Tag: rajinikanth

  • Rajinikanth: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ

    Rajinikanth: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Rajinikanth:  સુપરસ્ટાર રજનીકાંત ની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ઋષિકેશમાં પોતાના મિત્રો સાથે સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ  કુલી એ  બોક્સ ઓફિસ  પર ધમાલ મચાવી હતી. હવે તેઓ આધ્યાત્મિક વિરામ  લઈને હિમાલયની યાત્રા પર નીકળ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Karan Johar New Show: શાર્ક ટેન્ક ને ટક્કર આપવા આવી રહ્યો છે કરણ જોહર! ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગ્જ્જો સાથે શરૂ કરી રહ્યો છે પીચ ટૂ ગેટ રિચ શો

    સાદગીથી ભરેલું જીવન – રસ્તા કિનારે પતરાળા માં ભોજન

    તસવીરોમાં રજનીકાંત સફેદ ધોતી, કુર્તા અને ગળામાં ગમછો પહેરીને રસ્તા કિનારે પતરાળામાં સાદું ભોજન કરતા જોવા મળે છે. ફેન્સે લખ્યું – “આ છે અસલી સુપરસ્ટાર!” એક યુઝરે કહ્યું – “ બોલીવૂડ માં આવી સાદગી ક્યાંય જોવા નથી મળતી.” 

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    સોશિયલ મીડિયા પર યુઝર્સે લખ્યું – “રજનીકાંતની સાદગી જોઈને દિલ ખુશ થઈ ગયું.” “તેઓ  ડાઉન ટુ અર્થ  છે, એટલે જ લોકો તેમને ભગવાન સમાન માને છે.” તેમના આ અંદાજે ફરીથી સાબિત કર્યું કે  સ્ટારડમ  માત્ર ગ્લેમરથી નહીં, પણ વ્યક્તિત્વથી આવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aamir Khan In Coolie: ‘કુલી’ માં આમિર ખાન  ની થઇ એન્ટ્રી, રજનીકાંત ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

    Aamir Khan In Coolie: ‘કુલી’ માં આમિર ખાન ની થઇ એન્ટ્રી, રજનીકાંત ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

    News Continuous Bureau | Mumbai

    Aamir Khan In Coolie: રજનીકાંત (Rajinikanth)ની આગામી ફિલ્મ ‘કુલી’ (Coolie) 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બોલીવૂડથી આમિર ખાન (Aamir Khan), ટેલુગુ સિનેમાથી નાગાર્જુન (Nagarjuna), કન્નડથી ઉપેન્દ્ર રાવ અને મલયાલમથી સૌબિન શાહિર જેવા કલાકારો જોવા મળશે. આમિર ફિલ્મમાં રજનીકાંતના જૂના મિત્ર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ ઇવેન્ટમાં જુનિયર એનટીઆર ને મળવા ઉત્સુક ફેન સાથે બની આવી ઘટના,ગભરાઈ ગયો સાઉથ સુપરસ્ટાર, વીડિયો થયો વાયરલ

    1990ના દાયકાની તસ્કરીની પૃષ્ઠભૂમિ

    ફિલ્મની વાર્તા 1990ના દાયકાની સોનાની તસ્કરી (Gold Smuggling)ની આસપાસ ઘૂમે છે. રજનીકાંત ‘દેવા’ નામના ભૂતપૂર્વ તસ્કર તરીકે જોવા મળશે, જે પોતાની જૂની ટીમને ફરીથી એકત્રિત કરીને તાકાત પાછી મેળવવા ઈચ્છે છે. આમિર નું પાત્ર મુંબઈથી જોડાયેલું છે જે વાર્તામાં મહત્વપૂર્ણ વળાંકો લાવે છે.રિપોર્ટ મુજબ ફિલ્મના ક્લાઈમેક્સમાં રજનીકાંત અને આમિર વચ્ચે લગભગ 15 મિનિટનું ધમાકેદાર એક્શન સીન (Action Scene) છે. આ સીન નાહરગઢ અને સાંભર (Jaipur)માં ફિલ્માવવામાં આવ્યો છે. આમિરે 7 દિવસ સુધી શૂટિંગ કર્યું હતું જેમાં નોર્મલ અને એક્શન સીન બંને સામેલ હતા.


