Tag: reaction

  • Agastya Nanda Ikkis:  અગસ્ત્ય નંદાની ‘ઇક્કીસ’નો ફર્સ્ટ લુક આવ્યો સામે, બહેન નવ્યા ઉપરાંત આ લેડી ના રિએક્શન ની થઇ રહી છે ચર્ચા

    Agastya Nanda Ikkis: અગસ્ત્ય નંદાની ‘ઇક્કીસ’નો ફર્સ્ટ લુક આવ્યો સામે, બહેન નવ્યા ઉપરાંત આ લેડી ના રિએક્શન ની થઇ રહી છે ચર્ચા

    News Continuous Bureau | Mumbai

    Agastya Nanda Ikkis: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન નો દોહિત્રો અગસ્ત્ય નંદા હવે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની આગામી ફિલ્મ ‘ઇક્કીસ’ (Ikkis)માં તે 1971ના યુદ્ધના શહીદ લેફ્ટિનન્ટ અરુણ ખેત્રપાલ  ની ભૂમિકામાં જોવા મળશે. 14 ઓક્ટોબરે અરુણ ખેત્રપાલની જન્મજયંતિના દિવસે ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા.

    આ સમાચાર પણ વાંચો : Manish Malhotra Diwali Party: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ નો જામ્યો ભવ્ય મેળાવડો, સફેદ ડ્રેસ માં કરીના કપૂરે લૂંટી લાઈમલાઈટ

    આર્મી લુકમાં અગસ્ત્ય, પોસ્ટરથી જ જીત્યું દિલ

    ફિલ્મના પોસ્ટરમાં અગસ્ત્ય આર્મી યુનિફોર્મમાં, હાથમાં બંદૂક લઈને યુદ્ધ માટે તૈયાર દેખાય છે. બેકગ્રાઉન્ડમાં યુદ્ધનું દ્રશ્ય ફિલ્મની ગંભીરતા અને વીરતાની કહાની દર્શાવે છે. પોસ્ટર પર લખાયું છે: “એ ઇક્કીસનો હતો, ઇક્કીસનો જ રહેશે.”અગસ્ત્યની બહેન નવ્યા નવેલી નંદા અને રુમર્ડ ગર્લફ્રેન્ડ સુહાના ખાન એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેને ચીયર કર્યું. ફેન્સ અને સેલેબ્સે પણ અગસ્ત્યના લુકની પ્રશંસા કરી છે.સુહાના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ “ઈક્કીસ” નું પોસ્ટર શેર કર્યું. અભિનેત્રીએ કોઈ કેપ્શન આપ્યું નથી.પરંતુ તેના આ રિએક્શન ની ચર્ચા થઇ રહી છે.

     

    View this post on Instagram

     

    A post shared by Agastya Nanda (@agastya.nanda)


    ફિલ્મ ‘ઇક્કીસ’નું નિર્માણ દિનેશ વિજન અને મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન શ્રીરામ રાઘવન એ કર્યું છે. ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થશે. ફિલ્મમાં જયદીપ અહલાવત પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 17: KBC 17માં ગુજરાતના બાળકની ‘ઉદ્ધતાઈ’ થી સોશિયલ મીડિયા પર ચર્ચા,અમિતાભ બચ્ચનના આવા પ્રતિસાદે જીતી લીધું દિલ

    KBC 17: KBC 17માં ગુજરાતના બાળકની ‘ઉદ્ધતાઈ’ થી સોશિયલ મીડિયા પર ચર્ચા,અમિતાભ બચ્ચનના આવા પ્રતિસાદે જીતી લીધું દિલ

    News Continuous Bureau | Mumbai

    KBC 17: ‘કૌન બનેગા કરોડપતિ 17’ (KBC 17)ના તાજેતરના એપિસોડમાં ગુજરાત નો વિદ્યાર્થી ઇશિત હોટ સીટ પર બેઠો હતો. શરૂઆતમાં તેની ઉત્સુકતા જોઈને લોકો ખુશ થયા, પણ જેમ જેમ રમત આગળ વધી, તેમ તેમ તેના ઓવર કોન્ફિડન્સ અને વર્તન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા. ઇશિતે અમિતાભ બચ્ચન  ને કહ્યું કે “મને નિયમો સમજાવવાની જરૂર નથી”, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી.

    આ સમાચાર પણ વાંચો : Mahabharat Returns: 37 વર્ષ બાદ મહાભારતની ધમાકેદાર વાપસી, હવે AI અવતારમાં OTT અને ટીવી પર મચાવશે ધૂમ, જાણો કયારે જોઈ શકશો આ મહાકાવ્ય

    અમિતાભ બચ્ચન સામે ઉદ્ધત વર્તન

    શો દરમિયાન ઇશિત વારંવાર અમિતાભની વાત ને વચ્ચે થી કાપી બોલતો રહેતો હતા. અમિતાભે આ બધું શાંતિથી સહન કર્યું અને હસીને આગળ વધ્યા. અંતે, ઇશિત પાંચમા પ્રશ્ન પર ખોટો જવાબ આપીને શોમાંથી બહાર થઈ ગયો. પ્રશ્ન હતો – “રામાયણનો પહેલો અધ્યાય કયો છે?” સાચો જવાબ હતો – બાલકાંડ, જ્યારે ઇશિતે અયોધ્યાકાંડ કહ્યું. યૂઝર્સે બાળકના વર્તન પર ટીકા કરી. એક યુઝરે લખ્યું – “બાળકોને શિક્ષણ આપો, પણ સાથે સંસ્કાર પણ શીખવો.” અમિતાભ બચ્ચનના શાંત અને સંયમભર્યા પ્રતિસાદની પ્રશંસા પણ થઈ રહી છે.


    વિડિયો વાયરલ થયા પછી અમિતાભ બચ્ચને એક ટૂંકા ટ્વીટમાં લખ્યું: “કહેવાનું કંઈ નથી… બસ સ્તબ્ધ !!!” આ ટ્વીટને લોકો બાળકની હરકત પર તેમનો પ્રતિસાદ માનીને શેર કરી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shraddha Kapoor on Saiyaara: શ્રદ્ધા કપૂર ને ‘સૈયારા’ થી થઈ આશિકી, અહાન પાંડે અને અનીત પદ્દા ની ફિલ્મ ને લઈને અભિનેત્રી એ કહી આવી વાત

    Shraddha Kapoor on Saiyaara: શ્રદ્ધા કપૂર ને ‘સૈયારા’ થી થઈ આશિકી, અહાન પાંડે અને અનીત પદ્દા ની ફિલ્મ ને લઈને અભિનેત્રી એ કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Shraddha Kapoor on Saiyaara: મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૈયારા’ 18 જુલાઈએ રિલીઝ થઈ હતી અને માત્ર ચાર દિવસમાં 105.76 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પદ્દા મુખ્ય ભૂમિકામાં છે. ‘આશિકી’ ગર્લ શ્રદ્ધા કપૂર એ પણ આ ફિલ્મ જોઈ અને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભાવનાત્મક પ્રતિસાદ આપ્યો.

    આ સમાચાર પણ વાંચો : Sonu Sood: સોનુ સુદ ની સોસાયટી માંથી સાપ નીકળતા અભિનેતા એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે તેમની બહાદુરી ના વખાણ

    શ્રદ્ધા કપૂર ને ‘સૈયારા’ થી થઈ આશિકી

    શ્રદ્ધાએ ફિલ્મ જોઈને લખ્યું કે “સૈયારા થી આશિકી થઈ ગઈ છે મને.” તેણે ફિલ્મના એક ખાસ સીનનો સ્ક્રીનશોટ શેર કર્યો અને કહ્યું કે “આ મોમેન્ટ માટે હું 5 વાર ફિલ્મ જોઈશ.” શ્રદ્ધાએ આ ફિલ્મને “પ્યોર સિનેમા, પ્યોર ડ્રામા, પ્યોર મેજિક” તરીકે વર્ણવ્યું.

