• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - research paper
Tag:

research paper

Organ Donation It is important to create awareness among the youth, Surat researchers present a motivational research paper on organ donation
સુરત

Organ Donation: યુવાનોમાં જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ, સુરતના સંશોધકોએ અંગદાન પર પ્રેરક સંશોધન પેપર રજૂ કર્યું

by khushali ladva January 29, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • સુરત જિલ્લામાં યોજાયેલી પરિષદમાં સુરતની નર્સિંગ ટીમના અંગદાન અંગેના સંશોધનપત્રને ‘હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થ કેર’ કેટેગરીમાં ઉત્તમ સંશોધનપત્રનું બહુમાન
  • ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રો. કિરણ દોમડિયાના માર્ગદર્શનમાં નર્સિંગ વિદ્યાર્થીઓએ ‘યુવાનોમાં અંગદાનના જ્ઞાન અને ધારણા પર એક વ્યાપક અભ્યાસ’ વિષય પર ઉમદા રિસર્ચ કર્યું

Organ Donation?: સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત સસ્ટેનેબલ ફ્યુચર્સ: ઇન્ટરડિસિપ્લિનરી પર્સ્પેક્ટિવ્સ ઓન એજ્યુકેશનલ એન્ડ ટેકનોલોજી ૫.૦ (SFIPT) પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિવિધ ક્ષેત્રોના સંશોધનપત્ર રજૂ થયા હતા, જેમાં ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રો. કિરણ દોમડિયાએ એક ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધન પત્ર રજૂ કર્યું હતું, જેને હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થ કેર વિષય પર ઉત્તમ સંશોધનપત્રનું બહુમાન વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડો.વિપુલ શાસ્ત્રી અને રજિસ્ટ્રાર ડો.વિનિલ પારેખના હસ્તે મળ્યું છે. ‘યુવાનોમાં અંગદાનના જ્ઞાન અને ધારણા પર એક વ્યાપક અભ્યાસ’ વિષય પરનું આ સંશોધન સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર કરાયું હતુ. જેમાં અંગદાન વિશે વધુ સમજણ અને સામાજિક જાગૃતિ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા.

સંશોધન ટીમમાં પ્રો.કિરણ દોમડિયા, ડો.ઈન્દ્રાવતી રાવ, ડો.વિનિલ પારેખ, ડો.મંજુનાથ સહિત સરકારી નર્સિંગ કોલેજના ચોથા વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓ; વિધિ પટેલ, નિધિ પટેલ, શ્રેયા પટેલ, ધર્મી પટેલ, હરિકૃષ્ણ નકુમ, વિશ્વા પટેલ, અને ઝીલ સહભાગી બન્યા હતા. પ્રિન્સિપાલ પ્રો. કિરણકુમાર દોમડિયાએ માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ઉત્તમ સંશોધન માટે વિદ્યાદીપ યુનિ.ના પ્રમુખ શ્રી જયંતી પટેલ, ઉપપ્રમુખશ્રી ડો.હિરેન પટેલ, ડો.મંજુનાથ બેથએ અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, કિડની, લીવર, હૃદય, ફેફસા, સ્વાદુપિંડ, આંતરડા જેવા અંગો અને કોર્નિયા, ત્વચા, હાડકા, હૃદયના વાલ્વ અને રજ્જૂ(ટેંડન) જેવી પેશીઓ દાન કરી શકાય છે: એક બ્રેઈનડેડ દાતા પેશીઓના દાનથી ૮ જેટલા જીવન બચાવી શકે છે અને ૫૦થી વધુ જીવન સુધારી શકે છે. સંશોધનમાં નિમ્ન મુદ્દાઓને આવરી લેવાયા છે:-

આ સમાચાર પણ વાંચો:  Sachin GIDC Police: સચિન GIDC પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી, ગુમ થયેલી કુહુ પટેલનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે કરાવ્યું મિલન

Organ Donation: અંગદાનના ઉદ્દેશ્યો

૧. જીવન બચાવો: ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા દર્દીઓને નવું જીવન આપવું અને આયુષ્ય વધારવું

૨. સમાનતાને પ્રોત્સાહન: તબીબી તાકીદના આધારે સમાન અંગ વિતરણ સુનિશ્ચિત કરો.
૩. જાગૃતિમાં વધારો: અંગ પૂરવઠા અને માંગ વચ્ચેના અંતરને દૂર કરવા લોકોને શિક્ષિત કરો.
૪. સંમતિને પ્રોત્સાહન: લોકોને અંગદાન પ્રતિજ્ઞા લેવા અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાનના નિર્ણયોમાં પ્રોત્સાહિત કરો.

Organ Donation: મર્યાદિત જાગૃતિ અંગદાનમાં અવરોધરૂપ

સુરત તેના પ્રગતિશીલ દૃષ્ટિકોણ માટે જાણીતું છે, ત્યારે દંતકથાઓ, સાંસ્કૃતિક માન્યતાઓ અને અંગદાનની ઓછી-મર્યાદિત જાગૃતિ અંગદાનમાં અવરોધરૂપ છે. NGO, હોસ્પિટલો અને જાહેર અભિયાનોના પ્રયાસોથી સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.

Organ Donation: દેશમાં અંગદાન દર ખૂબ ઓછો: પ્રતિ દસ લાખની વસ્તીમાં ૧નું અંગદાન

દેશમાં પ્રતિ દસ લાખની વસ્તીમાં ૧ નું અંગદાન થાય છે, એટલે કે અંગદાન દર ખૂબ ઓછો છે. દેશમાં વાર્ષિક ૫ લાખ અંગો સામે માત્ર ૧૫,૦૦૦ અંગોનું જ પ્રત્યારોપણ કરવામાં આવે છે. ૨૦૨૨-૨૩માં ૧૧,૪૨૩ કિડની પ્રત્યારોપણ, ૩૭૧૮ લીવર અને ૨૫૦ હૃદય પ્રત્યારોપણ થયા છે. ૧,૦૩,૦૦૦ લોકો વેઈટીંગ લિસ્ટમાં છે, જેમાં અંગ ઉપલબ્ધ ન હોવાને કારણે દરરોજ ૧૭ થી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામે છે.

Organ Donation: ગુજરાત અંગદાન જનજાગૃતિમાં દેશમાં અગ્રેસર: સુરતથી અંગદાન માટે થઈ રહ્યા છે નિ:સ્વાર્થ અને સક્રિય પ્રયાસો

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ડોનેટ લાઇફ જેવી સંસ્થાઓ સક્રિયપણે અંગદાન ઝુંબેશ ચલાવે છે. સામાજિક ઉત્થાનના પ્રણેતા દિલીપભાઇ દેશમુખ તથા નર્સિંગ અગ્રણીશ્રી ઇકબાલ કડીવાલા, ડો.નિલેશ કાછડીયા, અન્ય સામાજિક મંડળો તથા શહેરના તબીબો અને નર્સિંગ સ્ટાફ અથાગ પ્રયાસો કરી સામાજિક જાગૃત્તિ લાવવા સાથે વિવિધ હોસ્પિટલો, પરિવારોને જોડે છે અને તેમને ઓર્ગન ડોનેશનના લાભો વિશે જાગૃત્ત-શિક્ષિત કરે છે. જાહેર સંપર્ક દ્વારા રેલીઓ, સાયકલ રેલી, સોશિયલ મીડિયા ઝુંબેશ અને શાળા-કોલેજોમાં કાર્યક્રમોથી જાગૃતિ ફેલાવે છે.

આ સમાચાર પણ વાંચો: Saudi Arabia Accident : સાઉદી અરેબિયામાં મોટો માર્ગ અકસ્માત, આટલા ભારતીયો સહિત 15 લોકોના મોત, વિદેશ મંત્રી જયશંકરે વ્યક્ત કર્યું દુઃખ

Organ Donation: SOTTO, NOTTO અને અન્ય એજન્સીઓ સાથે પહેલરૂપ ભાગીદારી

અંગદાનમાં યુવાનોની ભાગીદારી અને સામાજિક શિક્ષણ, સતત જાગૃતિ, સહયોગ અને સુધારેલી પ્રક્રિયાઓ સાથે અંગદાનથી સેંકડો જીવન બચાવવા માટે SOTTO, NOTTO અને અન્ય એજન્સીઓ સાથે પહેલરૂપ ભાગીદારી કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Child Marriage Free education till the age of 18 can end child marriage by 2030, 160 NGOs release research paper
દેશTop Post

Child Marriage: 18 વર્ષની ઉંમર સુધીનું મફત શિક્ષણ 2030 સુધીમાં બાળ લગ્નને ખતમ કરી શકે છે, 160 NGOએ રિસર્ચ પેપર બહાર પાડ્યું

by Hiral Meria March 10, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Child Marriage: 18 વર્ષ સુધીના તમામ બાળકો ( Children ) માટે ફરજિયાત અને મફત શિક્ષણ 2030 સુધીમાં દેશમાંથી બાળ લગ્નને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 18 વર્ષની ઉંમર પહેલા શાળા છોડવી અને બાળ લગ્ન વચ્ચે સીધો અને સ્પષ્ટ સંબંધ છે. 8 માર્ચના રોજ, આ મહત્વપૂર્ણ નિષ્કર્ષ બાળ લગ્ન મુક્ત ભારત ઝુંબેશ દ્વારા બહાર પાડવામાં આવેલ “એજ્યુકેટ ટુ એન્ડ ચાઈલ્ડ મેરેજ” ( Educate to End Child Marriage )  નામના સંશોધન પત્રમાં  જોવા મળ્યો હતો, જે 160 બિન-સરકારી સંસ્થાઓનું ગઠબંધન છે, જે 2030 સુધીમાં દેશમાં બાળ લગ્નને સમાપ્ત કરવાની ઝુંબેશ ચલાવી રહી છે. 

રિસર્ચ પેપર ( research paper ) અનુસાર, ભારત 2030 સુધીમાં બાળ લગ્નની દુષ્ટતાને દૂર કરવાના માર્ગમાં ટિપીંગ પોઈન્ટ તરફ આગળ વધી રહ્યું છે. ટિપીંગ પોઈન્ટ ( tipping point ) એ બિંદુ છે કે જેના પર બાળ લગ્ન આપોઆપ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં જો 18 વર્ષની વય સુધીનું મફત અને ફરજિયાત શિક્ષણ ( Free education ) વાસ્તવિકતા બનશે. તો બાળલગ્નના ગુનાને જડમૂળથી ઉખેડવાની આ લડાઈને એક નવી ધાર અને દિશા મળશે. ઉદાહરણ તરીકે, કેરળમાં, જેમાં 96 ટકા સ્ત્રી સાક્ષરતા છે, બાળ લગ્ન દર માત્ર છ ટકા છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 23.3 ટકા છે. તેનાથી વિપરીત, બિહારમાં, જ્યાં સ્ત્રી સાક્ષરતા દર માત્ર 61 ટકા છે, બાળ લગ્ન દર 41 ટકા છે.

બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનના નીતિ અને સંશોધન નિયામકે જણાવ્યું હતું કે, “જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને બાળ લગ્નને સમાપ્ત કરવા માટે સંકલ્પ અને ગંભીરતા સાથે કામ કરી રહી છે, તેમ છતાં જો વર્તમાન શિક્ષણ અધિકાર કાયદામાં ફેરફાર કરવામાં આવે તો અને જો 8 વર્ષની ઉંમર સુધી શિક્ષણને ફરજિયાત મફત બનાવવામાં આવે છે, તો તે બાળ લગ્ન સામેની આ લડાઈમાં નવી ગતિ આપી શકે છે. તેથી, તમામ રાજકીય પક્ષોને અપીલ છે કે તેઓ આગામી લોકસભા માટેના તેમના ચૂંટણી ઢંઢેરામાં અમારી માંગણીનો સમાવેશ કરે.

 સમગ્ર દેશમાં થતા કુલ બાળ લગ્નોના પાંચ ટકા રોકવામાં સફળતા મેળવી છે

160 એનજીઓએ છેલ્લા છ મહિનામાં દેશમાં 50,000 થી વધુ બાળ લગ્નો અટકાવ્યા છે, જ્યારે 10,000 થી વધુ કેસોમાં કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમના વિશાળ નેટવર્ક અને ગ્રાસરૂટ ઇન્ફર્મેશન સિસ્ટમ દ્વારા, તેમણે સમગ્ર દેશમાં થતા કુલ બાળ લગ્નોના પાંચ ટકા રોકવામાં સફળતા મેળવી છે.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી બ્યુગલ ફૂક્યું, કર્યું ન્યાય ગીત’ રિલીઝ .. બે મિનિટ 34 સેકન્ડના વીડિયોમાં આપવામાં આવેલી તમામ ગેરંટી…

સંશોધન પત્રમાં, ભારતના વિવિધ ભાગોમાંથી લેવામાં આવેલા ડેટા અને તથ્યોના આધારે સ્ત્રી સાક્ષરતા દર અને બાળ લગ્ન દર વચ્ચેના આંતરસંબંધને પણ રેખાંકિત કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, મિઝોરમ, 93 ટકા સ્ત્રી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે, જ્યાં બાળ લગ્નનો દર માત્ર આઠ ટકા છે. તો મધ્યપ્રદેશમાં, જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 67.5 ટકા છે, તેમાં બાળ લગ્નનો દર 23.1 ટકા છે, જ્યારે હરિયાણામાં, જ્યાં 73.8 ટકા સ્ત્રી સાક્ષરતા છે, બાળ લગ્ન દર 12.5 ટકાથી ઘણો ઓછો છે.

જો કે, સંશોધન પેપરમાં એવા કેટલાક ઉદાહરણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં સ્ત્રી સાક્ષરતા અને બાળ લગ્ન દર વચ્ચેનો સંબંધ સમગ્ર દેશમાં જોવા મળે છે તેના કરતા વિપરીત છે. ઉદાહરણ તરીકે, પશ્ચિમ બંગાળમાં સ્ત્રી સાક્ષરતા દર 77 ટકા છે, તેમ છતાં ત્યાં બાળ લગ્ન દર 42 ટકા પર અત્યંત ઊંચો છે. તેવી જ રીતે, ત્રિપુરામાં, સ્ત્રી સાક્ષરતા દર 82 ટકા હોવા છતાં, બાળ લગ્નનો દર 40 ટકા છે. આસામમાં સાક્ષરતા દર 78.2 ટકા છે જ્યારે બાળ લગ્ન દર 31.8 ટકા છે.

સંશોધન પેપર મુજબ, “આ અપવાદો દર્શાવે છે કે સ્ત્રી સાક્ષરતા દર મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તો સામાજિક-આર્થિક પરિબળો અને સાંસ્કૃતિક પરંપરાઓ કેટલાક વિસ્તારોમાં બાળ લગ્નની પ્રથાને પ્રભાવિત કરે છે.”

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NHFS 019-21) અનુસાર, દેશમાં 20 થી 24 વર્ષની વયજૂથની 23.3 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની થાય તે પહેલાં જ થઈ જાય છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, દર ત્રણમાંથી બે છોકરીઓના લગ્ન 15 થી 17 વર્ષની વચ્ચે થાય છે. આનો અર્થ એ થયો કે કુલ 52 લાખમાંથી 33 લાખ છોકરીઓના લગ્ન 18 વર્ષની થાય તે પહેલા જ થઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૧૦ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

March 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રએ કેરળને પાછળ છોડ્યું-હવે મહારાષ્ટ્રમાં એનઆરઆઈ દ્વારા સૌથી વધુ પૈસા મોકલવામાં આવે -આંકડા જાણો અહીં

by Dr. Mayur Parikh July 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં અત્યાર સુધી એનઆરઆઈઓ(NRI) દ્વારા સૌથી વધુ પૈસા કેરળમાં(Kerala) મોકલવામાં આવતા હતા. જોકે હવે મહારાષ્ટ્રએ(Maharashtra) આ બાબતમાં કેરળને પાછળ મૂકીને આગળ થઈ ગયું છે.

ભારતીય રિઝર્વ બેંક(RBI) દ્વારા રજૂ કરાયેલા સંશોધન પેપર(Research paper) મુજબ, બિન-નિવાસી કેરળવાસીઓ તરફથી કેરળમાં મોકલવામાં આવતી આવકનો હિસ્સો છેલ્લા પાંચ  વર્ષમાં અડધા જેટલો ઘટી ગયો છે. વર્ષ ૨૦૨૦-૨૧ના આંકડાઓ પર નજર કરીએ તો, ૨૦૧૬-૧૭માં સૌથી વધુ એનઆરઆઈ રેમિટન્સની(remittances) યાદીમાં ટોચ પર રહેનાર કેરળને મહારાષ્ટ્રએ પાછળ છોડી દીધું છે.

પાંચ વર્ષ અગાઉ કુલ એનઆરઆઈ રેમિટન્સમાં ૧૯ ટકા કેરળના હતા. આ આંકડો હવે ૧૦.૨ ટકા જેટલો થયો છે. દરમ્યાન મહારાષ્ટ્રનું કુલ રેમિટન્સ ૧૬.૭ ટકાથી વધીને ૩૫.૨ ટકા થયું છે.

એટલું જ નહિ પણ કેરળ, કર્ણાટક(karnataka) અને તમિલનાડુના(Tamil nadu) રેમિટન્સનો કુલ હિસ્સો ૨૦૧૬ના ૪૨ ટકામાંથી ૨૫.૧ ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે આ દક્ષિણના રાજ્યોમાં સૌથી વધુ એનઆરઆઈ છે.

આ સમાચાર પણ વાંચો : માત્ર અન્ય જાતિ ધર્મો જ શા માટે- 9 રાજ્યોમાં હિંદુઓને પણ લઘુમતી ગણો- સુપ્રીમમાં અરજી થઈ-જાણો વિગત

રિઝર્વ બેન્કના સંશોધનમાં વિદેશ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ જનારા લોકો સૌથી વધુ દક્ષિણના રાજ્યોના હતા પણ હવે ૨૦૨૦માં ગલ્ફના દેશોમાં જવા માટે ઈમિગ્રેશન ક્લીઅરન્સ મળ્યું હોય તેમાંથી ૫૦ ટકા લોકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના હતા.
રિઝર્વ બેન્કના સંશોધન મુજબ કોવિડ મહામારીને કારણે નોકરી ગુમાવવાથી તેમજ ઈમિગ્રેશન પેટર્નમાં થયેલા ફેરફારને કારણે આ પરિવર્તન થયું હોઈ શકે છે.

નોરકાના ડેટા મુજબ કોવિડને(Covid) કારણે વિશ્વના વિવિધ દેશોમાંથી ૧૪.૭ લાખ કેરળવાસીઓ ભારત પાછા ફર્યા હતા. એમાંથી ૫૯ ટકા યુએઈમાંથી હતા.

પાંચ વર્ષ અગાઉ ભારતમાં આવતા કુલ રેમિટન્સમાંથી લગભગ ૫૦ ટકા ગલ્ફના દેશોમાંથી હતા જે હવે ઘટીને ૩૦ ટકા થયા છે.
 પાંચ વર્ષ પહેલા યુએઈ ભારતમાં એનઆરઆઈ યોગદાનની યાદીમાં ટોચ પર હતું પણ હવે નવા ડેટા મુજબ ૨૨.૯ ટકા સાથે આ સ્થાન અમેરિકાએ(USA) હાંસલ કર્યું છે. ૨૦૧૬માં યુએઈથી(UAE) મળતી ડીપોઝિટ ૨૬.૬ ટકા હતી જે હવે ઘટીને ૧૮ ટકા થઈ છે. ૨૦૨૦-૨૧માં ભારતમાં ૩૬ ટકા એનઆરઆઈ રેમિટન્સ અમેરિકા, બ્રિટન અને સિંગાપોરમાંથી(Singapore) આવે છે.

વર્ષ ૨૦૧૫માં લગભગ ૭.૬ લાખ લોકોએ ગલ્ફ દેશોમાં જવા ભારતમાં ઇમિગ્રેશન ક્લિઅરન્સ(Immigartion clearance) પૂર્ણ કર્યું હતું. ૨૦૧૯માં આ સંખ્યા ઘટીને ૩.૫ લાખ થઈ. ૨૦૨૦માં કોવિડ કટોકટી વચ્ચે આ સંખ્યા વધુ ઘટીને ૯૦ હજાર થઈ. મોટાભાગના ઈમિગ્રેશન સાઉદી અરબ(Saudi Arab) તરફના હતા. ૨૦૧૫માં ૩.૧ લાખ લોકો સાઉદી અરબ ગયા જ્યારે ૨૦૧૯માં આ સંખ્યા ૧.૬ લાખ થઈ. યુએઈ ઈમિગ્રેશનની સંખ્યા પણ ૨.૩ લાખથી ઘટીને ૮૦ હજાર થઈ હતી
 

July 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક