Tag: restrictions

  • હાશ!! કોવિડ નિયમો ગયાં. મુંબઈ અને મહારાષ્ટ્રના આ 14 જિલ્લામાં વેપારીઓ ખુશ. જાણો કયા નિયમો ગયા અને કયા હજી લાગુ છે. તેમજ કયા જિલ્લામાં નિયમો હળવા થયા. 

    હાશ!! કોવિડ નિયમો ગયાં. મુંબઈ અને મહારાષ્ટ્રના આ 14 જિલ્લામાં વેપારીઓ ખુશ. જાણો કયા નિયમો ગયા અને કયા હજી લાગુ છે. તેમજ કયા જિલ્લામાં નિયમો હળવા થયા. 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 03 માર્ચ 2022,          

    ગુરુવાર.

    મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત 14 જિલ્લાઓ માટે રાહત આપી છે. આ તે જિલ્લાઓ છે જેમાં કોરોનાનો અસર હવે ઓછો થઈ ગયો છે. આ જિલ્લાઓના નામ આ મુજબ છે. મુંબઈ ઉપનગરીય, પુણે, ભંડારા, સિંધુદુર્ગ, નાગપુર, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી, ગોંદિયા, ચંદ્રપુર અને કોલ્હાપુર. 

    આ જિલ્લામાં બધા શૉપિંગ કૉમ્પ્લેક્સ, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક સ્થળો, ડ્રામા થિયેટર, પર્યટન સ્થળો, મનોરંજન પાર્ક વગેરેને 100 ટકા ક્ષમતા સાથે ચલાવવાની છૂટ છે. નવા નિયમ મુજબ હવે મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ અને સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે શરૂ થઇ શકશે, તેમજ સ્વિમિંગ પૂલ, ધાર્મિક સ્થળો, મનોરંજન પાર્કને પણ 100 ટકા ક્ષમતાની સાથે કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

    આ નવા નિયમો શુક્રવાર થી લાગુ થશે.

  • કેન્દ્રનો રાજ્યોને પત્રઃ કોરોના પ્રતિબંધક નિયંત્રણોને લઈને કહી દીધી મોટી વાત.. જાણો વિગત

    કેન્દ્રનો રાજ્યોને પત્રઃ કોરોના પ્રતિબંધક નિયંત્રણોને લઈને કહી દીધી મોટી વાત.. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,         

    ગુરુવાર,

    દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે ઓસરતી જણાઈ રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેથી અનેક રાજ્યોએ કોરોના પ્રતિબંધોને  હળવા કરવાનું શરૂ કર્યું છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.

    આ પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્યોએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ અને લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરી શકે છે. કારણ કે હવે દેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પત્રમાં જણાવ્યું હતું કે દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. મંત્રાલયના પત્રમાં કોરોનાના આંકડા પણ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 27409 દર્દીઓ સામે આવ્યા છે. તો ગયા અઠવાડિયે આ સંખ્યા 50,000 થી ઉપર હતી. તે જ સમયે, 15 ફેબ્રુઆરીના રોજ પોઝિટિવિટી રેટ ઘટીને 3.63 ટકા થયો હતો.

    પત્રમાં એવી સૂચના પણ આપવામાં આવી છે કે કોરોનાની સ્થિતિ પર નજર રાખો. નવા દર્દીઓની સંખ્યા અને દરરોજ નોંધાતા આંકડા  પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. આ માટે, ટેસ્ટિંગ,  ટ્રેસિંગ, સારવાર, રસીકરણ અને કોરોનાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ એવુ પણ કેન્દ્ર સરકારે પત્રમાં સ્પષ્ટ કર્યું છે.

    આ દરમિયાન બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,615 નવા કેસ મળી આવ્યા છે. જે મંગળવારની સરખામણીમાં 11 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 82,000 લોકો સાજા થયા છે. 514 કરોડ દર્દીઓના મોત થયા છે. દેશમાં હજુ પણ 3 લાખ 70 હજાર 240 સક્રિય દર્દીઓ છે. દેશમાં કોરોના દર્દીઓનો દૈનિક પોઝિટિવિટી દર 2.45% છે.

