• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - satyendra jain
Tag:

satyendra jain

Ministry of Home Affairs has received from Sukesh Chandrasekhar Rs. CBI investigation allowed against Satyendra Jain in Rs 10 crore extortion case..
દેશTop Postરાજકારણ

CBI Satyendra Jain: તિહારમાં બંધ સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી! ગૃહ મંત્રાલયે સુકેશ ચંદ્રશેખર પાસેથી રૂ. 10 કરોડની ખંડણીના કેસમાં સત્યેન્દ્ર જૈન સામે CBI તપાસને મંજૂરી આપી..

by Bipin Mewada March 30, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

CBI Satyendra Jain: ગૃહ મંત્રાલયે દિલ્હીના પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI તપાસને મંજૂરી આપી છે. સત્યેન્દ્ર જૈન પર છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી “પ્રોટેક્શન મની” તરીકે 10 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. 

સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ પર તિહાર જેલમાં ખંડણીનું રેકેટ ( Extortion racket ) ચલાવવાનો અને દિલ્હીની વિવિધ જેલોમાં બંધ હાઈપ્રોફાઈલ કેદીઓ પાસેથી પ્રોટેક્શન મની વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈન અને સંદીપ ગોયલ અને અન્ય તિહાર જેલના અધિકારીઓ રાજકુમાર અને મુકેશ પ્રસાદ પર વર્ષ 2019-22 વચ્ચે 12.50 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.

 સત્યેન્દ્ર જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી..

વાસ્તવમાં, ફેબ્રુઆરીમાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ મામલે ગૃહ મંત્રાલય ( Home Ministry ) પાસેથી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઈ ( CBI  )  તપાસની ભલામણ કરી હતી. સીબીઆઈએ ગયા વર્ષે નવેમ્બરમાં લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાંથી હાઈ-પ્રોફાઈલ ખંડણીનું રેકેટ ચલાવી રહ્યો છે. સીબીઆઈએ કહ્યું કે જૈને ગેંગસ્ટર સુકેશ ( sukesh chandrasekhar ) પાસેથી પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા માંગ્યા હતા. સુકેશે આરોપ લગાવ્યો છે કે 2018 થી 2021 વચ્ચે સત્યેન્દ્ર જૈને પોતે અથવા તેના સહયોગીઓ દ્વારા તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai: દક્ષિણ મુંબઈમાં સતત બીજા દિવસ અનેક વિસ્તારોમાં રહ્યો પાવર કટ, કલાકો સુધી અંધારપટ છવાયું..

નોંધનીય છે કે, સત્યેન્દ્ર જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેમની છેલ્લી જામીન અરજી આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને મની લોન્ડરિંગ કેસમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. અગાઉ, તેને 26 મે, 2023 ના રોજ વચગાળાના તબીબી જામીન આપવામાં આવ્યા હતા, કારણ કે તે જેલના બાથરૂમમાં પડી ગયો હતો.

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED Raid ED raid on Aam Aadmi Party MP Sanjay Singh's residence, know what is the whole case..
દેશ

ED Raid: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના આવાસ પર EDની છાપેમારી, જાણો શું છે સમગ્ર મામલો.. વાંચો વિગતે અહીં..

by Hiral Meria October 4, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

ED Raid: આપ (AAP) ના સાંસદ સંજય સિંહ (Sanjay Singh) ના આવાસ પર બુધવારે સવારે ઈડી દરોડા (ED Raid) ની કાર્યવાહી કરવા પહોંચી હતી. માહિતી અનુસાર આ દરોડાની કાર્યવાહી દિલ્હીની ( Delhi  ) વિવાદિત લીકર પોલિસી ( liquor policy ) ની તપાસ માટે કરવામાં આવી રહી છે.

આ અગાઉ પણ આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) તમામ નેતા તપાસ એજન્સીઓની ( investigating agencies ) રડાર પર આવી ચૂક્યા છે. EDએ મની લોન્ડ્રિંગ કેસમાં ( money laundering cases ) ગયા વર્ષે મે મહિનામાં કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ( Satyendra Jain ) ધરપકડ કરી હતી. જો કે, અત્યારે તેઓ બીમારીના કારણે સુપ્રીમ કોર્ટ (SC)થી મધ્યસ્થ જામીન પર બહાર છે. એ સિવાય EDએ દિલ્હીની આબકારી નીતિમાં કૌભાંડના આરોપમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલી EDએ તેમની ધરપકડ કરી હતી. સિસોદિયા અત્યારે જેલમાં બંધ છે. જો કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાના નેતાઓને કટ્ટર ઈમાનદાર બતાવી રહ્યા છે.

#WATCH | Visuals from outside AAP Rajya Sabha MP Sanjay Singh’s residence

ED raids underway at the residence of AAP Rajya Sabha MP Sanjay Singh pic.twitter.com/k6FRDjY12S

— ANI (@ANI) October 4, 2023

શું છે સમગ્ર મામલો..

કેસ દિલ્હી સરકારની નવી આબકારી નીતિ 2021-22 સાથે જોડાયેલો છે. દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021થી દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસી લાગૂ કરી હતી. નવી આબકારી નીતિ હેઠળ દારૂનનો બિઝનેસ પૂરી રીતે ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવ્યો અને દિલ્હી સરકાર તેનાથી પૂરી રીતે બહાર આવી ગઈ. દિલ્હી સરકારે નવી એક્સાઈઝ પોલિસી લાવવાને લઈને માફિયા રાજ સમાપ્ત કરવાનો તર્ક આપ્યો છે. એવો પણ દાવો કર્યો હતો કે તેનાથી સરકારના કરવેરામાં પણ વધારો થશે. દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસી લાગૂ થઈ તો પરિણામ સરકારના દાવાઓની એકદમ વિરુદ્ધ આવ્યા. કહ્યું સરકારે કરવેરો વધવાનો દાવો કર્યો હતો અને નુકસાન ઉઠાવવું પડ્યું.

આ સમાચાર પણ વાંચો : Ban on export of non-basmati rice: નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચી ગયો દેકારો.. જાણો શું છે આ પ્રકરણ..વાંચો વિગતે અહીં..

31 જુલાઇ 2022ના રોજ કેબિનેટમાં નોટમાં સરકારે માન્યું કે ભારે વેચાણ છતા આવકમાં ભારે નુકસાન થયું છે. નવી એક્સાઈઝ પોલિસી લાગૂ થયા બાદ આવકને નુકસાનને લઈને દિલ્હી સરકાર નિંદાના ઘેરામાં આવી ગઈ, પરંતુ આ નીતિમાં ગરબડીનો આરોપ સૌથી પગેલા લગાવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિન નરેશ કુમારે. તેમણે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટમાં મુખ્ય સચિવે એક્સાઈઝ પોલિસીમાં ગરબડ સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અનુચિત લાભ પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો.

દિલ્હીના LGએ મુખ્ય સચિવના રિપોર્ટના આધાર પર 22 જુલાઇ 2022ના રોજ CBI તપાસની ભલામણ કરી હતી. LGની ભલામણ બાદ CBIએ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી અને કેન્દ્રીય એજન્સીઓએ હવે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આ કેસમાં ધરપકડ કરી લીધી. તમામ વિવાદ, આરોપ-પ્રત્યારોપ, આવકના નુકસાન અને CBI તપાસ બાદ દિલ્હી સરકારે પોતાના પગલાં પાછળ ખેચી લીધા હતા અને 1 સપ્ટેમ્બર 2022થી જૂની આબકારી નીતિને પાછી લાગૂ કરવામાં આવી હતી.

October 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Satyendar Jain Bail: Supreme Court extends AAP leader Satyendar Jain's interim bail till July 24
દેશ

Satyendar Jain Bail: AAP નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ તારીખ સુધી વચગાળાના જામીન લંબાવ્યા..

by Dr. Mayur Parikh July 10, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Satyendar Jain Bail: દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમની જામીન અરજી (Bail plea) 24 જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ, તેમને તબીબી આધાર પર 6 અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા. જસ્ટિસ એએસ બોપન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે જામીન અરજીની સુનાવણી કરતી વખતે બે અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.

સર્જરી કરાવવાનું સૂચન

સત્યેન્દ્ર જૈનનો પક્ષ લેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે 3 હોસ્પિટલોએ જૈનને સર્જરી કરાવવાનું સૂચન કર્યું છે. સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં બંધ હતા અને બાથરૂમમાં પડી જવાને કારણે તેમને ઈજાઓ થઈ હતી. આ પછી તેમને પહેલા દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ (Deendayal Upadhyaya Hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની તબિયત લથડવા લાગી ત્યારે તેમને જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Reliance share: ઉધોગપતિ મુકેશ અંબાણીનો મોટો નિર્ણય, અલગ કરશે આ બિઝનેસ, RILના શેરમાં ભારે તેજી..

આગામી સુનાવણી 24 જુલાઈએ.

આ પહેલા 26 મેના રોજ સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ને 6 અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તેમની જામીન અરજી આગળના આદેશ સુધી લંબાવી છે. આ મામલાની આગામી સુનાવણી 24 જુલાઈએ થશે. ત્યાં સુધી સત્યેન્દ્ર જૈન જામીન પર રહેશે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનની જામીન 11મી જુલાઈએ પૂરી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે 10 જુલાઈએ સત્યેન્દ્ર જૈન તેમના સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરે.

શું છે મામલો?

24 ઓગસ્ટ 2017ના રોજ સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ(Money laundering case) માં ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈ (CBI) એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી હતી. 2019માં સત્યેન્દ્ર જૈનને નિયમિત જામીન મળ્યા હતા પરંતુ 31 મે 2022ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તિહાર જેલમાં તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો પછી જેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે.

July 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. 

EDએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, જૈનના પરિવારના લોકો અમુક એવી ફર્મ સાથે જોડાયેલા છે, જે PMLA અંતર્ગત તપાસમાં દાયરામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીને લઈને મહાવિકાસ આઘાડી સરકારના આ પ્રધાને ભાજપને કહી દીધી મોટી વાત.. જાણો વિગતે

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન, આપના ધારાસભ્ય આતિષીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

by Dr. Mayur Parikh June 18, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

18 જુન 2020

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય આતિશીનું બુધવારે કોવીડ -19 માટે ટેસ્ટ કરવામાં આવી હતી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે આપ નાં અન્ય સભ્યોનું પરીક્ષણ પણ કરવામાં આવી રહયું છે. 

બુધવારે સત્યેન્દ્ર જૈન ની બીજીવાર કોરોના ટેસ્ટ કરવામાં અઆવી હતી જેનું પરિણામ પોઝીટીવ આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું દિલ્હીના આરોગ્ય પ્રધાનની હાલત "સ્થિર" હતી, પરંતુ તેમને તાવ હોવાથી ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો.

જ્યારે દિલ્હીના કાલકાજી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર આતિશી પોતાના ઘરના એકાંતમાં જતા રહયાં છે. મંગળવારે તેની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી અને બુધવારે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આતિશીના શરીરમાં ઓક્સિજનના સ્તરને મોનિટર કરવા માટે ફળો, વિટામિન સી અને ઓક્સિમીટરથી તે સંપૂર્ણપણે સજ્જ છે, એમ તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું, 

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે  “આશિષિએ કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું આશા રાખું છું કે તે વહેલી તકે તંદુરસ્ત થઈ ફરી લોકોની સેવામાં જોડાઈ જશે".…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

June 18, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક