News Continuous Bureau | Mumbai
Surat : ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું ( Board Exams ) પરિણામ જાહેર થતા જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોના ધસારાના પહોચી વળવા માટે સુરત શહેરના પુણાની ( Puna ) કચેરીના જનસેવા કેન્દ્ર-૧ (જુની ઝોન ઓફિસ, મિનીબજાર) ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત હતું. જેમાં પુણા મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે પુણાગામ તલાટીની કચેરી ખાતે એક વધારાનું જનસેવા કેન્દ્ર-૨ ઉભુ કરવામાં આવ્યું છે. ત્યારે પુણા જનસેવા કેન્દ્રોમાં અઠવાડીયામાં આવક, જાતિ, નોન ક્રિમિલીયર, જાતિ, આર્થિક નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો મળી ૧૪ પ્રકારની ૩,૩૦૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી સતત ચાલી રહી છે.

સુરત શહેરના વિકાસની સાથે વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. જેમાં પુણા તાલુકા વિસ્તારમાં અંદાજે ૨૦ થી ૨૨ લાખની વસ્તી છે. જેથી દાખલાની કામગીરીને પહોચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત એક કરીને લોકોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં ૯- ૯ કલાકની શિફ્ટમાં બે નાયબ મામલતદાર, બે તલાટીઓ તથા ૪-ઓપરેટરો મળી કુલ ૧૭ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

અરજદારોને ( applicants ) સમસ્યા ન ઉભી થાય માટે જનસેવા કેન્દ્રોની ( Jan Seva Kendra ) કામગીરીની રૂપરેખા આપતાં પુણા મામલતદારશ્રીમતી રોશનીબેન પટેલ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુણા જનસેવા કેન્દ્ર ખાતે વધારાના સ્ટાફ સહિત કચેરી સમયમાં પણ વધારો કરતાં અરજદારોને રાહત થઇ છે. જનસેવા કેન્દ્રો સવારના ૭:૦૦ થી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે. સાથે આ કેન્દ્રો ખાતે સવારે ૭.૦૦ થી વાગ્યાથી જ અરજદારોને ટોકન આપીને કામગીરી શરૂ કરવામાં આવે છે. પહેલા દરરોજ ૨૫૦ અરજદારોને આવકના દાખલા કાઢી આપવામાં આવતા હતા જેની સામે હાલ દૈનિક ૭૫૦ અરજદારોને દાખલાઓ આપવામાં આવી રહ્યાં છે. જનસુવિધા અર્થે વર્તમાન મહિનામાં આવતી તમામ જાહેર રજાઓમાં પણ જનસેવા કેન્દ્રો પર કર્મયોગીઓ કાર્ય કરી રહ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન ૭૧૯૯ અરજીઓ તથા તા.૧લી મેથી ૨૪મી મે સુધીમાં ૯૫૮૧ અરજીઓનો નિકાલ કરાયો છે.

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા માટે જ્હાન્વી કપૂરે કર્યું હતું આ કામ, અભિનેત્રી એ કર્યો ખુલાસો
વધુમાં તેમણે જણાવ્યું કે, સતત ઉષ્ણતામાનને પગલે પીવાનું પાણી તથા મંડપની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. અનઅધિકૃત વ્યક્તિ કે એજન્ટોને પ્રવેશ ન કરવા દેવા તમામ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. એજન્ટો કે અન્ય ત્રાહિત વ્યકિતઓના પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવાયા છે. જનસુવિધા કેન્દ્રો ખાતે રોજિંદી કામગીરી ઝડપથી ચાલુ રહે તે માટે પૂછપરછ માટે એક હેલ્પ ડેસ્ક તેમજ સહી થયેલા દાખલા આપવાની કામગીરી સુચારૂ રીતે થાય તે માટે ઓપરેટરોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