  • ‘ઓમિક્રોન’ ન્યુ યરની મજા બગાડશે? ક્રિસમસ અને નવા વર્ષ અગાઉ દેશના મોટા રાજ્યોમાં પ્રતિબંધોની ગિફ્ટ; જાણો કયા રાજ્યમાં કેવા નિયંત્રણો લાગુ થયા

    ‘ઓમિક્રોન’ ન્યુ યરની મજા બગાડશે? ક્રિસમસ અને નવા વર્ષ અગાઉ દેશના મોટા રાજ્યોમાં પ્રતિબંધોની ગિફ્ટ; જાણો કયા રાજ્યમાં કેવા નિયંત્રણો લાગુ થયા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 24 ડિસેમ્બર 2021

    શુક્રવાર

    દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે ૨૦ દિવસમાં કેન્દ્ર અને રાજય સરકારોની ઉંઘ ઉડી ગઈ છે. દિલ્હીથી મહારાષ્ટ્ર્ર સુધીના ૧૫ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. જેના કારણે ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી શકે છે. નવા વેરીએન્ટના પગલે કેન્દ્ર અને રાજય સરકારો એકશનમાં આવી ગઈ છે અને અલગ અલગ રાજ્યોમાં નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે.  

    કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાની ત્રીજી લહેર ટાળવા અંગે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 અને ખાસ કરીને ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને ઝડપથી અને અસરકારક કોન્સટેક ટ્રેસિંગ અને કોવિડ-19ના પરીક્ષણો ઝડપ કરવા તેમજ વેક્સિનેશનમાં વધારા સાથે સાથે આરોગ્યના માળખાને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમજ રાજ્યોને શક્ય હોય તેવી તમામ મદદ પૂરી પાડવા માટે વાત કહી હતી.  

    અયોધ્યામાં મહાજમીન કૌભાંડ: પાંચ મિનિટમા જમીનની કિંમતમાં થયો આટલા કરોડનો વધારો, કોંગ્રેસના આ નેતાએ કર્યો આરોપ

    મહારાષ્ટ્રમાં આજે કોવિડ-19ની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ વર્ષે નાતાલ અને નવા વર્ષની ઉજવણી પ્રતિબંધ મુકાય તેવી સંભાવના છે. આ સાથે હોટલ, રેસ્ટોરન્ટ, લગ્ન સમારંભ, પાર્ટીઓમાં ભીડ નિયંત્રિત કરવા માટે નવી માર્ગ દર્શિકા તૈયાર કરવામાં આવશે. મુંબઈ પોલીસે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે.

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના સંક્રમણના ફેલાવાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કડકાઈ વધારવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ જાહેર સ્થળો જેવા કે મોલ, સિનેમાઘરો, હોટલો, કાફે અને ભીડભાડવાળા સ્થળોએ વધુ સતર્કતા જાળવવામાં આવશે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં યોજાનારી પાર્ટીઓમાં કોવિડ પ્રોટોકોલ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રહેશે. કોરોના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને નોયડા અને લખનઉમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ 144 લગાવી દીધી છે.  

    મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રાત્રે 11 થી 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. શિવરાજ સરકારે જાહેર કરેલી નવી ગાઈડ લાઈનમાં જે લોકો રસીના બંને ડોઝ પછી જ ક્લબ, કોચિંગ, જીમ, થિયેટરમાં પ્રવેશ આપવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.માસ્ક ન પહેરવા બદલ દંડ લાદવાની જોગવાઈઓ પણ છે. આ સાથે જ ઓમીક્રોન્સની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લાદનાર પ્રથમ રાજ્ય બન્યું છે. 

    મધ્ય રેલવેમાં એર કન્ડિશન લોકલ ટ્રેન ના ફેરા વધારવામાં આવશે. આ છે કારણ; જાણો વિગત.

    ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પાટનગર દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબધં લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ અનુસાર આગામી આદેશો સુધી કોઈપણ હોટેલ, બાર અથવા રેસ્ટોરન્ટમાં ૫૦ ટકા બેઠક ક્ષમતાને મંજૂરી આપવામાં આવશે નહીં. કેજરીવાલ સરકારે ઓમિક્રોનને રોકવા માટે દરરોજ 3,00,000 પરીક્ષણો કરવાની ક્ષમતા બનાવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મીડિયાને જણાવ્યું હતું કે, દરરોજ 60થી 70,000 ટેસ્ટ થાય છે, પરંતુ જો દરરોજ 3 લાખ ટેસ્ટ કરવાની જરૂર હોય તો આપણે કરી શકીએ છીએ.  

    રાજસ્થાનમાં નવી ગાઈડ લાઈન હેઠળ લોકોને ટેસ્ટ ટ્રેક ટ્રીટ પ્રોટોકોલ અને રસીકરણ તેમજ માસ્કનો ફરજિયાત ઉપયોગ, સામાજિક અંતરનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ રજૂ ન થાય ત્યાં સુધી બહારથી શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા વિદ્યાર્થીઓને ક્વોરેન્ટાઇન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

    પંજાબમાં પણ કોરોનાના લઈને કડક નિયમો અમલમાં આવી રહ્યા છે. અહીં પંજાબ સરકારે આદેશ આપ્યો છે કે જે સરકારી કર્મચારીઓ રસીકરણ પ્રમાણપત્ર નહીં બતાવે તેમને તેમનો પગાર નહીં મળે. કર્મચારીઓને રાજય સરકારના માનવ સંસાધન પોર્ટલ પર તેમનું સંપૂર્ણ રસીકરણ અથવા કામચલાઉ રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓએ રસી નથી લીધી અને સર્ટીફિકેટ નથી તો  તેમને પગાર નહીં મળે.

    આ ઉપરાંત હરિયાણામાં જે લોકોને બંને કોરોના રસી સામે રસી આપવામાં આવી નથી તેમને 1 જાન્યુઆરી, 2022થી જાહેર સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ મેરેજ હોલ, હોટેલ, બેંકો, સરકારી કચેરીઓ અને બસો જેવા સ્થળો પર લાગુ પડશે.  

    સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળા માં સંતરા ખાવાના ફાયદા વિશે
     

  • ભારતના આ રાજ્યોના 27 જિલ્લામાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતિત, રાજ્યોને ફરી આપ્યા આ  નિર્દેશ; જાણો વિગતે 

    ભારતના આ રાજ્યોના 27 જિલ્લામાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતિત, રાજ્યોને ફરી આપ્યા આ  નિર્દેશ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 11 ડિસેમ્બર 2021

    શનિવાર

    ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 27 જિલ્લામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી સરકારની ચિંતા વધી છે.

    કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને કોવિડ ક્લસ્ટર મળે તો નાઈટ કર્ફ્યુ, લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, વિવાહ અને અંતિમ સંસ્કારમાં સામેલ થનાર લોકોની સંખ્યા ઓછી કરવાનો નિર્દેશ આપ્યો છે. 

    સરકારે જે રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે તેમાં કેરળના અને મહારાષ્ટ્રના તથા ગુજરાતના જિલ્લા સામેલ છે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં 10 હજારથી પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં સક્રિય કેસ છે. 

    NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એક્શન મોડમાં, આજે મુંબઈમાં આટલા સ્થળોએ પાડ્યા દરોડા; જાણો વિગતે

  • કોરોના ને નાથવા કડક પગલું. રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પણ ગાઇડ લાઇન?

    કોરોના ને નાથવા કડક પગલું. રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પણ ગાઇડ લાઇન?

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

    સોમવાર

    મહારાષ્ટ્ર રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો બેરોકટોક પ્રવાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રવાસ કરવા માટે કોઈપણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. રાજ્ય સરકારને શંકા છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બહુ ઝડપથી ટ્રાવેલ કરી રહ્યા છે. આથી રાજ્ય સરકારે આજે રીવ્યુ મિટિંગ પછી એવો નિર્ણય લીધો છે કે આવનાર દિવસોમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત નિર્ધારિત રૂટ નક્કી કરવામાં આવશે જેના પરથી લોકો બીજા જિલ્લામાં જઈ શકશે. રાજ્ય સરકાર આ પગલું એટલે લઈ રહી છે કે તેને લોકોની અવરજવર પર પાબંધી મુકવી છે.

  • તો આખરે દંડાયુ કોણ? વેપારી.. વેપારી… અને માત્ર વેપારી… કઈ રીતે? જાણો અહીં.

    તો આખરે દંડાયુ કોણ? વેપારી.. વેપારી… અને માત્ર વેપારી… કઈ રીતે? જાણો અહીં.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
    મુંબઈ, 14 એપ્રિલ 2021

     

    મહારાષ્ટ્ર સરકારે સીધે સીધુ lockdown ન લગાડતા અલગ-અલગ પ્રકારના પ્રતિબંધો લગાડ્યા છે. જોકે આ પ્રતિબંધોને જોતા એવું લાગી રહ્યું છે કે લોકોની અવરજવર રાબેતા મુજબ ચાલુ રહેશે. રસ્તા કિનારેના ફેરિયાઓ જેમના તેમ બેસશે. આ ઉપરાંત ખાણીપીણીની હોટલો પણ ચાલુ રહેશે.


    બંધ રહેશે માત્ર દુકાનો. સરકારે દુકાનો, મંદિરો અને રાજનૈતિક કાર્યક્રમો છોડીને મેન્યુફેક્ચરિંગ ફેક્ટર અને અન્ય પ્રકારના વ્યવસાયોને છૂટ આપી છે. ત્યાં સુધી કે રિક્ષા અને ટેક્સીવાળા પણ પોતાનો ધંધો કરી શકશે. બેન્કિંગ પણ પોતાનો વ્યવસાય કરી શકશે.
    આ પરિસ્થિતિમાં માત્રને માત્ર દુકાનો બંધ રહેતાં વેપારીઓને આર્થિક ફટકો પડવાનો છે.
    આ સંદર્ભે ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ એસોસિએશન એ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અન્ય વેપારી સંગઠનો એ પણ બાયો ચડાવી છે.

  • મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પછી હવે આ સરકારે ૧૦ એપ્રિલથી રાજ્યમાં સરકાર પ્રતિબંધ લગાવ્યા.

    મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પછી હવે આ સરકારે ૧૦ એપ્રિલથી રાજ્યમાં સરકાર પ્રતિબંધ લગાવ્યા.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, 8 એપ્રિલ 2021 

    ગુરૂવાર

    તામિલનાડુમાં હવે ચૂંટણી પતી ગઈ છે એટલે લોકડાઉન નો દોર શરૂ થયો છે. તમિલનાડુની સરકારે ૧૦ એપ્રિલથી આખા રાજ્યમાં કડક નિર્બંધોની જાહેરાત કરી છે. જે મુજબ આખા રાજ્યમાં તમામ સંસ્થાનોમાં માત્ર 50 ટકા લોકોને પ્રવેશ મળશે. બસ અને ટ્રેન માત્ર બેસી શકાય તેટલા લોકો ની એન્ટ્રી રહેશે. તમામ દુકાનોમાં માત્ર 50 ટકા લોકોને જ શોપિંગ માટે અંદર લઇ શકાશે. કોઇમ્બતુર અને ચેન્નાઈની અનેક માર્કેટ બંધ કરવામાં આવી. ધાર્મિક મેળાવડાઓ બંધ રહેશે. ઓટોરિક્ષા માત્ર બે જણા સફર કરી શકશે.

    આમ તામિલનાડુમાં પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

     આ દેશમાં માત્ર સાત કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા ખળભળાટ. વડાપ્રધાન ચિંતામાં…

  • આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.

    આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    16 માર્ચ 2021

    મુંબઈ શહેરમાં લોકડાઉન ક્યારે લાગશે? શું લોકડાઉન થશે? હવે શું થશે? આ તમામ અટકળો પર હાલ પૂર્ણ વિરામ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે હુકમ જાહેર કરીને અનેક પ્રતિબંધો લાદ્યા છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાએ પણ વિશેષ પગલા લીધા છે. આ બંને પગલા પરથી એવું લાગી રહ્યું છે કે જો સરકારે લોકડાઉન લગાવવું હોત તો આ પગલાં લેવાની કોઈ જરૂર નહોતી. આ તમામ પગલાઓ ૩૧મી માર્ચ સુધી લાગુ રહેશે. આનો અર્થ એમ થાય છે કે આડકતરી રીતે 31 માર્ચ સુધી લોકડાઉન નહિ લાગે.

    સરકારે જે નવા પગલા લીધા છે તે મુજબ હવે રેસ્ટોરન્ટ અને હોટલ ૫૦ ટકા હાજરી સાથે ચાલી શકશે.

    આ ઉપરાંત લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો આવી શકશે તેમ જ અંતિમ સંસ્કાર દરમિયાન ૨૦ લોકોને પરવાનગી રહેશે.

    મુંબઈ મહાનગરપાલિકા ના અધિકારીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમે મુંબઈ ની પરિસ્થિતિ નજીકથી જોઈ રહ્યા છીએ. આથી હાલ લોકડાઉન સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી.

    આમ મુંબઈ શહેરના માથેથી લોકડાઉન ની ઘાત હમણાં ટળી છે.