    નાગાર્જુન ફિલ્મમાં અંગ તસ્કરી (Organ Trafficking)ના રેકેટના મુખ્ય તરીકે જોવા મળશે. તેમનો પાત્ર ખૂબ જ ચતુર અને ખતરનાક છે. રજનીકાંતનો ટક્કર માત્ર આમિર સાથે નહીં, પણ નાગાર્જુન સાથે પણ જોવા મળશે. આ ફિલ્મમાં દરેક પાત્રની પોતાની અલગ અસર છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Jailer 2: જેલર’ તરીકે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર રજનીકાંત, અભિનેતા ની ફિલ્મ ના બીજા ભાગ નું  ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

    Jailer 2: જેલર’ તરીકે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર રજનીકાંત, અભિનેતા ની ફિલ્મ ના બીજા ભાગ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

    News Continuous Bureau | Mumbai 

    Jailer 2: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ની ફિલ્મ જેલર ના ભીજા ભાગ ની જાહેરાત કરવામાં આવી છે.  મકરસંક્રાંતિના ખાસ પ્રસંગે, રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ ના  જબરદસ્ત ટીઝર સાથે તેના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. આ ટીઝર સામે આવ્યા બાદ રજનીકાંત ના ફેન્સ આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. 

    આ સમાચાર પણ વાંચો: Makar sankranti: તુલસી માતા ની પૂજા સાથે પીએમ મોદીએ કિશન રેડ્ડીના નિવાસસ્થાને કરી મકરસંક્રાંતિની ઉજવણી, કાર્યક્રમ માં પીવી સિંધુ સાથે જોવા મળ્યો આ સાઉથ સુપરસ્ટાર

    જેલર 2 નું ટીઝર 

    સન પિક્ચરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ જેલરના બીજા ભાગનું એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ કર્યું છે..ટીઝર માં રજનીકાંતની ભવ્ય એન્ટ્રી બતાવવામાં આવી છે. દક્ષિણનો થલાઈવા લોહીથી લથપથ સફેદ શર્ટમાં જોવા મળે છે, તેના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં તલવાર છે.ચાહકો આ ટીઝર ને  ખૂબ પસંદ કરી રહ્યા છે.

    ‘જેલર’ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે નિર્માતાઓએ ટીઝર સાથે તેના બીજા ભાગની જાહેરાત કરી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Rajinikanth: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત થયા હોસ્પિટલમાં દાખલ, પત્ની એ જણાવ્યું અભિનેતા નું હેલ્થ અપડેટ

    Rajinikanth: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત થયા હોસ્પિટલમાં દાખલ, પત્ની એ જણાવ્યું અભિનેતા નું હેલ્થ અપડેટ

    News Continuous Bureau | Mumbai

     Rajinikanth: રજનીકાંત એ સાઉથ ના સુપરસ્ટાર છે. સાઉથ માં રજનીકાંત ને ભગવાન માનવામાં આવે છે હવે રજનીકાંત ના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત બગડતા તેમને ચેન્નાઇ ની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રજનીકાંતને મોડી રાત્રે પેટમાં તીવ્ર દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો : Natasa stankovic video: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ આ વ્યક્તિ સાથે સ્વિમિંગપુલ માં ચીલ કરતી જોવા મળી નતાશા સ્ટેન્કોવિક, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

    રજનીકાંત નું હેલ્થ અપડેટ 

    રજનીકાંત ની પત્ની લતા એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું  કે, ‘હવે બધું બરાબર છે અને તેમની હાલત સ્થિર છે.’ 


    રજનીકાંત ની ખરાબ તબિયત ના સંચાર સાંભળી તેમના ફેન્સ ચિંતા માં મુકાઈ ગયા છે અભિનેતા ના ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anant and radhika wedding: શાહરુખ ખાન થી લઈને રજનીકાંત સુધી આ સેલેબ્સ એ લગાવ્યા અનંત ની જાન માં ઠુમકા, જુઓ વિડીયો

    Anant and radhika wedding: શાહરુખ ખાન થી લઈને રજનીકાંત સુધી આ સેલેબ્સ એ લગાવ્યા અનંત ની જાન માં ઠુમકા, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Anant and radhika wedding: અનંત અને રાધિકા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. અનંત અને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો સામે આવ્યા છે તેમાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન થી લઈને રજનીકાંત સુધી ના બધા સેલેબ્સ અનંત ની જાન માં ઠુમકા લગાવતા જોઈ શકાય છે. 

    આ સમાચાર પણ વાંચો: Akshay Kumar : બોલીવુડનો ખેલાડી અક્ષય કુમાર નહીં જાય અનંત-રાધિકાના લગ્નમાં….! અભિનેતા આવ્યો આ મહામારીની ચપેટમાં.

    અનંત ની જાન માં સેલેબ્સ એ લગાવ્યા ઠુમકા 

    અનંત અંબાણીના જાન નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાનથી લઈને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સુધીના તમામ ફિલ્મ સ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો માં મહેન્દ્ર સિંહ ધોની, અર્જુન કપૂર, શનાયા કપૂર, ઓરી, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, હાર્દિક પંડ્યા જેવા ઘણા સ્ટાર્સ ખુશી થી ઝૂમતા જોવા મળી રહ્યા છે. 


    અનંત ની જાન માં સેલેબ્રીટી મન મૂકીને નાચ્યા હતા.જેમના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shahrukh khan: આને કહેવાય જેન્ટલમેન, અનંત અને રાધિકા ના લગ્ન માં શાહરૂખે અમિતાભ-જયા અને રજનીકાંત સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે કિંગ ખાન ના વખાણ

    Shahrukh khan: આને કહેવાય જેન્ટલમેન, અનંત અને રાધિકા ના લગ્ન માં શાહરૂખે અમિતાભ-જયા અને રજનીકાંત સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે કિંગ ખાન ના વખાણ

    News Continuous Bureau | Mumbai

    Shahrukh khan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માં બોલિવૂડ થી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રી ના દિગ્ગ્જ કલાકારો એ હાજરી આપી હતી. આ લગ્ન માં શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે પહોંચ્યો હતો. દરમિયાન લગ્ન સ્થળ પર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રજનીકાંત જેવા સુપરસ્ટાર્સ ને જોઈ ને શાહરુખ ખાને એવું વર્તન કર્યું કે લોકો કિંગ ખાન ના વખાણ કરી રહ્યા છે. 

     આ સમાચાર પણ વાંચો:  Shahrukh khan: શું અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા મુંબઈ પરત ફર્યો શાહરુખ ખાન? કિંગ ખાન નો વિડીયો થયો વાયરલ

    શાહરુખ ખાન નો વિડીયો થયો વાયરલ 

    શાહરુખ ખાન નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, શાહરુખ ખાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ને તેમની સામે આવતા જોઈ તેમને પ્રણામ કરીને બંનેના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા.ત્યારબાદ શાહરૂખ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તેની પત્નીને હાથ જોડીને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    શાહરુખ ખાન નો આ વિડીયો જોઈ લોકો કિંગ ખાન ના વખાણ કરી રહ્યા છે ઘણા નેટિઝન્સ કિંગ ખાન ને રિયલ જેન્ટલમેન પણ કહી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rajinikanth:  અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન માં પહોંચેલા રજનીકાંત એ કેમેરા સામે કરી એવી હરકત કે ટ્રોલર્સે લગાવી સુપરસ્ટાર ની ક્લાસ

    Rajinikanth: અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન માં પહોંચેલા રજનીકાંત એ કેમેરા સામે કરી એવી હરકત કે ટ્રોલર્સે લગાવી સુપરસ્ટાર ની ક્લાસ

    News Continuous Bureau | Mumbai 

    Rajinikanth: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. અને મહેમાનો એક પછી એક પરત ફરી રહ્યા છે. એવામાં રજનીકાંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો તેમને ખુબ ટ્રોલ કરી રહ્યા છે તેમજ ટ્રોલર્સે સુપરસ્ટાર ની આ હરકત પર તેમની ક્લાસ પણ લગાવી છે. 

    આ સમાચાર પણ વાંચો : Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના ફંક્શન માં શાહરુખ ખાન અને ગૌરી ખાને લૂંટી લાઈમલાઈટ, કપલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ

    રજનીકાંત થયા ટ્રોલ 

    રજનીકાંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિદિતો માં જોવા મળી રહ્યું છે કે, રજનીકાંત અને તેનો પરિવાર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ કાર્યક્રમ બાદ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન રજનીકાંતે એરપોર્ટ તરફ જતી વખતે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. પોઝ આપતા તેમને તેમના પરિવારના સભ્યોને પણ પોઝ આપવા માટે બોલાવ્યા હતા.તેમની સાથે તેની સાથે તેની હાઉસ હેલ્પર પણ હાજર હતી. હાઉસ હેલ્પર ને જોતા જ રજનીકાંતે તેને ઈશારા થી પાછળ ખસવા કહ્યું. હવે લોકો ને રજનીકાંત ની આ હરકત પસંદ નથી આવી રહી જેથી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.


    રજનીકાંત નો આ વિડીયો જોઈ ટ્રોલર્સે તેમની ક્લાસ લગાવતા કમેન્ટ કરી છે કે, “કાશ! જો તે મહિલા પાસે પૈસા હોત તો તેને આ રીતે અપમાનિત ન થવું પડત.” બીજા યુઝરે લખ્યું, “તેમણે તેમનો સામાન ઉપાડનારા લોકોનો આભાર માનવો જોઈએ. તેમનું આ રીતે અપમાન ન કરવું જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ખૂબ જ અસંસ્કારી કૃત્ય છે.”  

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rajinikanth: 12 ડિસેમ્બર 1950ના રોજ જન્મેલા શિવાજી રાવ ગાયકવાડ વ્યવસાયિક રીતે રજનીકાંત તરીકે ઓળખાય છે, તે એક ભારતીય અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક છે.

    Rajinikanth: 12 ડિસેમ્બર 1950ના રોજ જન્મેલા શિવાજી રાવ ગાયકવાડ વ્યવસાયિક રીતે રજનીકાંત તરીકે ઓળખાય છે, તે એક ભારતીય અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક છે.

    News Continuous Bureau | Mumbai

    Rajinikanth: 12 ડિસેમ્બર 1950ના રોજ જન્મેલા શિવાજી રાવ ગાયકવાડ વ્યવસાયિક રીતે રજનીકાંત તરીકે ઓળખાય છે, તે એક ભારતીય અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક છે જેઓ મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે તેમણે મલયાલમ, કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જ્યાં તેમને રજનીકાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. સુપર સ્ટાર કે થલાઈવર. ભારતીય સિનેમાના ઈતિહાસના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતા તરીકે તેઓને વ્યાપકપણે ગણવામાં આવે છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે ભારત સરકારે તેમને 2000 માં પદ્મ ભૂષણ અને 2016 માં પદ્મ વિભૂષણ, ભારતના ત્રીજા અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા.

  • rajinikanth: રજનીકાંતે CM યોગી ના પગ કેમ સ્પર્શ્યા? સુપરસ્ટારે પોતે જ જણાવ્યું કારણ

    rajinikanth: રજનીકાંતે CM યોગી ના પગ કેમ સ્પર્શ્યા? સુપરસ્ટારે પોતે જ જણાવ્યું કારણ

    News Continuous Bureau | Mumbai

    સુપરસ્ટાર રજનીકાંત ચર્ચાનો વિષય બની રહે છે. એક તરફ તેની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર અસાધારણ કમાણી કરી રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં રજનીકાંત પોતાની ફિલ્મ ‘જેલર’ના પ્રમોશન દરમિયાન લખનઉ પહોંચ્યા હતા. લખનૌ પહોંચીને તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા. એટલું જ નહીં તેમણે મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. જ્યારે રજનીકાંતની તસવીરો સામે આવી અને લોકોએ તેમને સીએમ યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરતા જોયા તો સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવા લાગ્યા. તે જ સમયે, નિવેદન આપતાં રજનીકાંતે સીએમ યોગી આદિત્યનાથના પગ સ્પર્શ કરવા પાછળનું કારણ આપ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : sunny deol: સની દેઓલ ના બંગલા ની નહીં થાય હરાજી, આ કારણોસર બેંકે પાછી ખેંચી નોટિસ

    રજનીકાંતે યોગી આદિત્યનાથ ને પગે લાગવાનું કારણ જણાવ્યું

    જ્યારે રજનીકાંતને ચેન્નાઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા ત્યારે પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા. પત્રકારોએ તેમને મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ કરવા પાછળનું કારણ પૂછ્યું. જેના જવાબમાં રજનીકાંતે કહ્યું કે આ તેમની એક આદત છે. અભિનેતાએ કહ્યું- “હા, તે મારાથી નાના છે. પરંતુ, આ મારી આદત છે. જ્યારે કોઈ સાધુ કે યોગી મારી સામે આવે છે, ત્યારે હું ચોક્કસપણે તેમના પગને સ્પર્શ કરું છું.” 

  • Rajinikanth: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા સુપરસ્ટાર રજનીકાંત, ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા,  શું ચૂંટણીમાં ભાજપને મળશે ‘આશીર્વાદ’? જુઓ વિડીયો…

    Rajinikanth: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા સુપરસ્ટાર રજનીકાંત, ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા, શું ચૂંટણીમાં ભાજપને મળશે ‘આશીર્વાદ’? જુઓ વિડીયો…

    News Continuous Bureau | Mumbai 

    Rajinikanth: સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth), જે પોતાની સુપરહિટ ફિલ્મોને કારણે ચર્ચામાં છે, તાજેતરમાં જ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ને મળ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ગરમ બન્યો છે.
    વાસ્તવમાં, જ્યારે રજનીકાંત સીએમને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે કારમાંથી નીચે ઉતરતા જ તેમણે સૌથી પહેલા યોગી આદિત્યનાથના પગને સ્પર્શ કર્યો. સીએમ યોગીએ રજનીકાંતને ફૂલોનો ગુલદસ્તો આપીને આવકાર્યા અને પૂર્ણ સન્માન સાથે ઘરની અંદર લઈ ગયા.
    આ દરમિયાન, રજનીકાંતનો પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને લોકો સવાલો ઉઠાવવા લાગ્યા કે 72 વર્ષીય રજનીકાંતે 51 વર્ષીય મુખ્યમંત્રીના પગ કેમ સ્પર્શ્યા.
    કોઈને પહેલી વાર મળવા પર, તેમના પગ સ્પર્શ કરીને અભિવાદન કરવું એ પણ સામાજિક શિષ્ટાચાર તરીકે જોઈ શકાય છે. પરંતુ, રજનીકાંત માત્ર સીએમ યોગી આદિત્યનાથ કરતા મોટા નથી, પરંતુ તેઓ દક્ષિણ ભારતના દરેક વિભાગમાં મહત્વપૂર્ણ પદ ધરાવે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું યોગી આદિત્યનાથ સાથે રજનીકાંતની મુલાકાત દક્ષિણમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ (BJP) માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે? યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ રજનીકાંતનું રાજકીય મહત્વ શું છે?

    આ સમાચાર પણ વાંચો :  Asia Cup 2023: એશિયા કપમાં સેમસન-ચહલને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સુનીલ ગાવસ્કરે આપ્યો જવાબ.. જાણો શું છે આ મુદ્દો……

    પહેલા જાણો રજનીકાંત યુપી કેમ આવ્યા

    થોડા દિવસો પહેલા સાઉથના સુપરસ્ટારની ફિલ્મ ‘જેલર’ (Jailer) મોટા પડદા પર રીલિઝ થઈ હતી. બે વર્ષ પછી મોટા પડદા પર પરત ફર્યા બાદ અને ફિલ્મ હિટ થયા બાદ રજનીકાંત તેમની પત્ની લતા રજનીકાંત સાથે ચારધામ યાત્રા માટે રવાના થયા છે.
    બદ્રીનાથના દર્શન કરીને રજનીકાંત સીધા લખનઉ પહોંચ્યા. ત્યાં તેઓ સૌપ્રથમ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને મળ્યા હતા. લખનૌમાં રજનીકાંતના આગમનની સાથે જ તેમની ફિલ્મ ‘જેલર’ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું. આ પછી રજનીકાંત સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા તેમના ઘરે ગયા હતા.

    પગને સ્પર્શવાનું રાજકીય જોડાણ

    રજનીકાંતે સીએમ યોગીના ચરણસ્પર્શ કર્યાની ઘટના પર ભલે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ રાજકીય નિષ્ણાતોના મત અલગ છે. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં, રાજકારણ માત્ર પગને સ્પર્શવાથી જ મજબૂત થઈ રહ્યું છે. વાસ્તવમાં, તમિલનાડુના રાજકારણના ઈતિહાસમાં જયલલિતાથી લઈને કરુણાનિધિ સુધી વારંવાર રાજ્યાભિષેક થયા છે.
    આવી સ્થિતિમાં, લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આવી રહેલા આવા ચિત્રને દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માટે એક મોટો રોડ મેપ તૈયાર કરવાની વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી રહી છે.
    અમર ઉજાલા અખબારમાં, તમિલનાડુના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાઘવ માધવને આ મુદ્દા પર કહ્યું, ‘ભાજપ લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતમાં પોતાને મજબૂત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં યોગીના ચરણ સ્પર્શની અસર સમગ્ર દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુ (Tamil Nadu) માં જોવા મળી શકે છે.
    માધવનના જણાવ્યા અનુસાર, એ કહેવું યોગ્ય નથી કે તમિલનાડુના લોકો લોકસભાની ચૂંટણીમાં માત્ર પગને સ્પર્શ કરીને જ પાર્ટીને મત આપશે. પરંતુ આ પછી પાર્ટી પોતાની નવી રણનીતિ અનુસાર સમગ્ર ફિલ્ડીંગ સજાવી શકે છે.

    આ રાજ્યોમાં રજનીકાંતની પકડ

    રાજકીય નિષ્ણાત અને પટના યુનિવર્સિટીના પ્રોફેસર આલોક ઝાએ કહ્યું કે તમિલનાડુ કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કેરળ એવા રાજ્યો છે જ્યાં લોકો સુપરસ્ટાર રજનીકાંતને ભગવાન માને છે. આવી સ્થિતિમાં જો રજનીકાંત ભાજપને સમર્થન આપે છે તો ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં વિશાળ જનતા સુધી પહોંચી શકે છે.
    તમે દક્ષિણ ભારતમાં રજનીકાંતના પ્રભાવને એ હકીકત પરથી પણ સમજી શકો છો કે વર્ષ 1996માં સમગ્ર તમિલનાડુમાં ફિલ્મ સ્ટાર રજનીકાંતના જયલલિતાના વિરોધમાં કરુણાનિધિની સરકાર સામેલ હતી. કરુણાનિધિએ પણ આ હકીકત સ્વીકારી છે. આવી સ્થિતિમાં ભાજપ જે રીતે દક્ષિણ ભારતમાં પોતાનો દબદબો જમાવવાનો પ્રયાસ કરી રહી છે, તેમાં યોગી આદિત્યનાથના ચરણસ્પર્શની તસ્વીર કથની સેટ કરી શકે છે. એવું લાગે છે કે રજનીકાંતે ભલે સીએમ યોગી આદિત્યનાથના પગને સ્પર્શ કર્યો હોય, પરંતુ ભાજપ તેનો ઉપયોગ આશીર્વાદ તરીકે કરવાનો પ્રયાસ કરી શકે છે.

    તમિલનાડુ લોકસભાની આ 7 બેઠકો પર ભાજપની નજર છે

    મિશન 2024માં વ્યસ્ત ભાજપે હાલમાં તમિલનાડુ પર ફોકસ વધાર્યું છે. ભારતીય જનતા પાર્ટી વતી ગૃહમંત્રી અમિત શાહે ખુદ તમિલનાડુની કમાન સંભાળી છે. શાહ જૂન અને જુલાઈમાં તમિલનાડુની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે ભાજપના નેતાઓને 25 બેઠકો જીતવાનો ટાર્ગેટ પણ આપ્યો છે, પરંતુ પાર્ટી રાજ્યમાં 7 બેઠકો જીતવા માંગે છે.
    જેમ કે ભાજપની નજર તમિલનાડુ પર કેમ છે?
    1. દક્ષિણ ભારતના 5 રાજ્યોમાંથી માત્ર કર્ણાટકમાં જ ભારતીય જનતા પાર્ટીનો મજબૂત જન આધાર છે. જોકે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીનો પરાજય થયો હતો. 2024ની ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાંથી લોકસભાની બેઠકો ઓછી થવાનો પણ ડર છે.
    વર્ષ 2019 માં, ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ભારતમાંથી લગભગ 30 લોકસભા બેઠકો જીતી હતી, જેમાંથી માત્ર કર્ણાટકને 25 બેઠકો મળી હતી. પાર્ટી આ વખતે પણ આ રેકોર્ડ જાળવી રાખવા માંગે છે. એટલા માટે તમિલનાડુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
    2. તમિલનાડુમાં વિપક્ષ સાવ નબળો પડી ગયો છે. પહેલા જયલલિતાને મજબૂત વિપક્ષ તરીકે જોવામાં આવતા હતા પરંતુ હવે તેમનું નિધન થઈ ગયું છે. AIADMK 2 ભાગોમાં વહેંચાઈ ગઈ છે. બંને પક્ષોના નેતાઓ પાસે પોતપોતાનો કોઈ મજબૂત આધાર નથી. ભાજપ માટે પોતાના મૂળિયા સ્થાપિત કરવાની આ સરળ તક છે. અત્યારે જયલલિતાની પાર્ટી સાથે બીજેપીનું ગઠબંધન છે.
    3.રજનીકાંત અને યોગી વચ્ચે ફિલ્મ સિટીની પણ ચર્ચા થઈ હતી
    4.જ્યારે રજનીકાંત સીએમ યોગીને મળ્યા ત્યારે બંને વચ્ચે નોઈડા ફિલ્મ સિટી અંગે પણ વાતચીત થઈ હતી. સીએમ યોગીએ તેમને તેમના ડ્રીમ પ્રોજેક્ટ વિશે જણાવ્યું તો રજનીકાંતે પણ ફિલ્મ સિટીમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સાથે સીએમ યોગી આદિત્યનાથને આટલા મોટા પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા.

    અખિલેશ પણ મળ્યા હતા

    અગાઉ રજનીકાંતે રાજભવન પહોંચ્યા બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી. યોગીને મળ્યા બાદ રજનીકાંત રાજ્યના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પણ મળ્યા હતા અને તેમને ગળે લગાવ્યા હતા. આ મીટિંગ અંગે પત્રકારો સાથે વાત કરતા રજનીકાંતે કહ્યું, ‘હું અખિલેશ યાદવને નવ વર્ષ પહેલા મુંબઈમાં એક કાર્યક્રમમાં મળ્યો હતો અને ત્યારથી અમે મિત્રો છીએ, અમે ફોન પર વાત કરીએ છીએ. પાંચ વર્ષ પહેલાં જ્યારે હું અહીં શૂટિંગ માટે આવ્યો હતો, પરંતુ હું તેને મળી શક્યો નહોતો, હવે તે અહીં છે, તેથી હું તેને મળ્યો છું..