• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - republic
Tag:

republic

The names of 'DurbarHall' and 'Ashok Hall' were changed to 'Ganatantra Mandap' and 'Ashok Mandap' respectively.
દેશ

Rashtrapati Bhavan: ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’ના નામ બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ રાખવામાં આવ્યા

by Hiral Meria July 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Rashtrapati Bhavan: રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન, રાષ્ટ્રનું પ્રતીક છે અને લોકોનો અમૂલ્ય વારસો છે. લોકો માટે તેને વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના વાતાવરણને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિકતાનું પ્રતિબિંબિત કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે. 

તદનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ( Droupadi Murmu ) રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હૉલ – ‘દરબાર હૉલ’ ( Durbar Hall ) અને ‘અશોક હૉલ'( ‘Ashok Hall‘ ) નું નામ બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ રાખ્યાં છે.

‘દરબાર હૉલ’ ( ‘Ganatantra Mandap‘ ) એ રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવા મહત્વપૂર્ણ સમારોહ અને ઉજવણીનું સ્થળ છે. ‘દરબાર’ શબ્દ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને એસેમ્બલીઓનો સંદર્ભ આપે છે. ભારત પ્રજાસત્તાક બન્યા પછી, એટલે કે ‘ગણતંત્ર’ બાદ તેની સુસંગતતા ખતમ થઈ ગઈ છે. ‘ગણતંત્ર’ની ( Republic ) વિભાવના પ્રાચીન સમયથી ભારતીય સમાજમાં ઊંડે ઊંડે છે, તેથી ‘ગણતંત્ર મંડપ’ નામ આ સ્થળ માટે ઉપયુક્ત નામ છે.

આ સમાચાર પણ વાંચો:  Kargil Vijay Diwas: પ્રધાનમંત્રી 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે 26મી જુલાઈએ કારગિલની મુલાકાત લેશે

‘અશોક હૉલ’ ( ‘Ashok Mandap ) મૂળ તો બોલરૂમ હતો. ‘અશોક’ શબ્દનો અર્થ છે તે વ્યક્તિ જે “તમામ દુઃખોથી મુક્ત” છે અથવા “કોઈપણ દુ:ખથી વંચિત” છે. ઉપરાંત, ‘અશોક’ એ સમ્રાટ અશોકનો ઉલ્લેખ કરે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું પ્રતીક છે. ભારતના પ્રજાસત્તાકનું રાષ્ટ્રીય પ્રતીક એ સારનાથથી અશોકનો સિંહ મુખ્ય છે. આ શબ્દ અશોક વૃક્ષનો પણ ઉલ્લેખ કરે છે જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કળા અને સંસ્કૃતિમાં ઊંડું મહત્વ છે. ‘અશોક હૉલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ રાખવાથી ભાષામાં એકરૂપતા આવે છે અને અંગ્રેજીકરણના નિશાન દૂર થાય છે, જ્યારે ‘અશોક’ શબ્દ સાથે સંકળાયેલા મુખ્ય મૂલ્યોને જાળવી રાખી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
UPL and Republic of Guyana Join Hands to establish a ‘Millets Model Farm’ in Guyana
વેપાર-વાણિજ્ય

ગયાનામાં ‘મિલેટ્સ મોડેલ ફાર્મ’ સ્થાપવાની શક્યતા ચકાસવા યુપીએલ અને ગયાના સરકાર વચ્ચે સમજૂતી

by kalpana Verat May 5, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ટકાઉ કૃષિ ઉપાયો પૂરા પાડનાર અગ્રણી કંપની યુપીએલ દ્વારા ગયાનામાં 200 એકર જમીન પર મિલેટ્સ મોડેલ ફાર્મ શરૂ કરવા માટે રિપબ્લિક ઑફ ગયાના સાથે સમજૂતી થઈ હોવાની આજે જાહેરાત કરવામાં આવી. યુપીએલ જૂથના ગ્રુપ સીઈઓ શ્રી જય શ્રોફ તથા રિપબ્લિક ઑફ ગયાનાના માનનીય કૃષિમંત્રી શ્રી ઝુલ્ફીકાર મુસ્તફા વચ્ચે ગયાનાના જ્યોર્જટાઉન ખાતે ગત 21 એપ્રિલ, 2023ના રોજ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જેના હેઠળ ગયાનામાં જાડા ધાન (મિલેટ્સ)ની વિવિધ જાતો ઉગાડવાની અને ભોજનમાં તેનો ઉપયોગ કરવાની સંભાવનાઓ ચકાસવામાં આવશે. ભારતના વિદેશપ્રધાન માનનીય શ્રી એસ. જયશંકરના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળની ગયાનાની મુલાકાત દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.

આ ભાગીદારી હેઠળ યુપીએલ ટેકનિકલ કુશળતા તથા નિશ્ચિત કૃષિ સામગ્રી પૂરી પાડશે, જ્યારે ગયાના સરકાર 200 એકર જમીન તથા મિલેટ્સની ખેતીવાડી માટે સ્થાનિક સહાય પૂરી પાડશે.

મિલેટ્સ સુપર ફૂડ તરીકે પણ ઓળખાય છે અને જે તે વાતાવરણ સાથે સાનુકૂળ થાય છે, હેરિટેજ રિચ હોય છે તેમજ અત્યંત પોષક તત્વો ધરાવે છે. ચોખાની સરખામણીમાં મિલેટ્સના ઉત્પાદન માટે પ્રતિ એકર ચોખાની ખેતી કરતાં અડધા જ પાણીની જરૂર પડે છે, આમ તે પાણીની બચત કરતો પાક છે અને સાથે અન્ય કૃષિ પાકોની સરખામણીમાં દુષ્કળ, પૂર, તીવ્ર ગરમી, અનિયમિત વરસાદ વગેરે પર્યાવરણીય અનિયમિતતા સામે ટકી શકે છે, પરિણામે નાના ખેડૂતોને લાભદાયક રહે છે.

આ સમાચાર પણ વાંચો : નીતિશ સરકારને તગડો ઝટકો, નહીં કરી શકે જાતિ વસ્તી ગણતરી, હાઈકોર્ટે આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

એફએઓ અનુસાર, મિલેટ્સમાં વિવિધ સીરીયલ ગ્રુપનો સમાવેશ થાય છે જેમ કે, પર્લ, પ્રોસો, ફોક્સટેઇલ, બાર્નયાર્ડ, લિટલ, કોડો, બ્રાઉનટૉપ, ફિંગર તથા ગિયાના મિલેટ્સ, ઉપરાંત ફોનિઓ, સોરગમ (અથવા ગ્રેટ મિલેટ) તથા ટેફ. આ પાકો સબ-સહારન આફ્રિકા તથા એશિયામાં લાખો લોકો માટે પોષક તત્વોનો મહત્ત્વનો સ્રોત છે. આ પાકો સ્થાનિક પ્રજાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને સાંસ્કૃતિક રીતે સુસંગત હોય એવા વિસ્તારોમાં તેને કારણે અન્ન સલામતીની ખાતરી મળે છે. મિલેટ્સ અત્યંત પોષણયુક્ત હોય છે કેમ કે તેમાં એન્ટીઑક્સિડન્ટ, મિનરલ તથા પ્રોટીન હોય છે. મિલેટની પ્રત્યેક જાતમાં ચોક્કસ પ્રકાર અને માત્રામાં ફાયબર હોય છે જે આંતરડા, બ્લડ સુગર તથા લિપિડ્સને નિયમિત કરે છે.

યુપીએલના ગ્લોબલ કોર્પોરેટ એન્ડ ઈન્ડસ્ટ્રી બાબતોના પ્રમુખ શ્રી સાગર કૌશિકે જણાવ્યું કે, “ગયાનામાં મિલેટની ખેતીની સંભાવના ચકાસવા માટે લેટિન અમેરિકાના પ્રથમ દેશ તરીકે રિપબ્લિક ઑફ ગયાના સાથે ભાગીદારીથી અમને આનંદ છે. આ ખેતીથી નાનાં ખેતર ધરાવતા ખેડૂતોને પણ લાભ થશે.”

આ અંગે વધુ વિગત આપતા શ્રી કૌશિકે કહ્યું કે, “યુપીએલ મિલેટની ખેતી માટે માર્ગ કંડારી રહી છે તથા આ સમજૂતી દ્વારા વિશ્વની અન્ન સલામતીની દિશામાં મહત્ત્વનાં પગલાં લઈ રહી છે. આ ભાગીદારી ગયાના તેમજ યુપીએલ બંને માટે લાભદાયક રહેશે. યુપીએલની ટેકનિકલ જાણકારીની કુશળતા આ પહેલની સફળતા સુનિશ્ચિત કરશે, જે વિશ્વમાં નાનાં ખેતર ધરાવતા ખેડૂતોને નિશ્ચિત આજીવિકા પૂરી પાડી શકે તેમ છે. આ સમજૂતીની સંભાવના બાબતે અમે રોમાંચિત છીએ અને ટકાઉ ખેતીવાડીને પ્રોત્સાહન આપવાના અમારા સામૂહિક ધ્યેય માટે રિપબ્લિક ઑફ ગયાના સાથે કામ કરવા ઉત્સુક છીએ.”

May 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની કરી ધરપકડ, જાણો શું કામ…

by Dr. Mayur Parikh November 4, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020
દેશની પ્રખ્યાત ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. પત્રકાર ગોસ્વામી પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગંભીર આરોપ છે. ઉલ્લેખનીય છે કે ટેલીવીઝન પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી હતી.  

આ મામલે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, આજ્ઞા નાઇકે મને ફરિયાદ કરી હતી કે અર્નબ ગોસ્વામીના રિપબ્લિક દ્વારા બાકી રકમ ન આપવાના કારણે તેના પીતા અને દાદીએ મે 2018માં આત્મહત્યા કરી લીધી હતી અને અલીબાગ પોલીસે તેની તપાસ નહોતી કરી. આગળ તેમણે કહ્યું હતું કે મેં આ મામલાની તપાસ સીઆઇડી પાસે કરાવવાનો આદશે આપ્યો છે. આ મહિનાની શરૂઆતમાં રિપબ્લિક ટીવી અને બે અન્યની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. 

તો બીજી તરફ અર્નબે પોલીસ પર તેમની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. માહિતી મુજબ રિપબ્લિક ટીવીએ અર્નબ ગોસ્વામીના ઘરના લાઇવ ફુટેજ પણ દેખાડ્યા જેમાં પોલીસ અને અર્નબ વચ્ચે ઝપાઝપી થતા દેખાઈ રહી છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અર્નબની ધરપકડની નિંદા કરી છે અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન જાવડેકરે ટ્વીટ કરી કહ્યું છે કે,‘અમે મહારાષ્ટ્રમાં પ્રેસની આઝાદી પર થયેલ આ હુમલાની નિંદા કરીએ છીએ. આ પ્રેસ સાથે યોગ્ય વર્તન નથી. આ કટોકટીના એવા દિવસોની યાદ અપાવે છે જ્યારે મીડિયા સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો.’ 

શું છે સમગ્ર મામલો??
આ 2018 ની વાત છે, જ્યારે મે 2018 માં અલીબાગમાં 53 વર્ષીય ઇન્ટીરીયર ડિઝાઇનર અને તેની માતાએ આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જે કથિત રીતે  ઇન્ટીરીયર ડિઝાઇનરે લખી હતી. આ સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે અર્ણબ ગોસ્વામી અને અન્ય બે લોકોએ તેમને 5.40 કરોડ ચૂકવ્યા નથી, જેના કારણે તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા છે.

November 4, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક