• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rajkot
Tag:

rajkot

Vijay Rupani Funeral :Rajkot bids teary farewell to former Gujarat Chief Minister Vijay Rupani
Main PostTop Postરાજ્ય

Vijay Rupani Funeral :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અપાયું ગાર્ડ ઓફ ઓનર

by kalpana Verat June 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Vijay Rupani Funeral :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે. રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. 

#WATCH | Rajkot | Funeral procession of Former Gujarat CM Vijay Rupani is underway in Rajkot.

Union Home Minister Amit Shah and Gujarat Governor Acharya Devvrat are also present pic.twitter.com/E8TYNuyvI3

— ANI (@ANI) June 16, 2025

 

આ સમાચાર પણ વાંચો : Vijay Rupani Funeral: આજે થશે ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, પત્ની અંજલિ અને પરિવારને સન્માનભેર સોંપાયો પાર્થિવ દેહ, સર્જાયા ભાવુક દ્રશ્યો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vijay Rupani Funeral Vijay Rupani's Final Journey Begins, Funeral To Be Held In Rajkot
રાજ્ય

Vijay Rupani Funeral: આજે થશે ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, પત્ની અંજલિ અને પરિવારને સન્માનભેર સોંપાયો પાર્થિવ દેહ, સર્જાયા ભાવુક દ્રશ્યો..

by kalpana Verat June 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Vijay Rupani Funeral: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે (16 જૂન) રાજકોટમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેઓ 12 જૂને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં હતા, જે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં રૂપાણી સહિત કુલ 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.

#WATCH | Ahmedabad | Mortal remains of former Gujarat CM #VijayRupani will be taken to Rajkot.

Former CM Vijay Rupani’s wife, Anjali Rupani, bids an emotional farewell to her husband. pic.twitter.com/m2mb6h1yPW

— DD India (@DDIndialive) June 16, 2025

Vijay Rupani Funeral:  રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો મૃતદેહ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તેમના પરિવારને સોંપવામાં આવશે. ત્યારબાદ, તેમના મૃતદેહને એક ખાસ વિમાન દ્વારા રાજકોટ લાવવામાં આવશે, જ્યાં તે બપોરે 2 વાગ્યા સુધીમાં પહોંચવાની ધારણા છે. સાંજે 5 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

Vijay Rupani Funeral: ઘણા નેતાઓ રાજકોટ પહોંચશે

કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 3 વાગ્યે રાજકોટ પહોંચશે અને રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત, દેશભરના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય અગ્રણી નેતાઓ પણ રાજકોટ પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપશે.

આ સમાચાર પણ વાંચો : Pune-Daund Train Fire: પુણેમાં પેસેન્જર ટ્રેનના કોચમાં આગ લાગી, મુસાફરોમાં ગભરાટ; જુઓ વિડીયો

Vijay Rupani Funeral: વિજય રૂપાણીના રાજકોટમાં અંતિમ સંસ્કાર

રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહના અધ્યક્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપી. તેમણે કહ્યું, વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સાંજે 6 વાગ્યે કરવામાં આવશે, અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે 5 વાગ્યે શરૂ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Viksit krishi sankalp abhiyan Developed Agriculture Sankalp Abhiyan Will Be Run For Farmers
રાજ્ય

Viksit krishi sankalp abhiyan: ગુજરાતમાં આજથી રાષ્ટ્રવ્યાપી “વિકસીત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ, કૃષિ અધિકારીશ્રીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે

by kalpana Verat May 29, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Viksit krishi sankalp abhiyan:  કૃષિ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ અધિકારીશ્રીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે. ગુજરાતમાં યાત્રા કરીને આ ટીમો આગામી ૧૫ દિવસમાં રાજ્યના ૨,૯૫૧ ગામના ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેથી અભિયાનનો શુભારંભ કરાવ્યો
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રને વધુ આધુનિક, ટકાઉ અને કાર્યક્ષમ બનાવવાના શુભ આશય સાથે સમગ્ર દેશમાં આજથી આગામી ૧૫ દિવસ સુધી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી આજે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે, જે આગામી તા. ૧૨ જૂન સુધી યોજાશે. કેન્દ્ર સરકારના ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના સીધા માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા સમગ્ર દેશમાં “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