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    સૈયારા’ ફિલ્મથી અહાન પાંડે અને અનીત પદ્દા એ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. અહાન, અનન્યા પાંડે નો કઝિન અને ચંકી પાંડે નો ભત્રીજો છે. અનીત માટે પણ આ ફિલ્મ મુખ્ય લીડ તરીકે નો પહેલો પ્રોજેક્ટ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Lion Viral Video : સિંહે પહેલી વાર ચાખ્યો શાકભાજીનો સ્વાદ, જોવા જેવી છે ‘જંગલના રાજા’ ની પ્રતિક્રિયા… જુઓ વિડીયો…

    Lion Viral Video : સિંહે પહેલી વાર ચાખ્યો શાકભાજીનો સ્વાદ, જોવા જેવી છે ‘જંગલના રાજા’ ની પ્રતિક્રિયા… જુઓ વિડીયો…

    News Continuous Bureau | Mumbai

      Lion Viral Video : કલ્પના કરો કે એક સિંહ, જે માંસાહારી ખોરાક ખાવા માટે ટેવાયેલો છે, જો તેને શાકભાજી ખવડાવવામાં આવે તો તે કેવી પ્રતિક્રિયા આપશે. હાલમાં, આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચ્યું છે જ્યાં ‘જંગલના રાજા’ ની પ્રતિક્રિયા જોઈને નેટીઝન્સ પોતાનું હાસ્ય કાબૂમાં રાખી શકતા નથી.

     

      Lion Viral Video : ‘જંગલના રાજા’ ની પ્રતિક્રિયા

    વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સિંહ તેના વાડામાં ફરતો જોઈ શકાય છે. પછી કેમેરા ‘જંગલના રાજા’ ની સામે રાખેલી શાકભાજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્લિપ જોયા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે સિંહે કદાચ આ લીલી વસ્તુ પહેલાં ક્યારેય જોઈ નથી, અને તેની જિજ્ઞાસા જોવા જેવી છે. બીજી જ ક્ષણે સિંહ તેના શક્તિશાળી પંજા વડે શાકભાજીને પકડવાનો પ્રયાસ કરે છે. સિંહ શાકભાજીને પોતાના જડબામાં લેતાની સાથે જ વિચિત્ર હાવભાવ  આપે છે. ક્રૂર શિકારીની આંખો અને હોઠ ફરકે છે જાણે તે વિચારી રહ્યો હોય – ઓ મારી માતા, આ શું છે? 

     Lion Viral Video :શાકભાજી ખાધા પછી સિંહે આપી આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

    સિંહની પ્રતિક્રિયા એટલી રમુજી છે કે નેટીઝન્સ હસવાનું રોકી શકતા નથી. એવું લાગે છે કે તે આપણને માણસોને પૂછી રહ્યો છે, અરે ભાઈ, તમે મને શું ખવડાવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોનો ખૂબ આનંદ માણી રહ્યા છે.  

    આ સમાચાર પણ વાંચો : Bee Farming : સુરતના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડીને મધમાખી ઉછેરથી મેળવી નવી ઓળખ, વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે ૧૦ લોકોને પૂરી પાડે છે રોજગારી

    એક યુઝરે ટિપ્પણી કરી કે સિંહ ગુસ્સામાં કહી રહ્યો હશે કે, મને એક વાર બહાર જવા દો, પછી હું તમને કહીશ કે મને તેનો સ્વાદ કેવો લાગ્યો. તે જ સમયે, એક યુઝરે તો એમ પણ કહ્યું કે સિંહની પ્રતિક્રિયા જોયા પછી, તે પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતો નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mahayuti Municipal Elections :શું મહાયુતિ પાલિકા અને સ્થાનિક સરકારની ચૂંટણીઓ સાથે મળીને લડશે? સીએમ ફડણવીસે આપ્યો આ જવાબ…

    Mahayuti Municipal Elections :શું મહાયુતિ પાલિકા અને સ્થાનિક સરકારની ચૂંટણીઓ સાથે મળીને લડશે? સીએમ ફડણવીસે આપ્યો આ જવાબ…

      News Continuous Bureau | Mumbai

     Mahayuti Municipal Elections :આજે મહારાષ્ટ્રના  અહિલ્યાનગર ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ઐતિહાસિક રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટે 3 વર્ષથી વધુ સમયથી વિલંબિત મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગે મહત્વપૂર્ણ આદેશો જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર બોલતા મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, મહાયુતિ ગઠબંધન સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. મુખ્યમંત્રી ફડણવીસે આ પ્રસંગે એમ પણ કહ્યું કે અમે રાજ્ય ચૂંટણી પંચને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપીશું.

     Mahayuti Municipal Elections :ચૂંટણી પંચને  તમામ તૈયારીઓ કરવા વિનંતી 

    રાજ્ય મંત્રી પરિષદની બેઠક બાદ પત્રકાર પરિષદમાં બોલતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર પ્રતિક્રિયા આપી. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હું ખુશ છું. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અમે ચૂંટણી પંચને આ સંદર્ભમાં તાત્કાલિક તમામ તૈયારીઓ કરવા વિનંતી કરીશું.

    આગળ બોલતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે ચૂંટણી પંચે અમારી માંગ સ્વીકારી લીધી છે. ઓબીસી અનામત અંગેની સ્થિતિ બાંઠિયા કમિશન પહેલા જેવી જ રહેશે. તેથી, આ ચૂંટણીઓમાં OBC માટે સંપૂર્ણ અનામત લાગુ પડશે.  

    આ સમાચાર પણ વાંચો : Mumbai BMC Election : મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીઓનું બ્યુગલ વાગશે!?  સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો મહત્વપૂર્ણ આદેશ..

     Mahayuti Municipal Elections :પાલિકા ચૂંટણી મહાયુતિ ગઠબંધન સાથે મળીને લડશે

    દરમિયાન, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું મહાગઠબંધન આગામી ચૂંટણીઓ સાથે મળીને લડશે. આ સંદર્ભમાં એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન સાથે મળીને લડશે. સ્થાનિક સ્તરે એક જગ્યાએ અલગ નિર્ણય લઈ શકાય છે. પરંતુ નીતિ તરીકે, મહાયુતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે મળીને લડશે.

     Mahayuti Municipal Elections : ચાર મહિનામાં યોજવાનો મહત્વપૂર્ણ આદેશ 

    સુપ્રીમ કોર્ટે રાજ્યમાં 3 વર્ષથી વધુ સમયથી અટકેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ચાર મહિનામાં યોજવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મુંબઈ, પુણે, નાસિક, નાગપુર અને અન્ય શહેરોમાં બાકી રહેલી નગરપાલિકા અને મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે માર્ગ મોકળો થયો છે. આગામી 4 અઠવાડિયામાં મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચે નિર્દેશ આપ્યો કે આ પછી ચાર મહિનાની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

  • Jaya bachchan: કુણાલ કામરાના સમર્થનમાં આવી જયા બચ્ચન! એકનાથ શિંદે પર કટાક્ષ પર આપી અભિનેત્રી એ પોતાની પ્રતિક્રિયા

    Jaya bachchan: કુણાલ કામરાના સમર્થનમાં આવી જયા બચ્ચન! એકનાથ શિંદે પર કટાક્ષ પર આપી અભિનેત્રી એ પોતાની પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai

    Jaya bachchan: સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા હાલમાં તેની એકનાથ શિંદે પર કરેલી મજાકને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.તેને પોતાના શોમાં બોલિવૂડ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત પર એક પેરોડી ગીત બનાવ્યું હતું, જેમાં તેણે કોઈનું નામ લીધા વિના, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. જે બાદ રાજકારણ ગરમાયું હતું. શિવસેનાના કાર્યકરોએ હાસ્ય કલાકારના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતીએટલું જ નહીં, કુણાલ વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.હવે જયા બચ્ચને આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

    આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાને કરી ટ્રોલર્સ ની બોલતી બંધ, પોતાના થી 31 વર્ષ નાની અભિનેત્રી રશ્મિકા સાથે કામ કરવાને લઈને આપ્યો આવો જવાબ

    જયા બચ્ચને કરી આવી વાત 

    અભિનેત્રી અને રાજ્યસભા સભ્ય જયા બચ્ચને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરતા જયા બચ્ચને કહ્યું કે ‘જો આ રીતે બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો મીડિયાના લોકોનું શું થશે. તમે લોકો ગમે તેટલા ખરાબ હાલતમાં છો. તમારા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હવે અમે તમને કહીશું કે ફક્ત આ સમાચાર જણાવો અને બીજું કંઈ ન કહો. જયા બચ્ચનનો ઇન્ટરવ્યુ ના લો. વાણી સ્વાતંત્ર્ય ક્યાં છે? લડાઈ હોય ત્યારે જ કાર્ય કરવાની સ્વતંત્રતા મળે છે. વિરોધ પક્ષોને મારી નાખો, સ્ત્રીઓ પર બળાત્કાર કરો, તેમની હત્યા કરો અને બીજું શું બાકી રહે છે? સત્તા ખાતર તમે લોકોએ તમારી વાસ્તવિક પાર્ટી છોડીને બીજી પાર્ટી બનાવી. શું તે બાબા સાહેબ ઠાકરેનું અપમાન નહોતું?’


    જયા બચ્ચન ની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Trump Trade War: હવે આ દેશો ટ્રમ્પ સાથે સીધી લડાઈના મૂડમાં, અમેરિકી પ્રમુખને આપી દીધી ચિમકી; કહ્યું- અમે અંત સુધી લડવા તૈયાર..

    Trump Trade War: હવે આ દેશો ટ્રમ્પ સાથે સીધી લડાઈના મૂડમાં, અમેરિકી પ્રમુખને આપી દીધી ચિમકી; કહ્યું- અમે અંત સુધી લડવા તૈયાર..

     

    Trump Trade War: ટેરિફ યુદ્ધ વધુ ઘેરું બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, જે 4 માર્ચની મધ્યરાત્રિથી અમલમાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. હવે આ દેશો પણ અમેરિકન રાષ્ટ્રપતિને એ જ રીતે જવાબ આપી રહ્યા છે.

     અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રમ્પ દ્વારા અમેરિકન અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા ટેરિફ પગલાની અસર હવે અમેરિકા પર જ પડી રહી હોય તેવું લાગે છે. અમેરિકા આજે વિશ્વ શક્તિ હોવા છતાં, તેણે જે રીતે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા છે. આ દેશો હજુ પણ એ જ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    Trump Trade War: આર્થિક મોરચે આ લડાઈ અંત સુધી લડવાના મૂડમાં

    જણાવી દઈએ કે, સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મંગળવાર એટલે કે આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે હવે આમાં વિલંબનો કોઈ અવકાશ નથી. આ પછી, કેનેડા ગુસ્સે છે અને આર્થિક મોરચે આ લડાઈ અંત સુધી લડવાના મૂડમાં છે.

    Trump Trade War: કેનેડા કરો યા મરોના મૂડમાં 

    હકીકતમાં, ટ્રમ્પે ઉર્જા આયાત સિવાય કેનેડાથી આવતા તમામ માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરતાની સાથે જ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 30 અબજ કેનેડિયન ડોલરની અમેરિકન આયાત પર ટેરિફ લાદીને બદલો લીધો. કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર વધારાનો 25 ટકા સરચાર્જ પણ લાદ્યો છે. ઉપરાંત, જસ્ટિન ટ્રુડોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. ટ્રુડોએ ટ્રમ્પ પર કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો જેથી તેઓ તેમના દેશને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભેળવી દેવાની યોજનાને આગળ ધપાવી શકે.

    Trump Trade War: ચીન અંત સુધી લડવા માટે તૈયાર

    તો બીજી તરફ ચીનના યુએસ દૂતાવાસે જણાવ્યું કે, જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, અમે તેને અંત સુધી લડવા માટે તૈયાર છીએ. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલથી ભારત, ચીન અને અન્ય દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ આવ્યું છે.

     

  • Mahayuti Cold War : મહાયુતીમાં ચાલી રહ્યું છે શીત યુદ્ધ ?  ડીસીએમ એકનાથ શિંદેએ કર્યો ખુલાસો; ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ..

    Mahayuti Cold War : મહાયુતીમાં ચાલી રહ્યું છે શીત યુદ્ધ ? ડીસીએમ એકનાથ શિંદેએ કર્યો ખુલાસો; ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ..

    News Continuous Bureau | Mumbai

    Mahayuti Cold War  : મહારાષ્ટ્રમાં હાલ મહાયુતિની સરકાર છે જેમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી છે. પરંતુ ઘણીવાર આ મહાગઠબંધન સરકારમાં અસંતોષના સંકેતો જોવા મળે છે. આ દરમિયાન, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મહાયુતિ અંગે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. 

    Mahayuti Cold War : એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી 

    રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મહાયુતિ ગઠબંધનમાં બધું બરાબર નથી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સમાંતર સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આ હેતુ માટે એક નવો વોર રૂમ શરૂ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે મંત્રાલયમાં એક અંડરવર્લ્ડ ચાલી રહ્યું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજકીય અરાજકતા ઊભી થઈ છે. આ બધા મુદ્દાઓ પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરી કે મહાયુતિમાં કોઈ શીત યુદ્ધ ચાલી રહ્યું નથી અને મહારાષ્ટ્રના વિકાસનો વિરોધ કરનારાઓ સાથે યુદ્ધ કરવા બદલ વિપક્ષની ટીકા કરી. 

    Mahayuti Cold War : મહાયુતિમાં કોઈ શીત યુદ્ધ નથી

    ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને વોર રૂમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રાજ્યમાં મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતો એક જ વોર રૂમ છે. નવો વોર રૂમ હજુ ખુલ્યો નથી. શિવસેનાના મંત્રીઓના વિભાગોની સમીક્ષા કરવા માટે એક સંકલન સેલની સ્થાપના કરવામાં આવી છે. આ રૂમ વોર રૂમ સાથે જોડાયેલ છે. તેથી, તેમણે કહ્યું કે, મહાયુતિમાં કોઈ શીત યુદ્ધ નથી, પરંતુ મહારાષ્ટ્રના વિકાસની વિરુદ્ધમાં રહેલા લોકો સાથે યુદ્ધ છે.

    આ સમાચાર પણ વાંચો :  Mahayuti Crisis : મહાયુતિમાં મતભેદ?? એકનાથ શિંદેએ ફડણવીસના નિર્ણયની સામે ભર્યું એવું પગલું કે; વહેતી થઇ અટકળો..

    Mahayuti Cold War : શિવસેના ઉબાઠા પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આ સલાહ આપી 

    એકનાથ શિંદેએ પણ પાર્ટીમાં આવનારા સભ્યો પર પ્રતિક્રિયા આપી. શિવસેના પક્ષ એક એવો પક્ષ છે જે બાળાસાહેબ અને ધર્મવીર આનંદ દિઘેના વિચારોને અનુસરે છે. આ પાર્ટી તેના કાર્યકરોને સશક્ત બનાવી રહી છે. આજે મોટી સંખ્યામાં લોકો શિવસેનામાં જોડાઈ રહ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. પરંતુ તેમણે ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી કે જેઓ પાછળ રહી રહ્યા છે તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

     

     

  • Raha kapoor video: જેહ ની બર્થડે પાર્ટી માં રાહા કપૂરે જાદુગર સામે આપ્યું એવું રિએક્શન કે તેની માસુમિયત જોઈ ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો

    Raha kapoor video: જેહ ની બર્થડે પાર્ટી માં રાહા કપૂરે જાદુગર સામે આપ્યું એવું રિએક્શન કે તેની માસુમિયત જોઈ ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

     Raha kapoor video: રાહા કપૂર એ રણબીર અને આલિયા ની દીકરી છે. રાહા તેની ક્યુટનેસ થી લોકો ના દિલ જીતી છે. તાજેતર માં રાહા કરીના અને સૈફ ના નાના દીકરા જેહ ની બર્થડે પાર્ટી માં પહોંચી હતી. આ પાર્ટી માં તે તેની દાદી નીતુ કપૂર સાથે આવી હતી.સ્ટારકિડ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે જાદુગર સામે એવું રીએકશન આપી રહી છે કે લોકો તેની માસુમિયત થી પ્રભાવિત થઇ ગયા છે

    આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor: અભિનય ઉપરાંત હવે આ બિઝનેસ માંથી પણ કમાણી કરશે રણબીર કપૂર, વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ કરી તેની બ્રાન્ડ, જાણો શું છે ખાસિયત

    રાહા કપૂર નો વિડીયો થયો વાયરલ 

    કરીના એ તેના નાના દીકરા જેહ ની બર્થડે પાર્ટી રાખી હતી જેમાં રાહા કપૂર પણ પહોંચી હતી.આ પાર્ટી માં કરીના એ એક જાદુગર નો ખેલ પણ રાખ્યો હતો. હવે આ પાર્ટી માંથી રાહા કપૂર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રાહા કપૂર સફેદ રંગના ફ્રોકમાં જાદુગરની સામે ઉભી છે. જાદુગર પોતાની યુક્તિ બતાવે છે જેમાં તે રાહા ના કાન પાસે, માથા પર એક બોટલ મૂકે છે પરંતુ રાહા ને તેનાથી કોઈ ફરક નથી પડતો તે પાણી પીવામાં જ વ્યસ્ત છે. જાદુગર તેની યુક્તિ પૂર્ણ કરે છે ત્યારે તેના હાથમાં સફેદ ઉંદર પકડેલો જોવા મળે છે. આ જોઈને રાહા ત્યાંથી ભાગી જાય છે. 

     

    View this post on Instagram

     

    A post shared by Moxioindia (@moxioindia)


     

    રાહા નું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રાહા ની  માસૂમિયતથી પ્રભાવિત થયા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Amitabh bachchan: ઇંગ્લેન્ડ સામે ભારતના જીતવા પર અમિતાભ બચ્ચન એટલા ખુશ થઇ ગયા કે પોસ્ટ કરતા તેમના થી થઇ ગઈ આવી ભૂલ

    Amitabh bachchan: ઇંગ્લેન્ડ સામે ભારતના જીતવા પર અમિતાભ બચ્ચન એટલા ખુશ થઇ ગયા કે પોસ્ટ કરતા તેમના થી થઇ ગઈ આવી ભૂલ

    News Continuous Bureau | Mumbai

    Amitabh bachchan: અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ની ટી20 મેચ જોવા ગયા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું હતું.અમિતાભ બચ્ચને ભારત ની જીત પછી ખૂબ જ ખુશ હતા. બિગ બી ને ભારત જીતવા પર એટલી ખુશી હતી કે તેમને તેમની પોસ્ટ માં એક ભૂલ કરી હતી.બિગ બી ની રમુજી ટ્વીટએ  બધાનું ધ્યાન ખેંચ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો: Khushi kapoor: ખુશી કપૂરે મિસ્ટ્રી મેન સાથે શેર કરી તસવીર, અભિનેત્રી ના કેપ્શન એ વધાર્યો લોકો નો ઉત્સાહ

    અમિતાભ બચ્ચન ની પોસ્ટ થઇ વાયરલ 

    અમિતાભ બચ્ચને X પર ટ્વિટ કર્યું હતું. અમિતાભ બચ્ચને તેમની અને અભિષેક ની તસવીરો શેર કરતા લખ્યું કે,  ‘ક્રિકેટ, ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ- ધોઈ નાખ્યા, ના ના પછાડી દીધા, ધોબી તળાવ માં અમે ગોરાઓને ક્રિકેટ કેવી રીતે રમાય છે તે શીખવ્યું. ૧૫૦ રનનો ફટકો…પરંતુ ટ્વીટ કરતી વખતે અમિતાભ બચ્ચને ભૂલ થી ટી20 ની જગ્યા એ ODI લખ્યું છે. આ જોયા પછી, લોકો તેમને સુધારી પણ રહ્યા છે.


    અમિતાભ બચ્ચન ના આ ટ્વીટ પર એક યુઝરે લખ્યું, “સાહેબ, અમે તમને T20 માં હરાવ્યા છે, ODI માં નહીં, જે વ્યક્તિએ તમારો X ચલાવ્યો તેણે ઉતાવળમાં લખ્યું અને ઉત્સાહિત થઈ ગયો”. બીજા એકે લખ્યું, “કાકા, તે T20 હતી, ODI નહીં.” આવી રીતે લોકો બિગ બી ને ભૂલ ને સુધારી રહ્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)