Tag: raksha khadse

  • Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો

    Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો

    News Continuous Bureau | Mumbai

    Eknath Khadse રાજકારણના વરિષ્ઠ અને વિવાદાસ્પદ નેતા તરીકે ઓળખાતા એકનાથ ખડસે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ અલગ છે. તેમના જલગાંવ સ્થિત બંગલામાં ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ થોડા દિવસો પહેલાં જ તેમના પુત્રવધૂ અને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર પણ ધાડ પડી હોવાથી જલગાંવ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે.

    તકનો લાભ લઈને રોકડ અને દાગીનાની ચોરી

    મળતી માહિતી મુજબ, ખડસે હાલમાં મુક્તાઈનગર સ્થિત પોતાના નિવાસસ્થાને રહેતા હોવાથી જલગાંવનું ઘર કેટલાક દિવસોથી બંધ હતું. આ તકનો ફાયદો ઉઠાવીને ચોરોએ ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ તથા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

    એકનાથ ખડસેનો પોલીસ પર ગુસ્સો

    ઘટના બાદ એકનાથ ખડસેએ પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા. ખડસેએ ગુસ્સામાં પ્રતિક્રિયા આપતા કહ્યું, “પોલીસનો જલગાંવ જિલ્લામાં ડર રહ્યો નથી. ચોરીઓ-ધાડ વધી ગઈ છે અને પોલીસ ફક્ત હપ્તા ભેગા કરવામાં વ્યસ્ત છે. જો હું બોલું છું તો ધારાસભ્યો મારી મજાક ઉડાવે છે.”

    આ સમાચાર પણ વાંચો : Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ

    રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર પણ ધાડ

    આ દરમિયાન, 10 ઓક્ટોબરના રોજ મુક્તાઈનગર સ્થિત રક્ષા ઓટો ફ્યુઅલ નામના પેટ્રોલ પંપ પર બે મોટરસાયકલ પર આવેલા પાંચ ધાડપાડુઓએ કર્મચારીઓને માર માર્યો હતો અને લગભગ એક લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી.એકનાથ ખડસેના ઘરમાં ચોરી અને રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર ધાડ, આ બંને ઘટનાઓએ જલગાંવ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું છે.

  • Raksha Khadse Daughter molestation Case: ઓ ત્તારી… કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રીની જ જાહેરમાં છેડતી. મહારાષ્ટ્રમાં મોટુ કાંડ…

    Raksha Khadse Daughter molestation Case: ઓ ત્તારી… કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રીની જ જાહેરમાં છેડતી. મહારાષ્ટ્રમાં મોટુ કાંડ…

    Raksha Khadse Daughter molestation Case:

    • જળગાંવના મુકતાઈનગરીમાં કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની પુત્રી સહિત અન્ય તરૂણીઓની છેડતીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

    • ખડસેની પુત્રી સાથે રહેલા સુરક્ષા જવાનોને પણ ગુંડાઓએ ધક્કા માર્યા હતા.

    • ખુદ કેન્દ્રીય મંત્રીએ આ ઘટના અંગે પોલીસ મથકે જઈ પોલીસ ફરિયાદ નોંધાવી.

    •  હાલ પોલીસે આ કિસ્સામાં એક યુવકની ધરપકડ કરી છે જ્યારે અન્ય છ યુવકોની શોધખોળ ચાલુ છે.

     

     

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની સેન્ડ-ઑફ સમારંભમાં ડૉ. મનસુખ માંડવિયાએ લીધો ભાગ, ભારતીય ટુકડીને  પાઠવી શુભેચ્છા..

    Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની સેન્ડ-ઑફ સમારંભમાં ડૉ. મનસુખ માંડવિયાએ લીધો ભાગ, ભારતીય ટુકડીને પાઠવી શુભેચ્છા..

    News Continuous Bureau | Mumbai

    Paris Paralympics 2024:  કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ( Mansukh Mandaviya ) નવી દિલ્હીમાં આયોજિત વિદાય સમારંભ દરમિયાન પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનાર ભારતીય દળને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

    રમતવીરોની ( Athletes ) પ્રશંસા કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આપણા પેરા-એથ્લેટ્સ અવરોધોને પાર કરવાની અને પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. પેરા-એથ્લેટ્સ ( Para-athletes ) ભારતની ભાવનાને મૂર્તિમંત કરે છે અને આપણા 140 કરોડ નાગરિકો માટે પ્રેરણાના ગહન સ્ત્રોત તરીકે સેવા આપે છે.”

    ડૉ. માંડવિયાએ આપણા એથ્લેટ્સને જરૂરી સંસાધનોથી સજ્જ કરવા અને સ્પર્ધાના સર્વોચ્ચ સ્તરે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે ટેકો આપવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયા પહેલની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો, જેણે અસંખ્ય રમતવીરોનાં વિકાસને પ્રોત્સાહન આપ્યું છે તેમજ લક્ષિત ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ) મારફતે 50 પેરા-એથ્લેટ્સને લક્ષિત સાથસહકાર આપ્યો છે.

    “આ વખતે, અમે 84 પેરા-એથ્લેટ્સની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલી રહ્યા છીએ, જેઓ 12 રમતોમાં ભાગ લેશે,” તેમણે ભારતના પેરા-એથ્લેટ્સની વધતી જતી શક્તિ અને પ્રતિભાનું પ્રદર્શન કરતા જણાવ્યું હતું. આ એથ્લીટ્સ તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિંટન, કેનોઈંગ, સાઈક્લિંગ, બ્લાઇન્ડ જુડો, પાવરલિફ્ટિંગ, રોવિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને તાઈકવાન્ડો સહિતની 12 રમતોમાં ભાગ લેશે.

    આ સમાચાર પણ વાંચો :  Western Railway: રેલ યાત્રીઓની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે દ્વારા આટલી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ વિસ્તૃત કરવામાં આવી.

    કેન્દ્રીય મંત્રીએ પણ આ રમતવીરોની પાછળના પરિવારો અને કોચના અમૂલ્ય સમર્થનને ઓળખવા અને તેની પ્રશંસા કરવાની તક ઝડપી લીધી હતી. “હું તમારા પરિવારો અને કોચને મારી શુભેચ્છાઓ આપવા માંગુ છું જેઓ તમારી મુસાફરીની શરૂઆતથી જ તમારી સાથે ઉભા રહ્યા છે,” તેમણે તેમના સમર્પણ અને અવિરત પ્રતિબદ્ધતાને સ્વીકારતા ટિપ્પણી કરી હતી.

    કેન્દ્રીય મંત્રીએ વિશેષ ગીત “માચા ધૂમ” પણ લોન્ચ કર્યું હતું. ઊર્જાસભર 3 મિનિટ 16 સેકન્ડના આ ગીતનો હેતુ એથ્લેટ્સને એકત્રિત કરવાનો અને સ્પર્ધાની ભાવનાને પ્રજ્વલિત કરવાનો છે.

    કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ ( Raksha Khadse ) પોતાનાં સંબોધનમાં રમતવીરોનાં અસાધારણ સમર્પણ અને દ્રઢ નિશ્ચય બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા રમતવીરોએ અવિશ્વસનીય સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને તેમની યાત્રા સાચી પ્રેરણા છે. અમને તેમના પર ખૂબ ગર્વ છે.”

    પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી દેવેન્દ્ર ઝાઝરિયાએ પેરાલિમ્પિયન્સના સમર્થન બદલ સરકારનો આભાર માન્યો હતો. તેમણે પેરિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહેલા રમતવીરો પર ગર્વ વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે દ્રઢતા અને દ્રઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો :  NITI Aayog: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે નીતિ આયોગના આ અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્ર્મ..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • મોદી-શાહની અનેક વખત મુલાકાત લેનારા NCPના આ દિગ્ગજ નેતા શું ઘરવાપસી કરશે-  જાણો શું છે તેમનો પ્લાન

    મોદી-શાહની અનેક વખત મુલાકાત લેનારા NCPના આ દિગ્ગજ નેતા શું ઘરવાપસી કરશે- જાણો શું છે તેમનો પ્લાન

    News Continuous Bureau | Mumbai

    પક્ષમાં નારાજ નેતાઓનું  સ્વગૃહમાં પાછા ફરવું સામાન્ય છે. પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) દિગ્ગજ નેતા એકનાથ ખડસે(Eknath Khadse) ફરી એક વખત ભાજપમાં(BJP) જોડાઈ રહ્યા છે, એવી લાંબા સમયથી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેમાં પાછું તાજેતરમાં તેમણે પોતાની પુત્રવધુ રક્ષા ખડસે(Daughter-in-law Raksha Khadse) સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહની(Amit Shah) મુલાકાત લેવા દિલ્હી ગયા હતા. ત્યારથી ફરી એક વખત ખડસે ફરી ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી જોરદાર અફવા ઊડી છે. જોકે એકનાથ ખડસે આ તમામ વાતનું ખંડન કર્યું છે.

    મીડિયા સાથે વાત કરતા એકનાથ ખડસેએ કહ્યું હતું કે કે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે. મોદી વડા પ્રધાન છે. તેઓ બંને સાથે મારો જૂનો પરિચય છે. હું તેમને બંનેને અનેક વખત મળ્યો છું અને ભવિષ્યમાં પણ મળતો રહીશ. દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળવાનો છું. પરંતુ તેનો અલગ મતલબ કાઢવો નહીં. હું રાષ્ટ્રવાદીમાં છું, અને મારી પુત્રવધુ ભાજપની સાંસદ(BJP MP) છે, એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- કોર્ટમાં જજે મહિલા વકીલની છેડતી કરી- CCTV વાયરલ-  હાઈકોર્ટે એડીજેને સસ્પેન્ડ કર્યા- જાણો વિગતે

    તો એકનાથ ખડસેની વહુએ પણ બાદમાં આ બાબતે સ્પષ્ટતા આપતા  કહ્યું હતું કે તેઓ અને એકનાથ ખડસે દિલ્હી અમિત શાહને મળવા ગયા હતા. પરંતુ શાહ બહુ વ્યસ્ત હોવાથી તેમની સાથે મુલાકાત થઈ શકી નહોતી.