વધુ વિગતો આપતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને લાખો ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ગુજરાતના તમામ ૩૩ જિલ્લાના આશરે ૨૩૫ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો, અધિકારીઓ અને સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોની ભાગીદારીથી રાજ્યમાં કુલ ૫૫ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમો આજથી આગામી ૧૫ દિવસ સુધી નિર્ધારિત રૂટ પર યાત્રા કરીને ૨,૯૫૧ જેટલા ગામોના આશરે ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે અને તેમને કૃષિ વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

આ સમાચાર પણ વાંચો :  TB Mukt Bharat Abhiyan :“ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ ગુજરાતની નોંધપાત્ર કામગીરી, ટી.બી.દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો

વિગતવાર માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૯ જિલ્લામાં ૧૩ ટીમો દ્વારા ૭૯૩ ગામના એક લાખથી વધુ ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે. તેવી જ રીતે, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૭ જિલ્લામાં ૧૦ ટીમો દ્વારા ૪૬૫ ગામના ૭૮ હજારથી વધુ ખેડૂતોને, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૧૦ જિલ્લામાં ૨૦ ટીમો દ્વારા ૯૩૩ ગામના ૧.૨૦ લાખથી વધુ ખેડૂતોને તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૭ જિલ્લામાં ૧૨ ટીમો દ્વારા ૭૬૦ ગામના ૭૦ હજારથી વધુ ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજકોટના ખેરડી ગામ ખાતેથી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે, રાજ્યભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ પ્રભારી મંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા અને તાલુકાના સ્થાનિક પદાધિકારીશ્રી તેમજ વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના સફળ આયોજન માટે અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે પણ ૪ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Police Action takes major action against cybercrime, 12 important cyber cases solved in the last 15 days
રાજ્ય

Gujarat Police Action : ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા

by kalpana Verat May 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Gujarat Police Action :

  • ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા વિવિધ ગુનાઓ આચરતા ભેજાબાજોને ગુજરાત પોલીસની એક્ષપર્ટ ટીમોએ ઝડપી પાડ્યા
  • ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા

 સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.

Gujarat Police Action : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો, ચિરાગ ઢોલા અને યશ યાદવને ઝડપી પાડ્યા. આ ગેંગે પ્રણય ભાવસાર નામના વ્યક્તિનું ICICI બેંક ખાતું હેક કરી, રૂ. 48.85 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની હોટેલમાં 6 દિવસ ગોંધી રાખી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર 200થી વધુ ફરિયાદો નોંધાઈ છે.

14 મે 2025ના રોજ અન્ય એક કેસમાં, ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 14.94 લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપાયા. આરોપીઓએ ફરિયાદી મહિલાને મુંબઈ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, ડ્રગ્સના પાર્સલનું બહાનું કરી ડિજિટલ એરેસ્ટ કરી હતી.

તે ઉપરાંત અન્ય એક કેસમાં આરોપી દીલીપ જાગાણી (ઉ.વ. 33, અમદાવાદ) સાયબર ફ્રોડ અને છેતરપિંડીના 7 ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં ડિજિટલ એરેસ્ટ, ખોટા દસ્તાવેજો અને ઠગાઈનો સમાવેશ થાય છે. તે બેંક ખાતાઓ મેળવી, ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરી, નેપાળમાં કંબોડિયન-ચાઈનીઝ નાગરિકો સાથે હેરફેર કરતો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Police Action : સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી

02/05/2025ના રોજ દુબઇથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. 35, રહે. સુરત)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું. 4 મોબાઇલ, 5 ડેબિટ કાર્ડ, 12 સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. તે ઉપરાંત 07/05/2025ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. 9,30,700ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. 28, રહે. વાપી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.

15/05/2025ના રોજ વિમા કંપનીના નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. 98,85,000ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં 16/05/2025ના રોજ 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1,15,50,000ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. 22, નેપાળ)ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો. તેણે CBI/EDની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું હતુ. જ્યારે 16/05/2025ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 22,00,400ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (ઉ.વ. 21, રહે. અમદાવાદ)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. CBI અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું.

Gujarat Police Action : રાજકોટ સાયબર ક્રાઇમ ટીમની સફળતા

રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે 3 મે 2025ના રોજ રઘુવીરસિંહ ચૌહાણને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડ્યો, જેણે બનાવટી પ્રોફાઇલ બનાવી નાણાંની છેતરપિંડી કરી હતી.
તે ઉપરાંત 2 મે 2025ના રોજ, 9 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ ઓનલાઈન ગેમ્બલિંગ વેબસાઇટ્સના પ્રમોશન બદલ કાર્યવાહી કરવામાં આવી.

આ સમાચાર પણ વાંચો :  Terrorist Abu Saifullah killed :સૈફુલ્લાહ (Saifullah)ની રહસ્યમય હત્યા, લશ્કર (Lashkar)નું નેપાળ મોડ્યુલ તૂટી પડ્યું

Gujarat Police Action : વડોદરા સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે મે 2025 સુધી રૂ. 2.71 કરોડના ફ્રોડમાંથી રૂ. 1.01 કરોડ રિફંડ કરાવ્યા. એક કેસમાં, રૂ. 23 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો આરોપી પુણેથી પકડાયો, જેણે 15થી વધુ બેંક ખાતાઓ દ્વારા રૂ. 50 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.

Gujarat Police Action : સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

વડોદરામાં હસમન ગુપ્તાની ફરિયાદ પર, BOSIPTV અને IPTV દ્વારા ગેરકાયદે સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડનાર આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ, જેનાથી ભારતીય ચેનલોને આવકનું નુકસાન થયું હતું.

ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
India-Pakistan Tension Air India and IndiGo Cancel Flights to Several Cities
દેશ

  India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોનો મોટો નિર્ણય, શ્રીનગર-ચંદીગઢ સહિત અનેક શહેરોની ફ્લાઇટ રદ

by kalpana Verat May 13, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ મહત્વનો નિર્ણય લીધો છે. 13 મેના રોજ કેટલીક શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગોએ જણાવ્યું કે યાત્રીઓની સુરક્ષા (Safety)ને ધ્યાનમાં રાખીને ચંદીગઢ અને રાજકોટ સહિતના કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ પણ ફ્લાઇટ રદ કરવા અંગે સોશિયલ મીડિયા (Social Media) દ્વારા અપડેટ આપ્યું છે.

  India-Pakistan Tension:ઇન્ડિગો (IndiGo)ની ફ્લાઇટ રદ

  India-Pakistan Tension: ઇન્ડિગોએ એક્સ (X) પર ફ્લાઇટ રદ કરવા અંગે એક પોસ્ટ શેર કરી. તેણે લખ્યું, “તમારી સુરક્ષા અમારે માટે પ્રાથમિકતા છે. 13 મે માટે જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમે સમજીએ છીએ કે આથી તમારો પ્રવાસ યોજના પ્રભાવિત થશે. અમારી ટીમ ખૂબ જ ગંભીરતાથી પરિસ્થિતિને જોઈ રહી છે. તમને જલદી અપડેટ આપશું.”

  India-Pakistan Tension: એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટ રદ

 એર ઇન્ડિયાએ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને ગુજરાત સહિતના કેટલાક રાજ્યોની ફ્લાઇટ્સ રદ કરી છે. તેણે એક્સ (X) પર લખ્યું, “તાજા ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને તમારી સુરક્ષા (Safety)ને પ્રાથમિકતા આપીને, જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટથી આવનારી-જતી ફ્લાઇટ્સ મંગળવાર, 13 મે માટે રદ કરવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમને અપડેટ આપતા રહીશું.”

  India-Pakistan Tension:પાકિસ્તાન (Pakistan)ની હરકતો

 પાકિસ્તાન ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી આક્રમક બની ગયો છે અને તેણે ભારતના અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતના મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System)એ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાને તાજેતરમાં સીઝફાયર (Ceasefire) અંગે સમજૂતી કરી છે, પરંતુ તેની હરકતો અટકી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway will run a special train between Bhuj and Rajkot from March 21
રાજકોટ

Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, આ તારીખથી પશ્ચિમ રેલ્વે દોડાવશે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન.. ચેક કરો શેડ્યુલ..

by kalpana Verat March 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને રાજકોટ વચ્ચે  સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ દૈનિક સ્પેશલ

ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 21 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી ભુજથી દરરોજ સવારે 06.50 કલાકે ઉપડશે અને બપોરે 13.35 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 21 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી રાજકોટથી દરરોજ બપોરે 14.30 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ભુજ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ગાંધીધામ, ભચાઉ, સામાખ્યાલી, માળિયા-મિયાણા, દહિંસરા અને મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો:  Western Railway : મુસાફરોને થશે હેરાનગતિ.. સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર; જાણો કારણ

ટ્રેન નંબર 09446/09445 ની બુકિંગ 20 માર્ચ 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GeM GeM 9th edition to be held in Rajkot from tomorrow
રાજકોટ

GeM: રાજકોટમાં આવતીકાલથી યોજાશે GeM 9મો સંસ્કરણ, MSMEએ સરકારી ઇ-માર્કેટપ્લેસ સાથે કરી બેઠક…

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

GeM: ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) આગામી 9માં સંસ્કરણમાં ભાગ લેવા જઇ રહ્યું છે,  જે 2 થી 5 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજકોટના એન.આઇ.એસ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાશે.  આ પ્લેટફોર્મ સ્થાનિક એમએસઈ સાથે વધુ આદાન-પ્રદાનની સુવિધા આપવા અને GeM મારફતે જાહેર ખરીદીનાં ક્ષેત્રમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવા તેની સહભાગીતાને ચિહ્નિત કરશે.

રાજકોટના નાના પાયે વેચાણકર્તાઓ માટે બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (બી2જી) માર્કેટની સુલભતા વધારીને આ પ્લેટફોર્મની કલ્પના હાયપર-લોકલ રોજગારીના સર્જન અને સંપત્તિના સર્જનને વેગ આપવા માટે કરવામાં આવી છે, જે ભારત સરકારની #VocalforLocal અને મેક ઇન ઇન્ડિયા (એમઆઇઆઇ) સહિતની મુખ્ય પહેલોને વધુ મજબૂત બનાવશે.

“સ્માર્ટ માર્કેટપ્લેસ ફિલ્ટર્સ, ખરીદીની પસંદગીઓ અને વિશિષ્ટ લાભો મારફતે GeM જાહેર ખરીદીમાં એમએસઈ માટે નવી તકો ઊભી કરી રહ્યું છે. આ પ્લેટફોર્મનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવા વિક્રેતાઓને કોઈ પણ વચેટિયાઓ વિના લાખો સરકારી ખરીદદારોને વેચવાની મંજૂરી આપે છે, જેનાથી તેમના વ્યવસાયની સંભાવનાઓ તેમના રાજ્યની સીમાઓથી આગળ વધે છે, ” GeM ના એડિશનલ સીઇઓ અને ચીફ સેલર ઓફિસર અજિત બી ચવ્હાણે જણાવ્યું હતું, જેઓ ભારત ઔદ્યોગિક મેળા દરમિયાન ખાસ મુખ્ય ભાષણ પણ આપશે.   

આ સમાચાર પણ વાંચો: MahaKumbh 2025: આવતીકાલે મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન, પ્રયાગરાજમાં પ્રશાસને કુલ 360 પથારીની ક્ષમતા ધરાવતી આટલી હોસ્પિટલો ઉભી કરી

GeM: ભારતમાં માઇક્રો એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની રજિસ્ટર્ડ અખિલ ભારતીય સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વર્ષ 1994થી આયોજિત આ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન છે, જે નવી વ્યાવસાયિક ક્ષમતાઓ અને પ્રવાહોને પ્રદર્શિત કરે છે, ત્યારે બી2બી, બી2સી અને બી2જી ડોમેનમાં પ્રસિદ્ધ નેતાઓ સાથે નેટવર્કિંગ અને નોલેજ શેરિંગ માટે એક મંચ પ્રદાન કરે છે. 

રાજકોટ કાસ્ટિંગ, ફોર્જિંગ, જનરલ અને આનુષંગિક ઇજનેરી અને અન્ય ઉદ્યોગોમાં વિશેષતા ધરાવતી કંપનીઓ માટે મુખ્ય ઇજનેરી કેન્દ્ર છે. આ કાર્યક્રમમાં સ્થાનિક એમએસઇ, સ્થાનિક એમએસએમઇ વેચાણ સંસ્થાઓ અને ભારતીય રેલવે અને સંરક્ષણ મંત્રાલય સહિત સરકારી ખરીદદારો ઉપસ્થિત રહેશે. સ્થાનિક વિક્રેતા આધાર અને ત્વરિત હેન્ડહોલ્ડિંગના વિસ્તૃત ઓનબોર્ડિંગ મારફતે ભારત ઔદ્યોગિક મેળામાં જીઇએમની ભાગીદારી આ પોર્ટલના વ્યાપક સ્વીકારને પ્રોત્સાહન આપશે, જે ભારત સરકારના “વિશિષ્ટ વિકસિત ભારત @ 2047” ના દ્રષ્ટિકોણને મજબૂત બનાવશે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025: બજેટ 2024માં શું થયું સસ્તું અને કઈ વસ્તુના વધ્યા ભાવ? જુઓ સંપૂર્ણ લિસ્ટ

GeM વિશે:

GeM: ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ છે, જે વિવિધ કેન્દ્ર/રાજ્ય મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પંચાયતો, સહકારી સંસ્થાઓ વગેરે દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની એન્ડ-ટુ-એન્ડ ખરીદીની સુવિધા આપે છે. ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસન’ હાંસલ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મની શક્તિનો ઉપયોગ કરવા માટે આપણાં પ્રધાનમંત્રીનાં સહિયારા પ્રયાસો વર્ષ 2016માં જીઇએમની સ્થાપના તરફ દોરી ગયા હતા. ઓનલાઇન પોર્ટલની સ્થાપના વર્ષો જૂની મેન્યુઅલ જાહેર ખરીદી પ્રક્રિયાઓને નાબૂદ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી, જે બિનકાર્યક્ષમતાઓ અને ભ્રષ્ટાચારથી ભરેલી હતી.

GeM પેપરલેસ, કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઇકોસિસ્ટમ પૂરી પાડે છે, જેમાં વિક્રેતાઓની નોંધણી અને ખરીદદારો દ્વારા આઇટમની પસંદગીથી માંડીને માલની પ્રાપ્તિ અને સમયસર ચુકવણીની સુવિધા સુધીની ખરીદીની પ્રક્રિયાના સમગ્ર ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે. જીઇએમની કલ્પના એવી કરવામાં આવી હતી કે તે ચપળતા અને ગતિનો ઉપયોગ કરે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ સાથે આવે છે, જે જાહેર ખરીદી પ્રણાલીઓને પુનર્જીવિત કરવાના વ્યૂહાત્મક ઉદ્દેશસાથે બનાવવામાં આવે છે અને વંચિત લોકો તેમજ રાષ્ટ્ર માટે કાયમી પરિવર્તન લાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Khel Mahakumbh 3.0 The grand inauguration ceremony of “Khel Mahakumbh 3.0” will be held in Rajkot in the presence of Chief Minister Shri Bhupendra Patel.
રાજકોટ

Khel Mahakumbh: ખેલ મહાકુંભ ૩.૦ નો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાશે

by khushali ladva January 3, 2025
written by khushali ladva

• વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભાયેલા આ મહાકુંભમાં આજે રેકોર્ડ બ્રેક ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેશે

• ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારંભમાં ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા, શ્રેષ્ઠ ૩ જિલ્લા અને શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાને સન્માનિત કરવામાં આવશે

• દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ

News Continuous Bureau | Mumbai

Khel Mahakumbh:  ખેલ મહાકુંભ ૩.૦નો ઉદ્દઘાટન સમારંભ આવતી કાલે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.

રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થય અંગેની જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે. વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેવા જઇ રહ્યા છે.

Khel Mahakumbh:  ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરત, દ્વિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર.હાઇસ્કુલ દેવગઢ બારીયા, દાહોદ અને તૃતીય શ્રેષ્ઠ શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.

તેવી જ રીતે ખેલ મહાકુંભ ૨.૦ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ૩ જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો, સ્ટેટ રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.

તે ઉપરાંત ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન સુરત મહાનગરપાલિકા, સ્ટેટ રનર્સઅપ અમદાવાદ મહાનગરપાલિકા અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ વડોદરા મહનગરપાલિકાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.

Khel Mahakumbh:  ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ ૭૧,૩૦,૮૩૪ રજિસ્ટ્રેશન થયા છે. અંડર-૯ કેટેગરીથી માંડીને અબોવ-૬૦ કેટેગરી સુધી મળીને વિવિધ ૭ વયજુથના ખેલાડીઓ વિવિધ ૩૯ રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને રૂ. ૫ લાખથી માંડીને રૂ.૧૦ હજાર સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એમ રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪૫ કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે.

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભમાં શારીરિક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને અલગ અલગ જુથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પુરી પાડી છે. જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
2 hospitals suspended, 2 penalized for irregularities under scheme in PMJAY Ma in Rajkot
રાજકોટ

PMJAY MA Yojana Rajkot: આ યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને ફટકારી પેનલ્ટી..

by Hiral Meria December 18, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

PMJAY MA Yojana Rajkot: PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ  2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને પેનલ્ટી ફટકારવામાં આવી છે. રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે તો ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો 

બે હોસ્પિટલમાં ( Rajkot ) કુલ રૂ.90 લાખ થી વધુની રકમની પેનલ્ટી અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના ( PMJAY MA Yojana Rajkot ) છે. જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે ચલાવી નહીં લેવાય.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Rajasthan: PM મોદીએ જયપુરમાં રાજ્ય સરકારના ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’ કાર્યક્રમમાં લીધો ભાગ, આ ક્ષેત્રો સંબંધિત 24 પ્રોજેક્ટસનું કર્યું ઉદઘાટન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Organization of Pension and NPS Court to resolve pension issues of retired pensioners of Postal Department in rajkot
રાજકોટ

Pension Court Rajkot: ટપાલ વિભાગના નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ, રાજકોટમાં આ તારીખે પેન્શન અને NPS અદાલતનું આયોજન..

by Hiral Meria November 26, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Pension Court Rajkot:  ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. 

પેન્શનને ( pensioners ) લગતા પ્રશ્નો આપ જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને તા. 15-12-2024 પહેલા મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.

આ સમાચાર પણ વાંચો: Riyadh Design Law Treaty: ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અધિનિયમ પર કર્યા હસ્તાક્ષર, સર્વસમાવેશક વિકાસ અને બૌદ્ધિક સંપદા સંરક્ષણ માટે કરી પુનઃપુષ્ટી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક