• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - prevention
Tag:

prevention

World Thalassemia Day 2025 The organization working for the prevention of this deadly disease is the ‘Indian Red Cross Society’.
ઇતિહાસસ્વાસ્થ્ય

World Thalassemia Day 2025: આજે છે વિશ્વ થેલેસેમિયા દિવસ.. આ જીવલેણ બીમારીના નિવારણ માટે કામગીરી કરતી સંસ્થા એટલે ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’

by kalpana Verat May 8, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

World Thalassemia Day 2025:

  • થેલેસેમિયા નિવારણના ધ્યેયમંત્ર સાથે કામગીરી કરતી સંસ્થા એટલે ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’
  • ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હીમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા ૨૦૦૪થી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ કાર્યરત
  •  વ્યાપની દૃષ્ટિએ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પહેલો મોટો પ્રોગ્રામ
  • ગુજરાતની ૪૫ યુનિવર્સિટીઓમાં ૪૦,૭૨,૭૩૮ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ
  • હાઇ રિસ્ક ધરાવતા સમાજના ૧,૨૧,૧૭૨ યુવાનોનું સ્ક્રિનિંગ
  • ૯,૭૭,૦૬૭ ગર્ભવતી મહિલાઓનું સ્ક્રીનિંગ- ૨૬૫૯ કિસ્સામાં પ્રિ-નેટલ ડાયગ્નોસિસ કરાતાં ૬૧૩ જેટલા થેલેસેમિક બાળકોના જન્મને રોકવામાં સફળતા

માનવતાવાદી સેવા અને વિશ્વ શાંતિના ધ્યેયમંત્ર સાથે હેનરી ડયુનાન્ટે રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરી હતી. હેનરી ડયુનાન્ટના જન્મદિવસ 8મી મે ને વિશ્વભરમાં ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ જ દિવસે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની ઉજવણી પણ કરવામાં આવે છે. 

આ વર્ષે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની થીમ ‘ થેલેસેમિયા સામે એક થઈએ : સમુદાયોને સાથે લાવીએ અને દર્દીને પ્રાથમિકતા આપીએ’ (‘Together for Thalassaemia: Uniting Communities, Prioritising Patients’) છે.

દેશમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી થેલેસેમિયા અને  સિકલ સેલ પ્રિવેન્શન સહિત આરોગ્ય અને માનવતાવાદી સેવા ક્ષેત્રે વર્ષોથી નોંધપાત્ર કામગીરી કરીને પોતાનું પ્રદાન આપતી રહી છે.

 ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ વ્યાપની દૃષ્ટિએ માત્ર ભારત નહીં સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પહેલો મોટો પ્રોગ્રામ છે. 

લોહીની ગંભીર બિમારી- થેલેસેમિયા અને સિકલ સેલ સામે રેડ ક્રોસ, ગુજરાત સંસ્થા જંગે ચડી છે અને રાજ્ય સરકારના સહયોગથી ઠોસ કામગીરી કરી રહી છે.   

આ સમાચાર પણ વાંચો :  World Earth Day : આજે 22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ.. પ્રથમ વખત ‘આ’ વર્ષમાં થઇ હતી ઉજવણી..

World Thalassemia Day 2025: દેશમાં થેલેસેમિયા અને સિકલ સેલની સ્થિતિ

ભારત દુનિયાનો સૌથી મોટો થેલેસેમિયા મેજરથી અસરગ્રસ્ત લોકો ધરાવતો દેશ કહેવાય છે. 

લગભગ ૧ થી ૧.૫ લાખ બાળકો થેલેસેમિયા મેજર અને લગભગ સવા ચાર કરોડ લોકો થેલેસેમિયા માઇનોરના લક્ષણ ધરાવે છે. 

ભારતમાં દર વર્ષે આશરે ૧૦ થી ૧૫ હજાર જેટલા થેલેસેમિયા મેજર બાળકો જન્મે છે. 

ભારતમાં સિકલ સેલ પણ એક વ્યાપક રોગ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક પ્રદેશોમાં કેટલાક સમુદાયોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સિકલ સેલ જિનનું કેરિયર પ્રમાણ ૧% થી ૩૫% સુધી હોય છે, તેથી અનેક લોકોને સિકલ સેલ રોગ હોય છે.

World Thalassemia Day 2025 The organization working for the prevention of this deadly disease is the ‘Indian Red Cross Society’.

World Thalassemia Day 2025: શું છે થેલેસેમિયા અને સીકલ સેલ રોગ ?

થેલેસેમિયા અને સીકલ સેલ રોગ ‘હિમોગ્લોબિનોપથીઝ’ તરીકે ઓળખાય છે. આ બંને રોગ લોહીના રક્તકણોને લગતી સમસ્યા સર્જે છે. થેલેસેમિયા અને સીકલ સેલ રોગ એક પ્રકારે જીનેટીક ડિસઓર્ડર છે જે લોહીમાં રહેલા હિમોગ્લોબિનના સ્ટ્રક્ચર અને પ્રોડક્શનને નકારાત્મક અસર કરે છે.

World Thalassemia Day 2025: રેડ ક્રોસ ગુજરાતનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’

ગુજરાતના નાગરિકોમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હેમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા માટે રેડ ક્રોસે ૨૦૦૪માં ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ શરૂ કર્યો હતો. 

આ પ્રોગ્રામ દેશની અન્ય આરોગ્ય સુરક્ષા સંસ્થાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની ગયો છે. ગુજરાતની રેડ ક્રોસની આ કામગીરીએ અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના બહુમાન પ્રાપ્ત કર્યા છે. 

World Thalassemia Day 2025: ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવે છે:

૧. પ્રિમેરિટલ સ્ક્રિનિંગ (Pre-marital Screening Programme)

૨. હાઇ રિસ્ક સમુદાય સ્ક્રિનિંગ (High Risk Community Screening)

૩. અંતરગર્ભીય સ્ક્રિનિંગ અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ (Antenatal Screening and Prenatal Diagnosis Project)

World Thalassemia Day 2025 The organization working for the prevention of this deadly disease is the ‘Indian Red Cross Society’.

World Thalassemia Day 2025: પ્રિમેરિટલ સ્ક્રિનિંગ પ્રોગ્રામ

ગુજરાત રેડ ક્રોસ વિવિધ કોલેજો અને શાળાઓમાં થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કરે છે, જેમાં વિદ્યાર્થીઓનું સસ્તા દરે સ્ક્રિનિંગ કરવામાં આવે છે. 

૨૦૦૪થી ૨૦૨૫ સુધી, ગુજરાતની ૪૫ યુનિવર્સિટીઓ આ કાર્યક્રમમાં જોડાઇ છે. કુલ ૪૦,૭૨,૭૩૮ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ થયું છે.   

થેલેસેમિયા માઇનર વિદ્યાર્થિઓની સંખ્યા ૧,૭૩,૦૦૬ (૪.૨૫%); સિકલ સેલ ટ્રેટ ધરાવતા વિદ્યાર્થીઓની  સંખ્યા ૧,૬૭,૮૧૯ (૪.૧૨%) અને નોર્મલ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫,૬૮,૪૨૯ છે. 

આ સમાચાર પણ વાંચો : World Homoeopathy Day : આજે છે વિશ્વ હોમિયોપેથી ડે, હોમિયોપેથીના સ્થાપક ડો. હેનેમેનના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે આ દિવસ…

World Thalassemia Day 2025: હાઇ રિસ્ક ધરાવતા સમાજના લોકોનું સ્ક્રિનિંગ  

થેલેસેમિયા અને સિકલ સેલ રોગોવાળા હાઇ રિસ્ક સમુદાયો માટે રેડ ક્રોસ ખાસ સ્ક્રિનિંગ કાર્યક્રમ ચલાવે છે. 

‘સેફ મેરેજ’ની પ્રેક્ટિસને પ્રોત્સાહિત કરવાનો આ પ્રોગ્રામનું મુખ્ય ઉદ્દેશ્ય છે. આનો અર્થ એ છે કે લગ્ન  પહેલાં, ઓછામાં ઓછો એક પક્ષ કેરિયર ન હોય તેની ખાતરી કરવામાં આવે છે. 

ગુજરાતના કેટલાક સમુદાયોની સંસ્થાઓ જેમ કે ખારવા સમાજ (પોરબંદર), લોહાણા મહાજન પરિષદ (સમગ્ર ગુજરાત), કચ્છી ભાનુશાળી સેવા સમાજ, સિંધિ સમાજ (અમદાવાદ), લેઉવા પાટીદાર સમાજ (સુરત) આ પ્રોગ્રામની સહયોગી છે.

અત્યાર સુધીમાં ૧,૨૧,૧૭૨ યુવાનોનું સ્ક્રિનિંગ થયું છે તેમાં ૧૪% થી ૧૭% યુવાનો થેલેસેમિયા અથવા સિકલ સેલ પોઝિટિવ જોવા મળ્યા છે.

World Thalassemia Day 2025 The organization working for the prevention of this deadly disease is the ‘Indian Red Cross Society’.

 

World Thalassemia Day 2025: અંતરગર્ભીય સ્ક્રિનિંગ અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ પ્રોજેક્ટ

૨૦૧૦માં ગુજરાત રેડ ક્રોસે અંતરગર્ભીય અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં ગર્ભવતી મહિલાઓનું થેલેસેમિયા અને સિકલ સેલ માટે સ્ક્રિનિંગ થાય છે. 

જ્યારે ગર્ભવતી મહિલાઓ OPDમાં પ્રથમ વખત આવે છે, ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જો તેઓ કેરિયર હોય, તો તેમના પતિનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

 જો બંને પતિ-પત્ની કેરિયર હોય, તો તેમને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ (PND) માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી શિશુમાં થેલેસેમિયા મેજર કે સિકલ સેલ રોગ હોવાની શક્યતા જાણી શકાય છે. 

આ પ્રોગ્રામ દ્વારા દર્દીઓ અને દંપત્તિઓને જિનેટિક રોગો અંગે કાઉન્સેલિંગ આપવામાં આવે છે, જેથી તેઓને રોગની સ્થિતિ વિશે સમજ અને માર્ગદર્શન મળે.

૨૦૧૦- ૨૦૨૫ સુધીમાં ૯,૭૭,૦૬૭ ગર્ભવતી મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાંથી પોઝિટિવ ગર્ભવતી મહિલાઓનીં સંખ્યા ૫૩,૨૩૦ છે અને ૪૨,૨૦૫ પતિઓનું સ્ક્રિનિંગ થયું છે. 

૨૬૫૯ કિસ્સામાં પ્રિ-નેટલ ડાયગ્નોસિસ કરાતાં ૬૧૩ જેટલા થેલેસેમિક બાળકોના જન્મને રોકવામાં આવ્યા છે, જે આ પ્રોજેક્ટની નોંધપાત્ર સિદ્ધિ છે. 

World Thalassemia Day 2025 The organization working for the prevention of this deadly disease is the ‘Indian Red Cross Society’.

 

‘રેડક્રોસ’ ગુજરાતના ચેરમેન શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ રોગો અંગે અવરનેસ વધારવામાં પણ રેડ ક્રોસનું મોટું યોગદાન છે. 

ગુજરાત રેડ ક્રોસ આ પ્રોગ્રામને વધુ આગળ વધારવા માટે સક્રિયપણે કાર્યરત છે. હાઇ રિસ્ક સમુદાયોને જોડીને, નવા વિસ્તારમાં જાગૃતિ અભિયાન શરૂ કરવાં અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ સક્ષમ પ્રિ-નેટલ ડાયગ્નોસિસ સુવિધાઓ વિકસાવવાની નેમ સંસ્થાએ રાખી છે.”

‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ બનાવવા અને સિકલ સેલના નિવારણ માટે ગુજરાત રેડ ક્રોસના ઉપયુક્ત પ્રયાસો અવેરનેસ અને પ્રિવેન્શનના સ્તરે મહત્ત્વના રહ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.

સન્માન

રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના જનરલ સેક્રેટરી શ્રી પ્રકાશ પરમારને આગામી ૧૩મી મેના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર સંસ્થાની સાધારણ સભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડાજીના હસ્તે ‘એમ્પ્લોઈ ઓફ ધ યર ૨૦૨૨-૨૩’ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Annapurna Maharana (1)_11zon
ઇતિહાસ

World Cancer Day: વિશ્વ કેન્સર દિવસ એ 4 ફેબ્રુઆરીએ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને તેની રોકથામ, શોધ અને સારવારને પ્રોત્સાહિત કરવા માટે ચિહ્નિત થયેલ આંતરરાષ્ટ્રીય દિવસ છે.

by NewsContinuous Bureau February 3, 2024
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

World Cancer Day: વિશ્વ કેન્સર દિવસ એ 4 ફેબ્રુઆરીએ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને તેની રોકથામ, શોધ અને સારવારને પ્રોત્સાહિત કરવા માટે ચિહ્નિત થયેલ આંતરરાષ્ટ્રીય દિવસ છે. વિશ્વ કેન્સર દિવસ 2008 માં લખાયેલ વિશ્વ કેન્સર ઘોષણાના લક્ષ્યોને સમર્થન આપવા માટે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલની આગેવાની હેઠળ છે.

 

 

February 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shani Dev Reason and Prevention from Shani Prakop
જ્યોતિષ

Shani Dev : શનિનો પ્રકોપ છે તો આ મંદિરોમાં કરો દર્શન, સાડાસાતી અને ઢૈયાથી મળશે રાહત

by kalpana Verat August 20, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Shani Dev : જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા દોષ વિશે જણાવવામાં આવ્યું છે કે જેના કારણે કુંડળીમાં હોવાને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમાંથી એક છે શનિદોષ, જેના કારણે જીવન બરબાદ થઈ જાય છે. શનિની સાડાસાતી, ઢૈયા અને શનિની મહાદશા લોકોનું જીવન બરબાદ કરી નાખે છે. આવી સ્થિતિમાં શનિ દોષથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. શનિના દોષોથી છુટકારો મેળવવાના ઉપાયો સાથે તમે આ ખાસ મંદિરોમાં દર્શન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં દર્શન કરવાથી શનિદોષથી મુક્તિ મળી શકે છે.

શનિ શિંગણાપુર – મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શિંગણાપુર ગામમાં શનિદેવનું શનિ શિંગણાપુર મંદિર આવેલું છે. અહીંના મંદિરમાં દર્શન કરવાથી શનિદેવની કૃપાથી તમામ શનિદોષોથી મુક્તિ મળે છે. અહીં ગામમાં ઘરોને કોઈ તાળું મારતું નથી, શનિની કૃપાથી અહીં દરેક ઘરની રક્ષા થાય છે.

શનિ ધામ મંદિર – દિલ્હીના છતરપુરમાં આવેલું શનિધામ મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે. આ મંદિરમાં શનિવારે ઘણા ભક્તો દર્શન માટે આવે છે. આ મંદિરમાં શનિદેવના દર્શન કરીને તમે શનિ દોષથી મુક્તિ મેળવી શકો છો.

આ સમાચાર પણ વાંચો : Vegetable : ભૂલથી પણ આ 5 શાકભાજી ન ખાતા કાચા, પેટથી લઈને પાચન સુધીની સમસ્યાઓનો ખતરો વધી જશે

શ્રી શનિચર મંદિર ગ્વાલિયર – ભગવાન શનિનું પ્રસિદ્ધ મંદિર, શનિચર મંદિર ગ્વાલિયરમાં આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અહીં શનિદેવનો દેહ છે, જેને હનુમાનજીએ લંકાથી ફેંકી દીધો હતો. આ મંદિરના દર્શન કરવાથી શનિ દોષ દૂર થાય છે.

શનિ મંદિર – શનિ મંદિર કર્ણાટકના તુમકુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરના દર્શન કરવાથી શનિ દોષોમાંથી મુક્તિ મળે છે. જે લોકો શનિ દોષથી પીડિત હોય તેમણે આ મંદિરના દર્શન કરવા જોઈએ. અહીં શનિદેવ કાગડા પર બિરાજમાન છે.

કોકિલાવન શનિ મંદિર – કોકિલાવ ધામ મંદિર ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલું છે. અહીં 7 શનિવાર સુધી શનિદેવને તેલ ચઢાવવાથી શનિ સંબંધિત તમામ દોષ દૂર થાય છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

August 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

મહિમા ચૌધરીને થયું બ્રેસ્ટ કેન્સર- આ લક્ષણો દેખાતા જ મહિલાઓએ રાખવી જોઈએ સાવચેતી-જાણો સ્તન કેન્સરના લક્ષણો અને કારણો

by Dr. Mayur Parikh June 10, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓ કેન્સરનો(cancer) શિકાર બની ચૂકી છે. તે જ સમયે, કેન્સરને કારણે ઘણા લોકોએ અકાળે જીવ ગુમાવ્યો છે. વર્ષ 1997માં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ પરદેશમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરનાર મહિમા ચૌધરી(Mahima chaudhary breast cancer) તેના સમયની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી, પરંતુ તે લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને હવે એવા અહેવાલો છે કે તેણી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે અને અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.મહિમાએ જણાવ્યું કે તેને બ્રેસ્ટ કેન્સરના કોઈ લક્ષણો નહોતા. તે દર વર્ષે તેનું ચેકઅપ કરાવતી હતી. તેની બાયોપ્સી કરાવ્યા બાદ તેને આ બીમારી વિશે ખબર પડી. મહિમાના જણાવ્યા અનુસાર, કેન્સર ખૂબ જ પ્રારંભિક તબક્કામાં(first stage) હતું, જે સંપૂર્ણ રીતે મટાડી શકાય છે. ચાલો જાણીએ તેના લક્ષણો, કારણો –

બ્રેસ્ટ કેન્સર ના કારણ 

1. પીરિયડ્સમાં ફેરફારઃ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો માસિક સ્રાવ (periords)અથવા પીરિયડ્સમાં થોડો ફેરફાર થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જો માસિક સ્રાવ 12 વર્ષની ઉંમર પહેલાં શરૂ થાય અથવા જો તમે 30 વર્ષની ઉંમરે ગર્ભવતી (pregnant)હો અથવા 55 વર્ષની ઉંમર પછી મેનોપોઝ (menopause)અથવા માસિક સ્રાવ 26 દિવસથી ઓછો હોય અથવા 29 દિવસથી વધુ હોય તો આ સ્થિતિ તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

2. ધૂમ્રપાન અને માદક દ્રવ્યોનો ઉપયોગઃ જો મહિલાઓ આલ્કોહોલ, સિગારેટ કે ડ્રગ્સનો ઉપયોગ કરે છે તો તેમને સ્તન કેન્સર(breast cancer) થવાની શક્યતા વધી જાય છે. કોઈપણ નશોનું વધુ પડતું સેવન શરીરમાં કેન્સરને જન્મ આપે છે.

3. વારસાગત: જો કુટુંબમાં કોઈને પહેલાં સ્તન કેન્સર થયું હોય, તો તે એક રોગ છે જે પેઢીઓ સુધી ચાલે છે. જો નજીકના સંબંધી જેવા ખૂબ જ નજીકના સંબંધમાં કોઈને સ્તન કેન્સર(breast cancer) થયું હોય, તો તે પરિવારની સ્ત્રીને સ્તન કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય જો પરિવારમાં કોઈને કોઈપણ પ્રકારનું કેન્સર થયું હોય તો પણ પરિવારના સભ્યોએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે તે શરીરના તમામ કોષોની રમત છે અને પરિવારના સભ્યોના કોષો અને લોહીનો મેળ થઈ શકે છે.

ઘરે જાતે જ તપાસો લક્ષણો 

નિદાન અગાઉ સ્ત્રીઓએ જાતે જ બ્રેસ્ટ કેન્સરના લક્ષણો ઓળખવા માટે બ્રેસ્ટને અડકીને તમે ચેક (check your breast)કરી શકો છો. આ એરિયામાં સોજો કે ગાંઠ દેખાય, સ્કિન પર એલર્જી થઇ હોય તેવા લક્ષણો જોવા મળે, બ્રેસ્ટને અડવાથી દુઃખાવો થતો હોય, તેના આકારમાં ફેરફાર જણાય કે બ્રેસ્ટની આસપાસ ડેડ સ્કિન(dead skin) વધારે થઇ રહી હોય વગેરે છે. આ સિવાય નિપલમાંથી કોઇ પણ પ્રકારનું પ્રવાહીયુક્ત ડિસ્ચાર્જ થતું હોય તો તમારે તાત્કાલિક ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઇએ.

આ સમાચાર પણ વાંચો : નાસાના આ રોવરે મંગળ ગ્રહની જમીન ઉપરથી મોકલ્યા ફોટા- જોવા મળી બે હાથ જેવી વિચિત્ર આકૃતિ- જુઓ તસવીરો- જાણો વિગતે

અહીં જણાવેલા લક્ષણો જરૂરી નથી કે બ્રેસ્ટ કેન્સરથી સંબંધિત હોય, ઘણીવાર સ્કિન એલર્જીના કારણે પણ બ્રેસ્ટની સ્કિન (breast cancer)પર લાલાશ, ગાંઠ જોવા મળતી હોય છે. બ્રેસ્ટના આકાર અપુરતા ખોરાકના કારણે પણ બદલાતા રહે છે. તેથી જ ચોક્કસ નિર્ણય પર આવતા પહેલાં તમારાં ડોક્ટર સાથે ચર્ચા કરો અને તેઓના જણાવ્યા અનુસાર જરૂરી ટેસ્ટ કરાવી લો.

 

June 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક