,784 મતો છે, જ્યાં તેની પાસે 273 ધારાસભ્યો છે. ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યને સૌથી વધુ 208 વોટ છે. રાજ્યોમાં, NDA બિહારમાં તેનો બીજો સૌથી વધુ વોટ શેર મેળવશે જ્યાં, 127 ધારાસભ્યો સાથે, તેને 21,971 મત મળશે કારણ કે દરેક ધારાસભ્ય પાસે 173 મત છે. તે પછી 18,375 મતો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે, જ્યાં તેની પાસે 105 ધારાસભ્યો અને પ્રત્યેક 175 મત છે. યુપીએ પાસે સાંસદોના 1.5 લાખથી વધુ વોટ છે અને આ સંખ્યાની આસપાસ તેને ધારાસભ્યોના વોટ પણ મળશે.  ભૂતકાળની કેટલીક ચૂંટણીઓમાં પણ વિપક્ષના ઉમેદવારને ત્રણ લાખથી ઓછા મત મળ્યા છે. આ વખતે દરેક સાંસદના વોટની કિંમત 700 હશે. અગાઉ તે 708 હતો.

આ સમાચાર પણ વાંચો : યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન

by Dr. Mayur Parikh June 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) 18 જુલાઈએ થવાની છે, પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો(Presidential Candidates) પર તમામની નજર છે. 

દરમિયાન વિપક્ષ(Opposition) તરફથી યશવંત સિન્હાને(Yashwant Sinha) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે. 

યશવંત સિન્હા 27 જૂને સવારે 11:30 વાગે નોમિનેશન(Nomination) દાખલ કરશે. 

આજે વિપક્ષની બેઠકમાં(opposition Meeting) ટીએમસીએ(TMC) યશવંત સિન્હાનુ નામ આગળ વધાર્યુ, જેને વિપક્ષના 19 દળોનુ સમર્થન મળ્યુ.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મોટા સમાચાર-રાજનાથ સિંહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો- કહી આ વાત

by Dr. Mayur Parikh June 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે સરકાર અને વિપક્ષ(Government and Opposition)બંનેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ભાજપના વરિષ્ઠ નેતા(Senior BJP leader) અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી(Central Defense MInister) રાજનાથ સિંહે(Rajnath Singh) ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) અને શિવસેના ચીફ(Shiv Sena chief) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે ફોન પર વાતચીત કરી. 

આ વાતચીતમાં રાજનાથ સિંહે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના(NDA) ઉમેદવાર માટે ઉદ્ધવ ઠાકરે પાસે સમર્થન માંગ્યું છે.

આ ફોન કોલ બાદ રાજનાથ સિંહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાતની શક્યતાઓ પણ વધી ગઈ છે. 

શક્ય છે કે ટૂંક સમયમાં જ બંને નેતાઓ દિલ્હી(Delhi) કે મુંબઈમાં(Mumbai) એકબીજા સાથે ઔપચારિક મુલાકાત કરે.

ઉલ્લેખનીય છે કે એનડીએ વતી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે વિપક્ષના નેતાઓ સાથે વાત કરવાની જવાબદારી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ(BJP national president) જેપી નડ્ડાને(JP Nadda) આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં આજે બપોરે એક વાગે દસમા ધોરણનું પરિણામ- આ લીંક પર ક્લિક કરો અને પરિણામ જાણો

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક