Tag: session

  • Delhi Literature Fest:  દિલ્હીમાં આવતીકાલથી શરૂ થશે સાહિત્યનો મહાકુંભ, 700 થી વધુ લેખકો આવશે એક મંચ પર..

    Delhi Literature Fest: દિલ્હીમાં આવતીકાલથી શરૂ થશે સાહિત્યનો મહાકુંભ, 700 થી વધુ લેખકો આવશે એક મંચ પર..

    News Continuous Bureau | Mumbai

    Delhi Literature Fest : ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી સાહિત્યિક સંસ્થા સાહિત્ય અકાદમી 7 માર્ચ 2025 થી 12 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે તેના વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરશે. ભારત સરકારના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રખ્યાત અંગ્રેજી નાટ્યકાર શ્રી મહેશ દત્તાણી આ એવોર્ડ સમારોહના મુખ્ય મહેમાન હશે. જેમાં 23 ભાષાઓમાં પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કારો આપવામાં આવશે અને પ્રખ્યાત લેખક અને વિદ્વાન શ્રી ઉપમન્યુ ચેટર્જી આ વર્ષના સંવત્સર વ્યાખ્યાન આપશે.

    આ એશિયાનો સૌથી મોટો સાહિત્ય ઉત્સવ છે. જેમાં દેશના વિવિધ ભાગોમાંથી 50થી વધુ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 700 લેખકો ભાગ લે છે. આ મહોત્સવમાં 100થી વધુ સત્રો હશે. આ મહોત્સવનો વિષય ભારતીય સાહિત્યિક પરંપરાઓ હશે અને મહોત્સવના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આ વિષય પર પ્રખ્યાત વિચારકો અને લેખકોનો રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે.

    આ મહોત્સવમાં યુવા લેખકો, મહિલા લેખકો, દલિત લેખકો, ઉત્તર પૂર્વના લેખકો, આદિવાસી લેખકો અને કવિઓ, LGBTQ લેખકો અને કવિઓ તેમજ ઘણા પ્રખ્યાત લેખકો, અનુવાદકો, પ્રકાશકો, કવિઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રખ્યાત વ્યક્તિઓ ભાગ લેશે. આ સાહિત્ય મહોત્સવ 1985થી ભારતના સૌથી સમાવિષ્ટ સાહિત્ય મહોત્સવ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખશે.

    આ સમાચાર પણ વાંચો : International Women’s Day : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું કરશે નેતૃત્વ

    ઉત્સવના છેલ્લા દિવસે બાળકો માટે એક દિવસીય કાર્યક્રમ, સ્પિન અ ટેલનું આયોજન કરવામાં આવશે. સમગ્ર મહોત્સવ દરમિયાન વિવિધ વિષયો પર પ્રખ્યાત લેખકો, કવિઓ, અનુવાદકો, પ્રકાશકો અને વિવેચકો દ્વારા પ્રસ્તુતિઓ, વાંચન અને ચર્ચાઓ યોજાશે.

    કાર્યક્રમની ત્રણ સાંજ દરમિયાન રાકેશ ચૌરસિયા (વાંસળીવાદન), નલિની જોશી (હિન્દુસ્તાની ગાયન) અને ફૌઝિયા દાસ્તાંગો અને રિતેશ યાદવ (દાસ્તાન-એ-મહાભારત) જેવા પ્રખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે. સાહિત્ય મહોત્સવ બધા સાહિત્ય પ્રેમીઓ અને ભારતના સૌથી લાંબા સમયથી ચાલતા સાહિત્ય મહોત્સવનો સ્વાદ ચાખવા માંગતા લોકો માટે ખુલ્લો અને નિઃશુલ્ક છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • ફરી ડોલર સામે રેકોર્ડબ્રેક રીતે ગગડ્યો રૂપિયો, ઑલ-ટાઈમ નીચલા સ્તરે જતાં અર્થતંત્રને ઝટકો.. 

    ફરી ડોલર સામે રેકોર્ડબ્રેક રીતે ગગડ્યો રૂપિયો, ઑલ-ટાઈમ નીચલા સ્તરે જતાં અર્થતંત્રને ઝટકો.. 

    News Continuous Bureau | Mumbai

    ભારતીય રૂપિયો (Indian Rupee) ગુરૂવારના સત્રના અંતે ફરી નવા ઐતિહાસિક તળિયે બંધ આવ્યો છે. 

    ભારતીય ચલણ(Indian currency) ડોલરની(Dollar) સામે આજના સેશનના(Session) અંતે 77.73 પર બંધ આવ્યો છે. 

    મોંઘવારીની(Inflation) વિકરાળ બનતી સમસ્યા અને વ્યાજદરમાં(Interest rate) વધારાને કારણે વૈશ્વિક શેરબજારમાં(Sharemarket) મંદીની સાથે ભારતમાંથી આઉટફ્લો વધતા રૂપિયામાં દબાણ વધતું જઈ રહ્યું છે.

    ભારતીય ચલણ છેલ્લા 10 દિવસમાં સતત પાંચમા સત્રમાં નવા ઐતિહાસિક તળિયે બંધ આવ્યું છે. 

    નિષ્ણાતોના મતે ભારતીય શેરબજારમાં(Indian share market) વિદેશી રોકાણકારોની(Foreign investors) અવિરત વેચવાલી ચાલુ રહેતા રૂપિયામાં દબાણ વધી રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  સર્વોચ્ચ અદાલતનો આ કેસમાં મોટો ચુકાદો, GST કાઉન્સિલની ભલામણો માનવા બંધાયેલી નથી કેન્દ્ર અને રાજ્ય સરકારો.. જાણો વિગતે.. 

  • સંસદનું ચોમાસું સત્ર શરૂ થતા જ વિપક્ષના નેતાઓએ હોબાળો કર્યો; સંસદની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરાઈ

    સંસદનું ચોમાસું સત્ર શરૂ થતા જ વિપક્ષના નેતાઓએ હોબાળો કર્યો; સંસદની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરાઈ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧

    સોમવાર

    વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે સંસદના ચોમાસું સત્રના શરૂઆતના દિવસે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા કહ્યું હતું કે વિપક્ષે કડક પ્રશ્નો પૂછવા જોઈએ પણ સરકારને સંસદમાં તેનો જવાબ આપવા દેવો જોઈએ. રવિવારે વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં નવા જોડાયેલા મંત્રીઓના પરિચય માટે પીએમ મોદી દ્વારા તમામ સાંસદોને સંયુક્ત સંબોધન પર વાંધો ઉઠાવ્યો હતો.

    આજે સંસદની કાર્યવાહી શરૂ થતા જ નવા સાંસદોને શપથ અપાવવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓનો ઔપચારિક પરિચય આપવાનું શરૂ કર્યું તે જ સમયે વિપક્ષે હોબાળો કર્યો હતો અને વડા પ્રધાને આખરે દસ્તાવેજો સંસદના પટલ પર મુક્યા હતા. વિપક્ષોએ ત્રણ કૃષિ નિયમોને પાછા ખેંચવાની માગ સાથે હોબાળો કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતાઓને સંસદની ગરિમાનું સન્માન કરવાનું જણાવ્યું હતું, પરંતુ વિપક્ષે હંગામો ચાલુ રાખતા સંસદનું સત્ર ૨ વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું.

    સંજય ગાંધી નેશનલ પાર્કની કૃષ્ણા નદી તોફાને ચડી. જુઓ સોમવાર સવાર નો લેટેસ્ટ વિડિયો. ધસમસતી નદી અને પશ્ચિમ ઉપનગર પર જોખમ

    આ મામલે રાજનાથ સિંહે કહ્યું હતું કે “મારા 24 વર્ષના સંસદીય જીવનમાં મેં આ પ્રથમ વખત જોયું, કોંગ્રેસનું આ વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે ઉમેર્યું હતું કે સંસદની પરંપરા છે કે વડા પ્રધાન પોતાના મંત્રી મંડળનો પરિચય સંસદને આપે.