• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - refused
Tag:

refused

rakhi sawant dream of becoming bahu was shattered by pakistani actor dodi khan
મનોરંજન

Rakhi sawant: રાખી સાવંત ના નસીબ માં નથી લખ્યા લગ્ન, પાકિસ્તાની અભિનેતાએ તોડ્યું અભિનેત્રી નું દિલ, વિડીયો શેર કરી કહી આવી વાત

by Zalak Parikh January 31, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત વધુ એક વખત તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે.રાખી એ તાજેતર માં જણાવ્યું હતું કે તે પાકિસ્તાની અભિનેતા ડોડી ખાન ના પ્રેમ માં છે અને તે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ લાગે છે કે રાખી સાવંત ના નસીબ માં લગ્ન નું સુખ લખેલું જ નથી. હવે ડોડી ખાને રાખી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. અને તેને એક વિડીયો શેર કરીને આ માહિતી આપી છે. 

આ સમાચાર પણ વાંચો: Karan johar: વધુ એક સ્ટારકિડ ને લોન્ચ કરવા જઈ રહ્યો છે નેપોટિઝમ નો બાદશાહ કરણ જોહર, ફિલ્મ મેકરે તસવીર શેર કરી લખી લાંબી નોંધ

રાખી સાવંત સાથે લગ્ન કરવાની ડોડી ખાને પાડી ના 

ડોડી ખાને તેના ઇન્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘અસ્સલામ વાલેકુમ હિન્દુસ્તાન પાકિસ્તાન મેં ડોડી ખાન… થોડા દિવસો પહેલા તમે મારા સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો જેમાં મેં રાખી સાવંતને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તમે બિલકુલ સાચું જોયું… તેણીને પ્રપોઝ કરવાનું કારણ એ હતું કે હું તેણીને ખૂબ સારી રીતે ઓળખું છું, તે મારી મિત્ર છે. જ્યારે હું તેને ઓળખતો ગયો, ત્યારે મને તેનામાં એક એવી વ્યક્તિ દેખાવા લાગી જે ભગવાનને પ્રેમ કરતી હતી. તેણીએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, તેના માતાપિતા ગુમાવ્યા, અને તેની બીમારી અને દુઃખમાં તેમની સાથે રહી. એક વ્યક્તિ તેના જીવનમાં આવી, તમે જાણો છો તેણે શું કર્યું, તે એક મોટા આઘાતમાંથી બહાર આવી છે. તેને ઇસ્લામ સ્વીકાર્યો, ઉમરાહ કરી, ફાતિમા નામ રાખ્યું, માશાઅલ્લાહ આ તો બહુ મોટી વાત છે.’

 

View this post on Instagram

 

A post shared by Dodi Khan (@dodi_khan)


પોતાની વાત ને આગળ વધારતા ડોડી ખાને કહ્યું, ‘મને સારું લાગ્યું અને મેં પ્રપોઝ કર્યું, પણ મને લાગે છે કે લોકો આ સમજી શકશે નહીં કારણ કે મને મળતા સંદેશાઓ અને વિડિઓઝની સંખ્યા હું સંભાળી શકતો નથી. તો રાખી જી, તમે મારા ખૂબ સારા મિત્ર છો, ખૂબ જ પ્રિય મિત્ર છો અને હંમેશા રહેશો. તું ભલે ડોડી ખાનની દુલ્હન ન બની શકે, પણ તું ચોક્કસ પાકિસ્તાનની વહુ બનીશ, આ મારું તને વચન છે. હું તારા લગ્ન કરાવીશ, હું તારા લગ્ન પાકિસ્તાનમાં કરાવીશ. હું મારા પોતાના ભાઈઓમાંથી એક પાસેથી એ કરાવીશ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
cbfc refused to give certificate to 72 hoorain trailer ashoke pandit reacted on board decision
મનોરંજન

72 હુરે: સેન્સર બોર્ડે ’72 હુરે ‘ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો કર્યો ઇનકાર, ગુસ્સામાં અશોક પંડિતે કહી આ વાત

by Zalak Parikh June 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ બહુપ્રતિક્ષિત ફિલ્મ ’72 હુરે’ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો ઇનકાર કરી દીધો છે. બોર્ડના આ નિર્ણય બાદ સર્જનાત્મક સ્વતંત્રતા અને સેન્સરશીપને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર અશોક પંડિતની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

 

સેન્સર બોર્ડે  સિર્ટીફીકેટ આપવાનો કર્યો ઇન્કાર  

CBFCએ ’72 હુરે’ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો ઇનકાર કરી દીધો છે. CBFCનો આ નિર્ણય આશ્ચર્યજનક છે કારણ કે અગાઉ બોર્ડે તેને લીલી ઝંડી આપી દીધી હતી. પરંતુ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. બોર્ડના આ નિર્ણય બાદ ફિલ્મના મેકર્સ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. ’72 હુરે’ના નિર્માતાઓનું કહેવું છે કે તેઓ હવે આ મામલે મદદ માટે ઉચ્ચ અધિકારીઓ પાસે જશે.આ સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ CBFCના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવા વિનંતી કરવામાં આવશે.

અશોક પંડિતે આપી આ પ્રતિક્રિયા 

CBFCના નિર્ણયથી નારાજ અશોક પંડિતે કહ્યું, ‘આ લોકો કોણ બેઠા છે? આ મામલો ખૂબ જ ગંભીર છે. જે ફિલ્મને સરકાર દ્વારા નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. CBFCએ તેને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો.ટ્રેલરમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે, જે ફિલ્મમાં છે. તમે ટ્રેલરને સર્ટિફિકેટ ન આપીને મોટો સવાલ ઉઠાવ્યો છે. એટલા માટે અમે મેકર્સ CBFC ના ચેરપર્સન પ્રસૂન જોશીને પ્રશ્ન કરવા માંગીએ છીએ. સેન્સર બોર્ડના એવા લોકો કોણ છે જેમણે આ નિર્ણય લીધો છે. સેન્સર બોર્ડની આટલી મોટી મજાક ના કરી શકાય. હું IB મંત્રી અનુરાગ ઠાકુરને આની તપાસ કરવા વિનંતી કરવા માંગુ છું. શું કારણ છે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ નથી આપવામાં આવી રહ્યું. કોણ છે એ લોકો જે સેન્સર બોર્ડને બદનામ કરી રહ્યા છે. મને આશા છે કે અમને ન્યાય મળશે.’ફિલ્મની વાર્તા આતંકવાદની કાળી દુનિયા પર આધારિત છે.મેકર્સે ’72 હુરેં’નું ટ્રેલર 28મી જૂને રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન પુરણ સિંહ ચૌહાણે કર્યું છે, જેઓ બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થવાની છે.

આ સમાચાર પણ વાંચો : Adipurush: AICWA એ આદિપુરુષ વિવાદમાં અમિત શાહને લખ્યો પત્ર, ઓમ રાઉત અને પ્રોડક્શન ટીમ સામે FIRની માંગણી

June 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan wanted changes in the negative character of baazigar but director refused signed shahrukh khan
મનોરંજન

શાહરૂખ ખાન નહીં સલમાન બનવાનો હતો ‘બાઝીગર’નો વિકી મલ્હોત્રા, આ કારણે છોડી દીધી ભાઈજાને ફિલ્મ

by Zalak Parikh February 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી જાન’માં વ્યસ્ત છે. સલમાન ખાને 1993માં આવેલી એક્શન, થ્રિલર અને રોમેન્ટિક ફિલ્મ ‘બાઝીગર’ને લઈને મોટો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે શાહરૂખ પહેલા તેને ‘બાઝીગર’ ઑફર કરવામાં આવી હતી, પરંતુ સલમાન આ ફિલ્મમાં કેટલાક ફેરફાર ઇચ્છતો હતો, જેના કારણે તેણે આ ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અભિનેતાએ ના પાડ્યા પછી, ફિલ્મમાં ‘વિકી મલ્હોત્રા’નું પાત્ર શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવ્યું હતું.

 

‘બાઝીગર’નું પાત્ર નેગેટિવ હતું

ફિલ્મ અંગે સલમાનના પિતા સલીમ ખાને કહ્યું હતું કે ‘બાઝીગર’નું પાત્ર નેગેટિવ હતું, જેના સંદર્ભે તેમણે ફિલ્મની દિગ્દર્શક જોડી અબ્બાસ-મસ્તાન ને વાર્તા માં ફેરફાર કરવા કહ્યું હતું, પરંતુ તેઓએ સ્ટોરી લાઇનમાં કોઈ ફેરફાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. . તે જ સમયે, સલમાને ફિલ્મનો ઇનકાર કર્યા પછી અને શાહરૂખ ખાને મુખ્ય ભૂમિકા લીધી, અબ્બાસ-મસ્તાનને લાગ્યું કે સલમાન અને સલીમ ખાન સાચા છે અને તેથી રાખી વાર્તામાં માતા બની ગઈ.

 

‘ધ કપિલ શર્મા શો’માં થયો ખુલાસો

સલમાન ખાને પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં કહ્યું હતું કે તેને ‘બાઝીગર’ પસંદ છે, પરંતુ મુખ્ય ભૂમિકા ખૂબ જ નકારાત્મક લાગી, તેથી તેણે અબ્બાસ-મસ્તાન ને માતા જેવું પાત્ર ઉમેરવાની સલાહ આપી, પરંતુ બંને ભાઈઓ હસી પડ્યા. તેના પર તેઓએ કહ્યું કે આ તો કોમન છે.. અભિનેતાએ કહ્યું કે મારા પિતા સલીમ ખાને પણ સૂચન કર્યું હતું કે ફિલ્મનો હીરો તેની માતા માટે આવું કરી રહ્યો છે, પરંતુ ફિલ્મમાં કોઈ ફેરફાર ન થવાને કારણે મેં બાઝીગર છોડી દીધી અને શાહરૂખે ફિલ્મ સાઈન કરી. આ પછી તેણે આગળ કહ્યું કે ફિલ્મ પૂરી થયા પછી તેણે મને ફોન કર્યો અને કહ્યું કે અમે ફિલ્મમાં માનો વિચાર ઉમેરી દીધો છે. તમારો ખૂબ ખૂબ આભાર.

February 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ફેરનેસ પ્રોડક્ટ્સની જાહેરાત માટે ના પાડવી એશા ગુપ્તાને પડી હતી ભારે -બ્રાન્ડે અભિનેત્રી વિરુદ્ધ લીધા આ પગલાં

by Dr. Mayur Parikh June 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

'આશ્રમ 3'માં સોનિયાનું પાત્ર ભજવ્યા બાદ એશા ગુપ્તા ચારે તરફ પ્રભુત્વ જમાવી રહી છે. તેણે આશ્રમ 3 માં તેના પાત્રથી ઘણી પ્રશંસા મેળવી છે. આ વેબ સીરીઝમાં અભિનેત્રીએ બોબી દેઓલ સાથે ઈન્ટીમેટ(intimate scene) સીન પણ આપ્યા છે જેના કારણે તે ઘણી ચર્ચામાં પણ રહી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે સ્કિનના કલર(skin color) વિશે ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે ફેરનેસ પ્રોડક્ટની(fairness product) જાહેરાત કરવાની ના પાડી દીધી હતી. જે બાદ તે બ્રાન્ડે અભિનેત્રી પર કેસ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે આજે પણ લોકો ગોરા રંગને જ સારો માને છે, તેઓ માને છે કે માત્ર ગોરી છોકરીઓ જ સુંદર હોય છે.

અભિનેત્રીએ કહ્યું કે બ્રાન્ડે(brand) તેમની ત્વચાને ગોરી કરવા માટેની પ્રોડક્ટને સમર્થન આપવાનો ઇનકાર કરવા બદલ મારા પર કેસ (case)કર્યો હતો. તે દિવસે મને સમજાયું કે આપણે એવા દેશમાંથી આવ્યા છીએ જ્યાં લોકો ગોરા ના  હોવાને સમસ્યા માને છે. કેટલાક ભારતીયો (Indian)એવી માનસિકતા ધરાવે છે જ્યાં આપણે સફેદ વર્ચસ્વ જેવું વિચારીએ છીએ. તેણે આગળ કહ્યું – આજે પણ જાહેરાતમાં (advertise)બતાવવામાં આવે છે કે માત્ર ગોરા લોકો જ સફળ થાય છે. ચહેરા પર ક્રીમ લગાવશો તો છોકરો તમને પસંદ કરશે, ત્વચાને ગોરી કરવા ક્રીમ લગાવવાથી તમને તમારી ડ્રીમ જોબ(dream job) મળી જશે.એશાએ કહ્યું કે બ્રાન્ડના કોન્ટ્રાક્ટના (Brand contract)કારણે એકવાર આવું બન્યું હતું. વાસ્તવમાં તે મારી અને મારી ભૂતપૂર્વ એજન્સીની ભૂલને કારણે થયું. અમે બ્રાન્ડના કાગળો બરાબર વાંચ્યા વિના ખોટા કરારો કર્યા હતા. તે કાગળો પર ગોરી અને ચમકતી ત્વચા વિશે લખેલું હતું. તેણે કહ્યું- જો હું મારા ચહેરા પર કાકડી લગાવીશ અને દરરોજ યોગ્ય રીતે ખાવનું ખાઈશ તો મને મારા ચહેરાના રંગમાં ફરક જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : એક સમયે 230 કિલો વજન ધરાવતા સિંગર અદનાન સામીના લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો ની આંખો પહોળી થઇ ગઈ-ચહેરો ઓળખવો થયો મુશ્કેલ-જુઓ ફોટોગ્રાફ્સ

તમને જણાવી દઈએ કે માત્ર એશા ગુપ્તા જ નહીં, બોલિવૂડમાં એવી ઘણી અન્ય હસ્તીઓ છે જેમણે ફેરનેસ એડને(fairness ad) નકારી દીધી છે. એશા ગુપ્તા પહેલા જ જણાવી ચૂકી છે કે ઈન્ડસ્ટ્રીમાં તેની સ્કિન કલર(skin color) વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીને તેના નાક પર સર્જરી કરવાની સલાહ પણ મળી છે. એશા ગુપ્તા છેલ્લે વેબ સિરીઝ 'આશ્રમ 3'માં જોવા મળી હતી. અહેવાલ છે કે તે તેની ચોથી સિઝનનો પણ ભાગ બની શકે છે.

June 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને કર્યો 79 વર્ષની ઉંમરે ખતરનાક સ્ટંટ, ફેન્સ ને યાદ આવી ‘દીવાર’ અને ‘જંજીર’ જેવી ફિલ્મો; જાણો વિગત

by Dr. Mayur Parikh March 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનને બોલિવૂડના 'મહાનાયક' કહેવામાં આવે છે અને તેનું કારણ છે તેમનો અભિનય પ્રત્યેનો શોખ. અમિતાભ બચ્ચન 80 વર્ષના થઈ ગયા છે, પરંતુ તેમ છતાં તેમણે અભિનયનો આ જુસ્સો જાળવી રાખ્યો છે.વાસ્તવમાં, અમિતાભ બચ્ચને તાજેતરમાં ડિરેક્ટર અમિત શર્મા સાથે એક ટીવી કમર્શિયલ શૂટ કર્યું હતું. શૂટિંગ દરમિયાન, તેણે તેના જુસ્સા અને સમર્પણથી દરેકને વિચારતા કરી દીધા, કારણ કે આ જાહેરાતમાં ઘણા એક્શન દ્રશ્યો અને સ્ટંટ શામેલ હતા.એક્શન ડિરેક્ટરે જણાવ્યું કે આ સીન માટે અમિતાભ બચ્ચને એક પછી એક ત્રણ મજબૂત કાચ તોડવાના  હતા. અદ્ભુત વાત એ હતી કે તેણે આ અરીસાઓને એક જ વારમાં એટલેકે એક જ ટેક માં તોડી નાખ્યા.

View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

દિગ્દર્શકે કહ્યું કે આ સિક્વન્સના શૂટિંગ વખતે તેણે ખૂબ જ સાવધાની રાખવી પડી હતી. વર્માએ કહ્યું, "સેટ્સ પરના લોકો અમિતાભ બચ્ચનનો જુસ્સો જોઈને 'દીવાર' અને 'જંજીર' ના એન્ગ્રી યંગ મેન યાદ આવી ગયા." એક મીડિયા હાઉસ  ના અહેવાલ મુજબ, મનોહર વર્મા, જેઓ આ એક્શન સિક્વન્સ કોરિયોગ્રાફ કરી રહ્યા હતા અને તેનું દિગ્દર્શન કરી રહ્યા હતા, તેમણે કહ્યું, “અમે બોડી ડબલ સાથે તૈયાર હતા, પરંતુ પછી શ્રી બચ્ચન સેટ પર આવ્યા અને ડિરેક્ટરને કહ્યું કે તે પોતાના સ્ટંટ જાતે જ કરશે. . આનાથી પ્રોડક્શન ક્રૂ સહિત બધાને આશ્ચર્ય થયું.

આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસ માં ચાર્જશીટ દાખલ કરવામાં થશે વિલંબ, NCBની SITએ કોર્ટ પાસે કરી આ માંગણી

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અમિતાભે એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, "53 અને 80 વર્ષની ઉંમર પછી પણ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ક્યારેય બદલાતી નથી, એક્શન." એક્શન ડિરેક્ટર મનોહર વર્માએ તાજેતરમાં 'સરદાર ઉધમ' અને 'મિર્ઝાપુર' જેવા પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને અમિતાભ બચ્ચન સાથે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેણે શૂજિત સરકારની 'શોબાઈટ'માં પણ કામ કર્યું છે, જેમાં અમિતાભ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

March 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

વાળંદે વાળ ન કાપી આપ્યા તો ઉશ્કેરાઈને યુવકે બંદૂક ચલાવી; આ નજીવા કારણે આવ્યો હતો યુવકને ગુસ્સો: જાણો કિસ્સો

by Dr. Mayur Parikh November 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 નવેમ્બર, 2021

શનિવાર

યુપીના બુલંદશહેરમાં એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હતી કારણ કે તેણે વાળ કાપવાની ના પાડી હતી. આ ઘટના બુલંદશહરના અગોટા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ઈરફાન નામના વાળંદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જૂના લેણાં બાબતે ઝઘડો થયો હતો અને આરોપીએ પૈસા ચૂકવ્યા ન હોવાથી ઈરફાને વાળ કાપવાની ના પાડી હતી.

 

આરોપીનું નામ સમીર છે, જે લાંબા સમયથી ઈરફાન પાસેથી વાળ કપાવતો હતો. આ વખતે પણ તેણે ઈરફાનને વાળ કાપવાનું કહ્યું હતું, પરંતુ વાળંદે વાળ કાપવાની ના પાડી. તેણે પહેલા તેના જૂના પૈસા માગ્યા અને પછી જ તેના વાળ કાપશે તેમ કહ્યું હતું. આટલી વાત સમીર સહન ન કરી શક્યો અને ઈરફાનને ગોળી મારી દીધી. આરોપી સમીર અને અન્ય એક વ્યક્તિએ ઈરફાનના ભાઈ પર પણ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઈરફાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેના ભાઈને પગમાં ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું! દિલ્હીની બૉર્ડર પર ફરી હલચલ તેજ, રાકેશ ટિકૈતે સરકારને આ માંગ પૂરી કરવા  કહ્યું; જાણો વિગતે 

 

કોઈએ આ ઘટનાનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. હાલ તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મીડિયાને માહિતી આપી હતી કે વાળંદ અને આરોપી બંને એક જ ગામના છે અને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. આ કેસમાં પોલીસ હજુ કેટલાક આરોપીઓને શોધી રહી છે. પોલીસે મીડિયાને કહ્યું હતું કે, આ ઘટનામાં કુલ 4 આરોપીઓમાંથી 2 ને પકડી લેવામાં આવ્યા છે. મૃતક ઈરફાનના પિતાએ જણાવ્યું કે તેમનો 22 વર્ષીય પુત્ર ઈરફાન સેલૂન ચલાવતો હતો અને તેમનો પાડોશી સમીર પણ અહીં જ વાળ કપાવવા માટે આવતો. પરંતુ 24 નવેમ્બરે જ્યારે સમીર આવ્યો તો ઈરફાને તેને આગલા પૈસા ચૂકવવા માટે કહ્યું. તેમાંથી બંને વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો અને ત્યારબાદ સમીર ઘરે જઈને બંદૂક લઇ આવ્યો. તેણે બંદૂકમાંથી ગોળીબાર કરતા ઈરફાનને છાતી અને પેટમાં ગોળી વાગી ગઈ અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.

 

આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે. 

 

November 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં

by Dr. Mayur Parikh November 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 નવેમ્બર  2021 
શનિવાર.

કૃષિ કાયદાને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું હતું. કૃષિ કાયદાને લઈને ભાજપથી દૂર થઈ ગયેલું શિરોમણી અકાલી દળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ શું ભૂમિકા અપનાવશે તેના પર સૌ કોઈની નજર હતી.  એવા સમયે શિરોમણીએ તેઓ ભાજપ સાથે પાછું ગઠબંધન નહીં બાંધે એવી જાહેરાત કરી છે.

તો કૃષિ કાયદાને કારણે રાજીનામું આપનારા હરસિમરતે કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમ જ તેમણે કહ્યું હતું કે 800 શહીદ થયેલા ખેડૂતોને યાદ કરવાનો દિવસ છે, જેમણે આ કાયદા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. 

કોંગ્રેસમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર

તો જે કાયદા માટે ભાજપ સાથે ગઠબંધન તોડવામાં આવ્યું હતું તે કાયદો પાછો ખેંચાતા ભાજપ સાથે ફરી જોડાણ કરવાની શકયતાને શિરોમણી અકાલી દળે નકારી કાઢી હતી. અકાલી દળના અધ્યક્ષ સુખબીર  બાદલે કહ્યું હતું કે  મોદી સરકાર જે કાળા કાયદા લાવી હતી તે તેમને પાછા લેવા પડયા છે. ખેડૂતો આ કાયદાને કોઈ દિવસ નહીં માને એ અમે શરૂઆતથી કહી રહ્યા હતા, જે વાત સાચી પડી છે.

November 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

વડા પ્રધાન મોદીની કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત બાદ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત.

by Dr. Mayur Parikh November 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.  

લાંબા સમયથી દેશના ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. તેમની લડાઈનો છેવટે વિજય થયો છે. ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની  માગણી સાથે દિલ્હીની સરહદ પર તંબુ તાણીને બેઠેલા ખેડૂતો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝુકવું પડયું છે. શુક્રવારે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ અવસરે મોદીએ ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. જોકે આ આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આંદોલન પાછું ખેચવામાં આવશે નહીં. જયાં સુધી સંસદમાં કાયદો રદ થશે નહીં ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહેશે. 

મોટા સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, તમામ ખેડૂતોની માફી માંગી

મોદીની જાહેરાત બાદ જ તુરંત ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા કહ્યું હતું કે આંદોલન તાત્કાલિક પાછું ખેંચશુ નહીં. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છે, જે દિવસે  સંસદમાં કૃષિ કાયદો રદ કરવામાં આવશે. તેમ જ સરકાર MPS સહિત ખેડૂતોના અન્ય મુદ્દા પર ચર્ચા કરશે.

November 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક