Tag: priya sachdev

  • Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો

    Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    Karisma Kapoor-Sunjay Kapoor: અભિનેત્રી કરિશ્મા કપૂર અને ઉદ્યોગપતિ સંજય કપૂર  ના તૂટેલા લગ્ન વિશે સંજયની બહેન  મંદિરા કપૂર સ્મિથ એ તાજેતરમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે દાવો કર્યો કે સંજય અને કરિશ્મા વચ્ચે ત્રીજી પત્ની  પ્રિયા સચદેવ ના સંબંધો જ તેમના લગ્ન તૂટવાના મુખ્ય કારણ બન્યા.

    આ સમાચાર પણ વાંચો : Nita Ambani: ફાલ્ગુની પાઠક ના તાલે ઝૂમી નીતા અંબાણી, દાંડિયા કવીન સાથે ગરબા રમી ને ધૂમધામથી ઉજવ્યો દશેરા નો તહેવાર

    મંદિરા એ કર્યો ખુલાસો 

    તાજેતર માં સંજય કપૂર ની બહેન મંદિરા એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે “લોલો અને સંજય એક સારી જગ્યા પર હતા.  કિયાન નો જન્મ થયો હતો. મારા ભાઈને બાળકો માટે ખૂબ લાગણી હતી. પ્રિયા એ એક પરિવાર તોડ્યો, જે કામ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો.” મંદિરાએ કહ્યું કે તેમના પિતા પણ આ સંબંધના વિરોધમાં હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે “સંજય એ પ્રિયાને ક્યારેય લગ્ન કરી શકે નહીં.” મંદિરાએ જણાવ્યું કે 2017માં સંજય અને પ્રિયાના લગ્નમાં તેઓ અને તેમની બહેન હાજર નહોતી. “અમે સ્પષ્ટ હતા કે અમે આ લગ્નને સપોર્ટ કરી શકતા નથી,” એમ મંદિરાએ કહ્યું. તેમના પિતા  સુરિન્દર કપૂર એ પણ કહ્યું હતું કે “મારે એનો ચહેરો પણ જોવો નથી.”

     

    View this post on Instagram

     

    A post shared by Vickey Lalwani (@iamvickeylalwani)


    મંદિરાએ કહ્યું કે “કરિશ્મા મારી સૌથી સારી મિત્ર હતી. મને દુઃખ છે કે હું તેના માટે ઊભી રહી શકી નહીં.” તેણે  સમાયરા  અને કિયાન માટે પણ સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે “મને ગર્વ છે કે કરિશ્માએ તેમને કેવી રીતે ઉછેર્યા.” તમને જણાવી દઈએ કે, સંજય કપૂરના પરિવારમાં તેની પત્ની પ્રિયા સચદેવ કપૂર છે, જે દિલ્હી સ્થિત મોડેલમાંથી ઉદ્યોગસાહસિક બની છે. સંજય કપૂરે 2017 માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર, અઝારિયસ કપૂર છે, જેનો જન્મ ડિસેમ્બર 2018 માં થયો હતો અને હવે તે છ વર્ષનો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sunjay Kapur Prayer Meet: સંજય કપૂર ની પ્રાર્થના સભા માં આંસુ ભરેલી આંખો સાથે જોવા મળી પ્રિયા સચદેવ, પૂર્વ પતિ ની પત્ની ને જોઈ કરિશ્મા કપૂર પણ બની ભાવુક

    Sunjay Kapur Prayer Meet: સંજય કપૂર ની પ્રાર્થના સભા માં આંસુ ભરેલી આંખો સાથે જોવા મળી પ્રિયા સચદેવ, પૂર્વ પતિ ની પત્ની ને જોઈ કરિશ્મા કપૂર પણ બની ભાવુક

    News Continuous Bureau | Mumbai

    Sunjay Kapur Prayer Meet:  બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર નું 12 જૂનના રોજ લંડનમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 22 જૂનના રોજ દિલ્હી સ્થિત તાજ પેલેસ હોટલમાં તેની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે કરિશ્મા પોતાના બાળકો સમાયરા અને કિઆન સાથે હાજર રહી. સાથે તેની બહેન કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ હાજર હતા.

    આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par: તારે જમીન પર ના ઈશાન એ જોઈ સિતારે જમીન પર, આમિર ખાન ની ફિલ્મ નો રીવ્યુ આપતા દર્શિલ સફારી એ કહી આવી વાત

    પ્રિયા સચદેવનો ભાવુક અવતાર, કરિશ્મા પાછળથી જોઈ રહી

    સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ પ્રાર્થના સભા માં ખૂબ જ ભાવુક જોવા મળી હતી. તે સંજયની તસવીર સામે બેઠી હતી અને રડી રહી હતી. કરિશ્મા કપૂર પોતાના બાળકો સાથે પાછળ ઊભી રહી અને શાંતિથી પ્રિયા તરફ જોઈ રહી હતી. કરિશ્માની દીકરી સમાયરા ખૂબ ઉદાસ હતી અને પુત્ર કિઆન હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો હતો.

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    કરિશ્મા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તેની બહેન કરીના અને સૈફ અલી ખાન સતત તેની  સાથે રહ્યા. કરિશ્મા પોતાના પુત્ર કિઆનને શાંત કરતી જોવા મળી. આ પ્રસંગે નેહા ધૂપિયા પણ હાજર રહી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sunjay Kapur Will After Death: સંજય કપૂર ની વિલમાં કરોડો રૂપિયાની મિલ્કત, ઘર-ગાડીઓ અને બિઝનેસ નો ભંડાર, જાણો તેમાંથી કરિશ્મા કપૂરને શું મળ્યું?

    Sunjay Kapur Will After Death: સંજય કપૂર ની વિલમાં કરોડો રૂપિયાની મિલ્કત, ઘર-ગાડીઓ અને બિઝનેસ નો ભંડાર, જાણો તેમાંથી કરિશ્મા કપૂરને શું મળ્યું?

    News Continuous Bureau | Mumbai

    Sunjay Kapur Will After Death: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ અને જાણીતા બિઝનેસમેન સંજય કપૂર ના નિધનથી કપૂર પરિવાર શોકમાં છે. નાગરિકતાની પ્રક્રિયાને કારણે તેમના અંતિમ સંસ્કાર હજુ સુધી થયા નથી. સંજય કપૂર પોતાના પાછળ અણગણિત સંપત્તિ છોડી ગયા છે જેમાં ઘર, ગાડીઓ, વિદેશી પ્રોપર્ટી  અને બિઝનેસ શામેલ છે.

    આ સમાચાર પણ વાંચો : Hina Khan: લગ્ન પછી પહેલીવાર ટીવી પર આવશે હિના ખાન,પતિ રોકી સાથે આ શો માં જોવા મળશે અભિનેત્રી

    અરબો રૂપિયાની નેટવર્થ, લંડનથી મુંબઈ સુધી પ્રોપર્ટી

    સંજય કપૂર પાસે દિલ્હી, મુંબઈ અને લંડનમાં અનેક લક્ઝરી બંગલા હતા. તેઓ રિયલ એસ્ટેટ અને અનેક કંપનીઓમાં રોકાણ કરતા હતા. ફોર્બ્સ રિપોર્ટ મુજબ તેમની કુલ નેટવર્થ લગભગ 13,000 કરોડ હતી. તેઓ લક્ઝરી કાર્સના શોખીન હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, કરિશ્મા કપૂર સાથેના છૂટાછેડા બાદ સંજય કપૂરે તેને 70 કરોડ રૂપિયાની એલિમની આપી હતી. સાથે જ ખાર વિસ્તારમાં આવેલા તેમના પિતાના ઘરની માલિકી પણ કરિશ્માને સોંપી હતી. બાળકોની કસ્ટડી કરિશ્માને મળી હતી, પરંતુ ખર્ચ સંજય કપૂર ઉઠાવતા હતા. તેમણે બાળકો માટે 14 કરોડ રૂપિયાનો બોન્ડ પણ ખરીદ્યો હતો, જેનાથી દર વર્ષે 10 લાખ રૂપિયા નું વ્યાજ મળતું હતું.


    મીડિયા રિપોર્ટ મુજબ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ હવે તેમની સંપત્તિની મુખ્ય વારસદાર બનશે. 13,000 કરોડના બિઝનેસની જવાબદારી હવે પ્રિયા સચદેવના હાથમાં હશે. સંજયના મૃત્યુ બાદ તેમના ત્રણ બાળકો અને એક પુત્રીની જવાબદારી પણ હવે પ્રિયા પર રહેશે. પરિવાર હજુ પણ આ અચાનક ઘટનાથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sunjay Kapur: કરોડપતિ અહીં અરબોપતિ હતો કરિશ્મા કપૂર નો પૂર્વ પતિ, જાણો મૃત્યુ પછી તેમણે પાછળ કેટલી સંપત્તિ છોડી?

    Sunjay Kapur: કરોડપતિ અહીં અરબોપતિ હતો કરિશ્મા કપૂર નો પૂર્વ પતિ, જાણો મૃત્યુ પછી તેમણે પાછળ કેટલી સંપત્તિ છોડી?

    News Continuous Bureau | Mumbai

    Sunjay Kapur: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂર નું 53 વર્ષની ઉંમરે યુકેમાં હાર્ટ એટેક થી અવસાન થયું. તેઓ સોના કોમસ્ટાર (Sona Comstar) કંપનીના ચેરમેન હતા. તેમના પિતા સુરિન્દર કપૂરે 1995માં આ કંપનીની સ્થાપના કરી હતી અને 2015માં પિતાના અવસાન બાદ સંજયે કંપની સંભાળી હતી.

    આ સમાચાર પણ વાંચો : Kajol: ત્રણ વર્ષ બાદ મોટા પડદે વાપસી કરી રહી છે કાજોલ, અજય દેવગણ ના પ્રોડકશન હાઉસ માં બનેલી આ ફિલ્મ થી કરશે કમબેક

    ફોર્બ્સ (Forbes)ની યાદીમાં સ્થાન અને નેટ વર્થ

    2025માં ફોર્બ્સ (Forbes)ની વૈશ્વિક અબજપતિઓની યાદીમાં સંજય કપૂરને 2623 મા સ્થાન પર સ્થાન મળ્યું હતું. તેમની કુલ નેટ વર્થ અંદાજે 12,450 કરોડ હતી. જ્યારે બ્લૂમબર્ગ (Bloomberg) અને રિયલ ટાઈમ બિલિયનેર ઈન્ડેક્સે તેમની સંપત્તિ 1.15 થી 1.18 બિલિયન ડોલર વચ્ચે આંકી હતી.તેઓએ ટેક અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સમાં અનેક રોકાણો કર્યા હતા અને યુકે, જર્મની અને યુએસમાં બિઝનેસ ટાઈ-અપ્સ પણ હતા.સંજય કપૂર પાસે લંડન, દિલ્હી અને મુંબઈમાં ભવ્ય પ્રોપર્ટી હતી. તેઓ એક શોખીન લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હતા અને પોલો રમવાનું તેમનો મનપસંદ શોખ હતો. તેમનું અવસાન પણ પોલો ક્લબમાં રમતી વખતે થયું હતું.

     

    View this post on Instagram

     

    A post shared by Filmfare (@filmfare)


    સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની સાથે થયા હતા. 2003માં તેમણે કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા અને 2016માં છૂટાછેડા થયા. છૂટાછેડા દરમિયાન કરિશ્માએ સંજય પર ઘેરલુ હિંસા અને દહેજના આરોપો લગાવ્યા હતા. 2017માં સંજયે પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કર્યા. તેમના ત્રણ સંતાન છે – સમાયરા, કિયાન અને અઝારિયસ.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • કરિશ્મા કપૂરના લગ્ન જીવનનું કાળું સત્ય આવ્યું સામે,પ્રેગ્નન્સી બાદ અભિનેત્રી ટાઈટ ડ્રેસમાં ફીટ ન થઈ ત્યારે તેના પતિએ કર્યું હતું આવું ગંદુ કૃત્ય

    કરિશ્મા કપૂરના લગ્ન જીવનનું કાળું સત્ય આવ્યું સામે,પ્રેગ્નન્સી બાદ અભિનેત્રી ટાઈટ ડ્રેસમાં ફીટ ન થઈ ત્યારે તેના પતિએ કર્યું હતું આવું ગંદુ કૃત્ય

    News Continuous Bureau | Mumbai

    કરિશ્મા કપૂર ( karishma kapoor ) 90ના દાયકામાં લોકોના દિલ પર રાજ કરતી હતી. અભિનેત્રીનું લગ્નજીવન ખુબ જ મુશ્કેલી ભરેલું હતું. ભલે તે છૂટાછેડા લઈને પીડાદાયક દુનિયામાંથી બહાર આવી ગઈ હોય. પરંતુ તે સમયે તેની સાથે જે ઘટના બની હતી તે સમયાંતરે બહાર આવતી રહે છે. આજે તે પોતાના બાળકો સાથે સુંદર જીવન જીવી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તે પોતાના અંગત જીવનની મુશ્કેલીઓમાં ખોવાઈ જતી હતી.

    સંજય કપૂર પર કર્યો હતો ઘરેલુ હિંસાનો કેસ

    અભિષેક બચ્ચન સાથે બ્રેકઅપ થયા બાદ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર ( sanjay kapur ) સાથે લગ્ન કરી લીધા હતા. અભિનેત્રીના શરૂઆતના થોડા વર્ષો સારા રહ્યા. પરંતુ પાછળથી તેનું જીવન નરક જેવું બની ગયું. તેનો પતિ સંજય કપૂર એક્ટ્રેસ સાથે મારઝૂડ કરતો હતો.કરિશ્મા કપૂરે પણ પતિ સંજય કપૂર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું કે સંજય તેને શો પીસની જેમ રજૂ કરતો હતો. લગ્ન પછી મને સમજાયું કે તેણે મારી સાથે લગ્ન કર્યા કારણ કે હું પ્રખ્યાત અભિનેત્રી હતી. તે મારા દ્વારા મીડિયામાં રહેવા માંગતો હતો. તે મને મિત્રો વચ્ચે ટ્રોફી વાઈફ તરીકે રજૂ કરતો હતો. તે મારા દ્વારા પોતાને લોકપ્રિય બનાવવા માંગતો હતો.

    આ સમાચાર પણ વાંચો:   ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ

    કરિશ્મા કપૂરે એ પણ જણાવ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન મારું વજન વધી ગયું હતું. એકવાર પોસ્ટ પ્રેગ્નન્સીમાં ટાઈટ ડ્રેસ મને ફિટ નહોતો થતો. પછી તેણે તેની માતાને મને થપ્પડ મારવાનું કહ્યું.લગ્ન બાદ અભિનેત્રીએ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી. છૂટાછેડા બાદ કરિશ્માએ સંજય પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે મારી પ્રેગ્નન્સી દરમિયાન તેણે મને ખૂબ ટોર્ચર કર્યું હતું. તેના પતિએ હનીમૂન પર તેની બોલી લગાવી હતી.લગ્નના 11 વર્ષ બાદ બંને વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. કરિશ્મા મુંબઈ શિફ્ટ થઈ ગઈ અને સિંગલ મધર બની તેના બન્ને બાળકો સમાયરા અને કિયાન નો ઉછેર કરી રહી છે.ભલે કરિશ્મા કપૂર મોટા પડદાથી દૂર છે. પરંતુ તે રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે દેખાય છે. આ સિવાય તે વેબ સિરીઝ ‘મેન્ટલહુડ’માં પણ જોવા મળી હતી. તેના અભિનયના પણ ખૂબ વખાણ થયા હતા.